SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ અત્યાર સુધી શ્રીયશોવિજ્યજી, પાઠશાળામાં ભણતા ત્યારે ગુરુ તેમના પાઠમાં જે ભણાવે તે તો ભણતા જ, પરંતુ પાઠશાળામાં અન્ય વિદ્યાર્થીઓને સાંખ્ય, મીમાંસા વગેરે જે છએ દર્શનો ભણાવવામાં આવતાં તેમાં પણ સતત ધ્યાન રહેતું. બીજા બધા વિદ્યાર્થીઓ તો નિઃશુલ્ક ભણતા, રાજ્ય તરફથી ગુરુને પૈસા મળતા, રસોઈ માટે સીધું મળતું. જ્યારે શ્રી યશોવિજ્યજી જૈન હોવાથી તેમને ભણાવવા માટે રોજના એક રૂપિયાની ફી હતી. તે જમાનામાં સાટા પદ્ધતિથી વ્યવહાર ચાલતો એટલે તેવા વખતમાં ગુરુને રોજનો એક રૂપિયો મળતાં ગુરુ સંતુષ્ટ હતા, છતાં જૈનને બહુ પોષતા ન હતા. બીજા દિવસે નક્કી કરેલા સ્થળે, નક્કી કરેલા વિષયોનો વાદ શરૂ થયો. વાદી એક પછી એક વિષયોના પ્રશ્નો મૂકતા જાય છે, અને શ્રી યશોવિજયજી ઉત્તર આપતા જાય છે. પ્રશ્ન તરફ સભાના બે કાન હતા, તો ઉત્તર તરફ તો ચાર કાન હતા. બિલકુલ ક્ષોભ વગર સતત ત્રણ દિવસ જવાબો આપીને વાદીને હરાવે છે, હંફાવે છે. સામાન્ય પ્રશ્નોના પણ અકાટ્ય એવા ઉત્તરોથી ભટ્ટારક પોતે પણ આશ્ચર્ય પામ્યા. ક્ભારી પાસે તો ન્યાય-વૈશેષિક જ શીખ્યા હતા, જ્યારે તેણે જે જવાબો આપ્યા તેમાં સાંખ્ય, મીમાંસા વગેરેનું જ્ઞાન પણ પ્રગટ થતું હતું. તેના એક એક ઉત્તરની રજૂઆત એક એક ગ્રંથ જેટલી હતી.’ શ્રી યશોવિજયજીની આ વિદ્વત્તાને અને આત્મવિશ્વાસને જોઈને કાશીના પંડિતોએ તેમને ‘ન્યાયવિશારદ’ અને ‘ન્યાયાચાર્ય’ આ બે બિરુદો આપ્યાં. તેમનો વિશેષ આદર કરીને માનપત્ર આપ્યું, અને કાશીનો શ્રી સંઘ શ્રી પાર્શ્વનાથ ભગવાનના સ્થાનકે વાજતેગાજતે Jain Education International ત્રણ દીક્ષા : “ધન સુહગુરુ જેણે દીખિયા એ” For Private & Personal Use Only ૩૯ www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy