SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ “જિમ જિમ બહુશ્રુત બહુજનસંમત બહુ શિષ્ય પરિવરિયો તિમ તિમ જિનશાસનનો વયરી જો નવિ નિશ્ચય ધરિયો.” (૩૫ગ્ગાથા, સ્તવન ઢાળ-૧, કડી-૧) અહીં બહુશ્રુત, બહુજનસંમત અને બહુશિષ્યથી પરિવરેલી વ્યક્તિ આ બધાં ભાવો તો ઔદયિકભાવો છે અને તે પર ભાવ છે મને તો ક્ષયોપશમભાવ જ ઉપકારક છે તે સ્વભાવ છે આવી સમજણ જો ન હોય તો તે જિન શાસનનો વૈરી બને છે. એવો અર્થ થાય છે. આમ વ્યવહાર નય અને નિશ્ચય નય, જ્ઞાન નય અને ક્રિયા નય, આગમવાદ અને હેતુવાદ, ઉત્સર્ગ અને અપવાદ, દ્રવ્ય અને ભાવ, આવા આવા પદાર્થોમાં તેઓનું નિર્માન્ત દર્શન છે અને તેનું અસંદિગ્ધ પ્રતિપાદન છે. અને તેને યથાસ્થાને પ્રયોજવાનું કૌશલ પણ તેઓમાં દેખાય છે. આ રીતે તેઓએ બહુ મોટો ઉપકાર કર્યો છે. આ કાળમાં આવા સ્પષ્ટ માર્ગદર્શક મળવા દુર્લભ છે. શાસ્ત્રોનું મંથન કરીને તેઓએ ગંભીર ભાવો સરળ ગુજરાતી ભાષામાં રજૂ કર્યા છે. ગ્રંથકારના મનમાં જો અભિલાપ્ય પદાર્થ સ્ફટિક જેવો સ્પષ્ટ હોય તો જ તેની આવી અનાકુલ અભિવ્યક્તિ થઈ શકે. બાકી બીજા ગ્રંથોમાંથી વાતો લઈને બીજો ગ્રંથ બનાવવો તે કાંઈ અઘરું નથી. શ્રીપાળરાસના અંતે પોતે જ ગાઈ ઊઠે છેઃ પૂરવ લિખિત લિખે સહુકોઈ લઈ કાગળ ને કાંઠો, ભાવ અપૂરવ કહે તે પંડિત બહુ બોલે તે બાંઠો.” શ્રીપાળરાસની આ છેલ્લી ઢાળ તો તેમના કવિત્વની કસોટીરૂપ છે. દરેક કડીના અંતનો અક્ષર “ઠ” આવે. આમ તો કવિઓ ‘ટ’ વર્ગને તે કઠોર હોવાના કારણે પોતાની રચનામાંથી દેશવટો જ દેતા હોય છે. કમલકોમલ કાંત પદાવલીને જ પસંદ કરતા હોય છે. પણ અહીં તો તેઓના વરદાનપ્રાપ્ત કવિત્વના સ્પર્શે ઠોઠનો “ઠ” પણ છે : ઇશાનુગ્રહસંગતિનું દર્શન : ૮૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy