SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ આખા ગામમાં આ વાત ચોવીસ કલાકમાં જ પ્રસરી ગઈ. બધા વારંવાર તેને પૂછવા લાગ્યા. ગામમાં જાણે એક જોણું થયું. આ વાત પં. શ્રી નયવિજયજીને પણ ગામમાં આવતાંવેંત જાણવા મળી. અને આવામાં જ પં. શ્રી નયવિજયજીને માતા-બાળક વન્દન માટે આવ્યાં. ગુરુજીએ પૂછ્યું: ભક્તામર આવડે છે? અને જસવંત ભક્તામરના શ્લોક બોલવા લાગ્યો. ગામડા ગામનો નાનો છોકરો સ્પષ્ટ ઉચ્ચારે બધા જ શ્લોકો બોલી શક્યો તેથી ગુરુજીને પણ ઘણું આશ્ચર્ય થયું. ગુરુજીને સામાન્ય વિચાર સ્ફુર્યો અને માતાને પૂછ્યું કે “આ બાળક શાસનના ચરણે ધરવામાં આવે તો સ્વ અને પરનું કલ્યાણ કરે. સંસારમાં રહીને તો શું કરશે?” સ૨ળ-સ્વભાવી હળુકર્મી માતા સૌભાગ્યદેવીએ આ વાત વધાવી લીધી. ભારે કર્મી વ્યક્તિને હૈયે ધર્મની વાત જલદી ઊતરતી હોતી નથી, જ્યારે હળુકર્મી જીવને સાંસારિક વાત કરતાં ધર્મની વાતમાં વધારે રસ હોય છે. માના જવાબમાં હર્ષોલ્લાસ હતો. જસવંત પોતે પણ તૈયા૨ હતો. તેની આંખો આવું જ કાંઈ શોધતી હોય તેવું લાગ્યું. શ્રીમદ્ ભગવદ્ગીતામાં જણાવ્યું છે તેમ માણસને ઉત્તમકુળમાં – સંસ્કારી કુટુંબમાં જન્મ પણ પૂર્વની અધૂરી રહેલી સાધના પૂરી કરવા માટે મળે છે. યોગભ્રષ્ટ આત્મા એટલે જેની સાધના અધૂરી રહી છે તેવા આત્માઓનો જન્મ ઉત્તમ કુળમાં થાય છે. (શુદ્દીનાં શ્રીમતાં પોતે, યોગભ્રષ્ટોઽપિ નાયતે””) પછી તો જસવંતની દીક્ષાની તૈયારી થવા લાગી વગેરે અધિકા૨ આગળ ઉ૫૨ જોઈશું. • યશોજીવન પ્રવચનમાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy