SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ તેના ગુણદોષ તેમની સામે હસ્તામલકવતું પ્રત્યક્ષ થઈ જતા અને તે ગ્રન્થની કોઈ પણ સારી-ઉત્તમ વાત હોય તો તેઓ તેનો અસંકોચ સ્વીકાર કરતા. દા.ત. દિગમ્બર પરંપરાના ગ્રન્થો છે તે તેઓના જોવામાં આવ્યા. દિગમ્બર પરંપરાની જે, સ્ત્રી મોક્ષે ન જાય અને કેવળજ્ઞાની આહાર ન કરે, પ્રભુ દેશના આપે ત્યારે શબ્દ ન બોલે માત્ર ધ્વનિ જ નીકળે વગેરે માન્યતાઓ છે તે શાસ્ત્રથી, તર્કથી, યુક્તિથી પણ કેવી અસિદ્ધ છે તેનું તેમણે અકાઢ્ય દલીલોથી પ્રતિપાદન કરી. પોતાને તે માન્ય નથી તેવા પ્રતિપાદન કર્યું તેઓની માન્યતાની પોકળતા પુરવાર કરવા માટે, અધ્યાત્મમત પરીક્ષા, દિક્યુટ ચોરાશી બોલ વગેરે ગ્રન્થ દ્વારા જડબાતોડ જવાબ આપ્યા છે. તો દિગંબરાચાર્ય શ્રી વિદ્યાનંદિ રચિત અષ્ટસર પ્રવછર તેમણે જોયું અને તે ગ્રન્થમાં શ્રમણભગવાન મહાવીરદેવે પ્રરૂપેલા સ્યાદ્વાદ ધર્મનું વિશદ નિરૂપણ દેખાયું તો પોતે ખુલ્લા મનથી તેની પ્રશંસા કરી એટલું જ નહીં તેના ઉપર પોતે સંસ્કૃતમાં આઠ હજાર શ્લોક પ્રમાણ વિવરણ રચ્યું. રચના કરતી વખતે પોતે સ્પષ્ટતા કરી છે: स्याद्वादार्थ: क्वापि कस्यापि शास्त्रे य: स्यात् कश्चिद् दृष्टिवादार्णवोत्थ: । तद्व्याख्याने भारती सस्पृहा मे __ भक्तिव्यक्तौ नाग्रहोऽणौ पृथौ वा ॥ ક્યાંય પણ કોઈના ગ્રંથમાં પણ સ્યાદ્વાદનો અર્થ નિરૂપિત થયેલો દેખાય તો તે દૃષ્ટિવાદરૂપી સમુદ્રમાંથી જ નીકળેલાં બિન્દુઓ છે અને એ રીતે તેના વ્યાખ્યાન માટે મારી વાણી સ્પૃહા ધરાવે છે. જ્યાં ભક્તિ જ પ્રકટ કરવી છે ત્યાં પ્રતિમાજી) નાનાં છે કે મોટાં છે તે વાત ગૌણ બની જાય છે, આમ લખીને તેઓએ સ્યાદ્વાદનો સમાદર કર્યો છે. એટલું જ નહિ દિગંબર પરંપરાના આચાર્યશ્રી પ્રભાચન્દ્રકૃત સામ્યશતક તેમના જોવામાં આવ્યું તો તે ગ્રન્થના વચનની અસરકારકતાના કારણે તે પરથી તેમણે હિન્દી આ એ જ કે કે સારી કરે છે ders હેરા લાકડી , , , 4.3 . # કદર . . . . કે જી.' જ ' 3 દોશી , ' જ જો છે સા ા જો છે. કે આ એક મ , છે , છે કાર જ શ કે છેશરીરમાં પાંચ : શાસ્ત્રના સંવાદી અર્થશોધનું કૌશલ્ય - ૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy