SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ १२ આ ગ્રંથના આરંભે બે શબ્દો લખવાનો મારો અધિકાર એટલો જ કે મને ઉપાધ્યાય યશોવિજ્યજી પ્રત્યે ભક્તિ છે અને આચાર્ય પ્રદ્યુમ્નસૂરિજીને મારા પ્રત્યે પ્રીતિ છે. ઉપાધ્યાય યશોવિજયજી હેમચંદ્રાચાર્ય જેટલી પ્રસિદ્ધિ પામ્યા નથી. પણ વાણિજ્યપ્રધાન ગુજરાત વિદ્યાગતમાં પોતાનું માથું ઊંચું રાખી શકે એવા મધ્યકાળના વિદ્યાપુરુષ તરીકે હેમચંદ્રાચાર્યની સાથે યશોવિજયજીનું નામ લેવું જોઈએ. કાવ્ય, કથા, કાવ્યશાસ્ત્ર, ધર્મોપદેશ, જ્ઞાનમીમાંસા, ન્યાય તથા તર્કશાસ્ત્ર, જૈન સિદ્ધાંત, વેદાંતસમીક્ષા, યોગ, અધ્યાત્મ વગેરે વિષયોને વ્યાપી વળતી યશોવિજ્યજીની વિદ્વત્તા પણ સર્વદેશીય છે. યશોવિજયજીની શબ્દોપાસના બહુધા સંપ્રદાયસેવામાં પ્રયોજાયેલી છે પણ એમાં વ્યક્ત થતી બૌદ્ધિક પ્રતિભા, વિચારશીલતા અને કાવ્યરસિકતાનો આસ્વાદ સૌ કોઈ લઈ શકે તેમ છે, તેમાંથી ઘણુંબધું પામી શકે તેમ છે. જૈન પરંપરામાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રય ગણાય છે. ઉપાધ્યાયજીએ કાશી-આગ્રા જઈને વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો આ Jain Education International આચમન અને અપેક્ષા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy