SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ આટલો ઇશારો બસ થશે. પ્રભુનો ગુણ જે જીવો પ્રત્યેનો પ્રેમ-વાત્સલ્ય તેના પ્રભુ ભંડાર છે. આવી વાત આ ધર્મનાથ ભગવાનના સ્તવનમાં કરી છે. પાંચ કડીના સાવ નાના સ્તવનમાં આવી ગંભીર વાત તેમણે ગૂંથી દીધી છે. સારા ક્ષયોપશમવાળાએ તો સંકલ્પ કરવો જોઈએ કે “હું આ સ્તવન-ચોવીશી જરૂર કંઠસ્થ કરીશ.” જ્યારે જ્યારે બોલો ત્યારે ત્યારે રોજ રોજ નવા ભાવોની સ્પર્શના થાય. આવો અખૂટ ભક્તિરસ તેમાં ભરેલો છે. ભક્તિની જેમ તત્ત્વની દૃષ્ટિએ તેમનાં ૧૨૫, ૧૫૦ અને ૩૫૦ ગાથાનાં સ્તવનો, દ્રવ્યગુણપર્યાયનો રાસ, કથાની દૃષ્ટિએ જંબૂસ્વામીનો રાસ અને કૌતુકની દૃષ્ટિએ સમુદ્ર-વહાણ સંવાદ આ બધી કૃતિઓ નોંધપાત્ર છે. કોઈપણ વિવેચક તેમના સમગ્ર સાહિત્યમાંથી તેમની આ રચના નબળી છે તેવું શોધી શકે તેમ નથી. ગુરુ મહારાજની કૃપા અને મા શારદાનું મળેલું વરદાન તેનું આ ફળ છે. પ્રારંભમાં મુનિ, પછી વિદ્વાન, પછી કવિ અને તે પછી ઋષિ આમ ઉત્તરોત્તર પૂર્ણ અધ્યાત્મમાં પર્યવસાન પામતી તેઓની વિદ્યાયાત્રા એ આપણા માટેનું આત્મપ્રેરણાનું અખૂટ ભાતું છે. સ્તવન ચોવીશીની જેમ ૧૨૫ ગાથાના સ્તવનની છેલ્લી ઢાળ અચૂક કંઠસ્થ કરવા જેવી છે. પોતાના આત્મિક વિકાસ માટેની સામગ્રી શોધનાર સાધકને માટે તેઓએ રચેલી ઓગણત્રીસ કડીની અમૃતવેલ એ સાચે જ આત્મસ્વસ્થતા રૂપ અમૃતના ફળને આપનાર અમરવેલડી જ છે. પ્રભુના ધર્મના આરાધનાના પ્રભાવે જે અંતરંગ નિરુપાધિક આનંદની પ્રાપ્તિ કરવાની છે તે યાત્રાનો નકશો જ તેઓએ અહીં આપ્યો છે. શરૂઆતમાં ચાર શરણા, દુષ્કૃત ગહ અને સુકૃતની અનુમોદનાને ૨૨ કડી સુધી વિસ્તારીને કહીને આ વ્યવહારનયથી ધર્મમાં સ્થિર થયા બાદ શુદ્ધ નયથી આત્માને ભાવિત કરવો જોઈએ, એ કેવી રીતે કરી શકાય? એ મહત્ત્વની વાત ૨૪, ૨૫, ૨૬ અને ૨૭, £ એ કે કરી, છ: ઇશાનુગ્રહસંગતિનું દર્શન : ૦૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy