SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ગ્રંથ માટે સુજસવેલીકારે ઠીક જ લખ્યું છે: શીતલ પ૨માનંદિની શુચિ વિમલ સ્વરૂપા સાચી રે જેહની રચનાચન્દ્રિકા રસિયા જન સેવે રાચી રે. ભક્તિના સાહિત્યમાં તેઓ વરસી પડ્યા છે. પ્રભુ સાથેની ગોઠડી વખતે તેઓ પોતાની વિદ્વત્તા-તાર્કિકતા બધી ચીજોને ખીંટીએ મૂકીને નાના બાળકની જેમ પ્રભુ સાથે શ્રદ્ધાની ભાષામાં જ વાત માંડે છે અને પ્રભુના કૃપાકિરણથી પોતાનું અસ્તિત્વ આરપાર વીંધાઈ જાય તેમ થાય છે. તેઓએ ભક્તિને સાર્થક કરી છે. તેમની તાર્કિકતા શ્રદ્ધાથી પરિશુદ્ધ થયેલી છે. તાર્કિકતાના દોષો દૂર થઈ જાય અને તેની ગુણવત્તા ઝળકી ઊઠે તેવો કીમિયો તેમણે અજમાવ્યો છે. તેઓ પ્રભુને પામીને યાચકની જેમ યાચના નથી કરતા પણ ગ્રાહકની જેમ માગે છે. પોતે પોતાની જાતને દીન-હીન નથી માનતા, ખુમારીથી બોલે છેઃ “મત કહેશો તુજ કરમે નથી, કરમે છે તો તું પામ્યો રે મુજ સરીખા કીધાં મોટકા, કહો તેણે કાંઈ તુજ થામ્યો રે' ભક્તો ભગવદ્ તત્ત્વથી ભીંજાય પછી પોતાને ભગવાનના અંશ જ ગણે છે. એવી પણ એક ભૂમિકા આવે છે. ઋષભદેવ ભગવાનના સ્તવનમાં અંતે તેઓ ગાઈ ઊઠે છે કે: “જસ કહે અબ મોહે બહુ નિવાજો' એ જ રીતે આનંદઘનજી મહારાજે પણ શાન્તિનાથ ભગવાનના સ્તવનમાં ગાયું છેઃ “અહો અહો હું મુજને કહું, નમો મુજ નમો મુજ રે અમિત ફ્લદાન દાતારની, જેહને ભેટ થઈ તુજ રે.” ભક્તિના માધ્યમથી તેઓની ત્રણ ચોવીસી મળી છે. તે સિવાય છૂટાં સ્તવનો પણ ઘણાં મળે છે. જ્યારે જ્યારે તેનું ગાન કરીએ ત્યારે ત્યારે તેમાંથી નવો નવો રસ, નવો નવો અર્થ મળે યશોજીવન પ્રવચનમાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy