SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ યોગીને થાય છે, પણ પછી તેની અભિવ્યક્તિ બધા કરી શકતા નથી. આવા ઉપાધ્યાયજી મહારાજ જેવા યોગી જ આવી સ્પષ્ટ અનુભૂતિ અને તે કારણે સ્પષ્ટ અભિવ્યક્તિ કરી શકે છે. પરમાત્મતત્ત્વ અંગેનું પણ તેમનું સ્પષ્ટ અને આગવું જ દર્શન હતું. સામાન્ય રીતે જૈન દર્શનને વિદ્વાનો નિરીશ્વરવાદી કહે છે. કારણ કે તે ઈશ્વરને સૃષ્ટિના કત નથી માનતા. પણ સૃષ્ટિના કર્તા તરીકે ઈશ્વરને ન સ્વીકારે એટલા માત્રથી નિરીશ્વરવાદી ન કહેવાય. ખરેખર તો ઈશ્વરના અસ્તિત્વનો જ જે ઇન્કાર કરે તે નાસ્તિક કહેવાય પણ વૈદિક ધર્માવલંબીઓએ વેદને એ દૃષ્ટિએ પ્રસ્થાપિત કર્યા છે કે વેદને ન સ્વીકારે તે નાસ્તિક પણ નિરીશ્વરવાદી નહીં. નાસ્તિક. પણ આ મોટી ભૂલ છે. અહીં જૈન ધર્મ ઈશ્વરને સંપૂર્ણપણે સ્વીકારે છે. સૃષ્ટિના કર્તા તરીકે નહીં હા, એક જ વાત છે. આપણે ત્યાં પરમાત્મતત્ત્વના સ્વરૂપને સમજવામાં ઘણી ગંભીર ભૂલ થઈ છે, તે નિખાલસતાથી કબૂલવું જ રહ્યું. આ વાત થોડી વિગતે જોઈએ. પરંપરાગત રીતે તમે બધા વર્ષોથી વ્યાખ્યાનમાં સાંભળતા જ રહ્યા છો કે આપણા ભગવાન જગત બનાવે નહિ પણ બતાવે. આપણા ભગવાન વીતરાગ. તેમાં રાગ પણ નહીં ને દ્વેષ પણ નહીં. ભગવાન સુખ પણ ન આપે અને દુઃખ પણ ન આપે. આવી વિભાવનાથી પરમાત્માની કરુણાનો સમૂળગો છેદ ઊડી જાય છે, તે આપણા ધ્યાન બહાર ગયું છે. અહંતુ પરમાત્માની કરુણાને સમજવા માટે શ્રમણ મહાવીર પ્રભુ અને સિંહઅણગાર વચ્ચેનો સંવાદ (ભગવતીસૂત્ર શતક: ૧૫) ધ્યાનથી વાંચજો, સાંભળજો તો ખ્યાલ આવશે કે કેવી કરુણા છે. ભગવાન સુખ પણ ન આપે અને દુઃખ પણ ન આપે એ કારણે એક તો કહે છે. ફકર છે દર : 'જુદા કકડા કડક કાકા અમુa : yes;"ા ૫ શાખા ૦૬ ૦ યશોજીવન પ્રવચનમાળા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy