SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ શકી છે તેથી તેમાં કદાચ કાંઈક તો સત્ય હશે. આ દંતકથા ઉપાધ્યાયજી મહારાજની પ્રભાવકતાને લગતી છે. તેમના બાળપણની વાત છે. તેમની માતાને ભક્તામર સ્તોત્ર' સાંભળ્યા પછી જ પાણી કે અન્ન લેવાનો નિયમ હતો. કોઈપણ સમાજમાં માતૃવર્ગમાં ધર્મ ઓતપ્રોત થવો જોઈએ, તો જ સમગ્ર પરિવારમાં ધર્મ પ્રસરી શકે. માતા તો સમસ્ત ઘરનું પાવરહાઉસ છે દા.ત. ગાંધીજીનાં માતા પૂતળીબાઈને નિયમ હતો કે ચોમાસાના દિવસોમાં સૂર્ય ન દેખાય તો અન્ન મોંમાં ન નાંખવું. આ માટે ક્યારેક આઠ-આઠ ઉપવાસ પણ થતા. માતાના આ સંસ્કારો દીકાને વારસામાં મળ્યા હતા અને તેથી તેઓ ઉપવાસ સહજ રીતે કરી શકતા હતા. કહેવાય છે કે બાળકને ૮૦% વારસો તેનાં માતા ત૨ફથી, ૧૦% વા૨સો તેના પૂર્વભવનો અને ૧૦% વા૨સો તેના પિતા, શિક્ષકો, ભાઈબહેન વગેરેનો મળે છે. તેમની માએ નિયમ રાખ્યો છે. નિયમ વગરનાં તો ઢોર હોય, માણસ નહીં. એક કહેવત છે નાથ વિનાનો બળદ અને નિયમ વિનાનો મ૨૬ નકામો. નિયમ માણસને અંકુશિત કરે છે. જે ઢોરને લગામથી અંકુશિત કરવામાં આવે છે તે ઢોર પણ કામ કરતાં થઈ જાય છે, તેની સાર-સંભાળ લેવાય છે. બાકીનાં તો હરાયાં ઢોર બનીને ગામ આખાની લાકડી ખાય છે. માતા સોભાગદેને પણ સાધ્વીજી મહારાજ પાસેથી ભક્તામર સાંભળ્યા પછી જ અનાજ કે પાણી લેવાનો નિયમ છે. સતત ત્રણત્રણ દિવસ વરસાદ થતાં માતાને ત્રણ-ત્રણ ઉપવાસ થાય છે. સાધ્વીજી મહારાજના ઉપાશ્રયે જતાં રસ્તામાં નદી આવતી હતી. (આજે પણ કનોડા અને સદુથલા ગામની વચ્ચે રૂપેણ નદી આવે છે.) નદીમાં પાણી ઘણું તેથી ઉપાશ્રયે જવાયું નહીં. ત્રણ દિવસ આમ રહ્યું. જસવંતની ચકોર નજ૨થી આ છાનું ન રહ્યું. દિવસ આખો માતા માળા કરે છે, સામાયિક કરે છે પણ કાંઈ ખાતીપીતી નથી. ત્યારે જસવંત જીદ લઈને માતાને પૂછે છે કે “તું કેમ યશોજીવન પ્રવચનમાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy