SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનગર કહેવાતું હતું. પાટણનો એક જમાનો હતો પણ તેનો પ્રભાવ ઓસરવા માંડ્યો હતો. પંડિત શ્રી નયવિજયજી મહારાજ, શ્રી યશોવિજયજી મહારાજ વગેરે અમદાવાદ આવ્યા. તે જમાનામાં શ્રાવકો સાથેનો સાધુનો સંબંધ ઊંચા પ્રકારનો હતો. નિવ્યાજ અને લાગણીભર્યો એ સંબંધ હતો. આજથી સો સવાસો વર્ષ પહેલાં પણ આ સંબંધ કેવા પ્રકારનો હતો તેનું એક દષ્ટાંત છે. તે વખતે સંસ્કૃત, વ્યાકરણ વગેરેનો અભ્યાસ ઘટેલો હતો. એક સાધુ મહારાજ પર્યુષણના ચોથા દિવસે પાટ ઉપર બેસીને વ્યાખ્યાનના પ્રારંભમાં સંસ્કૃત શ્લોક શરૂ કરે प्रणम्य परमश्रेयस्करं श्री जगदीश्वरम् । कल्पे सुबोधिकां कुर्वे वृत्तिं बालोपकारिणीम् ॥ આટલો શ્લોક સાંભળ્યો ત્યાં તો આગળ બેઠેલા એક શ્રાવકનાં રોમાંચ ખડાં થઈ ગયાં કે “ઓહોહો ! આજે સાધુ મહારાજ સંસ્કૃત વૃત્તિના આધારે બોલશે! તેના હૈયે આનંદ આનંદ થઈ ગયો. તે જમાનામાં શ્રીફળ, પતાસા, ખારેકની પ્રભાવના વારંવાર થતી પણ રૂપિયાની પ્રભાવના તો ક્યારેક જ થતી. તે શ્રાવક તે સમયે ઘરે જઈને રૂપિયા લઈ આવ્યા અને રોકડા ચાંદીના રૂપિયાની પ્રભાવના કરી. આવો સુંદર સંબંધ તે વખતે હતો. તે સમયના ખરતરગચ્છ, વિમલગચ્છ, અચલગચ્છ, પૂનમિયાગચ્છના સાધુઓએ પણ શ્રી યશોવિજયજીની પ્રતિભા વિષે સાંભળ્યું. ત્યારે શ્રી નવિજયજી, યશોવિજયજીને કહે કે “તું શ્રી સંઘને કંઈક સંભળાવ તો ખ્યાલ આવે.” આ વખતે યશોવિજયજી આઠ અવધાન કરે છે. અવધાનની પણ એક કળા છે. આઠ વિષયના આઠ માણસો આવે છે અને કોઈક ઉમાં શાયરી બોલે છે, કોઈક અંગ્રેજીમાં કાવ્ય બોલે છે, કોઈક ગણિતમાં દાખલો કહે છે, કોઈક સંગીતનો રાગ ગાય છે. પછી કોણ શું બોલ્યું હતું તે આડુંઅવળું ત્રણ : દીક્ષા : “ધન સુહગુરુ જેણે દીમ્બિયા એ” • ૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy