SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ધુરા પાછલી ઉંમરે પણ પૂ. વિજયદેવસૂરિજી મહારાજને સંભાળવી પડે છે. બીજી બાજુ અહીંયાં યતિઓની પરંપરા ચાલુ થઈ ગઈ હતી. અને સાધુઓના જીવનમાં સંયમવિષયક શિથિલતા આવી ગઈ હતી. આ બધા સમાચાર પણ તેમને મળે છે. તેથી તેઓ પણ ગુજરાત આવવા ઉત્સુક છે. વિ. સં. ૧૭૦૯માં આગ્રાથી નીકળીને ગુજરાત તરફ તેમનું પ્રયાણ ચાલુ થાય છે. વિ.સં. ૧૭૦૯નું ચોમાસું વચ્ચે ક્યાંક કરીને વિ.સં. ૧૭૧૦માં તેઓ ગુજરાત આવ્યાનો ઉલ્લેખ આપણને મળે છે. વિ.સં. ૧૭૧૦માં સંવેગી પક્ષના પં. શ્રી ઋદ્ધિવિમલજીએ બનાસકાંઠાના ગોલા ગામમાં ક્રિયોદ્ધાર કર્યો હતો. તે પ્રસંગના વર્ણનમાં તેમના શિષ્ય વિબુધવિમલજીએ, શ્રી યશોવિજયજી ગુજરાતમાં આવ્યાનો ઉલ્લેખ વિ.સં. ૧૮૧૩માં રચેલા સમ્યકત્વપરીક્ષા તથા તેના બાલાવબોધમાં કર્યો છે તેવો જ બીજો ઉલ્લેખમાં તેમણે ઉપદેશશતકની પ્રશસ્તિમાં પણ કર્યો છે. શ્રી ઋદ્ધિવિમલજીએ જે ક્રિયોદ્ધાર કર્યો તેમાં શ્રી યશોવિજયજીએ સહાયતા કરી હતી. આ વિમલ શાખા પણ તપાગચ્છની અઢાર શાખા પૈકીની જ એક શાખા છે. એ અઢાર શાખાનાં નામ આ પ્રમાણે છે: વિજય, વિમલ, સાગર, ચન્દ્ર, હર્ષ, સૌભાગ્ય, સુન્દર, રત્ન, ધર્મ, હંસ, આનંદ, વર્ધન, સોમ, રુચિ, સાર, રાજ, કુશલ, ઉદય. આજે પણ આ નામના શબ્દો સાધુમહારાજના નામમાં જોવા મળે છે. વિ.સં. ૧૭૧૦માં પાટણમાં બીજું પણ એક મહત્ત્વનું કામ થયું છે. વાત એવી બની છે કે જ્યારે પં. શ્રી યશોવિજયજી વિ.સં. ૧૭૧૦માં પોષ મહિનામાં પાટણ પધાર્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે શ્રી મલ્લવાદીગણી રચિત નયચક્રગ્રંથની એક દુર્લભ પોથી અહીંના એક બ્રાહ્મણ પંડિત પાસે છે. સામાન્ય રીતે આ ગ્રંથ અન્ય ગામોના ભંડારોમાં જોવા મળતો નહોતો, ‘વિરલ પોથી' ગણાતી હતી. તેથી એ ભટજી પાસેથી એ ગ્રન્થ મેળવવા પ્રયાસ કર્યો પણ : : : : : : ત્રણ : દીક્ષા : “ધન સુહગુરુ જેણે દીમ્બિયા એ” ૦ ૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy