SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસેવાની અખૂટ સરવાણી વહી तेभ्योनमस्तदीयान् ० વારાણસી (કાશી) અને આગ્રા બન્ને સ્થાને મળીને સાત વર્ષ રહીને ષટ્દર્શનના દિગ્ગજ વિદ્વાન બન્યા પછી ન્યાયાચાર્ય અને ન્યાયવિશારદ એવાં બબ્બે માનવંતાં બિરુદ બ્રાહ્મણ પંડિત મંડલી દ્વારા મેળવીને વિ.સં. ૧૭૧૦માં પોષ મહિને પોતાની દીક્ષાભૂમિ પાટણમાં પધાર્યા છે. સંઘના હરખનો પાર નથી. તેઓનાં પ્રજ્ઞા અને શીલની સુવાસ ચોમેર પ્રસરી છે. પાટણમાં પણ જેઓ ગંભીર તત્ત્વજ્ઞાનના પ્રેમી હતા તેમને ભાવતું ભોજન મળ્યું છે. ગ્રન્થભંડારોનું કેન્દ્રસ્થાન પાટણ હતું એટલે પુરાણા ગ્રન્થો જોવાનું બનતું રહ્યું. તેવામાં એક નોંધપાત્ર ઘટના બની. ત્યાંના વિદ્વાનો દ્વારા જ જાણવા મળ્યું કે અહીંના એક બ્રાહ્મણ પંડિત પાસે નયવનો જૂનો ગ્રંથ છે. તેની પોથી ક્યાંયે જોવા મળતી નથી. માટે તેની નકલો કરાવવા જેવી છે. આ કામ ક૨વા જેવું છે. એટલે આ ભટજી પાસેથી પોથી મેળવવી તો જોઈએ જ, એમ તેમને લાગે છે. શ્રી મલ્લવાદીજીએ રચેલા નયજ્ઞ ગ્રન્થ માટે તરત જ ભટજી પાસે જઈને તે ગ્રંથની માગણી કરી, પણ ભટજીએ તે ચાર : શ્રુતસેવાની અખૂટ સરવાણી વહી Jain Education International પ્રવચન ચાર For Private & Personal Use Only ૪૭ www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy