SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ શૌય ધૈર્યમતો. વૈરાયું રાત્મનિપ્રદ:ાર્ય: I दृश्या भवगतदोषाश्चिन्त्यं देहादिवैरूप्यम् ॥ ४२ ॥ भक्तिर्भगवति धार्या, सेव्यो देश: सदा विविक्तश्च । स्थातव्यं सम्यक्त्वे विश्वस्यो न प्रमादरिपुः ॥ ४३ ॥ ध्येयात्मबोधनिष्ठा, सर्वत्रैवागमः पुरस्कार्यः । त्यक्तव्याः कुविकल्पाः स्थेयं वृद्धानुवृत्या च ॥ ४४ ॥ साक्षात्कार्यं तत्त्वं, चिद्रूपानन्दमेदुरैर्भाव्यम् । हितकारी ज्ञानवतामनुभववेद्यः प्रकारोऽयम् ॥ ४५ ॥ કોઈની પણ ક્યારે નિંદા ન કરવી, પાપીમાં પાપી જીવ અંગે પણ સંસારની પરિસ્થિતિ કેવી વિષમ હોય છે તેમ વિચારવું, ગુણોથી જેઓ મહાન હોય તેઓની પૂજા કરવી. કોઈનો નાનો પણ ગુણ જોવા મળે તો તેના પર રાગ – પ્રીતિ ધારણ કરવી. આગમતત્ત્વનો નિશ્ચય કરીને પોતાના જીવનમાં તે ભાવોને આત્મસાત્ કરી લેવા. લોકસંજ્ઞાનો ત્યાગ કરવો, આગમતત્ત્વો પ્રત્યેની શ્રદ્ધાથી અને લૌકિક ભાવોના વિવેક(વસ્તુસ્વરૂપનો નિર્ણય)થી જ આત્મકલ્યાણના માર્ગમાં યત્ન કરવો. વયમાં નાના બાળ હોય તેવા જીવની પણ હિતકારી વાત હોય તો તે ગ્રહણ કરવી. દુર્જનો દ્વેષથી પ્રેરિત થઈને ગમે તેવાં વચનો કાઢે તો તેના ઉપર દ્વેષ ન કરવો. પારકી આશા ત્યજવી. અને જે સંગમસંયોગ થાય છે તે બધાય અનિત્ય છે અને આત્મકલ્યાણના માર્ગે બંધનરૂપ છે તેમ સમજવું. કદાચ કોઈ પ્રશંસા કરે તો ગર્વ ધારણ ન કરવો. અને કોઈ નિંદા કરે તો તેના પર કોપ ન કરવો, સમભાવે રહેવું. ધર્માચાર્યની સેવા કરવી. તેઓનાં વચન સાંભળવાં, તત્ત્વની જિજ્ઞાસા રાખવી. પવિત્રતા, સ્થિરતા અને નિર્દેભતા અને વૈરાગ્ય ધારણ કરવાં. આત્મસંયમ કેળવવો. સંસારના દોષ જોવા. દેહાદિ અનિત્ય • યશોજીવન પ્રવચનમાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy