Book Title: Mul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Author(s): Kumarpal Desai
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla
Catalog link: https://jainqq.org/explore/005468/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ છે ને આધ્યાભg શિખર શ્રીમદ્ રાજચંદ્ર : પ્રેરક જીવનગાથા Join Education material www melibrary.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Jan Bucation inter For Remodel Private Use Only www brary.org Page #3 -------------------------------------------------------------------------- ________________ કુર બને તે મ - Page #4 -------------------------------------------------------------------------- ________________ TITIMITI મૂળમાર્ગનું અમૃતક ITTTTTTTTTTTTT oververovelvoooos બોલનનું રેગ્વ૨ એ. કn 0 1 0 3 ). ધી પર Tટ છે આવી ન હતી કે ના કરી કે છે ! લેખક ની કુમારપાળ દેસાઈ મુરરરર 'EER પ્રકાશક શ્રી રાજસીભાગ સત્સંગ ભડળ સોભાગપરા, નૅશનલ હાઇવે નંબર એ સાયલા = ૩૩૩ (સૌરાષ્ટ્ર) == સર્વ પ્રકાશક સ્તિીવાળો શ્રી મનહરભાઈ વી. પટેલ (શ્રી ચિતભાઈ) સાનફ્રાન્સિસ્કો યુ.એસ.એ.) wwwginelibrary.one Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રેરક સંસ્થાઓ 2 શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન ટ્રસ્ટ (વવાણિયા) શ્રી રાજ સોભાગ સત્સંગ મંડળ (સાયલા) B | ઇન્સ્ટિટયૂટ ઓફ જૈનોલોજી (લંડન) 0. પ. કં. દેવ શ્રીમદ્ રાજચંદ્ર દેહવિલય શતાબ્દિ વર્ષ આંતરરાષ્ટ્રીય મહોત્સવ સમિતિ લેખક કુમારપાળ દેસાઈ ચિત્રકાર શ્રી નરેન્દ્રભાઈ કંસારા નેહજ એન્ટરપ્રાઈઝ આવૃત્તિ પ્રથમ વર્ષ ઈ. સ. ૨૦૦૦ વિ. સં. ૨૦૧૭ પ્રકાશક 2 શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ || સોભાગપરા, નેશનલ હાઈવે નંબર ૮એ, સાયલા - ૩૭૩૪૩૦ જિ. સુરેન્દ્રનગર ટેલિફોન કોડ - ૦૨૭૫૫ ફોન - ૨૦૫૩૩ મુદ્રક Hi SCAN હાઈસ્કેન લિ. હાઇસ્કેન હાઉસ, મીઠાખળી ગરનાળા પાસે, નવરંગપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૦૯ (ભારત) ફોન : (ઓ) ૭૫૬૩૬૩૪-૫-૭ ફેક્સ : ૧૪૩૧૯૧૪ આ ગ્રંથના લખાણ કે ફોટોગ્રાફ મૂળ સ્વરૂપે કે અંશત: પ્રગટ કરતાં પૂર્વે પ્રકાશકની પૂર્વ મંજૂરી અનિવાર્ય છે. g પુસ્તકની આશાતના ન થાય તેની પૂર્ણ તકેદારી રાખશો. Page #6 -------------------------------------------------------------------------- ________________ 02નાણીછી, નિષ્કારણ કરુણાસાગર વચનામૃતના દાતાર મૂળમાર્ગ પ્રકાશક અવધૂત યોગીશ્વર પરમજ્ઞાન નિધાન એવા પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીના પાવન ચરણ-કમળમાં આ છે અમારી ભક્તિભરી. શ્રદ્ધાપૂર્ણ શબ્દાંજલિ , I ! ? Page #7 -------------------------------------------------------------------------- ________________ /965 1976 7ષ્ઠ 73 75 76 7 ) 3D SD 63) 3) :) ) ) જ શીથીલી હણહથીથી લીલીીિ શ્રી મનહર વી. પટેલ (શ્રી ચિનુભાઈ) (આસ્થાવાળા - સાનફ્રાન્સિસ્કો, યુ.એસ.એ.) શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર ઘાટકોપર, મુંબઈ-૪૦૦૦૭૭ શ્રીમતી વસંતબહેન દિલ સુખરાય શાહ જોરાવરનગર, સૌરાષ્ટ્ર શ્રી કિશોરચંદ્ર હીરાલાલ શાહ ભૂજ (કચ્છ) - - Page #8 -------------------------------------------------------------------------- ________________ - પ્રાપ્તિસ્થાન ભારત મુંબઈ (ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી) ૫૦૧, મહાકાન્ત બિલ્ડિંગ, વી. એસ. હૉસ્પિટલ સામે, એલિસબ્રીજ, અમદાવાદ-૩૮૦ ૦૦૬ ફોન: (૦૭૯) ૬૫૮ ૪૦૩૧ શ્રી વિનાયક કે. શાહ ૨૨, શાંતિનિકેતન, ત્રીજે માળે, ૯૫-એ, મરીનડ્રાઇવ, મુંબઈ-૪૦૦ ૦૦૨ ફ્રેન : (૦૨૨)૨૮૧ ૩૬૧૮-૧૯ ફેક્સ : (૦૨૨)૯૧-૨૨-૨૬૧૫૩૫૩ email: raitan@bom3.vsnl.net.in (સાયલા) શ્રી રાજ-સોભાગ આશ્રમ સોભાગ પચ, નૅશનલ હાઇવે નં. ૮-એ, સાયલા - ૩૬૩ ૪૩૦ (ગુજરાત) ફોન : (૦૨૭૫૫) ૨૦૫૩૩ શ્રી ચંદ્રેશભાઈ ભૂપતલાલ શેઠ ૪, જ્ઞાન નગર, એલ. ટી. રોડ, ડાયમંડ સિનેમા સામે, બોરીવલી (વેસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૯૨ ોન :(૦૨૨) ૮૯૮ ૩૩૭૯ (વવાણિયા શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન ટ્રસ્ટ વવાણિયા, તાલુકા - મોરબી, સૌરાષ્ટ્ર - ૩૬૩ ૩૬૦ શ્રી બીરેન એલ. જસાણી ૩૪/૧૩૧, લક્ષ્મી ઈન્ડ. એસ્ટેટ, ન્યુ લીન્ક રોડ, અંધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૧૩ ફોન : (૦૨૨) ૬૩૩ ૨૭૦૫ | (૦૨૨) ૬૩૪ ૮૦૧૧ ( રાજબ્રેટ શ્રી હિતેશભાઈ એમ. શેઠ C/o. ગુરુકૃપા સેલ્સ એજન્સી ૨૯, નવી જૈન ચાલ, ગુરુકુળ સામે, ઢેબર રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૨ ફ્રેન :(૦૨૮૧) ૩૧૭૭૨૧૨ (અમદાવાદ) ( વડોદરા શ્રી ભરતભાઈ યશવંતરાય મહેતા શ્રી પ્રદીપભાઈ એસ. પારેખ C/o. લક્ષ્મી મેન્યુફ્ટરર્સ, ૨૯, સૌરભ પાર્ક, એમ.આઈ.જી. ફ્લેટ, ૧૯૯, મદનગોપાલ હવેલી રોડ, હેવીવૉટર કૉલોનીની સામે, છાણી જકાતનાકા, માણેકચોક, અમદાવાદ - ૩૮૦ ૦૦૧ વડોદરા-૩૯૦ ૦૦૨ ફ્રેન : (ઍ)(૦૭૯) ૨૧૪૩૫૯૪ (ઘર) ક૬૧૧૫૦પ ફ્રેન : (૦૨૬૫) ૭૭૫૧૨૪ ફેક્સ : (૦૭૯) ૨૧૧૪૯૦૦ | / / Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિસ્થાન (U.K. (Red શ્રી કપિલરાય એન. મહેતા CO2/C03, 22[& BULA-2, પ્રિયા હોટલની ગલીમાં, અઠવા લાઇન્સ, 24891 L2, Rd - 364 009 st: 890843 Institute of Jainology Unit 18, Silicon Business Centre Greenford, Middx- UB6 7JZ Phone : 020 8997 2300 Fax : 020 8997 4964 Calcutta Shri Vasantray Rupani Everest International, Commerce House, 3rd Floor, Road No. 6, 2, Ganesh Chandra Avenue, Calcutta-700013 Phone : (033) 2364722, 2250335 Mr. Keshavlal H. Sumaria 123, Kenton Lane, Kenton Harrow, Middx-HA3 8UJ Phone : 020 8537 9775 (U.S. A. Chennai Shri Rasiklal C. Parekh Clo. Raitan Pvt. Ltd. 140, Vepery High Road, Periament, Chennai-600003 Phone: (0) 538 6497, 538 3389 (R) 641 2610 Harsha V. Mehta 2150, New Willoni Road, North Fiold ILLINOIS-60093 Phone : 847-441-7119 Kenya Hemiben Dhanani P. O. Box No. 11097, Nairobi-Kenya Phone : (R) 740547 (0) 540034 / 540945 / 540946 Fax : (R) 749912 Mahesh C. Shah 13, Hunting Hill Road, New Hyde Park, N.Y.-11040 Phone : 516-747-2237 2 Page #10 -------------------------------------------------------------------------- ________________ - 2 આમુખ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર દેહવિલય શતાબ્દિ વર્ષના મંગલ પ્રારંભ નિમિત્તે એમના અલૌકિક ચરિત્રને આલેખતી સચોટ, રસપ્રદ અને પ્રમાણભૂત ચરિત્રકથા રજૂ કરતાં અમે ધન્યતાની લાગણી અનુભવીએ છીએ. “મૂળ માર્ગનું અમૃત અને અધ્યાત્મનું શિખર” નામક આ પુસ્તકમાં પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રની જીવનકથાને સર્વાગી દૃષ્ટિએ મૂલવવાનો પ્રયાસ કર્યો છે. પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી એક સમર્થ આત્મજ્ઞાની મહાત્મા હતા. તેઓનું અધ્યાત્મજીવન અને તેઓનો બોધ જગતના જીવો માટે કલ્યાણરૂપ બન્યો છે. અપૂર્વ સ્મરણશક્તિના ધારક, જાતિસ્મૃતિજ્ઞાન ધરાવનાર, શતાવધાન દ્વારા અલૌકિક આત્મશક્તિ દર્શાવનાર, જ્યોતિષવિજ્ઞાનના અભ્યાસી, આજન્મ કવિ એવા શ્રીમદ્ રાજચંદ્રજી કીર્તિની ટોચે પહોંચ્યા હતા. ત્યારે તેમણે આ બધી બાબતને પરમાર્થબાધક ગણીને. સર્પ કાંચળી ઉતારી દે તેમ જગતને આંજી દેનારાં બાહ્ય પ્રદર્શનોને તુણવત ગણીને સહજતા એ પછી શ્રીમદજીએ પોતાના જીવનમાં આધ્યાત્મિકતાને જ સર્વોચ્ચ સ્થાને બિરાજમાન કરી, | સં. ૧૯૨૪માં જન્મ ધારણ કરનાર પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ સં. ૧૯૪૭માં શુદ્ધ સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું અને તેઓ આંતરિક રીતે તીવ્ર ગતિએ પ્રગતિ કરતા રહ્યા. આ ખરેખર અનન્ય, અપૂર્વ અને અલૌકિક ઘટના ગણાય. | તેઓ પત્રાંક ૧૭૦માં જણાવે છે કે, “આત્મા જ્ઞાન પામ્યો એ તો નિ:સંશય છે. ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે, જે સુલભ છે.” (મુંબઈ, કારતક સુદ ૧૪, ૧૯૪૭) આ જ પત્રમાં આગળ લખે છે કે, “તન્મય આત્મયોગમાં પ્રવેશ છે. ત્યાં જ ઉલ્હાસ છે, ત્યાં જ યાચના છે, અને યોગ (મન, વચન અને કાયા) બહાર પૂવકર્મ ભોગવે છે. આ ઉપરાંત પત્રાંક ૧૮૭ માં જણાવે છે કે, “છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. સર્વ પ્રકારનો એક દેશ બાદ કરતાં બાકી સર્વ અનુભવ્યું છે.” (મુંબઈ, માગશર વદ અમાસ, ૧૯૪૭) વળી પત્રાંક ૨૪૩માં લખે છે કે, “સર્વાત્માના અનુગ્રહથી અત્ર સમાધિ છે. બાહ્યોપાધિયોગ વર્તે છે.” (મુંબઈ, વૈશાખ સુદ બીજ, ૧૯૪૭) પરમ કૃપાળુદેવની આવી અપૂર્વદશાની સમજણ અમને પૂજ્ય બાપુજી શ્રી લાડકચંદભાઈ માણેકચંદ વોરાએ કરાવી અને તેથી અમારામાં પરમ કૃપાળુદેવ પ્રત્યે અનેરો પ્રેમ તથા ભક્તિભાવ પ્રગટ્યાં. શ્રીમદ્જીના પત્રોએ અધ્યાત્મમાર્ગમાં પ્રગતિ કરવામાં ખૂબ સહાય કરી છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ કોઈ ગચ્છ, મત કે સંપ્રદાયની તરક્સ કરી નહીં, કિંતુ આત્મધર્મની પ્રધાનતા દર્શાવી છે. ભક્તિ, જ્ઞાન અને ક્રિયાનો સુમેળ તથા નિશ્ચય અને વ્યવહારનો સમન્વય તેઓના તત્ત્વચિન્તનમાં પ્રગટ થાય છે. આમ આ તત્ત્વજ્ઞાન આ સમયમાં અનેક જિજ્ઞાસુઓને મુમુક્ષુ બનાવી દે તેવું છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ આવી આધ્યાત્મિકતાના શિખરે પહોંચેલા મહાત્માના દેહવિલયને ચૈત્ર વદ પાંચમ, ૨૦૧૭ના દિવસે એક સો વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. ચૈત્ર વદ પાંચમ, ૨૦૫૯ (તા. ૨૩-૪-૨૦૦૦)થી આ દિવ્યાત્માને અંજલિ અર્પણ કરવા આ વર્ષ શ્રીમદ્ રાજચંદ્ર દેહવિલય શતાબ્દિ વર્ષ તરીકે ઉજવણી કરવાનું વિચાર્યું છે. આને અનુલક્ષીને શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ, સાયલા (જિ. સુરેન્દ્રનગર) દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે કે જેથી શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન વિશે વિસ્તૃત માહિતી, તેઓશ્રીની આંતરિક દશા અને એમના જીવનના પ્રેરક પ્રસંગોના આલેખનમાંથી એમનો અમૂલ્ય બોધ જગતના તમામ જીવો મેળવી શકે. વિશેષ તો સમગ્ર જૈન સમાજ આ જ્ઞાની મહાત્માની ઓળખ પામે તે રીતે એમના અસાધારણ વ્યક્તિત્વ, અનોખી અનુકંપા, જીવનના પ્રેરક પ્રસંગો અને અમૂલ્ય બોધ સરળ ભાષામાં રજૂ કરવાનું વિચાર્યું છે. આ મૂળભૂત હેતુને લક્ષ્યમાં રાખી આ મહોત્સવ દેશ-વિદેશમાં ઊજવાય એવું અમારું સ્વપ્ન હતું અને તે સાકાર થયું છે. | દેહવિલય શતાબ્દિ વર્ષની ઉજવણીના ભગીરથ કાર્યને સુંદર રીતે પરિપૂર્ણ કરવા માટે અમને વ્યાપક સહકાર મળ્યો છે. જે પવિત્ર ભૂમિ પર પરમ કૃપાળુદેવે જન્મ ધારણ કર્યો હતો અને જ્યાં બાલ્યાવસ્થા પસાર કરેલી તે પવિત્ર તીર્થભૂમિ સૌરાષ્ટ્રના વવાણિયા ગામમાં શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન ટ્રસ્ટ સ્થપાયેલ છે. આ ટ્રસ્ટના અધ્યક્ષસ્થાને બિરાજતા માનનીય શ્રી મનુભાઈ મોદીને અમે આ ઉજવણીના સંદર્ભમાં મળવા ગયા અને તેઓનો ઉષ્માસભર સહયોગ અમારે માટે અત્યંત મૂલ્યવાન અને આનંદદાયી બની રહ્યો છે. | દેશ-વિદેશમાં ફેલાયેલા સમગ્ર જૈન સમાજને આ મહોત્સવમાં સામેલ કરવાની ઉત્કટ ભાવના હોવાથી અમે ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી(લંડન)ના કો-ઓર્ડિનેટર શ્રી નેમુભાઈ ચંદરયાનો સંપર્ક સાધ્યો અને તેમણે પણ આમાં ઉત્સાહભેર સહકાર આપવા તત્પરતા દર્શાવી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી(લંડન) છેલ્લાં વર્ષથી સમગ્ર વિશ્વમાં જૈનોના ચાય ફિરકાઓના સહકારથી જૈન ધર્મનો ફ્લાવો કરવાનું ઉમદા કાર્ય કરે છે. ઓમ શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ (સાયલા), શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન ટ્રસ્ટ (વવાણિયા) અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી(લંડન) આ ત્રણે સંસ્થાઓએ મળીને એક આંતરરાષ્ટ્રીય મહોત્સવ સમિતિની રચના કરવામાં આવી. આ ઉપરાંત જૈન સમાજના ચારેય ફિરકાઓના દેશ-વિદેશના અગ્રગણ્ય શ્રેવિર્યો અને મહાનુભાવોની એક સલાહકાર સમિતિની રચના કરવામાં આવી. હોંગકોંગ, સિંગાપુર, જાપાન, કેન્યા, યુ.કે., અમેરિકા, બેલ્જિયમ, ઑસ્ટ્રેલિયા, કેનેડા, નેપાળ તથા ભારતના જૈન સમાજના અગ્રણી અને પ્રતિષ્ઠિત મહાનુભાવો તથા જે તે દેશોના જૈન સંઘોના અગ્રણીઓ સામેલ છે. પરમ કૃપાળુદેવના અનુયાયીઓ દ્વારા સ્થાપવામાં આવેલા જુદા જુદા આશ્રમોનો સહકાર પણ આ મહાકાર્યમાં અમને પ્રાપ્ત થયો છે. | આ રીતે દેહવિલય શતાબ્દિ વર્ષની અનોખી રીતે ભવ્ય ઉજવણી થાય એ હેતુથી પરમ કૃપાળુદેવના આશ્રમો ઉપરાંત જૈન સમાજના ચારેય ફિરકાઓના અગ્રણીઓ અને વિશ્વવ્યાપી ખ્યાતિ ધરાવનારા શ્રેષ્ઠિવર્યો સાથે મળી આ કાર્યમાં સામેલ થાય એ ઇતિહાસની અનેરી-અકથ્ય ઘટના છે. આજ સુધીમાં સર્વપ્રથમ વાર આવો વ્યાપક સહયોગ પ્રાપ્ત થયો છે, જે જૈન સમાજના ઇતિહાસનું સુવર્ણપ્રકરણ બની રહેશે. Page #12 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીનું જીવનદર્શન, અપૂર્વ બોધ, મૂળ માર્ગનું અમૃતપાન કરવાનું સભાગ્ય જગતના જીવોને પ્રાપ્ત થાય એ હેતુથી આ પુસ્તક રચવામાં આવ્યું તે જ રીતે વર્તમાન યુગના અસરકારક સાધન તરીકે દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ લ્મિ પણ તૈયાર કરી છે. પરમ ક્ષાળુ દેવના જીવનદર્શન કરાવતી એક ત્રણ કલાકની સમયમર્યાદાવાળી વિડિયો લ્મિનું નિર્માણ કરવામાં આવ્યું. સમયમર્યાદાને કારણે આ ફિલ્મમાં પરમ કૃપાળુ દેવના જીવનના તમામ પ્રસંગોનો સમાવેશ કરવાનું અશક્ય લાગતાં માત્ર જીવનપ્રસંગો દર્શાવતી એક જુદી લ્મિનું નિર્માણ કર્યું છે. પરમ કૃપાળુ દેવ આજન્મ કવિ હતા. તેઓએ આધ્યાત્મિક માર્ગને પોષણ આપે એવાં સુંદર પદોની રચના કરી છે. આ પદોને સ્વરબદ્ધ કરી તેની ઓડિયો કૅસેટ તૈયાર કરવામાં આવી છે. દેશ ઉપરાંત પરદેશમાં – વિશ્વ સ્તરે પરમ કૃપાળુદેવનો સંદેશ પ્રસરે એ હેતુથી અદ્યતન અંગ્રેજી ભાષામાં પુસ્તક–વિડિયો ફિલ્મ તૈયાર થઈ રહ્યાં છે. વળી પરમ કૃપાળુ દેવના ભવ્ય સર્જન “આત્મસિદ્ધશાસ્ત્ર”નું પણ સરળ અંગ્રેજીમાં ભાષાંતર કરવામાં આવ્યું છે. પરમ કૃપાળુ દેવના અલૌકિક જીવનને આવરી લેતાં અનેક સુંદર ચિત્રોનું પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું છે. વળી તે જુદાં જુદાં શહેરો અને ગામોમાં લઈ જઈ શકાય એવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. આવા અનેક કાર્યક્રમો દ્વારા વિશ્વના ખૂણે-ખૂણે પરમ કૃપાળુ દેવના દિવ્ય સંદેશને પહોંચાડવા માટે સહયોગ આપનાર સર્વના અમે આભારી છીએ. આ પુસ્તક તૈયાર કરવામાં શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળનાં મુમુક્ષુ ભાઈ-બહેનો, એના લેખક વિખ્યાત સાહિત્યકાર ડૉ. શ્રી કુમારપાળ દેસાઈનો તેમજ અનેકવિધ આયોજનો માટે આર્થિક સહયોગ પ્રદાન કરનાર તમામ ભાઈ-બહેનોનો અને પ્રિન્ટિંગ કાર્યમાં મદદ કરનાર હાઇસ્કેન લિમિટેડનો અમે અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ. ક્યાં ઝળહળતા સૂર્યનું તેજ અને ક્યાં આગિયાનું અજવાળું ? જેમ બીજનો ચંદ્ર દર્શાવવા આકાશને અડે તેવી લાંબી આંગળી કોઈની પાસે હોતી નથી, તોપણ માત્ર અંગુલિનિર્દેશથી તે દિશા પ્રત્યે જોનારની દૃષ્ટિ વાળી શકાય, તેમ કપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રનાં જીવન, કવન, વિચારધારા અને આધ્યાત્મિક સાધના-પદ્ધતિ અને તેમણે વિશ્વને આપેલો કલ્યાણકારી માર્ગ દર્શાવવાનો અનેકવિધ આયોજનો દ્વારા યથાશક્તિ પ્રયાસ કર્યો છે. અમારી ક્ષતિઓ રહી ગઈ હોય તો ક્ષમા પ્રાર્થીને અમને એ જણાવવા વિનંતિ છે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ, સાયલા સદ્ગણા સી. યુ. શાહ નલિન એ. કોઠારી SS / 7, Page #13 -------------------------------------------------------------------------- ________________ RE અનુક્રમ ૧૬ ૧૮૪ ૧૮૮ ૧. શ્રીમદ્ રાજચંદ્ર : પ્રેરક-સચિત્ર જીવનગાથા ૨. શ્રીમદ્ રાજચંદ્ર વિશે મહાત્મા ગાંધીજીનાં અનુભવવચનો ૩. છ પદનો પત્ર ૪. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ૫. જૈન દર્શનનો મર્મ ૯. અધ્યાત્મસંદેશ ૭. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત ૮. મોક્ષમાર્ગનું રહસ્ય ૯. વચનામૃતની પદસરિતા ૧૯૫ ૨૦૫ ૨૧૩ ૨૩૭ - ની ક્ષમાપના ૨૫૪ Page #14 -------------------------------------------------------------------------- ________________ આરંભે એ દિવ્ય વિરલ લોકોત્તર વિભૂતિની વંદના સાથે એમના પાવન ચરિત્ર-આલેખનનો પ્રારંભ કરીએ છીએ. મહાન વિભૂતિઓનાં જીવનની ઘટનાઓની માત્ર વિગતો જ આપણે મેળવી શકીએ છીએ. એ ઘટનાઓ પાછળનો મર્મ પામવા માટે તો કોઈ વિશેષ ઊર્ધ્વ ભૂમિકાની આવશ્યકતા રહે છે. શ્રીમદ્ રાજચંદ્રના કવિત્વ અને આધ્યાત્મિકતાના સંગમતીર્થે આપણે ઊભા રહીએ ત્યારે આપણા હાથની અંજલિમાં એ કાવ્યો માત્ર શબ્દરૂપે મળે છે, પણ એ શબ્દ પાછળ રહેલા કરુણાભર્યા હૃદય અને જ્ઞાનગાંભીર્યયુક્ત વિચારના ગાઢ અનુભવને જાણવાની આપણી ક્ષમતા કેટલી ? એમના વૈરાગ્યની તીવ્રતા, બોધબીજનું અપૂર્વપણું અને સમ્યગુ જ્ઞાન, સમ્યગુ દર્શન અને સમ્યગુ ચારિત્ર દ્વારા આપણે એમની અધ્યાત્મયાત્રાની ઝાંખી મેળવીએ છીએ. પરંતુ એ આધ્યાત્મિકતાની ગહેરાઈ અને વિશાળતા, એનો વૈભવ અને એની વ્યાપકતા જાણવાની આપણી શક્તિ કેટલી ? વ્યવહારની દુનિયામાં જીવતા અને બાહ્ય પ્રવૃત્તિઓમાં ડૂબેલા માનવીઓ કઈ રીતે તેઓની અપાર શાંતિ, નિષ્કારણ કરુણા કે સત્સંગની અપૂર્વતાનો ખ્યાલ પામી શકે ? ભૌતિક જગતમાં આધિ, વ્યાધિ અને ઉપાધિથી જીવનારા અને સંસારના ભડભડતા દાવાગ્નિમાં બળતા, દાઝતા કે તરફડતા માનવીને કઈ રીતે એમના અલૌકિક સ્વરૂપનો કે એમણે આપેલા આત્મપ્રકાશનો અનુભવ થાય ? એ વિલક્ષણ અનુભવની વ્યાપકતા સીમાબદ્ધ શબ્દોમાં ક્યાંથી પ્રગટ થઈ શકે ? આથી આ ચરિત્રગાથા તો વિરાટ સૂર્યને બતાવવા માટે થોડાંક કિરણો બતાવીને વાત કરવા જેવી ગણાય છે. નાની ટેકરી બતાવીને હિમાલયનું દર્શન કરાવવા જેવું ગણાય, પરંતુ આ ચરિત્ર-આલેખન પાછળ અમારો મુખ્ય આશય એ રહ્યો છે કે વર્તમાનકાળમાં થોડા જ દાયકા પૂર્વે થયેલા શ્રીમદ્ રાજચંદ્રજીના જીવનને ધર્મજિજ્ઞાસુ, આત્મપિપાસુ કે મુમુક્ષુઓ જાણે, એનો ગંભીર મર્મ થોડોય પામે અને એ રીતે સત્યધર્મનું – મૂળમાર્ગનું – સ્વરૂપ સમજીને સાચી આધ્યાત્મિક દિશા તરફ ગતિ પ્રગતિ કરે. અલ્પ આયુષ્યકાળ હોવા છતાં એમની પાસેથી એટલું બધું સાંપડ્યું છે કે જેને માટે માનવનું દીર્ધાયુષ પણ ઓછું પડે. એમની સ્મરણશક્તિ, જાતિસ્મૃતિજ્ઞાન કે અવધાનના પ્રયોગ દ્વારા એમના પૂર્વ સંસ્કારો Page #15 -------------------------------------------------------------------------- ________________ અને પ્રબળ સ્મૃતિનો પરિચય મળે છે. શતાવધાનને પરિણામે પોતાની કીર્તિ સતત ફેલાતી હતી ત્યારે આ બાહ્ય સિદ્ધિઓને ક્ષણભરમાં ત્યાગીને એમણે આંતર સિદ્ધિઓની ગરિમા બતાવી. એમનાં કાવ્યો, પત્રો અને ગદ્યગ્રંથો દ્વારા આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિનો મનુષ્યજાતિને માટે અનુપમ આલેખ આપ્યો. સ્વયંની દિવ્યજ્યોતિથી કેટલાય જીવોના જીવનને પ્રત્યક્ષ અને એ પછી પરોક્ષ રૂપે પ્રકાશિત કર્યા. એમના નિર્દોષ ચારિત્ર્યમય ચરિત્ર અને એમની સાહજિક વીતરાગવૃત્તિથી તેઓ મહાવીરના મૂળમાર્ગના પ્રદર્શક બની રહ્યા. તેઓએ ધર્મનાં ગૂઢ રહસ્યોને સરળ વાણીમાં સાચા સ્વરૂપે પ્રગટ કર્યો. આમ, સ્વયં અમૃતપદ પામીને જગતને કાજે આત્માનો અમૃત પ્રકાશ વેરનાર શ્રીમદ્ રાજચંદ્રજીના તત્ત્વજ્ઞાને વિશ્વને યોગ્ય માર્ગ બતાવ્યો. આવી દિવ્ય વિભૂતિનું ચરિત્ર આલેખવાની પાછળનો અમારો આશય એટલો જ કે શ્રીમદ્ રાજચંદ્રજીના દિવ્ય પ્રકાશિત જીવનનાં થોડાં કિરણો વાચકો, ભાવકો કે જિજ્ઞાસુઓને સાંપડે અને એ દ્વારા એમનામાં મુમુક્ષા જાગે. એ જાગેલી મુમુક્ષાને એમના આ જીવનચરિત્રમાંથી દિશાસૂચન સાંપડી રહે. આ ગ્રંથની પ્રમાણભૂતતા જાળવવા માટે પૂરતો પ્રયાસ કર્યો છે, આમ છતાં કોઈ ક્ષતિ રહી હોય તો સુજ્ઞ વાચકો જરૂર જણાવે. એ દિવ્ય જ્યોતિનો આત્મપ્રકાશ આપણે સહુ પામીએ અને તે અખિલ વિશ્વને અજવાળતો રહે એ જ અભ્યર્થના. આ ગ્રંથમાં પ્રવેશતાં પૂર્વે આપણા મનની તમામ ગ્રંથિઓનો ત્યાગ કરીએ. આ ચરિત્રનું અવગાહન કરીએ ત્યારે હૃદયમાં વિનય અને નિખાલસતા સાથે અધ્યાત્મજિજ્ઞાસા લઈને જઈએ. આ પ્રેરકકથાનું પાન કરતી વખતે મોક્ષમાર્ગના રહસ્યમાં ગતિ કરવાનો હૃદયમાં | ભાવ અવધારીએ. આ જીવનપ્રસંગોના આલેખ સમયે વિરલ અલૌકિક વિભૂતિની મહત્તાનું દર્શન કરીએ. આ પ્રેરક જીવનકથા જે વ્યક્તિ જે સોપાને છે, એનાથી વિશેષ ઊર્ધ્વ સોપાને ઊધ્વરોહણ કરાવે એ જ અભ્યર્થના. - કુમારપાળ દેસાઈ / / Page #16 -------------------------------------------------------------------------- ________________ મૂળમાર્ગનું અમૃત અને અધ્યાત્મનું શિખર આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. Page #17 -------------------------------------------------------------------------- ________________ 1 1 1 AN cation Internet For Persona s Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧. મરુક્ષેત્રમાં અમૃતવર્ષા સાધુચરિત કવિ-સ્મરણ તમારાં શાં કરું ? વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશ જો, અહર્નિશ છે અંતરમાં યાદી આપની, સદી ઉદિત ઉપર ઉજ્વલ પુણ્ય પ્રકાશ જો. પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીની આવી સ્મરણ-વંદના કર્યા પછી વિચાર કરીએ એ સમયનો, ઈ. ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામની વિફળતા પછી ભારતની ભૂમિ પર આશાનાં કિરણો પ્રસરી રહ્યાં હતાં. દેશની ક્ષિતિજ પર કેળવણી, સમાજ-સુધારણા અને નવજાગૃતિનું પરોઢ ઊગી રહ્યું હતું. રાજા રામમોહન રાયે સતીની પ્રથા જેવી કુરૂઢિઓ સામે પ્રચંડ વિરોધ જગાવ્યો હતો. બ્રહ્મોસમાજ, પ્રાર્થનાસમાજ, થિયોસૉફિકલ સોસાયટી જેવી સંસ્થાઓ દ્વારા નવીન ધર્મવિચારણાનો પ્રારંભ થઈ રહ્યો હતો. બીજી બાજુ જડ ક્રિયાકાંડ, દાંભિક ધર્માચરણો, ધનની આછકલાઈથી ભરેલા ઉત્સવો અને રૂઢે માન્યતાઓએ સમાજને ચારે બાજુથી ઘેરો ઘાલ્યો હતો. ધર્મનાં આચરણ થતાં હતાં, પણ ધર્મની મૂળ ભાવના અને એનું અંતિમ ધ્યેય વીસરાઈ ગયું હતું. ધર્મવિચાર અને ધર્મને નામે થતા આચરણ વચ્ચે મોટી ખાઈ ઊભી થઈ હતી. આ સમયે વિધિનો સંકેત હોય તેમ ભારતની ભૂમિ પર બે મહાન વિભૂતિઓનું પ્રાગટ્ય થયું. એક અધ્યાત્મના શિખર સમા જૈન ધર્મના મુળમાર્ગપ્રબોધક શ્રીમદ્ રાજચંદ્રજીનું અને બીજા દેશને સર્વાગી આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજીનું . મહાત્મા ગાંધીજીના જન્મ પૂર્વે પોણા બે વર્ષ અગાઉ સૌરાષ્ટ્રના મોરબી નજીકના વવાણિયા બંદર નામના નાના ગામમાં શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ થયો. મહાત્મા ગાંધીજીનો એ જ સૌરાષ્ટ્રની ભૂમિના પોરબંદર ગામમાં જન્મ થયો. શ્રીમદ્ રાજચંદ્રજી મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક બન્યા અને મોહનદાસમાંથી મહાત્મા બનેલા ગાંધીજીએ સહુથી વધુ કોઈના જીવનમાંથી ધર્મવિચાર ગ્રહણ કર્યા હોય તો તે શ્રીમદ્ રાજચંદ્રજીના. આ બંને દવજવંતી ભૂમિ પર અમૃતવર્ષા બનીને આવ્યા. એમણે મા વસુંધરાને યથાયોગ્ય ધર્મ અને કર્મથી શોભાવી. આત્મજ્યોતિના અજવાળે ધર્મનો પ્રકાશ પાથરનાર શ્રીમદ્ રાજચંદ્રજીનો વવાણિયા બંદર ગામના વણિક કુટુંબમાં વિ. સં. ૧૯૨૪ની કાર્તકી પુનમ, રવિવાર(તા. ૯-૧૧-૧૮૬૭)ના રોજ રાત્રે બે વાગ્યે જન્મ થયો. એ જન્મભૂમિ તીર્થભૂમિ બની ગઈ. કેવો ધન્ય દિવસ એ કાર્તકી પૂર્ણિમાનો, જે દિવસે શીખ સંપ્રદાયના સ્થાપક ગુરુ નાનક, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય જેવા મહાપુરુષોનો જન્મ થયો છે. આકાશમાંથી અમૃત સમી ચાંદની વરસાવતી દેવદિવાળીની અજવાળી રાતે અવનિ પર જામેલા અંધકારને દૂર કરવા માટે પૂર્વજન્મના સંસ્કારો લઈને ઝળહળતા જ્યોતિર્ધરનું આગમન થયું. જાણે આ વિષમકાળમાં સંસારના ત્રિવિધ તાપથી બળીજળી રહેલા જગત પર ઉચ્ચ આધ્યાત્મિક જ્ઞાનની અમૃતવર્ષા કરવા આવ્યા ન હોય ! સૌરાષ્ટ્રના મોરબી પાસે આવેલા માણેકવાડા ગામના રહીશ શ્રી પંચાણભાઈ વવાણિયા રહેવા આવ્યા. એમના પુત્ર રવજીભાઈના માળિયાના ખાનદાન ગણાતા કુટુંબના રાઘવજીભાઈની પુત્રી દેવબાઈ સાથે લગ્ન થયાં. “યથા નામ, તથા ગુણ’ ધરાવતા દેવબાઈની કૂખે શ્રીમદુનો જન્મ થયો. પિતા રવજીભાઈએ પોતાના પિતા પંચાણભાઈનો વહાણવટા અને વ્યાજનો ધંધો સંભાળ્યો હતો. રવજીભાઈનું નીતિપરાયણ જીવન અને દેવબાઈની સાસુ-સસરાની એકનિષ્ઠ સેવાભક્તિને કારણે દિવ્ય પુત્રરત્ન સાંપડ્યું એમ ગ્રામજનો કહેતા હતા. પ્રકૃતિએ સરળ, વ્યવહારમાં સૌજન્યશીલ અને હૃદયમાં વાત્સલ્યના વારિધિ સમાં દેવબાઈના અંતરમાં અપાર વહાલ ઊભરાઈ રહ્યું. E n intentos TE & Pants Use on www alibur Page #19 --------------------------------------------------------------------------  Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨. અાદિષનો અંતરનાદ દરેક જમાનાને પોતાની વિચારધારા હોય છે. પ્રત્યેક સમયને પોતીકી માન્યતાઓ હોય છે. એ સમય એવો હતો કે જ્યારે માણસ કુળની વેલ પાંગરે એને માટે આતુર રહેતો. નિ:સંતાન વ્યક્તિને જીવનમાં સઘળું મળે, તેમ છતાં ચોપાસ નિરાશા લાગતી હતી. નિઃસંતાનપણાના કારણે એમને મહેણાં-ટોણાં પણ સાંભળવા પડતાં હતાં. | માણેકવાડામાં રહેતા પંચાણભાઈની પરિસ્થિતિ આવી હતી. એમનાં પત્ની શ્રી ભાણબાઈ સુશીલ અને સેવાભાવી હતાં. એમને સંતાન થતાં, પરંતુ બાળમરણને કારણે કોઈ સંતાન જીવિત રહેલું નહીં. એક વાર ભાઈઓ વચ્ચે ભાગની વહેંચણી થઈ ત્યારે નિ:સંતાન પંચાણભાઈને ઓછો ભાગ આપવામાં આવ્યો. સંતાન-વિહોણાંને વળી વધુ સંપત્તિની જરૂર શી હોય ? જેને સંતાન હોય એને વ્યવહારમાં ઘણો ખર્ચ કરવાનો આવે. નિ:સંતાનને ઘેર ક્યાંથી કોઈ લગ્નપ્રસંગ આવવાનો છે ? પોતાના ભાઈઓની આવી વિચારસરણી જોઈને પંચાણભાઈને કારમાં આઘાત લાગ્યો. પરિણામે તેઓ પોતાનું વતન માણેકવાડા છોડીને વવાણિયા આવ્યા. એ સમયે વતન છોડવું એ ઘણી મોટી વાત ગણાતી હતી, પરંતુ હૃદયમાં લાગેલા કારમા આઘાત અને થયેલા અન્યાયને કારણે એમણે વતન છોડવું. એ પછી વવાણિયા આવ્યા બાદ એમની પુત્રપ્રાપ્તિની ઝંખના એટલી જ તીવ્ર રહી. કોઈએ કહ્યું કે, “વવાણિયાથી એક ગાઉ દૂર આવેલી રવિચીમાતાની માનતા રાખો.” બન્યું એવું કે એ પછી અલ્પ સમયમાં જ ઈ. સ. ૧૯૦૨માં પંચાણભાઈને ત્યાં પુત્રજન્મ થયો. એને રવિચીમાતાનો કૃપાપ્રસાદ માનીને એમણે પુત્રનું નામ ‘રવજીભાઈ” પાડવું. આ રવજીભાઈ સૌજન્યશીલ અને માયાળુ હૃદય ધરાવતા હતા. સાધુ-સંતોની સાચા દિલથી સેવા કરતા હતા. રવજીભાઈ અને દેવબાઈ બંને જાણે સાક્ષાત્ સેવાની મૂર્તિ સમાન હતાં. રવજીભાઈને વ્યાજવટાવના વ્યવસાયને કારણે આસપાસનાં ગામડાંઓમાં જવું-આવવું પડતું હતું. રવજીભાઈનાં પત્ની દેવબાઈનું બીજું નામ મોંઘીબાઈ હતું. દેવબાઈ જૈન કુળમાંથી આવ્યા હોવાથી પોતાના સાસરે મહામૂલા જૈન સંસ્કારો લઈને આવ્યાં હતાં. આ રવજીભાઈને ત્યાં એક વયોવૃદ્ધ આડતિયા અવારનવાર વેપાર અર્થે આવતા હતા. એક વાર તેઓ વવાણિયા આવ્યા અને અત્યંત બીમાર પડી ગયા. દેવબાઈએ રાત-દિવસ એક કરીને એમની સેવા કરી. આડતિયા વિચારમાં પડ્યા કે સહેજે લોહીની સગાઈ ન હોવા છતાં કેવી સ્વજનની માફક દેવબાઈએ એમની સેવા-ચાકરી કરી ! આવી માતાતુલ્ય વાત્સલ્યભરી સેવા-સુશ્રુષા જોઈને વૃદ્ધ આડતિયાનું હૃદય ગદ્ગદ બની ગયું. જ્યારે સાજા થઈને એમની વિદાય લેતા હતા ત્યારે એ વૃદ્ધ આડતિયાએ કહ્યું, “દેવબા ! આ ઘરડાના તને લાખ લાખ આશિષ છે. પ્રભુ તમારી કૂખે એકોતેર પેઢી ઉજાળનારો કુળનો દીપક આપે. બસ એ જ અમારા આશિષ.” સેવા માત્ર અન્યને જ હિતકારી બનતી નથી, પણ સેવા કરનારને ય લાભદાયી અને સંતોષદાયી બને છે. બદલાની આશા વિનાની નિઃસ્વાર્થ સેવા જ સાચો બદલો આપનારી બને છે. આડંબર, પ્રદર્શન કે ડોળ વિના કરવામાં આવેલી સેવા માનવીને તત્કાળ ઉચ્ચ ગરિમા અર્પે છે. દેવબાઈના જીવનમાં પણ એવું જ બન્યું. વૃદ્ધ આડતિયાના સરળ હૃદયમાંથી નીકળેલી એ સ્વાભાવિક આગાહી કે એના સાચુ કલા અંતરના આશિષ ઇતિહાસની એક મહાન હકીકત બની ગયાં. nr Education Internatione For Pers o nale Only - library Page #21 -------------------------------------------------------------------------- ________________ Jain Education international or Personal Private Page #22 -------------------------------------------------------------------------- ________________ ૩. સબકો વંદનીય હદગાદ આડતિયાની અંતરના વાત્સલ્યભાવે સેવા કરનાર દેવબાઈ પોતીકા સ્વજનોની તો કેટલી બધી સંભાળ લેતા હશે. ભરતી પછી ઓટ આવે એમ પંચાણભાઈના વ્યવસાયમાં પણ ભરતી પછી ઓટ આવી. નાનકડા ગામમાં નાનકડો ધંધો ચાલતો હોય અને એમાં મુકેલીભર્યા પવનનો એક સપાટો આવી જાય એટલે સઘળું છિન્નભિન્ન થઈ જાય. પંચાણભાઈના જીવનમાં આર્થિક આફતના ઓળા ઊતરી આવ્યા. આવે સમયે દેવબાઈએ આફતમાંથી પાર ઊતરવા પોતાનાં ઘરેણાં આપ્યાં. દેવબાઈ જીવનમાં સાચા અલંકારરૂ ૫ તો સાધુ, સંતો અને સ્વજનોની સેવાને ગણતાં હતાં. ઘરની શોભા એ એમનું ઘરેણું હતું. એ શોભાને જાળવવા માટે સોનેમઢચા ઘરેણાં આપતાં એમને સહેજે ખચકાટ થયો નહિ, પંચાણભાઈ અને ભાણબાઈ તો પુત્રવધૂની આવી વિરલ ઉદારતા જોઈને પ્રસન્ન થઈ ગયાં. વળી પોતાનાં સાસુ-સસરાની સેવા કરવામાં દેવબાઈ રાત-દિવસ ખડે પગે રહેતાં હતાં. | દેવબાઈને વિનયમૂર્તિ કહેવાં કે સેવામૂર્તિ કહેવાં એ જ સવાલ જાગે. હકીકતમાં એમણે હૃદયના સાચા વિનયથી સેવાભક્તિ અપનાવી હતી. પુત્રવધૂની સેવાવૃત્તિ જોઈને સાસુ-સસરા એમને અંતરના આશીર્વાદ આપતાં હતાં અને એની કુખે કુળદીપક જન્મે એવી ભાવના સેવતાં હતાં. આવાં દેવબાઈની કુખે દિવ્યરત્નનો જન્મ થયો. આ જન્મયોગીનું પહેલું નામ “લક્ષ્મીનંદન” પાડવામાં આવ્યું. શ્રીમદૂના જન્મ પૂર્વે દેવબાઈને શિવકુંવરબાઈ નામની પુત્રી હતી. શ્રીમદ્રના જન્મ પછી દેવબાઈની કૂખે પુત્ર મનસુખભાઈ અને દીકરીઓ ઝબકબાઈ, મેનાબાઈ અને જીજીબાઈનો જન્મ થયો. આમ શ્રીમદુને એક ભાઈ અને ચાર બહેન હતાં. રવજીભાઈ સાધુ-સંતોના સદાના સેવક. સાચી સેવાને નાતજાતની કોઈ સીમા ન હોય. રવજીભાઈએ લાંબા સમય સુધી એક ફકીરની સેવા કરી. ફકીરે એમને કહ્યું કે, “રવની, 7 સવેરે નતી નાના ” બીજે દિવસે સવારે રવજીભાઈને ફકીર પાસે જવાનું હતું. બન્યું એવું કે વહેલી સવારે એમના ઘેર મહેમાનો આવ્યા. અતિથિના સ્વાગતને ધર્મ માનનારા રવજીભાઈ મહેમાનોની આગતા-સ્વાગતા માટે રોકાયા. એમના મનમાં જલદીથી ફકીર પાસે પહોંચવાની ઉત્કંઠા હતી, પરંતુ મહેમાનોને રેઢા મૂકીને એમ ને એમ ચાલ્યા જાય તો એમનો અતિથિધર્મ લજવાય. મહેમાનોની સરભરા કરવામાં ફકીર પાસે પહોંચવામાં વિલંબ થયો. ઓલિયા ફકીર રવજીભાઈની રાહ જોઈને બેઠા હતા. વેળા વેળાનું કામ કરે છે. રવજીભાઈ એ પળ અને એ ક્ષણ ચૂકી ગયા હતા. એ વિરલ ઘડી પસાર થઈ ગઈ હતી. ' ફકીરે રવજીભાઈને જોયા. એમણે કરેલી આજ દિન સુધીની એમની સેવા-ચાકરી ફકીર ભૂલ્યા નહોતા. ખરી ક્ષણ ચૂકી ગયેલા રવજીભાઈને ફકીરે કહ્યું, "रवजी ! तुम बहुत देर से आये । रवजी, तेरे को दो लडके होंगे, एक तो बड़ा नाम निकालनेवाला होगा, और दूसरा भी अच्छा होगा । दोनो लडके तुम्हारा नाम रोशन करेंगें । मगर बडा लडका सबको वंदनीय होगा । मगर रवजी, तुम बहुत देर से आये । रवजी, अब ईस दुनिया से चला जाता हूँ, तुम अब तुम्हारे घर जाओ । तेरा भला होगा ।" રવજીભાઈ ઘેર આવ્યા. બીજે દિવસે તપાસ કરી તો ક્યાંય પેલા ફકીર મળે નહિ. ફકીર પાસે પહોંચવામાં વિલંબ થયો તે માટે એમને ખૂબ અફસોસ થયો. / / . Jain Education station For Personal mee te Oh www Page #23 -------------------------------------------------------------------------- ________________ 262 For Partoon & Private Use Only Education intamala anbarvon Page #24 -------------------------------------------------------------------------- ________________ | ૪. સમાધિસ્થ બાળ યદદt બાળ શ્રીમદ્દનું જન્મનું નામ લક્ષ્મીનંદન હતું. તેઓ ત્રણ વર્ષના થયા ત્યારે માતા દેવબાઈ એમને તેડીને પડોશમાં આવેલા નકુ ડોશીને ત્યાં જતાં હતાં. સામાન્ય રીતે ત્રણ વર્ષનું બાળક રડતું હોય અથવા તો તોફાનમસ્તી કરતું હોય, પણ દેવબાઈ પોતાના આ ત્રણ વર્ષના દીકરાને જોઈને અપાર અચરજ પામે. એ વિચારે કે કેવો છે આ દીકરો ! | ત્રણ વર્ષનું બાળક તો અતિ ચંચળ હોય, ત્યારે આ તો જ્યાં બેસાડો ત્યાં શાંતિથી બેસી રહે છે. દેવબાઈ નફ ડોશીને ત્યાં જાય અને એકાદ કલાક બેસે, ત્યારે આ બધો સમય આ બાળક તો સહેજે હલનચલન કર્યા વિના મૂર્તિની માફક સ્થિર બેસી રહે. જાણે મન, વચન અને કાયાના યોગરહિત શાંત ભાવમુનિ ન હોય ! જે ઉંમરે બાળકમાં જાતજાતના અને ભાતભાતના તરંગો જાગતા હોય. ચિત્ર-વિચિત્ર કેટલીય ચેષ્ટાઓ કરતો હોય, એવી ઉંમરે બાળ શ્રીમદ્ જાણે કોઈ સમાધિસ્થ યોગી હોય તેવું લાગતું હતું ! દાદા પંચાણભાઈના જીવનમાં આનંદ ફેલાઈ ગયો. એક તો મોટી વયે એમને રવિચીમાતાની કૃપાથી રવજીભાઈનો જન્મ થયો. સંતાનની ઝંખના તો પૂરી થઈ, પણ પછી વ્યાજના વ્યાજ સમા વહાલા પૌત્રની પ્રાપ્તિ થઈ. દાદા પંચાણભાઈ રાજચંદ્રને પોતાની પાસે રાખે. એમને ખૂબ લાડ લડાવે, પોતાની સાથે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા લઈ જાય, બાળ શ્રીમદ્ ઠાકોરજીના દર્શન કરવા જતા. અહીં બાળ કૃષ્ણની ભક્તિ થતી. દાદા દીકરાને ‘શ્રીમદ્ ભાગવતુ ના પ્રસંગો કહે, જુદા જુદા અવતારોની વાત સંભળાવે. એ અવતારના ચમત્કારો બાળ શ્રીમદ્ ખૂબ ભાવથી સાંભળે. અવતારોની કલ્પના એમના બાળહૃદયમાં રોમાંચ જગાવતી હતી. - એ સમયની પોતાની મનોભાવનાનો આલેખ કપાળદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ ‘સમુચ્ચયવયચર્યા 'માં કર્યો છે. શ્રીમદે પોતાના ત્રેવીસમાં જન્મદિવસે પોતાના જીવનની ગવેષણા કરતા પોતાની તેર વર્ષ સુધીની ઉંમરની ઘટનાઓ આમાં આલેખી છે અને એ સમયના એમના ચિત્તમાં જાગેલા વિચારોનું એમાં પ્રતિબિંબ ઝિલાયું છે. પોતાના આ સમય વિશે વૈષ્ણવ ધર્મની વિચારધારાનું આલેખન કરતાં તેઓ કહે છે, તેના સંપ્રદાયના મહંત હોઈએ અને ત્યાગી હોઈએ તો કેટલી મજા પડે એ જ વિકલ્પના થયા કરતી તેમજ કોઈ વૈભવી ભૂમિકા જોતો કે સમર્થ વૈભવી થવાની ઇચ્છા થતી. પ્રવીણસાગર નામનો ગ્રંથ તેવામાં મેં વાંચ્યો હતો; તે વધારે સમજ્યો નહોતો; છતાં સ્ત્રીસંબંધી નાના પ્રકારના સુખમાં લીન હોઈએ અને નિરુપાધિપણે કથા કથન શ્રવણ કરતા હોઈએ તો કેવી આનંદ દશા ? એ મારી તૃષ્ણા હતી.” આ સમયે દાદા પંચાણભાઈ પૌત્રની ભક્તિ જોઈને ખુશ થઈ જતા હતા. પોતાની જિજ્ઞાસા લઈને બાળ શ્રીમદ્ દાદા પંચાણભાઈ પાસે દોડી જતા. દાદા એને સાધુ પાસે લઈ જતા. સાધુ એમના સવાલનો ઉત્તર આપતા. બાળ શ્રીમના હૃદયમાં વધુ ને વધુ વૈષ્ણવ ભક્તિ જાગવા લાગી. દાદા અને દીકરાનો સંબંધ જેટલો ગાઢ બન્યો તેટલો ગાઢ સ્પર્શ શ્રીમદ્ના હૃદયે કૃષ્ણભક્તિનો અનુભવ્યો. Jan Education tematica For Personal & Pr e only www.nary Page #25 -------------------------------------------------------------------------- ________________ Educacion intam Page #26 -------------------------------------------------------------------------- ________________ ૫. મંથનમાંથી નવનીત બાળ શ્રીમની ઉંમર ચાર વર્ષની થઈ. એમનું નામ લક્ષ્મીનંદન હતું, એને બદલે ‘રાયચંદ’ - ‘રાજચંદ્ર’ નામ પાડવામાં આવ્યું. દાદા પંચાણભાઈના કારણે શ્રીમના હૃદય પર વૈષ્ણવ ધર્મના પ્રબળ સંસ્કાર પડ્યા હતા. પંચાણભાઈનો કુળધર્મ સ્થાનકવાસી જૈનનો હતો, પરંતુ એમની ભક્તિ બાળ શ્રીકૃષ્ણ તરફ ઢળેલી હતી. આ સમયે કૃષ્ણભક્તિમાં તરબોળ શ્રીમદ્ સાધુજનો પાસેથી ‘શ્રીમદ્ ભાગવત્ ના પ્રસંગો સાંભળતા હતા. રામદાસજી નામના સાધુએ એમને કંઠી બાંધી હતી. દાદા પંચાણભાઈ પાસેથી વૈષ્ણવ ધર્મના સંસ્કાર મળ્યા, તો માતા-પિતા પાસેથી જૈન ધર્મના સંસ્કાર સાંપડ્યા. માતા દેવમાં જૈન ધર્મના આચાર-વિચારનું દૃઢતાથી પાલન કરતાં હતાં. બાળક પર સ્વાભાવિક રીતે માતાના સંસ્કાર બહુ ગાઢ રીતે પડતા હોય છે. એમને ધીરે ધીરે જૈન સંસ્કારોમાં રસ પડવા લાગ્યો. આ સંસ્કારોએ જ્ઞાનની જિજ્ઞાસા જગાડી અને બાળ શ્રીમદ્ શાસ્ત્રવાચન કરવા લાગ્યા. એમને માટે એક નવી દિશા ખૂલી. હૃદયમાં પડેલા પૂર્વ સંસ્કારો ધીરે ધીરે અંકુરિત થઈને આચાર-વિચારરૂપે પલ્લવિત થવા માંડ્યા . એમના પિતા રવજીભાઈ પણ જૈન ધર્મનું પાલન કરતા હતા. દાદા પાસેથી મળેલા વૈષ્ણવ ધર્મના સંસ્કારો દયમાં હતા, પણ ધીરે ધીરે એના પર જૈન ધર્મની ભાવના પ્રભાવ પાથરવા લાગી. શ્રીમની વય તો સાવ નાની હતી, પરંતુ અસાધારણ વિભૂતિને વયની મર્યાદા ક્યારેય નડતી નથી. બાળ શ્રીમદ્ એમના ઘરના વાતાવરણમાંથી જેમ જેમ સંસ્કારો પામતા ગયા, તેમ તેમ જૈન ધર્મ તરફ રુચિ જાગતી ગઈ. | તેઓએ જોયું કે જૈન ધર્મમાં અત્યંત વિનયપુર્વક જગતના તમામ જીવો પ્રત્યે મૈત્રીની ભાવના ઇચ્છવામાં આવી છે. આ ભાવના બાળ શ્રીમદુના કરણાદ્ર હૃદયને સ્પર્શી ગઈ. એમને ધીરે ધીરે જૈન ધર્મ તરફ પ્રીતિ થઈ. વવાણિયામાં રહેતો જૈન સમાજ બાળ શ્રીમદૂને શક્તિશાળી અને ગામના નામાંકિત વિદ્યાર્થી તરીકે ઓળખતો હતો. જુદા જુદા લોકો વચ્ચે બાળ શ્રીમદ્દ ઉપસ્થિત હોય ત્યારે તેઓ એમની વિશિષ્ટ શક્તિને કારણે પ્રશંસા પામતા હતા. બાળ શ્રીમની વય ઘણી નાની હતી, પરંતુ એમની વિચારસૃષ્ટિ ઘણી ગહન હતી. એમનામાં રહેલા પૂર્વના સંસ્કારો એમની વિચારધારાને વધુ તેજસ્વી બનાવતા હતા. એક બાજુ ભક્તિની લીનતા હતી તો બીજી બાજુ સંચિત જ્ઞાનને પરિણામે મનોમંથન ચાલતું હતું. બે ધર્મસંસ્કારોના પ્રવાહો એમના માનસમાં એકત્રિત થયા હશે, ત્યારે શું થયું હશે ? એમણે કેવું મંથન અનુભવ્યું હશે ? વિચારના મંથનમાંથી કેવું નવનીત તારવ્યું હશે ? કઈ રીતે પોતાને સાંપડેલા વૈષ્ણવ ધર્મના સંસ્કારોમાંથી જૈન ધર્મની ભાવના તરફ વળ્યા હશે ? આનો કોઈ આલેખ આપણી પાસે નથી. માત્ર કલ્પનાના બળે આપણે આપણા મનમાં ધર્મસંસ્કારો વિશેની મથામણોની કલ્પના જ કરી શકીએ. વિભૂતિઓનાં આત્માનાં ઊંડાણો તો અગાધ હોય છે, તેથી આ બધું પામવું આપણે માટે શક્ય ન હોય, પણ એટલી તો ધારણા જરૂર કરી શકીએ કે અતિ નાની વયના બાળ રાજચંદ્રમાં પ્રગલ્મ રીતે ધર્મવિચાર કરવાની ક્ષમતા હશે laimEducation internation For Personal & Pe ste Ong www.nary Page #27 -------------------------------------------------------------------------- ________________ al & Page #28 -------------------------------------------------------------------------- ________________ ૬. નિરપરાધી દાદ તીર્થધામ વવાણિયા ગામની આસપાસ નાની-નાની તળાવડીઓ આવી હતી. એ તળાવડીઓમાં કોઈ સ્નાન કરતું હોય, તો કોઈ ગાય-ભેંસને પાણી પાતું હોય, આ નાની શી તળાવડીના કિનારે બાળકો રમવા આવે. વિવાણિયા ગામની બહાર આવી એક-બે નહીં, પરંતુ અઢાર તળાવડીઓ આવી હતી. એ તળાવડીનાં જુદાં જુદાં નામ પણ મળે, કોઈ વિરાસરી તો કોઈ રેંટિયાસરી, કોઈ સોનાસરી તો કોઈ રૂપાસરી. તળાવડીની બાજુમાં આવેલાં વૃક્ષો નીચે બાળ શ્રીમદ્ પોતાના બાળમિત્રો સાથે ફરવા જતા. એમની સાથે મળીને આનંદ-કિલ્લોલ કરતા. ' ખુદ શ્રીમદે પોતાની આ બાલ્યાવસ્થાની વાત આલેખી છે. એમણે ‘સમુચ્ચયવયચર્યા'માં પોતાના બાળપણના મનોભાવો આલેખતાં લખ્યું છે – “સાત વર્ષ સુધી એકાંત બાળવયની રમતગમત સેવી હતી; એટલું મને તે વેળા માટે સ્મૃતિમાં છે કે વિચિત્ર કલ્પના (કલ્પનાનું સ્વરૂપ કે હેતુ સમજ્યા વગર) મારા આત્મામાં થયા કરતી હતી. રમતગમતમાં પણ વિજય મેળવવાની, અને રાજરાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની, પરમ જિજ્ઞાસા હતી. વસ્ત્ર પહેરવાની, સ્વચ્છ રાખવાની, ખાવા-પીવાની, સુવા-બેસવાની બધી વિદેહી દશા હતી; છતાં હાડ ગરીબ હતું; તે દશા હજુ બહુ સાંભરે છે. અત્યારનું વિવેકી જ્ઞાન તે વયમાં હોત તો મને મોક્ષ માટે ઝાઝી જિજ્ઞાસા રહેત નહીં. એવી નિરપરાધી દશા હોવાથી પુનઃ પુનઃ તે સાંભરે છે.” સાત વર્ષના શ્રીમદ્રના જીવનમાં અદ્દભુત ઘટના બને છે. કોઈ બાહ્ય ઘટના આંતર જગતને એવું જ ગાડી જાય કે જીવનમાં પૂર્વના સંસ્કારોનું અનુસંધાન રચાઈ જાય, એક ચિનગારીનો સ્પર્શ થાય અને એમાંથી આખાય મહાનલનો અનુભવ જાગે. વવાણિયામાં અમીચંદભાઈ નામના યુવાનને બાળ શ્રીમદ્ ઓળખતા હતા. એ યુવાનનો બાંધો મજબૂત હતો અને બાળ શ્રીમદ્ તરફ યુવાન અમીચંદ સ્નેહભાવ રાખતો હતો. બાળપણમાં અનુભવેલો આ સ્નેહભાવ અમીચંદભાઈ પ્રત્યે સદૂભાવ જગાડનારો બન્યો. એ સમયે એકાએક અમીચંદભાઈનું સર્પદંશથી મૃત્યુ થયું. નાના ગામમાં આવી ઘટના બને એટલે બધે જ હાહાકાર વ્યાપી જાય. ચોરે અને ચૌટે એની ચર્ચા થવા લાગે. નાના-મોટા સહુના મુખે સર્પદંશથી થયેલા અમીચંદભાઈના અવસાનના સમાચારની વાત સંભળાતી હતી. કોઈ વિષાદભર્યા ચહેરે કહેતા કે કેવો જુવાનજોધ માનવી એકાએક કાળનો કોળિયો થઈ ગયો. કોઈ વળી દુઃખના ભાવથી કહેતા કે કેવા મીઠા સ્વભાવનો જુવાન આ મલક (દુનિયા) છોડીને ચાલ્યો ગયો. વાત વહેતી વહેતી બાળ શ્રીમદ્ પાસે આવી. એમણે સાંભળ્યું કે અમીચંદભાઈ સર્પદંશથી ગુજરી ગયા. આ સાંભળતાં જ બાળ શ્રીમને આઘાત લાગ્યો. પોતાના તરફ ભલી લાગણી દાખવનાર વ્યક્તિ એકાએક ગુજરી જાય તે કેવું ? | શ્રીમદ્દનું બાળમાનસ ઊંડા વિચારમાં ડૂબી ગયું. એમાં પણ એમના મનમાં સતત એક શબ્દ પડઘા પાડવા લાગ્યો. એ વિચારમાં પડ્યા કે આ “ગુજરી જવું” એટલે શું ? એમાં શું થતું હશે ? અમીચંદભાઈને શું થયું હશે ? આ સમયે બાળ શ્રીમદ્ને માટે તો પૂછવાનું સ્થાન એમના વહાલસોયા દાદા પંચાણભાઈ હતા. બાળ શ્રીમદ્ દાદા આગળ દિલ ખોલીને પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરતા. દાદા એની વાતનો વહાલથી પ્રત્યુત્તર આપતા. બસ, તો દાદા પાસે જઈને એમને પૂછવું કે, “ગુજરી જવું” એટલે શું ? દાદાને પૂછવા માટે બાળ શ્રીમદ્ દોડ્યા. . Jain Education temnational Forson Private Use Only cine . Page #29 -------------------------------------------------------------------------- ________________ Eco Interactal 6827 જાતિ સ્મૃતિ - ! – જ્ઞાન પ્રાપ્તિ શ્રીમદ્ રાજચંદ્રજીને વવાણીઆ સ્મશાન ભૂમિમાં સાતવર્ષની બાળવયે બળતી ચિંતા ઐઇને થયેલું જાતિ સ્મરણ ાન, સંવત – ૧૯૭૧ - > For Personal &Private Use Only 999 www.jalnelibrary.org Page #30 -------------------------------------------------------------------------- ________________ ૭. અગોચર ગોચર થયું બાળ શ્રીમદે દાદા પંચાણભાઈને પૂછયું, “દાદાજી ! દાદાજી ! ‘ગુજરી જવું’ એટલે શું ?” દાદા પંચાણભાઈ બાળ શ્રીમદૃનો આ સવાલ સાંભળીને ચમક્યા. અરે ! આ નાના બાળકને એનો અર્થ કહેવાય શી રીતે ? એ અર્થ જાણીને બીકથી છળી જાય, ડરી જાય તો શું ? આથી દાદા પંચાણભાઈએ વાતને ભુલાવવા માટે કહ્યું, “જા, જા. પહેલાં રોઢો (બપોરનો નાસ્તો) કરી લે, પછી બીજી વાત.” બાળ શ્રીમદૂની જિજ્ઞાસા અડગ હતી. એમણે તો ફરી પૂછ્યું, “દાદા ! પહેલાં મને સમજાવો કે ‘ગુજરી જવું” એટલે શું ? પછી બીજી બધી વાત.” ગમે તેટલી કોશિશ કરવા છતાં બાળ શ્રીમદ્ પોતાની વાત પર અડગ રહ્યા. આથી આખરે દાદાએ સમજાવ્યું, “જો ‘ગુજરી જવું’ એટલે હવે તે બોલશે નહીં, હાલશે-ચાલશે નહીં, ખાશે નહીં, પીશે નહીં. એનો જીવ નીકળી ગયો છે. એટલે એને મસાણ(સ્મશાન)માં બાળશે.” ગુજરી જવું” એ વાતનો ખરો ભેદ પામવા માટે બાળ શ્રીમદ્ છાનામાના તળાવ પાસે પહોંચી ગયા. તળાવની પાળ ઉપર બે શાખાવાળા બાવળ પર ચડ્યા. ચડીને સ્મશાન ભણી નજર માંડી, તો ચિતા ભડભડ બળતી હતી. કેટલાક માણસો ઊભા હતા અને કેટલાક ચિતાની આસપાસ બેઠા હતા. આ દૃશ્ય જોતાં જ બાળ શ્રીમદૂને પ્રથમ તો ધિક્કારની લાગણી થઈ. તેઓ વિચારવા લાગ્યા કે પોતાના તરફ સદાય પ્રેમથી વર્તનાર વ્યક્તિને આવી રીતે બાળી નખાતી હશે ? લોકો પણ કેવા ક્રૂર છે કે આવા સુંદર અને સારા માણસને આમ બાળી નાખે છે ! આમ વિચારતો બાળ શ્રીમદ્રના હૃદયમાં તત્ત્વનો ઊહાપોહ થયો. એ વિચારવા લાગ્યા કે શરીર તો એનું એ છે, તો એમાંથી શું ચાલ્યું ગયું ? એ કયું તત્ત્વ છે ? આમ વિચારની શ્રેણીએ ચડતાં ચડતાં પૂર્વજન્મોની સ્મૃતિ વચ્ચે રહેલું આવરણ ખસી ગયું. જાણે પડદો હટતાં કેટલાંય પૂર્વજન્મોની સ્મૃતિ જાગી ઊઠી ! આગળ જતાં એમણે જૂનાગઢનો ગઢ જોયો, ત્યારે પૂર્વજન્મોની વિશેષ સ્મૃતિ તરી આવી. એમને જાતિસ્મરણજ્ઞાન થયું. આ જાતિસ્મરણજ્ઞાન એ મતિજ્ઞાનના ધારણા નામના જ્ઞાનના ભેદનો પ્રકાર છે. આ જાતિસ્મરણજ્ઞાનને કારણે સાત વર્ષની નાની વયમાં શ્રીમદ્ અદભૂત વૈરાગ્યરસ અનુભવવા લાગ્યા. તેઓનાં આ વચનોમાં એમની વૈરાગ્યભાવના પ્રગટ થાય છે. | “અંતરજ્ઞાનથી સ્મરણ કરતાં એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભરતો નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ-વિકલ્પનું રટણ ન કર્યું હોય અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય, નિરંતર એ સ્મરણ વહ્યા કરે છે અને એ મહાવૈરાગ્યને આપે છે... વધારે શું કહેવું ? જે જે પૂર્વના ભવે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું ? તે ચિંતના થઈ પડી છે. ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દૃઢત્વ આત્મામાં પ્રકાશ્ય. વિચારવાન જીવ આધિ, વ્યાધિ તથા ઉપાધિના પ્રસંગો સ્મૃતિમાં લાવી, સંસારનો વિચાર કરે તો અનિત્ય પદાર્થોની આસક્તિ ઓછી થાય છે. મમત્વ, મોહ મોળાં પડે છે. અને અજર અમર અને નિત્ય એવા આત્મપદાર્થનો નિર્ણય કરવા વૃત્તિ જાગે છે. જ્યાં જેણે અનેક ભવોના આધિ, વ્યાધિ તથા જન્મમરણનાં દુઃખો સ્મૃતિમાં આણ્યાં હોય અને પરિભ્રમણના કારણે પૂર્વભવે સત્પુરુષો પાસે પ્રત્યક્ષ સાંભળ્યાં હોય તેને તે સર્વ ત્રાસથી છૂટી એક માત્ર મુક્તિનો માર્ગ જ આરાધવાની તત્પરતા રહે,” આ રીતે મોટા મોટા મુનિઓને પણ દુર્લભ એવી વૈરાગ્ય સમ્યક વિચારણા શ્રીમદ્ કરવા લાગ્યા. Jain Education damnational F argonal Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Jala Educalido Fos Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૮. ગામઠી નિદાળમાં પ્રાત:કાળે ઊઠીએ ત્યારે આગલી રાતના બનાવોની સ્મૃતિ પુન: જીવંત બની જાય છે. રાતનો પડદો ખસી જતાં ગઈ કાલના બનાવોનું સાક્ષાત્ સ્મરણ થાય છે. એ જ રીતે જાતિસ્મરણશાન થાય એટલે પૂર્વજન્મોની ઘટના સ્મૃતિપટ પર સજીવન થાય. જાણે ગઈ કાલનો કોઈ બનાવ ન હોય એમ પૂર્વજન્મોની સ્મૃતિઓ સ્વાનુભવગોચર થાય. વિ. સં. ૧૯૩૧માં માત્ર સાત વર્ષની વયે બાળ શ્રીમદ્દને જાતિસ્મૃતિ થઈ અને પૂર્વજન્મોનાં સ્મરણોની સાથોસાથ પૂર્વસંચિત સ્વાનુભવસિદ્ધ જ્ઞાન પણ પ્રગટ થયું. એમણે પોતાનાં એ અસાધારણ જ્ઞાન અને સ્મૃતિશક્તિ કોઈને કળાવાં દીધાં નહીં. સાત વર્ષના બાળ શ્રીમદૂને પિતા રવજીભાઈ નિશાળે બેસાડવા લઈ ગયા. સંસાર તો પોતાના તોલમાપથી જ વિચારતો હોય છે અને પોતાની રૂઢિ પ્રમાણે કાર્ય કરતો હોય છે. વવાણિયા તાલુકાની ગામઠી નિશાળમાં બાળ શ્રીમદ્ દાખલ થયા. | એ ગામઠી શાળાની આજે કલ્પના કરવી પણ મુશ્કેલ બને. એ શાળામાં જમીન લીંપેલી હોય. એ જમાનો એવો કે બાળક બાપથી ન ડરે, માથી ન ડરે, પરંતુ શાળાના મહેતાજીનું નામ પડતાં ધ્રુજી ઊઠે. ગામઠી નિશાળના માસ્તર ‘સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ઘમઘમ’ એ સિદ્ધાંતમાં અટલ શ્રદ્ધા ધરાવનારા હોય. વવાણિયાની નિશાળમાં બાળ શ્રીમદને લઈને પિતા રવજીભાઈ આવ્યા. એમણે ગામઠી નિશાળના હેડ માસ્તરને વિનંતી કરી, “માસ્તર સાહેબ ! આ મારો વહાલસોયો દીકરો છે. એને બરાબર ભણાવજો હો.” ગામડાના ભલા-ભોળા માનવી રવજીભાઈ નિશાળમાં માસ્તરો કેવી સજા કરતા હતા, તે સારી પેઠે જાણતા હતા. એમાં બાળકોને જાતજાતની શિક્ષા કરવામાં આવતી. કોઈને હાથ ખુલ્લો રાખીને એના પર માસ્તર સોટી ફટકારે, તો કોઈને અંગુઠા પકડાવી ઉપર આંકણી મુકે, તો કોઈને ઘોડી થઈને બેસાડે. આથી રવજીભાઈથી સ્વાભાવિક રીતે બોલાઈ ગયું, “સાહેબ, એને મારશો કે લડશો નહીં.” હેડમાસ્તરને આવી ભલામણ કરી રવજીભાઈ ઘેર આવ્યા. હીરો તેજસ્વી હોય તો એનું તેજ પ્રગટયા વિના રહે ખરું ? બાળ શ્રીમદ્દને જોતાં જ હેડમાસ્તરે હૃદયમાં જુદો જ ભાવ અનુભવ્યો. આજ સુધી આ ગામઠી નિશાળમાં કેટલાંય બાળકો દાખલ થયાં હતાં. આ બાળકો હેડમાસ્તર પાસે આવે ત્યારે એમના પગ ધ્રુજતા હોય, એમનું શરીર ભયથી કાંપતું હોય, જીભ સિવાઈ ગઈ હોય. જ્યારે બાળ શ્રીમદુનો ચહેરા પર સહેજે ભય કે ચિંતા નહોતા, માત્ર સૌમ્ય શાંતિ જ તરવરતી હતી. કોઈ વ્યક્તિત્વની પ્રભા જ એવી હોય છે કે એને જોતાં જ મનના ભાવો બદલાઈ જાય. એકાએક એના પ્રત્યે આદર કે સ્નેહ જાગે, શ્રીમદને જોતાં જ હેડમાસ્તરને એમના તરફ પ્રેમભાવ જાગ્યો. એમણે વર્ગશિક્ષક લવજીભાઈને બોલાવ્યા. લવજીભાઈને કહ્યું, “જુઓ, આ બાળકને પ્રેમપૂર્વક ભણાવજો. જરા પણ લડશો નહીં કે મારશો નહીં.” હેડમાસ્તરની વાત વર્ગશિક્ષકે સ્વીકારી લીધી. મનમાં એમ પણ માન્યું કે નક્કી, આ હેડમાસ્તર સાહેબના ખાસ સંબંધીનો પુત્ર હશે, નહીં તો તેઓ આવી ખાસ ભલામણ ન કરે. લવજીભાઈ વર્ગમાં ગયા અને બાળ શ્રીમદૂને વર્ગમાં આવવા કહ્યું. Jain Education national For Persortal Priv a te Corte Page #33 -------------------------------------------------------------------------- ________________ Jan Edlication batematica Perdeal & Pla UE Oly Page #34 -------------------------------------------------------------------------- ________________ ૯. અસાધારણ તિ-દક્તિ કેટલીક વ્યક્તિ જન્મજાત મહાન હોય છે. કેટલીક પ્રયત્નોથી મહાનતા પ્રાપ્ત કરે છે અને કેટલાક પર મહાનતા લાદવામાં આવે છે. માત્ર સાત વર્ષના શ્રીમદૂના જીવનમાંથી જ એ સત્ય પ્રગટ થયું કે તેમનામાં જન્મજાત મહાનતા હતી. આવી લોકોત્તર વિભૂતિના માનસને પારખવું મુશ્કેલ હોય છે, આમ છતાં સંસારની કે લોકવ્યવહારની ઘટનાઓમાં એમની લોકોત્તરતા પ્રગટ થયા વિના રહેતી નથી. સૂર્યના તેજની આડે કોઈ દીવાલ બાંધી શકતું નથી. બાળ શ્રીમદે નિશાળમાં પ્રવેશ મેળવ્યો અને એમના વર્ગશિક્ષક લવજીભાઈએ માન્યું કે હેડમાસ્તરે આ બાળકની ભલામણ કરી છે તેથી એમની પાટીમાં એકથી પાંચ આંકડા લખી આપ્યા અને કહ્યું કે આ પાંચે આંકડા બરાબર ઘૂંટી લાવ. | બાળ શ્રીમદ્ પાટી લઈને પોતાના વર્ગની જમીન પર બાળ-ગોઠિયાઓ સાથે બેઠા. એમણે પાંચ આંકડા જોયા, પણ એ આંકડા ઘૂંટવાને બદલે એને ધ્યાનથી જોઈ રહ્યા. એ પછી ઊભા થઈને લવજીભાઈ માસ્તર પાસે જઈને કહ્યું, સાહેબ, આ બધું તો મને આવડે છે.” આમ કહીને એમણે જાતે એ આંકડા લખ્યા. લવજીભાઈ માસ્તરે માન્યું કે કદાચ આ બાળક એના ઘરમાંથી શિક્ષણ મેળવીને આવ્યો હશે, એથી આટલા આંકડા જાણતો હશે. આમ ધારીને એમણે એને ઘૂંટવા માટે આગળના આંકડા લખવા શરૂ કર્યા. છથી દસ સુધીના આંકડા લખ્યા, પણ બાળ શ્રીમદે તો એ આંકડા ઘૂંટવાને બદલે તરત જ પાટીમાં લખી નાખ્યા. શિક્ષક જે આંકડો લખે તે લખી-બોલી બતાવવા લાગ્યા. એમ કરતાં છેક એક સો સુધીના આંકડા શિક્ષકે પાટીમાં લખ્યા. એ જ આંકડા બાળ શ્રીમદ્ પાટીમાં લખતા જાય અને બોલતા જાય, કેવી અજબ જેવી વાત ! નિશાળે નવા-સવા બેઠેલા બાળકને આટલું બધું આવડે ! લવજીભાઈ માસ્તર આ જોઈને ઊંડા વિમાસણમાં પડી ગયા. વળી એમણે માન્યું કે કદાચ એ એકથી સો આંકડા શીખ્યા હશે. આથી એમણે ૧ X ૧ = ૧ થી માંડીને ૧૦ x ૧ = ૧0 ના ઘડિયા લખીને આપ્યા. શિક્ષક લખતા ગયા અને ઘડિયા બોલતા ગયા. બાળ શ્રીમદ્ પણ એ જ રીતે એ ઘડિયા લખતા અને બોલતા ગયા. એ પછી તો અગિયારા અને બારાખડી પણ લખી આપી તો તે પણ બાળ શ્રીમદે લખી બતાવ્યા. લવજીભાઈને અપાર આશ્ચર્ય થયું. ' એમણે ગુજરાતી પહેલી ચોપડીના જે પાઠ લખાવ્યા એ જ પ્રમાણે બાળ શ્રીમદ્ એ પાઠ લખી-બોલી ગયા. શિક્ષક તો હેરાન-પરેશાન થઈ ગયા. એ ગયા સીધા હેડમાસ્તર પાસે અને કહ્યું કે, “આને તો ભણાવવું શું ? ગણિત હોય કે કવિતા, આંકડા હોય કે ઘડિયાં - બધું જ જેમ લખીએ તેમ લખી શકે છે અને જેમ બોલીએ તેમ બોલી જાય છે. આને ભણાવવું શું ? આ કંઈ પહેલી ચોપડીનો વિદ્યાર્થી નથી.” હેડમાસ્તરે શ્રીમદ્રના પિતા રવજીભાઈને બોલાવ્યા અને પૂછ્યું, તો રવજીભાઈએ કહ્યું, “અરે સાહેબ ! હજી ગઈ કાલે જ પાટી–પેન ખરીદીને લાવ્યો છું. આજ સુધી ઘરમાં કોઈ કશો અભ્યાસ કરાવ્યો નથી.” આ સાંભળીને શિક્ષક પામી ગયા કે નક્કી આ બાળક એ કોઈ વિરલ પ્રતિભાશાળી મેધાવી બાળક છે. આથી એને વર્ગમાં પોતાની પાસે બેસાડતા. એની પાસે જ્ઞાન, ધ્યાન અને વૈરાગ્યની કવિતાઓ બોલાવતા. - આમ ફક્ત એક વર્ષમાં તો બાળ શ્રીમદે ચાર ધોરણનો અભ્યાસ પૂરો કર્યો. દોઢથી બે વર્ષમાં સાત ધોરણ પૂરાં કર્યા. શિક્ષક પાઠ વંચાવે તે જ વખતે તે વાંચીને કડકડાટ બોલી જાય. પૂર્વના સંસ્કારોને કારણે વિના પરિશ્રમે એમનું જ્ઞાન પ્રગટ થવા લાગ્યું. તેઓ વિદ્યાર્થીઓનું વર્ગકામ લેવા માંડ્યા અને અમુક વખતે વર્ગશિક્ષક તરીકે શિક્ષણ આપવા લાગ્યા. શિષ્ય ગુરુ બની ગયા ! ઓટલા તેજસ્વી હોવા છતાં બાળ શ્રીમદ્ પોતાના સાથીઓમાં એટલા જ પ્રીતિપાત્ર હતા. એક વાર શિક્ષકે કોઈ કારણસર રાયચંદને ઠપકો આપ્યો. વિનયી કિંતુ સ્વમાની રાયચંદ આ ઠપકો કઈ રીતે સહન કરી શકે ? Jan Educatigranational Post Parsonal. P o Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Nohay ၅ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૦. અપૂર્વ પ્રતિભા આપની એક વાર શિક્ષકે શ્રીમને ઠપકો આપ્યો. એમનો કશોય વાંક નહોતો છતાં ઠપકો મળ્યો. આથી શ્રીમદે વિના કારણે થયેલા અન્યાયના વિરોધમાં નિશાળે જવાનું માંડી વાળ્યું. બાળ શ્રીમદ્ અભ્યાસમાં જેટલા તેજસ્વી હતા એટલા જ રમતગમતમાં નિપુણ હતા. પોતાના સહાધ્યાયીઓમાં એ ખૂબ માનીતા હતા. નિશાળ શરૂ થઈ. સહાધ્યાયીઓએ જોયું તો શ્રીમદ્ ક્યાંય મળે નહીં. એમણે જાણ્યું કે શ્રીમદ્ આજે નિશાળે નથી આવ્યા. એટલે બધા ભેગા મળીને એમના મળવા ગયા. શ્રીમદ્ બધા જ વિદ્યાર્થીઓને લઈને દૂર આવેલા ખેતરમાં ચાલ્યા ગયા. બીજી બાજુ શિક્ષક વર્ગમાં ભણાવવા આવ્યા, પણ વર્ગમાં એકે વિદ્યાર્થી મળે નહીં. એમને પારાવાર આશ્ચર્ય થયું. એક-બે વિદ્યાર્થી બીમારી કે અન્ય કારણે આવે નહીં તેવું બનતું હતું, પણ એકે વિદ્યાર્થી વર્ગમાં ન હોય એવું તો આજ સુધી ક્યારેય થયું ન હતું. શિક્ષક વિચારમાં પડ્યા. એમને ખ્યાલ આવી ગયો કે ગઈ કાલે બાળ શ્રીમને પોતે વિના કારણે ઠપકો આપવાની ભૂલ કરી બેઠા છે એથી શ્રીમદ્ નિશાળે આવ્યા નહીં અને કદાચ એ કારણે બીજા વિદ્યાર્થીઓ પણ આવ્યા ન હોય ! શિક્ષક શ્રીમદ્ની શોધમાં નીકળ્યા. શોધતા શોધતા ખેતરમાં પહોંચી ગયા. એમણે જોયું તો એક ઝાડ નીચે ઊભા ઊભા બાળ શ્રીમદ્ વિદ્યાર્થીઓને ભણાવતા હતા. વિદ્યાર્થીઓ એક ધ્યાનથી શ્રીમદ્ની વાત સાંભળતા હતા. શિક્ષક તો આ જોઈને થંભી ગયા. નિશાળના ઓરડાની ચાર દીવાલ વચ્ચે વિદ્યાભ્યાસ થાય તેના બદલે ખેતરના ખોળે, હરિયાળીની વચ્ચે શ્રીમદ્ અભ્યાસ કરાવતા હતા. શિક્ષક બાળ શ્રીમની પાસે આવ્યા અને પોતાની ભૂલ બદલ માફી માગી. સહુને મનાવીને નિશાળે લઈ ગયા. આમ બાળ શ્રીમનો સત્ય માટેનો આગ્રહ પ્રગટ થયો. એવો જ એમનો આગ્રહ ભવિષ્યમાં સત્પ્રાપ્તિ માટે જોવા મળ્યો. વવાણિયાની નિશાળમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહુ કોઈ બાળ શ્રીમની પ્રતિભાને આદર આપતા હતા. એમની સ્મૃતિશક્તિના પ્રભાવની વાતો કરતા હતા. શિક્ષક એક પાઠ બોલે તે બરાબર સાંભળીને શ્રીમદ્ ચિત્તમાં યાદ રાખી લે. એ પછી એ આખોય પાઠ કડકડાટ બોલી જતા. શ્રીમદ્ આવું એકપાઠીપણું આશ્ચર્યનો વિષય બની ગયો. આથી જ ચોથા ધોરણની પરીક્ષા લેવા માટે મોરબી રાજ્યના કેળવણી અધિકારી પ્રાણલાલભાઈ વવાણિયા આવ્યા ત્યારે પરીક્ષા લેતાં લેતાં બાળ શ્રીમનું હીર પારખી લીધું. એમણે વર્ગશિક્ષકને આ વિદ્યાર્થી વિશે પૂછ્યું, ત્યારે વર્ગશિક્ષકે કહ્યું, “સાહેબ ! આ બાળક અપૂર્વ સ્મૃતિશક્તિ ધરાવે છે. ત્વરિત અભ્યાસ કરી શકે છે. કોઈ પૂર્વના સંસ્કાર લઈને આવેલા બાળયોગી જ લાગે છે.” શિક્ષણાધિકારી પ્રાણલાલભાઈએ શ્રીમદ્ સાથે વાત કરી અને વાતનો દોર લંબાતાં ધર્મ વિશેની ચર્ચા શરૂ થઈ. શ્રીમના બાળમુખે આવા ગહન વિષય પર વિવેચન સાંભળતાં આ પરીક્ષકને એમની પ્રતિભાનો સ્પર્શ થયો. પ્રાણલાલભાઈના હૃદયમાં હેત ઊભરાયું અને બાળ શ્રીમને પોતાની સાથે ભોજન માટે લઈ ગયા. આમ પરીક્ષા લેવા આવનાર પરીક્ષક ખુદ વિદ્યાર્થી તરફ આદર ધરાવવા લાગ્યા. ચોથા ધોરણમાં ભણતા બાળ શ્રીમદે આટલી લઘુ વયે અખબારમાં પ્રગટ થયેલી પોતાની કાવ્યરચનાઓ બતાવી. શિક્ષણાધિકારી પ્રાણલાલભાઈ તો એક પછી એક આશ્ચર્યનો અનુભવ કરતા હતા. એમણે ગામમાંથી વિદાય લેતી વખતે શ્રીમને કહ્યું કે મોરબી આવવાનું થાય તો જરૂર મળજો. આમ પરીક્ષા લેવા આવેલા પરીક્ષક પણ શ્રીમની અદ્વિતીય શક્તિથી પ્રભાવિત થઈ ગયા. lain Education International For Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ al Educ a t Personal PIDUSEN Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૧. કરુણાનું આકાશ કવિઓ જન્મે છે, બનાવાતા નથી. કવિતા સર્જવા માટે સંવેદનશીલ હૃદય જોઈએ અને એ હૃદયમાં જાગતા ભાવોને શબ્દમાં સાકાર કરવા માટે શબ્દશક્તિ જોઈએ. અભ્યાસમાં અસાધારણ તેજસ્વી એવા બાળ શ્રીમદ્ કવિતાસર્જનની એવી જ અનુપમ શક્તિ ધરાવતા હતા. શ્રીમમાં કવિહૃદય, જ્ઞાની હૃદય અને અધ્યાત્મહૃદય – એમ ત્રણ હૃદયોનું મિલન થયું હતું. એમના હૃદયમાં એમની સંવેદનશીલતા અને સર્વોદ્ધારની ભાવના અવિરત ધબકારા લેતી હતી. પોતાની આસપાસના સમાજને જોતાં બાળ શ્રીમદ્ના હૃદયમાં મોટું મનોમંથન ચાલતું. એમના કરુણાસાગર હૃદયમાં આસપાસ દેખાતી કરુણ પરિસ્થિતિ સામે એક અવાજ ઊઠતો હતો. એ સમયે સ્ત્રીઓની અતિ દુર્દશા હતી. કુસંપ સમાજને ફોલી ખાતો હતો. એમની આ અંતરવેદના હૃદયમાંથી સહજપણે કાવ્યરૂપે બહાર પડતી. દેશની અવનતિ જોઈને શ્રીમદ્રનો આત્મા વ્યથિત થઈ જતો હતો. જે સમયે દેશભક્તિ વિશે ભાગ્યે જ કોઈ વિચાર કરતું હતું, ત્યારે શ્રીમદે દેશભક્તિને લગતાં કાવ્યોની રચના કરી. જે એમના હૃદયમાં રહેલી દેશદાઝ પ્રગટ કરે છે. સાતમા વર્ષે અક્ષરજ્ઞાન લેવાનું શરૂ કર્યું અને આઠમા વર્ષે તો શ્રીમદે કાવ્યરચના કરી. પાછળથી તપાસતાં એ કાવ્યરચના સમાપ લાગી. આઠમા વર્ષે જુદા જુદા વિષયો પર કાવ્યરચના કરતા પાંચ હજાર શ્લોકો લખ્યા. દસ વર્ષની વયની એમની કાવ્યરચનામાં કોઈ ઊંડા અનુભવીના દર્શન થતા હતા. અગિયાર વર્ષે તો જુદા જુદા વિષયો પર ચોપાનિયાંઓમાં લખવાનું શરૂ કર્યું. એમને એ લખાણો માટે યોગ્ય ઇનામો પણ મળ્યાં હતાં. બાર વર્ષની વયે તો કેટલાય નવા નવા વિષયો પર એમની લેખિની ચાલવા લાગી. | રામાયણ અને મહાભારતને કાવ્યમાં સંક્ષિપ્તરૂ પે આલેખ્યાં. નારી-કેળવણી વિશે નિબંધરચના કરી. એ ધર્મદર્પણ', ‘સુબોધપ્રકાશ', ‘વિજ્ઞાનવિલાસ', ‘સૌરાષ્ટ્રદર્પણ” જેવાં સામયિકમાં બાળ શ્રીમદ્રના દેશપ્રેમ, સમાજસુધારણા અને ધર્મવિચારણાના વિષયને આલેખીને એમણે કાવ્યોની રચના કરી. સોળ વર્ષે તો એમણે ‘પુષ્પમાળા નું અવલોકન લખ્યું. આમ અપ્રતિમ ઋતિશક્તિ ધરાવનાર બાળ શ્રીમદની કાવ્યશક્તિ પણ એટલી જ ઉત્કૃષ્ટ હતી. એમણે કાવ્ય-આલેખનની સાથે તેર વર્ષની ઉંમર સુધીમાં તો અનેક બોધગ્રંથો અને ધર્મગ્રંથોનું વાચન કર્યું હતું. તેર વર્ષની વય બાદ તત્ત્વવિચારણાનાં પુસ્તકોનું એમનું વાચન નિયમિત ચાલ્યું. એ પછી સંસ્કૃત અને અર્ધમાગધી ભાષાનું જ્ઞાન પણ મેળવ્યું. એમની કાવ્યરચનાઓને કારણે તેઓ કવિ રાયચંદ તરીકે જાણીતા બન્યા. જગત તરફ અત્યંત સંવેદનશીલ હૃદય ધરાવે એ જ કાવ્યમાં કોમળ ભાવોને ગૂંથી શકે. બાળ શ્રીમદ્દનું હૃદય તો જગતના સર્વ જીવો ઉપરાંત સૂક્ષ્મ જીવો તરફે પણ એટલી જ સંવેદના અનુભવતું હતું. માતા દેવમાના કામમાં તેઓ સતત મદદરૂપ થતા. એક દિવસ દેવમાએ તેમને શાક સમારવા આપ્યું. માતાને કામમાં મદદરૂપ થતાં શ્રીમદે શાક સમારવાનું શરૂ કર્યું. પ્રતિક્રમણ સૂત્ર અને સામાયિક સૂત્ર જેવાં સૂત્રોને જાણનાર શ્રીમની આંખમાંથી શાક સમારતાં આંસુની ધારા વહેવા માંડી. દેવમાએ દીકરાની આંખમાં આંસુ જોઈને પૂછયું, “આ શાક સમારવામાં તને રડવું કેમ આવે છે ?” માતાના આ પ્રશ્નનો શ્રીમદ્ શો ઉત્તર આપે, એમના હૃદયમાં તો લીલોતરીના જીવો પર પણ અપાર કરુણા વરસી રહી હતી. આ કારણથી એમની આંખમાંથી આંસુની ધારા વહેતી હતી, પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવો સાથે તાદાત્ય સાધનોર જ્ઞાનીની વેદના સમજે કોણ ? જેના હૈયામાં કરુણાનું આકાશ હોય એ જ આ અનુભવી શકે. Education Forecta) Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Jain Education at tona Personal Private Use Only www.inolibary.org Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૨. ગયો દેહથી નેહ વહાલના વિશાળ વડલા જેવા દાદાના વાત્સલ્યની હુંફાળી છાયામાં શ્રીમદ્દનું બાળપણ આનંદભેર વ્યતીત થયું. ભારતીય સંસ્કૃતિની કુટુંબપ્રથાની એ વિશેષતા છે કે બાળકના જીવનની સૌથી મોટી પ્રાથમિક નિશાળ દાદાદાદી છે. શ્રીમદ્દને દાદા પાસેથી સૌથી વધુ હૂંફ, વાત્સલ્ય અને સંસ્કાર સાંપડ્યાં, દાદા પૌત્ર કે પૌત્રીના બાળપણને સ્નેહ અને વાત્સલ્યથી ઘાટ આપે છે. દાદા પંચાણભાઈને કારણે જ બાળ શ્રીમદ્દને કૃષ્ણભક્તિના સંસ્કારો મળ્યા. આવા દાદા પંચાણભાઈનો જન્મ સં. ૧૮૩૬માં થયો હતો. પંચાણભાઈના પિતા દામજી પીતામ્બર મોરબીથી સાત ગાઉ દૂર આવેલા માણેકવાડા ગામમાં રહેતા હતા. દામજીભાઈનો કુળધર્મ સ્થાનકવાસી જૈન સંપ્રદાયનો હતો અને તેઓ જ્ઞાતિએ દશા શ્રીમાળી વણિક હતા. એમની પાસે ઘણી સંપત્તિ હોવાથી પુત્રોના ભાગ ગણતરી કરીને નહીં, પણ તાંસળીથી (મોટા વાટકાથી) પાડ્યા હતા. એમના પાંચ પુત્રોમાં વચલા પુત્ર પંચાણભાઈને વહેંચણીમાં ઓછો ભાગ મળતાં ખોટું લાગ્યું. તેઓ સં. ૧૮૯૨માં વવાણિયા આવીને વ્યાજ-વટાવ અને વહાણવટાનો વ્યવસાય કરવા લાગ્યા. કૃષ્ણભક્તિમાં તરબોળ ડૂબેલા રહેતા પંચાણભાઈનું સં. ૧૯૩૪માં ૯૮ વર્ષની વયે અવસાન થયું. આ સમયે બાળ શ્રીમની ઉંમર માત્ર દસ વર્ષની હતી. પંચાણભાઈની સ્મશાનયાત્રા નીકળી ત્યારે નનામીની આગળ ચાલતા બાળ શ્રીમદ્ છાણી ઉપાડી હતી. હાથમાં છાણી લઈને ચાલતા બાળ શ્રીમદ્ ઊંડા વિચારમાં ડૂબી ગયા. જેમની પાસેથી હુંફાળા વાત્સલ્યના ઘૂંટડે ઘૂંટડા પીધા હતા એવા દાદાના મૃત્યુએ એમના હૃદયને તત્ત્વવિચારમાં ડુબાડી દીધું. બાળ શ્રીમદ્રના ચિત્તમાં અને જાગ્યા. કેટલાય પ્રશ્નો ઊઠયા. જીવન અને મૃત્યુને પાર લઈ જનારા અધ્યાત્મની ખોજ ચાલી. જીવનનાં ગહન રહસ્યોનું શોધન થવા લાગ્યું. દેહ શું ? આત્મા શું ? મૃત્યુ શું ? દેહાતીત શું ? આવા પ્રશ્નોનું વિચારશીલ બાળક શ્રીમના ચિત્તમાં મંથન ચાલ્યું. મહાન વ્યક્તિને માટે જગતના વ્યવહારમાં જીવવું એક વાત છે, પણ એ રીતે જીવતી વખતે પણ એમની અંતરની દુનિયા અને હૃદયની ભાવના જુદી હોય છે. સમગ્ર ચિત્ત આત્મવિચારમાં લીન હોય ત્યારે બાહ્ય ઘટનાઓ કશી અસર કરતી નથી. અરે ! એનાથી મન ક્યાંય દૂર નીકળી ગયું હોય છે. દાદાની નનામીની આગળ ચાલતાં બાળ શ્રીમના પગમાં લાંબી શુળ ભોંકાઈ ગઈ. બાળ શ્રીમદે પગમાં ભોંકાયેલી શુળની લેશમાત્ર પરવા ન કરી. શુળ કાઢવા એ થોભ્યા નહીં. કોઈને એનો ખ્યાલ પણ આવવા દીધો નહીં. નાની વયમાં કેટલી પ્રબળ સહનશક્તિ ! તત્ત્વની વિચારક્ષેણીનાં સોપાનો ચડતાં ચડતાં આ બાળ અવધુતે સ્વદેહનું ભાન પણ વિસારી દીધું. બાહ્ય જગતમાં સ્થૂળ ઘટનાઓ તો બનતી રહે, પણ આંતરજગત તો સૂક્ષ્મ આધ્યાત્મિક યાત્રાએ અવિરત ચાલતું હોય. આવે સમયે બાહ્ય, સ્થળ ભૌતિક પરિસ્થિતિની કશી પરવા હોતી નથી. જીવનના સમરાંગણની માફક અધ્યાત્મના સમતાંગણમાં શૌર્ય અને સાહસ જરૂરી હોય છે. નાની વયના આ યોગીએ અપ્રતિમ પૈર્ય દાખવ્યું ! બાળ શ્રીમદે સ્વયં પોતાના પ્રિય દાદાને અગ્નિદાહ આપ્યો અને ઘેર પાછા ફર્યા. આ સમયે શ્રીમદ્દને લંગડાતા ચાલતા જોઈને માતાને આશ્ચર્ય થયું. જોયું તો પગમાં શુળ વાગી હતી. વહાલસોયી માતાએ કહ્યું કે, “કોઈને શુળ કાઢવાનું કહેવું તો હતું ?” પણ શૂળ તો પગમાં વાગી હતી. તત્ત્વવિચારમાં ડૂબેલા ચિત્તને એની જાણ કે પરવા ક્યાંથી હોય ? માતાને શું પ્રત્યુત્તર વાળે ! De Pere Piata Uber Page #41 -------------------------------------------------------------------------- ________________ Join Education you national For Pregral & Private Use Only www. italy.org Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૩. કેવો વિઘાપ્રેમ ! પ્રતિભાનાં અજવાળાં આપોઆપ ચોપાસ પ્રસરતાં હોય છે. કચ્છના દિવાન મણિભાઈ જશભાઈએ બાળ શ્રીમદ્દની આત્મશક્તિની ઘણી વાતો સાંભળી. એમને થયું કે શ્રીમદ્ કચ્છના ભૂજ શહેરમાં આવે તો કેવું સારું ! શ્રીમદ્ ભૂજમાં આવ્યા ત્યારે કચ્છના દિવાને એમના પ્રત્યે અગાધ આદર પ્રગટ કર્યો. કચ્છના ભૂજ શહેરમાં બાળ શ્રીમદે ધર્મ વિશે અત્યંત મનનીય અને પ્રભાવશાળી પ્રવચન આપ્યું. આ નાના બાળકની સ્મૃતિશક્તિ, કલ્પનાશક્તિ અને જ્ઞાનશક્તિથી શ્રોતાજનો અતિ પ્રભાવિત થયા. વળી શ્રીમની વાક્છટા અદ્ભુત હતી અને કલ્પનાશક્તિ તો કવિની હતી. ભૂજના શ્રોતાજનોએ વિચાર્યું કે આ તેજસ્વી બાળક મોટો થતાં જરૂર મહાપ્રતાપી વિભૂતિ બનશે. શ્રીમદૂની જ્ઞાનગર્ભિત, વૈરાગ્યથી ભરપૂર વાણી સહુના હૃદયને સ્પર્શી ગઈ. અસાધારણ વક્તૃત્વશક્તિ અને કુશળ વાચાતુર્યથી તેમની ખ્યાતિ ફેલાવા લાગી. પુષ્પની સુવાસ આપોઆપ ફેલાય એ જ રીતે બાળ શ્રીમની ખ્યાતિ ચોતરફ ફેલાવા લાગી. શ્રીમની ખ્યાતિ કચ્છના કોડાય ગામમાં વસતા હેમરાજભાઈ અને નળિયાના માલશીભાઈએ સાંભળી. એમણે જાણ્યું કે વવાણિયાનો એક વણિક પુત્ર નાની વય હોવા છતાં મહાબુદ્ધિશાળી અને ચમત્કારિક શક્તિઓ ધરાવે છે. આ બંને કચ્છી ભાઈઓએ વિચાર્યું કે આવા બાળકને જ્ઞાનોપાર્જનની સગવડ કરી આપીએ તો એની પ્રતિભા ઓર ખીલી ઊઠે. એમનો વિચાર હતો કે આ અતિ તેજસ્વી બાળકને કાશી મોકલીએ. કાશી એ તો મહા પંડિતોની નગરી. એક એકથી ચડિયાતા વિદ્વાનો ત્યાં મળે. ગહન શાસ્ત્રના જ્ઞાની પુરુષો જ ત્યાં વસે. આવા કાશીમાં આ તેજસ્વી બાળક જાય તો એની વિદ્યા કેવી ખીલી ઊઠે ! એની અસાધારણ પ્રતિભાથી જ એ અસાધારણ વિદ્વાન બને. આ રીતે શ્રીમદ્દે કાશી મોકલીને વિદ્યાને પ્રોત્સાહન આપવાનો કચ્છી ભાઈઓનો શુભ આશય હતો. એને માટે જરૂરી દ્રવ્ય ખર્ચવાની પૂરી તૈયારી હતી. કચ્છથી સાંઢણી પર સવાર થઈને હેમરાજભાઈ અને માલશીભાઈ વવાણિયા આવ્યા. અહીં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે બાળ શ્રીમદ્ તો મોરબી ગયા છે. આથી આ બંને ભાઈઓ મોરબી જવા નીકળ્યા. બીજી બાજુ મોરબી ગયેલા બાળ શ્રીમને પોતાના મોસાળ રાજકોટ જવાનો વિચાર થયો. આ નાના બાળકને એકલો રાજકોટ મોકલાય કઈ રીતે ? આથી સંબંધીઓએ સારા સંગાથની શોધ ચલાવી. મોરબીના મૅજિસ્ટ્રેટ (ન્યાયાધિકારી) ધારશીભાઈ રાજકોટ જવાના હતા, તેથી એમને વિનંતી કરી કે, “તમે રાજકોટ જાઓ છો તો તમારી સંગાથે બાળ શ્રીમદૂને લઈ જાઓ.” ધારશીભાઈએ પોતાની સાથે શ્રીમદ્ન લઈ જવાની વિનંતીનો સ્વીકાર કર્યો. બીજી બાજુ કચ્છી ભાઈઓએ આવીને તપાસ કરી તો જાણ થઈ કે બાળ શ્રીમદ્ તો રાજકોટ ગયા છે. આ બંને ભાઈઓ સાંઢણી પર સવાર થઈને કચ્છથી નીકળ્યા હતા. વવાણિયામાં શ્રીમદ્ ન મળ્યા. મોરબીમાં ન મળ્યા. આમ છતાં આ બંનેનો વિદ્યાપ્રેમ એટલો હતો કે નિરાશ થઈને પાછા વળી જાય તેવા નહોતા. બંનેના હૃદયમાં ગુણપ્રમોદ હતો. અંતરમાં એક જ ઇચ્છા વસતી હતી કે આવા વિશિષ્ટ જ્ઞાની બાળકને કોઈ પણ હિસાબે મળવું અને એની સરસ્વતીસાધના માટે સઘળી સગવડ કરી આપવી. વ્યક્તિ નિઃસ્વાર્થપણે કોઈ કામ કરતી હોય તો એનામાં ભાવનાનું એક બળ હોય છે. પોતાની નિઃસ્પૃહ ઇચ્છાને પૂર્ણ કરવા માટેની અદમ્ય ધગશ હોય છે. હેમરાજભાઈ અને માલશીભાઈ બાળ શ્રીમને મળ્યા વિના પાછા ફરે તેમ નહોતા. કમળની સુવાસથી આકર્ષાઈને મધુકર જેમ તેની પાછળ પડે તે રીતે આ બે વિદ્યાપ્રેમીઓ બાળ શ્રીમદુને મળવા માટે રાજકોટ ભણી નીકળ્યા ! シル - For Personal & Polyte Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ રાજકોટ For Persorfal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૪. ઉપકારી કેવાં તમે દસ વર્ષના બાળ શ્રીમદ્ મોરબીના મેજિસ્ટ્રેટ ધારશીભાઈ સાથે સિગરામમાં બેસીને રાજકોટ જવા નીકળ્યા. બાળ શ્રીમદ્ સાથેની વાતચીતમાં ધારશીભાઈને એમની અદ્દભુત વાણી, છટાં અને બુદ્ધિપ્રતિભાનો અનુભવ થયો. સિગરામમાં બેઠેલા ધારશીભાઈ આ બાળકનાં વચનમાધુર્ય પર મુગ્ધ થઈ ગયા. એમનું ગંભીર તત્ત્વચિંતન સાંભળીને એમના તરફ આદર પ્રગટ કરવા લાગ્યા. વર્ષો સુધી જ્ઞાન, વાચન અને અનુભવ પામ્યા પછી કોઈ વિચારશીલ આધ્યાત્મિક વ્યક્તિ જેવી ગંભીર વાત કરે એવી ગંભીર વાત દસ વર્ષના આ બાળકના મુખેથી ધારશીભાઈએ સાંભળી. રાજ્યના ન્યાયાધીશ ધારશીભાઈ ખુદ પ્રતિષ્ઠિત અને વિદ્વાન વ્યક્તિ હતા, પરંતુ આ બાળકની વાતો સાંભળીને તો અગાધ આશ્ચર્યમાં ડૂબી ગયા. એને કારણે ઉદ્ભવેલા આદરને પરિણામે ધારશીભાઈ બાળ શ્રીમદ્રને કહે છે, રાજકોટમાં તમે અમારે ત્યાં જ ઊતરજો. અમારી સાથે જ રહેજો.” બાળ શ્રીમદે કહ્યું, “ના, હું મોસાળમાં જ રહીશ. મારા મામાને ત્યાં જ ઊતરીશ.” આવી વિરલ પ્રતિભા જોઈને બાળ શ્રીમદ્દ પર અગાધ આદર અનુભવતા વડીલ ધારશીભાઈએ એમને પોતાને ત્યાં આવવાનો અતિ આગ્રહ કર્યો. બાળ શ્રીમદ્દ એમના આદરની પાછળ છુપાયેલો સ્નેહ જાણતા હતા. એમણે કહ્યું, “ભલે મામાને ત્યાં રહીશ, પણ તમારે ત્યાં આવતો રહીશ.” બાળ શ્રીમદ્ રાજ કોટમાં પોતાનો મોસાળમાં ગયા. મામાએ એને આ રીતે એકલા આવેલા જોઈને પૂછયું, અરે ભાણા ! તું કોની સાથે આવ્યો ?” બાળ શ્રીમદે કહ્યું કે મોરબીથી ધારશીભાઈની સાથે સિગરામમાં બેસીને રાજકોટ આવ્યા છે. ધારશીભાઈનું નામ સાંભળતાં જ બંને મામાઓના કાન ચમક્યા. બંને અંદરઅંદર છાની છપની વાત કરવા લાગ્યા. એ બંને મામાઓએ કહ્યું કે, “આ તો સામે ચાલીને તક મળી છે. બરાબર લાગ આવ્યો છે આપણે તેમને (ધારશીભાઈને) ‘ઠેકાણે કરી દેવા'. ” ભોજન કરી રહેલા બાળ શ્રીમદૂના કાને આ શબ્દો પડ્યા. એમણે તત્કાળ જાણી લીધું કે આ મામાઓને ધારશીભાઈ સાથે કોઈ વેર લાગે છે. એ વેરને છીપાવવા માટે તેઓ લાગ શોધતા હોવા જોઈએ, આ એમને લાગ મળી ગયો લાગે છે. ઠેકાણે કરી દેવા” એ શબ્દ સાંભળતાં જ બાળ શ્રીમદ્ પોતાના મામાઓનો મલિન ઇરાદો પારખી ગયા. મામાઓએ વિચાર્યું હતું કે આ દસ વર્ષના બાળકને તે વળી શી ખબર ૫ડવાની છે ? એની પાસે ક્યાં આપણા કાવાદાવાની પૂર્વભૂમિકા છે ? બધી બાબતથી સાવ અજાણ એવો ભાણિયો શું સમજે ? વળી એની વય પણ દસ જ વર્ષની છે. આટલી નાની વયના બાળકને કઈ રીતે આવી આંટીઘૂંટીઓની સમજ પડવાની છે ? છાનામાના વાત કરતા મામાઓની વાતના ભેદને શ્રીમદે જાણી લીધો હતો. એમણે પ્રત્યુત્પન્ન ઔત્પત્તિની બુદ્ધિથી વિચાર્યું કે જરૂર મામાઓ આ ધારશીભાઈનું કાટલું કાઢી નાખવાની યોજના કરી રહ્યા છે. શ્રીમદે વિચાર્યું કે મામાઓની દુષ્ટ યોજના નિષ્ફળ કરીને મારે ધારશીભાઈને બચાવી લેવા જોઈએ. Jan Educun International For Personal & Prato Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Jain Education Intorriational For Personal & Private Use Only www. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૫. વિવેક અનું નામ બાળ શ્રીમદ્ ભોજન લઈને રાજકોટમાં ધારશીભાઈના ઉતારે ગયા. જેની પ્રજ્ઞા અને તેજસ્વિતાથી અભિભૂત થયેલા એવા બાળ શ્રીમને જોઈને ધારશીભાઈ અપાર આદરથી એમને આવકારવા લાગ્યા. શ્રીમદે પૂછયું, “ધારશીભાઈ, તમારે મારા મામાઓ સાથે કોઈ સંબંધ-સંપર્ક છે ખરો ?” ન્યાયાધીશ ધારશીભાઈ આ પ્રશ્ન સાંભળીને ચમક્યા અને બોલ્યા, “આપને કેમ આ વિશે પૂછવું પડ્યું ?” બાળ શ્રીમદે કહ્યું, “પ્રયોજનવશાત્ આપને પૂછું છું.” | ધારશીભાઈએ કહ્યું, “હા, મારે એમની સાથે કોઈ સીધો સંબંધ નથી, પણ કંઈક રાજ ખટપટ ચાલે છે તે અંગેનો કંઈક સંબંધ છે ખરો.” બાળ શ્રીમદે વડીલ ન્યાયાધીશ ધારશીભાઈને ચેતવતા કહ્યું, “જો એમ હોય તો તમારે સાવધાન રહેવું જોઈએ, કારણ કે તેઓ લાગ મળે તો તમને ‘ઠેકાણે કરી દેવા માગે છે.” ઊંડા આશ્ચર્યમાં ડૂબેલા ધારશીભાઈએ પૂછ્યું, આપને કઈ રીતે ખબર પડી કે તેઓ માટે વિશે જ વિચાર કરે છે.” બાળ શ્રીમદ્ બોલ્યા, “જુઓ, હું મોસાળ પહોંચ્યો. મામાઓએ મને પૂછયું કે તું કોની સંગાથે અહીં આવ્યો. ત્યારે મેં તમારું નામ આપ્યું. તમારું નામ સાંભળતાં જ બંને મામાઓ સંતલસ કરવા લાગ્યા. હું ભોજન કરતો હતો તે ખંડની બહાર ઊભા ઊભા તેઓ ઊંચા અવાજે આ પ્રકારની વાતો કરતા હતા. એના પરથી મને લાગ્યું કે તેઓ તમારો ઘાટ ઘડવાનો વિચાર કરે છે.” ન્યાયાધીશ ધારશીભાઈએ વધુ એક તર્ક લડાવતાં પૂછયું, “તમારી હાજરીમાં આવી વાત કરે ખરા ?” બાળ શ્રીમદે કહ્યું, “તેઓ એમ માનતા હશે કે આ બાળકને શી ખબર પડે ? પણ એમની વાતોના પૂર્વાપર સંદર્ભથી હું બધું સમજી ગયો. તેઓ લાગ જોઈને તમને ઠેકાણે કરી દેવા કશું કરે તે પૂર્વે હું તમને સાવધ કરવા આવ્યો છું. વળી મામાઓને દુષ્કૃત્યથી બચાવવા પણ આવ્યો છું.” | બાળ શ્રીમદુની આવી નિખાલસ વાત સાંભળીને ધારશીભાઈ એમનો અગાધ ઉપકાર માનવા લાગ્યા. ખરેખર આવા મહાત્માને મારી સંગાથે લાવ્યો તેનો કેવો અપૂર્વ લાભ મળ્યો ! ધારશીભાઈ હૃદયથી આ બાળકની મહત્તાને વંદન કરી રહ્યા. કચ્છથી નીકળેલા હેમરાજભાઈ અને માલશીભાઈ વવાણિયા અને મોરબી થઈને રાજકોટ આવતા હતા. બાળ શ્રીમદે એમની અતીન્દ્રિય જ્ઞાનશક્તિથી જાણ્યું કે પોતાના પ્રત્યેની ભાવનાને કારણે બે કચ્છી ભાઈઓ સાંઢણી પર સવાર થઈને લાંબો પંથ ખેડીને એમને શોધતા આવી રહ્યા છે. બાળ શ્રીમદે ધારશીભાઈને કહ્યું, કચ્છથી બે ભાઈઓ આવવાના છે તેમના ઉતારાની સગવડ તમારે ત્યાં બની શકશે ?” ધારશીભાઈએ કહ્યું કે, “એમની બધી જ સગવડ થઈ શકશે.” આની પાછળ શ્રીમદ્રની સૂક્ષ્મ વિવેકદૃષ્ટિ હતી. પોતાને કાજે આટલો બધો પરિશ્રમ ઉઠાવનાર પોતાના મહેમાન ગણાય અને એમની બધી સગવડ કરવી જોઈએ. એથીયે વિશેષ આવા અતિથિઓનું સ્વાગત કરવા માટે તેઓ જે રસ્તેથી આવવાના હતા તે રસ્તા તરફ શ્રીમદ્ ગયા. સાંઢણી-સવાર હેમરાજભાઈએ દૂરથી જોયા અને અનુમાન કર્યું કે નક્કી આ જ મહા પ્રતિભાવાન બાળક છે. સાંઢણી પરથી તેઓ નીચે ઊતર્યા કે શ્રીમદે કહ્યું. “કેમ છો હેમરાજભાઈ ! કેમ માલશીભાઈ !” આ બે કચ્છી ભાઈઓ તો સ્તબ્ધ થઈ ગયા. For Pengal Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ TUY or Personal Plate Only Jan Education International nelbary.org Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૬. અતીન્દ્રિય જ્ઞાન.દક્તિ હેમરાજભાઈ અને માલશીભાઈને પારાવાર આશ્ચર્ય થયું કે સાવ અપરિચિત એવાં એમનાં નામ શ્રીમદ્જીએ કઈ રીતે જાણ્યાં ? આ માર્ગેથી સાંઢણી પર સવાર થઈને તેઓ આવી રહ્યા છે તેવો ખ્યાલ કઈ રીતે આવી ગયો ? તેમણે શ્રીમદ્દને આ અંગે પૂછયું ત્યારે એમણે એટલું જ કહ્યું, “આત્માની અનંત શક્તિઓ છે તે દ્વારા અમે જાણીએ છીએ.” | એ પછી શ્રીમદ્ પોતાના આ અતિથિઓને ધારશીભાઈના ઉતારે લઈ ગયા. ધારશીભાઈએ એમની સરભરા કરી. બંને કચ્છી ભાઈઓએ શ્રીમદ્ સાથે એકાંતમાં વાતચીત કરવાની ઇચ્છા દર્શાવી. ધારશીભાઈએ એમને માટે અનુકુળ સ્થાનની વ્યવસ્થા કરી આપી. આ બંને કચ્છી ભાઈઓએ બાળ શ્રીમદ્રની સ્મૃતિશક્તિ, વાકછટા, કવિતાશક્તિ તથા એમના ચમત્કારોની ઘણી વાતો સાંભળી હતી. એ શક્તિનો પરચો પ્રત્યક્ષ પામવાની એમની ઇચ્છા હતી, આથી તેઓ ‘સંઘપક’ નામના ગ્રંથની એક ગાથા લાવ્યા હતા. એના અક્ષરો લોમવિલોમ સ્વરૂપમાં, આડાઅવળા સંભળાવ્યાં. શ્રીમદે એ પોતાની સ્મૃતિમાં સાચવ્યા અને પછી પોતાની સ્મૃતિમાં જ એને બરાબર ગોઠવીને આખો શ્લોક કહી સંભળાવ્યો. કેવું આશ્ચર્ય ! એમની આ શક્તિ જોઈને ક્ષણભર તો આ કચ્છી ભાઈઓને થયું કે આવી અસાધારણ બુદ્ધિ-શક્તિ ધરાવતી વ્યક્તિને કાશી મોકલવાનો અને કશું ભણાવવાનો અર્થ ખરો ? આમ છતાં પોતે આ હેતુ માટે આવેલા હોવાથી રાયચંદભાઈને વાત કરી, “ભારતના પ્રસિદ્ધ વિદ્યાધામ કાશીમાં જઈને આપ સરસ્વતીની આરાધના કરો. અમે આપની અને આપના કુટુંબની સઘળી જવાબદારી ઉપાડીશું.” બાળ શ્રીમદે “અમારાથી આવવાનું નહીં બને” એમ કહીને સ્પષ્ટ રૂપે ના પાડી. કચ્છી ભાઈઓના મનમાં તો એમ હતું જ કે આવા લોકોત્તર પુરુષને કાશી મોકલીને કશો ફાયદો થાય તેમ નથી. એ પછી હેમરાજભાઈ અને માલશીભાઈ ન્યાયાધિકારી ધારશીભાઈ પાસે આવ્યા. કચ્છી ભાઈઓએ કહ્યું કે, “અમારું અહીં આવવાનું પ્રયોજન અને હેતુ નિષ્ફળ ગયાં છે.” ધારશીભાઈએ પૂછ્યું, “તમારું પ્રયોજન અને ધારણા શું હતાં ?” હેમરાજભાઈએ એમના પ્રસ્તાવની અને શ્રીમદે કરેલા અસ્વીકારની વાત કરી. સાથોસાથ એમ પણ કહ્યું કે એમને ખબર નહોતી આપી તેમ છતાં જ્ઞાનબળથી જાણીને શ્રીમદ્ સામે ચાલીને એમને લેવા આવ્યા. પૂર્વે કોઈ પરિચય નહોતો, એમને જોયા પણ નહોતા, આમ છતાં બાળ શ્રીમદે અમને નામ દઈને બોલાવ્યા. ધારશીભાઈએ પણ પોતાના અનુભવની વાત કરી. એમણે કહ્યું કે બે કચ્છી ભાઈઓ આવી રહ્યા છે તેવો ખ્યાલ શ્રીમને આવી ગયો હતો અને તેથી જ એમને અતિથિ ગણીને બધી સગવડ આપવા માટે એમને કહ્યું હતું. ધારશીભાઈને પહેલાં એમ લાગ્યું કે છેક કચ્છથી અહીં આવીને કાશીમાં વિદ્યાભ્યાસ કરવાની સગવડ આપવાની અને કુટુંબની સઘળી જવાબદારી ઉપાડવાની તૈયારી સાથે આવેલા આ ભાઈઓને શ્રીમદ્ ના શા માટે પાડે છે, પરંતુ ધારશીભાઈને સમજાયું કે બાળ શ્રીમદ્ તો જ્ઞાનના સાગર છે. માત્ર કોઈને એનો ખ્યાલ આપવા ઇચ્છતા નથી. એમના જ્ઞાનાદિ ગુણોનું અચિંત્ય માહાભ્ય ધારશીભાઈને સમજાયું. પોતાના મોસાળથી શ્રીમદ્ વવાણિયા પાછા ફર્યા ત્યારે એમને મોસાળમાંથી ભાતારૂ પે મીઠાઈનો એક ડબ્બો ભરી આપ્યો હતો. શ્રીમદ્ મામાઓની અને ધારશીભાઈની રજા લઈને વવાણિયા જવા નીકળ્યા, પરંતુ એમની પાસે રાજકોટથી વવાણિયા જવા માટે ગાડી ભાડાના પૈસા નહોતા. પરંતુ કોઈની પાસે હાથ તો લાંબો કરે નહિ. ભાતાની મીઠાઈ કંદોઈને વેચીને ગાડીના ભાડા પૂરતા પૈસા મેળવ્યા. For Personal Private Us On Page #49 -------------------------------------------------------------------------- ________________ Narendra Jan Edu International For Personal Private Ube Only NO Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૭. અગમના એંધાણ આત્માની અનંત શક્તિઓને કારણે બાળ શ્રીમદ્દ ભવિષ્યમાં બનનારી ઘટનાને જોઈ શકતા હતા. હેમરાજભાઈ અને માલશીભાઈ સાથેના પ્રસંગમાં એમની અતીન્દ્રિય શક્તિનો પરિચય મળ્યો. નિશાળના શિક્ષકોએ જેમ માન્યું કે આ બાળકને શું ભણાવી શકાય ? એ તો બધું ભણી ચૂક્યો છે. ધારશીભાઈએ જાણ્યું કે આ બાળક તો એની અતીન્દ્રિય શક્તિથી કશીયે જાણ વિના આવી રહેલા મહેમાનોનો સંકેત પણ મેળવે છે. ઊંચી ભાવના સાથે આવેલા હેમરાજભાઈ અને માલશીભાઈને તો પ્રથમ પ્રસંગે જ બાળ શ્રીમની આત્મશક્તિનો અનુભવ થયો. વવાણિયામાં રહેતા શ્રીમમાં લઘુ વયમાં જ અનેક પ્રકારની અદૂભુત શક્તિઓ ખીલી ઊઠી હતી. પૂર્વજન્મનો સંસ્કાર-વારસો લઈને આવેલા શ્રીમદે એ જ્ઞાનવારસાને વધુ ઉજ્વળ બનાવ્યો હતો. જન્મક્ષેત્ર વવાણિયામાં અને પછી મોરબીમાં જેટલું ધર્મસાહિત્ય ઉપલબ્ધ હતું તે બધું જ થોડા સમયમાં વાંચી નાંખ્યું હતું બાળ શ્રીમદ્ પોતાના નિર્મળ અતીન્દ્રિય જ્ઞાનથી ભાવિમાં બનનારી ઘટનાઓનાં એંધાણ મેળવી શકતા હતા. એમાં પણ કોઈને ભવિષ્યમાં આફત આવવાની હોય તો કરુણાસાગર શ્રીમદ્ એને વખતસર ચેતવી દેતા. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુની વેદના જાણીને એને માટેય કરુણા-સભર શ્રીમદ્દનું હૃદય માનવીને માટે તો કેટલું બધું દયાળુ હોય ! કોઈ વ્યક્તિ પર આવનારી આફતની જાણ થાય તો એને ઉગારી લેવા તેઓ તત્પર બની જતા. વવાણિયા ગામમાં ગરાસિયા બાપુ રહે, રોજ ઘોડી પર બેસીને ફરવા નીકળે. એક વાર તેઓ આ રીતે ફરવા જતા હતા ત્યારે શ્રીમદે કહ્યું, “બાપુ, આજે તમે ઘોડી લઈને ફરવા ન જશો.’ ગરાસિયા બાપુને આશ્ચર્ય થયું. જિંદગીનો એક દિવસ પણ એવો નહોતો ગયો કે એ ઘોડી લઈને ગામ બહાર ફરવા ન ગયા હોય ! આથી એમણે બાળ શ્રીમની વાત કાને ધરી નહીં. શ્રીમદે ફરી એમને અટકાવ્યા અને કહ્યું, “બાપુ, આજે ઘોડી પર બેસીને ગામ બહાર ફરવા જવાનું રહેવા દો તો સારું.” ગરાસિયા બાપુએ કહ્યું, “કેમ આજે ફરવા ન જાઉં ? આ જાતવાન ઘોડી છે. વર્ષોથી એના પર બેસીને ગામ બહાર ફરવા જાઉં છું. તો પછી વાંધો શું ?” બાળ શ્રીમદે લાગણીભેર કહ્યું, “બાપુ, ભલે તમે જતા હો; પણ આજે રહેવા દો.” ગરાસિયા બાપુએ કહ્યું, “અરે ! એમ પાછા ફરે તે બીજા. ડર વળી શેનો રાખવાનો ? આવજો ત્યારે રામ રામ.” ગરાસિયા બાપુ ઘોડી લઈને ગામ બહાર નીકળ્યા. એવામાં ઘોડી તોફાને ચડી, બાપુએ એને વશમાં લેવા ઘણા પ્રયત્ન કર્યા, પણ સહેજે કાબૂમાં ન આવી. ઘોડીએ બાપુને ઉછાળ્યા અને જમીન પર પછાડ્યા. જોરથી જમીન પર પટકાયા. ગામમાં ખબર પહોંચી. એમનાં સગાંઓ દોડતાં આવ્યાં અને જોયું તો બાપુનાં હાડકેહાડકાં ભાંગી ગયાં હતાં. વેદનાથી ચીસો પાડતા હતા. એમનાં સગાંઓ ચોફાળ લાવ્યા અને ચાર જુવાનિયાઓ ચોફાળ ઊંચકીને બાપુના દેહને ગામમાં લાવ્યા. થોડી વારમાં તો બાપુનું પ્રાણપંખેરું ઊડી ગયું. | બાળ શ્રીમદ્રના કરુણાદ્ધ હૃદયે આ જાણ્યું ત્યારે એમને દુ:ખ થયું. ગરાસિયા બાપુએ એમની વાત માની હોત તો આવી હાલત થઈ ન હોત. Jain Boucation national FO PER & Pre Use brary Page #51 -------------------------------------------------------------------------- ________________ - in Education thatnational For Personally Private Libe Caly www.norba Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૮. બાહ્ય વેપાર અને આંતરિક વ્યાપાર શ્રીમદના દાદા પંચાણભાઈની આર્થિક સ્થિતિ ઉત્તરોત્તર નબળી પડતી ગઈ. એ જમાનાની રીત મુજબ બાપની દુકાન દીકરો સંભાળે તેમ રવજીભાઈએ દુકાન સંભાળી. એક તો ગામ નાનું અને એમાં વેપાર ઓછો થઈ ગયો. બીજી બાજુ રવજીભાઈને માથે વૃદ્ધ માતા-પિતા ઉપરાંત પત્ની, બે પુત્રો અને ચાર પુત્રીઓનો પરિવાર નિભાવવાની જવાબદારી હતી. બહોળો કુટુંબ-પરિવાર અને આવકનાં ઘસાતાં જતાં સાધનો. આને કારણે તો પંચાણભાઈના અવસાન પછી કારજ કરવા માટે દેવબાઈનાં ઘરેણાં વેચવા પડ્યાં હતાં. એ જમાનામાં મોભા અને રિવાજ પ્રમાણે કારજ કરવું પડતું. એને માટે લોકો દેવું પણ કરતા. આમ, તેરમા વર્ષે કુટુંબની પરિસ્થિતિને કારણે શ્રીમદ્ દુકાનની જવાબદારી સંભાળવી પડી. પિતાના કામકાજમાં મદદરૂપ થવું પડ્યું. આટલી તેજસ્વિતા અને આવી અપ્રતિમ બુદ્ધિશક્તિ હોવા છતાં બાળ શ્રીમદે માતાપિતાના ઋણને સ્વીકાર્યું. એમના પ્રત્યેની પોતાની ફરજને પરમ કર્તવ્ય માન્યું અને તેથી તેર વર્ષના શ્રીમદે અભ્યાસ છોડીને દુકાને બેસવાનું સ્વીકાર્યું. શ્રીમદે બાહ્ય વેપાર કરતાં કરતાં આંતરિક આત્મ વસ્તુનો વેપાર વધારવા માંડ્યો. વિચારમંથન કરતાં એમણે જોયું કે જૈન ધર્મમાં ‘સાચું તે જ મારું’ એવી વિચારધારા છે. ‘મારું તે જ સાચું’ એવો એકાન્તિક આગ્રહ નથી. જૈન ધર્મના પ્રતિક્રમણ સૂત્ર ઇત્યાદિ પુસ્તકોમાં આલેખાયેલી સર્વ જગત-જીવ પ્રત્યેની મિત્રતામાં એમને ઊંડો રસ પડ્યો. એવામાં કંઠી તૂટી ગઈ અને ફરી તેમણે બાંધી નહીં. કંઠી બાંધવા-ન બાંધવાનું કંઈ કારણ પણ શોધ્યું નહીં. સત્યના આગ્રહી શ્રીમના જૈનધર્મ પ્રત્યેના પૂર્વગ્રહો દૂર થયા અને જૈન ધર્મ પ્રત્યેનું આકર્ષણ વધતું ગયું. અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવા તેમજ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરવાનો મૂળ સનાતન ધર્મનો માર્ગ લોકોને દર્શાવવાની ભાવના જાગી. | તેર વર્ષના બાળ શ્રીમદૂના અક્ષર એટલા સુંદર અને મરોડદાર હતા કે કચ્છ દરબારના ઉતારે એમને નકલો કરવા બોલાવવામાં આવતા અને તેઓ જતા હતા. દુકાનમાં બેસીને અનેક પુસ્તકો વાંચ્યાં. કાવ્યરચનાઓ કરી. વેપાર પૂરેપૂરી નીતિમત્તા અને પ્રમાણિકતાથી કરતો, કોઈને ઓછો-અધિક ભાવ કહેતા નહીં. એમણે ક્યારેય કોઈને ઓછું-અધિકું તોળી દીધું નથી. એમની આ રીતમાં એમના શુદ્ધ પવિત્ર હૃદયનું મનભર પ્રતિબંબ જોવા મળે છે. આ સમયે શ્રીમદ્દને વારંવાર પોતાના ફૈબાને ઘેર મોરબી જવું પડતું. અહીં તેમની પડોશમાં વસતા ધર્મનિષ્ઠ પોપટભાઈ શ્રીમદ્ મોરબી આવે ત્યારે તેમનો સત્સંગ કરતા. શ્રીમદ્ પાસેથી જૈન આગમગ્રંથોનો અપૂર્વ ભાવાર્થ સાંભળીને વયોવૃદ્ધ પોપટભાઈ તેમનો આદર કરતા. એમના પુત્ર વિનયચંદ દફતરી મોરબી, અમદાવાદ વગેરે શહેરોનાં ગ્રંથાલયોમાંથી પુસ્તકો મેળવી આપીને શ્રીમને સહાયરૂપ થતા. આમ પિતા-પુત્ર બંને શ્રીમના અંગત સ્નેહીઓ બન્યા, એટલું જ નહીં પણ એમનું ઘર એ શ્રીમદ્દનું વાંચનાલય, લેખનાલય અને પુસ્તકાલય બન્યું. તેરથી સોળ વર્ષનો શ્રીમદૂનો સમય એ ધર્મમંથનનો સમય છે. અનેક ધર્મગ્રંથોના અવગાહન પછી પોતાને સાંપડેલા ધર્માનુભવનો લાભ બીજા અનેક જીવોને પણ મળે તેવી તમની ભાવના હતી. જૈન આગમો અને જૈન શાસ્ત્રગ્રંથો રચનાર પ્રત્યે શ્રીમદૂને અખૂટ શ્રદ્ધા હતી અને તેથી જ વારંવાર તેઓ પોતાના ગ્રંથોમાં એમની રચનાઓમાંથી અવતરણો આપીને સમજાવતા હતા. સ્નાન કર્યા પછી બે-ત્રણ કલાક સુધી સુત્રો વાંચતા. એ એવી રીતે કે એક પાનું લીધું, બીજું ફેરવ્યું એમ અનુક્રમે પાનાં ફેરવી જતા, અને પછી સડસડાટ બોલી જતા. શ્રીમદે માત્ર ગુજરાતી ભાષાનો જ અભ્યાસ કર્યો હતો તેમ છતાં તે ગમે તે ભાષા વાંચી શકતા બોલી શકતા અને વિવેચન કરી શકતા હતા. al Education Interational Fbe Personal & Private Use ou Page #53 -------------------------------------------------------------------------- ________________ POPULLO Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧૯. બહુ પુણ્ય કેરા પુંજથી મહાવીરના મૂળ માર્ગની વિશેષતા સમજાયા બાદ શ્રીમદ્જીએ “મોક્ષમાળા ની રચના કરી. મોક્ષમાર્ગમાં ઉપયોગી વૈરાગ્ય, ઉપશમ અને વિવેક વિશે એમણે વિસ્તારથી આલેખન કર્યું. માત્ર સોળ વર્ષ અને પાંચ મહિનાની વયે શ્રીમદે આ સર્જન કર્યું. જૈન ધર્મની બાર ભાવનાનું ઊંડાણપૂર્વક અને માર્મિકતાથી સ્વરૂપ સમજાવ્યું. આશ્ચર્યજનક હકીકત તો એ છે કે એમણે આ જન્મમાં કદી સંસ્કૃત કે પ્રાકૃતનો અભ્યાસ કર્યો નહોતો, તેમ છતાં માત્ર સવા વર્ષમાં બધા આગમોનું અવગાહન કરીને એના વિચારોહનરૂપે “મોક્ષમાળા'ની રચના કરી. વળી માત્ર ત્રણ જ દિવસમાં આવી ગંભીર અને ગહન કૃતિનું સર્જન કર્યું. વળી શ્રીમદે પોતે જણાવ્યું કે “મોક્ષમાળાના ૬૭માં પાઠ પર શાહી ઢોળાઈ જતાં એ પાઠ ફરી લખવો પડ્યો અને એ સ્થાને ‘બહુ પુણ્ય કેરા પુંજથી’ નામનું તત્ત્વવિચારના અણમોલ મોતી સમું કાવ્ય લખી દીધું. આ કૃતિમાં શ્રીમદ્ મનુષ્યભવની દુર્લભતા દર્શાવીને મનુષ્યભવ વ્યર્થ વેડફાઈ ન જાય તે સામે સાવધ કરે છે. કાલ્પનિક સુખો શોધવા પાછળ સાચું સુખ કે મોક્ષસાધન રહી ન જાય તે માટે જાગ્રત કરે છે. સંસારમાં સંપત્તિ, અધિકાર કે પરિવારની વૃદ્ધિને જ મનુષ્યભવની સિદ્ધિ માનનાર વ્યક્તિ આ ભવ સાવ હારી જાય છે. | તત્ત્વપિપાસુ જો શાંતભાવે, ‘હું કોણ છું ?’ ‘ક્યાંથી થયો ?’ ‘મારું સાચું સ્વરૂપ શું ?’ ‘કોના સંબંધે વળગણા છે. તે રાખું કે હું પરહરું ?” એવા સહેજ પ્રશ્નોનો શાંતભાવે વિચાર કરે તો એને આત્મતત્ત્વનો અમુલખ ભંડાર મળી જાય છે. આત્માનુભવી પુરુષના વચન પર શ્રદ્ધા રાખવાથી આત્મસ્વરૂપ પ્રાપ્ત થાય. કૃપાળુદેવે જિનેશ્વર ભગવંતની ભક્તિનો ઉપદેશ આપીને એનાથી કઈ રીતે ભવભ્રમણનો અંત આવી શકે એનું “મોક્ષમાળા 'માં માર્મિક આલેખન કર્યું છે. અનેક જન્મોના અથાગ પ્રયત્ન મળતી વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. અહીં શ્રીમદ્દનું નિર્મળ, નિર્લેપ અને નિર્વિકારી એવું તત્ત્વરસિક હૃદય સર્વસંગ-પરિત્યાગની વાત કરે છે. આ “મોક્ષમાળા'ના સર્જનનું નિમિત્ત તો વવાણિયાના ઉપાશ્રયમાં પધારેલા ત્રણ મહાસતીજીઓ છે. આ મહાસતી ઓએ મહાજ્ઞાની શ્રીમદૂની અસાધારણ શક્તિઓની વાત સાંભળી હતી, તેથી એમને શ્રીમદ્ પાસેથી ધર્મચિંતન સાંભળવાની ઇચ્છા જાગી. મહાસતીજીઓએ વવાણિયાના પોપટલાલભાઈ સમક્ષ પોતાની આ ઇચ્છા પ્રગટ કરી. પોપટલાલભાઈએ શ્રીમદૃને આ વાત કહી ત્યારે એમણે કહ્યું કે કબાટમાંથી જૈન આગમ ‘સુયગડાંગ સુત્ર' કાઢીને મહાસતીજીઓને આપી આવો અને બપોરે બે વાગે આપણે તેમના ઉપાશ્રયે જ ઈશું. શ્રીમદ્ સમયસર ઉપાશ્રયમાં ગયા. મહાસતીજીઓ પાટ પર બેઠા હતા. શ્રીમદ્ નીચે બેઠા હતા, પરંતુ શ્રીમદે ‘સૂયગડાંગ સુત્ર'માંથી બે બે ગાથાઓ વાંચીને અદ્દભુત વિવેચન કર્યું. મહાસતીજીઓએ આવું વિવેચન કદી કોઈની પાસેથી સાંભળ્યું નહોતું, તેથી તેઓ આદરપૂર્વક ઊભા થઈ ગયા અને શ્રીમદૂને પાટ પર બેસવા કહ્યું. આ સમયે શ્રીમદે કહ્યું કે અમારે વ્યવહાર સાચવવો જોઈએ. અમે નીચે બેઠા છીએ તે બરાબર છે. - આ મહાસતીજીઓએ કહ્યું કે અર્ધમાગધી ભાષામાં લખાયેલાં ધર્મનાં સૂત્રો અમને સમજાતાં નથી, તો અમને જ્ઞાન મળી શકે તેવો કંઈક ઉપાય કરો. શ્રીમદે એમને માટે કંઈક લખી આપવાનું વચન આપ્યું અને એમાંથી વીતરાગ માર્ગ પર આબાલવૃદ્ધિની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય, તેનું બીજ હૃદયમાં રોપાય એવા હેતુથી, મધ્યસ્થતાથી “મોક્ષમાળા'ની રચના કરી. મહાસતીજીઓ જ્યાં સુધી ઉપાશ્રયમાં રહ્યા, ત્યાં સુધી શ્રીમદ્ રોજ ઉપાશ્રયમાં આવીને તેઓને આગમસૂત્રો સમજાવતા. Jan Edition internatio ForPortal Private Us Oy Page #55 -------------------------------------------------------------------------- ________________ 228 For Personal & Private Use Only www.jainelibrary Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨૦. શતાવધાની કવિ અનુપમ, તત્ત્વપૂર્ણ ‘મોક્ષમાળા’ના રચનાકાળ પૂર્વે થોડા મહિના અગાઉ વિ. સં. ૧૯૪૦માં શ્રીમદૂના અવધાન-પ્રયોગોનો પ્રારંભ થયો. સોળ વર્ષના શ્રીમદ્ મોરબી આવ્યા હતા અને તે સમયે એક ઉપાશ્રયમાં શ્રી શંકરલાલ માહેશ્વર શાસ્ત્રીના અષ્ટાવધાનનો પ્રયોગ યોજાયો હતો. શ્રીમને પણ અષ્ટાવધાનના પ્રયોગો જોવા નિમંત્રણ મળ્યું હતું. આ અષ્ટાવધાનનો પ્રયોગ જેવો જોયો, તેવો જ એમણે એમની અસાધારણ શક્તિથી શીઘ્ર ગ્રહણ કરી લીધો. બીજા જ દિવસે મોરબીના વસંતબાગમાં અંગત મિત્રમંડળ સમક્ષ નવા નવા વિષયો લઈને શ્રી શંકરલાલ શાસ્ત્રીના પ્રયોગોને ઝાંખા પાડી દે તેવા અષ્ટાવધાનના પ્રયોગો કર્યા. સહુ આશ્ચર્યચકિત થઈ ગયા. એમના મિત્રો તો એટલા બધા આનંદથી છલકાઈ ગયા કે આખા મોરબી ગામમાં આની ખબર પહોંચાડી દીધી. બીજા દિવસે એ જ ઉપાશ્રયની ભૂમિમાં ૨૦૦૦ પ્રેક્ષકોની સમક્ષ બાર અવધાનોનો અદ્વિતીય પ્રયોગ કરી બતાવ્યો. આશ્ચર્યકારી અને ચમત્કારિક સ્મરણશક્તિને કારણે શ્રીમદ્દ્ની કીર્તિ ચોતરફ ફેલાવા લાગી. અત્યાર સુધી શ્રીમદ્ કવિ અને વિદ્વાન તરીકે પ્રસિદ્ધ હતા. હવે એમની ખ્યાતિ અદ્ભુત સ્મરણશક્તિને કારણે ખૂબ ઝડપથી ફેલાવા લાગી. જામનગરમાં વિદ્વાનોની સમક્ષ બાર અને સોળ અવધાન કરી બતાવ્યા. આ જોઈ પ્રેક્ષકોમાં અપાર આનંદ અને આશ્ચર્ય વ્યાપી વળ્યાં. અહીં ઉપસ્થિત બે વિદ્વાનો આઠ-દસ વર્ષ સુધી મહેનત કરવા છતાં અવધાન કરી શક્યા નહોતા. એમણે કિશોર શ્રીમદૂની શક્તિઓને અતિ પ્રસન્નતા સાથે વધાવી લીધી. એમને ‘હિંદના હીરા’નું બિરુદ અર્પણ કરવામાં આવ્યું. એ પછી વઢવાણમાં એમણે કર્નલ એચ. એલ. નટ નામના અંગ્રેજ અધિકારી, અન્ય રાજ-રજવાડા અને મંત્રીમંડળની સમક્ષ આશરે ૨૦૦૦ પ્રેક્ષકોની જંગી મેદની આગળ સોળ અવધાન કરી બતાવ્યા. અસાધારણ શક્તિ જે દિશામાં વહે છે, તે દિશામાં એક પછી એક ઉત્તુંગ શિખર સર કરે છે. વઢવાણના પ્રયોગોને કારણે ગુજરાતી, અંગ્રેજી અનેક સામયિકોમાં શ્રીમના અવધાન પ્રયોગનાં વર્ણન વિગતવાર પ્રગટ થયાં. એ પછી બોટાદમાં કશીય પૂર્વતૈયારી વિના એક લક્ષાધિપતિ મિત્ર હરિલાલ શિવલાલ સમક્ષ બાવન અવધાન કરી બતાવ્યા. ક્યાં સોળ અવધાન ને ક્યાં બાવન અવધાન ! આ બાવન અવધાનમાં ત્રણ જણ સાથે ચોપાટ રમવી, ગંજીપો રમવું, મનમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરવાં – નવી કાવ્ય-સમસ્યાઓ પૂર્ણ કરવી અને નવા વિષયો માગેલા કાવ્યવૃત્તમાં રચવા. ગ્રીક અરબી, લૅટિન, અંગ્રેજી, સંસ્કૃત, ઉર્દૂ, બંગાળી, મરાઠી, મરુ, જાડેજી વગેરે સોળ ભાષાના અનુક્રમ વગરના ચારસો શબ્દને કર્તા-કર્મસહિત, અનુક્રમ સહિત કરી આપવા, વચ્ચે બીજાં કામો પણ કર્યે જવાં – આવી બાબતોનો સમાવેશ થતો હતો. એક વિદ્વાને તો તેમની શક્તિ જોઈને એવી ગણતરી કરી કે એક કલાકમાં તેઓ પાંચસો શ્લોક સ્મરણમાં રાખી શકે છે. વિ. સં. ૧૯૪૩માં મુંબઈમાં શ્રીમદે શતાવધાન (એકસો અવધાન) કરવાની શક્તિનો પરિચય આપ્યો. ફરામજી કાવસજી ઇન્સ્ટિટ્યૂટ તેમજ અન્ય સ્થળોએ એકસો અવધાન કરવાની શક્તિથી એમણે સહુ કોઈને મુગ્ધ કર્યા. એમનાં આવાં કાવ્યોમાં શ્રીમદ્દની નૈસર્ગિક પ્રતિભા સાથે કવિ-પ્રતિભા ઝળકી ઊઠે છે. મુંબઈમાં શતાવધાન કરનાર ઓગણીસ વર્ષના શ્રીમદ્જીની અદ્ભુત શક્તિથી ડૉ. પિટરસન અને મુંબઈની હાઇકૉર્ટના ન્યાયમૂર્તિ સર ચાર્લ્સ સારજન્ટ નવાઈ પામ્યા અને આવી શક્તિનું રહસ્ય પૂછતાં શ્રીમદે કહ્યું, “અંતઃકરણની શુદ્ધિ સિવાય આ થઈ શકે નહીં. શિખવાડ્યું આવડે તેમ નથી.” આ રીતે શ્રીમદ્ શતાવધાની કવિ તરીકે મુલ્કમશહૂર બન્યા. Jain Education tornational For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ परम कृपाळु देवनी जन्म कुंडली ७५ रा. X३ शर.मं.बु.शु.X ब.११क.Xच १०१२ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨૧. પરમાર્થદૃષ્ટિ તે પરમ ધ્યેય ત્વરિત કવિત્વશક્તિ, વિરલ સ્મરણશક્તિ તથા પ્રખર અવધાનશક્તિ સાથે શ્રીમદ્ અલૌકિક સ્પર્શેન્દ્રિય ધરાવતા હતા. આંખે પાટા બાંધવા છતાં માત્ર હાથના સ્પર્શથી પુસ્તકોનાં નામ ક્રમબદ્ધ કહી શક્તા હતા, રસોઈને ચાખ્યા વિના માત્ર જોઈને જ તેમાં મીઠું ઓછું કે અધિક છે અથવા સમુળગું નથી તે પારખી શકતા હતા. - જેના રોમેરોમમાં વૈરાગ્ય અને ભક્તિ વ્યાપી ગયાં હતાં અને જેના હાડોહાડમાં સાચો, નિર્દભ ધર્મરંગ લાગી ગયો હતો તેવા યુવાન શ્રીમદ્ યશોગાન કરતી માનવમેદની વચ્ચે પણ શાંત, સૌમ્ય, અડોલ અને ગાંભીર્ય ધારણા કરીને આસપાસ સર્જાતી સઘળી ઘટનાઓને નિહાળતા હતા. વિભૂતિના અતીન્દ્રિય અંતર્મુખપણાનું એમાંથી પ્રમાણ મળતું હતું. | મુખ્ય ન્યાયમૂર્તિ સર ચાર્લ્સ સારજન્ટે ઇંગ્લેન્ડમાં આવા પ્રયોગો કરવાનું સૂચન કર્યું. વળી કહ્યું કે કદરદાન અંગ્રેજ પ્રજા એમની શક્તિને યોગ્ય રીતે પ્રમાણશે. આ સુચને શ્રીમદ્ના હૃદયમાં વિચાર પ્રેર્યો કે એમાંથી લૌકિક સિદ્ધિ અને પ્રતિષ્ઠા તો મળે, પણ મારા જીવનનું ક્યાં એ પ્રયોજન છે? આવી સમૃદ્ધિ, અપાર નામના, આટલી બધી મહત્તા અને આવી ઝડપી ખ્યાતિ તો આત્મસાધનામાં બાધારૂ ૫ ગણાય, આથી એમણે ક્ષણનોય વિલંબ વિના સર ચાર્લ્સ સારજન્ટના સુચનનો અસ્વીકાર કર્યો, એટલું જ નહીં, કિંતુ તત્કાળ આવા પ્રયોગો પણ બંધ કરી દીધા. શતાવધાનના આ પ્રયોગ પ્રસંગે મુંબઈના અગ્રગણ્ય જ્યોતિષીઓ ઉપસ્થિત હતા. આવી અલૌકિક શક્તિ ધરાવનારી વિભૂતિ કોણ છે એ જાણવાનું અને તપાસવાનું આ જ્યોતિષીઓને સહેજપણે કુતૂહલ થયું. દસ વિદ્વાન જ્યોતિષીઓએ મળીને શ્રીમદના ગ્રહ જોયા અને એ ગ્રહ પરમેશ્વરના ગ્રહ હરાવ્યા. | તજ્જ્ઞ જ્યોતિષીઓને મળવાનું થતાં શ્રીમદ્દ જ્યોતિષવિજ્ઞાન જાણવાનું સાધન પ્રાપ્ત થયું. જ્યોતિષીઓ પાસેથી એમણે જ્ઞાન મેળવ્યું, પણ ધીરે ધીરે તેઓ એમના કરતાં પણ જ્યોતિષવિદ્યાના ઊંડા અભ્યાસી બની ગયા. આ જન્મમાં એમણે સંસ્કૃત કે માગધી જેવી ભાષાઓનો અભ્યાસ કર્યો નહોતો, તેમ છતાં પૂર્વસંસ્કારના બળે આ ભાષામાં લખાયેલા ગ્રંથોનું અવગાહન કર્યું. વળી અપ્રાપ્ય ગણાતા ભદ્રબાહુસ્વામી કૃત ‘ભદ્રબાહુસંહિતા' જેવા જ્યોતિષવિજ્ઞાનના અપૂર્વ – અલભ્ય ગ્રંથને તેઓ વાંચી ગયા. શ્રીમદૃના આ અસાધારણ જ્યોતિષવિજ્ઞાનની ખ્યાતિ સર્વત્ર પ્રસરી પણ ધીરે ધીરે જ્યોતિષની બાબતમાં એમને ફળાદેશ પૂછવા આવનારાઓની સંખ્યા વધી ગઈ. શ્રીમદની પ્રવૃત્તિ તો પરમાર્થ માર્ગની હતી. એને બદલે સ્વાર્થ અને ભૌતિક લાભ ઇચ્છનારાઓ આવવા લાગ્યા એમને આ પ્રવૃત્તિ પોતાના અધ્યાત્મમાર્ગમાં અવરોધરૂ પ લાગી. એમનું જીવનધ્યેય તો સાવ જુદું જ હતું. આથી વિ. સં. ૧૯૪૭થી શ્રીમદે જ્યોતિષ જોવાનું બંધ કરી દીધું. એ પછી કોઈ પણ વ્યક્તિ એમને ભવિષ્ય પૂછવા આવતી, તો તેઓ નિરુત્તર રહેતા. તેઓ પૂછવા આવનાર વ્યક્તિને જ્યોતિષ વિશે વિચાર કરવાના બદલે પૂર્વ ઉપાર્જન કરેલું કર્મ સમભાવે સહી દેવાનું કહેતા. - આ રીતે શ્રીમની કીર્તિ અવધાનપ્રયોગો અને જ્યોતિષને કારણે ટોચ પર પહોંચી હતી, ત્યારે જગતને આંજી દેનારાં આવાં બાહ્ય પ્રદર્શનોનો, સર્પ કાંચળી ઉતારે એટલી સાહજિકતાથી એમણે ત્યાગ કર્યો. અવધાન આદિ અદભુત શક્તિઓને તિલાંજલિ આપી. જગતની દૃષ્ટિથી તદ્દન અદશ્ય અને અલોપ થઈ ગયા. આમ સંસારમાં હોવા છતાં સાંસારિક કીર્તિ-કામના પ્રત્યે તેઓ જલકમલવતુ રહ્યા. CU TOTUTOCOMOTONEUVOVODAFOTO I ! Page #59 --------------------------------------------------------------------------  Page #60 -------------------------------------------------------------------------- ________________ S STS STS STS STS ૨૨. વૈભવ અને વૈરાગ્ય | મુંબઈમાં શતાવધાની કવિ તરીકે શ્રીમની ખ્યાતિ સર્વત્ર ફેલાઈ ગઈ, અખબારો અને સામયિકોએ એમની અતીન્દ્રિય શક્તિઓ પર પ્રશંસાનાં શબ્દપુષ્પો વેર્યા. મુંબઈની અનેક નામાંકિત વ્યક્તિઓનો એમને પરિચય થયો, વળી કેટલીય અગ્રણી વ્યક્તિઓ ચમત્કારિક શક્તિ ધરાવતા શ્રીમદ્ સાથે ગાઢ પરિચય કેળવવા આતુર હતી. મુંબઈમાં તાતા નામના એક પારસી ગૃહસ્થ શ્રીમદ્ને પોતાનો વૈભવપૂર્ણ આલિશાન બંગલો બતાવ્યો. એના પ્રત્યેક વિશાળ ખંડમાં મૂકેલી કીમતી ચીજવસ્તુઓ મૂલ્યની વિગત સહિત દર્શાવી. વિલાયતથી ખાસ મંગાવેલું ફર્નિચર અને બંગલાની અન્ય કીમતી સાધનસામગ્રીનું વિગતવાર વર્ણન કર્યું. સખાવત માટે જાણીતા તાતાની ઇચ્છા એવી હતી કે બીજાઓની માફક શ્રીમદ્ એમના વૈભવનાં ભારોભાર વખાણ કરે. આજ સુધી એવું જ બનતું આવ્યું હતું. જે કોઈ આવે તે આ બંગલાનાં વખાણ કરતું, પરંતુ આવા બાહ્ય વૈભવની વૈરાગ્ય રસમાં લીન એવા શ્રીમને શી અસર થાય ? ( વિશાળ અને આલિશાન બંગલો જોયા પછી શ્રીમદે એટલું જ કહ્યું કે, “આને કોણ ભોગવશે ?” આસપાસ ઊભેલી વ્યક્તિઓએ શ્રીમદૃના આ શબ્દો સાંભળ્યા. વૈભવના આડંબરથી ધનના અહમને અજાગ્રતપણે પોષતા તાતાના કાને આ શબ્દો પડ્યા. મહાપુરુષોના શબ્દોમાં ભાવપરિવર્તનની અપ્રતિમ શક્તિ હોય છે. શ્રીમદ્દના આ શબ્દોએ ધનવાન તાતાના દિલમાં અનેરી ઉદાત્ત ભાવના જગાડી. તાતા નિઃસંતાન હતા. પરિણામે એમણે પોતાની પારસી કોમનાં તમામ ભાઈબહેનોને પોતાનાં સંતાનસમાન ગણ્યાં. મૃત્યુ પૂર્વે તેમણે ટ્રસ્ટની રચના કરી અને પારસી કોમનાં ‘પોતાનાં સંતાનોને સહાયરૂપ થવા માટે સર્વ સંપત્તિ ટ્રસ્ટીઓને સોંપી ગયા. નાની વયથી જ શ્રીમદે જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કરવાની શરૂઆત કરી હતી, જેતપુરમાં શ્રી શંકર પંચોળી નામના વિદ્વાન જ્યોતિષીને મળવાનું બન્યું. એમણે શ્રીમદૂની પ્રશ્નકુંડળી બનાવીને ભવિષ્ય ભાખ્યું હતું કે તેઓ મુંબઈ તરફ પ્રયાણ કરશે અને અમુક સમયમાં સારો દ્રવ્યલાભ થશે. શ્રીમદૂનું મુંબઈ તરફ પ્રયાણ તો થયું, પરંતુ જ્યોતિષીએ કહેલી સમયમર્યાદામાં એમણે જણાવેલો દ્રવ્યલાભ ન થયો. | આ ઘટનાએ શ્રીમમાં જ્યોતિષ વિશે ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા જગાવી. એ પછી તો ઊંડા અભ્યાસને પરિણામે શ્રીમદે એ જ શંકર પંચોળીને નષ્ટ વિદ્યાનો પ્રયોગ બતાવીને આશ્ચર્યચકિત કર્યા હતા. આ વિદ્યાથી વર્ષ, મહિનો, તિથિ કે સમય વિનાની સાચી કુંડળી પરથી એ કુંડળીનાં વર્ષ, મહિનો, તિથિ, વાર, સમય સાચાં કહી શકાય. શ્રીમદૂની આ શક્તિ જોઈને શ્રી શંકર પંચોળીને આશ્ચર્ય થયું હતું. એમણે શ્રીમદ્રને આ વિદ્યા શીખવવા માટે વિનંતી પણ કરી હતી. શ્રીમદ્ સામુદ્રિક શાસ્ત્રથી અર્થાત્ હાથ, મુખ, વગેરે શરીરનાં અંગોનું અવલોકન કરીને પણ જ્યોતિષ જોઈ શકતા હતા. શ્રીમન્ને ચમત્કારિક જ્ઞાન અને જ્યોતિષ દ્વારા ભવિષ્યમાં થનારા બનાવોનાં એધાણ મળતાં હતાં. તેઓ આ અંગે અગાઉથી ચેતવણી પણ આપતા હતા. વવાણિયામાં વીરજી દેસાઈ નામના એક ભાઈ રહેતા હતા. એક વાર શ્રીમદ્દ એમની સાથે જંગલમાં ફરવા નીકળ્યા હતા, ત્યારે શ્રીમદે વાતવાતમાં પૂછયું, “કાકા, મારી કાકીને કંઈ થાય તો તમે બીજી વાર પરણો ખરા ?” | વીરજીભાઈએ ત્યારે તો શ્રીમદના આ પ્રશ્નનો કશો ઉત્તર વાળ્યો નહીં. બન્યું એવું કે છ મહિના બાદ વીરજીભાઈનાં પત્નીનું અવસાન થયું. Page #61 -------------------------------------------------------------------------- ________________ V acation inte Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૩. માતૃભક્તિનો મહિમા થોડા સમય બાદ વીરજી દેસાઈ પુનર્લગ્ન કરવાની તૈયારી કરવા લાગ્યા. શ્રીમદ્ આની જાણ થઈ ત્યારે એમણે વીરજી દેસાઈને કહ્યું, “તમે ફરી લગ્ન કરવાનું વિચારો છો તે જાણ્યું, પણ છ મહિના સુધી તમે લગ્ન કરતા નહીં.” શ્રીમદુના સુચનને કારણે વીરજી દેસાઈએ બીજા લગ્ન કરવાની તૈયારીઓ થોભાવી દીધી. એમના વચન પર વિશ્વાસ રાખીને વીરજીભાઈએ સગપણ પણ મોકૂફ રાખ્યું. આ પ્રસંગને બરાબર છ મહિના પૂરા થયા હતા. વીરજીભાઈ ઉપાશ્રયથી ઘર તરફ આવતા હતા. આ સમયે રસ્તામાં એમને સર્પ કરડ્યો. એમને ઉપચાર કરાવવા બીજા ગામ લઈ જવાની તજવીજ ચાલતી હતી, ત્યારે વીરજીભાઈએ જણાવ્યું, “મને કહેનારાએ કહી દીધું છે. મારો ચોવિહાર ભંગાવશો નહીં.” વીરજી દેસાઈના બનાવમાં શ્રીમદ્રની અતીન્દ્રિય જ્ઞાનની શક્તિ જોવા મળે છે. કોઈ પણ વ્યક્તિના અનિષ્ટને જોઈને શ્રીમદની હમદર્દી જાગી ઊઠતી અને એ વ્યક્તિને અનિષ્ટ સામે સમયસર ચેતવણી આપવાની કૃપા કરતા હતા. | શ્રીમદને સર્વસંગપરિત્યાગ કરવાનો મહાન મનોરથ હતો. “મોક્ષમાળા’ અને ‘ભાવનાબોધ ના રચના કાળે તે વૈરાગ્યભાવ વિશેષ પલ્લવિત બન્યો, આથી જ વિ. સં. ૧૯૪૨માં તેઓ હૃદયમાં ભક્તિ, જ્ઞાન, ધ્યાન અને વૈરાગ્યના ભાવો કેવા પ્રબળ બન્યા છે એ દર્શાવતાં લખે છે – “ઓગણીસસેં ને બેતાલીસ, અદ્ભુત વૈરાગ્ય ધાર રે | ધન્ય રે દિવસ આ અહો.” આવો ત્યાગ અનેક જીવોના કલ્યાણના નિમિત્તરૂપ બનશે તેમ માનીને શ્રીમદે માતાની આજ્ઞા મેળવવાનો વિચાર કર્યો. એક વાર શ્રીમદ્ અને તેમનાં માતા દેવમાં ઘરના ફળિયામાં ખાટલા પર બેઠાં હતાં. આ સમયે શ્રીમદે માતાને કહ્યું, “મા, મારે તારી રજા જોઈએ છે. તમે રજા આપો તો મારે જંગલમાં જઈને સાધુ થવું છે. ” માતાએ કહ્યું, “ના, દીકરા, ના. તું તો છે મારી આંખનું રતન અને મારા કુળનો દીવો. સાધુ થવાની તમને રજા કેમ આપીએ ? મારો જીવ નહીં ચાલે.” આટલું બોલતાં ભોળા અને ભલા દેવમાની આંખમાંથી અશ્રુબિંદુ ટપક્યાં. શ્રીમદે કહ્યું, “મા, જીવતો જોગી હશે, તો કોઈ દિવસ એનું મોં જોવા મળશે. તારે બારણે આવશે. તારા ખબર-અંતર પૂછશે.” શ્રીમદ્ ઓ કહેતા હતા, ત્યારે એમની માતાની આંખમાંથી વણથંભી આંસુની ધારા વહેવા લાગી. આ જોઈને માતૃભક્ત શ્રીમદે કહ્યું, “મા, તમને જેમ ઠીક લાગે તેમ કરીશ. હવે આવું દુ:ખ ન લગાડતી.” આમ, માતાની ભાવનાએ અંતે વિજય મેળવ્યો. ભગવાન મહાવીરે પણ ત્રિશલા માતાના ગર્ભમાં હતા ત્યારે પુત્રના વિયોગથી માતા શોકગ્રસ્ત ન થાય તે માટે અભિગ્રહ કર્યો હતો કે માતાપિતાની જીવિત અવસ્થામાં હું સંસારનો ત્યાગ કરીને દીક્ષા નહીં લઉં. ભગવાન મહાવીરના વીતરાગમાર્ગના આરાધક અને પ્રકાશક શ્રીમદ્ રાજચંદ્ર જાણે એ જ સંકલ્પનું પુનરાવર્તન કર્યું. | ‘મોક્ષમાળા'ના પ્રકાશનમાં વિલંબ થતાં એના આગોતરા ગ્રાહકોનો કચવાટ દૂર કરવા માટે સં. ૧૯૪૨ માં શ્રીમદે બાર ભાવનાઓ દર્શાવતા ‘ભાવનાબોધ ની રચના કરી. એમાં ગ્રંથોનાં અવતરણો, સચોટ ધર્મકથાઓ અને દૃષ્ટાંતો દ્વારા થયેલા આલેખનને કારણે ‘ભાવનાબોધ ' ધર્મજિજ્ઞાસુઓ માટે ઉપયોગી પુસ્તક રચનામાં તત્ત્વજ્ઞાનની સાથે કાવ્યરસ અને કથારસનો અનુપમ ત્રિવેણી સંગમ રચાયો છે. Page #63 --------------------------------------------------------------------------  Page #64 -------------------------------------------------------------------------- ________________ ' ' , ' ' S( S SC SCOTSTSS S TO ૨૪. દિવ્ય અાત્માની ઓળખ શ્રીમના સૌપ્રથમ પરમાર્થ સખા સત્યપરાયણ જૂઠાભાઈ હતા. શ્રીમથી વયમાં એક વર્ષ મોટા જૂઠાભાઈ સાથે શ્રીમદ્દને અમદાવાદમાં પરિચય થયો. વિ. સં. ૧૯૪૪માં “મોક્ષમાળા' છપાવવા માટે શ્રીમદ્દને અમદાવાદ આવવાનું બન્યું. મોરબીના રહીશ શ્રી વિનયચંદ દફતરીએ અમદાવાદના શેઠ જેશંગભાઈ ઉપર “મોક્ષમાળા'ના છાપકામ વિશે ભલામણપત્ર આપ્યો હતો. શ્રી જેસંગભાઈએ તેમને મદદ કરી, પરંતુ આડતના કામને કારણે તેઓને વારંવાર બહારગામ જવાનું થતું હોવાથી એમણે એમના નાનાભાઈ જૂઠાભાઈને શ્રીમદ્રના કામમાં સહાયરૂપ થવાનું ગોઠવ્યું. એ સમયે અમદાવાદમાં ભગુભાઈના વંડામાં શ્રીમદે અવધાન-પ્રયોગો કરી બતાવ્યા. આ જોઈને જૂઠાભાઈ એમને ચમત્કારિક પુરુષ માનીને શ્રીમદ્ તરફ આકર્ષાયા. શ્રીમદ્દ દલપતભાઈના પુસ્તકભંડારમાં ગયા, ત્યારે જૂઠાભાઈ એમને એક પછી એક પુસ્તક આપતા ગયા. શ્રીમદ્ માત્ર પુસ્તકનાં પાનાં ફેરવીને એનું હાર્દ કહી આપતા. કેવી પ્રજ્ઞા અને કેવી શક્તિ ! આવી પરમ આત્મશક્તિના દર્શનથી જૂઠાભાઈની શ્રદ્ધા વધી ગઈ. મુમુક્ષુનાં નેત્રો મહાત્માને ઓળખી લે છે તે કથન પ્રમાણે મહામુમુક્ષુ જુઠાભાઈનાં નેત્રોએ શ્રીમદના દિવ્ય આત્માને ઓળખી લીધો. આ જૂઠાભાઈનો જન્મ વિ. સં. ૧૯૨૩ના કારતક સુદ બીજને દિવસે થયો હતો. જૂઠાભાઈના પિતાનું નામ ઉજમશીભાઈ અને માતાનું નામ જમનાબાઈ હતું. તેઓ બુદ્ધિશાળી અને ભક્તિભાવવાળા હતા. તેઓએ અંગ્રેજી ચોથા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. શ્રીમદૂનો મેળાપ થતાં એમની ભક્તિમાં ઘણો વેગ આવ્યો. જૂઠાભાઈ સાથે ગાઢ સંબંધ થયા બાદ શ્રીમદ્દ અમદાવાદમાં આવતા ત્યારે એમને ત્યાં જ ઊતરતા હતા. વળી શ્રીમદ્દ સાથે જૂઠાભાઈ દોઢથી બે મહિના મોરબીમાં અને એ પછી ભરૂચ પણ ગયા હતા. જ્યારે આ બંને પ્રત્યક્ષ એકબીજાને મળી શકે તેમ ન હોય ત્યારે બંને વચ્ચે ધર્મની જિજ્ઞાસા દર્શાવતો પત્રવ્યવહાર નિયમિતપણે ચાલતો હતો. જૂઠાભાઈને ઉચ્ચ દશા પ્રતિ વાળવાનું કામ શ્રીમદે કર્યું, આથી તેઓ શ્રીમદ્દ ‘ધર્મપિતા' કહેતા હતા અને શ્રીમદ્દ એમને ‘ધર્મપુત્ર' ગણીને સંબોધતા હતા. એક વાર શ્રીમના પિતાશ્રી રવજીભાઈ નજીક આવેલા ચમનપર નામના ગામમાં જતા હતા, ત્યારે શ્રીમદે કહ્યું, ‘બાપુજી, આજે તમે ચમનપર ન જાવ તો ?” શ્રીમદુની શક્તિને જાણતા હોવા છતાં રવજીભાઈએ શ્રીમની વાત કાને ધરી નહીં. એમણે તો પોતાનું ધાર્યું જ કર્યું. તેઓ ચમનપર જવા નીકળ્યા. બીજી બાજુ સંધ્યા સમયે શ્રીમદ્જીના ઘરમાં અકસ્માત થયો. શ્રીમદૃના નાના ભાઈ મનસુખભાઈ રસોડા તરફ જતા હતા, એવામાં એમના પહેરણ પર દીવાની ઝાળ લાગી. મનસુખભાઈનું પહેરણ સળગવા માંડ્યું. આ સમયે ઝબકબહેન ઘરમાં હતાં. એમણે જોયું તો મનસુખભાઈના પહેરણને આગ લાગી હતી. ઝબકબહેન દોડ્યાં અને દોણી ભરેલી છાશ મનસુખભાઈના શરીર પર રેડી દીધી. આગ તો ઓલવાઈ ગઈ. મનસુખભાઈ છાતીએ દાઝી ગયા. ઘરમાં ચારે કોર દોડધામ મચી ગઈ. આવી ઘટના બનતાં તરત જ રવજીભાઈને પાછા બોલાવવા માટે ચમનપર માણસ મોકલવામાં આવ્યો. ચમનપર જતી વખતે શ્રીમદે પિતાને અટકાવવા કોશિશ કરી હતી, પણ પિતાએ એમની વાત કાને ધરી નહીં. એમાં શું ? આમ કોઈના કહેવાથી જ ઈએ નહીં તે કેમ ચાલે ? પરંતુ શ્રીમદ્રને તો થનારી ઘટનાની કે ભવિષ્યની એંધાણી મળતી હતી. રવજીભાઈ વિચારમાં પડ્યા. કેવો ચમત્કારિક છે આ પુત્ર ! TUONOTOTYWYOYOTVCEVAPOYOY પર છઠ | I Page #65 --------------------------------------------------------------------------  Page #66 -------------------------------------------------------------------------- ________________ FIOCCOLATOKON ૨૫. કર્મની ગતિ ન્યારી શ્રીમદ્રના હૃદયમાં પૂર્વસંસ્કારરૂપે વૈરાગ્ય વિદ્યમાન હતો, પરંતુ કર્મની ગતિ એવી જારી કે સંસારથી સર્વથા ઉદાસીન હોવા છતાં એમને સંસારમાં પ્રવેશ કરવો પડે છે. કોઈ અવધુતના હૃદયમાં હોય એવો વૈરાગ્યનો રંગ હૃદયમાં હોવા છતાં તેઓ સર્વસંગ પરિત્યાગનો મનોરથ સફળ કરી શકતા નહોતા, એમણે સાંસારિક પ્રસિદ્ધિ અને પ્રશંસા વર્ષાવતાં અવધાન-પ્રયોગો કરવાની કે જ્યોતિષજ્ઞાનની પ્રવૃત્તિને તિલાંજલિ આપી, પરંતુ માતા-પિતા કે સ્વજનોએ શ્રીમદ્ને ગૃહસ્થાશ્રમમાં જોડાવવા માટે ખૂબ દબાણ કર્યું અને આથી જ હૃદયમાં ત્યાગ અને વૈરાગ્યની ભાવનાની ભરતી ઊછળતી હોવા છતાં એમણે ગૃહસ્થાશ્રમમાં પદાર્પણ કર્યું. ‘જીવતો જોગી' થવાની એમની ઇચ્છાને માતા દેવબાઈએ સ્વીકારી નહિ. કરુણાસાગર શ્રીમદ્દનું હૃદય માતૃવાત્સલ્ય સમક્ષ દ્રવી ગયું. આ સમયે વિ. સે. ૧૯૪૪ના પોષ વદ ૧૦ના દિવસે શ્રીમદ તેમના બનેવીને લખે છે, | “લગ્ન સંબંધી તેઓએ જે મિતિ નિશ્ચિત રાખી છે, તે વિશે તેઓનો આગ્રહ છે તો ભલે તે મિતિ નિશ્ચયરૂપ રહી.” | “લક્ષ્મી પર પ્રીતિ નહિ છતાં કોઈ પરાર્થિક કામમાં તે બહુ ઉપયોગી થઈ પડત એમ લાગવાથી મૌન ગ્રહી અહીં તે સંબંધી સત્સગવડમાં હતો. જે સગવડનું ધારેલું પરિણામ આવવાનો બહુ વખત નહોતો. પણ તેઓ ભણીનું એક મમત્વપણું ત્વરા કરાવે છે, જેથી તે સઘળું પડતું મૂકી વદ ૧૩ કે ૧૪ (પોષની) તે રોજ અહીંથી રવાના થાઉં આ પત્ર પરથી ખ્યાલ આવે છે કે લગ્ન માટે શ્રીમદ્દની લેશ માત્ર આતુરતા ન હતી, પરંતુ બીજી બાજુ એમણે સ્વજનોની લાગણીને સ્વીકારીને લગ્નનો અનાદર પણ ન કર્યો. હૃદયમાં તો નિગ્રંથ માર્ગ તરફની યાત્રા અવિરત ગતિએ ચાલતી હતી. ૨૧ વર્ષનો નવયુવાન ગૃહસ્થજીવનમાં પ્રવેશતી વખતે પણ કેવી અમોહબુદ્ધિ અને વિવેકદૃષ્ટિ ધરાવે છે ! જેવી રીતે પોતાના કુટુંબને ખાતર એમણે અર્થોપાર્જનની પ્રવૃત્તિ કરી, તેવી જ રીતે તેઓની ઇચ્છાથી “અંત:કરણશુક્લ અદ્ભુત વિચારોથી ભરપૂર” હોવા છતાં વિ. સં. ૧૯૪૪ના પોષ મહિનામાં તેઓ વવાણિયા ગયા. અહીં રેવાશંકર જગજીવન ઝવેરીના મોટાભાઈ પોપટભાઈ ઝવેરીનાં સુપુત્રી ઝબકબાઈ સાથે મહા સુદ બારસે લગ્નગ્રંથિથી જોડાયા. પૂર્વ કર્મના લીધે સંસારસુખ પ્રત્યે ઉદાસીન હોવા છતાં તે ભોગવવું પડતું હતું. આવી પરિસ્થિતિ તેમના હૃદયમાં તુમુલ ઘર્ષણ જગાવતી હતી. એમની વ્યથા અને વેદના એટલી હતી કે તેઓ પોતાને સોથી વધુ દુખિયા ગણતા હતા. શ્રીમની મહત્તા એ હતી કે એમના એ દુ:ખ કે વેદનાને સમજનારુ એપાસ કોઈ સ્વજન નહોતું, એટલે એમને સર્વ ખેદ પોતાના હૃદયમાં જ સમાવવો પડતો હતો. તેઓ લખે છે, “અહોહો ! કર્મની કેવી વિચિત્ર બંધ સ્થિતિ છે ? જેને સ્વપ્ન પણ ઇચ્છતો નથી, જે માટે પરમ શોક થાય છે, તેમાં જ અગાંભીર્ય દશાથી પ્રવર્તવું પડે છે. ઉદય આવેલા પ્રાચીન કર્મો ભોગવવાં, નૂતન ન બંધાય એમાં જ આપણું આત્મહિત છે. ” આવા મહાવૈરાગી શ્રીમદને સંસારની માયા કેમ સ્પર્શી શકે ? અન્યત્ર તેઓ કહે છે, “સંસારી જીવો સ્ત્રી સાથે એક દિવસમાં જેટલો મોહ કરે છે તેટલો આ આખી ઉંમરમાં અમે મોહ કર્યો નથી.” શ્રી રાજચંદ્રજીને છગનલાલ (જન્મ વિ. સં. ૧૯૪૬) અને રતિલાલ (વિ. સં. ૧૯૫૨) એમ બે પુત્રો તથા જવલબા (વિ. સં. ૧૯૪૮) અને કાશીબા (વિ. સં. ૧૯૫૦) એમ બે સુપુત્રીઓ હતી. Page #67 -------------------------------------------------------------------------- ________________ રેવાશંકર જગજીવનની કાં. Page #68 -------------------------------------------------------------------------- ________________ VINOROKOKOSOVO ૨૬. જ્ઞાનને જોખમ શું ? કુટુંબની આર્થિક પરિસ્થિતિને કારણે શ્રીમદે વ્યવસાયની પ્રવૃત્તિ કરી. વવાણિયા બંદર ઘણું નાનું ગામ હોવાથી વેપારની કોઈ વિશેષ તક નહોતી, આથી તેમણે મુંબઈ જઈને અર્થોપાર્જન કરવાનો નિર્ણય કર્યો. એમના મુંબઈગમન પાછળ અવધાનપ્રયોગો કારણભૂત બન્યા. એમના અવધાનપ્રયોગો જોવા આવેલા વડોદરાના શ્રી માણેકલાલ ઘેલાભાઈ ઝવેરી પાસેથી શ્રીમદે ઝવેરાતની પરીક્ષા કરતાં શીખી લીધું. તેજસ્વી બુદ્ધિ શક્તિને કારણે થોડા જ વખતમાં શ્રીમદ્ નિપુણ થઈ ગયા અને વિ. સં. ૧૯૪૫માં રેવાશંકર જગજીવન સાથે ભાગીદારીમાં એમણે ઝવેરાતનો વ્યવસાય શરૂ કર્યો. | માત્ર બે જ વર્ષમાં શ્રીમદ્રના પુણ્યપ્રભાવથી ઝવેરાતની આ પેઢી દેશ-વિદેશમાં પ્રસિદ્ધ થઈ ગઈ. એક-બે વર્ષમાં તો ઇંગ્લંડ, રંગુન, અરેબિયા જેવા દેશોની ખ્યાતનામ પેઢીઓ સાથે એનો વેપારસંબંધ જોડાયો. શ્રીમદ્ અર્થોપાર્જન કરવા માટે ન્યાયસંપન્ન નીતિનું આચરણ કરતા હતા. આંતરિક રત્નત્રયના આ આરાધકને બાહ્ય ધનના ઉપાર્જનની પ્રવૃત્તિ તો કર્તવ્યબુદ્ધિથી કરવી પડતી. આથી જ જગતમાં ચાલતી આર્થિક પ્રવૃત્તિ અને શ્રીમદ્રની આર્થિક પ્રવૃત્તિ વચ્ચે પ્રયોજનનું આભ-જમીન જેટલું અંતર હતું. તેઓ લખે છે, - “જગત આખું કંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે પરંતુ અમે પૂર્વભવનું દેણું દેવાને માટે આ વ્યવસાય કરતાં હોઈએ એમ લાગે છે.” | વ્યવસાય હોય કે ગૃહસ્થાશ્રમ, પરંતુ સંસારથી સંપૂર્ણ અનાસક્તિ ધરાવતા શ્રીમદ્ સ્પષ્ટ રૂપે કહે છે, “સ્ત્રીના સંબંધમાં જિજ્ઞાસા ઓર છે અને વર્તના ઓર છે. પણ દુઃખ એ છે કે જિજ્ઞાસા નથી છતાં પૂર્વકર્મ કાં દોરે છે ?” શ્રીમદે સંસારની વચ્ચે રહીને પણ જે નિર્લેપતા અને અલિપ્તતા પ્રગટ કરી એ જ એમનો વિશિષ્ટ આધ્યાત્મિક શૌર્યની ઓળખ આપે છે. મોહમયી મુંબઈ નગરીમાં અર્થોપાર્જન માટે આવેલા શ્રીમદ્ અમોહ સ્વરૂપે રહી શક્યા એનું કારણ એમના હૃદયમાં અલિત રીતે વહેતું વૈરાગ્યઝરણું હતું. આવી અત્યંત વિકટ અને વિદારક પરિસ્થિતિ હોવા છતાં શ્રીમદ્ ‘પુદ્ગલજાત તમાસી” અર્થાત્ જડ પુદ્ગલોનો તમાશો જોનાર સાક્ષીરૂપે પોતાને જુએ છે. આવા જ્ઞાની પુરુષની પ્રવૃત્તિ પણ સંવર-નિર્જરારૂપ હોય છે. જીવનની પ્રત્યેક ક્ષણ આત્મજાગૃતિ સાથે વ્યતીત થતી હોય ત્યારે શ્રીમદ્રની જ્ઞાનગર્ભિત વૈરાગ્યભાવના સતત વધુ ને વધુ વિકસતી હતી. મનન, ચિંતન અને અધ્યયન પરિપક્વ થતાં હતાં. જાણે મોહના મહેલમાં રહીને જ મોહને પૂર્ણપણે પરાજય ન આપ્યો હોય ! અદ્દભુત અસંગતા સાથે આવશ્યક પણ ઉકળાટભરી બાહ્ય ઉપાધિના દાવાનળ વચ્ચે પણ એમના જીવનમાં અખંડ આત્મસમાધિની અમૃતવર્ષ દૃષ્ટિગોચર થાય છે. | મુંબઈમાં રેવાશંકર જગજીવનની પેઢીમાં શ્રીમદ્ સાથે રાત્રે ધર્મવાર્તા કરીને સહુ ઊડ્યા ત્યારે પૂનાના નાનચંદ્રભાઈએ કહ્યું કે આ પેટી ઉઘાડી છે અને એમાં જોખમ છે. આ સમયે શ્રીમદે જોખમ શું એમ પૂછતાં નાનચંદ્રભાઈએ કહ્યું કે, “હું કીમતી ચીજોને જોખમની ઉપમા આપું છું. એ ચોરાઈ જાય તેવું જોખમ હોય છે.” સ્ફટિક સમી સ્વચ્છ અને નિર્મળ આત્યંતર દશા અનુભવનાર શ્રીમદ્જીએ કહ્યું, “જોખમને તો જ્ઞાનીઓ જોખમ જ માને છે પણ તે એવી રીતે કે એ જ્યાં સુધી છે ત્યાં સુધી જોખમ છે. માણસોને રોગ થાય ત્યારે પરુ-પસ થાય તેમ આ ચીજો પૃથ્વી પરનો રોગ છે. તેમાં જ્ઞાનીઓ કદી કોઈ મોહ રાખે નહિ.” આવી આગવી સમજ આપીને શ્રીમદ્ પેઢી પરથી નીકળી ગિરગામ ગયા. Page #69 -------------------------------------------------------------------------- ________________ VOOOOOOOOX YOYONASS Page #70 -------------------------------------------------------------------------- ________________ ૨૭. અતીન્દ્રિય દક્તિના સ્વામી ઇન્દ્રિયોની આશ્ચર્યજનક શક્તિઓના સ્વામી હતા શ્રીમદ્ રાજચંદ્ર. તેઓ હાથ પાસેથી આંખનું કામ કઢાવી શકતા. અવધાન-પ્રયોગો કરતી વખતે આંખે પાટા બાંધીને પુસ્તકોનાં નામ કહેતા. એ પુસ્તકોને સ્પર્શ કરીને બાજુએ | અને પછી એ પુસ્તક પર હાથ ફેરવીને તેઓ માંગેલું પુસ્તક આપી શકતા. આમ સ્પર્શેન્દ્રિયથી ચન્દ્રિયનું કામ લઈ શકતા. શ્રીમદ્રની ધ્રાણેન્દ્રિય શક્તિ પણ અતિ વિકસિત હતી. એમના કાકાસસરા શ્રી રેવાશંકરભાઈ ઝવેરીને ત્યાં ભોજન-સમારંભ યોજાયો હતો. આ સમયે છોટાલાલભાઈએ રસોડામાં જઈને રસોઇયાને રસોઈ વિશે કહ્યું કે, “રેવાશંકરભાઈની એવી સૂચના છે કે દાળમાં હંમેશાં નાખે છે તેટલું મીઠું નાખવું. ઢોકળીના શાકમાં મીઠું બિલકુલ નાખવું જ નહીં અને લીલોતરીના શાકમાં વધારે મીઠું નાખવું.” - રસોઇયાએ છોટાલાલભાઈની વાત પ્રમાણે રસોઈ બનાવી. આખી મંડળી જમવા બેઠી. થાળીમાં રસોઈ પીરસાઈ ત્યારે શ્રીમદે થાળી સામું જોઈને પછી છોટાલાલભાઈ તરફ જોયું. એમણે હસતાં હસતાં કહ્યું, “પરીક્ષા લેવા પ્રવૃત્ત થયા છો કે રસોઇયો ભૂલ્યો છે ? એક શાક ચણાના લોટનું મીઠા વગરનું અને લીલોતરીનું વધારે મીઠાવાળું છે.” યજમાન શ્રી રેવાશંકરભાઈએ શાક ચાખી જોયાં. એમને આ વાત સાચી લાગી. તેઓ રસોઇયા પર ગુસ્સે થયા. એ સમયે શ્રીમના બાળપણના સાથીદાર મોરબીના શ્રી છોટાલાલભાઈએ કહ્યું કે એમણે પોતે જ રસોઇયાને રેવાશંકરભાઈના નામે આવી સૂચના આપી હતી. વિશિષ્ટ બાબત એ છે કે શ્રીમદે છોટાલાલભાઈને પૂછવું, “પરીક્ષા લેવા પ્રવૃત્ત થયા છો ?” અને વાસ્તવમાં છોટાલાલભાઈ શ્રીમની તીવ્ર ધ્રાણેન્દ્રિય શક્તિની પરીક્ષા કરવા માગતા હતા. | ગુજરાતના પ્રસિદ્ધ સામયિક ‘જામે જમશેદ માં (તા. ૨૪-૧-૧૮૮૭) શ્રીમદ્ વિશે આ પ્રકારની નોંધ પ્રગટ થઈ, “અમારા સાંભળવામાં આવ્યું છે કે આગલે દિવસે પોતાને મળેલી એક મેજબાની વખતે કેટલીક વાનીઓમાં મીઠું વધતું-ઓછું હતું, તે કવિએ ચાખ્યા કે હાથ લગાડ્યા વિના માત્ર નજરે જોઈને કહી આપ્યું હતું.” એ સમયમાં પંડિત લાલન જૈન ધર્મનો પ્રસાર કરવા માટે જાણીતા હતા. તેઓને પણ શ્રીમદૂની આ શક્તિનો પરિચય થયો હતો. એક વાર શ્રીમદ્ પોતાના કાકાસસરા શ્રી રેવાશંકરભાઈ તથા પંડિત લાલન આદિ સાથે મેઘજી થોભણને ત્યાં ભોજન માટે ગયા હતા. મેઘજી થોભણના ઘરમાં બેઠકખંડથી એમનું રસોડું પચીસ ફૂટ દૂર હતું. આ સમયે રસોડામાં કઈ કઈ વાનગીઓ બનાવવામાં આવી છે તે વિશે શ્રીમદે ધ્રાણેન્દ્રિય શક્તિથી જાણી લીધું. વાતવાતમાં શ્રીમદે કહ્યું, “લાલન, હું નાક વડે જમી શકું છું.” - શ્રીમની આ વાત સાંભળીને પંડિત લાલન આશ્ચર્યચકિત થઈ ગયા. એમણે કહ્યું, “નાક વડે તે કઈ રીતે જમી શકાય ?” શ્રીમદે કહ્યું, “જુઓ, અહીં બેઠા બેઠા રસોડામાં બનાવેલી વાનગીઓ હું જાણી શકું છું.” લાલનના ચિત્તમાં વધુ આશ્ચર્ય જાગે એ પહેલાં તો શ્રીમદે મેઘજી થોભણના રસોડામાં બનાવવામાં આવેલી વાનગીઓનાં નામ કહી બતાવ્યાં. Page #71 -------------------------------------------------------------------------- ________________ 2 Page #72 -------------------------------------------------------------------------- ________________ ૨૮. રાયચંદ દૂધ પી શકે, લોહી નહિ શ્રીમદે નીતિમત્તા અને પ્રમાણિકતાથી વ્યાપારનો વિસ્તાર કર્યો. જ્ઞાની પુરુષ આવી વ્યવહારુ બાબતોમાં અણસમજુ હોય છે એવી સામાન્ય માન્યતા પ્રવર્તે છે. પારમાર્થિક જગતમાં જેમનું ચિત્ત સદૈવ રમમાણ હોય એવી વ્યક્તિ આર્થિક પ્રવૃત્તિમાં નિષ્ફળ જાય છે એમ કહેવાય છે, પરંતુ શ્રીમદ્જીએ એમની કાર્યકુશળતાથી એ સિદ્ધ કરી આપ્યું કે તેમના જેવા જ્ઞાની પુરુષો પણ આવી વ્યવહારની બાબતમાં લેશમાત્ર ઊણા ઊતરતા નથી. એમણે એક વેપારી સાથે હીરાના સોદા કર્યા. સોદાના ભાગરૂપે એ વેપારીએ અમુક હીરા આપવાનો દસ્તાવેજ લખી આપ્યો. બન્યું એવું કે હીરાની કિંમત ખૂબ વધી ગઈ. હવે જો દસ્તાવેજ પ્રમાણે પેલો વેપારી હીરા આપવા જાય તો ભારે નુકસાનીના ખાડામાં ઊતરી જવું પડે. એની સઘળી માલમિલકત વેચી દે તો પણ આટલી કિંમતના હીરા એ આપી શકે તેમ નહોતું. શ્રીમદુને હીરાની કિંમતના ઊંચકાયેલા બજારભાવની ખબર પડી. તેઓ હીરા આપવાનો દસ્તાવેજ કરી આપનાર વેપારી પાસે ગયા. પેલો વેપારી તો એમને જોતાં જ ગભરાઈ ગયો. આજીજી અને કાકલુદી કરવા લાગ્યો. એણે કહ્યું કે, “આપની સાથે કરેલા હીરાના સોદા અંગે હું ખૂબ મૂંઝવણમાં છું. ચિંતામાં પડી ગયો છું, પણ આપ ખાતરી રાખજો કે આજના બજારભાવે આપને સોદો ચૂકવી દઈશ.” આ સાંભળી શ્રીમદ્ બોલી ઊઠ્યા, “વાહ, ભાઈ વાહ ! જો તમને સોદાની ચિંતા થતી હોય તો મને કેમ ન થાય ? આપણા બંનેની ચિંતાનું કારણ એક જ છે અને તે આ દસ્તાવેજ. ખરું ને ?” આટલું બોલીને શ્રીમદે એ કરારનો દસ્તાવેજ ફાડી નાખ્યો અને બોલ્યા, “આ દસ્તાવેજ જ તમારી ચિંતાનું કારણ હતો. હું તમારી સ્થિતિ સારી રીતે સમજી શકું છું. તમારી સાથે લેણા નીકળતા ૬૦-૭૦ હજાર લઉં તો તમારી કેવી કફોડી હાલત થાય એનો મને ખ્યાલ છે, પણ રાયચંદ દૂધ પી શકે છે, લોહી નહિ.” | એક વાર એક ધનાઢય આરબ વેપારી મોતીની આડતનો વેપાર કરતો હતો. તેના નાના ભાઈને એક દિવસ મોટા ભાઈની જેમ મોતીનો મોટો વેપાર કરવાનો વિચાર આવ્યો એટલે પરદેશથી આવેલો માલ લઈને તે દલાલની મારફત એક પ્રમાણિક વેપારી જાણી શ્રીમદ્ પાસે આવ્યો. શ્રીમદે માલ કસીને લીધો, સહીસિક્કા-દસ્તાવેજ સાથે સોદો થયો, ને નાણાં ગણી આપ્યાં. આરબ ઘેર ગયો, મોટા ભાઈને સોદાની વાત કરી. મોટા ભાઈએ તો આટલી કિંમત વિના માલ વેચવો નહિ એવી શરતવાળો મૂળ માલિકનો કાગળ બતાવી નાના ભાઈને સખત ઠપકો આપ્યો. બંને ભાઈઓ મૂંઝાયા. બીજે દિવસે મોટા ભાઈ અને નાના ભાઈ બંને શ્રીમદ્ પાસે આવ્યા. શ્રીમદે એમના ચહેરા પરના વિષાદને જોયા. એમણે તરત જ આખો સોદો રદ કરી નાખ્યો. એમની સમક્ષ સહીસિક્કાવાળો દસ્તાવેજ ફાડી નાખ્યો. નાના ભાઈએ આપેલો માલ એને પાછો આપ્યો અને નાણાં ગણી લીધાં. ધનાઢ્ય આરબ ભાઈઓ તો શ્રીમદુની પરમ ઉદારતા અને અદ્ભુત મહાનુભાવતા જોઈને સ્તબ્ધ થઈ ગયા. એ બંને પગમાં પડ્યા. એ બંને શ્રીમદ્દને ખુદા જેવા માનવા લાગ્યા. Page #73 -------------------------------------------------------------------------- ________________ CONOSCYTOY TOYOTA COTA Page #74 -------------------------------------------------------------------------- ________________ ૨૯. કષાયનો તાપ ભર ઉનાળે મોરબીની બજારમાં સહુએ કૌતુક જોયું. પચાસ વર્ષના ન્યાયાધીશ ધારશીભાઈએ ખરા બપોરે હાથમાં ઉઘાડી છત્રી લઈને વીસ વર્ષના શ્રીમદ્ પર ધરી રાખી હતી. કૌતુક જોવા માટે કોઈ નિમંત્રણ આપવાનું ન હોય. આપોઆપ ગામલોકો ભેગા થયા. સહુને આશ્ચર્ય થયું આ તે કેવું ! માત્ર વયમર્યાદાનો સ્થળ વિચાર કરનારને ધારશીભાઈનો શિષ્યભાવને કઈ રીતે પારખી શકે ? એમને તો આ મજાક અને હાંસીનું કારણ લાગ્યું. | ગુરુ-શિષ્યના આંતરસંબંધમાં બાહ્યજગતનું ગણિત ખોટું જ પડે. એ રીતે મોરબીની લાંબી અને સીધી બજારમાં ધર્મગોષ્ઠિ કરતાં આ બંને ચાલતા હતા. શ્રીમદૂની ઇચ્છાને માન આપીને ધારશીભાઈ એમની સાથે ફરવા નીકળ્યા. બળબળતો બપોર હોવાથી ધારશીભાઈએ સાથે છત્રી લીધી. શ્રીમદ રાજમાર્ગ પર છત્રી ઉઘાડવાનું કહેતાં એમણે છત્રી ખોલી અને શ્રીમના મસ્તક પર રાખીને ચાલવા લાગ્યા. ગામમાંથી બહાર નીકળતા ધારશીભાઈને શ્રીમદે છત્રી બંધ કરવાનું કહ્યું. ત્યારે ન્યાયાધીશ ધારશીભાઈ બોલ્યા, “સાહેબ ! ગામ બહાર તો વધારે તાપ લાગશે. આપ છત્રી બંધ કરવાનું કેમ કહો છો ? ભલે ઉઘાડી રહી.” આ સમયે શ્રીમદે ધારશીભાઈને બોધ આપ્યો કે કષાયનો તાપ આત્મામાંથી જવો જોઈએ. અપૂર્વ બોધ પામનાર ધારશીભાઈને શ્રીમદ્ દસ વર્ષના હતા ત્યારે એમનો પ્રથમ પરિચય થયો. ચાર-પાંચ વર્ષ બાદ શ્રીમદે લખેલો “ગાંગેય અણગારના ભાંગાનું અપૂર્વ રહસ્ય” એ શીર્ષક હેઠળનો પત્ર મળ્યો, જેનાથી એમને શ્રીમદૂની પ્રજ્ઞાની પહેચાન થઈ. બંને વચ્ચે ગુરુ-શિષ્યનો સંબંધ સર્જાયો. ગુરુએ શિષ્યના સત્ત્વની કેવી કસોટી કરી ! શિષ્ય ધારશીભાઈ એ ગુરુપરીક્ષામાં કેવા ઉત્તીર્ણ થયા ! શ્રીમદે પરિભ્રમણની નિવૃત્તિ શું કરવાથી થાય એ વિષય પર ઘણું મનોમંથન કર્યું. આ સમયે નડિયાદના પ્રખર વેદાંતી પ્રતિષ્ઠિત સાક્ષર શ્રી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી સાથે વિ. સં. ૧૯૪પના ફાગણ મહિનાના અંતમાં ૨૧ વર્ષના શ્રીમદ્ વવાણિયામાં પરિચય થયો. શ્રી મનસુખરામ ત્રિપાઠીના ધર્મસંબંધી સ્પષ્ટ, દંભવિહોણા અને માધ્યસ્થભાવથી કરેલા ઉચ્ચ વિચારો જાણે છે. એમની પાસેથી આધ્યાત્મિક શૈલીની સમજણ પામવાનો વિનય દાખવીને તેઓ લખે છે, | “અર્થ કે વય સંબંધમાં વૃદ્ધ સ્થિતિવાળો નથી તો પણ કંઈ જ્ઞાનવૃદ્ધતા આણવાને આપના જેવા સત્સંગને તેમના વિચારોને અને સત્યરુષની ચરણરજને સેવવાનો અભિલાષી છું.” શ્રીમદ્ પ્રખર વેદાંતી શ્રી મનસુખરામ ત્રિપાઠીને વીતરાગ સિદ્ધાંત સમજાવે છે. તેઓ કહે છે, “ગમે તે વાટે અને ગમે તે દર્શનથી કલ્યાણ થતું હોય તો પછી ત્યાં મતમતાંતર શોધવા. જે જ્ઞાનથી આત્મત્વ પ્રાપ્ત થાય તે સર્વોપરિ છે. મુક્તભાવમાં જ મોક્ષ છે. જ્યાં અંતરંગશ્રેણી નિગ્રંથ હોય ત્યાં સર્વસિદ્ધિ જ છે.” આમ અધ્યાત્મપ્રેમી મનસુખરામ અને આત્મરસિક શ્રીમદ્દનો પરિચય ગાઢ બનતો ગયો. શ્રીમદ્ પણ આવી વ્યક્તિને પોતાનું હૃદય દર્શાવવાનું સતુપાત્ર માનતા હતા. વિ. સં. ૧૯૪૬ની અષાઢ મહિનાની અમાસે શ્રીમદ્ પોતાની જ્ઞાનપિપાસા પ્રગટ કરતાં લખે છે, “ઘણાં વર્ષોથી આપના અંત:કરણમાં વાસ કરી રહેલ બ્રહ્મવિદ્યાનું આપના જ મુખેથી શ્રવણ થાય તો જ શાંતિ છે.” Page #75 -------------------------------------------------------------------------- ________________ MITTITIE HE More Page #76 -------------------------------------------------------------------------- ________________ ૩૦. આધ્યાત્મિક સંગમના કાંઠે એક સમયે શ્રી સોભાંગભાઈના પિતાશ્રી લલ્લુભાઈ લીબડી રાજ્યના કારભારી હતા. રાજમાં ખેલાતા રાજકીય ફૂડ-કપટને કારણે લલ્લુભાઈને કારભારીનું પદ છોડવું પડ્યું. તેઓ સંતોની ભૂમિ અને ભગતના ગામ તરીકે જાણીતા સાયલા ગામમાં આવીને વસ્યા. સમયના પ્રવાહ સાથે એમની આર્થિક સ્થિતિ પણ ઘસાવા લાગી. મુશ્કેલીથી મૂંઝાયેલો માનવી ઘણી વાર મંત્રતંત્ર તરફ દોરી જાય છે. લલ્લુભાઈએ એવા રિદ્ધિ-સિદ્ધ આપનારા સાધુની ખોજ ચલાવી. એમણે જાણ્યું કે રતલામ શહેરમાં રહેતા મારવાડી યતિ આવી શક્તિ ધરાવે છે. તેઓ રતલામ આવ્યા અને એ વૃદ્ધ યતિ સમક્ષ પોતાની આર્થિક દુર્દશાનું હૃદયદ્રાવક વર્ણન કર્યું. વૃદ્ધ યતિ લાભ આપનારા નીકળ્યા, પરંતુ તે આર્થિક લાભને બદલે અધ્યાત્મ લાભ. એમણે મંત્રવિદ્યા કે સાધુસેવાથી અર્થનો અનર્થ કામના કરવા માટે લલ્લુભાઈને ઠપકો આપ્યો. લલ્લુભાઈએ સંપત્તિના મોહથી થયેલા દોષને માટે ક્ષમા માગી અને નિ:સ્પૃહ ભાવે વૃદ્ધ યતિની સેવા કરી. | એક વાર લલ્લુભાઈએ આ સાધુ મહારાજને આત્મસાધન બતાવવા વિનયપૂર્વક વિનંતી કરી, ત્યારે આ વ્યક્તિ સુપાત્ર છે, તેમ જાણીને લલ્લુભાઈને સુધારસ નામની યોગક્રિયાની – બીજ જ્ઞાનની પરમાર્થ રહસ્યભૂત વાત કરી. વળી એમ પણ કહ્યું કે યોગ્ય પાત્રને આ આપશો તો તેને આ વિદ્યા જ્ઞાનપ્રાપ્તિમાં ઉપકારી થઈ પડશે. એ પછી લલ્લુભાઈ સાયલા ગામમાં આવ્યા અને અર્થોપાર્જન કે વ્યવહાર પ્રવૃત્તિ છોડીને આ પરમાર્થ રહસ્યભૂત બીજ જ્ઞાનની આરાધનાની દુનિયામાં લીન થઈ ગયા. તેઓ એનું અહર્નિશ ધ્યાન કરતા અને તે પોતાને જંગમ સામયિક છે તેમ કહેવા લાગ્યા. તેમણે આ જ્ઞાન પોતાના પુત્ર સોભાગભાઈને આપ્યું અને યોગ્ય પાત્ર મળે તો તેને આપવાની આજ્ઞા ફરમાવી. આ મંત્ર પામીને શ્રી સોભાગભાઈ પ્રસન્ન થયા. એ પછી થોડા સમય બાદ શ્રી સોભાગભાઈને જેતપુર જવાનું બન્યું. એ સમયે શ્રીમદ્દ પણ જોતપુરમાં આવ્યા હતા. શ્રીમદુની પ્રતિભાશાળી કવિ, શતાવધાની અને અદભુત સ્મરણશક્તિ ધરાવનાર વ્યક્તિ તરીકેની ખ્યાતિ શ્રી સોભાગભાઈએ સાંભળી હતી. શ્રી સોભાગભાઈને થયું કે આવી યોગ્ય વ્યક્તિને ‘બીજ જ્ઞાન નો મંત્ર આપીએ તો એમના દ્વારા અનેક જીવોનું કલ્યાણ થઈ શકે. શ્રી સોભાગભાઈએ એમના પિતા લલ્લુભાઈની શ્રીમદ્રને બીજ જ્ઞાન આપવા અંગે સંમતિ માંગતાં કહ્યું, | “આખા કાઠિયાવાડમાં હાલ રાયચંદ કવિ પરમ યોગ્ય પુરુષ તરીકે પંકાય છે. આપની અનુમતિ હોય તો હું તેમને બીજ જ્ઞાન દર્શાવું.” પિતાની અનુમતિ મળતાં શ્રી સોભાગભાઈ જેતપર ગયા. તેઓએ શ્રીમદ્ ક્યાં છે તેની તપાસ કરી. એમને જાણ થઈ કે શ્રીમદ્ એમના બનેવી ચત્રભુજ બેચરની દુકાને બેઠા છે, આથી શ્રી સોભાગભાઈ જેતપરની બજારમાં નીકળ્યા અને શ્રીમદ્રને મળવા ગયા. Page #77 -------------------------------------------------------------------------- ________________ S Page #78 -------------------------------------------------------------------------- ________________ ૩૧. બીજદાન શોધે તો વિ સં. ૧૯૪૬ના પ્રથમ ભારદવા મહિનાની વદ બીજનો આ દિવસ હતો. ૬૭ વર્ષના શ્રી સોભાગભાઈ ૨૩ વર્ષના યુવાન શતાવધાની શ્રીમને મળવા ચાલ્યા. આ દિવસે એક એવું અપૂર્વ મિલન સર્જાયું કે જેણે શ્રીમદ્ અને સોભાગભાઈના આત્મિક ઉત્કર્ષમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. શ્રી સોભાગભાઈ બીજજ્ઞાનની રહસ્યભૂત વસ્તુ દર્શાવવાના પ્રયોજનથી પોતાને મળવા આવી રહ્યા છે એવું શ્રીમદ્નના નિર્મળ જ્ઞાનમાં સ્પષ્ટપણે જણાયું. શ્રીમદે કાગળની એક નાનકડી કાપલી લઈ એના પર શ્રી સોભાગભાઈએ આપવા ધારેલા બીજજ્ઞાનના મંત્રની નોંધ લખી. એ નોંધ દુકાનની ગાદી પાસેના ગલ્લામાં મૂકી રાખી. રહસ્યભૂત બીજજ્ઞાન આપવા સાયલાથી જેતપર આવેલા શ્રી સોભાગભાઈ ચત્રભુજ બેચરની દુકાનમાં પ્રવેશ્યા. દેશ-વિદેશમાં વિખ્યાત શતાવધાની કવિ રાયચંદભાઈને અનુપમ યોગવિદ્યા આપવાની શ્રી સોભાગભાઈની તાલાવેલી હતી. સોભાગભાઈ દુકાનમાં પ્રવેશ્યા કે શ્રીમદે એમનું નામ લઈને આવકાર આપતાં કહ્યું, “આવો, સોભાગભાઈ ! આવો.” કેવું મોટું આશ્ચર્ય ! દુકાનમાં પ્રવેશતાં શ્રી સોભાગભાઈને નામ સહિત આવકાર મળ્યો. સોભાગભાઈને નવાઈ લાગી કે મને એમણે જોયો નથી. પૂર્વે કશોય પરિચય નથી. મારા આગમનનો કોઈ અણસાર નથી અને નામ દઈને બોલાવ્યો કઈ રીતે ? હજી આ પારાવાર આશ્ચર્યમાંથી બહાર આવે એ પહેલાં શ્રીમદે કહ્યું, “આ ગલ્લામાં એક કાપલી છે તે કાઢીને વાંચો.” શ્રી સોભાગભાઈ ગલ્લામાંથી કાપલી કાઢે છે. ખોલીને વાંચે છે. એક મહત્ આશ્ચર્યનો અનુભવ કરે છે. તેઓ જે અલૌકિક જ્ઞાન આપવા સાયલાથી અહીં આવ્યા હતા તે જ્ઞાનની સઘળી વાત આ કાપલીમાં લખી છે. જે ખુદ આવા અગાધ અને પારગામી જ્ઞાની હોય તેમને શું જ્ઞાન આપવાનું હોય ? શ્રીમના જ્ઞાનની વિશેષ કસોટી કરવા માટે શ્રી સોભાગભાઈએ પૂછ્યું, “સાયલામાં અમારા ઘરનું બારણું કઈ દિશામાં છે ?” શ્રીમદે અંતર્નાનથી જાણીને યથાર્થ ઉત્તર આપ્યો. અધ્યાત્મયોગી શ્રી સોભાગભાઈનું હૈયું પુલકિત થયું. અહો, કેવો મહાન યોગ ! કેવી વિરલ વિભૂતિ ! આવા અલૌકિક અતીન્દ્રિય જ્ઞાનીને મારે શું બતાવવાનું હોય ? તેઓ ખુદ બીજજ્ઞાનની વાત જાણે છે. આ બીજજ્ઞાન અંગે વિ. સં. ૧૯૪૬ના આસો સુદ દસમે શ્રીમદે લખેલા પત્રમાં લખ્યું છે, “બીજજ્ઞાન શોધે તો કેવળજ્ઞાન.” આનો અર્થ એ કે કેવળ શુદ્ધ આત્માનો જ્યાં અનુભવ થાય છે એવું શુદ્ધ આત્માની અનુભૂતિરૂપ જે પરમાર્થ સમ્યક્ત્વ તે જ કેવળજ્ઞાનના બીજરૂપ થઈ જાય છે. આથી આને બીજજ્ઞાન કહેવામાં આવે છે. આવી શુદ્ધ આત્માનુભૂતિના અનુભવ થતાં અમૃતરૂપ શુદ્ધ ચેતનરસ અનુભવાય. ધર્મગ્રંથોમાં અનેક સ્થળે આ અમૃતાનુભવનું વર્ણન મળે છે. Page #79 --------------------------------------------------------------------------  Page #80 -------------------------------------------------------------------------- ________________ ૩૨. પરમાર્થરંગ. પરમસખLL શ્રી સોભાગભાઈનો આત્મા શ્રીમદ્ ત૨ફ ભક્તિભાવે નમી પડયો. એ મણે અંતરના આનંદ સાથે શ્રીમદૂના ચરણમાં ત્રણ નમસ્કાર કર્યા. એ પછી શ્રીમદ્દે તેમને ‘તરણા ઓથે ડુંગર રે. ડુંગર કોઈ દેખે નહિ.' એ પદનો મર્મ સમજાવ્યો. શ્રીમદ્રના હૃદયમાં “મને મારો સંત સ્નેહી ક્યારે મળશે” તેવી તીવ્ર ઝંખના હતી. સોભાગભાઈ જેવા વિરલ પરમાર્થ પુરુષનો મેળાપ થતાં એ પરિપૂર્ણ થઈ. બંનેના હૃદયમાં આત્માનંદનાં પૂર ઊમટ્યાં. જાણે યુગોથી વિખૂટા પડ્યા હોય એવા બે મહાન આત્માઓનું ધરતી પર મિલન થયું. સોભાગભાઈને જેમ શ્રીમના પ્રથમ દર્શને પરમાર્થ ગુરભાવ પ્રગટ્યો એ જ રીતે શ્રીમદ્રના હૃદયમાં પણ શ્રી સોભાગભાઈના દર્શને કોઈ અપૂર્વ અવર્ણનીય ભાવ જાગ્યો. શ્રીમદ્ને આત્મદશાનું સ્મરણ થયું. પોતાના પૂર્વજન્મમાં કરેલી પરમાર્થમાર્ગની આરાધના યાદ આવી. અત્યાર સુધીની સાધનામાં પરમાર્થની જે કડી ખૂટતી હતી તે શ્રીમદુને સાંપડી. તેઓ આત્યંતિક પરમાર્થ-અનુભવમાં લીન થઈ ગયા. આમ સોભાગભાઈને કારણે ઉભય જ્ઞાનીઓને પરસ્પર અધ્યાત્મ યોગ સાંપડ્યો. શ્રી સોભાગભાઈના સત્સમાગમના અનુગ્રહથી, કપાપ્રસાદેથી પરમાર્થપ્રવૃત્તિમાં ઘણો વેગ આવે છે. હૃદયનો સંવેગ અત્યંત વધી જાય છે. | કેવું અદ્ભુત મિલન ! કેવો અનન્ય ઋણાનુબંધ ! કેવો અપૂર્વ યોગ ! શ્રી સોભાગભાઈ માત્ર પથદર્શક બન્યા નહીં, ફક્ત ગુરુના આજ્ઞાંકિત શિષ્ય બન્યા નહીં કે પરમસખા થયા નહીં, પરંતુ એમણે પથદર્શક, શિષ્યપદ અને પરમમિત્રનું પદ – એમ ત્રણેય પ્રાપ્ત કર્યા. શ્રીમદ્દ શ્રી સોભાગભાઈના આવા ત્રિવેણીસંગમનો આનંદ અનુભવવા લાગ્યા. વળી બંનેને પ્રથમ દર્શને ચરમ આનંદની પરમ અનુભૂતિ થઈ. આથી જ વિ. સં. ૧૯૪૬ના પ્રથમ ભાદરવા વદ ૧૩ના દિવસે શ્રીમદ્ સોભાગભાઈને પ્રથમ પત્ર લખે છે ત્યારે એ પત્રના મથાળે શંકરાચાર્યનું પ્રસિદ્ધ વચન ટાંકે છે. ‘ક્ષUTમgિ Mનસંપતિરે 7 મતિ ભવાઈfવતરને નૌT' (ક્ષણવારનો પણ સત્યરુષનો સમાગમ તે સંસારરૂ ૫ સમુદ્ર તરવાને નોકારૂપ થાય છે.) - આ વચનની યથાર્થતા દર્શાવી શ્રીમદ્ સોભાગભાઈને આવા ‘સજ્જન સન્દુરુષ' કહે છે. એ પછી તેઓ લખે છે, “આપે મારા સમાગમથી થયેલો આનંદ અને વિયોગથી અનાનંદ દર્શાવ્યો તેમ જ આપના સમાગમ માટે મને પણ થયું છે.” આનો અર્થ એ કે શ્રીમદ્દના સત્સમાગમથી જેમ શ્રી સોભાગભાઈ લાભાન્વિત થયા તે રીતે સોભાગભાઈના સમાગમથી શ્રીમદ્રને લાભ પ્રાપ્ત થયો. શ્રીમદ્ કરતાં શ્રી સોભાગભાઈ વયમાં ૪૪ વર્ષ મોટા હતા. આમ છતાં બંને વચ્ચે આત્માનંદનો સેતુ સધાયો. શ્રીમદ્ પરમાર્થરંગી શ્રી સોભાગભાઈ પ્રત્યે લખે છે, “પરમાર્થરૂપ થવું અને બીજા અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે. તથાપિ કંઈ તેવો યોગ હજુ વિયોગમાં છે.” - આમ શ્રીમદ્ પોતાની વર્તમાન સ્થિતિ દર્શાવે છે અને સોભાગભાઈને કહે છે કે ઉપાધિજન્ય સંયોગને લીધે હાલ પરમાર્થરૂ ૫ થવાનું અને અન્ય મુમુક્ષુઓને પરમાર્થ સાધનામાં સહાયક થવાનું શક્ય બનતું નથી, પરંતુ તેમનું પરમ ઉદાત્ત જીવનધ્યેય તો આ જ છે અને આ રીતે શ્રીમદ્ ‘આત્મવિવેકસંપન્ન ભાઈ શ્રી સોભાગભાઈ’ એવું સંબોધન કરીને પત્ર લખે છે અને એ પછી તો શ્રીમદે શ્રી સોભાગભાઈને લખેલા પત્રોની એકધારી પરંપરા જોવા મળે છે. Page #81 --------------------------------------------------------------------------  Page #82 -------------------------------------------------------------------------- ________________ ૩૩. મહામુમુક્ષની શ્રદ્ધાભક્તિ અમદાવાદમાં પોતાના મિત્ર શ્રી છગનલાલ-ભાઈને ત્યાં લગ્નપ્રસંગ હોવાથી વિ. સં. ૧૯૪પના ધોમધખતા વૈશાખ મહિનામાં શ્રી અંબાલાલભાઈ અને છોટાલાલભાઈ અમદાવાદ આવ્યા. આ સમયે તેમના પરિચિત જૂઠાભાઈ પણ આવ્યા હતા. વરઘોડો નીકળવાનો હતો ત્યારે એમાં સામેલ થવા માટે જૂઠાલાલભાઈને બોલાવવા અંબાલાલભાઈ અને અન્ય સ્વજનો આવ્યા. આ સમયે જૂઠાલાલભાઈ તો શ્રીમદ્રનો મેળાપ થતાં વૈરાગ્યના રંગે રંગાયા હતા. તેઓ શ્રીમદ્રના આવેલા પત્રોનું વાંચન કરતા હતા. આથી સ્વાભાવિક રીતે જ જૂઠાલાલભાઈનું મન રાગવૈભવને બદલે વીતરાગતાની વાતોમાં ડૂબેલું હતું. જૂઠાલાલભાઈને શ્રીમદ્ વિશે કંઈ કહેવાનો વિચાર આવ્યો, પરંતુ એમ થયું કે આ પ્રસંગે આવી વાતનો અર્થ શો ? આથી એમણે પોતાનું મન પાછું ખેચી લીધું, પરંતુ એટલુ બોલાઈ ગયું, ‘ક્યાં પ્રતિબંધ કરું ?” | શ્રી જૂઠાલાલભાઈનું આ વાક્ય અંબાલાલભાઈ કે અન્ય કોઈ સમજી શક્યું નહીં. એમણે જૂઠાલાલભાઈને પૂછયું કે, “તમે શું બોલ્યા ? તમારી વાત કંઈ સમજાતી નથી.” આ સમયે જૂઠાલાલભાઈએ થોડી જ્ઞાનવાર્તા કરી. સાંભળનારા તો આશ્ચર્યચકિત થઈ ગયા. એમણે જુઠાલાલભાઈને આગ્રહભેર પૂછવું પણ ખરું, “અપૂર્વ જ્ઞાનની આવી અનુપમ અધ્યાત્મરસિક વાતો તમે કોની પાસેથી જાણી ?” પ્રત્યુત્તરમાં જૂઠાલાલભાઈએ જ્ઞાનમૂર્તિ, વૈરાગ્યમૂર્તિ સત્યરુષ શ્રીમદ્દની વાત કરી. તેઓની મુક્તકંઠે સ્તુતિ કરી. એ પછી એમણે શ્રીમદે લખેલા કેટલાક પત્રો વાંચવા આપ્યા. જાણે ચિંતામણિરત્નનો કોઈ મહાભંડાર ખૂલી જાય તેવો અનુભવ આના વાંચનથી થયો. શ્રીમદ્ પ્રત્યે સહુની શ્રદ્ધા જાગી અને અંબાલાલભાઈએ તીવ્ર જિજ્ઞાસાથી પૂછયું, “આવા જ્ઞાની મહાત્માનાં દર્શનનો લાભ પામવા માટે અમે આતુર છીએ. તેઓ ક્યાં છે અને કેવી રીતે મળી શકે તે કહો.” જૂઠાલાલભાઈએ શ્રીમદ્દનું સરનામું આપ્યું અને એમની આજ્ઞા લઈને મળવા જવાનું કહ્યું. લગ્ન નિમિત્તે અમદાવાદ આવેલા અંબાલાલભાઈ જૂઠાલાલભાઈના મેળાપને કારણે પ્રબળ ધર્મજિજ્ઞાસા સાથે ખંભાત ગયા. એમણે શ્રીમદે જૂઠાલાલભાઈ પર લખેલા તમામ પત્રોની નકલ કરી લીધી. પ્રત્યક્ષ મળવાની આજ્ઞા મેળવવા માટે અંબાલાલભાઈએ પાંચ-છ પત્ર લખ્યા પછી જ શ્રીમદે તેઓને મળવા આવવાની હા કહી. આ સમયે જ્ઞાતિબંધુ ત્રિભોવનભાઈ માણેકચંદ સાથે ૨૦ વર્ષના અંબાલાલભાઈ શ્રીમનાં દર્શનાર્થે મુંબઈ આવ્યા. મુમુક્ષુનાં નેત્રો મહાત્માને ઓળખી લે છે. એ સુત્રને ચરિતાર્થ કરતાં પ્રથમ દર્શને જ શ્રીમમાં તેઓને અલૌકિક મહાત્માનાં દર્શન થયાં અને એમના સમાગમલાભથી અતિ આનંદ થયો. શ્રીમને પણ એમનામાં સાચી ધર્મજિજ્ઞાસા જોવા મળી. | વિ. સં. ૧૯૪૬ના ફાગણ સુદ છઠ્ઠના દિવસે લખેલા “મહાવીરના બોધને પાત્ર કોણ ?” એ શીર્ષક નીચે દસ સૂત્રવાળો પ્રથમ પત્રપ્રસાદીરૂપ બોધપત્ર ખાસ અંબાલાલભાઈ માટે લખ્યો હતો. ખંભાતનિવાસી અંબાલાલભાઈ અને અન્ય ભાઈઓ શ્રીમદ્ પાસેથી વારંવાર ધર્મશિક્ષાની યાચના કરતા અને માર્ગદર્શન માગતા. શ્રીમદ્ તેઓને તીર્થંકરદેવની વાણીની ભક્તિ કરીને વીતરાગ તત્ત્વની ઉપાસના કરવાનું કહેતા. સર્વ મુમુક્ષુઓના અગ્રણી એવા પાઈ શ્રીમદ્રની પરમ વિનયથી ભક્તિ કરતા. શ્રીમદ્ જે બોધ આપે તે અઠવાડિયા પછી પણ અક્ષરશ: લખી આપતા અને એને પરિણામે શ્રીમદની ઉપદેશામૃતધારાની સંક્ષિપ્ત નોંધ જગતને પ્રાપ્ત થઈ. આત્મસિદ્ધિશાસ્ત્ર’ સમયે હાથમાં ફાનસ લઈને ઊભેલા શ્રી અંબાલાલભાઈનું ચિત્ર માનસપ્રત્યક્ષ કરીએ ત્યારે પરમ ગુરુને ભક્તિપૂર્ણ સમર્પણ કરતાં અંબાલાલભાઈનું ચિત્ર આપણને શ્રદ્ધાભક્તિવિભોર કરી દે છે. USA) ROJG CCC C CC Page #83 --------------------------------------------------------------------------  Page #84 -------------------------------------------------------------------------- ________________ DOSTICS SCOOD SO DIST ૩૪. સત્યપરાયણ સત્સંગદt પારસમણિનો સ્પર્શ થાય અને લોહ પારસ બની જાય એ રીતે શ્રીમદ્દનો સમાગમ થતાં જૂઠાલાલભાઈએ નાની વયમાં જ ક્રમશ: ઊર્ધ્વ આત્મિક પ્રગતિ સાધી. શ્રીમદ્રના પ્રથમ સત્સંગી જૂઠાલાલભાઈ અને શ્રીમદ્ વચ્ચે પ્રગાઢ પારમાર્થિક અનુરાગ હતો. વિ. સં. ૧૯૪૪માં શ્રીમદ્ “મોક્ષમાળા' છપાવવા માટે અમદાવાદ આવ્યા ત્યારે શ્રી જઠાલાલભાઈનો પરિચય થયો અને જેમ જેમ એ પરિચય વધતો ગયો તેમ તેમ જ્ઞાની તરીકે શ્રીમદની ઓળખ વધુ થતી ગઈ. એ પછી શ્રીમદ્ અમદાવાદ આવતા ત્યારે જૂઠાભાઈને ત્યાં ઊતરતા. મોરબી અને ભરૂચમાં જૂઠાલાલભાઈ શ્રીમદ્ સાથે રહ્યા હતા. બંને વચ્ચે પરોક્ષરૂ પે અવિરત પત્રવ્યવહાર ચાલતો હતો. જૂઠાલાલભાઈની આંતરિક ગુણસમૃદ્ધિને કારણે શ્રીમદે એમને માટે ‘સત્યપરાયણ ' એવું વિશેષણ નામરૂપે યોજ્યું, પરંતુ એમનાં કુટુંબીજનો તેઓ શ્રીમદૂનો સત્સંગ કરે તેની નિંદા કરતા હતા. આને પરિણામે જૂઠાલાલભાઈ ખેદ અનુભવતા હતા. તે સમયે આવો ખેદ રાખવાને બદલે શ્રીમદ્ એમને કહેતા કે જગત ગમે તે બોલે, પણ આત્મા બંધનરહિત થતો હોય અને સમાધિદશા પામતો હોય તો તેમ કરી લેવું. શ્રીમદ્ પ્રત્યે પરમ પ્રશસ્ત પ્રેમ અને ગુણાનુરાગ ધરાવતા શ્રી જૂઠાલાલભાઈને વિ. સં. ૧૯૪૪ના ચૈત્રથી ૧૯૪૬ના અષાઢ સુધી બે વર્ષનો શ્રીમદ્ સાથેનો અધ્યાત્મકાળ મળ્યો. આટલા અલ્પ સમયમાં પણ શ્રીમદે પાંચેક માસ જેટલો સાક્ષાત્ દર્શન-સમાગમનો લાભ આપીને જૂઠાલાલભાઈને કૃતાર્થ કર્યા. વિ. સં. ૧૯૨૩ના કારતક સુદ બીજના દિવસે જન્મેલા જૂઠાલાલભાઈએ અંગ્રેજી ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો અને શ્રીમદ્દનો સંગ મળતાં એમની ભક્તિમાં રંગ આવ્યો હતો. આવા સત્સંગીને શ્રીમદે વીસેક પત્રો લખ્યા. ૨૩ વર્ષનું અલ્પ આયુષ્ય ભોગવનાર જૂઠાલાલભાઈનું શરીર છેલ્લાં બે વર્ષ રોગગ્રસ્ત રહ્યું. આ સમયે શ્રીમદ્ પત્રો દ્વારા એમને આત્મકલ્યાણના પથ તરફ લઈ ગયા. આમ જૂઠાલાલભાઈમાં સમ્યભાવથી વેદનીય કર્મ વેદે તેવી અદ્ભુત સમતા હતી. એમના હૃદયમાં મોહનીય કર્મનાં કોઈ આવરણો નહોતાં. આવા પવિત્ર આત્મા જૂઠાલાલભાઈમાં મુમુક્ષુતા મહોરી ઊઠી. જુઠાલાલભાઈને પોતાના ધર્મગુરુ શ્રીમદૂનો એવો વિરહ સાલતો કે જેનાથી એમના શરીર પર અસર થતી. આવા પરમ સદ્ગુરુના અપૂર્વ નિમિત્તનો લાભ પોતે પૂર્ણતયા લઈ શકતા નથી તેનો ખેદ રાખતા હતા. શ્રીમદૂનાં દર્શન માટે પ્રતિક્ષણ તલસાટ અનુભવતા જૂઠાલાલભાઈને શ્રીમદ્ પૈર્ય અને સાંત્વના આપતા હતા. જૂઠાલાલભાઈના દેહોત્સર્ગ અંગે બે મહિના પૂર્વે પોતાના જ્ઞાનબળથી જાણીને શ્રીમદે નોંધ લખેલી : આ ઉપાધિમાં પડ્યા પછી મારું લિંગદેહજન્ય જ્ઞાનદર્શન તેવું જ રહ્યું હોય તો જૂઠાભાઈ અષાઢ સુદ નોમ ગુરુવારની રાત્રે સમાધિશીલ થઈ આ ક્ષણિક દેહનો ત્યાગ કરી જશે.” આમ સમાધિમરણ માટે શ્રીમદે તેમને જાગ્રત કરીને શુદ્ધભાવની શ્રેણીને વિસ્મૃત ન કરવા માટે વિનંતી કરી હતી. શ્રીમદે કહ્યું હતું તે પ્રમાણે શ્રી જૂઠાલાલભાઈ સમાધિસ્થ થયા. અષાઢ સુદ નોમના રાત્રિને બદલે દિવસે એમણે આ ક્ષણિક જીવનનો ત્યાગ કર્યો. અત્યંત આર્તસ્વરે પરમ પરમાર્થ દાખવતા શ્રીમદે જૂઠાલાલભાઈને ભવ્ય અંજલિ અર્પતાં કહ્યું, “અરેરે ! એવા ધર્માત્માનું ટૂંકું જીવન આ કાળમાં હોય એ કંઈ વધારે આશ્ચર્યકારક નથી. એવા પવિત્રાત્માની આ કાળમાં ક્યાંથી સ્થિતિ હોય ? બીજા સંગીઓના એવા ભાગ્ય ક્યાંથી હોય કે આવા પવિત્રાત્માના દર્શનનો લાભ અધિકકાળ તેમને થાય ? મોક્ષમાર્ગને દે એવું સમ્યક્ત્વ જેના અંતરમાં પ્રકાર્યું હતું, એવા પવિત્રાત્મા જૂઠાભાઈને નમસ્કાર હો ! નમસ્કાર હો !” Page #85 -------------------------------------------------------------------------- ________________ VOCYTYYTOVATO - - - Page #86 -------------------------------------------------------------------------- ________________ ૩૫. દર્શનtતુર મુનિરાજ ધોમધખતા તાપમાં અમૃતવર્ષા થાય તે કેવું ? વિ. સં. ૧૯૪પના વૈશાખમાં અમદાવાદ આવેલા ખંભાતના અંબાલાલભાઈ અને છોટાલાલભાઈને જૂઠાલાલભાઈનો પરિચય થયો. અહીં જૂઠાલાલભાઈ પાસેથી જ્ઞાની શ્રીમદ્ વિશે ઘણી વાતો સાંભળી તેમજ શ્રીમદ્ના પત્રો પણ વાંચ્યા. આથી અંબાલાલભાઈએ ખંભાત ગયા પછી શ્રીમદુને ખંભાતમાં પધારવા માટેની વિનંતી કરતા પત્રો લખ્યા. સાથે એવી વિજ્ઞપ્તિ પણ કરી કે જો શ્રીમદ્ ખંભાત ન આવે તો તેમના સમાગમ માટે વવાણિયા કે મુંબઈ આવવાની અનુમતિ મોકલે. એવામાં અનુકૂળતાએ ખંભાત આવશે એવો શ્રીમનો પત્ર મળતાં અંબાલાલભાઈ અને એમના સાથીઓના આનંદનો પાર ન રહ્યો. | અંબાલાલભાઈ અને એમના સાથીઓ નિયમિતપણે ઉપાશ્રય જતા હતા, પરંતુ શ્રી જુઠાભાઈના સમાગમ બાદ તેઓ વ્યાખ્યાનમાં બેસવાને બદલે કોઈ એકાંત જગ્યાએ બેસીને શ્રીમદ્દના જે પત્રો ઉતારીને લાવ્યા હતા તેનું વાચન અને મનન કરતા. આવી રીતે એક વાર વાચન-મનન ચાલતું હતું ત્યારે બીજી બાજુ ઉપાશ્રયના પહેલા માળે આચાર્યશ્રી હરખચંદજી મહારાજ વ્યાખ્યાન આપતા હતા. આ સમયે ઉપાશ્રયમાં રહેલા પ્રભાવશાળી અને વિનયસંપન્ન મુનિશ્રી લલ્લુજીએ ધર્મસ્નેહથી શ્રી અંબાલાલભાઈને પૂછયું કે તેઓ ઉપાશ્રયમાં નીચે બેસીને શું કરે છે ? ઉપર વ્યાખ્યાન સાંભળવા કેમ જતા નથી ? અંબાલાલભાઈએ એમને શ્રીમદના વ્યક્તિત્વની અને તેઓ સર્વ આગમના જ્ઞાતા હોવાની વાત કરી. એમ પણ કહ્યું કે તેઓ આપણી અધ્યાત્મજિજ્ઞાસાનું યોગ્ય સમાધાન કરી આપે છે. આ સાંભળતાં મુનિશ્રી લલ્લુજીને શ્રીમદ્રને મળવાની પ્રબળ ઉત્કંઠા જાગી. આનું કારણ એ હતું કે વર્ષોથી એમના ચિત્તમાં અમુક ધર્મવિષયક શંકાઓ હતી અને એનું કોઈની પાસેથી એમને સમાધાન મળ્યું નહોતું. મુનિશ્રી લલ્લુજીએ અંબાલાલભાઈને કહ્યું, “એમને તે પુરુષનો મેળાપ કરાવી આપશો ?” અંબાલાલભાઈએ એમની વિનંતી માન્ય રાખી. મુનિશ્રી લલ્લુજી આંતર અને બાહ્ય તપ કરતા હતા તેમજ એમની ધર્મભાવના માટે સર્વત્ર આદર પામતા હતા. આવા મુનિશ્રી લલ્લુજીનો જન્મ સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશના વટામણ ગામમાં વિ. સં. ૧૯૧૦માં કસેલીબાઈની કુખે થયો. ગામઠી નિશાળમાં એમણે અભ્યાસ કર્યો. બીજાં બાળકોના પ્રમાણમાં ઓછી યાદશક્તિ હોવાથી થોડા અભ્યાસ બાદ દુકાને બેસવાનું શરૂ કર્યું. | મુનિશ્રી લલ્લુજી સાથે રોજ ઉપાશ્રયે જઈને સામાયિક કરનારા દેવકરણ ભાવસારે પણ દીક્ષા લીધી. તેઓ મુનિશ્રી લલ્લુજીના ચેલા બન્યા. મુનિશ્રી લલ્લુજી સરળતા, ગુરુભક્તિ અને પુણ્યપ્રભાવ ધરાવતા હતા અને એમના મનની શંકાઓનું સમાધાન સાધતા હતા. વિ. સં. ૧૯૪૬માં અંબાલાલભાઈના આગ્રહને કારણે શ્રીમદ્ ખંભાતમાં પધાર્યા અને એમના ઘરે જ ઊતર્યા. અંબાલાલભાઈ અને તેમના પિતા લાલચંદભાઈ શ્રીમદ્ભને ઉપાશ્રયમાં લઈ ગયા. અહીં મુખ્ય આચાર્યશ્રી હરખચંદજી મહારાજ અને તેમના શિષ્ય શ્રી લલ્લુજી મુનિ બેઠા હતા. મુનિરાજે પોતાની મુશ્કેલીઓ કહી. શ્રીમદે એમના પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો આપ્યો. આમ પ્રથમ દર્શને જ અગાધ પૂજ્યભાવ ઉત્પન્ન થયો. એમને લાગ્યું કે નક્કી આ કોઈ ઉત્તમ પુરુષ છે. & vale Use only Page #87 -------------------------------------------------------------------------- ________________ CASCONVOY Page #88 -------------------------------------------------------------------------- ________________ ૩૬, સંસારી પરમાર્થ ગુરુ ખંભાતમાં પ્રથમ મેળાપે જ ઉત્તમ પુરુષનાં દર્શનના આનંદથી મુનિશ્રી લલ્લુજીનું અંત:કરણ ભાવવિભોર બની ગયું. પોતાના ગુરુ હરખચંદજી મહારાજની આજ્ઞા મેળવીને મુનિશ્રી લલ્લુજી શ્રીમન્ને સાથે લઈને ઉપાશ્રયના મેડા પર ગયા. વયમાં તો મુનિશ્રી લલ્લુજી શ્રીમથી ચૌદ વર્ષ મોટા હતા, પરંતુ એમના હૃદયમાં શ્રીમદ્ પ્રત્યે એટલો બધો પુજ્યભાવ ઊભરાયો હતો કે એમણે ઉપાશ્રયના મેડા પર જઈને શ્રીમદને સાષ્ટાંગ નમસ્કાર કર્યો. શ્રીમદ્જીએ તેમને આવું કરતાં અટકાવ્યા, કિંતુ મુનિશ્રી લલ્લુજીએ તો આનંદ અને ઉમંગથી, અટક્યા વગર શ્રીમદ્દને ત્રણ સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર કર્યા. | બાહ્ય દૃષ્ટિએ સામાન્ય લાગતી ઘટના સમય જતાં મહત્ત્વપૂર્ણ સાબિત થતી હોય છે. આ સામાન્ય લાગતી ઘટનામાંથી અસામાન્ય ઘટનાક્રમ સર્જાયો. એના કારણે અનેક માનવીઓનાં જીવનપરિવર્તન થયાં. કેટલાયને અસત્યની અંધારી કોટડીમાંથી બહાર લાવીને સત્યની ઝાંખી કરાવી. કદાગ્રહ કે પર્વગ્રહમાં બંધાયેલા આત્માઓને તત્ત્વજ્ઞાનરૂપી આકાશમાં નિરાગ્રહીપણે વિહાર કરાવ્યો. મુનિશ્રી લલ્લુજી પ્રતિભાશાળી અને સન્માનનીય સાધુ હતા. એમનો જન્મ ધનાઢ્ય કુટુંબમાં થયો હતો. ધનિક પિતા કષ્ણદાસ ગોપાલજીના એકમાત્ર સંતાન લલ્લુજીએ અઢળક સંપત્તિનો ત્યાગ કરીને દીક્ષા લીધી હતી. એ સમયે ખંભાતના સંઘાડામાં માત્ર ચાર જ સાધુઓ હતા, કિંતુ મુનિશ્રી લલ્લુજીએ દીક્ષા ગ્રહણ કર્યા પછી એની સંખ્યા બમણી થઈ ગઈ. પાંચ-છ વર્ષમાં તો તેઓ સર્વ સાધુઓમાં પ્રધાનપદ પામ્યા. એમણે સાધુતા સ્વીકારી, તે પછી એમના સંઘાડામાં સાધુઓની સંખ્યા વધતાં તેમનાં પગલાં મંગલકારી ગણાતાં હતાં. યુવાવસ્થામાં સાધુતા ગ્રહણ કરનાર મુનિશ્રી લલ્લુજી કવિ તરીકે પણ પ્રસિદ્ધ થયા. - આવા પ્રભાવક મુનિરાજ એક ગૃહસ્થને ત્રણ દંડવત્ નમસ્કાર કરે તે કેવું આશ્ચર્ય ! શ્રીમદે મુનિને તેમની ઇચ્છા શું છે તે વિશે પૂછવું, ત્યારે મુનિએ કહ્યું કે એવી ઇચ્છા છે કે બ્રહ્મચર્યનું દેઢત્વ થાય અને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. મુનિશ્રી લલ્લુજીની આ ભાવના સાંભળીને શ્રીમદ્દ થોડી વાર મૌન રહ્યા અને પછી બોલ્યા : 'ઠીક છે.' | શ્રીમદે મુનિશ્રી લલ્લુજીના જમણા પગનો અંગૂઠો તાણીને એના પરનાં ચિહ્નો તપાસી જોયાં. એ પછી ઉપાશ્રયના મેડા પરથી નીચે ઊતર્યા. રસ્તામાં અંબાલાલભાઈને એમણે કહ્યું કે શ્રી લલ્લુજી પૂર્વના સંસ્કારી પુરુષ છે. એ પછી મુનિશ્રી લલ્લુજીને એક વાર શ્રીમદે પૂછયું, “તમે શા માટે અમને માન આપો છો ?” તેના ઉત્તરમાં મુનિએ કહ્યું, “તમને જોઈને તમારા પ્રતિ ઘણો પૂજ્યભાવ થતો હતો, અને હર્ષ થતો હતો. વળી પૂર્વભવના પિતા હો તેવો ભાવ આવતો હતો અને આત્મામાં નિર્ભયતા આવતી હતી, એટલે તમને માન આપીએ છીએ.” | ઉપાશ્રયમાં પધારેલા શ્રીમદે ‘શ્રી સૂયગડાંગ સૂત્ર'માંથી થોડું વિવેચન કર્યું. દસમા ઠાણાંગના ભાવ વાંચી સંભળાવ્યા. આ પ્રસંગે વર્તમાનમાં ક્ષાયિક સમકિત હોય કે ન હોય, તે બાબતની ચર્ચા ચાલી અને એ પછી શ્રીમદે ‘ઠાણાંગ સૂત્ર ’માંથી મળતા પાઠનો અર્થ મૌલિક અર્થગંભીર શૈલીથી કર્યો કે જેથી શંકાઓનું સમાધાન થયું. આમ થયેથી હરખચંદ મહારાજનાં ચિત્તમાં પણ આ નવીન અર્થે નવો વિચાર-ચમત્કાર સર્યો અને એમણે શ્રીમદ્દને નમસ્કાર કર્યો. એનાથી મુનિરાજને નવા અર્થ અને મર્મનું દર્શન થયું. મુનિરાજે પોતાના ગુરુ તરીકે ગૃહસ્થને સ્વીકાર્યો હોય તેવી વિરલ ઘટના સજોઈ. શ્રીમદૃના ત્યાગી જીવનનો કેવો પ્રભાવ ! Page #89 --------------------------------------------------------------------------  Page #90 -------------------------------------------------------------------------- ________________ ૩૭. રાજના સાચા લઘુરાજ ખંભાતના અંબાલાલભાઈના કારણે મુનિશ્રી લલ્લુજી શ્રીમદ્દના સમાગમમાં આવ્યા. વિ. સં. ૧૯૪૬ના આસો મહિનામાં શ્રીમદ્ સાત દિવસ ખંભાતમાં રહ્યા અને સાતેય દિવસ મુનિશ્રી લલ્લુજીએ અંબાલાલભાઈને ઘેર જઈને સત્સંગનો લાભ મેળવ્યો. શ્રીમદ્દના સમાગમનો લાભ મેળવવા અતિ આતુર મુનિશ્રી લલ્લુજીએ મુંબઈમાં ચાતુર્માસ કરવાનું નક્કી કર્યું. શ્રીમદે એમની ભાવના જાણી તેથી કહ્યું કે આપને કોઈ વિશેષ મુશ્કેલી ન હોય, તો સત્સમાગમ માટે પેઢી પર રોજ એક કલાક પધારો. મુનિશ્રી લલ્લુજી રોજ એક કલાક શ્રીમની મુંબઈની પેઢી પર ત્રણ-ચાર માઈલનો વિહાર કરીને જતા હતા. એ સમયે શ્રીમદ્ વેપારનો કાર્યભાર છોડીને મુનિરાજ સાથે સત્સમાગમમાં જોડાઈ જતા. એક વાર શ્રીમદે મુનિરાજને પૂછયું, ‘તમે અમને શાથી ઓળખ્યા ?' ત્યારે મુનિરાજે કહ્યું, ‘અંબાલાલભાઈના કહેવાથી.” અન્યત્ર મુનિશ્રી લલ્લુજીએ એમ પણ કહ્યું કે અનાદિ કાળથી રખડીએ છીએ માટે અમારી સંભાળ લો. એક વાર મુનિશ્રી લલ્લુજીએ પોતાના ત્યાગને દર્શાવવા શ્રીમદ્રને કહ્યું કે મેં સાધનસંપન્ન કુટુંબ, વૈભવ, વૃદ્ધ માતા, બે પત્ની, એક પુત્ર આદિનો ત્યાગ કરીને દીક્ષા લીધી છે. મુનિરાજનો ત્યાગનો આવો ગર્વ ઓગાળી નાખવા શ્રીમદ્જી તાડૂકીને બોલ્યા, ‘શું ત્યાખ્યું છે ? એક ઘર છોડી કેટલાં ઘર (શ્રાવકોનાં) ગળે નાખ્યાં છે ? બે સ્ત્રીનો ત્યાગ કરી કેટલી સ્ત્રીઓ પ્રત્યે દૃષ્ટિ ફરે છે ? એક પુત્ર ત્યાગી કેટલા છોકરા પ્રત્યે પ્રીતિ થાય છે ?' આ સાંભળી મુનિશ્રી લલ્લુજીને સ્વદોષોનું દર્શન થયું. બાહ્ય ત્યાગનો અહમ્ ઓગળી ગયો. અત્યંત લઘુતાપૂર્વક મુનિરાજે કહ્યું, ‘હું ત્યાગી નથી.' ત્યાં જ શ્રીમદ્ બોલી ઊઠ્યા, મુનિ, હવે તમે ત્યાગી છો.” અંતરથી આસક્તિ છૂટવી ઘણી મુશ્કેલ છે, પરંતુ જો એક વાર સત્પુરુષના ચરણમાં તે વસી જાય તો મુક્તિદાયિની બની રહે છે. શ્રીમદે મુનિશ્રી લલ્લુજીને ‘સમાધિશતક'ની પહેલી સત્તર ગાથા અર્થસહિત વાંચી-સંભળાવી અને એ પછી બાકીના ભાગનું વાંચન-મનન કરવા માટે એ પુસ્તક મુનિરાજને આપ્યું. મુનિશ્રી લલ્લુજી એ લઈને ચાલ્યા. નીચે ઊતરવા માટે દાદર સુધી પહોંચ્યા હશે, ત્યાં તો શ્રીમદે એમને પાછા બોલાવ્યા અને પુસ્તકના પ્રથમ પૃષ્ઠ પર ‘આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે’ એ અપૂર્વ લીટી લખી આપી. શ્રીમદ્જી પાસેથી મુનિ લલ્લુજી અવારનવાર મૌન વિશે બોધ પામતા હતા. વિ. સં. ૧૯૪૯નું ચાતુર્માસ પૂર્ણ થતાં મુનિએ ત્રણ વર્ષ માટે મૌન ધારણ કર્યું. એમાં અપવાદરૂપે પોતાના સાધુઓ સાથે બોલવાની અને શ્રીમદ્જી સાથે સત્સમાગમ કરવાની મોકળાશ રાખી હતી. આ પછી મુનિ લલ્લુજી અને શ્રીમદ્ વચ્ચે જ્ઞાનવાત થતી રહી. મુનિશ્રીની લઘુતા અને વિનમ્રતાને કારણે તેઓ લઘુરાજસ્વામી તરીકે જાણીતા થયા હતા. LUOTTOTYYTETTOYECTOS ૯ * - Page #91 -------------------------------------------------------------------------- ________________ XUOTOSHOOTCUTOCYTOYOTDATOTO Page #92 -------------------------------------------------------------------------- ________________ ૩૮. નિજ સ્વરૂપ અદભાસ્યું રે વિ. સં. ૧૯૪૬ના પ્રથમ ભાદરવા માસમાં શ્રી સોભાગભાઈ અને શ્રીમદ્ના જેતપુરમાં પહેલો થયેલો મેળાપ નવીન અધ્યાત્મદર્શન જગાડી ગયો. એ પછી શ્રીમદ્જી આંતરિક દશા ઉત્તરોત્તર વધતી ગઈ. આ બંને વચ્ચે એવો આત્મિક સંબંધ બંધાયો કે ભલે એમનો પ્રત્યક્ષ સમાગમ ક્યારેય પંદર દિવસથી સળંગ વધુ થયો નહીં, કિંતુ એમની વચ્ચે પત્રો દ્વારા પરસ્પરની આંતરિક અનુભૂતિનું આદાન-પ્રદાન થતું રહ્યું. આ પત્રોમાં શ્રીમદે પોતાના હૃદયની ઘણી વાતો હૃદયરૂ૫ ‘આત્મવિવેકસંપન્ન : ભાઈશ્રી સોભાગભાઈ” એવા સંબોધન સાથે લાંબા પત્રથી પ્રગટ કરી. બંનેના મેળાપના બીજા જ મહિને વવાણિયાથી શ્રીમદે શ્રી સોભાગભાઈને એક પત્ર લખી જણાવ્યું કે એક અદ્વિતીય પરમાર્થ વિશેનું મનન અહર્નિશ ચાલ્યા કરે છે. “આવું ‘દિનરાત રહે ત૬ ધ્યાન મહીં' કોને થાય ?’ જેને આ પરમાર્થ વિશે જીવનમાં પરમ રસનો અનુભવ થયો હોય તેને ?” આવી આત્મખુમારી અનુભવતા બ્રહ્મરસના ભોગી શ્રીમદ્ રાજચંદ્રજીએ ૧૯૪૭ની કારતક સુદ પાંચમને જ્ઞાનપંચમીના મંગળ દિવસે લખેલા પત્રમાં ‘પરમ પૂજ્ય, કેવલબીજ સંપન્ન, સર્વોત્તમ ઉપકારી શ્રી સોભાગભાઈ” એવું સંબોધન કર્યું. આમાં ‘કેવલબીજ સંપન્નઅને ‘સર્વોત્તમ ઉપકારી’ એવાં બે સૂચક વિશેષણોથી શ્રીમદે સૂચવ્યું. છે કે શ્રી સોભાગભાઈ કેવળજ્ઞાનના બીજને પામ્યા છે. વળી શ્રી સોભાગભાઈના નિમિત્તે પોતાને પૂર્વાનુભૂત આત્મદશાનું સ્મરણ થવાથી તેમને પોતાના સર્વોત્તમ ઉપકારી કહે છે. શ્રીમદ્ માર્મિક રીતે એક સ્થળે લખે છે : ‘આપના પ્રતાપે આનંદવૃત્તિ છે, પ્રભુ પ્રતાપે ઉપાધિજન્યવૃત્તિ છે.” અન્યત્ર લખે છે, ‘સર્વ સમર્થ પુરુષો આપને પ્રાપ્ત થયેલા જ્ઞાનને જ ગાઈ રહ્યા છે.' - આમ શ્રીમદ્રની અધ્યાત્મદશા અને પરમસખા સાથેની અધ્યાત્મમંત્રી શ્રી સોભાગભાઈ પર લખાયેલા ૨૬૦ જેટલા લાંબા પત્રોથી પામી શકાય છે. શ્રીમદૂનો દર્શનમોહ સર્વથા વિલય થાય છે અને દર્શનમોહના આત્યંતિક અભાવથી આત્માને પ્રત્યક્ષ, સાક્ષાત્, પ્રગટ અનુભવ્યો છે. વિ. સં. ૧૯૪૭માં શુદ્ધ, સમ્યક્દર્શનનો શ્રીમદ્દના જીવનમાં મહાન પ્રસંગ સર્જાયો. ‘ઓગણીસસેને સુડતાલીસ, સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે, શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે, | ધન્ય રે દિવસ આ અહો !' પોતાના હૃદયરૂપ શ્રી સોભાગભાઈને શ્રીમદ્ સમક્ષ સૌપ્રથમ પોતાને લાધેલા આત્મજ્ઞાનની વાત જણાવતાં શ્રીમદે વિ. સં. ૧૯૪૭ના કારતક સુદ ૧૪ના રોજ લખ્યું : “આત્મજ્ઞાન પામ્યો એ તો નિઃશંસય છે; ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે.' એ પછી શ્રીમદ્ સોભાગભાઈ પરના એમના પત્રો દ્વારા તન્મય આત્મયોગની અધ્યાત્મ-સ્થિતિની ગહન અનુભૂતિ આલેખે છે. વિ. સં. ૧૯૪૭ના મહા વદ ૩ના રોજ પરમસખા શ્રી સોભાગભાઈને લખે છે, ‘આજના પ્રભાતથી નિરંજનદેવની કોઈ અદ્દભુત અનુગ્રહતા પ્રકાશી છે અને ઘણા દિવસ થયા ઇરશ્કેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે.’ આમ શ્રીમદે શ્રી સોભાગભાઈ પાસે પોતાની આંતરિક મન:સ્થિતિ જેટલી પ્રગટ કરી હતી અને જેટલો પોતાનો અધ્યાત્મ-આલેખ પત્રોરૂપે લખ્યો હતો, તેટલો અન્ય કોઈ પાસે મળતો નથી.' Page #93 -------------------------------------------------------------------------- ________________ ) * ROULOTTUTOYOYOTVOVATOIOVA ૌ જ રાજચંદ્રક ધર્ષ ૨૪ ગાંધીજી વર્ષ ૨૦ મુલાક્ષાત ગાંધીજી સાથે સંવત 19 મુનઈ. Page #94 -------------------------------------------------------------------------- ________________ THO ૩૯. ગાંધીજીના પથદર્શક વિશ્વના ઇતિહાસમાં એક વિરલ ઘટનાનું સર્જન થાય છે. આ સર્જન એટલે શ્રીમદ્ રાજચંદ્રજી અને મહાત્મા ગાંધીજીનો મેળાપ. વિ. સં. ૧૯૪૭ના જેઠ માસમાં મહાત્મા ગાંધીજી બ્રિટનમાં બૅરિસ્ટર થઈને હિંદુસ્તાન આવ્યા. તે દિવસે મુંબઈમાં શ્રીમના કાકાજી સસરા અને ભાગીદાર શ્રી રેવાશંકર જગજીવનના ભાઈ ડૉ. પ્રાણજીવનભાઈ મહેતાના નિવાસસ્થાને બૅરિસ્ટર મોહનદાસ ગાંધી ઊતર્યા હતા. શ્રીમદ્ પણ એ જ દિવસે ત્યાં આવ્યા. અહીં ગાંધીજી અને શ્રીમદ્દજીનો પ્રથમ પરિચય થયો. હિંદુસ્તાનમાં આવ્યા બાદ ગાંધીજી વકીલાત કરવા માટે મુંબઈ રોકાયા, ત્યારે ગાંધીજી પાસે સમયનો ઘણો અવકાશ હતો. આથી તેઓ શ્રીમદૂને એમની પેઢી પર વારંવાર મળવા જતા. આ સમયે ગાંધીજી શ્રીમના આચાર, વિચાર અને વ્યવહારનું સૂક્ષ્મ નિરીક્ષણ કરતાં કહે છે: “શ્રીમદ્ ભોજનમાં જે મળે તેથી સંતુષ્ટ રહેતા. પહેરવેશ સાદો પહેરતા. આખું અંગરખું, ખેશ, ગરભસૂતરો, ફેંટો અને ધોતી. તેમની ચાલ ધીમી હતી. અને જોનાર પણ સમજી શકે કે ચાલતાં પણ આત્મવિચારમાં મગ્ન છે. આંખમાં ચમત્કાર હતો. અત્યંત તેજસ્વિતા - વિવળતા જરાયે ન હતી.” પુષ્પના સૌરભથી જેમ મધુકર આકર્ષાય, તેમ પ્રથમ પરિચયે જ મહાત્મા ગાંધીજીને શ્રીમદ્જીના આંતર-બાહ્ય વ્યક્તિત્વનું આકર્ષણ થયું હતું. ગાંધીજીએ સૂક્ષ્મ, ગુણગ્રાહ્ય દૃષ્ટિથી શ્રીમદ્જીના જીવનવ્યવહારમાંથી ઘણી ગુણસમૃદ્ધિ આત્મસાત્ કરી લીધી. મહાત્મા ગાંધીજીના ચારિત્ર્યના નિર્માણના પાયામાં છે શ્રીમની પ્રતિભાનો પાવન સ્પર્શ અને એમના આંતરિક આનંદમય વ્યક્તિત્વનો સાક્ષાત્ અનુભવ. શ્રીમની આંખની જ્યોતિર્મયતા, વ્યવહારની સ્વસ્થતા અને આત્મવિચારની નિમગ્નતા – આ બધી બાબતોએ મહાત્મા ગાંધીજીના વ્યક્તિત્વઘડતરમાં પ્રચ્છન્નપણે ફાળો આપ્યો. મહાત્મા ગાંધી સ્વયં કહે છે, “મારા જીવન પર શ્રી રાજચંદ્રભાઈનો એવો સ્થાયી પ્રભાવ પડ્યો કે, હું એનું વર્ણન કરી શકતો નથી. હું કેટલાંય વર્ષોથી ભારતમાં ધાર્મિક પુરુષની શોધમાં છું, પરંતુ એમના જેવા ધાર્મિક પુરુષ હિંદમાં હજુ સુધી મેં જોયા નથી. યુરોપના તત્ત્વજ્ઞાનીઓમાં હું ટૉલ્સ્ટૉયને પ્રથમ શ્રેણીના અને રસ્કિનને બીજી શ્રેણીના વિદ્વાન સમજું છું, પરંતુ રાજચંદ્રભાઈનો અનુભવ એ બંનેથી ચઢેલો હતો.” શ્રીમદ્ સાથે ગાંધીજીનો પત્રવ્યવહાર બહોળો હતો પરંતુ ક્મભાગ્યે આપણને માત્ર ત્રણ જ પત્રો ઉપલબ્ધ છે, છતાં ગાંધીજીની વિવિધ ધર્મો વિશેની અને ધર્મના મર્મ અંગેની તીવ્ર મથામણમાં શ્રીમના આ પત્રોએ એમને ધર્મપરિવર્તન કરતા અટકાવ્યા હતા. ગાંધીજીએ બૅરિસ્ટરની બુદ્ધિને છાજે એવા વ્યાવહારિક-પારમાર્થિક એવા આત્મા, ઈશ્વર, મોક્ષ, ધર્મ, પુનર્જન્મ, પશુઓ અને ઈસુ ખ્રિસ્ત વિશે અનેક પ્રશ્નો શ્રીમને પૂછ્યા હતા. એના ઉત્તરો શ્રીમદે પ્રજ્ઞા અને અનુભવજ્ઞાનથી આપ્યા હતા. 1 શ્રીમદ્ અને ગાંધીજી વચ્ચેનો આ અભૂતપૂર્વ યોગ ભારત માટે, ભારતીય સંસ્કૃતિ માટે અને માનવજાત માટે અતિ મહત્ત્વપૂર્ણ અને ફળદાયી નીવડ્યો. એક જ સદીમાં બે મહાન વિભૂતિઓએ ભારતમાં – ગુજરાતની ધરતી પર અને સૌરાષ્ટ્રની ભૂમિમાં જન્મ ધારણ કર્યો તે કેવી ભવ્ય ઐતિહાસિક ઘટના કહેવાય. બંને સત્યપુરુષોએ માનવીય ગૌરવ પ્રસ્થાપિત કર્યું હતું. Page #95 --------------------------------------------------------------------------  Page #96 -------------------------------------------------------------------------- ________________ ૪૦. ભક્તશિરોમણિની અનન્ય ભક્તિ મુમુક્ષુ અંબાલાલભાઈના જીવનને યોગ્ય માર્ગદર્શન આપીને ઉચ્ચ આત્મદશાએ પહોંચાડનાર સદગુરુ શ્રીમદ્ હતા તો બીજી બાજુ અંબાલાલભાઈ પણ શ્રીમદૂની અધ્યાત્મ-સાધનામાં સદાય સદૈવ સહાયરૂપ બની રહ્યા. શ્રીમદૂની હસ્તપ્રતોની નકલ કરવી કે પછી શ્રીમદ્દના નિવૃત્તિકાળની સઘળી વ્યવસ્થા કરવાનું કામ અંબાલાલભાઈના શિરે હતું. બંને વચ્ચેનો પ્રગાઢ ગુરુ-શિષ્યસંબંધ એમના પત્રોમાં અને પ્રસંગોમાં પ્રગટ થાય છે. | વિ. સં. ૧૯૪૭માં પૂર્વના સંસ્કારી, ઉત્તમોત્તમ ક્ષયોપશમવાળા અને એકનિષ્ઠ ભક્તિભાવ ધરાવતા અંબાલાલભાઈના સમગ્ર જીવનનું કેન્દ્ર શ્રીમદ્ બની ગયા અને અંબાલાલભાઈ પણ અથાગ શ્રદ્ધા અને અનન્ય ભક્તિથી શ્રીમદ્ પ્રત્યે તન્મય બની ગયા. આવી તન્મયતાને કારણે અંબાલાલભાઈની પત્ની કે માતાપિતાની ઉપેક્ષા થઈ હતી. આ વાત શ્રીમદે જાણી ત્યારે અંબાલાલભાઈને એમના જીવનકર્તવ્યનો ખ્યાલ આપતા પોતાની સેવામાંથી જવાની આજ્ઞા કરતાં કહ્યું, “તેમના મનને સંતોષો. ગમે તે રીતે સામાને સમજાવીને, રાજી રાખીને ધર્મ સાધવો; દુભવણી ન કરવી.” | શ્રીમદે કરેલી આજ્ઞાથી અંબાલાલભાઈએ આવી ભૂલ પુનઃ ક્યારેય કરી નહીં. શ્રી અંબાલાલભાઈ શ્રીમદ્રની આજ્ઞા પ્રમાણે જ સર્વ કાર્ય કરતા અને આજ્ઞાંકિતપણામાં જીવનનું પરમ કર્તવ્ય માનતા હતા. તેઓ સદૃગુરુની અખંડ વિનયભક્તિ કરતા હતા. રાત્રે ખાટલાની પાંગતે બેસે, સેવા કરે. નિદ્રા પણ બહુ ઓછી લેતા. તીવ્ર સ્મૃતિને કારણે શ્રીમદ્ સાથે બે-ત્રણ દિવસ પૂર્વે થયેલી વાતચીત અક્ષરશઃ લખી શકતા હતા. મરોડદાર અક્ષરના કારણે શ્રીમદ્રનાં વચનો ઉતારતા, અન્ય મુમુક્ષુઓને શ્રીમદ્નાં એ અમૃત વચનો મોકલતા તેમ જ અન્ય ગ્રંથોની નકલ કરતા. | અલ્પ સમયમાં શ્રીમદ્રના જીવનરહસ્યને પારખનારા અને પામનારા તેઓ શ્રીમદ્ના જમણા હાથ જેવા પરમ વિશ્વાસુ બની ગયા. સર્વ મુમુક્ષુઓમાં અગ્રેસર બની રહ્યા. શ્રીમદ્ અને અંબાલાલભાઈનો ગુરુશિષ્ય પરમાર્થ સંબંધ ઉત્તરોત્તર વધતો ગયો. તે એટલી હદ સુધી કે જ્યાં જ્યાં નિવૃત્તિક્ષેત્રે શ્રીમદ્ બિરાજમાન હોય, ત્યાં ત્યાં અંબાલાલભાઈ હોય જ ! અનન્ય ભક્તિથી શ્રીમદ્ માટે સર્વે અનુકુળતાઓ અને વ્યવસ્થા આ ભક્તશિરોમણિ કરતા હતા. વિ. સં. ૧૯૪૭માં શ્રીમદે મહામુમુક્ષુ અંબાલાલભાઈને ખંભાતની આજુબાજુમાં પોતે અજ્ઞાત રહીને એકાંત અને અસંગતા મેળવી શકે એવું પ્રકૃતિસમૃદ્ધ સ્થળ શોધવાનું કહ્યું. શ્રીમદ્દની આજ્ઞા પ્રમાણે સર્વ રીતે અનુકૂળ એવું, ખંભાતથી ત્રણ-ચાર ગાઉ દૂર નિવૃત્તિક્ષેત્ર એવા રાળજ ગામને પસંદ કર્યું. પુણ્યમૂર્તિ શ્રીમના પાવન પગલાંથી રાળજ પવિત્ર બન્યું, એટલું જ નહીં પણ પર્વાધિરાજ પર્યુષણમાં પણ શ્રીમદ્ અહીં રહ્યા હતા. આ પાવન સાધનાસ્થળે શ્રીમદ્રની અપૂર્વ આત્મસમાધિ-લીનતા દર્શાવતાં ચાર અમર કાવ્યોનું સર્જન થયું. - આ ચાર મહાકૃતિઓમાં સદ્ગુરુભક્તિના રહસ્યને દર્શાવતા વીસ દોહરા, કૈવલ્ય બીજ શું તે દર્શાવતું ‘યમ નિયમ', જડ અને ચૈતન્યની સમજ આપતું ‘જડ ભાવે જડ પરિણમે' અને હરિગીત ‘જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો’ જેવી અમર કૃતિઓની રચના થઈ. આ એકાંત સ્થળના સાધનાકાળમાં સહજપણે કાવ્યઝરણું પ્રગટ થયું. લાંબું કાવ્ય નહીં, પણ થોડી પંક્તિઓ ધરાવતાં આ ગીતોનું કલાસ્વરૂપ ભલે નાનું હોય, પરંતુ ગહન ઊંડાણ અને ભવ્ય દર્શન ધરાવતી આ અમર કૃતિઓ છે. શ્રીમના અંબાલાલભાઈ પર લખાયેલા પત્રોમાં જુદા જુદા વિષયો પર એમણે આપેલા આધ્યાત્મિક માર્ગદર્શનનો આલેખ મળે છે. Page #97 --------------------------------------------------------------------------  Page #98 -------------------------------------------------------------------------- ________________ SિT : ૪૧. જૈનની પ્રમાણિકતા શ્રીમદ્દના સમાગમની તાલાવેલીને કારણે મુનિશ્રી લલ્લુજીએ મુંબઈમાં ચાતુર્માસ કરવાનું નક્કી કર્યું. એ સમયે મુંબઈ અનાર્ય દેશ ગણાતો હતો. શ્રીમદે મુનિશ્રી લલ્લુજીને મુંબઈ જેવા અનાર્ય દેશમાં ચોમાસું કરવાનું કારણ પૂછવું ત્યારે મુનિશ્રીએ કહ્યું, “આપના દર્શન-સમાગમની ભાવનાને કારણે અહીં ચાતુર્માસ કર્યું છે.” એ પછી મુનિશ્રી લલ્લુજી શ્રીમની દુકાને આવતા અને શ્રીમદ્ સઘળાં વ્યવહારકાર્યો છોડી નજીકની ઓરડીમાં બેસીને મુનિશ્રીની સાથે એકાંતમાં સત્સંગ કરતા. તે વખતે શ્રીમદ્ ભિન્ન ભિન્ન શાસ્ત્રોના થોડાક ભાગ વાંચતા અને મુનિરાજને એનો મર્મ દર્શાવતા હતા. આમ રાજના આ સાચા લઘુરાજે પોતાના ધર્મપિતા શ્રીમના સત્સંગ માટે મુંબઈના ચિંચપોકલી ઉપાશ્રયમાં રહીને રોજ ત્રણ-ચાર માઈલનો પાદવિહાર કરીને ભુલેશ્વરમાં આવેલી શ્રીમદૂની પેઢીમાં સત્સંગનો રંગ જમાવ્યો. પોતાના સંસારી પરમાર્થ ગર માટે નિવેશે રહેતા સાધુની કેવી અજોડ ગર્ભક્તિ ! આ સમયે મુનિ લલ્લુજીના ચેલા મુનિ દેવકરણજી કુશળ વ્યાખ્યાનકાર હોવાથી એમના વ્યાખ્યાનમાં જનમેદની ઊભરાતી હતી. મુનિ દેવકરણજીને એક વાર શ્રીમદે પૂછયું, “વ્યાખ્યાન કોણ વાંચે છે ? પર્ષદા કેટલી ભરાય છે ?” મુનિ દેવકરણજીએ કહ્યું, “હું વાંચું છું અને હજારેક માણસની પર્ષદા ભરાય છે.” શ્રીમદે વળતો પ્રશ્ન કર્યો, “સ્ત્રીઓને જોઈને કોઈ વિકાર થાય છે ?” મુનિ દેવકરણજીએ કહ્યું, “કાયાથી થતો નથી, મનથી થાય છે.” શ્રીમદ્ બોલ્યા, “મુનિએ તો મન, વચન અને કાયા એ ત્રણે યોગથી સાચવવું જોઈએ.” ત્યારે મુનિ દેવકરણજીએ કહ્યું, “તમે ગાદી-તકિયે બેસો છો અને હીરા-માણેક તમારી પાસે પડ્યા હોય છે ત્યારે તમારી વૃત્તિ ડહોળાતી નહીં હોય ?” શ્રીમદે કહ્યું, “મુનિ, અમે તો કાળક્ટ વિષ દેખીએ છીએ. તમને એમ થાય છે ?” આ સાંભળી મુનિ દેવકરણજી સ્તબ્ધ બની ગયા. શ્રીમદે પૂછયું, “તમે કોણ છો ?” મુનિએ કહ્યું, “જેટલો વખત વૃત્તિ સ્થિર રહે એટલો વખત સાધુ છીએ.” શ્રીમદે ફરી પૂછયું, “તેવી રીતે સંસારી સ્થિર રહે તેને સાધુ કહીએ ?” મુનિ દેવકરણજી નિરુત્તર રહ્યા, ત્યારે શ્રીમદે કહ્યું, “હે મુનિ, જેમ નાળિયેરનો ગોળો જુદો રહે એમ અમે રહીએ છીએ.” શ્રીમની આ વાત સાંભળીને મુનિ દેવકરણજી વિચારમાં ડૂબી ગયા. શ્રીમદે માર્મિકપણે પોતાની જીવનમુક્ત જ્ઞાનદશાનું સૂચન કર્યું, પરંતુ એનો ગહન મર્મ મુનિ દેવકરણજી પામ્યા નહીં. એક વખત શ્રી ત્રિભોવનદાસભાઈ ભાણજીભાઈએ શ્રીમદ્રને પ્રશ્ન કર્યો, “જૈન તરીકે વ્યક્તિ કેવી પ્રમાણિક હોવી જોઈએ ?” ઉત્તરમાં શ્રીમદે હાઇકોર્ટનો બુરજ દેખાડીને કહ્યું કે દૂર જે પેલી હાઇકૉર્ટ દેખાય છે. તેમાં બેસનાર જજનું પ્રમાણિકપણું જેવું હોય તેના કરતાં એક જૈનનું પ્રમાણિકપણું ઓછું તો ન જ હોવું જોઈએ.” શ્રીમદ્રના કહેવાનો અર્થ એ હતો કે જેનમાં એટલું નખશિખ પ્રમાણિકપણું હોવું જોઈએ કે જેથી એના વિશે કોઈને સહેજે શંકા ન થાય, એટલું જ નહીં પણ જૈન અપ્રમાણિક છે એમ કોઈ કહે તો એ સાંભળનાર એની વાત સ્વીકારે નહીં એવી જૈનની પ્રામાણિકતા સર્વત્ર વ્યાપેલી હોવી જોઈએ. . પ {O G SEB TI Page #99 -------------------------------------------------------------------------- ________________ 7 Page #100 -------------------------------------------------------------------------- ________________ ૪૨. અહિંસા પરમો ધર્મ નાની વયે શાક સમારતાં જેનું કરુણાળુ હૃદય દ્રવી ઊઠયું હતું એવા શ્રીમના ચિત્તમાં અહિંસાનું કેવું વિરાટ આકાશ હશે ! તેઓ મુંબઈમાં હતા ત્યારે સમાચાર મળ્યા કે ધરમપુરમાં વિજયાદશમી(દશેરા)ને દિવસે ૧૦૮ પાડાનો બલિ ચડાવવામાં આવે છે. સુક્ષ્મમાં સુક્ષ્મ જંતુની વેદના અનુભવતા શ્રીમદ્દનું હૃદય આ સમાચારથી વ્યથિત બની ગયું. નિર્દોષ પાડાઓનો વધ ન થાય તેને માટે એમણે આયોજન કર્યું. મહાવીરના માર્ગને અનુસરનાર આવી હિંસા કઈ રીતે સાંખી લે ? ક્રૂર પ્રાણીવધના વિરોધમાં ધરમપુરમાં સભાનું આયોજન કરાવ્યું. આને માટે શ્રી માણેકલાલ ઘેલાભાઈને ધરમપુર મોકલવાની વ્યવસ્થા કરી. મુંબઈના વિદ્વાન શાસ્ત્રીઓ પાસે વેદગ્રંથોમાંથી હિંસાવિરોધી આધારો શોધી આપવાનું કહ્યું. વેદના નામે અર્થનો અનર્થ કરીને પ્રાણીહિંસા કરવામાં આવતી હતી એની સામે અવાજ ઉઠાવ્યો. આને માટે તેઓએ ઉપદેશ આપ્યો. ચોતરફ એવું વાતાવરણ સર્યું કે ધરમપુરમાં થતી ક્રૂરતા સામે વિરોધનું વાતાવરણ સર્યું. - આ સમયે શ્રીમદ્ રાત-દિવસ અથાગ પરિશ્રમ કરતા હતા. એમની એક નિરાળી છબી સહુને જોવા મળી. શ્રીમદે હિંસાનો પ્રબળ વિરોધ કરતાં અંતે પાડા મારવાનું બંધ થયું. સર્વાત્મામાં સમદ્રષ્ટિ ધરાવનાર શ્રીમદ્રના કરુણાસભર તેજસ્વી હૃદયનો સહુને માર્મિક અનુભવ થયો. વિ. સં. ૧૯૫૨માં ખંભાતનિવાસી શ્રી છોટાલાલભાઈ માણેકચંદ અને ત્રિભુવનભાઈ માણેકચંદના મકાનમાં શ્રીમનો ઉતારો હતો. ‘રાજ-છાયા' નામના મકાનના ત્રીજે માળે એક ઓટલા પર બેસીને શ્રીમદ્ ઉપદેશ આપતા હતા. આખું મકાન શ્રોતાજનોથી ઊભરાઈ જતું. શેરીમાં પણ શ્રીમની પાવન વાણી સાંભળવા માટે લોકો ઊભા રીમદ્દની વાણીનો અતિશય એવો અદ્ભુત હતો કે દરેક વ્યક્તિને એમાંથી પોતાના મનની શંકાનું સમાધાન મળી રહેતું. ‘રાજ-છાયા' મકાનની અગાસીમાં એક વાર શ્રીમની એક બાજુએ શ્રી સોભાગભાઈ અને બીજી બાજુએ શ્રી ડુંગરશીભાઈ બેઠા હતા. શ્રીમદ્ એમને બાર વ્રતનું સ્વરૂપ સમજાવતા હતા. આ સમયે શ્રીમદે કહ્યું, આ બંને આર્ય, શ્રી સોભાગ તથા શ્રી ડુંગરશી શ્રી સુધર્માસ્વામી તથા શ્રી ગૌતમસ્વામી જેવા છે.” આવું વચન પ્રભુ મહાવીર જેવી અનુભૂતિ ધરાવનાર જ બોલી શકે. શ્રી સોભાગભાઈ અને શ્રી ડુંગરશી ગોશળિયા બાળપણના મિત્રો હતા. શ્રી સોભાગભાઈનું હૃદય ભક્તિથી છલકાતું હતું, જ્યારે ડુંગરશીભાઈએ યોગસાધના દ્વારા કેટલાક ચમત્કારો સિદ્ધ કર્યા હતા. ડુંગરશીભાઈની યોગ્યતાનો શ્રીમદ્ને પૂરેપૂરો ખ્યાલ હતો અને તેથી જ શ્રી સોભાગભાઈને ‘શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર’ વાંચવા અને વિચારવા મોકલ્યું, ત્યારે શ્રી ડુંગરશીભાઈને તે વાંચવાની અને મુખપાઠ કરવાની શ્રીમદે અનુમતિ આપી. આ રીતે શ્રી સોભાગભાઈ અને શ્રી ડુંગરશીભાઈની મૈત્રી જળવાઈ રહી. બંનેની શ્રીમદ્ પ્રત્યેની શ્રદ્ધા વધી અને બંને અધ્યાત્મમાર્ગમાં આગળ વધ્યા. બને છે , ST , ન ધ ડGણે છે : Page #101 -------------------------------------------------------------------------- ________________ C ON NON Page #102 -------------------------------------------------------------------------- ________________ દિલ્હી : સિત હતી? ' ' COી , ૪૩. કષાયનો ઉપદાંતતા શ્રીમદ્ના હૃદયસખા શાંતમૂર્તિ શ્રી સોભાગભાઈની ધીરજ અને શ્રદ્ધાની કસોટી થાય તેવા કપરા આર્થિક સંજોગો ઊભા થયા હતા. એમના પિતા શ્રી લલ્લુભાઈના અવસાન બાદ કુટુંબનિર્વાહની ઘણી મોટી જવાબદારી આવી પડી. આર્થિક સ્થિતિ પ્રતિદિન ઘસાતી જતી હતી, આથી એમણે શ્રીમદ્રને જ્યોતિષ, મંત્રતંત્ર આદિ વિશે પુછાવ્યું. ત્યારે તેઓએ શ્રી સોભાગભાઈને કહ્યું, લૌકિક દૃષ્ટિએ અમે ને તમે પ્રવર્તશું તો અલૌકિક દૃષ્ટિએ કોણ પ્રવર્તશે ?” આમ કહીને તેઓ કહે છે, “પારમાર્થિક વૈભવથી મુમુક્ષુને સાંસારિક ફળ આપવાનું જ્ઞાની ઇચ્છે નહીં, કારણ કે અકર્તવ્ય તે જ્ઞાની કરે નહીં.” આ રીતે અત્યંત મુશ્કેલ આર્થિક પરિસ્થિતિ વચ્ચે પણ શ્રી સોભાગભાઈને સ્વસ્થ રાખ્યા. શ્રીમદ્ પાસે લબ્ધિસિદ્ધિ હતી, છતાં એનાં પ્રત્યે પૂર્ણ નિઃસ્પૃહભાવ હતો. આત્માના ઐશ્વર્ય આગળ બીજું બધું અલ્પ લાગતું હતું. શ્રીમદ્ પ્રત્યક્ષ સમાગમ તથા પત્રો દ્વારા ધર્મબોધ આપીને સોભાગભાઈના આધ્યાત્મિક વિશ્વને વિશેષ સમૃદ્ધ બનાવવા લાગ્યા. શ્રીમદ્ વારંવાર સાયલા આવીને શ્રી સોભાગભાઈને અપૂર્વ લાભ આપતા હતા. શ્રીમદ્ સાયલામાં આવવાના હોય તે સમયે સોભાગભાઈને માટે આત્માનંદનો મહોત્સવ બની રહેતો. તેઓ સિગરામ લઈને શ્રીમદ્રને આવકારવા માટે છેક મૂળી સ્ટેશન સુધી જતા હતા. આ સિગરામમાં આવીને સાયલામાં જ્યારે ઊતરતા ત્યારે શેરીમાં લાલ જાજમ પાથરીને શ્રીમદ્ જાજમ પર ચાલવા માટે આગ્રહ કરતા. શ્રીમદ્ પણ એમની વિનંતીનો સ્વીકાર કરીને લાલ જાજમ પર ચાલતા અને સોભાગભાઈ પોતાની જાતને ધન્ય માનતા. સાયલાના સોભાગભાઈનાં પત્ની રતનબા દયાળુ અને જૈન ધર્મનાં ઉપાસિકા હતાં. એક વાર રતનબા સામાયિક કરવા જતાં હતાં ત્યારે શ્રીમદ્દ એમને ત્યાં બેઠા હતા. એમણે સવાલ કર્યો. તમે ક્યાં જાઓ છો ?” રતનબાએ કહ્યું, “સામાયિક કરવા.” શ્રીમદે કહ્યું, “તમે મસ્જિદમાં જઈને સામાયિક કરો.” આ સમયે રતનબાએ પોતાની લાક્ષણિક વાણીમાં કહ્યું, “રાયચંદ મેતા તો આવું ને આવું જ બોલે.” આ રીતે શ્રીમદે રતનબાને કદાગ્રહ છોડવાનો ઉપદેશ આપ્યો. શ્રીમનો મર્મ એ હતો કે કષાયરહિત થવું એ જ ધર્મ છે અને આમ કહીને એમણે રતનબાને ધર્મનું સાચું સ્વરૂપ સમજાવ્યું. શ્રી સોભાગભાઈ સાથે એમની પડોશમાં રહેતા તર્કવાદી શ્રી ડુંગરશીભાઈ પણ શ્રીમદ્ અવારનવાર મળતા હતા. શ્રી સોભાગભાઈ પર આવતા પત્રોનું બંને સાથે મળીને વાચન-મનન કરતા હતા. શ્રીમદ્ અને ડુંગરશીભાઈ અવારનવાર ધર્મચર્ચા કરતા હતા. તેઓ જેમ જેમ શ્રીમદ્દનું શરણું સ્વીકારતા ગયા તેમ તેમ બાહ્યસિદ્ધિ કે માયાવી કીર્તિના મોહમાંથી છૂટતા ગયા. કરી રહી Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી મનસુખલાલ કિરતચંદ | શ્રી ધારસીભાઈ કુશળચંદ સંઘવી શ્રી પોપટલાલ મહોકમચંદ શ્રી સુખલાલભાઈ વિરમગામવાળા શ્રી ત્રિભોવનદાસ માણેકચંદ શ્રી છોટાલાલ માણેકચંદ શ્રી ઝવેરચંદશેઠ કાવીઠા શ્રી જેશંગભાઈ ઊજમશીભાઈ શ્રી મનસુખભાઈ દેવસી Page #104 -------------------------------------------------------------------------- ________________ ૪૪. મુમુક્ષોનું ઋણ શ્રીમદ્ તો અમૃતના મહાસાગર હતા. તેમાંથી કોઈ બિન્દુ, તો કોઈ ગાગર જેટલું યથાપાત્ર અને પોતાની યોગ્યતા મુજબ અમૃતપાન કરી ધન્ય બનતા હતા. જ્ઞાન દિવાકર શ્રીમદ્ભના દિવ્ય જ્ઞાનના પ્રકાશને આત્મસાત્ કરવા મથતા વિશિષ્ટ મુમુક્ષુઓમાં સોભાગ્યભાઈ, મુનિશ્રી લલ્લુજી, જૂઠાલાલભાઈ, અંબાલાલભાઈ હતા. આ ઉપરાંત ડુંગરશીભાઈ, ઊગરીબહેન, માણેકલાલ ઘેલાભાઈ, મનસુખભાઈ કિરતચંદ, પોપટલાલભાઈ મહોકમચંદ, ધારશીભાઈ, મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, મહાત્મા ગાંધીજી, મુનિ શ્રી દેવકરણજી, ખીમજી દેવજી, ત્રિભોવનભાઈ છોટાલાલભાઈ માણેકચંદ, નવલચંદ દોસાભાઈ, વનમાલીભાઈ, કેશવલાલ નથુભાઈ, કુંવરજી મગનલાલ, સુખલાલ છગનલાલ, મનસુખભાઈ દેવસી, મોતીલાલ ભાવસાર તથા કૃષ્ણદાસ આદિ મુમુક્ષુજનો શ્રીમદ્ પાસેથી જીવનજ્યોત પામ્યા હતા. આમ શ્રીમદ્રની અપ્રતિમ અધ્યાત્મપ્રતિભાને પરિણામે એમની આસપાસ આપોઆપ વિશિષ્ટ આત્માર્થી પુરુષોનું વર્તુળ રચાઈ જતું અને ક્રમે ક્રમે તે વિસ્તરતું જતું હતું. શ્રીમદ્ના સત્સંગથી કેટલીયે વ્યક્તિઓની સંસારદૃષ્ટિ બદલાઈ જતી. એમના એકાદ વાક્યના પ્રભાવથી કે એમની સાથેના થોડીક ક્ષણોના મેળાપથી વ્યક્તિનું હૃદયપરિવર્તન થઈ જતું. એમના બાહ્ય ગૃહસ્થ વેશને કારણે એમની આંતરિક શ્રેણી ગુપ્ત જ રહેતી. વળી તેઓ સ્વયં આધ્યાત્મિક બાબતોને પ્રગટ કરવાને બદલે ગુપ્ત રાખવાનું ઇચ્છતા. “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર' અને એમની અન્ય પદસરિતાઓમાં કાવ્ય અને તત્ત્વજ્ઞાનની પરાકાષ્ઠા હતી, પણ શ્રીમદે એને અપ્રગટ રાખી આથી જનસમુહને એમનો ઓછો પરિચય થયો. - વિરલ ભાગ્યશાળી વ્યક્તિઓ શ્રીમદના પરિચયમાં આવી અને એમના જીવનમાં અખ્ખલિત રીતે વહેતા વૈરાગ્યના રંગે રંગાઈ ગઈ. એમનો માનવમાત્ર પ્રત્યેનો કલ્યાણભાવ અને જીવમાત્ર પ્રત્યેનો મૈત્રીભાવ નિકટ આવનાર સહુ કોઈને સ્પર્શી જતા. એમની સરળ અને મિષ્ટ વાણી તથા સહુનું શ્રેય કરવાની વૃત્તિને કારણે એમના પરિચયમાં આવનાર વ્યક્તિ એમની પ્રશંસક બની જતી. એમના ગહન અને સાહજિક જ્ઞાનને કારણે વાદ-વિવાદ કરવા આવેલી વ્યક્તિઓ પણ એમના વિચારપ્રભાવ હેઠળ આવી જતી. આમ કેટલીક વ્યક્તિઓ શ્રીમદ્ પાસેથી અવારનવાર આધ્યાત્મિક માર્ગદર્શન લેતી. કેટલીક વ્યક્તિઓ નિરંતર એમના સત્સમાગમની ઝંખના સેવતી. કેટલીક વ્યક્તિઓ એમને જ્ઞાની ગર કે સદૂગર માનીને એમની આજ્ઞા અનુસાર સાધના કરતી. એમની પાસે કેટલીય વ્યક્તિઓએ મુમુક્ષુ દશા પ્રાપ્ત કરી તો કેટલાકે સમ્યક્દર્શન પણ મેળવ્યું. પ્રત્યેક વ્યક્તિના આધ્યાત્મિક જીવન પર તો એમનો પ્રભાવ પડતો, પણ એમના ગૃહસ્થજીવનની વ્યવહારિક બાબતો પર પણ શ્રીમદ્દ એમને જરૂરી એવો કર્તવ્યપરાયણ રાહ બતાવતા હતા. શ્રીમદૂના ગહન ચિંતનસારને રજૂ કરતું અત્યંત વિશિષ્ટ પત્રસાહિત્ય આપણને સાંપડ્યું તેની પાછળ આ સર્વે મુમુક્ષુઓની અધ્યાત્મઝંખના કારણભૂત ગણાય, આથી જગત આ મુમુક્ષુઓનું ઋણી ગણાય. Page #105 -------------------------------------------------------------------------- ________________ on ON I N COLLE Page #106 -------------------------------------------------------------------------- ________________ ૪૫. મારગ સાચા મિલ ગયા વિ. સં. ૧૯૪૭માં શ્રીમદ્રને સમ્યક્દર્શન પ્રાપ્ત થયું. એમની આંતરદશા તો નિર્વિકલ્પ સમાધિમય હતી, પરંતુ એવોમાં નવો ઝંઝાવાત આવ્યો. શ્રીમદ્ કહે છે, ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે, જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક રંચ રે, | ધન્ય રે દિવસ આ અહો.” ૨૪મે વર્ષે વિ. સં. ૧૯૪૮માં એમનાં કર્મોએ નવું સ્વરૂપ ધારણ કર્યું. વ્યવસાયની બાહ્ય ઉપાધિ વધુ ને વધુ વધતી ગઈ. ગૌણ અને અંતે ત્યાજ્ય માની હતી તે બાહ્ય પ્રવૃત્તિ વધુ ને વધુ સમય લેવા લાગી. આમ અંતરંગભાવો અને બાહ્ય જીવનવ્યવહાર વચ્ચે ભીષણ ઘર્ષણ જાગ્યું. કાળ પણ જાણે શ્રીમદ્રની અગ્નિપરીક્ષા કરતો હોય, તેવો બાહ્ય વ્યવહારની પ્રવૃત્તિનો વાવંટોળ એમના આંતરિક ખમીરની વધુ ને વધુ કસોટી કરનારો બન્યો. એક ક્ષણ રહેવું પસંદ નહોતું એવા વ્યવહારના પ્રપંચમાં પ્રારબ્ધના ઉદયને કારણે રહેવું પડ્યું, એ વિધિની કેવી વિચિત્રતા ! આમ છતાં શ્રીમની નિર્વિકલ્પદશા એવી જ દેઢ અને અડગ રહી. બાહ્ય અવરોધ જ આંતરિક આત્મશક્તિની પારાશીશી ગણાય. શ્રીમદ્ આ સમયની પોતાની મનઃસ્થિતિ દર્શાવતાં લખે છે : અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણ વાર પણ મટતું નથી તથાપિ અનેક વર્ષો થયાં વિકલ્પરૂપ ઉપાધિને આરાધ્યા જઈએ છીએ....... ચોતરફ ઉપાધિની જ્વાળા સળગતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે અને એ વાત તો પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. અમને પણ આશ્ચર્ય થઈ આવે છે. તથાપિ એ જ પ્રાય વર્યા જ કરે છે. એવો અનુભવ છે. અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે તે તો આત્માની સ્વરૂપ-પરિણતી વર્તતી હોવાને લીધે છે..... આત્માના સ્વરૂપ સંબંધી તો પ્રાયે નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે, કારણ કે અન્ય ભાવને વિષે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી.” આમ શ્રીમદ્રને ઉપાધિયોગ પણ સમાધિયોગ બની રહ્યો. જ્ઞાની ને અજ્ઞાનીજન, સુખદુઃખ રહિત ન કોય, જ્ઞાન વેદ વૈર્યથી, અજ્ઞાની વેદે રોય, પરમ વિરક્ત શ્રીમદ પરમાર્થ સમ્યકદર્શનને પ્રતાપે જીવન્મુક્ત દશા અનુભવી રહ્યા. અવધુત યોગી આનંદઘને મસ્તીભેર ગાયેલી “મુક્તિ સંસાર બેઉ સમ ગણે ” એ પરમ શાંત દશા શ્રીમદે પ્રાપ્ત કરી હતી. મોક્ષમાર્ગની પ્રાપ્તિનો આત્માનંદ કેવો હોય તેની મસ્તી અને ખુમારી પ્રગટ કરતા શ્રીમદ્ આનંદભેર ગાઈ ઊઠે છે, - “મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ; હોતા સો તો જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ.” આમ સમયે સમયે અનંતગુણ વિશિષ્ટ અપૂર્વ આત્મધ્યાનની શ્રેણીએ આરોહણ કરી રહેલા શ્રીમદ્ સર્વસંગ પરિત્યાગ ન થાય ત્યાં સુધી પ્રગટ માર્ગ પ્રકાશવો નહિ એવો નિશ્ચય કરે છે. સ્વયં જણાવે છે કે : - નિવૃત્તિ હોય તો બીજાના પરમાર્થ માટે શું કરવું તે વિચારી શકાય, ત્યાર પછી ત્યાગ જોઈએ અને ત્યાર પછી ત્યાગ કરાવવો જોઈએ. આવો સર્વ મહાત્માઓનો રિવાજ છે.” અતિ બાહ્ય પ્રવૃત્તિના સમયગાળામાં પણ તેઓએ અંદાજે બાર મહિના જેટલો સમય તો નિવૃત્તિક્ષેત્રમાં ગાળ્યો હતો. Page #107 -------------------------------------------------------------------------- ________________ to TO BE ON OR Page #108 -------------------------------------------------------------------------- ________________ ૪૬. સમ્યક્દર્શનનું નિવાસસ્થાન સમાન ઘટના ક્યારેક વિચારમાં ડુબાડી દે છે. મુનિશ્રી લલ્લુજીએ સાંભળ્યું કે સુરતના ઝવેરી લલ્લુભાઈ દસબાર મહિના બીમાર રહ્યા અને ત્યારબાદ એમનો દેહ છૂટી ગયો. મુનિ શ્રી લલ્લુજી સ્વયં દસ-બાર મહિનાથી બીમાર હતા. સમાન નામ ધરાવતા ઝવેરીની ઘટનાએ મુનિને ચિંતાતુર કરી મૂક્યા. એમને ચિંતા થઈ કે આ દેહ છૂટી જશે તો શું ? સાધકને મૃત્યુનો ભય ન હોય, કિંતુ મૃત્યુ પૂર્વે જીવનમાં ઊર્ધ્વ સ્થિતિ પામવાની ફિકર હોય. આથી મુનિ શ્રી લલ્લુજીએ શ્રીમન્ને પત્ર લખીને સમકિત આપવાની વિનંતી કરી. તેના ઉત્તરરૂપે અનંત કૃપા કરી શ્રીમદે મુનિરાજને છ પદનો પત્ર લખ્યો. વળી એમ પણ જણાવ્યું કે દેહ છૂટવાનો ભય રાખવો યોગ્ય નથી. શ્રીમદ્ સૂરત પધાર્યા ત્યારે આ છ પદના પત્રનું એમણે વિશેષ વિવેચન કરીને મુનિરાજને એનો આધ્યાત્મિક અર્થ સમજાવ્યો. આ પત્રનો મર્મ એવો હતો કે જીવનની યોગ્યતા હોય તો તેને સમ્યકૃત્વ પ્રાપ્ત થાય. શ્રીમદ્ મુનિરાજને આ છ પદનો પત્ર મુખપાઠ કરીને એનું ચિંતન-મનન કરવાની ભલામણ કરે છે. શ્રીમદ્દના અધ્યાત્મજીવનના હૃદય સમી તત્ત્વની ગંભીર વિચારણા આ છ પદનાં પત્રમાં મળે છે. આત્મા છે, તે નિત્ય છે, તે કર્મનો કર્તા છે, તે કર્મનો ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ છ પદોને મહાપ્રવચન ગણાવી તેના ઉપર નિરંતર ચિંતન, મનન અને પર્યેષણા કરવાની તેઓ ભલામણ કરતા હતા. સમ્યક્દર્શનને રહેવાનું સર્વોત્કૃષ્ટ નિવાસસ્થાન એટલે આ છ પદનો પત્ર. એના પ્રારંભે “અનન્ય શરણ આપનાર એવા શ્રી સદ્ગુરુ દેવને અત્યંત ભક્તિથી નમસ્કાર” એવું માર્મિક, હૃદયસ્પર્શી વચન મૂક્યું છે. આમ આ છ પદની પ્રાપ્તિ સદ્ગુરુ દેવને આધીન છે. એ સદ્ગુરુ ભક્તિનો અનન્ય મહિમા વર્ણવતાં શ્રીમદે ચાર નમસ્કાર દર્શાવેલ છે. આ પત્રમાં સૂત્રાત્મક શૈલીમાં આત્મા-તત્ત્વની યથાર્થ ઓળખ આપવામાં આવી છે. છ પદને વિચારવાથી જીવ કઈ રીતે સમ્યક્દર્શન પામી શકે તેની સ્પષ્ટ અને ક્રમિક સમજ આમાંથી સાંપડે છે. સદ્ગુરુ, સદ્ગુરુની ભક્તિનું માહાત્મ્ય અને તેના દ્વારા થતી પ્રાપ્તિ દર્શાવીને આ પત્ર તેમણે પૂર્ણ કર્યો છે, આથી આ પત્ર અંગેનો પ્રતિભાવ આપતાં મુનિશ્રી લલ્લુજી કહે છે કે, “જીવને યોગ્યતા હોય તો સમ્યક્ત્વ પ્રાપ્ત થાય તેવી વિચારણા ઉત્પન્ન કરાવે તેવો એ અદ્ભુત પત્ર છે.” વિ. સં. ૧૯૫૦માં મુનિશ્રી લલ્લુજી, મુનિશ્રી દેવકરણજી આદિ પરિવારનો સૂરતમાં ચાતુર્માસ હતો. આ સમયે શ્રીમદ્ પણ સૂરત પધાર્યા હતા. મુનિ દેવકરણજીએ શ્રીમદ્જીને પ્રશ્ન પૂછ્યો, “મુનિશ્રી લલ્લુજી મને વ્યાખ્યાન આપીને આવું ત્યારે અભિમાન કર્યું કહે છે. ધ્યાન કરું છું તેને તરંગરૂપ કહે છે. તો શું વીતરાગ પ્રભુ મુનિશ્રી લલ્લુજીનું કરેલું સ્વીકારે અને મારું ન સ્વીકારે એવા પક્ષપાતવાળા હશે ?” આવા પ્રશ્નનો શાંતિથી ઉત્તર આપતાં શ્રીમદે કહ્યું, “સ્વચ્છંદથી જે જે કરવામાં આવે છે તે સઘળું અભિમાન જ છે. આસત્સાધન છે અને સદ્ગુરુની આજ્ઞાથી જે કરવામાં આવે છે તે કલ્યાણકારી ધર્મરૂપ સત્સાધન છે.” Page #109 -------------------------------------------------------------------------- ________________ LESEN Page #110 -------------------------------------------------------------------------- ________________ ૪૭. સેવે સગુરુ કે ચરણા અહિંસાની મહાશક્તિ સામે હિંસાનો અંતે પરાજય થતો હોય છે. ગમે તેવો ક્રુર અને નિર્દય માનવી પણ કરુણાર્ક હૃદય આગળ ઝૂકી જાય છે. વિના કારણે ડંખ દેતો દૃષ્ટિવિષ સર્પ ચંડકૌશિક કે તોફાને ચડેલા મદમસ્ત સાંઢ અહિંસાની પ્રબળ શક્તિ સામે સૌમ્ય બની જાય છે. એક વખત શ્રીમદ્દ પોતાના મુમુક્ષુઓ સાથે ધર્મજથી વીરસદ જતા હતા. રસ્તે ચાલતાં સાવ સાંકડી કેડી આવી. આખી મંડળી એ કેડીમાંથી પસાર થઈ રહી હતી, ત્યાં સામેથી બે ખુંખાર માતેલા સાંઢ તોફાન કરતા ધસમસતા આવતા હતા. સાંઢને આવતા જોઈને અન્ય લોકો તો આસપાસનાં ખેતરોમાં દોડી ગયા અને સલામત જગા શોધીને લપાઈ ગયા. શ્રીમદ્ સાથે ચાલતા સાથીઓ પણ ગભરાઈ ગયા. માતેલા બે સાંઢ સાક્ષાત્ યમરાજ જેવા લાગ્યા, આથી જીવ મૂઠીમાં વાળીને નાસવા લાગ્યા. કિંતુ શ્રીમદ્રના ચહેરા પર એ જ શાંતિ અને સૌમ્યતા હતી. એમણે કહ્યું, “સાંઢ નજીક આવશે, ત્યારે શાંત થઈ જશે.” શ્રીમદના વચનમાં સહુને શ્રદ્ધા હતી, પણ સાથે આવું જાનનું જોખમ ખેડવા કોઈ તૈયાર નહોતા. શ્રી છોટાલાલભાઈ અને તેના સાથીઓ નજીકના ખેતરમાં છુપાઈ ગયા. નિર્ભય શ્રીમદ્ શાંતિથી પોતાના માર્ગ પર આગળ વધ્યા. એમની પાછળ સાયલાના શ્રી સોભાગભાઈ અને શ્રી ડુંગરશીભાઈ ચાલતા હતા. ખેતરમાં છુપાઈને બેઠેલા શ્રી છોટાલાલભાઈનો જીવ તો તાળવે ચોંટી ગયો હતો. એમને હતું કે હમણાં આ સાંઢ શ્રીમદ્, શ્રી સોભાગભાઈ અને શ્રી ડુંગરશીભાઈને હડફેટમાં લેશે અને એમના રામ રમી જશે. બંને ધસમસતા સાંઢ શ્રીમદ્દની સમીપ આવ્યા અને એકાએક શાંત બની ગયા, જાણે કોઈ તોફાન કરતો વિદ્યાર્થી શિક્ષકને જોઈને ડાહ્યો-ડમરો બની જાય તેવા. એ પછી સહુએ શાંતિથી અને નિર્ભયતાથી આ સાંકડી કેડી પસાર કરી. શ્રીમદ્દની આત્મશક્તિનો પ્રભાવ સહુને અનુભવવા મળ્યો. એક વખત શ્રીમદ્ ડુંગરશીભાઈ અને બીજા કેટલાક ભાઈઓ સાથે ફરવા નીકળ્યા હતા. પાછા ફરતી વખતે શ્રીમદે ડુંગરશીભાઈને પૂછ્યું કે ગામમાં પ્રવેશવાનો રસ્તો ક્યાં છે ? શ્રી ડુંગરશીભાઈને રસ્તાનો ખ્યાલ નહોતો તેમ છતાં તેમણે શ્રીમદ્રને કહ્યું, “તમે મારી સાથે ચાલો. હું રસ્તો બતાવીશ.” શ્રીમદુને ખબર હતી કે ગામમાં પ્રવેશવાનો આ માર્ગ નથી, તેમ છતાં તેઓ ડુંગરશીભાઈ સાથે ચાલ્યા. બધા ખોટે રસ્તે ચડી ગયા. ત્યારે શ્રીમદે કહ્યું કે જે વ્યક્તિ રસ્તા નથી જાણતી તે વ્યક્તિ મોક્ષમાર્ગ બતાવી શકે નહિ. આમ કહીને તેઓએ પોતાના આ કથન પર વિવેચન કર્યું. નિર્વાણમાર્ગ એ અગમ-અગોચર છે અને સગરના આશ્રયે શોધી શકાય એમ કહીને શ્રીમદે સદુગરનો મહિમા દર્શાવ્યો, જેણે મોક્ષમાર્ગનો રસ્તો જામ્યો છે તેવા પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ જ જીવને મોક્ષના ધ્યેય સુધી પહોંચાડી શકે. મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. રીત " " સ કિ. ર OS et de Page #111 -------------------------------------------------------------------------- ________________ રાળજ Page #112 -------------------------------------------------------------------------- ________________ ૪૮. ભક્તિનું પૂર | શ્રીમદ્ પ્રત્યે પૂર્વભવના પિતા હોય તેવો પૂજ્યભાવ અનુભવતા મુનિશ્રી લલ્લુજીમાં શ્રીમદ્દના સત્સમાગમની ભાવના અત્યંત પ્રબળપણે પ્રવર્તતી હતી. શ્રીમદ્ જે સ્થળે હોય એ જ સ્થળે તેઓ ચાતુર્માસ થાય તેવી ભાવના રાખતા. ૧૯૪૮માં મુંબઈમાં શ્રીમના સત્સંગ કાજે મુનિશ્રી લલ્લુજીએ મુંબઈમાં ચાતુર્માસ કર્યું. વિ. સં. ૧૯૫૦ અને ૧૯૫૧નાં બંને ચાતુર્માસ મુનિશ્રી લલ્લુજીએ સુરતમાં કર્યા. મુનિશ્રી લલ્લુજીના હૃદયમાં શ્રીમદ્ પ્રત્યે ભક્તિનું પૂર ઊમટયું હતું. ‘દાસ લલ્લુ ને નામે તેઓ શ્રીમદ્દને અત્યંત વિનમ્રતાથી ભક્તિપૂર્ણ પત્રો લખતા હતા. શ્રીમદૂમાં પણ ભારોભાર વિનય હતો તેથી તેઓએ અત્યંત વિનમ્રતાથી મુનિશ્રી લલ્લુજીને લખ્યું, “અમારા ઉપર તમારી ગમે તેવી ભક્તિ હો, બાકી સર્વ જીવોના અને વિશેષે કરી ધર્મજીવના તો અમે ત્રણે કાળને માટે દાસ જ છીએ.' દાસ અને દાસાનુદાસ વચ્ચે જાણે વિનય અને વિનમ્રતાની સ્પર્ધા ચાલતી હોય તેવું લાગતું હતું. મુનિશ્રી લલ્લુજીને શ્રીમદ્ પ્રત્યે અગાધ આદર હતો, પણ આચારની બાબતમાં શ્રીમદ્ મુનિધર્મના કડક આચારપાલન અંગેનો આગ્રહ સેવતા. હકીકતમાં શ્રીમદ્રના માર્ગદર્શને જ મુનિશ્રી લલ્લુજીને એમની મુનિમર્યાદામાં દૃઢ રાખ્યા. સંવત ૧૯૫૨ના પર્યુષણમાં શ્રીમદ્ રાળજમાં હતા. તે સમયે મુનિશ્રી લલ્લુજી, મુનિશ્રી દેવકરણજી વગેરે મુનિઓનું ચાતુર્માસ ખંભાતમાં હતું. શ્રીમદ્નો પરમ સત્સંગ થાય તે માટે શ્રી સોભાગભાઈ તથા શ્રી ડુંગરશીભાઈ રાળજમાં આવ્યા હતા. ખંભાતના મુમુક્ષુ ગૃહસ્થો પણ રાળજમાં બિરાજમાન શ્રીમદૂના દર્શન-સત્સંગનો લાભ મેળવતા હતા. મુનિધર્મની મર્યાદાને કારણે મુનિશ્રી લલ્લુજી નજીકમાં બિરાજતા હતા, છતાં પોતાના પરમ પ્રેમસ્વરૂપ શ્રીમનો દર્શન-લાભ પામી શકતા નહોતા. આને પરિણામે તેઓ અકથ્ય વિરહ વેદના અનુભવતા હતા. આ વિરહ અસહ્ય બનતાં તેઓ એક દિવસ ચાલતાં ચાલતાં રાળજના સીમાડે આવ્યા. શ્રીમદ્જીનાં દર્શન પામવા માટે આજ્ઞા મેળવવાને અંબાલાલભાઈને બોલાવ્યા, ત્યારે અંબાલાલભાઈએ કહ્યું : “તમને આજ્ઞા નથી અને કેમ આવ્યા છો ?” મુનિ શ્રી લલ્લુજીએ ઉત્તર આપ્યો : “આજ્ઞા મેળવવા માટે તો હું અહીં ઊભો રહ્યો છું. તમને આજ્ઞા વિરુદ્ધ લાગતું હોય તો પાછો જતો રહું.” શ્રી અંબાલાલભાઈએ કહ્યું : “ના ! એમ તો જવા ન દઉં. મને ઠપકો મળે. માટે કૃપાળુદેવ કહે તેમ કર. હું પૂછી આવું છું.” અંબાલાલભાઈએ આ વિશે પૂછતાં શ્રીમદે કહ્યું : “મુનિશ્રીના ચિત્તમાં અસંતોષ રહેતો હોય તો હું તેમની પાસે જઈને દર્શન કરાવું અને તેમના ચિત્તને વિષે શાંતિ રહે તો ભલે ચાલ્યા જાય.” | મુનિશ્રી લલ્લુજી શ્રીમદ્રના વિરહની અગ્નિજ્વાળામાં સળગી રહ્યા હતા. આ વેદના એમના હૃદયને વારંવાર ૨ડાવતી હતી. આંખમાં વહેતી અશ્રુધારા સાથે મુનિ લલ્લુજી ખંભાત પાછા આવ્યા. સદૂગુરુના વિરહની અપાર પીડા સાથે મુનિશ્રી લલ્લુજીએ ઉપાશ્રયમાં રાત્રિ વ્યતીત કરી. રેકી ક ૫૬ આરો Page #113 -------------------------------------------------------------------------- ________________ BE Page #114 -------------------------------------------------------------------------- ________________ My : ૪૯. અાત્માર્થીઅોની દીવાદાંડી શ્રીમદૂના મેળાપની તીવ્ર ઇચ્છાથી આવેલા મુનિશ્રી લલ્લુજીનો આશાભંગ થયો, પરંતુ એમના હૃદયમાં એવી દેઢ શ્રદ્ધા હતી કે ગુરુઆજ્ઞા સદૈવ કલ્યાણકારી હોય છે. શ્રીમજી પણ મુનિશ્રી લલ્લુજીના ગુરુદર્શનની પિપાસાને જાણતા હતા. એના અભાવે મુનિશ્રી લલ્લુજીની કેવી વિકટ સ્થિતિ થશે એનો એમને ખ્યાલ હતો. બીજે દિવસે સવારે શ્રીમદે શ્રી સોભાગભાઈ, ડુંગરશીભાઈ અને શ્રી અંબાલાલભાઈને ખંભાત મોકલ્યા. શ્રી સોભાગભાઈએ ઉપાશ્રયમાં આવીને લલ્લુજી મુનિને આશ્વાસનરૂપે કહ્યું કે શ્રીમદ્ જાતે જ ખંભાત પધારીને તમારી સત્સંગપિપાસા છિપાવશે. આ સાંભળીને મુનિશ્રી લલ્લુજીના આનંદની સીમા ન રહી. એ પછી શ્રી અંબાલાલભાઈના ઘેર એકાંતમાં શ્રી સોભાગભાઈએ શ્રીમદે જણાવેલો મંત્ર કહી સંભળાવ્યો અને સાથોસાથ કહ્યું, “તમને પાંચ માળા ફેરવવાની આજ્ઞા કરી છે.” - આ પરિસ્થિતિને કારણે મુનિશ્રી લલ્લુજીને શ્રીસંઘનો ઘણો વિરોધ સહન કરવો પડ્યો. તેઓ એક ગૃહસ્થને ગુરુ માનતા હોવાથી શ્રીસંઘના તેમના પ્રત્યેના ભાવમાં ઓટ આવી હતી. વળી મુમુક્ષુઓ દર પૂર્ણિમાએ રાત-દિવસ ગુરુભક્તિ કરતા હતા. એક વાર મુનિશ્રી લલ્લુજી એમની સાથે ભક્તિ માટે ઉપાશ્રયની બહાર રહ્યા હતા. કેટલાંક શ્રાવક-શ્રાવિકાને આ વાત પસંદ પડી નહીં. મુનિશ્રી લલ્લુજીની પરિસ્થિતિ એવી હતી કે તેઓ શ્રીમદ્ તરફ અગાધ ભક્તિભાવ અનુભવતા હતા અને વખતોવખત તેઓ પ્રત્યક્ષ અને પત્ર દ્વારા માર્ગદર્શન મેળવતા હતા. મુનિ તરીકેનો સામાન્ય શિરસ્તો એવો હતો કે એમણે વ્યાખ્યાન આપવું પડે, પરંતુ આત્માર્થી મુનિએ શું કરવું એવો સવાલ મુનિશ્રી લલ્લુજીના મનમાં ઘોળાતો હતો. એમણે શ્રીમદ્ પાસે આ અંગે માર્ગદર્શન માગ્યું, ત્યારે શ્રીમદે એમને લખ્યું, વ્યાખ્યાન કરવું પડે તો કરવું, પણ આ કર્તવ્યની હજ મારી યોગ્યતા નથી અને આ મને પ્રતિબંધ છે, એમ સમજતાં જતાં ઉદાસીન ભાવે કરવું. ન કરવા માટે જેટલા સામાને રુચિકર અને યોગ્ય પ્રયત્ન થાય તેટલા કરવા, અને તેમ છતાંય જ્યારે કરવું પડે તો ઉપર પ્રમાણે ઉદાસીન ભાવ સમજીને કરવું.” | ઉપદેશકનું કર્તવ્ય શું હોય ? એણે માત્ર પોતાની વક્તત્વ છટાથી આંજી નાખવાના હોય ? એનાથી અહમ પોષવાનો હોય ? કે પછી ઉપદેશક સર્વકાળના સર્વ આત્માર્થીઓને દીવાદાંડીરૂપ માર્ગદર્શકની જવાબદારી સંભાળે છે ? એવો સવાલ મુનિશ્રી લલ્લુજીના મનમાં હતો. ઉપદેશ આપવાની યોગ્યતા વિશે શ્રીમદ્ એમને લખે છે, | “યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થયા પ્રથમ જે જીવોને ઉપદેશકપણું વર્તતું હોય તે જીવે જે પ્રકારે વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિનો લક્ષ થાય તે પ્રકારે પ્રસંગપ્રાપ્ત જીવોને ઉપદેશ આપવો ઘટે, અને જે પ્રકારે તેને નાના પ્રકારના અસદુ આગ્રહનો તથા કેવળ વેશ-વ્યવહારાદિનો અભિનિવેશ ઘટે તે પ્રકારે ઉપદેશ પરિણામી થાય તેમ આત્માર્થ વિચારી કહેવું ઘટે, ક્રમે કરીને તે જીવો યથાર્થ માર્ગની સન્મુખ થાય એવો યથાશક્તિ ઉપદેશ કર્તવ્ય છે.” આ રીતે મુનિશ્રી લલ્લુજી શ્રીમદ્ પાસે પોતાની જિજ્ઞાસા પ્રગટ કરતા અને શ્રીમદ્ તેઓને યથાસમયે યથાયોગ્ય માર્ગદર્શન આપતા રહ્યા. કરે છે. તે Page #115 --------------------------------------------------------------------------  Page #116 -------------------------------------------------------------------------- ________________ 2 જી ૫૦. વિરહની પદરાવાર વેદના કાવિઠા, રાળજ, વડવા અને ખંભાત આદિ નિવૃત્તિક્ષેત્રમાં શ્રીમદ્રની અધ્યાત્મસરિતા વહેતી હતી. ભક્તિ, ક્રિયા અને જ્ઞાન અંગે તેઓ સ્પષ્ટ માર્ગદર્શન આપતા હતા. ખંભાતની નજીક આવેલા વડવામાં શ્રીમદ્ આવ્યા. આ સમયે મુનિશ્રી લલ્લુજી અને અન્ય પાંચ મુનિઓ તેમના સત્સમાગમ માટે ગયા. શ્રીમદે છએ મુનિઓને વડવામાં એકાંત સ્થળે બોલાવ્યા. આ મુનિઓએ એમને નમસ્કાર કર્યા. તેઓ શ્રીમના ચરણકમળ પાસે બેસી ગયા. મુનિશ્રી લલ્લુજીની સ્થિતિ અતિ સંઘર્ષમય હતી. એક બાજુ શ્રીમદ્દ પ્રત્યે વધુ ને વધુ ભક્તિની ભરતી આવતી હોવાથી મિલન માટેનો તલસાટ હતો, તો બીજી બાજુ મુનિમર્યાદાને કારણે થતો શ્રીમનો વિરહ હતો. આ વિરહવેદના અસહ્ય થતાં મુનિશ્રી લલ્લુજીને લાગ્યું કે આ મુનિવેશને કારણે જ તેઓ સદૈવ સદ્દગુરુચરણમાં રહી શકતા નથી. શ્રીમદ્ પણ તેઓને મુનિમર્યાદાના દૃઢ આચાર માટે સતત જાગ્રત કરતા રહેતા હતા. - પ્રિયજનની વિરહવેદના કેટલી બધી હૃદયવિદારક હોય છે ! એમાં મિલનના તલસાટ માટેની તીવ્ર આતુરતા હોય છે. આવી તીવ્ર આતુરતાને કારણે જ મુનિશ્રી લલ્લુજીએ મુહપત્તી કાઢીને આવેશમાં આવીને કહ્યું, હે નાથ, આપના ચરણકમળમાં મને નિશદિન રાખો. આ મુહપત્તી મારે જોઈતી નથી.... મારાથી સમાગમનો વિયોગ સહવાતો નથી.” આટલું બોલતાં-બોલતાં મુનિશ્રી લલ્લુજીની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. મુનિશ્રીના આવા ભાવ જોઈને શ્રીમદ્રની આંખમાં પણ આંસુ ઊમટી આવ્યાં. શ્રીમદ્દનું કોમળ હૃદય મુનિશ્રી લલ્લુજીની વિરહવેદના જોઈને રડી ઊઠવું. એમની આંખોમાંથી વહેતી અશ્રુધારા કેમે કરીને અટકે નહિ. પોતાના પ્રેમસ્વરૂપ શ્રીમદ્દની આંખોમાંથી વહેતી અશ્રુઓની ધારાએ મુનિશ્રી લલ્લુજીના ચિત્તમાં મનોમંથન જગાવ્યું. એમને થયું કે મેં આ શું કરી નાખ્યું ? શું મારે કારણે તેઓને આટલું બધું દુઃખ થયું ? મારાથી કોઈ અપરાધ થઈ ગયો લાગે છે. હવે હું શું કરું ? આમ મુનિશ્રી લલ્લુજીના હૃદયમાં પુષ્કળ પશ્ચાત્તાપ થયો. તેઓ ઊંડા વિચારમાં ડૂબી ગયા. આ સ્થિતિ જોઈને બધા જ મુનિઓ મૌન બેસી રહ્યા. એકાદ કલાક સુધી ઉદાસીન મૌનનું વાતાવરણ રહ્યું. એ પછી શ્રીમદે મુનિશ્રી દેવકરણજીને કહ્યું, આ મુહપરી મુનિશ્રીને આપો અને જણાવો કે હજી પહેરવાની જરૂર છે.” પોતાના સદ્દગુરુ માટેની મુનિશ્રી લલ્લુજીની વિરહવેદનો કોઈ વિરલ આત્માઓ જ અનુભવી શકે. એવો અનુભવ મુનિશ્રી લલ્લુજી સાથે આવેલા અન્ય સહુ મુનિઓને થયો. શ્રીમદ્ અઠવાડિયા સુધી વડવામાં રોકાયા અને સર્વ મુનિઓને પોતાના ઉપદેશામૃતનો લાભ આપતા રહ્યા. આને પરિણામે મુનિશ્રી મોહનલાલજી તથા અન્ય મુનિઓને શ્રીમમાં શ્રદ્ધા જાગી. Page #117 -------------------------------------------------------------------------- ________________ COMO Page #118 -------------------------------------------------------------------------- ________________ ૫૧. અાત્માનું, ઉપનિષદ સંવત ૧૯૫૨ના ભાદરવા-આસો મહિનામાં ગુજરાતનાં જંગલોમાં આત્મધ્યાન કરવા માટે શ્રીમદ્ એકાકી વિચરતા હતા. ત્યાંથી આણંદ થઈ શ્રીમદ્જી નડિયાદ પધાર્યા. મુનિશ્રી લલ્લુજી પર લખેલા છ પદના પત્રની નકલ શ્રીમદે શ્રી સોભાગભાઈને મોકલી. તેનો મુખપાઠ કરી વારંવાર એના વિશે વિચારવા આજ્ઞા કરી હતી. શ્રી સોભાગભાઈને વૃદ્ધાવસ્થાને કારણે ગદ્યમાં લખાયેલો છ પદનો પત્ર કંઠસ્થ કરવામાં મુશ્કેલી પડતી હતી, આથી શ્રીમદ્ને પદ્યરૂપે લખી મોકલવા વિનંતી કરી, જેથી સરળતાથી યાદ રહે અને કંઠમાં રમ્યા કરે તેમજ હૃદયમાં વસી જાય. - શરદપૂર્ણિમાને દિવસે જે મધુબિંદુ છીપમાં પડે તે મોતી બને છે, તેમ આ વિનંતી એવા સમયે અને એવા પુરુષ દ્વારા થઈ કે તે શ્રીમના હૃદયમાં ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર 'રૂ૫ અમુલ્ય મોતી ઉત્પન્ન કરવા સમર્થ બની. નડિયાદમાં આ ઘટના બની, આસો વદ એકમના દિવસે શ્રીમદ્ સંધ્યા સમય પછી બહારથી આવ્યા અને સાથે રહેલા મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઈને કહ્યું : “અંબાલાલ ! ફાનસ લે.” | વિનયમૂર્તિ અંબાલાલભાઈ ભક્તિપૂર્વક હાથમાં ફાનસ ધરીને ઊભા રહ્યા. શ્રીમદે મેજ પર રાખેલા કાગળો પર લખવા માંડ્યું. પ્રેરણાનો અદ્ભુત સ્ત્રોત વહેવા લાગ્યો. ગહન જ્ઞાનનું ઝરણું અસ્મલિતરૂપે વહેવા લાગ્યું. જાણે ઊર્ધ્વ આધ્યાત્મિક ભાવરૂપી કલમથી, ગહન ચિંતનના નવનીતરૂ૫ શાહીથી, આતમને જગાડનારી અને ઓળખાવનારી કાવ્યપંક્તિઓ રચાવા લાગી. માત્ર દોઢ-બે કલાક જેટલા ટૂંકા સમયમાં ષડુદર્શનના સાર સમી આત્મસિદ્ધિનું એક જ બેઠકે સર્જન થયું. ‘આત્મસિદ્ધિ ' પોતે જ સ્વયં એક સ્વતંત્ર શાસ્ત્ર છે. - ૧૪૨ ગાથામાં વિરાટ શ્રુતસાગરને શ્રીમદે આત્મસિદ્ધિરૂપ ગાગરમાં સમાવી દીધો. જૈનદર્શનની એક વિરલ વિશિષ્ટતા એ અનેકાન્તવાદ છે અને ‘આત્મસિદ્ધિશાસ્ત્રમાં સ્યાદવાદ શૈલીના આલેખનને કારણે સર્વદર્શનોનો સાર ગાગરમાં સાગરની માફક સમાઈ જાય છે. એની રચના શિષ્યની જિજ્ઞાસા અને ગુરુના ઉત્તર દ્વારા કરી છે. આ રીતે શંકા અને સમાધાનના આલેખન દ્વારા છ દર્શનોનું નવનીત આપીને જૈનદર્શનની ઉત્તમતા પ્રગટ કરી છે. આમાં કોઈ ધર્મના મતનું ખંડન કરવાને બદલે નામ આપ્યા વિના માત્ર એનો વિચાર દર્શાવ્યો છે અને એ રીતે જુદાં જુદાં દર્શનોના અભિપ્રાય એમણે આલેખ્યા છે. આ નાની કૃતિમાં સર્વ ધર્મના અનુયાયીઓને માટે આત્માનો મહિમા ગાયો છે. આથી જ ‘આત્મસિદ્ધિશાસ્ત્રને આત્મોપનિષદ તરીકે ઓળખાવીને પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી લખે છે, - “આત્મસિદ્ધિ વાંચતાં અને તેનો અર્થ પુનઃ પુનઃ વિચારતાં એમ લાગ્યા વિના નથી રહેતું કે શ્રીમદ્ રાજચંદ્ર આ આ એક નાનકડી કૃતિમાં આત્માને લગતું આવશ્યક પૂર્ણ રહસ્ય દર્શાવી આપ્યું છે.” શ્રીમદ્દની આ સર્વશ્રેષ્ઠ રચનામાં એમની આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટેની સાધનાનું નવનીત સાંપડે છે. આ એક અનુપમ અમર કૃતિથી જ શ્રીમદ્દનું નામ સદાકાળને માટે અમર થવા પર્યાપ્ત છે. Page #119 --------------------------------------------------------------------------  Page #120 -------------------------------------------------------------------------- ________________ POR LONDON ૫.૨. ઘી જેવો અાત્મા શ્રીમદ્ કાવિઠા ગામમાં હતા. તેઓ ફરવા નીકળ્યા ત્યારે એમની સાથે બીજા ઘણા સાથીઓ હતા. શ્રીમદ્ નીચી દષ્ટિ રાખીને ચાલતા હતા. થોડેક દૂર ગયા બાદ એક સ્ત્રી માથા પર ઘાસનો ભારો લઈને સામેથી ચાલી આવતી હતી. એ સ્ત્રી બોલતી હતી કે આ વાણિયાઓ તો રોજ જુદા જુદા ઠેકાણે ફર્યા કરે છે. કોણ જાણે એમનું એવું તે શું ખોવાઈ ગયું હશે કે આમ ઠેર ઠેર ફરીને શોધ્યા કરે છે ! સ્ત્રીના આ શબ્દો શ્રીમદ્દના કાને પડ્યા. એમણે કહ્યું, “બહેન ! અમે અમારી શોધ કરીએ છીએ.” મોક્ષ માટેનો પરમ આત્મપુરુષાર્થ જગાડતાં શ્રીમદ્ આમ જ કહે ને ? કાવિઠાની નજીક આવેલા વગડામાં શ્રીમનો ઉપદેશ સાંભળવા માટે કાવિઠા ગામના નિશાળિયાઓ આવ્યા. એમને શ્રીમદે પૂછયું, “બાળકો, તમને એક પ્રશ્ન પૂછું. જવાબ આપશો ?” બાળકોએ ‘હા’ કહીને જોરથી ડોકું ધુણાવ્યું. શ્રીમદે પૂછયું, “તમારા એક હાથમાં છાશથી ભરેલો લોટો હોય અને બીજા હાથમાં ઘીથી ભરેલો લોટો હોય અને રસ્તે ચાલતાં તમને કોઈનો ધક્કો લાગે તો કયા લોટાને જાળવશો ?” ગિરધર નામનો નિશાળિયો બોલ્યો, “અમે ઘીનો લોટો સાચવીશું.” શ્રીમદે વળતો સવાલ કર્યો, “આવું કેમ ? ઘી અને છાશ તો એકમાંથી ઉત્પન્ન થાય છે, ખરું ને ?” ગિરધરે કહ્યું, “છાશ ઢળી જાય તો ઘણા લોકો એને ફરી વખત ભરી આપે, પણ ઘીનો લોટો કોઈ ભરી ન આપે.” આ વાતનો સાર સમજાવતાં શ્રીમદ્ બોલ્યા, “છાશના જેવા દેહને આ જીવ સાચવે છે અને ઘી સમાન આત્માને જતો કરે છે. જે આત્માને ઘીની જેમ મૂલ્યવાન જાણે છે તે આત્માને સાચવે છે અને આંચ આવે ત્યારે છાશની માફક દેહને જતો કરે છે. પૂર્વે કર્મ ઉપાર્જન થયાં એટલે તે ભોગવવારૂપે દેહ મળવાનો, પણ ખરો જાળવવાનો તો આત્મા છે.” એક વાર શ્રીમદ્ કાવિઠામાં ફરવા નીકળ્યા હતા ત્યારે એમની પાછળ પાછળ કેટલાંક છોકરાંઓ ગયાં. શ્રીમદે પોતાની સાથેના ભાઈઓને પાછા જવાનું કહીને આ છોકરાંઓને પોતાની પાસે બેસાડ્યાં અને દરેકને જેવી આવડે તેવી વાર્તા કહેવાનું કહ્યું. દરેક છોકરાએ વાર્તા કહી. પછી શ્રીમદે છોકરાંઓને પૂછયું કે, “તમે ગામમાં બકરી અને પાડો જોયાં છે ?” બધાંએ ‘હા’ કહ્યા પછી શ્રીમદે કહ્યું, “ગામના તળાવમાં પાડો અને બકરી પાણી પીવા ગયાં. પાડો પાણી પીધા વિના પાછો આવ્યો અને બકરી પાણી પીને આવી, તેવું શેના કારણે બન્યું હશે ?” છોકરાંઓએ કહ્યું, “પાડો તો બહુ જબરો હોય છે ! એ કેમ પાણી પીધા વિના પાછો આવ્યો ?” શ્રીમદે કહ્યું, “પાડામાં એવી કુટેવ હોય છે કે એ તળાવના કાંઠે જઈને પાણી ડહોળે છે, જ્યારે બકરી તળાવના કાંઠે ઊભી રહી, નીચી ડોક રાખી પાણી પીને ચાલી આવે છે.” આ દૃષ્ટાંત પરથી શ્રીમદે કહ્યું કે, “કેટલાક લોકો સન્દુરુષો પાસે જઈને પોતાનું ડહાપણ ડહોળે છે, તેથી તેઓ કશું પામી શકતા નથી અને બીજાને અંતરાયરૂપ બને છે. જ્યારે બીજા પ્રકારના લોકો એવા હોય છે કે જેઓ સત્યરુષની વાતમાં શ્રદ્ધા કરે છે, એટલે પોતે પામે છે અને બીજાને અંતરાયરૂપ બનતા નથી.” Page #121 -------------------------------------------------------------------------- ________________ 36212 Page #122 -------------------------------------------------------------------------- ________________ ૫૩. મનનો ખોરાક વિભૂતિઓના જીવનના નાના નાના પ્રસંગોમાં પણ ગહન બોધ સમાયેલો હોય છે. કાવિઠામાં વાગડિયા તળાવની જગ્યાએ શ્રીમદ્ જ્ઞાનવાત કરતા હતા, ત્યારે બાજુના ખેતરના પાટીદાર શામળજીભાઈએ આ અનુપમ દેશ્ય જોયું. સર્વ કોઈ આ મહાત્માની વાતો કેટલી બધી એકાગ્રતાથી સાંભળે છે, આથી શામળજીભાઈના હૃદયમાં એકાએક ભક્તિભાવ જાગ્યો અને ખેતરમાંથી થોડાં મોગરાનાં ફૂલ તોડીને શ્રીમની બેઠક પર ભક્તિભાવે મૂક્યાં અને બે હાથ જોડી અહોભાવથી એમની સામે ઊભા રહ્યા. | કરુણાસિંધુ શ્રીમદ્ બોલ્યા, “નાની અમથી વાતમાં આટલાં બધાં ફૂલ ન તોડીએ.” એ પછી થોડી વાર અટકીને શ્રીમદે કહ્યું, તમારી દીકરી હીરાને કાલે આરામ થઈ જશે.” શામળજીભાઈએ પોતાની પુત્રી હીરાને કાવિઠાથી ત્રણ ગાઉ દૂર આવેલા સિહોલ ગામમાં પરણાવી હતી. એ ત્યાં ઘણા લાંબા સમયથી બીમાર હતી. બીજા દિવસે શામળજીભાઈ પુત્રીની ખબર કાઢવા એના સાસરે ગયા ત્યારે એમની પુત્રી સ્વસ્થ થઈ ગઈ હતી. શ્રીમદ્ શામળજીભાઈ કે એમની પુત્રીને ઓળખતા નહોતા, પરંતુ પારકાની પીડા જાણનાર શ્રીમદે પોતાની આત્મશક્તિનો આવિષ્કાર દર્શાવ્યો. | શ્રીમદ્ કાવિઠાના નિવૃત્તિક્ષેત્રમાં રહ્યા હતા ત્યારે મુનિશ્રી મોહનલાલજીએ શ્રીમને પૂછ્યું, “આ મને સ્થિર રહેતું નથી. તેનો કોઈ ઉપાય બતાવો ને ?” | શ્રીમદે ઉપાય બતાવતાં કહ્યું, “એક પળ પણ નકામી પસાર કરવી નહિ. વૈરાગ્ય આદિમાં વૃદ્ધિ કરે તેવા સારા ગ્રંથનું વાચન-મનન કરવું. એવું કશું ન થાય તો માળા ગણવી. જો મનને નવરું રાખશો તો એ ક્ષણમાં સત્યાનાશ વાળી દેશે. એને સવિચારરૂપ ખોરાક આપતા રહેવો જોઈએ. જેમ પશુને કંઈ ને કંઈ ખાવા જોઈએ, એની આગળ ખાણનો ટોપલો મૂક્યો હોય તો તે ખાધા કરે છે તેવું મનનું છે. બીજા વિકલ્પો બંધ કરવા હોય તો મનને સર્વિચારરૂપ ખોરાક આપવો. મન કહે તેથી ઊલટું વર્તવું. તેને વશ થઈ તણાઈ જવું નહિ.” એક વાર ઝવેરચંદ શેઠના ઘેર મેડા ઉપર શ્રીમનો બોધ સાંભળીને પ્રાગજીભાઈ જેઠાભાઈએ કહ્યું, “સાહેબ ! ભક્તિ તો ઘણી કરવી છે, પણ ભગવાને આપેલું પેટ ખાવાનું માગે છે. તેથી કરીએ શું ?” શ્રીમદે કહ્યું, “તમારા પેટને અમે જવાબ દઈએ તો ?” આમ કહીને શ્રીમદે ઝવેરચંદ શેઠને કહ્યું, “તમે જે ભોજન કરતા હો તે પ્રાગજીભાઈને બે વખત આપજો. તેઓ ઉપાશ્રયના મેડા પર બેસીને નિરાંતે ભક્તિ કરે, પણ શરત એટલી કે નીચે કોઈનો વરઘોડો જતો હોય કે સ્ત્રીઓ ગીત ગાતી જતી હોય તો બહાર જોવા જવું નહિ, સંસારની વાતો કરવી નહિ. કોઈ ભક્તિ કરવા આવે તો ભલે આવે, પણ એ સિવાય બીજી કોઈ વાત કરવી કે સાંભળવી નહિ.” શ્રીમદ્દની આ વાત અને શરત સાંભળીને પ્રાગજીભાઈ બોલ્યા, “ઓહ ! અમારાથી એ પ્રમાણે રહેવાય નહિ.” ત્યારે શ્રીમદે કહ્યું કે, “આ જીવને ભક્તિ કરવી નથી એટલે પેટ આગળ ધરે છે. ભક્તિ કરતાં કોણ ભૂખે મરી ગયું ? જીવ આમ છેતરાય છે.” કમ પ ( વી. Page #123 -------------------------------------------------------------------------- ________________ O Page #124 -------------------------------------------------------------------------- ________________ ૫૪. બીજું રટણ ન હો ! શ્રીમદ્ અને શ્રી સોભાગભાઈ વચ્ચેનો સંબંધ કોઈ વિશિષ્ટ સંબંધ હતો. વિ. સં. ૧૯૪૬ના ભાદરવા માસથી શરૂ થયેલો એ આધ્યાત્મિક મેળાપ સાત વર્ષ સુધી ચાલ્યો. જેતપુરમાં બંનેનો પ્રથમ મેળાપ થયો તે પછી બંને સામાન્ય રીતે વર્ષે એકાદ વખત મળતા. શ્રીમદ્ નિવૃત્તિ અર્થે ગુજરાતમાં જતા ત્યારે તેમનો મેળાપ વિશેષ થતો. મુંબઈમાં પણ શ્રીમદ્ અને સોભાગભાઈનું મળવાનું બન્યું હતું. શ્રી સોભાગભાઈ કચ્છ નજીક અંજારમાં દુકાન ધરાવતા હતા. એમની આર્થિક સ્થિતિ ઘણી મૂંઝવનારી હતી. આવે સમયે શ્રીમદ્ એમને યોગ્ય માર્ગદર્શન પણ આપતા હતા. વ્યાવહારિક ચિંતાથી અકળાવાને બદલે એને સમભાવે સહન કરવાનું કહેતા, “જે ચિંતાના ઉપદ્રવે તમે મુંઝાઓ છો, તે ચિંતા-ઉપદ્રવ કોઈ શત્રુ નથી.... સંસારની ઝાળ જોઈ ચિંતા ભજશો નહીં, ચિંતામાં સમતા રહે તો તે આત્મચિંતન જેવી છે.... આત્મામાં વિશેષ આકુળતા ન થાય તેમ રાખશો. જે થવા યોગ્ય હશે તે થઈ રહેશે. અને આકુળતા કરવાથી પણ જે થવા યોગ્ય હશે તે થશે, તેની સાથે આત્મા પણ અપરાધી થશે.” આ રીતે પરમસખા સોભાગભાઈ પરમાર્થમાં દૃઢ બને તે માટે શ્રીમદ્ એમને માર્ગદર્શન આપતા રહ્યા. વિ. સં. ૧૯૫૩ના વૈશાખ મહિનામાં શ્રી સોભાગભાઈને મળવા માટે શ્રીમદ્ સાયલા ગયા. એ સમયે શ્રી સોભાગભાઈને છેલ્લા આઠ મહિનાથી ઝીણો તાવ રહેતો હતો. શ્રીમદે સોભાગભાઈને બોધ આપ્યો. શ્રીમા પ્રથમ મેળાપથી જ શ્રી સોભાગભાઈને શ્રીમદ્ પ્રત્યે પૂજ્યભાવ જાગ્રત થયો હતો. ક્રમેક્રમે એ પૂજ્યભાવ વધતો ગયો. એક પતિવ્રતા નારીની માફક શ્રીમદ્ પ્રત્યે એમની પરમ ભક્તિ થઈ. તેઓને અનન્ય શરણ પામ્યાનો આનંદ હતો. શ્રીમદ્ છેલ્લે સાયલા પધાર્યા ત્યારે એમને વળાવવા જતી વખતે રસ્તામાં નદી આવી. વહેલી પ્રભાતનો એ સમય હતો. ક્ષિતિજના કિનારેથી ધીરે ધીરે ઊગતા સૂર્યનાં કિરણો પૃથ્વીપટને અજવાળતાં હતાં. આ સમયે શ્રી સોભાગભાઈએ જણાવ્યું, “ઊગતા સૂર્યની સાખે, નદીની સાખે, સત્પુરુષની સાખે આ સોભાગને આપના સિવાય બીજું રટણ ન હો !" જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું દૂર થઈ જાય અને સર્વકાળને વિશે અયાચકપણું પ્રાપ્ત થાય એવો જો કોઈ તરણ-તારણ હોય તો તેને જાણવો અને ભજવો. શ્રીમા સત્સમાગમમાં સોભાગભાઈને સમ્યકૂજ્ઞાન અને આત્મદશા વધારવાનો અમૂલ્ય લાભ પ્રાપ્ત થયો. ‘શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર’ની ૧૪૨ ગાથાની રચના મળ્યા બાદ શ્રી સોભાગભાઈ ધન્યતાનો અનુભવ કરે છે અને જણાવે છે કે હવે કશું માગવાનું રહેતું નથી. શ્રી આત્મસિદ્ધિની ૧૨૭મી ગાથા પછી શ્રીમદે રચેલી આ વધારાની ગાથા એની સાક્ષી પૂરે છે, “શ્રી સુભાગ્ય ને શ્રી અચળ, આદિ મુમુક્ષુ કાજ; તથા ભવ્યહિત કારણે, કહ્યો બોધ સુખસાજ. Page #125 -------------------------------------------------------------------------- ________________ SORT One Page #126 -------------------------------------------------------------------------- ________________ Sિ A SAS S D ૫૫. અમર પન્નત્રયી અનંતકાળે જે અપુર્વ યોગ મળ્યો છે તે સફળ થાય તે માટે શ્રી સોભાગભાઈએ શ્રીમદ્દને સાયલા આવવાની કરેલી વિનંતીનો સ્વીકાર કરીને પ્રેમમૂર્તિ શ્રીમદે સાયલામાં દસ દિવસની સ્થિરતા કરી. એ પછી વિશેષ સત્સંગ કરાવવાના હેતુથી શ્રીમદ્ સોભાગભાઈને ઇડર લઈ જવા ઇચ્છતા હતા. આ વાત જાણીને શ્રી સોભાગભાઈના પુત્ર ચુંબકભાઈએ કહ્યું, સોભાગભાઈને આવા ક્ષીણ શરીરે ઘરની બહાર લઈ જવા દેવાનું એમના હૈયે બેસતું નથી. આવા વ્યાધિગ્રસ્ત શરીરનો ભરોસો કેમ રાખી શકાય ? વળી ઇડરમાં તેમને કંઈ થાય તો દુનિયા અમને ગાંડા ગણે.” શ્રીમદ્ વ્યંબકભાઈનો મનોભાવ પારખી ગયા. એમણે ચુંબકભાઈને કહ્યું, “યંબક, તમે સહુ ફિકર કરો મા, કારણ કે શ્રી સોભાગભાઈની સેવા તથા ઉત્તરક્રિયા તારા હાથથી જ થશે.” શ્રીમદ્દનાં આ વચનો સાંભળીને ચૂંબકભાઈને શાંતિ થઈ. શ્રી સોભાગભાઈ દસ દિવસ ઇડર રોકાયા. ઇડરના નિવૃત્તિક્ષેત્રમાં શ્રીમદે પોતાના પરમાર્થ સુહૃદ શ્રી સોભાગભાઈ માટે પરમાર્થ બોધની અમૃતવર્ષા વર્ષાવી. એ પછી સોભાગભાઈ સાયલા પાછા આવ્યા અને શ્રીમદ્ મુંબઈ ગયા. - શ્રી સોભાગભાઈની શારીરિક સ્થિતિ ક્ષીણ થતી જતી હતી. શ્રીમદે એમની અંતિમ અવસ્થા જાણી લીધી, આથી મુંબઈથી અપુર્વ આત્મજાગૃતિ અર્થે અંતિમ આરાધનામાં પરમ ઉપકારી થઈ પડે એવા ત્રણ અમર પત્રો (પત્રાંક : ૭૭૯, ૭૮૦, ૭૮૧) લખીને મોકલ્યા. શ્રીમદ્રના સમગ્ર મુમુક્ષુમંડળમાં શ્રી સોભાગભાઈ મૂર્ધન્ય સ્થાને હતા અને શ્રીમના પત્રસાહિત્યમાં સૌથી વધુ પત્રો શ્રી સોભાગભાઈને ઉદ્દેશીને લખાયા છે, એ પત્રોમાં આ ત્રણ અમરપત્રો કળશરૂ ૫ છે. એની એવી ચમત્કારિક અસર શ્રી સોભાગભાઈ પર થાય છે કે આ પત્રો એ એમના આત્મસાક્ષાત્કારનું કારણ બને છે. મોક્ષમાર્ગ દર્શાવતી આ પત્રોની રત્નત્રયી માનવીને અંત સમયની આરાધના માટે અપૂર્વ માર્ગદર્શક બને તેવી છે. સર્વ શાસ્ત્રોના નિચોડરૂપ આ ત્રણ પત્રોની પોતાના આત્મા પર થયેલી પ્રભાવક અસર પ્રગટ કરતાં વિ. સં. ૧૯૫૩ના જેઠ વદ છઠ્ઠના દિવસે શ્રી સોભાગભાઈ શ્રીમદ્દ અંતિમ પત્ર લખતાં જણાવે છે, | “આ કાગળ છેલ્લો લખી જણાવું છું. જેઠ સુદ ૯ બુધવારે મર્તક છે, એવો આગળ ભાસ થયેલ. તે સુદ ૯નું બન્યું નહિ. છતાં તે તારીખ ગઈ. તો જેઠ વદ ૯ને બુધવારે છે. ઘણું કરી તે તારીખે મર્તક થાશે. એમ ખાત્રી છે. હવે આ પામર સેવક ઉપર બધી રીતે આપ કૃપાદૃષ્ટિ રાખશો.... અને દેહ ને આત્મા જુદો છે. દેહ જડ છે, આત્મા ચૈતન્ય છે. તે ચેતનનો ભાગ પ્રત્યક્ષ જુદો સમજવામાં આવતો નહોતો. પણ દિન ૮ થયાં આપની કૃપાથી અનુભવગોચરથી બેફાટ પ્રગટ જુદો દેખાય છે અને રાતદિવસ આ ચેતન અને આ દેહ જુદા, એમ આપની કૃપાદૃષ્ટિથી સહજ થઈ ગયું છે. એ આપને સહેજ જણાવા લખ્યું છે. ” - એ પછી શ્રી સોભાગભાઈના ધાર્યા કરતાં એક દિવસ મોડો એટલે કે વિ. સં. ૧૯૫૩ના જેઠ વદ દસમને દિવસે એમણે સમાધિસ્થ ભાવે દેહત્યાગ કર્યો. ક મ રે , Page #127 --------------------------------------------------------------------------  Page #128 -------------------------------------------------------------------------- ________________ ૫૬. તને નમસ્કાર હો ! વિ. સં. ૧૯૫૩ના જેઠ વદ દસમને દિવસે સવારે ૧૦-૫૦ વાગ્યે શ્રી સોભાગભાઈએ દેહત્યાગ કર્યો. શ્રીમદે આ સમય પોતાના જ્ઞાનબળથી જાણી લીધો. રોજ ગરમ પાણીથી સ્નાન કરતાં શ્રીમદ્દ એ સમયે પહેરેલાં કપડાં સાથે ઠંડા પાણીએ સ્નાન કરવા બેસી ગયા. થોડા કલાક બાદ શ્રી સોભાગભાઈના દેહાંતનો તાર મળ્યો. આમ સેકડો માઈલ દૂર બનેલી શ્રી સોભાગભાઈના દેહોત્સર્ગની ક્ષણને શ્રીમદે એ જ ક્ષણે સ્વયં જ્ઞાનબળથી જાણી લીધી. શુદ્ધ ઉપયોગથી જ્ઞાનની અતિ નિર્મળતાને કારણે આવું બન્યું. શ્રી સોભાગભાઈના સમાધિમરણની સ્થિતિ વિશે એ સમયના સાક્ષી શ્રી અંબાલાલભાઈએ શ્રીમદ્દ પર વિગતે પત્ર લખ્યો. પરમાર્થસખા શ્રી સોભાગભાઈના વિરહની સૌથી વધુ વેદના અનુભવી નિર્મોહસ્વરૂપ સંવેદનશીલ શ્રીમદે. પોતાના પર ઉપકાર કરનાર શ્રી સોભાગભાઈના ભવ્ય આત્માને અંજલિ આપતાં એમના પુત્ર ત્રંબકલાલ પરના આશ્વાસનપત્રમાં શ્રીમદ્દ લખે છે, આર્ય શ્રી સોભાગે જેઠ વદ ૧૦ ગુરુવારે સવારે દશ ને પચાસ મિનિટે દેહ મૂક્યાના સમાચાર વાંચી ઘણો ખેદ થયો છે. જેમ જેમ તેમના અદ્ભુત ગુણો પ્રત્યે દૃષ્ટિ જાય છે, તેમ તેમ અધિક ખેદ થાય છે. જીવને દેહનો સંબંધ એ જ રીતે છે. તેમ છતાં પણ અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે, અને તેમાં દેઢ મોહથી એકપણાની પેઠે વર્તે છે; જન્મમરણાદિ સંસારનું મુખ્ય બીજ એ જ છે. શ્રી સોભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી. વડીલપણાથી તથા તેમના તમારા પ્રત્યે ઘણા ઉપકાર હોવાથી, તેમ જ તેમના ગુણના અદ્ભુતપણાથી તેમનો વિયોગ તમને વધારે ખેદકારક થયો છે; અને થવા યોગ્ય છે..... સમાગમમાં આવેલા મુમુક્ષુઓને શ્રી સોભાગનું સ્મરણ સહેજે ઘણા વખત સુધી રહેવા યોગ્ય છે..... આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સોભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે..... શ્રી સોભાગ મુમુક્ષુ એ વિસ્મરણ કરવા યોગ્ય નથી.... શ્રી સોભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે ઉપકારતા આદિ ગુણો વારંવાર વિચારવા યોગ્ય છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ” પોતાના પરમાર્થ જીવન સાથે ગાઢ રીતે સંકળાયેલા પોતાના હૃદયરૂપ પરમ વિશ્રામ પરમાર્થસખા શ્રી સોભાગભાઈનો વિરહ મહિનાઓ સુધી અનુભવ્યો એ સમયે અન્ય મુમુક્ષુઓને લખેલા પત્રોમાં પણ શ્રી સોભાગભાઈના ઉત્તમોત્તમ ગુણોનું સ્મરણ કરતા હતા. સાત વર્ષના બંનેના પરમાર્થ સંબંધમાં પ૬૦ દિવસ બંને સાથે રહ્યા હતા અને શ્રી સોભાગભાઈ પરના પત્રોમાં પ્રગટ થતી શ્રીમદ્રની અંતરંગ દશા પરમ જ્ઞાનાવતાર શ્રીમદ્રની ઓળખ આપી ગઈ. પરમ કૃપાળુદેવના પરમાર્થસખા શ્રી સોભાગભાઈને કારણે જ સાયલા એ મુમુક્ષુઓ માટે તીર્થધામ બન્યું. શ્રીમદ્ કહે છે કે, “શ્રી સોભાગ મુમુક્ષુ એ વિસ્મરણ કરવા યોગ્ય નથી.” પોતાની હાથનોંધમાં પરમ પ્રેમમય ભાવપૂર્ણ નમસ્કાર કરતાં શ્રીમદ્ લખે છે, હે શ્રી સોભાગ ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર હો.” નજર તો દેવી દાદ 3) વ ફાટશ છે Page #129 -------------------------------------------------------------------------- ________________ EN BOOT YO Page #130 -------------------------------------------------------------------------- ________________ ૫૭. કરુણા કરી અપાર શ્રીમા બનેવી ટોકરશીભાઈના શરીરમાં પ્લેગની ગાંઠ થઈ. દર્દની અપાર વેદના તો હતી જ, પણ એમાં વળી સન્નિપાત થઈ ગયો. એ સતત અર્થહીન રીતે બોલતા હતા. વારંવાર બહાર ભાગી જવાનો પ્રયત્ન કરતા. ચાર મજબૂત વ્યક્તિઓ એમને પકડીને રાખતી હતી. શ્રીમદ્ એમની ખબર જોવા માટે આવ્યા ત્યારે સહુએ કહ્યું કે ટોકરશીભાઈ નાસભાગ કરે છે, માટે તમે દૂરથી જ એમનાં ખબરઅંતર જાણી લેજો. નજીક જશો નહીં. શ્રીમદે કહ્યું, “ટોકરશીભાઈ ભાગશે નહીં. તમે બધા દૂર ઊભા રહો.” શ્રીમદ્ સ્નેહપૂર્વક ટોકરશીભાઈની પાસે જઈને બેઠા. પાંચેક મિનિટમાં ટોકરશીભાઈ સાવધાન થઈ ગયા. એમણે વિનમ્રતાથી શ્રીમદ્ન પૂછ્યું, “આપ ક્યારે આવ્યા ?” શ્રીમદે પૂછ્યું, “તમારી તબિયત કેમ છે ?” ટોકરશીભાઈએ કહ્યું, “ઠીક છે, પણ ગાંઠની પીડા અસહ્ય છે.” આમ કહીને ટોકરશીભાઈ અડધો કલાક સુધી શાંત રહ્યા. શ્રીમદ્ અડધો કલાક બાદ પાછા ફર્યા. દુકાને ગયા. એ સમયે ટોકરશીભાઈને એકાએક સન્નિપાત ઊપડતાં શ્રીમને દુકાનેથી બોલાવવા માણસ દોડતો દોડતો આવ્યો. શ્રીમદે એને વિદાય આપતાં કહ્યું કે જેમ બનવાનું હોય તેમ બને છે. શ્રીમદ્ એ સમયે ત્યાં ગયા નહીં. સાંજના સાતેક વાગ્યે વળી ટોકરશીભાઈની ખબર જોવા ગયા. ટોકરશીભાઈ પાસે બેઠા. તેઓ હાથ, આંખ અને હોઠના ઇશારા કરતા હતા. થોડી વારે ટોકરશીભાઈ ભાનમાં આવતાં શ્રીમદે પૂછ્યું, “કેમ છે ?” ટોકરશીભાઈએ કહ્યું, “હવે સારું છે. ગાંઠની પીડા થતી નથી.' ટોકરશીભાઈ એક શ્લોક બોલ્યા ત્યારે શ્રીમદે એમને આ શ્લોક ક્યાં સાભળ્યો હતો એમ પૂછ્યું. ટોકરશીભાઈએ કહ્યું કે, “ઇડરના જંગલમાં,” વળી થોડી વાર પછી શ્રીમદે એમને “કેમ છે ?” એમ પૂછ્યું ત્યારે ટોકરશીભાઈ બોલ્યા, “આનંદ, આનંદ ! આવી સ્થિતિ મેં કોઈ દિવસ અનુભવી નથી.” એટલામાં શ્રીમદે એક વખત હાથનો ઇશારો ટોકરશીભાઈના મુખ તરફ કર્યો અને બોલ્યા કે, “મહેતાનો દેહ છૂટી ગયો છે. પોણા કલાક સુધી એમની પાસે જશો નહિ.” પદમશીભાઈએ શ્રીમદ્ને પૂછ્યું, “મહેતાની બાબતમાં આશ્ચર્યજનક શું ગણાય ?” શ્રીમદે કહ્યું, “શ્વાસનો વાયુ સાથેનો સંબંધ છૂટો પડેથી પ્રાણ ચાલ્યો જાય એમ કહેવાય છે. એ વખતે જીવને જેવી લેશ્યા હોય તેવી ગતિ થાય છે. યોગબળે જીવોની લેશ્યા ફેરવી શકાય છે.” શ્રીમદ્ યોગશક્તિના ચમત્કાર કદી પ્રગટ કરતા નહીં. પરંતુ અનાયાસે એમના બનેવી શ્રી ટોકરશીભાઈ મહેતાની બીમારીમાં એની ઝલક જોવા મળી. શ્રીમદ્ મુંબઈમાં હતા ત્યારે એમને ત્યાં લલ્લુ નામનો નોકર ઘણાં વર્ષો સુધી કામ કરતો હતો. એક વાર લલ્લુને ગંભીર માંદગી આવી. એને ગાંઠ નીકળી. આ સમયે શ્રીમદ્ સ્વયં એની સેવા-ચાકરી કરવા લાગ્યા. એની તમામ સંભાળ લેતા હતા. શ્રીમદ્દ્ની આવી સેવા-શુશ્રુષા જોઈને સહુ કોઈને આશ્ચર્ય થતું. શ્રીમદે તો એનું માથું પોતાના ખોળામાં રાખીને છેક અંત સુધી એની સંભાળ લીધી. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુની વેદના જાણી શકનાર શ્રીમદ્ પોતાની સેવા-ચાકરી કરનાર નોકરની ઉપેક્ષા કઈ રીતે કરે ? પરદુઃખભંજન શ્રીમદે નોકરના આત્માને પોતાના જેવો જ આત્મા જાણ્યો. નોકર લલ્લુ પણ સદ્ગુરુના ચરણ સમીપ રહી દેહનો ત્યાગ કરતાં પોતાની ગતિ સુધારી ગયો. આમ નિગ્રંથ મહાત્માઓનાં દર્શન અને સમાગમ મુક્તિની સમ્યક્ પ્રતીતિ કરાવે છે. Page #131 --------------------------------------------------------------------------  Page #132 -------------------------------------------------------------------------- ________________ ૫૮. અપૂર્વ અવસર ૧૯૫૨ના દ્વિતીય જેઠ સુદ એકમના દિવસે ૨૮ વર્ષના શ્રીમદ્ ભાગીદારીમાંથી છૂટા થયા. પોતાનો સઘળો ધંધાકીય વહીવટ અને તમામ અર્થ-સંપત્તિ નાના ભાઈ શ્રી મનસુખભાઈના નામે કરી દીધાં. એ પછી શ્રીમદ્ વચ્ચે વચ્ચે ક્વચિત થોડો સમય શ્રી રેવાશંકરભાઈ અને નાના ભાઈ મનસુખભાઈના સંતોષ ખાતર મુંબઈ આવતા હતા. વિ. સં. ૧૯૫ર પછી શ્રીમદે ત્યાગી જીવન જીવવાની શરૂઆત કરી. આંતરિક અસંગતા તો હતી જ, પણ હવે તો બાહ્ય અસંગતા પ્રાપ્ત કરવાના પ્રયત્નો ચાલુ કર્યા. સૂવા માટે ગાદલું રાખતા નહિ. ડાંસ-મચ્છર આદિના ઉપદ્રવો શાંતિથી સહન કરતા. અર્ધ રાત્રિએ ઊઠીને જંગલમાં જઈને ધ્યાન ધરતા. સાવ સાદો ખોરાક લેતા. અમુક વખતે માત્ર બાફેલાં શાકભાજી લેતા. અમુક વખતે આખા દિવસના ખોરાકરૂપે એક વાર બે રૂપિયાભાર લોટની રોટલી અને થોડું દૂધ લેતા. ક્યારેક દિવસમાં એક જ વાર ઘી-દૂધની બનાવેલી રસોઈ લેતા. આમ સર્વસંગપરિત્યાગની પૂર્વતૈયારીરૂપે કડક સંયમપાલનનો શ્રીમદે પ્રારંભ કર્યો. આ આધ્યાત્મિક માર્ગમાં ‘બાહ્યાંતર નિગ્રંથ થવા માટેનો તેમનો પ્રયત્ન હતો. સર્વ સાંસારિક બંધનોથી પર થઈને અંતરમાં અપૂર્વ અવસરના ઉજાસની તૈયારી ચાલતી હતી. વિ. સં. ૧૯૫૩માં વવાણિયાના ઘરમાં માતુશ્રી દેવમાં બીમારીને કારણે ઢોલિયા પર સૂતા હતા; ત્યારે માતાની સેવામાં સદા તત્પર એવા ઢોલિયા પર બેઠેલા શ્રીમદે અનન્ય પદની રચના કરી. એમના અંતરમાંથી આવું અપૂર્વ કાવ્ય પ્રગટ્યું : અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો ? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું કવ મહપુરુષને પંથ જો.....૧. અપૂર્વ.” આંતરિક રીતે તો પોતે નિગ્રંથ હતા જ, કિંતુ બાહ્ય રીતે પણ નિગ્રંથ થવાની ઉત્કટ ઇચ્છા એમણે આ પદમાં પ્રગટ કરી છે. આગ્રાનો તાજમહાલ શિલ્પકલાનો સર્વોત્કૃષ્ટ નમૂનો છે, તેમ આધ્યાત્મિક વિશ્વના ભવ્ય શિખર પરના ગુણસ્થાનનો આરોહણક્રમ સૂચવતું આ કાવ્ય અપૂર્વ મર્મગામી કાવ્યકલાનો નમૂનો છે. એકવીસ કડીના આ નાના કાવ્યમાં વિરાટ તત્ત્વજ્ઞાન છુપાયેલું છે. આમાં માનવીને એના લક્ષ્યસ્થાન મોક્ષ સુધી પહોંચાડવાનો વિકાસક્રમ શ્રીમદે જૈન આગમોની પરિપાટી અનુસાર દર્શાવ્યો છે. સૌથી નિમ્ન મિથ્યાત્વની ભૂમિકાથી માંડીને સિદ્ધપદની સર્વોચ્ચ દેશા સુધીના જીવના ક્રમિક ઊર્ધ્વરોહણને ચૌદ ગુણસ્થાન તરીકે જૈનદર્શનોમાં ઓળખાવ્યાં છે. ‘અપૂર્વ અવસર ' કાવ્યમાં ચોથા ગુણસ્થાનથી ચૌદમા ગુણસ્થાને રહેલા જીવની સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. આ કાવ્ય અત્યંત સરળ ભાષામાં લય અને તાલના માધુર્ય સાથે રચાયું છે. એનું ગાન વ્યક્તિને આનંદની અપૂર્વ મસ્તીમાં લીન કરી દે છે. આધ્યાત્મિક માર્ગનાં અતિ ગુઢ તત્ત્વો અને અલૌકિક રહસ્યોથી ભરપૂર આ કાવ્ય વ્યક્તિને સ્વયે ઉચ્ચ દશાની યાત્રા કરાવે છે. આવી વિશેષતાને કારણે જ મહાત્મા ગાંધીજીએ પોતાના પ્રિય કાવ્ય તરીકે એને ‘આશ્રમ ભજનાવલિ'માં સ્થાન આપ્યું હતું. ૨૯ વર્ષની યુવાન વયે એક જ બેઠકે રચાયેલું આ કાવ્ય શ્રીમદ્ની અંતરંગ દશાનું હૃદયંગમ પ્રતિબિંબ ઝીલે છે અને એમના આત્મિક વિકાસની ઝાંખી કરાવે છે. KC SY A SAS Sતે Page #133 --------------------------------------------------------------------------  Page #134 -------------------------------------------------------------------------- ________________ પ૯. માત્ર મોક્ષ અભિલાષ પર્વાધિરાજ પર્યુષણ આવ્યા. વિ. સં. ૧૯૫૪ના શ્રાવણ વદમાં કાવિઠા ગામમાં શ્રીમદે પર્યુષણ પર્વની આરાધના કરી અને કરાવી. આ પરમ સત્પષના સાંનિધ્યનો લાભ શ્રી ઝવેરચંદભાઈ અને અન્ય મુમુક્ષુઓએ લીધો. ધર્મભાવનાનું અનુપમ વાતાવરણ સર્જાયું. શ્રીમદ્દ પ્રેમથી જેમને “શુકદેવજી' કહીને બોલાવતા હતા તે મહાનુભાવ શ્રી પોપટલાલભાઈ મહો કમચંદને કાવિઠામાં શ્રીમદૂની જ્ઞાની મહાત્મા તરીકે ઓળખાણ થઈ. શ્રીમદૂના સમાગમમાં શ્રી પોપટલાલભાઈ ઘણા મોડા આવ્યા, તો પણ તેમની મુમુક્ષતા, ભક્તિ આદિ વિશિષ્ટ યોગ્યતાને કારણે અલ્પ સમયમાં જ તેઓ ઘણું ગ્રહણ કરી શક્યા. કાવિઠામાં શ્રીમદ્દના ઉતારાનું મકાન અને શ્રી ઝવેરચંદ શેઠના મકાન વચ્ચે અંતર હતું. શ્રી ઝવેરચંદ શેઠના મકાનમાં અંબાલાલભાઈ શ્રીમદ્ માટે રસોઈ કરતો. આ સમયે પોતાના ઉતારાના મકાનમાં શ્રીમદ્ જે બોધ આપતા હોય તે ઝવેરચંદ શેઠના મકાનમાં રસોઈ બનાવતા અંબાલાલભાઈની સ્મૃતિમાં આવતો હતો. બીજે દિવસે એ સ્મૃતિના આધારે શ્રીમદ્જીએ કરેલો ઉપદેશ લખીને લાવતા હતા. કાવિઠાથી શ્રીમદ્ વસોની આસપાસના વનપ્રદેશમાં પધાર્યા અને એક મહિનો ત્યાં રહ્યા. પરમ વીતરાગભાવમાં નિમગ્ન શ્રીમદે અહીં ચાતુર્માસ કરી રહેલા મુનિશ્રી લલ્લુજી આદિ મુનિગણ તથા મોતીલાલભાઈ ભાવસાર વગેરેને બોધ આપ્યો. આત્મારામી શ્રીમદ્ વનમાં એકલા નીકળી પડતા હતા, ધ્યાનમાં લીન રહેતા અને પોતાની સુપ્રસિદ્ધ ધૂનોથી વન-વગડાઓ ગજવતા અને ભવ્યજનોને જગાવતા. વસોથી ઉત્તરસંડાના પ્રદેશમાં શ્રીમદ્જી પધાર્યા ત્યારે આ એકાંત નિર્જન સ્થળે આવેલી તળાવડીના કાંઠા પરના બાગની વચ્ચે એક નાનકડું મકાન ભક્તિવાન શ્રી મોતીલાલ ભાવસારે શોધી રાખ્યું હતું. શ્રીમદ્જી તેમાં રહેતા હતા. આ વનક્ષેત્રે સેવાભાવી શ્રી મોતીલાલ ભાવસારને શ્રીમદ્દ સાથે ઘણા સ્મરણીય પ્રસંગો બન્યા હતા. તેઓની જ્ઞાનવાર્તામાં મુમુક્ષુઓને એટલો બધો આનંદોલ્લાસ આવતો કે આખી રાત ક્યાં પસાર થઈ જાય તેનો ખ્યાલ પણ રહેતો નહિ. શ્રીમદ્ની નિદ્રા બહુ અલ્પ હતી. નિદ્રા એ જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ છે અને એ આવરણ જેમ ઓછું થાય તેમ નિદ્રા ઓછી થાય. તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીરે સાડા બાર વર્ષ તપશ્ચર્યા કરી તેમાં માત્ર અડધો કલાકે નિદ્રા લીધી હતી. એકાંત સાધના માટે જતા શ્રીમદ્ ક્યારેક મોતીલાલભાઈને સાથે લઈ જતા. એક વાર મોતીલાલભાઈ પર કરુણાભાવ રાખીને બોધ આપતાં શ્રીમદે કહ્યું, | “તમે પ્રમાદમાં શું પડ્યા છો ? વર્તમાનમાં માર્ગ એવા કાંટાથી ભર્યા છે કે કાંટા ખસેડતાં અમને જે શ્રમ વેઠવો પડ્યો છે તે અમારો આત્મા જાણે છે. જો વર્તમાનમાં જ્ઞાની હોત તો અમે તેમની પૂંઠે પૂંઠે ચાલી જાત. પણ તેમને પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ છે, છતાં એવા યોગથી જાગ્રત થતા નથી. પ્રમાદ દૂર કરો. જાગ્રત થાઓ. અમે જ્યારે વીર પ્રભુના છેલ્લા શિષ્ય હતા તે વખતમાં લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભવ કરવા પડ્યા. પણ જીવોને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષોની ઓળખાણ ઘણી જ દુર્લભ છે.” નીતિ દિ SON - GOOGશે. Page #135 --------------------------------------------------------------------------  Page #136 -------------------------------------------------------------------------- ________________ જે ૬૦. જ્ઞાની પુરુષનો યોગ ઉત્તરસંડાના વનક્ષેત્રના એક બંગલામાં શ્રીમદ્ એકાંતસાધના માટે રહ્યા. પંદરેક દિવસ અંબાલાલભાઈ એમની સેવામાં રહ્યા, પરંતુ તદ્દન એકાંત નિવૃત્તિની ઇચ્છા હોવાથી અંબાલાલભાઈને સઘળો સામાન લઈને જવાની આજ્ઞા કરી. એકમાત્ર મોતીલાલભાઈને પોતાની પાસે રાખ્યા. બધો સામાન જતો હતો ત્યારે મોતીલાલભાઈએ પોતાના માટે એક ગાદલું અને પાણી પીવાનો લોટો રાખી લીધાં. અંબાલાલભાઈએ વિદાય લેતી વખતે મોતીલાલભાઈને સૂચના આપી કે તેઓ શ્રીમદનું બરાબર ધ્યાન રાખે. એક વાર વનમાં સાધના કરીને રાત્રે સાડા દસ વાગે શ્રીમદ્ પાછા આવ્યા ત્યારે હીંચકા પર પાથરેલું ગાદલું જોયું. શ્રીમદે પૂછયું કે બધો સામાન મોકલી આપ્યા પછી આ ગાદલું ક્યાંથી આવ્યું ? મોતીલાલભાઈ બોલ્યા કે, આ એક ગાદલું મારે માટે રાખ્યું છે તે પાથર્યું છે. શ્રીમદે એમને ગાદલું લેવાનું કહ્યું, પરંતુ મોતીલાલભાઈના આગ્રહને કારણે ગાદલું રહેવા દેવું પડ્યું. શ્રીમદ્ ગાદલા પર શયન કરે એવી મોતીલાલભાઈની ભાવના હતી. રાત્રે ઊઠીને મોતીલાલભાઈ શ્રીમની પાસે આવ્યા ત્યારે જોયું તો ગાદલું નીચે પડ્યું હતું અને શ્રીમદ્ પર એટલા બધા મચ્છર બેઠા હતા કે જાણે મચ્છરની ચાદર ઓઢી ન હોય ! મોતીલાલભાઈએ શ્રીમદ્ને એક ધોતિયું ઓઢાડી દીધું. મોડી રાતે તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે ધોતિયું શરીર પરથી નીચે પડી ગયું હતું. મચ્છરોએ શ્રીમદ્ના શરીરે ડંખ માર્યા હતા. શ્રીમદ્ ગાથાઓ બોલતા હતા. મોતીલાલભાઈએ વળી પાછી ચાદર શ્રીમદ્રના શરીર પર ઓઢાડી, પરંતુ ધ્યાનલીન શ્રીમદ્દને દેહની પરવા ક્યાંથી હોય ? એમનો દેહાધ્યાસ એવો છૂટી ગયો હતો કે દેહનું લગભગ વિસ્મરણ થઈ ગયું હતું. જેમ ઘડાને જોનારો ઘડાથી ભિન્ન છે તેમ આત્માને જોનારો દેહથી ભિન્ન છે એવી શ્રીમમાં સ્પષ્ટ જાગૃતિ પ્રવર્તતી હતી. પરિણામે ગમે તેટલા ઉપસર્ગ થવા છતાં શ્રીમદ્ સ્વરૂપમાં મગ્ન રહેતા. ઉત્તરસંડા બાદ મોતીલાલભાઈ સાથે તેઓ વનક્ષેત્રે ૨૩ દિવસ રહ્યા. ખેડાના પ્રદેશમાં શ્રીમદ્દની સાથે મોતીલાલભાઈ ચાલતા હતા. એવામાં એક લીમડાનું વૃક્ષ આવ્યું, જેના પર મોજથી એક વાંદરો બેઠો હતો. શ્રીમની એના પર નજર પડી અને એમના મુખમાંથી આપોઆપ વાક્યો સરી પડ્યાં. એમણે હસતાં-હસતાં કહ્યું, મહાત્મા, પરિગ્રહથી રહિત છો અને અપ્રતિબંધ સ્થળ ભોગવો છો, પણ યાદ રાખજો કે આમ મોક્ષ નથી.” શબ્દોની સપાટી પરથી આ વાક્યો જોઈએ તો તે રમૂજભર્યા લાગે, કિંતુ આમાં ગહન અર્થ છુપાયેલો છે. આ સામાન્ય લાગતા શબ્દોની ભીતરમાં ગહન અને અર્થગંભીર મોક્ષમાર્ગનો સિદ્ધાંત સમાયેલો છે. તેઓએ કહ્યું કે ત્યાગી થઈને ઘનઘોર વનમાં રહીને આત્મપુરુષાર્થ સાધવા છતાં કલ્યાણ સધાતું નથી. અનંતકાળ સુધી જીવ પોતાની રીતે પ્રયત્ન કર્યા કરે તો પણ જ્ઞાન પામી શકતો નથી. પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક બનીને ચાલે, તો તેને અંતર્મુહર્તમાં પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. પારસમણિના સ્પર્શથી જેમ લોહ સુવર્ણ બની જાય તેમ જ્ઞાની સગરના સંગથી આત્મા પરમાત્મા બની જાય છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ 30000 For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ૬૧. લૌકિક ઘટના : અલૌકિક બોધ ઉત્તરસંડામાં નિવૃત્તિ અર્થે ગયેલા શ્રીમદ્દને તદ્દન એકાંત જોઈતું હતું. એમણે બધી જ ચીજવસ્તુઓ પાછી મોકલાવી દીધી. રસોઈનો સામાન પણ એમણે પાછો મોકલી દીધો. આ સમયે મોતીલાલભાઈએ શ્રીમદૂને પૂછવું કે રસોઈની સઘળી સાધનસામગ્રી પાછી કેમ મોકલી દીધી છે, હવે ખાઈશું-પીશું શું ? એના માટે કોઈક વ્યવસ્થા કરવી પડશે. શ્રીમનો આહાર અતિ અલ્પ હતો. વળી આચારશુદ્ધિની માફક આહારશુદ્ધિ વિશે તેઓ સદૈવ જાગ્રત રહેતા, આથી શ્રીમદે મોતીલાલભાઈને કહ્યું કે તમે નડિયાદ જાવ. તમારી પત્નીને સ્નાન કરીને રસોઈ બનાવવાનું કહેજો. મારે માટે રોટલી અને શાક બનાવડાવજો. આટલું કહીને વળી તાકીદ કરી કે રસોઈ માટે લોખંડનું વાસણ વાપરે નહિ તેમજ શાકમાં પાણી, તેલ નાખે નહિ | મોતીલાલભાઈ નડિયાદ ગયા. શ્રીમદૂની સૂચના મુજબ ભોજન તૈયાર કરાવ્યું. આ ક્રમ બરાબર ગોઠવાઈ ગયો. એક વાર મોતીલાલભાઈએ પોતાનાં પત્નીને સુચના આપી કે જે સમયે ફાસ્ટ ગાડી પસાર થાય છે તે પછી જમવાનું લઈને તમે બંગલા તરફ આવજો, એ બંગલાથી ત્રણ-ચાર ખેતર દૂર બેસજો. હું આવીને તમારી પાસેથી જમવાનું લઈ જઈશ. ઉત્તરસંડામાં એકાંત સાધના અર્થે શ્રીમદ્ આ બંગલામાં રહેતા હતા. બન્યું એવું કે મોતીલાલભાઈની ગોઠવણમાં ગોટાળો થયો. એમનાં પત્ની તો છેક બંગલા સુધી આવી પહોંચ્યાં. બંગલામાં શ્રીમદ્ બિરાજમાન હતા. મોતીલાલભાઈનાં પત્નીએ શ્રીમન્ને ભોજન અંગે મોતીલાલભાઈએ કરેલી ગોઠવણની વાત કરી. આ વાતની મોતીલાલભાઈને ખબર પડી એટલે એમના ગુસ્સાનો પાર ન રહ્યો. એક તો એમની સઘળી ગોઠવણ ઊંધી વળી ગઈ, એથીય વિશેષે તો શ્રીમને આનો ખ્યાલ આવ્યો. | મોતીલાલભાઈએ એમનાં પત્નીને ખૂબ ઠપકો આપ્યો. શ્રીમદુને આનો ખ્યાલ આવતાં એમણે મોતીલાલભાઈને બોલાવ્યા અને કહ્યું, શા માટે તમે ખિજાયા ? તમે ધણીપણું બજાવો છો. આમ થવું જોઈએ નહિ. તમારે તો ઉપકાર માનવો જોઈએ. આઠમા ભવે તેઓ મોક્ષ પામવાના છે. એમને અહીં આવવા દો.” આમ કહીને શ્રીમદ્ મોતીલાલભાઈનાં પત્નીને મળ્યા. વળી સાથોસાથ એવો બોધ પણ આપ્યો કે, “તમે પ્રમાદ છોડીને જાગ્રત થાવ, મંદ પુરુષાર્થથી કેમ વર્તો છો ? આવો યોગ મહા વિકટ છે. મહા પુણ્ય કરીને આવો યોગ પ્રાપ્ત થયો છે અને વ્યર્થ શા માટે ગુમાવો છો ?” અધ્યાત્મના શિખરે પલાંઠી વાળીને બેઠેલા શ્રીમદ્દનું કરુણાળુ હૃદય માનવીય સંવેદનાઓથી ધબકતું હતું, આથી જ તેઓએ મોતીલાલભાઈને ઠપકો આપ્યો. | વિભૂતિઓના જીવનની આવી નાની ઘટનાઓ પણ એમના હૃદયની વિશાળતાનો અને માનવતાનો સ્પર્શ કરાવે છે. ભૌતિક જગતમાં બનતી સ્થળ ઘટનાઓમાંથી વ્યક્તિને જગાડીને શ્રીમદ્દ એમને આધ્યાત્મિક દશા તરફ દોરી જતા હતા. Jan Education intamational For Personal Private Lise Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Jain Education international Fon Personal & Private Use Only www.jainelibrary Page #140 -------------------------------------------------------------------------- ________________ ૬૨. પરમપુરુષ પ્રભુ સગુરુ કાવિઠામાં ઝવેરચંદ શેઠના મેડા પર વસતા શ્રીમદ્ મધરાતે કોઈને પણ કહ્યા વગર એકલા જંગલમાં ચાલ્યા જતા. શ્રીમદ્દનું ધ્યાન રાખવાની જવાબદારી લલ્લુભાઈ નામના એક બારૈયાને સોંપી હતી. તેને દાદરા આગળ સુવડાવતા. પરંતુ શ્રીમદ્ રાત્રિના એક-બે વાગે જંગલમાં ચાલ્યા જતા. લલ્લુભાઈ રાત્રે તપાસ કરે તો શ્રીમ યારીમાં હોય નહીં. આથી શેઠ ઝવેરચંદ, રતનચંદ, વેણીચંદ વગેરે અંધારી રાત્રે ફાનસ લઈને એમને શોધવા જતા ત્યારે મીઠુજીના કૂવા પર ધ્યાનસ્થ શ્રીમનાં દર્શન થતાં. | સં. ૧૯૫૪માં શ્રીમદ્ ખેડા પધાર્યા. આ સમયે રાવબહાદુર નરસિંહરામના બંગલામાં તેઓનો નિવાસ હતો. એક દિવસ . પૂજાભાઈ સોમેશ્વર ભટ્ટ શ્રીમદ્ પાસે આવ્યા. આ સમયે શ્રીમદ્ એક ગ્રંથ વાંચી રહ્યા હતા. એ ગ્રંથમાંથી એમણે પૂજાભાઈને વારંવાર એક શ્લોક બતાવ્યો. એ શ્લોકનો ભાવાર્થ હતો, “મારું ચિત્ત, મારી ચિત્તવૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ કે કોઈ મગ આ શરીરને જોઈ જ રહે. ભય પામી નાસી ન જાય !'' મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાઓ કે કોઈ વૃદ્ધ મૃગ જેના માથામાં ખૂજલી આવતી હોય તે આ શરીરને જડપદાર્થ જાણી પોતાનું માથું ખુજલી મટાડવા આ શરીરને ઘસે !” (ક્રમાંક ૮૫૦) આ પ્રસંગ શ્રીમદ્ આનંદપૂર્વક સમજાવતા હતા. આમાં સહજ રીતે સ્વરૂપમાં સ્થિર થયેલા શ્રીમનાં દર્શન સાંપડે છે અને આ દર્શનના ગહન મર્મને પ્રગટ કરતાં શ્રીમદ્ કહે છે, “ચિત્તની શાંતિ થવાથી એટલું સ્થિર થઈ જવાય કે બાહ્ય રીતે પશુ-પંખી પણ જડ માની ભયથી દૂર નાસી ન જાય.” ખેડામાં મુનિશ્રી દેવકરણજી આદિ મુનિઓ અને મોતીલાલ ભાવસારને શ્રીમદ્દનો અપૂર્વ લાભ મળ્યો. મુનિ દેવકરણજી પોતાના આત્મભાવનો ઉલ્લાસ પ્રગટ કરતાં કહે છે કે “જાણે સત્પુરુષના ચરણમાં મોક્ષ પ્રત્યક્ષ નજરમાં આવે છે.' એક વખત ગૌતમસ્વામીએ પ્રભુ મહાવીર સ્વામીને પૂછ્યું, “પ્રભુ ! હું જે જે સાધુઓને દીક્ષા આપું છું તેને કેવળજ્ઞાન થઈ જાય છે અને મને કેમ નથી થતું ?” ભગવાન મહાવીર ઉત્તર આપે છે કે, “ગૌતમ ! તને કેવળજ્ઞાન જરૂર થાય પણ મારા પર રહેલો રાગ છોડો તો થાય.” ગૌતમસ્વામી વિનમ્રતાથી કહે છે, “પ્રભુ ! મારે એવું કેવળજ્ઞાન નથી જોઈતું. મારે મન તમે જ મોક્ષ છો કે જેના પ્રભાવે મને ધર્મ સૂઝયો. મેં અશ્વમેધ કરાવ્યા છે, અશ્વમેધ કરાવ્યા છે, આથી મારી ગતિ તો નરકમાં હતી. તેમાંથી આપે મને ઉગાર્યો. એટલું જ નહિ પણ સાચો ધર્મ સુઝાડ્યો. આપનો મોહ છોડવાથી જ જો કેવળજ્ઞાન મળતું હોય તો તે મારે નથી જોઈતું.” આમ સત્પુરુષના ચરણની ઇચ્છા રાખનારને મોક્ષની પણ અભિલાષા રહેતી નથી. આ સમયે શ્રીમદ્ પ્રાત:કાળે પ્રથમ પ્રહરે વનમાં ધ્યાન ધરતા, બીજા પ્રહરે સ્વાધ્યાય, ત્રીજા પ્રહરે આહારાદિ, ચોથા પ્રહરે વનમાં ધ્યાન અને રાત્રિના શેષ પ્રહરમાં સ્વાધ્યાય અને ધૂન – એમ દિવસ-રાત અપ્રમત્તપણે ગાળતા હતા. Jan Education international For Personal & Polyutu Da Only Page #141 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only I Cos www.julinelibrary.org Page #142 -------------------------------------------------------------------------- ________________ તા. તેથી તો છે ની બધી જ ' ' ૬૩. કર્મોનો ખેલ એક વાર શ્રી સોભાગભાઈના પુત્ર મણિલાલભાઈએ શ્રીમદુને કહ્યું કે આજે નાટક જોવા જેવું છે. આ સમયે શ્રીમદે એમને ઊભા થઈ બારી આગળ આવવાનું કહ્યું. મણિલાલભાઈ આવ્યા એટલે શ્રીમદે બારી બહારની દુનિયા બતાવતાં કહ્યું કે જુઓ, સામે ઘોડાગાડીમાં માણસો જતા દેખાય છે. કોઈ ગરીબ માણસ ભીખ માગી રહ્યો છે. કોઈ લાચાર અને કોઈ બીમાર છે. | મણિલાલે આ જોયું અને શ્રીમદે કહ્યું કે આ બધા એમણે કરેલાં કર્મોનું ફળ ભોગવે છે. આ બધું જ નાટક છે. જેવી વૃત્તિ કરશો તે પ્રમાણે ભોગવશો. કોઈ પણ માણસ કે પ્રાણી દુ:ખી હોય, વ્યાધિ કે પીડા ભોગવતા હોય તો એમને એ અસહ્ય વેદના નરકની વેદના જેવી લાગે છે. બહારથી માનવી સુખી હોય, પરંતુ અંદરથી તો દુ:ખી જ હોય છે. બાહ્ય દૃષ્ટિએ આબરૂ દાર હોય, પણ ભીતરમાં એ દેવાદાર હોય છે. કોઈને સ્ત્રી, કુટુંબ કે પરિવારની ચિતા હોય છે. કોઈને દીકરા-દીકરી પરણાવવાનાં હોય છે. કોઈને હૃદયમાં આજીવિકાનું દુ:ખ હોય છે. આમ બધા જ અંતરમાં પીડા અનુભવતા હોય છે. આ રીતે શ્રીમદે મણિલાલભાઈને સંસારનું અસલી નાટક બતાવ્યું. જ્ઞાની પુરુષ જગતને અને જગતની લીલાને દૂર રહ્યું રહ્યું નીરખતા હોય છે. એક અવિનાશી આત્મા સિવાય બીજું બધું નશ્વર હોય છે. જ્ઞાની પુરુષો તો આત્માનુભવ થવાથી બાહ્ય વસ્તુમાં વળતા નથી. એક વાર શ્રીમદ્ મુંબઈના નિવાસસ્થાન દરમિયાન ફરવા નીકળ્યા હતા. ફરતાં ફરતાં સ્મશાનભૂમિ આવી. શ્રીમદે પોતાની સાથે ફરવા આવેલા સજ્જનને પૂછયું, “ભાઈ ! આ શું છે ?” પેલા સજ્જને સ્વાભાવિક રીતે જ જવાબ આપ્યો, “આ તો સ્મશાનભૂમિ છે.” આ સાંભળી શ્રીમદે માર્મિક વચનો કહ્યાં, અમે તો આખી મુંબઈ નગરી સ્મશાન સમાન જોઈએ છીએ.” આમ વીતરાગી શ્રીમદ્દને જગતનું અણુ માત્ર પણ ગમવાપણું નહોતું. સામાન્ય માનવીને મુંબઈ નગરી મોહમયી લાગતી હતી જ્યારે શ્રીમને એ નગરી અમોહ સ્વરૂપે ભાસતી હતી. શ્રીમદ્રના એક પડોશીએ એમની પ્રભાવક શક્તિઓ વિશે સાંભળ્યું હતું. એમના અસાધારણ શક્તિ-કૌશલની વાતો એને કાને આવી હતી. એ પડોશી જોતાં કે આવા શક્તિમાન વ્યક્તિ ધર્મની ધૂનમાં જ ડૂબેલા રહેતા હતા. સાધના અને સ્વાધ્યાય એ જ એમનો નિત્યક્રમ જણાતો હતો. જીવનમાં સ્થૂળ સપાટીએ જીવનારા અને સ્વાર્થ તથા અર્થનો વિચાર કરનારા માનવીને શ્રીમદ્રની પરમાર્થસાધના ક્યાંથી સમજાય ? આથી એણે એક વાર શ્રીમદ્રને કહ્યું, તમારી પાસે આટલી અદ્ભુત સ્મરણશક્તિ છે. અજોડ બુદ્ધિચાતુર્ય છે. તમને તો બજારની ચીજવસ્તુઓના ભાવ શું હશે તેની તો ખબર હશે જ, ખરું ને ? તો એ કેમ કહી આપતા નથી ?” શ્રીમદે કહ્યું, “અમારો દી' ઊઠ્યો નથી કે સ્વાધ્યાય ભાવ જાણવા માટે કરીએ.” આમ કહીને શ્રીમદે દર્શાવ્યું કે સ્વાધ્યાય ‘સ્વ'નો અધ્યાય કરવા માટે છે. Jain Education international For Personal & Private Us Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Jain Education intonational For Pericol Pavuto Use Only www.biolibrary.one Page #144 -------------------------------------------------------------------------- ________________ ૬૪. સ્વ-ભાવમાં રહેવું શ્રીમનાં પુત્રી કાશીબહેન સહુના લાડકવાયાં હતાં. આ રમતિયાળ દીકરી એક વાર શ્રીમના ખોળામાં બેસી ગઈ. શ્રીમદે પૂછ્યું, “તારું નામ શું છે ?” કાશીબહેને કહ્યું, “બાપુ ! તમને ખબર નથી ? મારું નામ છે કાશી.” શ્રીમદે કહ્યું, “તારું નામ કાશી નહીં, પણ ‘સચ્ચિદાનંદસ્વરૂપ અવિનાશી આત્મા' છે.” આ સાંભળી બાલિકા કાશીબહેન રડતાં રડતાં માતા પાસે દોડી ગયાં. એમણે માતાને કહ્યું, “મા, મારા બાપુજી મારું નામ કાશી નહીં, પણ કંઈક જુદું જ કહે છે. " નાની વયની બાલિકાને શ્રીમદે કહેલું નામ સમજાયું નહીં, પરંતુ એ દ્વારા અવ્યક્ત સંસ્કાર જ્ઞાની પુરુષે આપ્યા જે સમય જતાં પરિપક્વ બન્યાં. કાશીબહેનને નાની વયે બીમારી આવી. જે ધર્મસંસ્કારોનું શ્રીમદે દઢીકરણ કરાવ્યું હતું, તેનું તેઓ અંતિમ સમય સુધી સ્મરણ કરતાં રહ્યાં. એમણે એક જ લક્ષ રાખ્યું હતું. સતત નામસ્મરણનો આધાર રાખનારાં કાશીબહેનનો અતિ યુવાન વયે સ્વર્ગવાસ થયો. પ્રત્યેક આત્માના હિતચિંતક શ્રીમદ્નું અહીં દર્શન થાય છે. મુંબઈમાં રહેતા મૂળ કચ્છના વતની પદમશીભાઈને શ્રીમદ્ પ્રત્યે અગાધ શ્રદ્ધા હતી. શ્રીમદ્ મુંબઈ હતા ત્યારે તેઓ એમની સાથે થોડો સમય રહ્યા હતા. એ સમયે શ્રીમદે એમને પૂછ્યું, “તમને મુખ્ય ભય શાનો વર્તે છે ?” પદમશીભાઈ કહે, “મરણનો.” શ્રીમદે કહ્યું, “તે તો આયુષ્યબંધ પ્રમાણે થાય છે. આયુષ્ય પૂર્ણ થતાં સુધી મરણ તો નથી, ત્યારે તેથી આવા જુદા જુદા પ્રકારનો ભય રાખ્યાથી શું થવાનું હતું તેવું દઢ મન રાખવું.” આમ કહીને શ્રીમદે એવો ઉપદેશ આપ્યો કે માનવીએ ભાવમરણનો ભય રાખવો, દ્રવ્યમરણનો નહિ. એણે સ્વ-ભાવમાં રહેવું અને વિભાવ છોડવો. એક વખત શ્રીમદ્ માણેકલાલ ઘેલાભાઈ, ત્રિભુવનભાઈ વગેરે સાથે કોઈને ત્યાં ભોજન અર્થે ગયા હતા. પ્રથમ જુદી જુદી જાતનાં શાક પીરસવામાં આવ્યાં. માણેકલાલભાઈએ તિથિનું કારણ બતાવીને શાક લેવાની ના પાડી. એ પછી રાયતું પીરસવામાં આવ્યું, તો માણેકલાલભાઈએ એની પણ ના પાડી, કારણ કે એ દ્વિદળ કહેવાય. ત્યારબાદ નાની-મોટી વાનગીઓ પીરસવામાં આવી. માણેકલાલભાઈએ આમાંથી કેટલીક વાનગીઓ લીધી અને કેટલીક તિથિ હોવાથી લેવાની સ્પષ્ટ ના પાડી. છેવટે દૂધપાક પીરસવાનું શરૂ થયું. માણેકલાલભાઈની થાળીમાં દૂધપાક પીરસાતો જોઈને શ્રીમદ્ બોલી ઊઠ્યા, “એમને દૂધપાક પીરસવાનું રહેવા દો. એમણે નાની નાની વસ્તુઓ ત્યાગીને પોતાની મહત્તા વધારી છે અને ખરેખરી રસપોષક વસ્તુનો ત્યાગ કરવો નથી.” આ પ્રસંગે શ્રીમદે રસલોલુપતા વિશે થોડું વિવેચન કર્યું. રા For Personal & Private Use Only www Page #145 -------------------------------------------------------------------------- ________________ Jain Education intonational For Personal Private Use Only www.ainelibrary.org Page #146 -------------------------------------------------------------------------- ________________ ૬૫. ધન્ય કાળ, ધન્ય ક્ષેત્ર ! વિ. સં. ૧૯૫૫ના માગશર સુદ પાંચમના દિવસે શ્રીમદ્ ઇડરના નિવૃત્તિક્ષેત્રમાં પધારે છે. શ્રીમદ્દના નિકટના સગા અને ગાઢ સ્નેહી ડૉ. પ્રાણજીવનદાસ મહેતા તે સમયે ઇડર રાજના ચીફ મેડિકલ ઑફિસર હતા. તેમણે શાંતિપ્રિય શ્રીમદ્રને ઇડર એકાંતપૂર્ણ નિવૃત્તિ માટે અનુકુળ સ્થાન છે એમ જણાવીને પધારવા માટે નિમંત્રણ આપ્યું. ઇડરની ભૂમિનું શ્રીમને વિશિષ્ટ નૈસર્ગિક આકર્ષણ હતું. પૂર્વજન્મમાં આ પ્રદેશમાં વિશિષ્ટ આધ્યાત્મિક સ્થિતિનો અનુભવ કર્યો હતો. | ઇડરના મહારાજા સાથેના વાર્તાલાપ પ્રસંગમાં આ પ્રદેશની ઐતિહાસિકતા દર્શાવતા શ્રીમદે કરેલા અંગત માર્મિક ઉલ્લેખો સૂચવે છે કે, | “જિન શાસનને પૂર્ણપણે પ્રકાશ કરનાર આ છેલ્લા તીર્થંકર અને તેઓના શિષ્ય ગૌતમ આદિ ગણધરોનો વિચરેલાનો ભાસ થાય છે. તેઓના શિષ્યો નિર્વાણને પામ્યા, તેમાંનો એક પાછળ રહી ગયેલો, જેનો જન્મ આ કાળમાં થયેલો છે તેનાથી ઘણા જીવોનું કલ્યાણ થવાનો સંભવ છે.” આમ શ્રીમનાં પૂર્વે કહેલાં રહસ્યગર્ભિત વચનોનું આ વાત સાથે અનુસંધાન સાંપડે છે. પરમ સદ્દગુરુ ભગવાન મહાવીર પાસેથી સાક્ષાત્ સંસ્કારવારસો લઈને જન્મેલા શ્રીમનો દિવ્ય આત્મા પૂર્વકાળમાં તે સમયના જ્ઞાની પુરુષના ધન્ય પ્રસંગોનું વારંવાર સ્મરણ કરે છે. વળી તે પાવનપવિત્ર ભૂતકાળની વાત તેઓ કહે છે અને તેની ઘટનાભૂમિ બનેલા ઇડરના ધન્ય પ્રદેશનું અને તે સમયે કૃતાર્થ થયેલા સત્સંગીઓને અત્યંત રોમાંચપૂર્ણ ભક્તિભાવથી યાદ કરે છે. - ઇડરના પ્રદેશમાં રહેતી વખતે સ્વરૂપગુપ્ત શ્રીમની સર્વથા ગુપ્ત રહેવાની જ ઇચ્છા હતી. લોકસંસર્ગ છોડવાની અને પરમ અસંગ આત્મયોગ સાધવાની ઇચ્છા રાખતા હતા, આથી ડૉ. પ્રાણજીવનદાસને સ્પષ્ટ મનાઈ કરી હતી કે, તમારે અમારા આગમનની કોઈને જાણ કરવી નહિ. શ્રીમદ્ પંદર દિવસ ઇડરમાં રહ્યા, ત્યાં તો મુનિશ્રી લલ્લુજી આદિ ત્રણ મુનિઓ ત્યાં આવી ચડ્યા અને બાકીના ચાર મુનિઓ ધીમો વિહાર કરતા પાછળ આવતા હતા. E પ્રથમ તો અંદરથી ફુલ જેવા કોમળ શ્રીમદે અસંગ રહેવાનો પોતાનો અભિગમ સફળ કરવા કઠોર વચને મનિઓને અહીંથી વિહાર કરીને અન્યત્ર જવાનું કહ્યું. પણ પછી મુનિઓની ભક્તિને વશ થઈ માત્ર થોડા દિવસ જ રહેવાની અનુમતિ આપી. - ત્રીજે દિવસે આજ્ઞા પ્રમાણે તે સાતે મુનિઓ અગાઉ નક્કી કર્યા મુજબ આંબાના વૃક્ષ નીચે આવ્યા. શ્રીમદ્જી પણ ત્યાં પધાર્યા. મુનિશ્રી દેવકરણજીનું શરીર કૃશ હોવાથી શિયાળાની કડકડતી ઠંડીને કારણે જતું હતું. આ જોઈને શ્રીમદે કહ્યું : ટાઢ વાય છે ? ટાઢ ઉડાડવી છે ?” એમ જાણે ભવની ટાઢ ઉડાડવાનો સંકેત આપતા હોય તેમ શ્રીમદ્ એકદમ ઊડ્યા અને ચાલવા લાગ્યા. ડુંગરાનાં કાંટા, શુળ અને ઝાંખરાં પગમાં ખેંચી જાય અને કપડાં ફાટતાં જાય, તો પણ તેનો લેશમાત્ર વિચાર કરતા નથી. તેઓ જુસ્સાભેર ચાલવા લાગ્યા. da Education international For Portonal & Prat De only Page #147 -------------------------------------------------------------------------- ________________ Jant Education International For Pertama. Pre Use Only www.loinbay.one Page #148 -------------------------------------------------------------------------- ________________ ૬૬. ઈડરનાં પહાડોમાં ઇડરના પહાડો અને ગુફાઓ મસ્ત અવધૂત શ્રીમની અલૌકિક ગાન-મસ્તીથી ગાજી ઊઠે છે. આ પુરાણપ્રસિદ્ધ ભૂમિના વાતાવરણમાં શ્રીમદ્ સાત મુનિઓ સાથે અપ્રમત્ત શુદ્ધ આત્માનો અહાલેક જગાવે છે. પૂર્વજન્મોની આરાધનાનાં નિવૃત્તિક્ષેત્રો ફરી સ્મરણમાં જાગે છે. ભૂતકાળના વન-ઉપવનનાં સંભારણાં અને યોગસમાધિના પ્રસંગો તેમજ સત્સંગની ઘટનાઓ દૃષ્ટિ સમક્ષ તર્યા કરે છે. આ ધન્ય ક્ષેત્રો ઉપર પુર્વ કાળમાં જે જે જ્ઞાની પુરુષનો સત્સંગસમાગમ થયો હતો એ કાળનું ધન્ય ભાવથી સ્મરણ કરે છે. શ્રીમદ્રની અખંડ આત્મધૂન ચાલે છે. એવામાં પર્વતની એક મોટી શિલા પર શ્રીમદ્ બેઠા અને બોલ્યા, ભગવાન પુઢવી શિલા પર બિરાજ્યા એવું શાસ્ત્રમાં કહેવામાં આવે છે તે આ પુઢવી શિલા.” ભગવાન મહાવીરે આ પુઢવી શિલા (પૃથ્વી શિલા) પર અઠ્ઠમનું તપ કરીને તપશ્ચર્યા કરી હતી. પોતાના પૂર્વભવમાં અનુભવેલા પૂર્વ ભાવનું સ્મરણ પુઢવી શિલા કરાવતી હતી. અહીં શ્રીમદે ‘દ્રવ્યસંગ્રહ ' ગ્રંથનું વાચન શરૂ કર્યું. એમણે લગભગ અડધો ગ્રંથ વાંચ્યો. શ્રીમદ્ સાથે આવેલા સાતેય મુનિઓએ અપાર આનંદ-ઉલ્લાસ અનુભવ્યો. મુનિશ્રી દેવકરણ તો તીવ્ર વૈરાગ્ય અનુભવવા લાગ્યા. તેઓ તો બોલી ઊઠ્યા, ‘હવે અમારે ગામ જવાની શી જરૂર છે ?” શ્રીમદે કહ્યું, “કોણ કહે છે કે તમે ગામમાં જાઓ ?” મુનિશ્રી દેવકરણજીએ ગોચરી માટે ગામમાં જવું પડે એવા ભાવ સાથે કહ્યું, “પેટ પડવું છે ને ” શ્રીમદે કહ્યું, “મુનિઓનું પેટ તો જગતકલ્યાણ અર્થે છે.” એ પછી શ્રીમદે દર્શાવ્યું કે ધ્યાનની અંદર જેવો આત્મા ચિંતવે છે તેવો તેને ભાસે છે. | આ વાતને માર્મિક ઉદાહરણથી પ્રગટ કરતાં કહ્યું કે ધ્યાનમાં કોઈ પોતાના આત્માને પાડા જેવો ચિંતવે અને ડુંગર જેવું તેનું પૂંછડું ચિંતવે તો તેને તેવો આત્મા ભાસે છે. એ પછી બધા ઊઠયા અને ગામ ભણી ચાલ્યા. શ્રીમદ્ તો ‘દ્રવ્યસંગ્રહ 'ની પ્રથમ ગાથાની ધૂન ગાતા જતા હતા અને ઇડરના પહાડોમાં એનો પ્રતિધ્વનિ પડતો હતો. એમણે થોડે આગળ ગયા પછી મુનિઓને કહ્યું, “તમે બીજે રસ્તે ચાલ્યા જાઓ.” ' આમ કહીને આ અવધૂત ધૂન જગાવતા ડુંગરના જુદા રસ્તે ચાલવા લાગ્યા. ચોથા દિવસે એ જ આંબાના ઝાડ નીચે મુનિઓ આવ્યા અને કાંકરા-કાંટાવાળી વિષમ જગ્યાએ થઈને પહાડ ઉપર ગયા. પરમ સંવેગી શ્રીમદ્ વેગથી પહાડ પર ચઢતા હતા. આ સમયે રસ્તામાં સાત મુનિઓમાંથી એક વેલશી ઋષિ બોલ્યા કે આજે આમાંથી એકાદ જણને મૂકીને જશે, કારણ કે ચઢવાની જગ્યા અત્યંત વિકટ હતી અને શ્રીમદ્ ખૂબ ઝડપથી ચાલતા હતા. પહાડ ઉપર પહોંચ્યા પછી એક શિલા પર સર્વે બિરાજ્યા. શ્રીમદે કહ્યું, “અહીં એક વાઘ રહે છે પણ તમે કોઈ ડરશો નહિ.” આટલું કહ્યા પછી ગૂઢાર્થમાં કહેતા હોય એમ કહ્યું, “જુઓ ! આ સિદ્ધશિલા છે અને આ બેઠા છીએ તે સિદ્ધ .” સિદ્ધયોગી શ્રીમદે કહેલી વાત અત્યંત રહસ્યગર્ભ હતી. તેઓ પોતે દેહધારી છતાં નિર્વાણદશા અનુભવી રહ્યા છે તે દૃષ્ટિએ પોતે સિદ્ધ છે. આવા સિદ્ધયોગી જેના પર બિરાજમાન છે તે ભાવથી સિદ્ધશિલા ગણાય, એમ મુનિઓને સુચવ્યું. સત્સંગની ઇચ્છાથી આવેલા મુનિઓને પાંચ-છ દિવસ આ રીતે ધર્મબોધ આપીને શ્રીમદે વિદાય કર્યા. Education International For Pertanial & Preto De Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Jain Educ Forferdeal & Private Use Only ary.org Page #150 -------------------------------------------------------------------------- ________________ ૬૭. અવધૂત ચાલ્યો જાય આત્મમસ્ત અવધૂત યોગીન્દ્ર શ્રીમદ્ ઇડરનાં પહાડોમાં અને ગુફાઓમાં નિર્ભય કેસરીસિંહની જેમ એકાકી, નિર્ભયતાથી પોણા બે મહિના સુધી વિચર્યા. આત્મમગ્ન અવધૂત શ્રીમદ્રની ધૂનોનો ગગનભેદી દિવ્યધ્વનિ ઇડરના પહાડોમાં ગુંજવા લાગ્યો. ‘દ્રવ્યાનુયોગ'ની અમર ગાથાઓનો નાદ એનાં શિખરોને વીંટળાઈ વળ્યો. मा मुज्झह मा रज्जह मा दुस्सह इट्ठणि?अत्थेसु ।। थिरमिच्छह जई चितं विचित झाणप्पसिद्धिए ।। ४८ पणतीस सोल छप्पण चदु दुगमेग च जवह झाणह ।। परमेट्ठिवाचचाणं अण्णं च गुरुवएसेण ।। ४९ जं किंचि वि चिंततो गिरीहविती हवे जदा साहू । लब्द्ण य एयतं तदाहु तं तस्स णिच्चयं ज्ञाणं ।। ५० જો તમે ધ્યાનની સિદ્ધિ માટે ચિત્તને સ્થિર કરવા ઇચ્છો છો, તો ઇષ્ટ અને અનિષ્ટ ઇન્દ્રિયોના વિષયોમાં રાગદ્વેષ અને મોહ ન કરો. પંચ પરમેષ્ઠિના વાચક પાંત્રીસ, સોળ, છ, પાંચ, ચાર, બે અને એક અક્ષરરૂપ મંત્રપદ છે, તથા તે સિવાય અન્ય પણ મંત્રપદોનું ગુરુના ઉપદેશાનુસાર જાપ અને ધ્યાન કરો. ધ્યેયમાં એકાગ્રચિત્ત કરીને કોઈ પદાર્થનું ધ્યાન કરતા સાધુ જ્યારે ગિરીહવૃત્તિ થાય છે ત્યારે તેમનું ધ્યાન નિશ્ચય થાય છે. જોગી ચાલ્યો જાય એક જોગી ચાલ્યો જાય, વન, ઉપવન ને ગિરિકંદરા, ખૂંદતો ચાલ્યો જાય; આતમનો અહાલેક જગાવતો, જોગી ચાલ્યો જાય, ઝાડી ઝાંખરા વળી કંટક, અવગણતો ચાલ્યો જાય, ઇડરના પહાડોને ભેદતો, અવધૂત ચાલ્યો જાય. પરમ અહિંસામૂર્તિ યોગી શ્રીમદ્દના સાંનિધ્યમાં હિંસક પશુઓ પણ શાંત થઈ જતાં, હૃદયમાં શુદ્ધ આત્મભાવના ભાવતાં તેઓ અનુભવ કરે છે, “હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. અસંખ્યાત પ્રદેશાત્મક નિજ અવગાહનાપ્રમાણ છે. આજન્મ, અજર, અમર, શાશ્વત છે. સર્વપર્યાયપરિણામી સમયાત્મક છે. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ માત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું.” (હાથનોંધ ૧૧) ઇડરના નિવૃત્તિક્ષેત્રમાં રહ્યા બાદ શ્રીમદ્ વિ. સં. ૧૯૫૫ના મહા વદમાં અમદાવાદમાં પધાર્યા. અમદાવાદની ઘાંચીની પોળ સામે આવેલા ડહેલાની મેડી પર ઊતર્યા. અહીં શેઠ જેસંગભાઈ ઉજમશી આવ્યા. એમણે રાત્રે ઊંઘ આવતાં જવાની આજ્ઞા માગી, પરંતુ એવામાં શ્રીમદ્દની ઉપદેશવાણી શરૂ થઈ. રાતના ત્રણ વાગી ગયા. શ્રી જેસંગભાઈએ પ્રશ્ન કર્યો, “આ કાળે કેવળજ્ઞાન હોય ?” એના ઉત્તરમાં શ્રીમદે કહ્યું, “પરમ શાંતિ અનુભવીએ છીએ.” વહેલી પરોઢે શૌચ માટે આસ્ટોડિયા દરવાજા બહાર જવાનું થયું ત્યારે રસ્તામાં “કર લે ગુરુગમ જ્ઞાન વિચારા, કર લે ગુરુગમ જ્ઞાન વિચારા”ની ધૂન ચાલતી હતી. સાબરમતીના કાંઠે ભીમનાથમાં શ્રીમદે પરમ તત્ત્વદૃષ્ટિનો અપૂર્વ બોધ આપ્યો. એ પછી શ્રીમદ્ વવાણિયા અને મોરબી આવ્યા. અહીં અઢી મહિના જેટલો સમય પસાર કરીને પુનઃ ઇડરમાં પધાર્યા. ઇડરમાં ફરી વાર આ સિદ્ધ યોગીએ એના પહાડો અને ગિરિકંદરાઓને પોતાના દિવ્ય ગાન અને દિવ્ય જ્ઞાનથી જગાવી દીધી. Education International For Personal Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ For Portal & Private Use Orily CS Page #152 -------------------------------------------------------------------------- ________________ ૬૮. પ્રશ્ન પહેલાં ઉત્તર મોરબીના સાક્ષરરત્ન મનઃસુખરામ કિરતુચંદે શ્રીમદૂની અલૌકિક પ્રતિભાનો પાવન સ્પર્શ અનુભવ્યો અને ? વિદ્વાન અને તીવ્ર અભ્યાસવૃત્તિ ધરાવતા મનઃસુખભાઈ શ્રીમદ્ના સત્સંગનો વિશેષપણે લાભ મેળવી શક્યા. મનઃસુખભાઈ કિરતુચંદ પાશ્ચાત્ય કેળવણી પામેલા અને સંસ્કૃત આદિ ભાષાઓના જ્ઞાતા હતા. દેઢ ધર્મશ્રદ્ધા ધરાવનાર મનઃસુખભાઈ પાસે દર્શનોના ગહન તત્ત્વચિંતનને પામવાની વિશેષ દૃષ્ટિ અને શક્તિ હતી. આવી વિદ્વાન વ્યક્તિ શ્રીમનો સત્સમાગમના રંગે રંગાઈ ત્યારે બીજી બાજુ શ્રીમદ્ સ્વયં ભક્તિપૂર્ણ હૃદય ધરાવતા વિદ્વાન પ્રત્યે સાહજિક સ્નેહ ધરાવતા હતા. મનઃસુખભાઈ મોરબીમાં શ્રીમદ્દને સં. ૧૯૫૫ના ચૈત્ર વદ ૬ના રોજ મળવા ગયા ત્યારે એમના મનમાં અનેક સંકલ્પ-વિકલ્પો હતા. શ્રીમદ્ મને મળશે કે નહિ મળે ? મને આદરભાવ આપશે કે નહિ આપે ? વળી મળવાનું બને તો પણ પોતે કાનની બહેરાશ ધરાવતા હોવાને લીધે એમનાં વચનો બરાબર સાંભળી શકશે ખરા ? શ્રીમની આજુબાજુ તો તપોવૃદ્ધ કે જ્ઞાનવૃદ્ધ વ્યક્તિઓનો સમુદાય હોય, તો હું એમને કઈ રીતે મળવા પામીશ ? તેઓ શ્રીમદ્ પાસે ગયા ત્યારે અધ્યાત્મપિપાસુઓ સાથે પરમાર્થચર્ચા ચાલતી હતી, પણ મનઃસુખભાઈના હૃદયની ગડમથલને જાણનાર શ્રીમદે એમને આદરપૂર્વક આવકાર આપીને પોતાની પાસે બેસાડ્યા અને એમના કુટુંબના કુશળ સમાચાર પૂછયા. મનઃસુખભાઈના મનનો ભય તરત શમી ગયો. અંતર્યામી શ્રીમદે પાંચેક મિનિટ પુનઃ જિજ્ઞાસુઓ સાથે જ્ઞાનચર્ચાનો પ્રારંભ કર્યો. ઘેર જઈને મન:સુખભાઈએ પોતાની ધર્મપત્ની સમક્ષ એવો ખેદ પ્રગટ કર્યો કે શ્રીમદ્ જેવા ઉત્તમ પુરુષનો યોગ હોવા છતાં પોતાનું જીવન કેટલું બધું વિષય-કષાયયુક્ત છે ! વિ. સં. ૧૯૫૫ના ચૈત્ર મહિનામાં મનઃસુખભાઈના મનમાં તર્ક જાગ્યો કે, “તિથિપાલનનો અર્થ શો ? વળી એવુંય વિચાર્યું કે બીજ, પાંચમ અને આઠમ વગેરે તિથિને બદલે ત્રીજ કે સાતમ કે એવી અન્ય કોઈ તિથિ પાળીએ તો એમાં ખોટું શું ?” ને એમના મનમાં પ્રશ્ન એ ઘોળાતો હતો કે અમુક નિશ્ચિત તિથિએ લીલોતરી આદિનો ત્યાગ કરીએ, તેને બદલે અન્ય દિવસે કરીએ તો ધર્મ કર્યો ગણાય કે નહિ ? પણ સમય જતાં મન:સુખભાઈના મનમાંથી એવા પ્રશ્નાર્થો અને સંશયો શમી ગયા. થોડા સમય પછી તેઓ શ્રીમદ્રને મળવા ગયા ત્યારે શ્રીમદે એમને કહ્યું, “મનઃસુખ, તિથિ પાળવી.” આમ સામી વ્યક્તિના મનની વાત જાણી તે એનો સંશય પ્રગટ કરે તે પહેલાં શ્રીમદ્ ઉત્તર આપી દેતા હતા. વિ. સં. ૧૯૫૫માં મન:સુખભાઈ મહેતાએ પોલીસખાતામાં કામ કરતા એમના એક સ્નેહીને શ્રીમદૂના સમાગમથી સાંપડેલા અપૂર્વ લાભની વાત જણાવી. પેલા ભાઈ પોલીસખાતાની માયા-કપટથી ભરેલી નોકરીથી અત્યંત અકળામણ અનુભવતા હતા, તેથી એક કાગળ પર પોતાની વ્યથાભરી સ્થિતિની વિગત અને બીજા કાગળ પર શ્રીમને પૂછવા માટેના પ્રશ્નો લખીને મન:સુખભાઈને મોકલ્યા. મન:સુખભાઈ તે પત્ર લઈને શ્રીમદ્ પાસે આવ્યા. થોડી વાતચીત કર્યા પછી કોઈ વ્યક્તિ એક પ્રશ્નનો ઉત્તર ઝંખે છે એમ કહીને મનઃસુખભાઈએ વાતનો પ્રારંભ કર્યો. શ્રીમદે તેઓ કંઈ વિશેષ કહે તે પૂર્વે એ ભાઈની સમગ્ર પરિસ્થિતિ વર્ણવી ! અમુક ભાઈ આ પ્રશ્ન પૂછે છે, તેઓ માયા-કપટથી ભરેલી નોકરીથી ખૂબ મૂંઝાય છે - જેવી સઘળી હકીકત કહી બતાવી. આશ્ચર્યચકિત થયેલા મનઃસુખભાઈએ શ્રીમદ્દને પૂછયું, “શું આપના પર તેમનો કોઈ પત્ર આવ્યો છે ?” શ્રીમદે કહ્યું, “ના, પણ તમારા પર આવ્યો છે ને ?” આમ મનઃસુખભાઈના ઘેર આવેલા પત્ર વિશે શ્રીમદે જ્ઞાનથી જાણી લીધું. પોલીસખાતામાં કામ કરતા એ ભાઈ સાથે શ્રીમદુને કોઈ પરિચય નહોતો કે એની કોઈ જાણકારી નહોતી એની મન:સુખભાઈએ ખાતરી કરી લીધી હતી. in Education International For Personal Private De Only bore Page #153 -------------------------------------------------------------------------- ________________ ಅಲ್ಲ Jain Education Fersonal P eny Page #154 -------------------------------------------------------------------------- ________________ ૬૯. કરુણાશદલનો ક્ષમા ખામેમિ સવ્વ જીવા, સર્વે જીવા ખમંતુ મે, મિત્તી એ સવભૂએષ વેરું મગ્ન ન કેણઈ. હું તમામ જીવો પાસે મારા અપરાધોની ક્ષમા માગું છું. એ તમામ જીવો મને તેમના તરફના મારા અપરાધોની ક્ષમા આપો. તમામ જીવો પ્રત્યે મારો મૈત્રીભાવ છે. મારે કોઈ પણ જીવ સાથે વેરભાવ નથી.” ' | ક્ષમાના બોલથી અને પ્રેમના ચક્ષુથી જીવનને જીવવાનો અને આત્માને ઓળખવાનો શ્રીમદે ઉપદેશ આપ્યો ક્ષણભંગુર દેહ અને તેમાં રહેલા મદ-મોહ-માન જેવા કષાયોને દૂર કરીને લાખેણા આત્માને શોધવાનું કહ્યું. આવી આત્મઓળખ અને આત્મશુદ્ધિનો સર્વશ્રેષ્ઠ મૂળ મંત્ર છે ક્ષમાપના. ક્ષમા એ જીવનનો આનંદ અને તપની વસંત છે.. વસંતનું આગમન થતાં કુદરત જેમ સોળે કળાએ ખીલી ઊઠે છે, એ રીતે જે પોતાના જીવનમાં ક્ષમાને સ્થાન આપે છે તેના જીવનમાં આત્માના ગુણોની વસંત ખીલી ઊઠે છે. ક્ષમાનો વિરોધી છે ક્રોધ. ક્રોધ માનવને દાનવ બનાવી દે છે. હકીકતમાં ક્રોધ વિભાવ છે, ક્ષમા સ્વભાવ છે. ક્રોધ દ્વેષ છે, ક્ષમા મૈત્રી છે. ક્રોધ મારક છે અને ક્ષમા તારક છે. | શ્રીમમાં આવો ક્રોધ જગાવવા માટે ભાણજી મકણજી નામની એક વ્યક્તિએ પ્રયાસ કર્યો. એની ઇચ્છા શ્રીમદ્રના સંતસ્વરૂપની અગ્નિપરીક્ષા કરવાની હતી, આથી એણે ગુસ્સે થઈને શ્રીમદ્ વિરુદ્ધ ભાષણ આપવાનું શરૂ ભાણજી મકનજી નું આવું જ થયું. એણે જાણે શ્રીમદ્દ સાથે વેર હોય એ રીતે ઝેર ઓકવા માંડ્યું. એક વાર શ્રીમદ્ મુમુક્ષુજનો સાથે બેઠા હતા, ત્યારે ભાણજીએ આવીને જોરશોરથી કહ્યું કે તમે તો સાવ ઢોંગી છો. લોકોને અવળે માર્ગે ચઢાવો છો. આક્ષેપોને અક્કલ હોતી નથી. એનો કોઈ છેડો હોતો નથી. ભાણજી મકનજી બેફામ કરવા લાગ્યો. ન બોલવાના શબ્દો બોલ્યો. શ્રીમદ્રની આસપાસ બેઠેલા લોકો અકળાઈ ગયા, પરંતુ શ્રીમદે એક અક્ષર પણ વળતો પ્રત્યુત્તર આપ્યો નહિ. ભાણજી મકનજીની ધારણા એવી હતી કે એના આક્ષેપો સાંભળીને શ્રીમદ્ અકળાઈ જશે, ખૂબ ક્રોધે ભરાશે, અને તે રીતે એ સાબિત કરશે કે શ્રીમદ્ સદૂગુરુ કે સંતસ્વરૂ૫ નથી, પરંતુ કોઈ પ્રતિભાવ ન મળતાં ભાણજી મકનજી થાક્યો. ક્રોધને કારણે એણે સાનભાન ગુમાવ્યાં હતાં, તે પાછાં આવ્યાં. એને પોતાની ભૂલ સમજાઈ. પરિણામે પાઘડી ઉતારીને શ્રીમદ્દના પગ પાસે મુકી, વારંવાર નમન ફરવા લાગ્યો. શ્રીમદૃના હૃદયમાં તો એક જ ભાવના ગુંજતી હતી, આવો ક્ષમા, આવો ક્ષમીએ ! દુનિયા દોષની છે - દ્વેષની છે; એમાં મૈત્રીનાં ફૂલછોડ રોપીએ ! | ભાણજી મકનજીએ ક્ષમામૂર્તિ શ્રીમને કહ્યું કે આપની પરીક્ષા કરવા જતાં મારાથી મહાદોષ થઈ ગયો છે, પરંતુ આપની કરૂણાશીલ ક્ષમાને કારણે મને માફી આપો. એ દિવસ પછી ભાણજી મકનજી શ્રીમદ્ પ્રત્યે પરમ વિનય અને અગાધ ભક્તિ દાખવતા રહ્યા. Jain Education international For Personal Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Julin Education International For Personal & Pilato Use Only www.ainolibrary.org Page #156 -------------------------------------------------------------------------- ________________ ૭૦. અાત્માની શંકા કરે, અાત્મા પોતે અપ વિ. સં. ૧૯૫૬માં શ્રીમદ્ વઢવાણમાં હતા, ત્યારે શ્રી જેસંગભાઈ તેમને મળવા માટે વઢવાણ ગયા, ત્યાંથી વળી બે-ત્રણ દિવસ વાંકાનેર જઈને વઢવાણ પાછા આવ્યા. પુનઃ શ્રીમના સત્સમાગમ માટે ગયા. શ્રીમદે એમને કહ્યું, “આજે અહીં જમજો.” જેસંગભાઈએ કહ્યું, “મેં દુકાને જમવાનો બંદોબસ્ત કર્યો છે.” શ્રીમદે એમને કહ્યું, “નહીં, તમે વીશીમાં બંદોબસ્ત કર્યો છે.” શ્રી જેસંગભાઈને આશ્ચર્ય થયું કે શ્રીમદ્દને કઈ રીતે ખબર પડી કે તેઓ વીશી(હોટલ)માં જમવાના છે ! પોતાની વાત શ્રીમદ્ જ્ઞાનબળે જાણી ગયા, તેથી એમની સમક્ષ નિખાલસ કબૂલાત કરતાં જેસંગભાઈએ કહ્યું, “હા, સાહેબ ! આપની વાત સાચી છે. ચોમાસામાં અમે દુકાનનું રસોડું ચાલુ રાખતા નથી.” બીજે દિવસે શ્રીમદે તેમને જમવા આવવાનું નિમંત્રણ આપ્યું. શ્રી જેસંગભાઈ નિમંત્રણનો સ્વીકાર કરીને ભોજન માટે ગયા પણ ખરા. શ્રીમદ્ અંતર્ગાનથી સાચી અને વાસ્તવિક પરિસ્થિતિ જાણી લેતા હતા. | એક વખત ત્રિભોવનભાઈ તથા અન્ય મુમુક્ષુઓ શ્રીમદ્ પાસે બેઠા હતા. જ્ઞાનવાત ચાલતી હતી. એવામાં ત્રિભોવનભાઈએ પૂછયું, “સાહેબજી, આત્મા તો દેખાતો નથી, આ આત્મા છે ક્યાં ?” આના ઉત્તરમાં શ્રીમદે કહ્યું, “તમને ભૂખ લાગે છે તે દેખાય છે ખરી ?” ત્રિભોવનભાઈએ કહ્યું, “સાહેબ, ભૂખ દેખાતી નથી, પણ લાગે છે તો ખરી.” આ સમયે ત્રિભોવનભાઈના પ્રશ્નનો ઉત્તર આપતાં શ્રીમદ્દ બોલ્યા, “આત્મા છે. જેમ નિદ્રા દેખાતી નથી, પણ નિદ્રા આવે છે. એ જે અનુભવ છે તેમ આત્મા અનુભવાય છે, પણ દેખાતો નથી.” ત્રિભોવનભાઈએ વળી સહજ જિજ્ઞાસાથી પૂછ્યું, “આત્મા કેમ પમાય ?" આ સમયે શ્રીમદ્ એકદમ પગ પર પગ ચડાવી પદ્માસન કરીને યોગમુદ્રામાં સ્થિર થઈ ગયા. એ વખતની આત્મલીન શ્રીમદ્દની મુદ્રા અત્યંત પ્રભાવક લાગી. કેવળ આત્મરૂ ૫ સ્થિરતા થઈ ગઈ હતી. તેઓ થોડો સમય આવી યોગમુદ્રામાં સ્થિર રહ્યા પછી પદ્માસનમાં વાળેલા પગ છૂટા કરતાં કહ્યું, “આત્મા આમ પમાય.” માં વેદાંતજ્ઞાની શ્રી પુંજાભાઈ સોમેશ્વર ભટ્ટ સાથે શ્રીમદ્દ જ્ઞાનવાત થઈ. આ જ્ઞાનવાર્તામાં શ્રીમદ્દનું સ્પષ્ટ તત્ત્વદર્શન અને એનું સંક્ષિપ્ત અને માર્મિક આલેખન જોવા મળે છે. શ્રી પુંજાભાઈ ભટ્ટે પ્રશ્ન કર્યો, “આત્મા છે તેવો તમને અનુભવ છે ?” શ્રીમદે કહ્યું, “હા, અનુભવથી કહીએ છીએ કે આત્મા છે. સાકરના સ્વાદનું વર્ણન ન થઈ શકે. તે તો અનુભવગોચર છે. તે જ રીતે આત્માનું વર્ણન ન થઈ શકે તે પણ અનુભવગોચર છે.” પૂંજાભાઈ ભટ્ટે પુનર્જન્મ છે કે નહિ તે વિશે પૂછયું, ત્યારે શ્રીમદે કહ્યું કે પુનર્જન્મ છે. પૂંજાભાઈએ વેદાંતને માન્ય માયિક ઈશ્વરનું અસ્તિત્વ તેઓ સ્વીકારે છે કે નહિ, તેમ પૂછયું, ત્યારે એના પ્રત્યુત્તરમાં શ્રીમદે ના કહી. વકીલાત કરતાં પંજાભાઈએ સવાલ કર્યો કે દર્પણમાં પડતું પ્રતિબિંબ માત્ર દેખાવ છે કે કોઈ તત્ત્વનું બનેલું છે ? | શ્રીમદે કહ્યું, “દર્પણમાં પડતું પ્રતિબિંબ ખાલી દેખાવ નથી. તે અમુક તત્ત્વનું બનેલું છે.” Jan Education International For Personal & Pilvate Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Jale Education international For Personal Private Use Only www.an bayang Page #158 -------------------------------------------------------------------------- ________________ આ ને કરી છે તે કઈક ૭૧. મૂળ મારગ સાંભળો જિનનો રે. જૈન દર્શનની નવ તત્ત્વની વિચારણામાં જીવ (ચેતન) અને અજીવ (જડ) એ બે વિરોધી ગુણોવાળાં તત્ત્વો મહત્ત્વનાં છે. એ બંને ગમે તેટલું કરે, તો પણ એકબીજાનું સ્વરૂપ પામી શકતા નથી. શ્રીમદે આ તાત્ત્વિક ભાવનાને કાવ્યરૂપ આપ્યું છે. સંવત ૧૯૪૭ના ભાદરવા મહિનામાં શ્રીમદ્ રાળજમાં હતા, ત્યારે એક જ દિવસે ચાર અનુપમ પદરચના થઈ. આમાંની એક રચનામાં એમણે જડ અને ચેતન વચ્ચેનો ભેદ દર્શાવ્યો છે. એ બાવીસ પંક્તિનું, દોહરા છંદમાં રચાયેલું ‘જડભાવે જડ પરિણમે” કાવ્ય લખ્યું. સં. ૧૯૫૬ના કારતક મહિનામાં શ્રીમદે “જડ અને ચૈતન્ય બંને દ્રવ્યોનો સ્વભાવ ભિન્ન” નામના તત્ત્વસભર પદની રચના કરી અને પદની એક પંક્તિમાં મોક્ષમાર્ગ પામવાનું ઉત્તમ સાધન દર્શાવતાં તેમણે લખ્યું, “કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવઅંતનો ઉપાય છે.” આ બીજી રચનામાં નિગ્રંથ માર્ગ પ્રત્યેની શ્રીમદની નિઃશંકતા પ્રગટ થાય છે. પરમજ્ઞાની દિવ્ય દ્રષ્ટા શ્રીમદૂની ભાવભક્તિ પરમ ઉત્કૃષ્ટ પ્રકારની હતી અને તે અનન્ય ભાવભક્તિથી સહજ ઉદ્ગારરૂપે સ્કુરિત થયેલા શ્રીમદ્દના ભાવનમસ્કારો અદ્દભુત હતા. | “હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક્દર્શન ! તને અત્યંત ભક્તિથી નમસ્કાર છે.” આ અનાદિ અનંત સંસારમાં અનંત-અનંત જીવો તારા આશ્રય વિના અનંત-અનંત દુ:ખને અનુભવે છે.” “તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રુચિ થઈ પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. કૃતકૃત્ય થવાનો માર્ગ ગ્રહણ થયો.” | “હે જિન વીતરાગ ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો હે કુંદકુંદાદિ આચાર્યો ! તમારાં વચનો પણ સ્વરૂ પાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયા છે, તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું.” હે શ્રી સોભાગ ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર હો !” વીતરાગના મુળ સનાતન ધર્મને જ ગતની સામે પુન: પ્રસ્થાપિત કરવાની ઉદાત્ત ભાવનામાંથી જન્મેલું આ કાવ્ય સંવત ૧૯૫રના આસો સુદ એકમના દિવસે આણંદ ખાતે રચાયું છે. આમાં મુળ માર્ગ અર્થાતુ મોક્ષ માર્ગનું સંક્ષેપમાં નિરૂપણ છે. મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ. નો'ય પૂજાદિની જો કામના રે, નો'ય વ્હાલું અંતર ભવદુઃખ. શ્રીમદૃના જીવનનો આદર્શ ભગવાન શ્રી મહાવીર હતા. લઘુવયથી તેઓ તેમનાં વચનામૃતોમાં વારંવાર ભગવાન મહાવીરનું સ્મરણ કરે છે. મહાવીરનો એમના અંતરમાં વાસ હોય અને એમના આત્માનો એમને પ્રત્યક્ષ સિ હોય તેમ લાગે છે. મહાવીરના શુદ્ધ પરમાર્થમાગે પ્રત્યેની અનન્ય પરમાથે ભક્તિને લીધે જ શાસનહિતચિતકે શ્રીમદ્ પરમ કારુણ્યવૃત્તિથી આ મતભેદાતીત અખંડ એક વીતરાગમાર્ગના ઉદ્ધારની ભાવના સતત ધરાવતા હતા. For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ For Dore Private Due Ory Page #160 -------------------------------------------------------------------------- ________________ ૭૨. ધર્મોન્નતિની યોજના - વર્તમાન સમયમાં મુળ માર્ગ માટે શું કરવું ? કઈ રીતે ફરી ભગવાન મહાવીર સ્વામીના સમયમાં હતો તેવો યોગપૂર્ણ ધર્મ થાય તેનો શ્રીમદ્દ વિચાર કરે છે. ક્યાંક જડ ક્રિયા એ જ ધર્મ બની ગઈ છે તો ક્યાંક શુષ્ક જ્ઞાનમાં ધર્મ સમાઈ ગયો છે. શ્રીમદ્દનું કરુણાÁ હૃદય આ દુષમ કાળની દુર્ભાગી જીવોની વિષમ પરિસ્થિતિ જોઈને આક્રંદ કરે છે. તેઓ જિનના મૂળ માર્ગને દર્શાવવાનો દઢ સંકલ્પ કરે છે. શ્રીમદ્ આ મહાકાર્ય માટે આત્મશક્તિનો સંચય કરતા હતા. આ કાર્ય માટે તેઓ કેવા સજાગ હતા તે તેમની હાથનોંધ પરથી દેખાય છે. | “જેનાથી માર્ગ પ્રવર્તયો છે એવા મોટા પુરુષના વિચાર, બળ, નિર્ભયતાદિ ગુણ મોટા હતા. એક રાજ્ય પ્રાપ્ત કરવામાં જે પરાક્રમ ઘટે છે તે કરતાં અપૂર્વ અભિપ્રાય સહિત ધર્મસંતતિ પ્રવર્તતાવવામાં વિશેષ પરાક્રમ ઘટે છે.” વર્તમાન અવદશા જોઈ શાસનદાઝની વેદનાથી નીકળેલા તેઓના આ અંતરોદ્ગાર પોકારે છે : હે નાથ ! કાં ધર્મોન્નતિ કરવારૂ ૫ ઇચ્છા સહજપણે સમાવેશ પામે તેમ થાઓ; કાં તો તે ઇચ્છા અવશ્ય કાર્યરૂપ થાઓ, અવશ્ય કાર્યરૂપ થવી બહુ દુષ્કર દેખાય છે કેમકે અલ્પ અલ્પ વાતમાં મતભેદ બહુ છે, અને તેનાં મૂળ ઘણાં ઊંડાં ગયેલાં છે, મૂળમાર્ગની જિજ્ઞાસા તેમને ઉત્પન્ન કરાવવી હોય તોપણ ઘણાં કાળનો પરિચય થયે પણ કઠણ પડે એવી તેમની દુરાગ્રહાદિથી જડપ્રધાન દશા વર્તે છે.” (પત્રાંક ૭૦૯). | ધર્મ ઉન્નતિ કરવા શ્રીમદે ભવ્ય યોજના ઘડી હતી. કયાં સાધનો વડે તે યોજના પાર પડે તેની રૂપરેખા આપતાં તેઓ સ્વયં કહે છે : “બોધબીજનું સ્વરૂપનિરૂપણ મૂળમાર્ગ પ્રમાણે ઠામઠામ થાય. ઠામઠામ મતભેદોથી કંઈ જ કલ્યાણ નથી એ વાત ફેલાય. પ્રત્યક્ષ સગુરુની આજ્ઞાએ ધર્મ છે એમ વાત લક્ષમાં આવે. દ્રવ્યાનુયોગ-આત્મવિદ્યા પ્રકાશ થાય. ત્યાગ વૈરાગ્યના વિશેષપણાથી સાધુઓ વિચરે નવતત્ત્વપ્રકાશ સાધુધર્મ પ્રકાશ શ્રાવકધર્મ પ્રકાશ વિચાર ઘણા જીવોને પ્રાપ્તિ.” આ ભવ્ય યોજનાનો અમલ કરવા માટે દેહ છતાં વિદેહી શ્રીમદ્ પૂર્ણપણે સમર્થ હતા, તે સમયની અંતરંગદશા અનોખી હતી. “જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, જેને માનઅપમાન, લાભ-અલાભ, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ આદિ કંકોનો અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિશે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે.” આવી ભૂમિકાને વરેલા સ્ત્રી તથા લક્ષ્મીના ત્યાગી શ્રીમદ્ સર્વસંગપરિત્યાગ માટે પુન: પોતાની માતા દેવમાની અનુજ્ઞા માગે છે. દેવમાં શ્રીમની નાદુરસ્ત તબિયતને કારણે માતૃસહજ વાત્સલ્યથી હજી થોડો સમય થોભી જવા કહે છે. અધ્યાત્મદશાની પરાકાષ્ઠા પામી, અધ્યાત્મમૂર્તિ બની ગયેલા શ્રીમદ્ સર્વસંગપરિત્યાગ કરીને જગતકલ્યાણાર્થે નીકળી પડવાની તૈયારીમાં હતા ત્યાં જ ૧૯૫૬ના પોષ મહિનામાં તેઓને અસાધ્ય રોગ લાગુ પડ્યો. દેહ વ્યાધિગ્રસ્ત બન્યો અને એ વ્યાધિ ઉત્તરોત્તર વધતો ગયો. Far Personal & Pilvate Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Jan Education International For Pamoral & Private Use Only W b rary.org Page #162 -------------------------------------------------------------------------- ________________ ૭૩. અાંતર-બાહ્ય સમાધિયોગ ૧૯૫૬ના પોષ મહિનામાં શ્રીમદ્દને અસાધ્ય રોગ લાગુ પડ્યો. એમનો દેહ વ્યાધિગ્રસ્ત બન્યો અને એ વ્યાધિ ઉત્તરોત્તર વધતી ગઈ. પ્રથમ તો શરીરમાં સામાન્ય અશક્તિ હોય તેમ લાગતું હતું, પણ થોડા સમયે નિદાન થયું કે મુખ્ય બીમારી તો સંગ્રહણીની છે. આ બીમારી વખતે ડૉ. પ્રાણજીવનદાસ જગજીવનદાસ મહેતા આદિની ઘણી કાળજીભરી સારવાર ચાલુ હતી. શ્રીમદ્ વખતોવખત ડૉ. પ્રાણજીવનદાસભાઈને તથા તેઓની કાળજી લેનાર સર્વને સૂચના કરતા કે હું આર્ય છું, આથી અનાર્ય ઔષધિ મારી સારવારમાં ઉપયોગમાં લેશો નહિ. અંબાલાલભાઈ, લીંબડીવાળા મનસુખભાઈ દેવશીભાઈ, મનસુખભાઈ કિરતુચંદ મહેતા, ધારશીભાઈ, વિરમગામવાળા સુખલાલભાઈ, મહાસુખરામ, મોતીલાલ ભાવસાર વગેરે ભક્તિભાવભર્યા મુમુક્ષુઓ ઊભા પગે સેવામાં હાજર હતા. સ્નેહાળ સ્વજનો સેવા-સુશ્રુષા કરતા હતા. જુદાં જુદાં સ્થળે હવાફેર માટે શ્રીમદ્ લઈ જવાનું પણ બન્યું. હવાફેર દરમિયાન માતા દેવમા તથા પત્ની ઝબકબા તેઓની સાથે રહેતાં હતાં, પણ શ્રીમની તબિયત થોડો સમય સારી તો થોડો સમય નાદુરસ્ત રહેતી હતી. શરીર ઉત્તરોત્તર ઘસાવા લાગ્યું. બીમારી એમના દેહની આસપાસ વધુ ને વધુ વીંટળાવા લાગી. શ્રીમદ્રની બીમારી જોઈને એમનાં માતુશ્રી પૂછતાં, “ભાઈ કેમ છે ?” ત્યારે શ્રીમદ્ કહેતા, “અમને સુખેય નથી અને દુઃખેય નથી.” એ પછી હવાફેર માટે શ્રીમદ્ ધરમપુરના પહાડી પ્રદેશમાં ગયા. તે સમયે ત્યાં પોલિટિકલ એજન્ટનો મુકામ હતો. સં. ૧૯૫૬ના ચૈત્ર માસનો એ સમય હતો. અંગ્રેજોનું શાસન હોવાથી પોલિટિકલ એજન્ટ ઘણી સત્તા ધરાવતા. તેઓ શાહી ઠાઠમાઠથી આવતા અને મોટાં મોટાં રાજ-રજવાડાંઓ એમનું ભવ્ય સ્વાગત કરતા. ૨ એજન્ટના માનમાં શિકારની ગોઠવણ થતી. આવી રીતે ધરમપુરના પહાડી પ્રદેશમાં અંગ્રેજ પોલિટિકલ એજન્ટ મોટા રસાલા સાથે શિકારે નીકળ્યા. ઘણી શોધ કરવા છતાં પોલિટિકલ એજન્ટને શિકાર માટે કોઈ પ્રાણી મળ્યું નહિ. દયાનું ઝરણું અને કરુણાની સરિતા વહેતી હોય ત્યાં ક્રૂર અને નિર્દય ભાવો કઈ રીતે ફાવી શકે ? જ્યાં સુધી શ્રીમદ્દ અહીં ઉપસ્થિત હતા ત્યાં સુધી રોજેરોજ શિકારે નીકળતા પોલિટિકલ એજન્ટને કોઈ શિકાર મળી શક્યો નહિ. ત્યારબાદ શ્રીમદ્ અન્યત્ર સ્થળે ગયા, ત્યારે મોડે મોડે અંગ્રેજ પોલિટિકલ એજન્ટને શિકાર મળ્યાના સમાચાર સાંભળ્યા. આમ શ્રીમની ઉપસ્થિતિને કારણે જીવો નિર્ભય બનીને વિહરતા હતા. ધરમપુરમાં શ્રી રણછોડદાસભાઈ મોદીને ત્યાં શ્રીમનો નિવાસ હતો. વનવિભાગના અધિકારી શ્રી રણછોડદાસભાઈએ આતિથ્યસત્કારનો અને સંત સમાગમનો મહાન લાભ લીધો. આ સમયે પણ શ્રીમદનો સ્વાધ્યાય ચાલતો હતો. એમના પત્રોમાં એમની આંતરપ્રવૃત્તિની છબી પ્રતિબિંબિત થાય છે. તેઓ લખે છે કે, “બાહ્ય અને આંતર સમાધિયોગ વર્તે છે.” (ક્રમાંક : ૯૧૨), ધરમપુરમાં શ્રી રણછોડભાઈની સેવા અને ડૉ. પ્રાણજીવનભાઈની સારવાર હોવા છતાં શ્રીમના શારીરિક સ્વાથ્યમાં ખાસ સુધારો થયો નહિ. Juin Education international For Personal For Personal & Private Use Only Private Use o g www.ainalibrary.one Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્રીમના લઘુભાતા શ્રી મનસુખભાઈ Jain Education international For Personel Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ છે ને તે " જ ક ' '; ૭૪. વીતરાગકુત એ જ પરમશ્રત શ્રીમદ્દ અમદાવાદ આવ્યા. આજે અમદાવાદ શહેરનો વિસ્તાર ગણાતું નરોડા એ સમયે એક અલાયદું ગામ હતું. નરોડામાં મુનિઓ બિરાજમાન હતા. અમદાવાદથી શ્રીમદ્ આવે અને નરોડા ગામની ભાગોળે મુનિઓ આવે. બધા સાથે મળીને જંગલમાં જાય એવી યોજના હતી. મુનિઓ નરોડા ગામની ભાગોળે શ્રીમદ્રની રાહ જોઈ ઊભા રહ્યા. એટલામાં શ્રીમદ્ મુમુક્ષુઓ સાથે આવ્યા. “આ મુનિઓના પગ દાઝતા હશે ” એમ બોલીને શ્રીમદે પોતાનાં પગરખાં કાઢીને તડકામાં ચાલવાનું શરૂ કર્યું. સમગ્ર મુનિસમુદાય તથા શ્રીમદ્દ અને મુમુક્ષુઓ રસ્તામાં આવેલા વિશાળ વડની છાયામાં વિશ્રામ કરવા બેઠા. ખુલ્લા પગે તડકામાં ચાલવાને કારણે શ્રીમદ્જીના પગનાં તળિયાં લાલચોળ થઈ ગયાં હતાં, પરંતુ વડ નીચે બેઠા પછી પણ એમણે બળબળતા પગ પર હાથ ફેરવ્યો નહિ. | મુનિશ્રી દેવકરણજી સામે જોઈને શ્રીમદ્ બોલ્યા, “હવે અમે તદ્દન અસંગ થવા ઇચ્છીએ છીએ. કોઈના પરિચયમાં આવવું ગમતું નથી. એવી સંયમશ્રેણીમાં રહેવા આત્મા ઇચ્છે છે.” - અમદાવાદથી સં. ૧૯૫૬ના વૈશાખ સુદ ૬ના રોજ મુનિશ્રી લલ્લુજીને પત્ર (ક્રમાંક ૯૧૭) દ્વારા શ્રીમદ્ આ સંદેશ આપે છે, “આજે દશાઆદિ સંબંધી જે જણાવ્યું છે અને બીજ વાવ્યું છે તેને ખોતરશો નહીં. તે સફળ થશે. ‘ચતુરંગલ હૈ દમસે મિલ હૈ –' એ આગળ પર સમજાશે. એક શ્લોક વાંચતાં અમને હજારો શાસ્ત્રનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે.” | એ પછી શ્રીમદ્દ એમની જન્મભૂમિ વવાણિયા પધાર્યા. અહીં ત્રણ મહિના રહીને મોરબી પધાર્યા. મોરબીમાં એક માસ રહ્યા તે સમયે વ્યાખ્યાનસાર-૨ની આધ્યાત્મિક અમૃતધારા વરસાવી હતી. મોરબીથી શ્રીમદ્ વઢવાણ કૅમ્પ પધાર્યા. એમણે જ્ઞાનવિમુખ સમાજને જોયો. આવો સમાજ તત્ત્વલક્ષી બને તે માટે ગ્રંથોની જરૂર હતી. માટે મહાન આચાર્યોના અપ્રસિદ્ધ ગ્રંથો પ્રસિદ્ધ કરવાના ઉદ્દેશથી શ્રીમદે વઢવાણમાં ૧૯૫૬ના ભાદ્રપદ માસમાં ‘પરમશ્રુત પ્રભાવક મંડળ ની સ્થાપના કરી. આ મંડળના ઉપક્રમે તથા અંબાલાલભાઈ અને શ્રીમદ્ના નાનાભાઈ મન:સુખભાઈની મહેનતને પરિણામે સં. ૧૯૬૧માં ‘શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ. એ પછી એ આવૃત્તિ પર બે વર્ષ વિશેષ સંશોધન કરીને શ્રીમના સમકાલીન સાક્ષર-શિષ્ય શ્રી મનસુખભાઈ કિરતુચંદ મહેતાએ એની બીજી આવૃત્તિ પ્રગટ કરી. ‘પરમશ્રુત પ્રભાવક મંડળની સ્થાપના એ શ્રીમદૂના જીવનનું એક મહાન કાર્ય ગણાય. વ્યાધિને કારણે એમનું શરીર અત્યંત નિર્બળ થઈ ગયું હતું, પરંતુ પરમશ્રત પરના પરમ પ્રેમને કારણે અને પ્રબળ આત્મબળને લીધે એમણે આ સંસ્થાની સ્થાપના કરી. સતુશ્રુતનો-પરમકૃતનો જગત પર કેટલો બધો ઉપકાર છે એની વાત કરતાં “મોક્ષમાળા'માં શ્રીમદે ગાયું છે – “અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સક ળ જગત હિતકારિણી, હારિણી માંહ, તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈમેં માની છે; અહો રાજચંદ્ર ! બાલ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે.” શ્રીમદની પ્રેરણા અને માર્ગદર્શનથી સં. ૧૯૫૭ના મહા સુદ પાંચમે પુણ્યાત્મા શ્રી ગાંડાભાઈ ભાઈજીના વરદ હસ્તે ખંભાત ખાતે ‘શ્રી સુબોધક પુસ્તકાલય ની સ્થાપના થઈ. ગચ્છ મત સંબંધી કોઈ શબ્દ ન આવે તે રીતે પુસ્તકાલયનું નામ “શ્રી સુબોધક પુસ્તકાલય ' રાખ્યું. એનાં પુસ્તકોની ખરીદી શ્રીમદે અમદાવાદ અને મુંબઈ જઈને કરી હતી. For Personal Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Jan Edition train Fof PE Plate Live Only www. a lary Page #166 -------------------------------------------------------------------------- ________________ ૭૫. બળવાન ઉપકારી સાધન | વિ. સં. ૧૯૫૭માં અમદાવાદમાં આગાખાનના બંગલે શ્રીમનો ઉતારો હતો. એમની સાથે એમનાં માતા દેવબા અને પત્ની ઝબકબા હતાં. આ સમયે મુનિઓ ચાતુર્માસ પૂર્ણ કરીને અમદાવાદ આવ્યા હતા. શ્રીમની પાસે ‘જ્ઞાનાવર્ણ’ અને ‘સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા’ નામના દિગંબર સંપ્રદાયના હસ્તાક્ષરમાં લખેલા બે મોટા ગ્રંથો હતા. એમણે મુનિશ્રી લલ્લુજી અને મુનિશ્રી દેવકરણજીને માતા દેવબા અને પત્ની ઝબકબાના હાથે આ ગ્રંથ વહોરાવ્યા. એ વખતે સાથેના અન્ય મુનિઓ વિહારમાં ધર્મગ્રંથો ઊંચકવામાં પ્રમાદ-વૃત્તિ સેવતા હતા. શ્રીમદ્દને આનો ખ્યાલ આવતાં એ પ્રમાદ દૂર કરવાના ઉદ્દેશથી તેઓ બોલ્યા, | “હવે મુનિઓ, આ જીવે સ્ત્રી-પુત્રાદિના ભાર વહ્યા છે, પણ સત્વરુષોની કે ધર્માત્માની સેવા-ભક્તિ પ્રમાદરહિત ઉઠાવી નથી.” એ પછી મુનિશ્રી લક્ષ્મીચંદજીને શ્રીમદે કહ્યું, “તમારે શ્રી દેવકરણજી પાસેનો ‘જ્ઞાનાર્ણવ' ગ્રંથ તે વાંચે ત્યાં સુધી વિહારમાં ઊંચકવો, તેમજ શ્રી ‘કાર્તિકેયાનુપ્રેક્ષા' ગ્રંથ શ્રી લલ્લુજી વાંચે ત્યાં સુધી વિહારમાં મુનિ મોહનલાલજીએ ઊંચકવો.” વળી શ્રીમદે દરેકને આપેલા ગ્રંથો વાંચી, વિચારી, પરસ્પરને આપવાની ભલામણ પણ કરી. | દિન-પ્રતિદિન શ્રીમના દેહનું સ્વાથ્ય કથળતું જતું હતું. આને કારણે સગાં-સંબંધીઓ અને મુમુક્ષુઓ ચિંતાતુર, આકુળ-વ્યાકુળ અને અસ્વસ્થ હતાં, પણ આત્મારામી શ્રીમદ્ તો અત્યંત નિરાકુળ અને પૂર્ણ સ્વસ્થ જ હ વઢવાણમાં શ્રીમની વીતરાગમૂર્તિનો સાક્ષાત્કાર કરાવે એવા ફોટાનો - પદ્માસન અને કાયોત્સર્ગ મુદ્રાવાળા ચિત્રપટનોમુમુક્ષુ જગતને લાભ મળ્યો. મુમુક્ષુભાઈ શ્રી સુખલાલની ખાસ ભક્તિપૂર્ણ વિનંતીને કારણે શ્રીમદે આ ચિત્રપટ માટે અનુમતિ આપી. - આ ચિત્રપટ પડાવ્યાના બીજા દિવસે શ્રીમદ્રની સતત સેવામાં રહેનાર મુમુક્ષુ ભાઈશ્રી મન:સુખભાઈ દેવશી પ્રત્યે શ્રીમદે સ્વયં અનંત કરુણા કરી કહ્યું હતું : | “શરીર અતિ ક્ષીણ છતાં પોતે મનોબળથી ચાલીને ગયા હતા. તે વખતે શ્રી પાર્શ્વનાથજી ભગવાન જંગલમાં કાયોત્સર્ગમાં ઊભા રહ્યા હતા. ત્યારે કેમઠ દેવતાએ ઉપસર્ગ કયો તેના પ્રત્યે દ્વેષ નહિ અને ધરણેન્દ્ર દેવતાએ રક્ષણ કર્યું તેના પ્રત્યે રાગ નહિ, એવી અદ્ભુત પરમ વીતરાગદશા પાર્શ્વપ્રભુની હતી તેવી પરમ વીતરાગદશા અમારી તે વખતે પ્રાપ્ત હતી.” (અપ્રગટ હાથનોંધમાંથી) શ્રીમદ્દને શ્રુત તરફ અગાધ પ્રેમ હતો. આવા ધર્મગ્રંથોનો સતત સ્વાધ્યાય હોવો જોઈએ એવો તેમનો આગ્રહ રહેતો. અમૃત જેમ મૃતને સજીવન કરે છે તેમ શ્રત વ્યક્તિને સાર્થક જીવન, પરમાર્થી ભાવજીવન અને ભાવમરણમાંથી અમૃતતત્ત્વ આપે છે. વીતરાગશાસ્ત્ર એક બળવાન ઉપકારી સાધન છે તેમ કહેતા. તેઓ લખે છે – “વીતરાગ શ્રુત, વીતરાગ શાસ્ત્ર એક બળવાન ઉપકારી સાધન છે. જોકે તેવા મહાત્મા પુરુષ દ્વારા જ પ્રથમ તેનું રહસ્ય જાણવું જોઈએ, પછી વિશુદ્ધ દૃષ્ટિ થયે મહાત્માના સમાગમના અંતરાયમાં પણ તે શ્રુત બળવાન ઉપકાર કરે છે, અથવા જ્યાં કેવળ તેવા મહાત્માઓનો યોગ બની જ શકતો નથી, ત્યાં પણ વિશુદ્ધ દૃષ્ટિવાનને વીતરાગદ્ભુત પરમોપકારી છે, અને તે જ અર્થે થઈને મહતુ પુરુષોએ એક શ્લોકથી માંડી દ્વાદશાંગપર્યત રચના કરી છે.” (પત્રાંક : ૭૫૫) Jal Education International For Personal Private Use Only For Parental Page #167 -------------------------------------------------------------------------- ________________ Nehaj 41 For Personal & Private Use Only 4 IT Page #168 -------------------------------------------------------------------------- ________________ ૭૬. જાશું સ્વરૂપ સ્વદેશ રે શરીરમાં વધતો વ્યાધિ અને ભીતરમાં અનુપમ સમાધિ ! લૌકિક જીવનનાં આધિ, વ્યાધિ અને ઉપાધિને આસક્તિથી વળગી રહેનારાને જ્ઞાનીની અલૌકિક દૃષ્ટિનો ખ્યાલ આવતો નથી. લૌકિક દૃષ્ટિ દેહની પીડા જુએ છે. અલૌકિક દૃષ્ટિ અધ્યાત્મનો આનંદ માણે છે. આથી જ મુમુક્ષુ જીવના સંકલ્પને દર્શાવતાં શ્રીમદ્ કહે છે, “અનંતવાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાથની કલ્પના છોડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ.' (ક્રમાંક : ૭૧૯) શ્રીમદ્ વઢવાણથી અમદાવાદ થઈ મુંબઈ પધાર્યા. મુંબઈથી વલસાડ પાસે તીથલ રહી પાછા જન્મભૂમિ વવાણિયામાં આવ્યા. શ્રીમદે છેલ્લે જન્મક્ષેત્ર વવાણિયાં છોડ્યું, ત્યારે વિદાય લેતા પૂર્વે પોતાનાં ઘર અને ડેલીને, એ પછી માતા-પિતા અને મિત્રોને વારંવાર નમસ્કાર કર્યા. ગામના પાદરે આવ્યા, ત્યારે શ્રીમદે પોતાના ગામને નમસ્કાર કર્યા હતા. હવાફેર માટે આટલાં બધાં સ્થળાંતર કર્યા છતાં શ્રીમદ્દનું શરીર સુધરવાને બદલે વધારે ક્ષીણ થતું ગયું. એક સમયે એમના તંદુરસ્ત શરીરનું વજન ૧૩૦થી ૧૪૦ રતલ રહેતું તે ઘટીને ૫૭ રતલ જેટલું થઈ ગયું. ૧૯૫૭ના ફાગણ સુદ છઠ્ઠના દિને વઢવાણથી રાજ કોટ પધાર્યા. નિગ્રંથ પંથે અપ્રમત્ત યોગધારાએ અનંત નિર્જરા કરતા. શ્રીમદ્ તીવ્ર સંવેગથી આધ્યાત્મિકતાના શિખર તરફ ગતિ કરી રહ્યા હતા. દેહોત્સર્ગના લગભગ એક મહિના પૂર્વે તેઓ જણાવે છે કે : “ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો. ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. માથે ઘણો બોજો રહ્યો હતો. તે આત્મવીર્ય કરી જેમ અલ્પકાળે વેદી લેવાય તેમ પ્રઘટના કરતા પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો.” (પત્રાંક ૯૫૧) અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ, રે, તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે.” તીવ્ર અશાતાના ઉદયમાં પણ શ્રીમની સમતા અદ્દભુત હતી. આનું પ્રમાણ આપતાં શ્રીમદ્ લખે છે : જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી એ જ અદ્દભુત આશ્ચર્ય છે. અવ્યાબાધ સ્થિરતા છે.” વેદનીય તથારૂપ ઉદયમાનપણે વેચવામાં હર્ષ-શોક શો ? સમ્યક્ પ્રકારે વેદના અહિયાસવારૂપ પરમ ધર્મ, પરમ પુરુષોએ કહ્યો છે. તીક્ષ્ણ વેદના અનુભવતા સ્વરૂપભ્રંશ વૃત્તિ ન થાય એ જ શુદ્ધ ચારિત્રનો માર્ગ છે. ઉપશમ જ જે જ્ઞાનનું મૂળ છે તે જ્ઞાનમાં તીક્ષ્ણ વેદના પરમ નિર્જરા ભાસવા યોગ્ય છે.” દેહોત્સર્ગ પર્વે દશ દિવસે રાજકોટમાં ચૈત્ર સુદ નોમ (રામનવમી) સં. ૧૯૫૭ના મુમુક્ષુજનની વિનયપૂર્ણ વિનંતીથી એ દિવસે શ્રીમદે દિવ્ય અંતિમ સંદેશો આપ્યો છે. તે સમયે તેમના શરીરની અશક્તિ એટલી બધી હતી કે તેઓ જાતે લખી શકતા પણ નહોતા, છતાંય એમનો આત્મા સનાતન સ્વસ્થ હતો. શ્રીમદે સકળ યોગમાર્ગનું અપૂર્વ રહસ્ય આમાં પ્રકાર્યું છે. આ કાવ્યમાં યોગીની મોક્ષપદની ઇચ્છા બતાવી છે. તે મોક્ષપદ કેવું છે, તેની પ્રાપ્તિ કઈ રીતે થાય અને તે માટે આત્માની કેવી યોગ્યતા હોવી જોઈએ તેનો માર્મિક અને પદ્યમાં પ્રવાહી રીત ચિતાર આપ્યો છે. ઇચ્છે છે જે જોગી જન, અનંત સુખસ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિનસ્વરૂપ. Jain Education international For Personal & Pilvate Use Ordy Page #169 -------------------------------------------------------------------------- ________________ የሰበ Mits W For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ૭૭. મૃત્યુંજય જ્ઞાન વિ. સં. ૧૯૫૭ના ફાગણ સુદ છઠ્ઠના દિવસે શ્રીમદ્દનું રાજ કોટમાં આગમન થયું. સંગ્રહણીની વ્યાધિને કારણે શારીરિક સ્થિતિ ઉત્તરોત્તર ક્ષીણ થતી જતી હતી. અશક્તિ એટલી બધી વધી ગઈ કે જાતે બેસવાની કે પથારીમાંથી ઊઠવાની શક્તિ રહી નહોતી. સ્વજનો અને મુમુક્ષુઓ એમની સેવા-સુશ્રુષાને માટે ખડે પગે હાજર હતા. ફાગણ વદ તેરસના દિવસે શ્રીમદે લખેલા પત્રમાં બગડતી જતી શરીરપ્રકૃતિની વચ્ચે અદ્દભુત આત્મભાવનાની વાત કરે છે. જ્યારે ચૈત્ર સુદ બીજને શુક્રવારે રાજકોટથી લખાયેલા અત્યંત ટૂંકા પત્રમાં તેઓ ભરૂચમાં વસતા સુખલાલ છગનલાલને લખે છે – અનંત શાંતમૂર્તિ એવા ચંદ્રપ્રભસ્વામીને નમો નમઃ | વેદનીય તથારૂપ ઉદયમાનપણે વેદવામાં હર્ષશોક શો ? 3ૐ શાંતિઃ (ક્રમાંક : ૯૫૩) આમ શ્રીમદ્દ અનંત શાંતમૂર્તિ ચંદ્રપ્રભસ્વામીને વારંવાર આત્મભાવપૂર્ણ નમસ્કાર કરે છે અને જે વેદનીય કર્મો - ઉદયમાં આવી રહ્યાં છે તેને ખપાવવામાં હર્ષશોક શો ? આમ ગમે તેવા અશાતાઉદયમાં પણ શ્રીમદૂને નથી શોક કે નથી હર્ષ. તે તો અદ્ભુત, અનુપમ સમતાનો જ અનુભવ કરે છે. મૃત્યુંજયી જ્ઞાનીને મૃત્યુનો ભય લાગતો નથી કારણ કે મૃત્યુ એ દેહનો અંત છે, આત્માનો નહિ. રાજકોટમાં શ્રીમદ્ નાનચંદ અનોપચંદભાઈને ઘેર ઊતર્યા હતા. એ પછી બીજે દિવસે ખુલ્લી હવામાં રહી શકાય તે માટે ગામ બહાર આવેલા ‘નર્મદા મેન્શન 'માં રહેવાનું રાખ્યું. એક દિવસ શ્રીમની તબિયત વિશેષ બગડી. એમની સ્થિતિ જોઈને દેવમાને ખૂબ દુ:ખ થયું. પોતાની માતાને સાંત્વન આપતાં શ્રીમદે કહ્યું, “જે છે તે પરમ દિવસ.” આટલું બોલીને શ્રીમદ્ અટકી ગયા અને દેવબાને માળા ફેરવવા જણાવ્યું. શ્રીમદ્દની શારીરિક શક્તિ ઉત્તરોત્તર ક્ષીણ થતી ગઈ. એટલા અશક્ત બની ગયા કે બેસવા-ઊઠવાની શક્તિ પણ ન રહી. ચૈત્ર વદ ચોથનો દિન આવી પહોંચ્યો. દેહત્યાગના આગલા દિવસે સાયંકાળે શ્રીમના નાનાભાઈ મન:સુખભાઈ, રેવાશંકરભાઈ, નરોત્તમભાઈ વગેરેની હાજરીમાં શ્રીમદ્ ચેતવણીરૂપ બોલ્યા, “તમે નિશ્ચિત રહેજો, આ આત્મા શાશ્વત છે. અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે. તમે શાંતિ અને સમાધિપણે પ્રવર્તશો. જે રત્નમય જ્ઞાનવાણી આ દેહ-દ્વારાયે કહી શકવાની હતી તે કહેવાનો સમય નથી. તમે પુરુષાર્થ કરશો.” રાત્રે અઢી વાગ્યે શ્રીમદ્દને અત્યંત શરદી થઈ. તે સમયે તેઓશ્રીએ જણાવ્યું : નિશ્ચિત રહેજો. ભાઈનું સમાધિ મૃત્યુ છે.” ઉપચાર કરતાં શરદી ઓછી થઈ ગઈ. સવારે સાડા સાત વાગે જે બિછાનામાં શયન કર્યું હતું, તેમાંથી એક કોચ ઉપર ફેરવવા મન:સુખભાઈને કહ્યું. મનસુખભાઈને લાગ્યું કે અતિ અશક્તિ હોવાથી આવો ફેરફાર કરવો નહિ. આ સમયે શ્રીમદે આજ્ઞા કરી કે ત્વરાથી ફેરફાર કર એટલે મન:સુખભાઈએ સમાધિસ્થ ભાવે સુઈ શકાય એવા કોચ ઉપર વ્યવસ્થા કરી. Jain Education international For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ en M62001 For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૭૮. સુખધામ અનંત ચૈત્ર વદ પાંચમનો એ દિવસ. સવારે પોણા આઠ વાગે શ્રીમદ્દને દૂધ આપ્યું, એ તેઓએ લીધું. આ સમયે સંપૂર્ણ શુદ્ધિમાં મન, વચન અને કાયા હતાં. પોણા નવ વાગે શ્રીમદે પોતાના નાના ભાઈ મન:સુખભાઈને કહ્યું, મનસુખ, દુ:ખ ન પામતો, માને ઠીક રાખજે. હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.” વઢવાણ કૅમ્પમાં જે સ્થિતિમાં ઊભા ઊભા ચિત્રપટ પડાવ્યું હતું, બરાબર એ જ સ્થિતિમાં કોચ ઉપર પાંચ કલાક સુધી સમાધિ રહી. પોણા આઠથી બે વાગે પ્રાણ છૂટ્યા ત્યાં સુધી લઘુશંકા, દીર્ઘશંકા, મોઢે પાણી કે આંખે પાણી કે પરસેવો કંઈ પણ જણાતું નહોતું. આવા સમાધિ સ્વભાવે તે પવિત્ર આત્મા અને દેહનો સંબંધ છુટ્યો. આત્મા છૂટો થયાનાં લેશમાત્ર ચિહ્ન જણાતાં નહોતાં. જેમ જેમ પ્રાણ ઓછા થવા લાગ્યા તેમ તેમ એમની મુખમુદ્રાની કાંતિ વિશેષપણે પ્રકાશવા લાગી. એ સમયની એમની દેહત્યાગની દશા અન્ય ઉપસ્થિતોને પણ આશ્ચર્ય પમાડતી અને પૂજ્યભાવ ઉત્પન્ન કરતી હતી. એમની મુખાકૃતિ શાંત, મનહર અને ચૈતન્યવ્યાપી લાંગતી હતી. નહિ તૃષ્ણા જીવ્યા તણી, મરણ યોગ નહિ ક્ષોભ.” પોતાની જ આ અંતિમ સંદેશાની પંક્તિને ચરિતાર્થ કરતા શ્રીમદ્રને મરણનો ભય ક્યાંથી હોય ? અજર, અમર અમૃત, આત્માને પામેલા શ્રીમદ્દ જેવા પરમ જ્ઞાની તો કાળના પણ કાળ છે. કાલાતીત, સમયાતીત અને દેહાતીત છે. સં. ૧૯૫૭ના ચૈત્ર વદી પંચમીના દિને મંગળવારે બપોરના બરાબર બે વાગ્યે રાજકોટમાં આ પરમ મંગલમૂર્તિ, પરમ દિવ્યજ્યોતિ રાજચંદ્રનો આ રાજચંદ્ર નામધારી દેહપર્યાય છૂટી ગયો અને આ પરમ અમૃત રાજચંદ્રની દિવ્ય શાશ્વત આત્મજ્યોતિ ઊર્ધ્વગમન કરી ગઈ. - કેટલાય યુગમાં ન થાય તેટલું કામ તેઓ માત્ર ૩૩ વર્ષમાં કરી ગયા. અનંત ભવનું સાટું એક ભવમાં વાળી ગયા. પરમ આત્મકલ્યાણ સાધી આત્મકલ્યાણનો સાચો રાહ બતાવી જ ગત પર અસીમ ઉપકાર કરી ગયા. સમયની રેત પર અસંખ્ય પગલાં પડ્યાં અને પવનની લહેરથી કે ધૂળની ડમરીથી, સમયના પ્રવાહથી કે કાળની બલિહારીથી એ ભૂંસાઈ ગયા. એ પગલાંઓનું નામોનિશાન મળતું નથી. | માત્ર વિશ્વકલ્યાણકારી વિરલ વિભૂતિઓનાં પચિહ્નો અને પથપ્રદર્શકો માનવજાત પાસે ભવિષ્યની ઊજળી આશારૂપે રહ્યાં છે. એ અજવાળનારો પંથ અનેક મુમુક્ષુને જીવનદૃષ્ટિ આપનારો અને મૂળ માર્ગની ઓળખ આપે છે. - જેમ તીર્થંકરોના નિર્વાણથી સમેતશિખરજી, ગિરનારજી, પાવાપુરીજી પવિત્ર તીર્થધામ બન્યાં છે તેમ આત્માની ઉત્કૃષ્ટ ઐશ્વર્યતાને પામેલા અને પ્રભુ મહાવીરનો મૂળ માર્ગ દર્શાવનારા શ્રીમના દેહવિલયને કારણે રાજકોટની ભૂમિ પવિત્ર તીર્થધામ બની – સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત રહે તદ્ ધ્યાન મહીં, પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વરતે જયતે. for Personal Finasto Use Jain Education international For Personal & Pilvastu Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Jan Edua on International For Perde Private Us Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ૭૯. દૃષ્ટિ થઈ અાત્મમાં | વિ. સં. ૧૯૨૪ની કાર્તકી પૂર્ણિમાના દિવસે વવાણિયામાં જન્મેલી દિવ્ય જ્યોતિ વિ. સં. ૧૯૫૭ના ચૈત્ર વદી પંચમીના દિવસે દેહદૃષ્ટિએ વિલય પામી, પરંતુ એ જ્યોતિએ પ્રગટાવેલો આત્મપ્રકાશ જગતની અનેક વ્યક્તિઓને ભૌતિકતાની ભીષણ દોડ વચ્ચે અને વિષમ કાળના વેગીલા પ્રવાહ વચ્ચે વિશ્રાંતિરૂપ બની રહ્યો છે. મુમુક્ષુના અંતરના અજવાળાંથી માંડીને સમગ્ર વિશ્વકલ્યાણ સુધી એનો પ્રકાશ રેલાયો છે. મહાત્મા ગાંધીજીની આધ્યાત્મિક તૃષા છિપાવનાર આ વિભૂતિ ન મળી હોત તો ગાંધીજીએ અન્યધર્મી બનીને જીવન ગાળ્યું હોત. એમ થયું હોત તો જગતને ગાંધીજીની અહિંસાનો પ્રભાવ જોવા ન મળ્યો હોત તેમજ યુદ્ધ, અશાંતિ, હિંસા અને વેર, લાલસાથી ઘેરાયેલા જગતને અહિંસાની અમોઘ શક્તિનો પરિચય સાંપડ્યો ન હોત. જગતને મહાત્મા ગાંધીજી પાસેથી પ્રેરણા પામીને શાંતિનું નવું સામર્થ્ય દાખવનારા માર્ટિન લ્યુથર કિંગ (જુનિયર) કે નેલ્સન મંડેલા મળ્યા ન હોત. આ તો થઈ બહારની દુનિયાની વાત, પણ વિભૂતિનો પ્રકાશ દુનિયાની એક જ બાજુને અજવાળતો નથી. એ મુમુક્ષુના હૃદયને પ્રેરે છે તો સાથે માનવીના જીવનને જીવવાનો અર્થ અને દૃષ્ટિકોણ આપે છે. વીતરાગ માર્ગ પર જામી ગયેલા રાગભર્યા વ્યવહારો અને આચારોને દૂર કરીને શ્રીમદે શુદ્ધ માર્ગનો પ્રકાશ આપ્યો. એમને કોઈ નવીન પંથ પ્રવર્તાવવો નહોતો. એમને તો વીતરાગપ્રણીત માર્ગને યથાર્થ રીતે દર્શાવવો હતો. એ માર્ગમાં પરસ્પરનાં શાસ્ત્રોનું સાદર વાંચન થાય, જુદા જુદા ફીરકાઓ વચ્ચે એકતા સધાય અને અન્યની સમૃદ્ધિ દ્વારા સ્વયંની અપૂર્ણતા દૂર થાય એવો શ્રીમનો આશય હતો. ' એમનામાં નાની વયથી જ માર્ગનો ઉદ્ધાર કરવાની જિજ્ઞાસા પ્રવર્તતી હતી અને તેથી જ મૂળ માર્ગ પર લક્ષ કરીને અને પરમ શ્રુતની આરાધના કરીને શ્રીમદે અવનિને એ અમૃત ફરી પાછું ધર્યું. જૈન ધર્મના સિદ્ધાંતોના નિચોડ સમા ગ્રંથો રચ્યા. એમનામાં કવિતા અને તત્ત્વજ્ઞાન એવા લય અને તાલ સાથે પ્રગટ થયા કે અગણિત મુમુક્ષુઓના અંતરમાં એનું અવિરત ગુંજન અદ્યાપિ ચાલ્યા કરે છે. શ્રીમદ્દનું જીવન સ્વયં એક સંદેશ બની ગયું. બાહ્ય ઉપાધિ અને પ્રબળ વ્યાધિ વચ્ચે જીવતા માનવીને માટે એ જીવન સમતાનો શીળો છાંયડો બની ગયું. એમણે ગૃહસ્થાશ્રમમાં રહીને આત્મકલ્યાણના ઊર્ધ્વ શિખરનો સાધનાપંથ બતાવ્યો. એમનાં વચનોમાં હૃદયપરિવર્તનની શાંત તાકાત હતી. એમના આત્મલક્ષી ચિંતનમાં બાહ્ય જગતમાં ભમતા માનવીને ભીતરમાં ખોજ કરવાનું આહ્વાન હતું. | ‘મતભેદ રાખી કોઈ મોક્ષ પામ્યા નથી,’ એમ કહેનાર શ્રીમનાં વચનો ભેદષ્ટિ કે મતાગ્રહ છોડીને આત્મકલ્યાણનો માર્ગ પામવાનો પડકાર કરે છે. શુષ્ક જ્ઞાન કે જડ ક્રિયાનો નિષેધ કરવાની સાથોસાથ સમર્પણશીલ ભાવયુક્ત ભક્તિને સર્વોત્કૃષ્ટ માર્ગ તરીકે દર્શાવે છે. “બીજું કશું શોધ મા. માત્ર એક સત્પરુષને શોધ” કહેનારા શ્રીમદે સદ્ગુરુનું માહાલ્ય બતાવ્યું. આત્મજ્ઞાન વિનાના ગુરુ તે સદ્દગુરુ નહિ એમ ભારપૂર્વક કહ્યું. શ્રીમના આવા ક્રાંતિકારી વિચારો અંગે એ સમયે વખતોવખત એમનો વિરોધ થયો હતો એ એમણે નિઃસ્પૃહભાવે સહ્યો હતો. શ્રીમદ્દનું વ્યક્તિત્વ જ વૈરાગ્ય-પ્રેરક હતું અને એમની શક્તિઓ અસાધારણ હતી. તેઓ એકાંતમાં રહી સ્વાધ્યાય, મનન અને ધ્યાનમાં સમય પસાર કરતા અને લોકસમૂહથી દૂર જંગલોમાં અને પહાડોમાં, નિર્જન સ્થળમાં કે વૃક્ષની નીચે ધ્યાન ધરતા હતા. જીવનમાં સંયમ, આહારમાં સાદાઈ અને સર્વ રીતે નિ:સ્પૃહી રહેવાની એમની વૃત્તિ એમના સત્સંગમાં આવનારને સ્પર્શી જતાં. For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જે વાપરતા તેમાંની કેટલીક વસ્તુઓ in Education intentional For Personal Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૮૦. એટલું જ માગું ! શ્રીમદે ‘મોક્ષમાળા'થી પ્રારંભ કરીને અનેક પદો અને પત્રોમાં એમણે વીતરાગ પરમાત્માએ દર્શાવેલા માર્ગને સાચો અને શ્રેષ્ઠ માર્ગ કહ્યો. તેઓના જીવનપર્યંત એમનો આ નિશ્ચય દૃઢ રહ્યો. આથી જ એમણે કહ્યું, “મંત્ર, તંત્ર, ઔષધ નહીં, જેથી પાપ પલાય, વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય, વચનામૃત વીતરાગનાં, પરમ શાંત રસ મૂળ, ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ.” શ્રીમા શબ્દેશબ્દમાં એ પ્રતીત થાય છે કે તેઓ અન્ય દર્શનનું ખંડન કર્યા વિના જિનદર્શનની શ્રેષ્ઠતા દર્શાવે છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. શ્રીમદ્ પાસે જાતિસ્મરણજ્ઞાન, સ્મૃતિજ્ઞાન, જ્યોતિષજ્ઞાન અને એવી કેટલીય શક્તિઓ હતી, પરંતુ એમણે આ અસાધારણ શક્તિઓને ત્યજીને આત્માના અમર પંથે ચાલવાનો સંદેશ આપ્યો. આમ શ્રીમદ્ જીવનવ્યવહારમાં આધિ, વ્યાધિ અને ઉપાધિઓનાં ચક્રમાં ફસાયેલા માનવીઓ માટે સુખનો વિસામો બની ગયા. બાહ્ય ઉપાધિમાં વધુ ને વધુ ડૂબતા જતા આધુનિક માનવીને માટે શ્રીમદ્ આંતરિક સમાધિનો સંદેશ બની ગયા. આડંબરો, વૈભવ-પ્રદર્શનો અને ઉત્સવો-મહોત્સવોમાં ધર્મ માનીને રાચનારાઓના હૃદયને ઢંઢોળનાર ધર્મોપદેશક બની ગયા. મતાર્થમાં ખૂંપેલા જ્ઞાનીઓને આત્માર્થ તરફ જવાનો સંકેત આપનારા બની રહ્યા. હિંસાથી સત્તા અને યુદ્ધથી સામ્રાજ્ય હાંસલ કરવાના નશામાં ડોલતા સત્તાધીશોને અહિંસાની અડગ અને પ્રબળ તાકાતનો અંદાજ આપનારા બની ગયા. જીવનના સ્થૂળ ભાવોની શબ્દલીલામાં રાચનારાને માટે આધ્યાત્મિક અપૂર્વ અવસર આલેખનારા કવિ બની ગયા. શ્રીમના જીવનનો પ્રકાશ જગત પર એવી રીતે ફેલાયો છે કે એમાંથી સહુ કોઈને જીવનની ઊર્ધ્વ યાત્રાનો વિરલ પંથ દૃષ્ટિગોચર થશે. આથી જ અનેક હૃદય એકસાથે બોલી ઊઠે છે “અપાર કરુણાસિંધુ એવા આપે અમ જીવો પર અનંત ઉપકાર કરી, જે જડ અને ચેતનનો ભેદ દર્શાવ્યો છે તે ઉપકારનો બદલો નમસ્કાર સિવાય બીજો શું વાળી શકીએ ? તમારા ચરણોમાં રહી દાસત્વભાવ પ્રગટે અને તમે જે નિજસ્વરૂપ દર્શાવી અનંત સુખ બતાવ્યું તે આનંદનો અવધિ અમે નિરંતર ભોગવતા રહીએ. આવા દેહ છતાં દેહાતીત સ્વરૂપે રહેલ જ્ઞાનીના ચરણોમાં અમારા અગણિત વંદન હો.” આજે શ્રીમદે બતાવેલો મૂળ માર્ગ મુમુક્ષુઓનો રાજમાર્ગ બન્યો છે. આવો, એ મૂળ ધર્મની ઉપાસનાની અખંડ જ્યોત આપણા હૃદયમાં પ્રગટાવવા માટે પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રને પ્રાર્થના કરીએ “હે પરમ કૃપાળુદેવ ! જન્મ-જરા-મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંતકૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમદ્ કંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યંત અખંડ જાગ્રત રહો એટલું જ માગું છું તે સફળ થાઓ.” ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ‘સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.' For Personal & Private Use Orily whine.Jainerary.org Page #177 -------------------------------------------------------------------------- ________________ લોકો ચાર|કાળઝી રિશીકા ચાણો, જેઠાણે ઝણઝર્ગો છે, તો JITTયોગો કMIકાર, સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુધ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખ સ્વરૂપ માત્ર એકાંત શુધ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ શો ? વિકલ્પ શો ? ભય શો ? ખેદ શો ? બીજી અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુધ્ધ શુધ્ધ, પ્રકૃષ્ટ શુધ્ધ પરમ શાંત ચૈતન્ય છું, હું માત્ર નિર્વિકલ્પ છું, હું નિજસ્વરૂપમય ઉપયોગ કરું છું, તન્મય થાઉં છું. શાંતિઃ શાંતિઃ શાંતિઃ કારણ આ કાર FOF Personal Private Use Only wwwBinalibrary.one Page #178 -------------------------------------------------------------------------- ________________ ક [ We tી. શ્રીમદ્ રાજચંદ્ર વિશે મહાત્મા ગાંધીજીનાં અનુભવવયુનો અહિંસા અને સત્યથી જગતને અજવાળનારા મહાત્મા ગાંધીજીના જીવનમાં આ પ્રકાશ પ્રગટ્યો ક્યાંથી ? બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધીમાંથી વિશ્વવંદ્ય મહાત્મા ગાંધી બન્યા કઈ રીતે ? અહિંસા અને આધ્યાત્મિકતાના એમનાં પ્રેરણાસ્રોત હતાં શ્રીમદ્ રાજચંદ્રજી. એમની આધ્યાત્મિક પ્રેરણાને સહારે ગાંધીજીએ રાજકીય, આધ્યાત્મિક અને સામાજિક ક્રાંતિ કરી. આવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સ્વયં કહે છે: મારા જીવન પર શ્રી રાજચંદ્રભાઈનો એવો સ્થાયી પ્રભાવ પડ્યો કે, હું એનું વર્ણન કરી શકતો નથી. હું કેટલાંય વર્ષોથી ભારતમાં ધાર્મિક પુરૂષની શોધમાં છું. પરંતુ એમના જેવા ધાર્મિક પુરૂષ હિંદમાં હજુ સુધી મેં જોયા નથી. યુરોપના તત્ત્વજ્ઞાનીઓમાં હું ટોલ્સ્ટોયને પ્રથમ શ્રેણીના અને રસ્કિનને બીજા શ્રેણીના વિદ્વાન સમજું છું, પરંતુ રાજચંદ્રભાઈનો અનુભવ એ બંનેથી ચઢેલો હતો.” GS - 1 પોતાના જીવનપંથને નવી દિશા આપનાર એ દૃષ્ટિ વિશે મહાત્મા ગાંધીજી એ પોતાની આત્મકથા ‘સત્યના પ્રયોગો'માં તેમજ શ્રીમદ્ રાજચંદ્ર વિશે વિવિધ પ્રસંગોએ આપેલાં પ્રવચનોમાં પોતાનો આદર પ્રગટ કરે છે. અહીં વીસમી સદીના સૌથી પ્રભાવક વ્યક્તિ એવા મહાત્મા ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્ર વિશે પ્રગટ કરેલા પોતાના અનુભવનું સંકલન કર્યું છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ For Parsonal Puvale Ustry Page #180 -------------------------------------------------------------------------- ________________ “મેં ઘણાનાં જીવનમાંથી ઘણું લીધું છે. પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય, તો તે કવિશ્રીના જીવનમાંથી છે.” = = = કોઈએ તે વખતે ગાંધીજીને સૂચવ્યું કે, “તમે રાયચંદભાઈને કેટલાક શબ્દો સંભળાવો અને એ શબ્દો ગમે તે ભાષામાં હશે તો પણ તે જ ક્રમમાં રાયચંદભાઈ પાછા કહી જશે.” ગાંધીજીને આ સાંભળીને આશ્ચર્ય થયું; એ પ્રસંગ વેળાની પોતાની સ્થિતિનો ખ્યાલ આપતાં ગાંધીજી કહે છે : “હું તો જુવાનિયો, વિલાયતથી આવેલો, મારી ભાષાજ્ઞાનનો પણ ડોળ; મને વિલાયતનો પવન ત્યારે કંઈ ઓછો ન હતો. વિલાયતથી આવ્યા એટલે ઊંચેથી ઊતર્યા. મેં મારું બધું જ્ઞાન ઠાલવ્યું અને જુદી જુદી ભાષાના શબ્દો પ્રથમ તો મેં લખી કાઢ્યા - કેમ કે મને ક્રમ ક્યાં યાદ રહેવાનો હતો ? અને પછી તે શબ્દો હું વાંચી ગયો. તે જ ક્રમમાં રાયચંદભાઈએ હળવેથી એક પછી એક બધા શબ્દો કહી દીધા. હું રાજી થયો, ચકિત થયો, અને કવિની સ્મરણશક્તિ વિષે મારો ઊંચો અભિપ્રાય બંધાયો. વિલાયતનો પવન હળવો પાડવા સારુ આ અનુભવ સરસ થયો ગણાય.” ગાંધીજીની શ્રીમદ્ સાથે પ્રથમ ઓળખ થઈ તે વખતની ગાંધીજીની સ્થિતિ વિષે પણ જાણવું આવશ્યક છે. એ વિષે ગાંધીજી પોતે જ કહે છે : “(શ્રીમ) પોતે હજારોના વેપાર ખેડતા, હીરામોતીની પારખ કરતા, વેપારના કોયડા ઉકેલતા; પણ એ વસ્તુ પોતાનો વિષય નહોતી. તેમનો વિષય - તેમનો પુરુષાર્થ – તો આત્મઓળખ – હરિદર્શન હતો. પોતાની પેઢી ઉપર બીજી વસ્તુ હોય યા ન હોય, પણ કોઈ ને કોઈ ધર્મપુસ્તક અને રોજનીશી હોય જ. વેપારની વાત પૂરી થઈ કે ધર્મપુસ્તક ઊઘડે અને પેલી નોંધપોથી ઊઘડે..... જે મનુષ્ય લાખોના સોદાની વાત કરી લઈને તુરત આત્મજ્ઞાનની ગૂઢ વાતો લખવા બેસી જાય, તેની જાત વેપારીની નહીં પણ શુદ્ધ જ્ઞાનીની છે. તેમનો આવી જાતનો અનુભવ મને એક વેળા નહીં, પણ અનેક વેળા થયેલો.” * * * ઘણા ધર્માચાર્યોને મળવાનો પ્રયત્ન મેં કર્યો છે. પણ જે છાપ મારા ઉપર રાયચંદભાઈએ પાડી તે બીજા કોઈ નથી પાડી શક્યા. તેમનાં ઘણાં વચનો મને સોંસરાં ઊતરી જતાં. તેમની બુદ્ધિને વિષે મને માન હતું. તેમની પ્રામાણિકતા વિષે તેટલું જ હતું. ને તેથી હું જાણતો હતો કે, તેઓ મને ઇરાદાપૂર્વક આડે રસ્તે નહિ દોરે ને પોતાના મનમાં હશે એવું જ કહેશે. આથી મારી આધ્યાત્મિક ભીડમાં હું તેમનો આશ્રય લેતો.” - a sk 8: આપણે સંસારી જીવો છીએ, ત્યારે શ્રીમદ્ અસંસારી હતા. આપણને અનેક યોનિઓમાં ભટકવું પડશે, ત્યારે શ્રીમદ્દને કદાચ એક જન્મ બસ થાઓ. આપણે કદાચ મોક્ષથી દૂર ભાગતા હોઈશું, ત્યારે શ્રીમદ્ વાયુવેગે મોક્ષ તરફ ધસી રહ્યા હતા. આ થોડો પુરુષાર્થ નથી. Page #181 -------------------------------------------------------------------------- ________________ હિંદુ ધર્મમાં મને શંકા પેદા થઈ તે સમયે તેના નિવારણમાં મદદ કરનાર રાયચંદભાઈ હતા. * * * તેમની સાથે તો મને સરસ સંબંધ બંધાઈ ચૂક્યો હતો. તેમના પ્રત્યે માન હતું, તેથી તેમની મારફતે જે મળી શકે તે મેળવવા વિચાર કર્યો. તેનું પરિણામ એ આવ્યું કે હું શાંતિ પામ્યો. હિંદુ ધર્મમાં મને જે જોઈએ તે મળે એમ છે, એવો મનને વિશ્વાસ આવ્યો. * * * આ સ્થિતિને સારુ રાયચંદભાઈ જવાબદાર થયા, એટલે મારું માન તેમના પ્રત્યે કેટલું વધ્યું હોવું જોઈએ તેનો ખ્યાલ વાંચનારને કંઈક આવશે. તેમની ચાલ ધીમી હતી, અને જોનાર સમજી શકે કે ચાલતાં પણ પોતે વિચારમાં ગ્રસ્ત છે. આંખમાં ચમત્કાર હતો : અત્યંત તેજસ્વી; વિહ્વળતા જરાયે ન હતી. આંખમાં એકાગ્રતા લખેલી હતી. તેમના કંઠમાં એટલું બધું માધુર્ય હતું કે તેમને સાંભળતાં માણસ થાકે નહીં. ચહેરો હસમુખો ને પ્રફુલ્લિત હતો. તેની ઉપર અંતરાનંદની છાયા હતી. | * * * પોતાના વ્યવહારમાં સંપૂર્ણ રીતે પ્રામાણિકપણું જાળવતા એવી મારી ઉપર તેમણે છાપ પાડી હતી. તેઓ સોદા કરતા તે વખતે હું કોઈ વાર અનાયાસે હાજર રહેતો. તેમની વાત સ્પષ્ટ અને એક જ હતી. ‘ચાલાકી” જેવું હું કંઈ જોતો નહિ. સામોનાની ચાલાકી પોતે તરત કળી જતા, તે તેમને અસહ્ય લાગતી. એવે વખતે તેમની ભ્રકુટી પણ ચડતી, ને આંખોમાં લાલાશ હું જોઈ શકતો હતો. | ક દ ઃ એવી પણ માન્યતા જોવામાં આવે છે કે, ધાર્મિક માણસો તો એવા ભોળા હોય કે તેને બધા છેતરે. તેને દુનિયાની બાબતોની કશી ખબર ન પડે. આ બરોબર હોય તો કૃષ્ણચંદ્ર અને રામચંદ્ર બે અવતારો તે કેવળ સંસારી મનુષ્યોમાં ગણાવા જોઈએ. કવિ કહેતા કે જેને શુદ્ધ જ્ઞાન છે તેને છેતરવો અશક્ય હોવું જોઈએ. * * * માણસ ધાર્મિક એટલે નીતિમાન હોય છતાં તે જ્ઞાની ન હોય, પણ મોક્ષને સારુ નીતિ અને અનુભવજ્ઞાનનો સુસંગમ જોઈએ. જેને અનુભવજ્ઞાન થયું છે તેની પાસે પાખંડ નભી જ ન શકે. સત્યની સમીપમાં અસત્ય ન નભી શકે. અહિંસાના સાન્નિધ્યમાં હિંસા બંધ થાય. સરળતા જ્યાં પ્રકાશે છે ત્યાં છળરૂપી અંધકાર નાશ પામે છે. જ્ઞાનવાન અને ધર્મવાન, કપટીને જુઓ કે તરત તેને ઓળખે અને તેનું હૃદય દયાથી ભીનું થઈ જાય, જેણે આત્માને પ્રત્યક્ષ જોયો છે તે બીજાને ઓળખ્યા વિના કેમ રહે ? * * * આત્માને મોક્ષ દેનાર આત્મા જ છે. આ શુદ્ધ સત્યનું નિરૂપણ રાયચંદભાઈએ ઘણી રીતે પોતાનાં લખાણોમાં કર્યું છે. રાયચંદભાઈએ ઘણાં ધર્મપુસ્તકોનો સરસ અભ્યાસ કર્યો હતો. તેમને સંસ્કૃત અને માગધી ભાષા સમજતાં જરાયે * * * Page #182 -------------------------------------------------------------------------- ________________ મુશ્કેલી નહોતી આવતી. વેદાંતનો અભ્યાસ તેમણે કરેલો, તેમ જ ભાગવતનો અને ગીતાજીનો. જૈન પુસ્તકો તો જેટલાં તેમને હાથ આવતાં તે વાંચી જતા. તેમની તે ગ્રહણ કરવાની શક્તિ અથાગ હતી એક વખતનું વાચન તે તે પુસ્તકોનું રહસ્ય જાણી લેવાને સારુ તેમને પૂરતું હતું. * * * મારી સાથે ચર્ચા કરતાં મને કોઈ દિવસ તેમણે એવું તો કહ્યું જ નહિ કે મારે મોક્ષ મેળવવા સારુ અમુક ધર્મને અવલંબવો જોઈએ. મારો આચાર વિચારવાનું જ તેમણે મને કહ્યું. * * * રાયચંદભાઈ ઘણી વેળા કહેતા કે જુદા જુદા ધર્મ એ તો વાડાઓ છે. તેમાં મનુષ્ય પુરાઈ જાય છે. જેણે મોક્ષ મેળવવો એ જ પુરુષાર્થ માન્યો છે તેને ધર્મનું તિલક પોતાને કપાળે લગાડવાની આવશ્યકતા નથી. ધર્મના ઝઘડાથી તેમને હંમેશાં કંટાળો આવતો, તેમાં ભાગ્યે જ પડતા. બધા ધર્મોની ખૂબીઓ પૂરી જોઈ જતા ને તે તે ધર્મીની પાસે મૂકતા. દક્ષિણ આફ્રિકાના મારા પત્રવ્યવહારમાં પણ મેં તેમની પાસેથી એ જ વસ્તુ મેળવી હતી. * રાયચંદભાઈની દૃષ્ટિએ તો કોઈને પોતાનો ધર્મ છોડવાની આવશ્યકતા નથી. સહુ પોતાના ધર્મમાં રહી પોતાની સ્વતંત્રતા એટલે મોક્ષ મેળવી શકે છે. કેમ કે મોક્ષ મેળવો એટલે સવશે રાગદ્વેષરહિત થવું. છતાં આટલી સ્મરણશક્તિ, આટલું જ્ઞાન અને આટલું તેમની આસપાસનાઓ તરફથી માન. આથી હું મોહાયો, સ્મરણશક્તિ નિશાળમાં નથી વેચાતી. જ્ઞાન પણ નિશાળની બહાર જો ઇચ્છા થાય - જિજ્ઞાસા હોય – તો મળે અને માન પામવાને સારુ વિલાયત કે ક્યાંયે જવું નથી પડતું, પણ ગુણને માન જોઈએ તો મળી રહે છે, એ પદાર્થપાઠ મને મુંબઈ ઊતરતાં જ મળ્યો. - કવિની સાથેનો આ પરિચય બહુ આગળ ચાલ્યો. સ્મરણશક્તિ ઘણાની તીવ્ર હોય, તેથી અંજાવાની કશી જરૂર નથી. શાસ્ત્રજ્ઞાન પણ ઘણાને જોવામાં આવે છે. પણ જો તે સંસ્કારી ન હોય તો તેમની પાસેથી ફૂટી બદામ પણ નથી મળતી. સંસ્કાર સારા હોય ત્યાં જ સ્મરણશક્તિ અને શાસ્ત્રજ્ઞાનનો મેળાપ શોભે અને જગતને શોભાવે, કવિ સંસ્કારી જ્ઞાની હતા. - જે વૈરાગ્ય ‘અપૂર્વ અવસર'ની કડીઓમાં ઝળહળી રહ્યો છે તે મેં તેમના બે વર્ષના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોયેલો. તેમનાં લખાણોની એક અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું તે જ લખ્યું છે. તેમાં ક્યાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારુ એક લીટી સરખી પણ લખી હોય એમ મેં નથી જોયું. તેમની પાસે હંમેશાં કંઈક ધર્મપુસ્તક અને એક કોરી ચોપડી હેલાં જ હોય. એ ચોપડીમાં પોતાનાં મનમાં જે વિચાર આવે તે લખી નાખે. કોઈ વેળા ગદ્ય ને કોઈ વેળા પદ્ય. એવી રીતે જ ‘અપૂર્વ અવસર’ પણ લખાયેલું હોવું જોઈએ. ખાતાં, બેસતાં, સુતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તો હોય જ . કોઈ વખત આ જગતના કોઈ પણ વૈભવને વિષે તેમને મોહ થયો હોય એમ મેં નથી જોયું. # # # (NCPSP(>(BY SPIC I૧૮૧ પા >$$)ZZZ®L$>$$$' Page #183 -------------------------------------------------------------------------- ________________ તેમનાં લખાણોમાં સત્ નીતરી રહ્યું છે એવો મને હંમેશાં ભાસ આવ્યો છે. તેમણે પોતાનું જ્ઞાન બતાવવા સારુ એક પણ અક્ષર નથી લખ્યો. લખનારનો હેતુ વાંચનારને પોતાના આત્માનંદમાં ભાગીદાર બનાવવાનો હતો. જેને આત્મક્લેશ ટાળવો છે, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે તેને શ્રીમદ્દનાં લખાણોમાંથી બહુ મળી રહેશે, એવો મને વિશ્વાસ છે, પછી ભલે તે હિંદુ હો કે અન્યધર્મી. *** - શ્રીમદ્ રાજચંદ્રે મરણકાળે અસહ્ય દુઃખ ભોગવ્યું, પણ તેમને તે દુઃખનો વિચાર નહોતો; તેમને તો તે વેળા ઈશ્વરદર્શનની જ તાલાવેલી લાગેલી હતી. આજે મારી જિંદગીમાં વિનય સાથે કડવી વાતો સંભળાવવાનો મારે પ્રસંગ આવ્યો છે, ત્યારે એવા શ્રીમદ્ રાજચંદ્રનું સ્મરણ કરીને તેમની અહિંસાની સ્તુતિ કરીને હું સદ્ભાગી બનું છું. જે વસ્તુ આત્માને દૂધ જેવી દેખાય છે તેવી જગતમાં કોઈનો પણ ડર રાખ્યા વિના પ્રગટ કરવાની શક્તિ આપણે એ પુરુષના સ્મરણમાંથી આજે મેળવીએ. ડર એકમાત્ર ચૈતન્યનો રાખીએ; ચોવીસે કલાક, રખેને એ હંમેશાં ખબરદારી કરનારો દુભાશે તો નહિ એવી ચિંતા રાખીએ. રાજચંદ્રના જીવનમાં તેમની અનંત તપશ્ચર્યા શીખીએ, અને જે અનંત તપશ્ચર્યાને પરિણામે તેઓ ચૈતન્યની જ આરાધના કરતાં શીખ્યા તે સમજીએ, અને આપણી અલ્પતા વિચારી બકરી જેવા રાંક બની, આપણામાં વિરાજતા ચૈતન્યને વિચારી સિંહ જેવા સમર્થ બનીએ તો જીવનનું સાર્થક છે. ***** એમના જીવનમાંથી શીખવાની બે મોટી વાતો તે સત્ય અને અહિંસા. પોતે જે સાચું માનતા તે કહેતા અને આચરતા. અને અહિંસા તો તે જૈન હતા એટલે અને એમના સ્વભાવથી એમની પાસે હતી. આજ અહિંસાની પ્રાકૃત સમજ જૈનોમાં છે – કે નાનાં જીવજંતુ ન મારવાં વગેરે – એટલેથી જ એમની અહિંસા સમાપ્ત નહોતી થતી. એમને તો મનુષ્યને કાંઈ પણ દુ:ખ થાય, તો તેથી પણ દુઃખ થતું. અને તે એટલે સુધી કે ઘણી વાર એમને સંસારથી વિરક્તિ આવી જતી. = વિરક્તિનો ગુણ એમના જીવનમાં પહેલેથી જ જોવામાં આવે છે. ૩૩ વર્ષની નાની વયે એ ગુજરી ગયા. ૧૭-૧૮ વર્ષની ઉંમરનાં એમનાં પદોમાં આ વૈરાગ્યભાવ દેખાય છે. અને તે ઉંમરે એમણે ત્યાગતિતિક્ષાનું જીવન ગ્રહણ કરવા તાકેલું. ત્યારથી એમનામાં આ વૈરાગ્યવૃત્તિ રહેલી હતી, જોકે ગૃહસ્થાશ્રમ અને વેપાર લગભગ અંત સુધી એમની પાસે રહ્યાં હતાં. પણ વૃત્તિથી તે વૈરાગી હતા. એમના જીવનમાંથી ચાર ચીજો શીખી શકીએ : (૧) શાશ્વત વસ્તુમાં તન્મયતા; (૨) જીવનની સરળતા; આખા સંસાર સાથે એકસરખી વૃત્તિથી વ્યવહા૨; (૩) સત્ય અને (૪) અહિંસામય જીવન. મરણ પૂર્વે થોડાક અગાઉના પત્રો મેં જોયા છે. આ વસ્તુઓ તેમાં પણ મેં ભાળી છે. એ વસ્તુ આપણે સ્મરણમાં રાખીએ અને જીવનમાં પણ અનુકરણ કરીએ. ॥૧૮૨૫ Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ જે વૈરાગ્ય અને સંસારની અસારતા માટે પુનઃ પુનઃ બોધ કરતા તે વૈરાગ્ય કેટલો મહત્ત્વનો છે તે આજે એક અકસ્માત ઉપરથી બહુ સારી રીતે જણાઈ આવે છે. પી. ઓ. કંપનીની મોટી સ્ટીમર ‘અરેબિયા’ સમુદ્રમાં અદૃશ્ય થઈ ગયાના ગમગીની ભરેલા સમાચાર આજે છાપામાં વાંચવામાં આવ્યા છે. એ સ્ટીમરમાં હિંદના એક રત્ન રતન તાતા અને મિ. જીવરાજ મહેતા જેવા સમર્થ પુરુષો હતા. તે પુરુષોનો કોઈ પત્તો હજુ સુધી મળ્યો નથી. આખું ભારતવર્ષ તેમની ચિંતાથી આજે ગમગીન થયું છે. જે પુરુષો ગુમ થયા છે તેમનાં કુટુંબોમાં કેવી દિલગીરી વ્યાપી હશે, તેનો આપણે ખ્યાલ કરી શકતા નથી. શ્રીમદે પોતાનું જીવન પરમ વૈરાગ્યમય ગાળ્યું હતું. અને એ જ જીવન યથાર્થ જીવન હતું એવો આજની આકસ્મિક ઘટના ઉપરથી આપણને નિશ્ચય થાય છે. * * * જેમનું પુણ્યસ્મરણ કરવા આપણે આવ્યા છીએ તે દયાધર્મની મૂર્તિ હતા. તેમણે દયાધર્મને જાયો હતો ને પોતાના જીવનમાં કેળવ્યો હતો. તેઓ ઘણી વાર કહેતા કે, ચોપાસથી કોઈ બરછીઓ ભોંકે તે સહી શકું, પણ જગતમાં જે જૂઠ, પાખંડ, અત્યાચાર ચાલી રહ્યાં છે, ધર્મને નામે જે અધર્મ વર્તી રહ્યો છે, તેની બરછી સહન થઈ શકતી નથી. અત્યાચારોથી ઊકળી રહેલા તેમને ઊકળી જતા મેં ઘણી વાર જોયા છે. બીજું કાંઈ શોધ મા. માત્ર એક સપુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. Page #185 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર te 44 เนยเน เน 18 ปี ท์. 0 31: 3, 4 Mach3t เเ% ที่ ภูเ“ ที่ 44 8 6 4 9 5 1 หiๆคน คิง 26 14ะ 2-ห้เศร์ 36 *, น1 เSh, 66 42 31 แs Ah ทเทเ เ ท 33 • et เคี 449 81 42 +2 เG (โ«(3 thเผ6, 41 4313เเ$ ใ -12ซเดน ye (9 % ทฯ เch44 high ผs gt เทเติฯ 42 หน 8 เจเน” ห8 x ๆ ฯลฯ, 1 เสตเจิตุขเสี ซY2แปี โม 3ใ+1เy 6 ศเหน ๆ ตเจุใด แ9 , 313 สิงๆ e\ (ชิ เ NC + 44 ใน 13ๆๆ โจน ใส, 4 M - 4 สิงหเ ( 44 9 4งๆ รจเHz ใจเจน (M หี หงส์จน คนหาง 4 จ4 ทริดเจล 5. Nษ เM & ติ ด ต huu with an 1 - Page #186 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું ૯૯ વતનની 3 છે, મત જ ૬૮ મ નૈનાદાને છે. આ ગામ મજા છે. મળ્યુ છે h આ તા ૧૫ રે ! છે. તે કુર્ગાપણું Set ની એવ ૨૧ સ્ક્રૂનાનક હતો તે છે, રૂતિ વિશેષ સંબંધતિ) વુલ૧ - છે. મા કેવું છે – મળો 3 ભગાન - ભટ ૧ ૧ ૧ ૧ હૈ, ન જા૨ દેશો યુ` છ મોજું- આા તોા છે. જે>v$ છે તે તે શર્ન ળ છે. બિથુન, કુંજ वामां आवे तेज भोग कथामा आये भेोबोध યુગ કે ભિખાયજનુંળ ૬૨ વલ્ભ ૨૩૨નું ફેળ, મસ્કાળ સં કું×ળકને -~ }ભ ( તું એમ બના દેતું ન તેમ દુષ્ટ? કે પૃથ્વી – ગું પક્ષા પક્ષને ા તાળી તેનું બ પ મમાં તપ છે. – તે નાનો hd શ્રી જાડુ છે. તે પાંગળું પદ - મોક્ષ ખ. > આ નળને દુર્ણનું ડુાં હું તરૂ હો ભોલું ભરૈખ પાં ર છે. તેમણે તન્મસી ને તેના ટૂંકી તેનું કંદરાં મ સ્થાન નું ર. ઉપાય છે. નિતીનહી – n/e@ તે શું ટળ૧૯ F કુજ માનું તીરહું પશ્ર્ચિમ-પાક ક ત્ છે,તેજાબ પો – ૧૯ છે તે બંધ જા ૧૯ મ ૧૬ના ભોગ હોમમા ૦૧ નો ભત્તમ ૧પ છે. ૬૦ ૬- તે તો ઉપભ છે. (11 3 મ ક્ષેત્ર 40 7 એમ જે તેને નિવૃત્તિ હું શો વાં અને ની પણ પ્રબંધ ભાવ મથાળા એક સાથે નિકા નામ ન જાય મન પ્રીત છે. જાનના જ Gબંધ પળ કામ છે. હૈયબ મળે *}***** *_1 7K # # ૫૧૮૫ ॥ Page #187 -------------------------------------------------------------------------- ________________ - - MATERTA५५ (१८. सna Mitain७५ A rthi contaiheA- 10494-1८ विमा that.124.1 13५ NOLLA04. 11444280 Michihi की D. am Sort Mitta - ५२१२२ (३५.५ से ७५ो (ART M३५ ck-a 8 th ờ. 448 44 545 AA CHOnोको aatnima -incomad५ GAAP .3. 2 014 tamannauj-३५ोरी ५PARAaw-tani24. 12414१ . a. Al-MA MAMAgad f xn1422448 ( ७- ५-MEE24 Miantited 20017 ngmahi 2140mAhmशले SMART ५५-M240-5017-MHARAN ५२१MMAR10. विनाशमान HAGRAMGendij+Marke man, to CHARArchurjariat ३. 0 t0-2020040. ५६. Rashmi ५२॥ 44 MucatAMATA 2-42 14. MS -26 MARAL0-140 mik. onak-400 M ARun Unit सर-2- 4300-MR4ut TRENDog me 4115120-AAP१३ २१२ २०११chi re Machrmeet200 16tR7t4 व en Page #188 -------------------------------------------------------------------------- ________________ 20ks Tuki ७५ nिdent Pri4 Mayadhisarta Panchan303024444444र Cnticate Of20-2441 ASTAIR sniqi anagra ozun ohithet au M2015- ५२ate भी ahechni d iy mvashi thorituRIT MAHAN 2017 INCOMmsat Ind-thi Minon. 10.2 सभी 6 RAMR३५० SAMha.44f1cm. Phot 20052 0MPLE+DEAT ------ ३५८ १५.. जीर 13 न01131 Corshuni Ageet / and Thd }91525 - (424.२६२४ an. 2400574061.4 2014 - 0 7 -111 chita:६२५1227.2 १२. २ ८ -hit histind iya011 AIMIM.Painthi ॥१८७॥ For Personal Page #189 -------------------------------------------------------------------------- ________________ Page #190 -------------------------------------------------------------------------- ________________ watch दि. PALAPAROORDARSHA N Jain Education Intamational For Persorial spliedo Page #191 -------------------------------------------------------------------------- ________________ | Mા : રિ, હ. રે 3 સન ... ઉના, રમે ૬:ક અનૈત, જ ન તે ૨૬ ૧૬ - શ્રી રે 3 mગ જૈન ૧ કરૂં તાન કાળ, nત મા [ બહુ ૬, "; ૨હત દે છે કે, ', જિનમ રે જગજા ન ઃ ૫૯ એ બે કિના , , મને A થી૧૨ ૧, જૂળ દે? ને ના મૈન, ૨૩મને જ ૨૬ ના. ૨૧ 115 3 ને વિનમને, લાજ લહે ને ! 'હજો દિન ૬ ર્મ કે રાજ્યનાં દર. ૧૧ હમ 3 જજ છે, તેમને જિ. ૨, હૉમ. ૧ લાખ જશે, અને તે નિર્ધા ૧ ૨૧ હરેન un R હો, , , લાલદર વૈના૬િ ૧et, M૨ કુલ નિ પહૃ. ૨૩ ફાઈ ત્રિમ - સર્વ પ્લા, 4ષ્ટ્ર ના નn tઈ h, ને કે તે તદ થa , 3 dat હ ર ને 3 બાહ ઝિન , અંn જે ૧ ઈ. શળ શાસ્ત્ર ની રેમ વા, તેર માનું ના ઈ: ૪ ઇછે 1&ળા, લાળ નાં છે, - તૉઇ ૮૧ઢ, ગ , ૨૩e 5 શt ૧ મોર . ૧૪ મૈને ડિ ૨૦{ળ છે, જે જામશાન, છેn» »ા ૧૬ શાની, ના કિનાં દાન. ૬ ત્યા ૧૫ જિના ૧ ૧nt , , , તેને શાન, અય છે ત્યા રિને મ માં , ૧ જૂલે ન જડનઃ ૩ - નૂ ને રે નોન છે. વહાં કે - હેe , મે « ને તે Mા મરે, સ્પા ર૦ ીિ ~૨. ૮ ૧૦ કે ૧૧૬ મ રેહાન, ૧ી ઇ નિ-૬૪, હા એ છે કે મને. *િ ૨૬૧ લે લ હ. ૯ જામ શાક સમન્વ વિસરે 63મક , - અર્થ બી દેતન ઝુ0, ૨૧૬ પુરે લg, ક. ૧૬ In ૧૦ લિટર : બહેન ના પહ૮ શાન ૧૨, તે ધુર ૨૨, અ.ન નિષ્કુળ: ૧, 193 મr 207 જે ત્નિ ડેકn at ને, રેત જ નેતા જિજૈ, ૨૭૧ રેલ કને ળિ૬, ર૬ ૨હે છુ . ૨૪ ५.२०६३ni, २५ અ ૧૧ ૬ ૩ ૨ ને 4 ૮ , ”િ૧૮* ગુકિય ૨૬ ૨૪ તાતિ જો મ, ૧૧ ૧૧૪૧, મને નિન્મ વૈદન, જA દ. 9 ઉો ૧૮૧ .૭ ૮૧ઈકુ -બરૂદ ૧ વૃત્તિ, અર્ક શn જળ, નહીં દેવ માને, જો ઉa મ.. ૨૮ ૧, ભ, નિન .પ્રદે, ળ કાબૂત માં, લોર લેતા નજ૮૮ ૨૧, ૨પ૦ ૮૧૧ . 2૯ શા નરે, હમેં નદી, રસ દળ દુર્ત ન ફળ, હને ૧૧ મે 2ા છે, જે 4 જજ માં રે. 3. * * હા જ 10 માં, નિ~મા ના , ને નાદ ૨ાજે, મન અધિકારીતા. 31 ૪ ૫ ૬૬ ૨. તત, ન અંAિ વૈયા ૧, ન નીવા, ઓ માનિઝમ, ખે લ મ વિના, ૯૦ ૧ ળ ૬૧ , ૨ ૧૧ y3ના ઉk Lજૈ જહા જ મુકે ન 8િ , સ ખ્યાજહુ ઉપYA Bછે, તમને અને ૧-૧ ? ૨ 12 ann a wદસ્તત્વળ , ૮ ૧૩૪ બcપ 61 ૨૧ ૦૩૨ મો મારિ, મ મ ૧ ૨૪૧. ૨૩ અબ ૧૮ ૨૧3ને કહેતાં , જે આજના ૮૧ , તે છે કિમ્ કા જૈ જ , ડેરી માં ૧૨ ૧૪ અજ રજ છેદ ૧૨, શા છે આથી તt, રમા એક અK 1 છે, જા બે ગ્નિ , ૧૪ બરબ8 ૨૧૬ઠ્ઠ કોr), ૨-૨ છંદ છે , જન્મ ઉપદકે માજ, ન મે' મ મ મ. ૧૬ ૬, ખત જીત ૮ ૧૪, બન્ને લk, 15 તેને સારું બધું, શું ઝહી &. ૨ ૩ ના ના ૬૬ શબૂ મe , નિર છે ન મ ગ, જાતાં ૨૦૬ ગ ૨ ૨ ૨૮, M% કમસે કે૧૮ લહો માં તવાના, મ ક ભા કુલ ઇ લે ૬ નું છારાન, , ન nv મુળ , | Mા તનt શું લઠ્ઠ (ht. નામ શ૮૧ માં મુજ હતું, જે ૧૧, મા છંછે. દે, બા 1 3ળ હૈ. ૬૦eળા, આદ« નારે નૈકે. ૩ જ ખ - ૧૧ ts કાજે, ૨૨ત %84, તો એક મૈત, *, બળા નર અને ૧૮ Page #192 -------------------------------------------------------------------------- ________________ દ. ૧ ૧ણે વેદ ને, જો ન ઈ & દાણા, Aત્મા ને શ–વા છે જે ૮ કલર નgt« ૪૩ ૧૧ પ૧-ક છે, ના ૧૨૬૮ , કમ ટે ૨૬ જૈનગ્નnકે, ને ૮૪ ૧૧ - I nકે હો કat 5ળh, na૬૦ પંદ, ૩ ૧ ૨ ને, તે દ૨ ૨૬૧ ૨in. ૧૬ એમ ક રી છંતરે રોકે ૨૪૭ હૈયદ, કામ મેં 0ાઈ, ઉશ્વને નર ના વદ- ૩૭ જhી ૧૧, તા જિ બાજુ જજે 5 કહળદર, શ્રામજનજા . 3 ૮ 2ઠા જોશી નાં , ન લટે નઈ તેમ, તો ના £ k૬ નહીં, દે ન સ્વંતત્ર + ૩૯ સ્વ ન્મા એ ઐ સન્મ બોર્ડ દ્વ, છે જોકે શત્રુ વિમા ૧૯u, #ાટે સુલ કે. • નાં બ9 દે ૨a Rહ, ત્યાં કા ટે નસાન, જે શાને ન કદ , ૧૮નિ હ૪, ૪૧ છે તે સુ કિકા૨ હઠા મહત્તમ ૧૧૧૧, ઉરે ઉષ્મ , ભજું કટુ (રે.. atch છે તે નેસ્ત છે, જે કુર્તા ને જળા ૨જ તેજી છે, ઉદન ૨૬ર્ક. ૪૩ ૪૮ ૧૬ ૨ તેજ , દર્શન .@. જેe . રન kahe6ને, ૪હત નો નેહ - જન ૫૮, ૨૮ અઢી નહ! 9, ૧ તેને ના ને, ના નાતે માન નહ, હદે ૬ ૨૧ ૨૪ ૯૨ % જ દેદન, મૂળ દેહ નથ૬, ૮ હમ ને સ્પામર, ધો ૧ શ્રામ વિશ્વ સેવનનો નિ છે. કેરળ કાઢવા કે હું ધા ને થર્ટી , ભલે કુળ જ જા૧. «ા ન ૧ કે ૨, menu , #ા નો ;૧ના૨ છે, અન્ય રે- માદ. ૧૮ વાત્માનાં સ્વરૂત્વજા, કકું ને, જાજ તેને ન છે, ૧ કિ . ૪૮ nક કે કામ માં, જા નહીં * ક્રિક, ૮ પ« ઉછે, દેદ વિનોદે ના ૨- ૬ મજા કરૂં ?cળ છે, પલટકે, એ ન જૂન & ક નઈ, ઝch કિને નાકે. ૬ ૧૧૬ કષ્ટ n h૨૦, જણાવું 3, બીજો ૨ અનુત્તર નહીં, તે ન જરૂદ- ૪ 1૧૮ દ » ના ૧૬, અક જ ઈદ4મ, ક્ર, hદ, દો hદન, ૧૨ જૂહું એk૮૭. તેમ તો, જપમ લેનાર છે? હા ને ૧ ૧ ૧, ૨૮ ૨૨ ૧. 6 : ૭ છે M૧ કે ૨ Anહે, સમ નજદે ૨૧કુદ4જ૮ તમાળ, ૮૮ મe 23 દે છે, કબ હૈરી ન ૨૧ ૧.૧ હુસન બેન, ફૉના અજુન જ જા કે. એક અજુ નજર એ હજ હલન નું જ્ઞાન. છે તે ૬ કિના, કે ફે મેં જા.૧૯ ૬૩ છે મોકો બને ખજુરજર્સ: ઉ૫રે નટિ સંભોગ, : Page #193 -------------------------------------------------------------------------- ________________ ર ૨ %ઉસ, 3-7 ના જ ૮, રહે. તેના ૧૨ મો , જીભ ફળ ઝનૂન ૨૯ જમાન છે દ. ૮૭ ૨૩ જ કરે {ળ જશે, જct 20 ni k, ન કરે છે ફૂળ , 3M કહીવન માં ૮૮ ( ૨૧મદિન. સભાન રોગ ૨૩૧૮ ૨૩ જૂ {kt, m૦ મા સળ બhes, તેમ નિવૃત્તિ કેળવા, મટે ૩ ૧( ૮૯ થી 3ળ જળ છે, મને ૨,૧૨૩ જાજ, જે. ૨૩ શા ત , ઉ૬ મો ૧ આ જાજ. ૯૧ તેને ગળે, ત્રં ળિ! કિમ, ૧ નાં ૨ ૧ , નિર્ભ અનંત સુખ જેરા. ૯૧ ૨૩. 5ઉલમ. ક - ૦૮ - ૬ર્મન, MP 3-7 કુર્મ; અજા ૨૧૭ - ૧૭ ૬, 3 જજ જે કર્મ ૭૧ Ach ૬૮ ને, દરે કલ બ4, , ઈશ્વર ૨૧, , અંજળબંધ ૭ 2 nāત ઉદાનો , કોઈ ન પાકે હું ૯૬ 37 ૨ હતું કે નહિં, કે નારે જ . ૭૩. ૨૧૬ ૨૧ હોમ ૧ યુન- કે ૨૧૮ , રોહા . , ડળ જ નહિકે રાડ, જુએ ક્રિયા થી. મM - ૭૪ ને કેતુન ૨૬ નળ, ન જ ક્યાં છે M, ( સ.- ૨-૨તાદજ નહિ, તે નર ૧૬F. ઉદળ હેત ને, જા -૧ ૧ને નડે ૧૨ આ સંમ છે ' રેકા ૧, ૨૯ નિ જાને નમઃ ૭૬ 5 sઈસ કોઈનારિ, ઈશ્વરે ૨, રૃા., કથા છે? જો અહમ, ઈ ૨હકળ ૧ ૭૭ એ૧ ને ન- ા નમાં, 7 રંજા જ, ના નto જ ', sળા ૧, ૩૮ | ૨૮ | શિષ્ય ઉજક, એ જ રૂમ નં ૬૮, ૯૦૮ જોn૮ નહ સોકે, ૨૬ ૨૧ ભs 3 , { ૧૨૮૨૧/ M હૉમ. ૩૯ ૩ ૧૬૧ ઈશ્વને બહ; જા રૂ ૨હતું ૨૧ ૧; Mળ કહે ડઈ ૧૧, ઈશ્વ૨ ૨૯૪ ૧૧. ( * ઈશ્વને રિ ... ૧૧ નળા, ૧ tત્રકમ નર હh: જી રજા ૨ મન, ૧ ચમન ઈ જ. ૮૧ ' ન ૧૬ ૦૩૨ જજ કે. જા જ નિ= ૩૬ ના, નટે એનર્જ, ઝર જી રૂ ૨૭ , ૦૧ ૮૯૫ ફરે નુક્ર. ૮૨ ભેર ફંકટ ચેતન કે નહી , બ્રજ બને કે, ઓન ૩જા ૨૩ જ કુમવું, જા જા Yહ્યું કે, હમ ૬૬ ઠ્ઠી ક્ષ૬૬, નર અટક , ઉદ૨ કુમો કુળ અનંતન, ૨૪ છે જ છે'. 2. *પ્રથા 10 નબet , દે છે અને 3; તેના ૧૧ ૨૧ મો , કે ન ખેદ વિજે!, ૯૩ ઉમા 6િમાં નોકત છે મા જેમાં મોત, એનો નિપ ના બને, બાર જેદ મે ૧, ૯૪ તે જ છે, જે ન જો ; ૧૮૮૧ ૧૭ના ૧છો, રો ઉદફત૨ ૧૧ ૯૮ પાયે ઉત્તરે ળ મું, ૧૧ કાન ૨૧૧ anણું ઉ ર ઉન ઉન ૧૯૩૧ ૯૬ ૧૧૫પૈઉભય, જ એ ઉત્ત્વરે ની ,ઈ, mtch ts તી, તા ૧ મતો રમી , ૧ng • નવિન એ રીત ૮૭ ઉર્ન-જા૨ મતાન છે, જા જ નિરજ છે, ખંg૧ ૧૪૧ ૧૧ મ, ના ૨ રન્નાન કઝા ૯૮ ને એ ૬ (it બંખ નાં વેદ બંને ૨ ૨; તે ૬૨ લા છે , કોર- ૮, ૧૨ ખંn, Cr ૧૧ દેખ નિસાન છે, મુ, મ« à, , , નિવૃત્તિ છે. ૧ , 2 નો પં . ૧૦૦ 20ારમા A15 જૈન ખમે, ૨૧ ના ૨૧ ૧ટીત; 1ળ જળ પીએ, ને હંદ . શીશ ૬ઈ જ ન બ3 ૧૧ , બૈરું, છે નૉટ ભિ, , છેકે જો હું : દુ પરાશન બૈ, ન સર્જક રાખ, હૉ ઍ જી૧૧ ૧૧, ખ ઉપમ ામ - ૧•3. 922 KB) 695/ 2.2 63 9 / 9 252; 3.૨૩૮ જિના ન કેમ છે. તે• ભારૂન્ગવે, ૮૪ ૬ળ૬૧ ઈ ૧ થી, એ માં ૧ળ જરૂર, 3 » “ જા જે ૨ ૮ મેં, કે જે ૬ ૨- ૨ તે તે જામ ઉજળા, ૧8 ૨-થા ૧, પ્ટન જળ છે ઉષ્ય , # ૨૬ – 2૧ ૧, ૮૬ (F (2 (3 (62 ( 5 €9 (2 - 2 ( ૧૯રા Page #194 -------------------------------------------------------------------------- ________________ ૨ બજુ ક૨ણ ને કે 3, ch. સોટીન, તે જે ઝજુને નામો, ૨ ક૨ાખો. 142 દહી ના-૧, ૧૨ ક દળ, ૬૨૧, ૧૪ ૬૮ સ છું, હોઇ બજૂન ૧ ૧૩૬ જન્મ ૧૬ ૨૧જાને, જજ બ9 *, A૧૧,ી ૧૨૪ ૧૧, એ ઉ૬૩૩ અખાદ. ૧૨૭ ૮ 20 મૈસુન્ના મુનેન અAતુળ, માઉ કુઝ , ૧ખા હતું ! હે હે બૉ૬ સુચના કુબંધ , દિળ, છ ( nu 3 નેહ, 1 અકુજક તર્જને, એમ મો ૧iદેe ૨ ૧૦૪ છch An Aનિવડો, ળા એ છે કે વિક૯૬, ઉt hઈ ના એકમો, જ વેદના ૧૯. ૧૮ જ? ડાં ટુ ઝ% તે , ફનાં ફળ ક્રિયા છે, છે પદ-૧ વર્ષ ના , મા ૨૦ની નિંધર ૧. ૧૦ ૬ નતિ, જેને જોનારી, ૩૮ ના ને હોમ, ૧૧ કે કી લહે, એમાં ને ૧ ક. ૧૭ કુકડી, હinળા, ૧ મો માલિક, જાલે છે [ ૧૮૬, -%. ૧૮ તે નિત્તા યુ ઝ જ ને, રં બોજ, જો કે પૈતાફીને, ૨ ૧ ૨ શોક. ૧૯૮૯ ગત ૬૨નામ , ત લ , લદે અ સમક્ષ ને, માં ને . ૧૧ હને ૧-૨ળાજ , જાવલી , ભૂાટે નિ* નાક માં, પા * ૧hફીન૧૧૧ કમાન સ + ૧ ૧૪.ટાળે મિજાજે, ઉદન મને ચપટનો, કાદશકાત: ૧૧a, સેળ રકઝ૨, ઝાડ - તાન, 5૨ વ ળ રતન છે, દે છે જે કિક હા. ૧૧૩ ફોર હર્ષ નું રૂn ૨૩, ^?g , n; ૧, ના, તેમ કાજ જન દિન, ડાાન ૧ ૬૨ ક. ૩૪ છુટે ૮મરે ૧, નર ક ઉ ૧૪ નહ છે જે પળો, મી કમનો મર્મી, ૧૧૪ અનંત ન રતન ૬, આ બાય , ૧૧૬ અને મૈતન્મન, ૨-જ કેરોજિ - રૂમ; ડળયું દમ છે . ૪૨ દિવ્ય ને જો મ. ૧૭ નિમ સર્જે તા નેનો, નથી અને જેમ કે, ધરી નૌના એ 5 રે, ૨૧૮- ૨૧ મા કી માં, ૧૧૮ | શિષ્ય બળ-બત્તિ. ૨૧૬ ના ઉકે , છ નું કઈ જા, નિજે નિni ૮ી લહ, ૬૨ ૧૬ મી ૨૪૧- ૧૧ - મું ન• - , ૧૩, ૧૧, ૧૪, 0 *M ૧૧ ના ને, દૃઢની ૧૨૬.૧૨ 7 જાળ ને ફિળા ૧ માં છે, વૃદ્ધિ કરી. જા જતાં, મા ! રંભ. ૧an જમવા કર્ષિati , ,, મેળ, ફૂલ, ફળ તો છે જ, લાર્જ -ક?t. 132. છે કે હવે ન-૨, છા, તે રખે ને કે, ૧૧મન નો છે , ૧૦૩ મા નિર્ચક. ૧83. me | દો!M ૧૧ ૪૨ કાર્દિક સ્તર ૨, Mા શમત્ર ૨૧ બન્યુ ફી , Mદરે! અહો! ઉth૨.૧૩ | ઉ અંદાજે દમન છો મળે છે.આ સ્થાન માં તિ, હિમા૨તાં જિut , સં૨૫ ૨ટે ૧ ફાંઈ ૧૧૮ માડમ જ નિ સમ પાન, ૨૦૬૭૨ વૈધ રે૧૯, ૐ Mા રતા રતન જેમ જ, કે વિશ્વ૨ શ્વાન. ૧૨૯ને પઝા ,. કુકો ઉરે . જ૨ાતનાલ છે દો નહિ જ ગાઈ ૧૩* ન જાળ સંજના, સન ૧૧ નોમ, નિશ્ચયે રાળ લhiાં, સાન ફરજંદ રત. ૧૩૧ અનિકે એ , આમાં નળ દે, mો નો બહ૧ નટ, બજે સ૮ રહેલ. ૧૩૨ ગછ મન ન કે ૯૯ના, તે નહિ ર૬ બેe, જાન નહી * 3.હું , નિશ્ચમ નદી રે. ૧૩૩ નારદળ.રાQ ઇકમા, માનમાં હો, મોદે ફળ ન મિક, માર્ગ જે ના ફોકે, 13 જ સર્વ એજ છે ક ૨૦૧, ને સળગે છે કે, 3 નારદ જિના, ના કેમેરામાં.૧૩૮ ઉપt[ળનું નામ લઈ ને જે નિમિત્ત, મે કઈ ત્રિ , એ જરા &િત, ૧૩૬ ખુબ ળ તાન કે, બંને રીતે ન મોહ, છે જેમ કહી છે, માત્ર સાનિનો કોઇ..૧૩ , ૨ , સમh, tળા, ૧૧, સમ, વૈરાગે, દમ મુમુક્ષુ હિક, ૨૧ સુખમ. ૧૩૮ કોઇ જા કે , અા હોમ કરી , તે ૨૨ નાન ૬૨ , બાફી રિકે જાંત ૧૩૮13 0 3เค ห8 0 0 % %b9เค, કે તા ૧૬૨૮, બાકી થા મા રર૪૧. ૧૪ • -wાન પય વિમાને, છઠે ને, ૨ અળતું પાંચમુ , ખેમાં નહિ રઢ . ૧દેહ છત ની દયા, વનો દેટા તાવ, છે જ નવાં કરવામાં , હોજિંદન મહીલ, ૧૪૨ | * સાન શિ, મા ખો, કદી ૨૧૨ સક, ૪૬રસિદમાં, જા ન નિર્દિt. Page #195 -------------------------------------------------------------------------- ________________ 167267ASOROROROKOROKORROR FEEEEEEEEEEEEEEEEEEE શ્રીમદ્ રાજચંદ્રજી વાણી પ્રમuqઠ જલતતા ૧ 25252525252525252525 પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના અનુપમ તત્ત્વદર્શને આ જગત પર અનેરો ઉપકાર કર્યો. જૈનદર્શનની વિશેષતા દર્શાવીને એનો આધ્યાત્મિક સંદેશ એમણે એમની વાણીમાં પ્રગટ કર્યો. અહીં એમની વાણીના વિરાટ ગહન સાગરમાંથી કેટલાક પાણીદાર મોતી જેવા વિચારો આલેખીએ છીએ. ૧. જૈનદર્શનનો મર્મ ૨. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત 3. મોક્ષમાર્ગનું રહસ્ય ૪. વચનામૃતની પદ-સરિતા | માપના NOXONOVONONONONOOLOKOLOX Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન દર્શનનો મમીe પૂર્વના યોગસંસ્કારો લઈને જન્મેલા પરમ કૃપાળુદેવ શ્રીમદ્જીની બાલ્યાવસ્થામાં ધર્મવિચારના બે આંતરપ્રવાહો વ્યક્ત-અવ્યક્ત રીતે વહી રહ્યાં હતા. એક પ્રવાહ તે વૈષ્ણવ ધર્મના સંસ્કારનો અને બીજો પ્રવાહ તે જૈનધર્મના સંસ્કારનો. એમના પિતામહ પાસેથી વૈષ્ણવ ધર્મના સંસ્કાર મળ્યા અને માતા દેવબા પાસેથી જૈનધર્મના સંસ્કારની પ્રાપ્તિ થઈ. શ્રીમદ્જીએ સ્વયં આલેખેલી “સમુચ્ચયવયચર્યા” પ્રમાણે ધીરેધીરે જૈન ધર્મના પ્રતિક્રમણ સૂત્રાદિ પુસ્તકો તેઓને વાંચવા મળ્યા. તે પવિત્ર સૂત્રોમાં આલેખાયેલા જગતના સર્વ જીવો પ્રત્યેની મૈત્રીના પરમ ઉદાત્ત વિચારો તેઓના હૃદયને સ્પર્શી ગયા. આ સમયે જૈન અને વૈષ્ણવ સંસ્કારો તરફ મિશ્ર વલણ રહ્યું હતું, પરંતુ સમય જતાં જૈન શાસ્ત્રોનો પરિચય વધતો ગયો અને તેમ તેમ જૈન ધર્મ તરફ તેઓનું વલણ વિશેષ થયું. पक्षपातौ न में वीरं, न द्वेष: कपिलादिषु । युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥ મને વીર પ્રત્યે પક્ષપાત નથી ને કપિલાદિ પ્રત્યે દ્વેષ નથી. જેનું વચન યુક્તિમદ્રયુક્તિયુક્ત હોય તેનો પરિગ્રહ કરવા યોગ્ય છે.” | તેરથી સોળ વર્ષનો સમય શ્રીમદજીના ધર્મમંથનનો અથવા તો તત્ત્વમંથનનો સમય બની રહ્યો. એમની જ્ઞાનપિપાસા એટલી બધી તીવ્ર હતી કે તેરમા વર્ષે દુકાનનો કારોબાર સંભાળવાની સાથોસાથ તેઓએ સમસ્ત આગમોનું ઊંડુ તલસ્પર્શી અવગાહન કર્યું. રોજે રોજ ઉત્કૃષ્ટ ઉપાસના કરતા હોવાથી તેઓમાં શ્રુતજ્ઞાનની અનન્ય વૃદ્ધિ થવા લાગી. સંસ્કૃત અને પ્રાકૃત્તનો અભ્યાસ ન હોવા છતાં પૂર્વના યોગસંસ્કાર સાથે જન્મેલા પ્રજ્ઞાનિધાન શ્રીમદ્જીને જૈન આગમોનું તલસ્પર્શી અને તત્ત્વસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત થયું. તત્ત્વમંથનના સમયગાળા દરમિયાન તત્ત્વપરીક્ષા કરનારા શ્રીમદ્જીએ પદર્શન દર્શાવનારા જે જે ગ્રંથો મળ્યા, તેનું મધ્યસ્થ ભાવે ઊંડું અધ્યયન કર્યું. આમ શ્રીમદ્જી જિનદર્શનમાં-વીતરાગ-દર્શનમાં દૃઢ નિશ્ચયી બન્યા. સાદવાદી જિન દર્શન એ જ નિરાગ્રહ અને નિરાગ્રહ એ જ જિનદર્શન - એમ એમને દૃઢ શ્રદ્ધા થઈ. સર્વ દર્શનને પોતાના વિશાળ અંગમાં સમાવી લે એવી જિનદર્શનની અદ્ભુત વિશાળતા છે, કારણ કે અનેકાંતમાં માનનારું જિનદર્શનનું સર્વદર્શન વ્યાપકપણું ET ' ' Join Edotior International Page #197 -------------------------------------------------------------------------- ________________ હે હન Jain Eduation Intern તેના સ્યાદ્વાદદર્શીપણાને લઈને છે. તત્ત્વ મંથન કરતાં શ્રીમદ્જીને જિનદર્શનનો એવો ગાઢ રંગ લાગ્યો કે, તેના ફળસ્વરૂપે સોળ વર્ષ ને પાંચ માસની નાની વયે દર્શન પ્રભાવક ‘મોક્ષમાળા' ગ્રંથનું સર્જન કર્યું. મહાન આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે તેમ વિદ્વાનોને આ પોતાનો કે પારકો સિદ્ધાંત શું હોય ? आत्मीयः परकीयो वा कः सिद्धातः विपश्विताम् આચાર્ય શ્રી હરિભદ્રસૂરિના આ સૂરમાં સૂર પૂરાવતાં શ્રીમદ્જી ઉચ્ચારે છે કે, ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દૃષ્ટિનો એહ; એક તત્ત્વના મૂળમાં, વ્યાપ્યા માનો તેહ. તેહ તત્ત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ: સ્વભાવની સિદ્ધિ કરે, તે જ ધર્મ અનુકૂળ. આવા મત-દર્શનના ભેદને જેઓ લક્ષમાં લેતા નથી અને મતદર્શનના આગ્રહમાં તણાઈ જતા નથી, તેઓ યોગમાર્ગને જ જુએ છે. યોગદર્શન અથવા આત્મદર્શન પામે છે. એક જ આત્મતત્ત્વના મૂળમાં એ સર્વદર્શનો વ્યાપ્ત છે, માત્ર દૃષ્ટિનો જ ભેદ છે, એમ તેઓશ્રી ખરા અંતઃકરણથી માને છે. તેઓ તો ષડ્દર્શનને જિનદર્શનના અથવા શુદ્ધ આત્મદર્શનના અંગરૂપ માને છે એટલે તેના ખંડન-મંડનની કડાકૂટમાં ઉતરતા નથી, બલ્કે તે છયે દર્શનને સમ્યગ્દર્શનથી આરાધે છે. સાચો મોક્ષમાર્ગ કયો ? આના જવાબમાં શ્રીમદ્ભુએ સ્વયં “આત્મસિદ્ધિશાસ્ત્ર”માં એકસોમાં ક્રમની ગાથામાં કહ્યું છે : રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જહેથી, તે જ મોક્ષનો પંથ. વીતરાગના મૂળ સનાતન આત્મધર્મને આત્મસાત કરી, મૂળ માર્ગના અમૃતને પામી પરમ કૃપાળુદેવ શ્રીમદ્ભુ અધ્યાત્મના શિખર સ્વરૂપ બની ગયા. તેઓએ અનંત કરુણા કરીને આત્મામાંથી પ્રગટતી અનુભવ વાણી પત્રો અને પદ્યોરૂપે વહેવડાવી. એના દ્વારા અનેક આત્માઓને મૂળ માર્ગે ચાલવા તે વચનામૃતની વાણી પ્રેરણારૂપ બની છે. એમના જ્ઞાનપિંડરૂપ અક્ષરદેહ એવા શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતમાંથી જિનેશ્વરના અંતરંગ અને તેમણે પ્રરૂપેલા માર્ગની ઓળખ આપનારા અમૃત-તત્ત્વપૂર્ણ વિચારો અહીં આલેખીએ છીએ, એનું મનન-ચિંતન આપણા જીવનને દિવ્યતા બક્ષે તેવું છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ પવિત્ર અને અહિંસાયુક્ત જૈન ધર્મના જેટલા સિદ્ધાંતો તારાથી મનન થઈ શકે તેટલા કર અને તારા જીવની શાંતિ ઇચ્છ. એના સઘળા સિદ્ધાંતો જ્ઞાનદૃષ્ટિએ અવલોકતા અને સૂક્ષ્મ બુદ્ધિએ વિચારતા ખરા જ છે. (વ. પા. નં. ૨૪, મુનિસમાગમ – અભયદાન) * * * જૈનોનો સિદ્ધાંત કર્માનુસાર ફળનો છે તે જ સત્ય છે આવો જ મત તેના તીર્થકરોએ પણ દર્શિત કર્યો છે.. એમણે પોતાની પ્રશંસા ઇચ્છી નથી. અને જો ઇચ્છે તો તે માનવાળા ઠરે માટે એણે સત્ય કર્યું છે. (વ, પા. નં. ૨૬. મુનિસમાગમ-કર્મ) ** ૮ જૈન સમુદાયમાં પરસ્પર મતભેદ બહુ પડી ગયા છે. પરસ્પર નિંદાગ્રંથોથી જંજાળ માંડી બેઠા છે. વિવેક ચારે મધ્યસ્થ પુરુષો મતમતાંતરમાં નહીં પડતાં જૈન શિક્ષાના મૂળ તત્ત્વ પર આવે છે; ઉત્તમ શીલવાન મુનિઓ પર ભાવિક રહે છે, અને સત્ય એકાગ્રતાથી પોતાના આત્માને દમે છે. (શિ. પા. પ૩) | *** મને જૈન મુનિઓના આચારની વાત બહુ રૂચિ છે. એના જેવો કોઈ દર્શનના સંતોમાં આચાર નથી, ગમે * તેવા શિયાળાની ટાઢમાં અમુક વસ્ત્ર વડે તેઓને રેડવવું પડે છે; ઉનાળામાં ગમે તેવો તાપ તપતાં છતાં પગમાં તેઓને પગરખાં કે માથા પર છત્રી લેવાતી નથી. ઊની રેતીમાં આતાપના લેવી પડે છે. માવજી વન ઊનું પાણી પીએ છે. ગૃહસ્થને ઘેર તેઓ બેસી શકતા નથી. શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે. ફૂટી બદામ પણ પાસે રાખી શકતા નથી. અયોગ્ય વચન તેઓથી બોલી શકાતું નથી. વાહન તેઓ લઈ શકતા નથી. આવા પવિત્ર આચારો ખરે ! મોક્ષદાયક છે. જૈન જેવું એકે પવિત્ર દર્શન નથી; અને તે અપવિત્રતાનો બોધ કરતું નથી પરંતુ શૌચાશૌચનું સ્વરૂપ સમજવું જોઈએ. (શિ. પા. ૫૪) જે પૂર્ણ દર્શન વિશે અત્રે કહેવાનું છે તે જૈન એટલે નીરાગીના સ્થાપન કરેલા દર્શન વિષે છે. એના બોધદાતા સર્વજ્ઞ અને સર્વદર્શી હતા. કાળભેદ છે તોપણ એ વાત સૈદ્ધાંતિક જણાય છે. દયા, બ્રહ્મચર્ય, શીલ, વિવેક, વૈરાગ્ય જ્ઞાન, ક્રિયાદિ એના જેવાં પૂર્ણ એક્કે વર્ણવ્યા નથી. તેની સાથે શુદ્ધ આત્મજ્ઞાન, તેની કોટિઓ, જીવનાં ચ્યવન, જન્મ, ગતિ, વિગતિ, યોનિદ્વાર, પ્રદેશ, કાળ તેના સ્વરૂપ એ વિષે એવો સૂક્ષ્મ બોધ છે કે જે વડે તેની સર્વજ્ઞતાની નિઃશંકતા થાય. કાળભેદે પરંપરાસ્નાયથી કેવળજ્ઞાનાદિ જ્ઞાનો જોવામાં નથી આવતાં છતાં જે જે જિનેશ્વરનાં રહેલાં સૈદ્ધાંતિક વચનો છે તે અખંડ છે. તેઓના કેટલાક સિદ્ધાંતો એવા સૂક્ષ્મ છે કે, જે એક એક વિચારતાં આખી જિંદગી વહી જાય તેવું છે. જિનેશ્વરનાં કહેલાં ધર્મતત્ત્વથી કોઈ પણ પ્રાણીને લેશ પણ ખેદ ઉત્પન્ન થતો નથી. સર્વ આત્માની રક્ષા અને સર્વાત્મશક્તિનો પ્રકાશ એમાં રહ્યો છે. એ ભેદો વાંચવાથી, સમજવાથી અને તે પર અતિ અતિ સૂક્ષ્મ વિચાર કરવાથી આત્મશક્તિ પ્રકાશ પામી જૈનદર્શનની સર્વજ્ઞતાની, સર્વોત્કૃષ્ટપણાની હા કહેવરાવે છે, બહુ મનનથી સર્વ ધર્મમત જાણી પછી તુલના કરનારને આ કથન અવશ્ય સિદ્ધ થશે. (શિ. પા. ૯૦) * * નવ તત્ત્વનું કાળભેદે જે સત્પરુષો ગુરુગમ્યતાથી શ્રવણ, મનન અને નિદિધ્યાસનપૂર્વક જ્ઞાન કરે છે તે Page #199 -------------------------------------------------------------------------- ________________ સપુરુષો મહાપુણ્યશાળી તેમજ ધન્યવાદને પાત્ર છે. પ્રત્યેક સુજ્ઞ પુરુષોને મારો વિનયભાવભૂષિત એ જ બોધ છે કે નવ તત્ત્વને સ્વબુદ્ધિ અનુસાર યથાર્થ જાણવાં. મહાવીર ભગવંતના શાસનમાં બહુ મતમતાંતર પડી ગયા છે, તેનું મુખ્ય આ એક કારણ પણ છે કે તત્ત્વજ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ ગયું. માત્ર ક્રિયાભાવ પર રાચતા રહ્યાં; જેનું પરિણામ દૃષ્ટિગોચર છે. (શિ. પા. ૮૪) : - ક જૈન જેવું એકે પૂર્ણ અને પવિત્ર દર્શન નથી, વીતરાગ જેવો એકે દેવ નથી, તરીને અનંત દુઃખથી પાર પામવું હોય તો એ સર્વજ્ઞ દર્શનરૂપ કલ્પવૃક્ષને સેવો. (શિ. પા. ૯૪). જૈન એ એટલી બધી સૂક્ષ્મ વિચાર સંકલનાથી ભરેલું દર્શન છે કે જેમાં પ્રવેશ કરતાં પણ બહુ વખત જોઈએ. ઉપર ઉપરથી કે કોઈ પ્રતિપક્ષીના કહેવાથી અમુક વસ્તુ સંબંધી અભિપ્રાય બાંધવો કે આપવો એ વિવેકીનું કર્તવ્ય નથી. .............. બાકીના સઘળા ધર્મમતોના વિચારો જિનપ્રણીત વચનામૃતસિંધુ આગળ એક બિંદુરૂપ પણ નથી. જૈન જેણે જાણ્યો અને સેવ્યો તે કેવળ નીરાગી અને સર્વશ થઈ જાય છે. એના પ્રવર્તકો કેવા પવિત્ર પુરુષો હતા ! એના સિદ્ધાંત કેવા અખંડ સંપૂર્ણ અને દયામય છે ? એમાં દૂષણ કાંઈ જ નથી. કેવળ નિર્દોષ તો માત્ર જેનું દર્શન છે. એવો એકે પારમાર્થિક વિષય નથી કે જે જૈનમાં નહીં હોય અને એવું એક્ક તત્ત્વ નથી કે જે જૈનમાં નથી. એક વિષય ને અનંત ભેદે પરિપૂર્ણ કહેનાર તે જૈન દર્શન છે. પ્રયોજનભૂત તત્ત્વ એના જેવું ક્યાંય નથી. એક દેહમાં બે આત્મા નથી, તેમ આખી સૃષ્ટિમાં બે જૈન એટલે જૈનની તુલ્ય એકે દર્શન નથી, આમ કહેવાનું કારણ શું ? તો માત્ર તેની પરિપૂર્ણતા, નીરાગિતા, સત્યતા અને જગતહિતસ્વિતા. (શિ. પા. ૯૫) * * * શ્રમણ ભગવાન મહાવીર પહેલા જૈનદર્શન હતું. (શિ. પા. ૧૦૪) * * * પ્ર. આવું જૈનદર્શન જ્યારે સર્વોત્તમ છે ત્યારે સર્વ આત્માઓ એના બોધને કાં માનતા નથી ? જ. કર્મની બાહુલ્યતાથી, મિથ્યાત્વના જામેલા દળિયાથી અને સત્સમાગમના અભાવથી. (શિ. પા. ૧૦૫) * * * સર્વ દર્શનની શૈલીનો વિચાર કરતાં એ રાગ-દ્વેષ અને મોહરહિત પુરુષનું બોધેલું નિગ્રંથ દર્શન વિશેષ માનવા યોગ્ય છે. એ ત્રણ દોષથી રહિત, મહાઅતિશયથી પ્રતાપી એવા તીર્થંકર દેવ તેણે મોક્ષના કારણરૂપે જે ધર્મ બોધ્યો છે, તે ધર્મ ગમે તે મનુષ્યો સ્વીકારતાં હોય પણ તે એક પદ્ધતિએ હોવો જોઈએ, આ વાત નિઃશંક છે. (પત્રાંક : ૪૦) < * * શ્રી જિને સહસ્ત્રગમે ક્રિયાઓ અને સહસ્ત્રગમે ઉપદેશો એ એક જ માર્ગ આપવા માટે કહ્યા છે અને તે માર્ગને અર્થે તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સફળ છે અને એ માર્ગને ભૂલી જઈ તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સૌ નિષ્ફળ છે. (પત્રાંક : પ૪) | * * * ( N CPSીદ>(GPSCeCEPT I૧૯૮ ®MB]ZBZB]Z®E 9]>$$>$)Z Page #200 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે; પણ તે ધ્યાવન આત્મા સત્પુરુષના ચરણકમળની વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શકાતો નથી, એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. (પત્રાંક : ૬૨) *** શ્રી જિન સમ્યક્દર્શન, જ્ઞાન અને ચારિત્રને મુક્તિનું કારણ કહે છે. અતએવ જે મુક્તિની ઇચ્છા કરે છે, તે સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રને જ મોક્ષનું સાધન કહે છે. (પત્રાંક : ૧૦૨) *** જૈન માર્ગ વિવેક પોતાના સમાધાનને અર્થે યથાશક્તિએ જૈન માર્ગને જાણ્યો છે, તેનો સંક્ષેપે કંઈ પણ વિવેક કરું છું - તે જૈનમાર્ગ જે પદાર્થનું હોવાપણું તેને હોવાપણે અને નથી તેને નહીં હોવાપણે માને છે. જેને હોવાપણું છે તે બે પ્રકારે છે એમ કહે છે : જીવ અને અજીવ. એ પદાર્થ સ્પષ્ટ ભિન્ન છે. કોઈ કોઈનો સ્વભાવ ત્યાગી શકે તેવા સ્વરૂપે નથી. અજીવ રૂપી અને અરૂપી બે પ્રકારે છે. (અપૂર્ણ - પત્રાંક : ૧૦૫) *** જિનનો સિદ્ધાંત છે કે જડ કોઈ કાળે જીવ ન થાય, અને જીવ કોઈ કાળે જડ ન થાય, તેમ ‘સત્’ કોઈ કાળે ‘સત્’ સિવાયના બીજા કોઈ સાધનથી ઉત્પન્ન હોઈ શકે જ નહીં (પત્રાંક : ૨૭૪) *** બંધ, મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિષે યથાર્થપણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે; અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને જોગ્ય જો કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ તો તે શ્રી તીર્થંકરદેવ છે. અને એ જે શ્રી તીર્થંકરદેવનો અંતર આશય તે પ્રાયે મુખ્યપણે અત્યારે કોઈને વિષે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું એમ અમને દૃઢ કરીને ભાસે છે. કારણ કે જે અમારું અનુભવજ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે અને વીતરાગનું કહેલુ જે શ્રુતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે; માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ. (પત્રાંક : : ૩૨૨) *** જ્ઞાનીપુરુષની અવજ્ઞા બોલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું, એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે, એમ તીર્થંકર કહે છે. તે પુરુષના ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું, અને તેની આજ્ઞામાં સરળપરિણામે પરમ ઉપયોગદૃષ્ટિએ વર્તવું, એ અનંતસંસારને નાશ કરનારું તીર્થંકર કહે છે, અને તે વાક્યો જિનાગમને વિષે છે. (પત્રાંક : ૩૯૭) *** આત્માપણે કેવળ ઉજાગર અવસ્થા વર્તે છે, અર્થાત્ આત્મા પોતાના સ્વરૂપને વિષે કેવળ જાગ્રત હોય ત્યારે તેને કેવળજ્ઞાન વર્તે છે એમ કહેવું યોગ્ય છે, એવો શ્રી તીર્થંકરનો આશય છે. ‘આત્મા’ જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત્ ભાસે ત્યારે તેને પરમાર્થ સમ્યક્ત્વ છે. એવો શ્રી તીર્થંકરનો અભિપ્રાય છે એવું સ્વરૂપ જેને ભાગ્યું છે તેવા પુરુષને વિષે ૫૧૯૯ ॥ Page #201 -------------------------------------------------------------------------- ________________ નિષ્કામ શ્રદ્ધા છે જેને, તે પુરુષને બીજરુચિ સમ્યત્વ છે, તેવા પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય, એવા ગુણો જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય; એમ જિન કહે છે. (પત્રાંક : ૪૩૧) ***** વળી જ્ઞાની પુરૂષોની વિશેષ શિખામણ વૈરાગ્ય-ઉપશમ પ્રતિબોધતી જોવામાં આવે છે. જિનના આગમ પર દૃષ્ટિ મૂકવાથી એ વાત સ્પષ્ટ જણાઈ શકશે. ‘સિદ્ધાંતબોધ’ એટલે જીવાજીવ પદાર્થનું વિશેષપણે કથન તે આગમમાં જેટલું કર્યું છે, તે કરતાં વિશેષપણે, વિશેષપણે વૈરાગ્ય અને ઉપશમને કથન કર્યો છે. કેમકે તેની સિદ્ધિ થયા પછી વિચારની નિર્મળતા સહેજે થશે અને વિચારની નિર્મળતા સિદ્ધાંતરૂપ કથનને સહેજે કે ઓછા પરિશ્રમે અંગીકાર કરી શકે છે, એટલે તેની પણ સહેજે સિદ્ધિ થશે; અને તેમજ થતું હોવાથી ઠામ ઠામ એ જ અધિકારનું વ્યાખ્યાન કર્યું છે. (પત્રાંક : ૫૦૬) *** શ્રી જિને આ જીવના અજ્ઞાનની જે જે વ્યાખ્યા કહી છે, તેમાં સમયે સમયે તેને અનંતકર્મનો વ્યવસાયી કહ્યો છે; અને અનાદિકાળથી અનંતકર્મનો બંધ કરતો આવ્યો છે, એમ કહ્યું છે, તે વાત તો યથાર્થ છે, પણ ત્યાં આપણને એક પ્રશ્ન થયું કે, ‘તો તેવા અનંતકર્મ નિવૃત્ત કરવાનું સાધન ગમે તેવું બળવાન હોય તોપણ અનંતકાળને પ્રયોજને પણ તે પાર પડે નહીં? જોકે કેવળ એમ હોય તો તમને લાગ્યું તેમ સંભવે છે; તથાપિ જિને પ્રવાહથી જીવને અનંતકર્મનો કર્તા કહ્યો છે, અનંતકાળથી કર્મનો કર્તા તે ચાલ્યો આવે છે એમ કહ્યું છે; પણ સમયે સમયે અનંતકાળ ભોગવવા પડે એવાં કર્મ તે આગામિક કાળ માટે ઉપાર્જન કરે છે એમ કહ્યું નથી. ...... જીવને અજ્ઞાનભાવથી કર્મસંબંધ ચાલ્યો આવે છે, તથાપિ તે તે કર્મોની સ્થિતિ ગમે તેટલી વિટંબણારૂપ છતાં, અનંતદુ:ખ અને ભવનો હેતુ છતાં પણ જેમાં જીવ તેથી નિવૃત્ત થાય એટલો અમુક પ્રકાર બાધ કરતાં સાવ અવકાશ છે. આ પ્રકાર જિને ઘણો સૂક્ષ્મપણે કહ્યો છે, તે વિચારવા યોગ્ય છે. પત્રાંક : ૫૧૧). | * બં ઃ શ્રી જિન આત્મપરિણામની સ્વસ્થતાને સમાધિ અને આત્મપરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે; તે અનુભવજ્ઞાને જોતાં પરમ સત્ય છે. | શ્રી જિને જે આત્મઅનુભવ કર્યો છે, અને પદાર્થનાં સ્વરૂપ સાક્ષાત્કાર કરી જે નિરૂપણ કર્યું છે તે, સર્વ મુમુક્ષ. જીવે પરમકલ્યાણને અર્થે નિશ્ચય કરી વિચારવા યોગ્ય છે. જિને કહેલા સર્વ પદાર્થના ભાવો એક આત્મા પ્રગટ કરવાને અર્થે છે, અને મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બની ઘટે છે, એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની, એમ શ્રી જિને કહ્યું છે. (પત્રાંક : પપ૧) * શ્રી જિન તીર્થકરે જેવો બંધ અને મોક્ષનો નિર્ણય કહ્યો છે, તેવો નિર્ણય વેદાંતાદિ દર્શનમાં દૃષ્ટિગોચર થતો નથી; અને જેવું શ્રી જિનને વિષે યથાર્થવક્તાપણું જોવામાં આવે છે, તેવું યથાર્થવક્તાપણું બીજામાં જોવામાં આવતું નથી. (પત્રાંક : પ૬૮) * * * જેમ છે તેમ નિજ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે ત્યાં સુધી નિજ સ્વરૂપના નિદિધ્યાનાસનમાં સ્થિર રહેવાને જ્ઞાનીપુરૂષનાં વચનો આધારભૂત છે, એમ પરમ પુરુષ શ્રી તીર્થંકરે કહ્યું છે, તે સત્ય છે. બારમે ગુણસ્થાનકે વર્તતા આત્માને નિદિધ્યાસનરૂપ ધ્યાનમાં શ્રુતજ્ઞાન એટલે મુખ્ય એવાં જ્ઞાનીનાં વચનોનો આશય ત્યાં આધારભૂત છે, એવું પ્રમાણ જિનમાર્ગને વિષે વારંવાર કહ્યું છે. (પત્રાંક : પ૭૫) બેદ * (2222222222625625 પા૨00ા છZ9X$$$$$$$Z9ZBE Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે; અને તે સંયોગનો વિશ્વાસ પરમજ્ઞાનીને પણ કર્તવ્ય નથી; એવો નિશ્ચળ માર્ગ કહ્યો છે તે શ્રી જિન વીતરાગના ચરણકમળને વિષે અત્યંત નમ્ર પરિણામથી નમસ્કાર છે. (પત્રાંક : ૫૮૯). * * સર્વ કરતાં વીતરાગના વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે કેમકે જ્યાં રાગાદિ દોષનો સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટવા યોગ્ય નિયમ ઘટે છે. શ્રી જિનને સર્વ કરતાં ઉત્કૃષ્ટ વીતરાગતા સંભવે છે; પ્રત્યક્ષ તેમના વચનનું પ્રમાણ છે તે માટે. જે કોઈ પુરુષને જેટલે અંશે વીતરાગતા સંભવે છે, તેટલે અંશે તે પુરુષનું વાક્ય માન્યતાયોગ્ય છે. સાંખ્યાદિ દર્શને બંધમોક્ષની જે જે વ્યાખ્યા ઉપદેશી છે, તેથી બળવાન પ્રમાણસિદ્ધ વ્યાખ્યા શ્રી જિન વીતરાગે કહી છે, એમ જાણું છું. (પત્રાંક : ૫૯૯) શ્રી જિને કહ્યું છે તે આત્મસ્વરૂપ વિશેષ વિશેષ અવિરોધી જોવામાં આવે છે અને તે પ્રકારે વેદવામાં આવે છે; સંપૂર્ણપણે અવિરોધી જિનનું કહેલું આત્મસ્વરૂપ હોવા યોગ્ય છે, એમ ભાસે છે. સંપૂર્ણ આત્મસ્વરૂપ કોઈ પણ પુરુષને વિષે પ્રગટવું જોઈએ, એવો આત્માને વિષે નિશ્ચય પ્રતીતિભાવ આવે ને તે કેવા પુરુષને વિષે પ્રગટવું જોઈએ, એમ વિચાર કરતાં જિન જેવા પુરુષને પ્રગટવું જોઈએ એમ સ્પષ્ટ લાગે છે. કોઈને પણ આ સૃષ્ટિમંડળને વિષે આત્મસ્વરૂપ સંપૂર્ણ પ્રગટવા યોગ્ય હોય તો શ્રી વર્ધમાનસ્વામીને વિષે પ્રથમ પ્રગટવા યોગ્ય લાગે છે. અથવા તે દશાના પુરુષોને વિષે સૌથી પ્રથમ સંપૂર્ણ આત્મસ્વરૂપ. (પત્રાંક : ૫૯૭) * * * સર્વ ભાવથી અસંગાણું થયું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે; અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે, કે જે સત્સંગના યોગે સહજસ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. (પત્રાંક : ૯૦૯) ** વસ્તુની કેવળ ઉત્પત્તિ અથવા કેવળ નાશ નથી, સર્વકાળ તેનું હોવાપણું છે, રૂપાંતર પરિણામ થયાં કરે છે; વસ્તુતા ફરતી નથી. એવો શ્રી જિનનો અભિમત છે, તે વિચારવા યોગ્ય છે. (પત્રાંક : ૯૪૬) *** જિનાગમમાં મતિ શ્રત આદિ જ્ઞાનના પાંચ પ્રકાર કહ્યા છે, તે જ્ઞાનના પ્રકાર સાચા છે, ઉપમાવાચક નથી. અવધિ, મન:પર્યવાદિ જ્ઞાન વર્તમાનકાળમાં વ્યવછેદ જેવાં લાગે છે, તે પરથી તે જ્ઞાન ઉપમાવાચક ગણવા યોગ્ય નથી. એ જ્ઞાન મનુષ્યજીવોને ચારિત્રપર્યાયની વિશુદ્ધ તારતમ્યતાથી ઊપજે છે. વર્તમાનકાળમાં તે વિશદ્ધ તારતમ્યતા પ્રાપ્ત થવી દુર્લભ છે, કેમકે કાળનું પ્રત્યક્ષ સ્વરૂપ ચારિત્રમોહનીય આદિ પ્રકૃતિના વિશેષ બળસહિત વર્તતું જોવામાં આવે છે. (પત્રાંક : ૦૭૯). * * * મનુષ્યદેહનું જૈન અને બીજા બધા માર્ગમાં વિશેષપણું અને અમૂલ્યપણું કહ્યું છે તે સત્ય છે, પણ જો તેથી મોક્ષસાધના કરી શકાય તો જ તેનું વિશેષપણું અને અમૂલ્યપણું છે. j) (NO GARABIRTIDAN ા૨૦૧૫ ® S ASSASSASSASSES Page #203 -------------------------------------------------------------------------- ________________ જૈનમાર્ગનો પણ એવો એકાંત સિદ્ધાંત નથી કે ગમે તે વયમાં ગમે તેવા માણસે ત્યાગ કરવો, તથારૂપ સત્સંગ સદ્દગુરુનો યોગ થયે, વિશેષ વૈરાગ્યવાન પુરુષ, સપુરુષને આશ્રયે, ત્યાગ નાની વયમાં કરે તો તેથી તેણે તેમ કરવું ઘટારથ નથી એમ જિન સિદ્ધાંત નથી. તેમ કરવું યોગ્ય છે એમ જિન સિદ્ધાંત છે, કેમકે અપૂર્વ એવાં સાધનો પ્રાપ્ત થયે ભોગાદિ સાધનો ભોગવવાના વિચારમાં પડવું અને તેની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરી તેને અમુક વર્ષ સુધી ભોગવવાં જ, એ તો જે મોક્ષસાધનથી મનુષ્યપણાનું ઉત્તમપણું હતું તે ટાળી પશુવતુ કરવા જેવું થાય. ઇંદ્રિયાદિ શાંત થયાં નથી, જ્ઞાની પુરુષની દૃષ્ટિમાં હજુ જે ત્યાગ કરવાને યોગ્ય નથી એવા મંદ વૈરાગ્યવાન અથવા મોહ વૈરાગ્યવાનને ત્યાગ લેવો પ્રશસ્ત છે એમ કંઈ જિન સિદ્ધાંત નથી. (પત્રાંક : ૭૦૪). *** દિન પ્રતિદિન જૈનદર્શન ક્ષીણ થતું જોવામાં આવે છે. જૈન સૂત્રો હાલ વર્તમાનમાં છે, તેમાં તે દર્શનનું સ્વરૂપ ઘણું અધૂરું રહેલું જોવામાં આવે છે. (પત્રાંક : ૭૧૩) *** ૐ જિનાય નમ: ભગવાન જિને કહેલા લોકસંસ્થાનાદિ ભાવ આધ્યાત્મિક દૃષ્ટિથી સિદ્ધ થવા યોગ્ય છે. શ્રી જિને કહેલા ભાવો અધ્યાત્મ પરિભાષામય હોવાથી સમજવા કઠણ છે. પરમપુરુષનો યોગ સંપ્રાપ્ત થવો જોઈએ. જિનપરિભાષા - વિચાર યથાવકાશાનુસાર વિશેષ નિદિધ્યાસ કરવા યોગ્ય છે. (પત્રાંક : ૭૧૪) * અનંત અવ્યાબાધ સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે. એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠો છે. ભગવાન જિને દ્વાદશાંગી એ જ અર્થે નિરૂપણ કરી છે, અને એ જ ઉત્કૃષ્ટતાથી તે શોભે છે, જયવંત છે. (પત્રાંક : ૯૦૧) શ્રી હેમચંદ્રાચાર્યને લાગ્યું કે સંપુર્ણ વીતરાગ સર્વજ્ઞ તીર્થકર જ ધર્મપ્રવર્તક હોઈ શકે. અમે તો તીર્થકરોની આજ્ઞાએ ચાલી તેમના પરમાર્થમાર્ગનો પ્રકાશ કરવા પ્રયત્ન કરનારા વીતરાગ માર્ગનો પરમાર્થ પ્રકાશવારૂપ લોકાનુગ્રહ શ્રી હેમચંદ્રાચાર્યે કર્યો. તેમ કરવાની જરૂર હતી. વીતરાગમાર્ગ પ્રતિ વિમુખતા અને અન્ય માર્ગ તરફથી વિષમતા, ઈર્ષ્યા આદિ શરૂ થઈ ચૂક્યાં હતાં. શ્રી હેમચંદ્રાચાર્યે ઘણું કર્યું. શ્રી આનંદઘનજી તેમના પછી છસો વરસે થયા. એ છસો વરસના અંતરાલમાં બીજા તેવા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. વિષમતા વ્યાપતી જતી હતી. કાળ ઉગ્ર સ્વરૂપ લેતો જતો હતો. શ્રી આનંદઘનજીને લાગ્યું કે પ્રબળ વ્યાપી ગયેલી વિષમતાયોગે લોકોપકાર, પરમાર્થપ્રકાશ કારગત થતો નથી. અને આત્મહિત ગૌણ થઈ તેમાં બાધા આવે છે, માટે આત્મહિતને મુખ્ય કરી. તેમાં પ્રવર્તવું યોગ્ય છે આવી વિચારણાને પરિણામે તે લોકસંગ ત્યજી દઈ વનમાં ચાલી નીકળ્યા. (ઉપદેશ નોંધ ૯) * હોમહવનાદિ લૌકિક રિવાજ ઘણો ચાલતો જોઈ તીર્થકર ભગવાને પોતાના કાળમાં દયાનું વર્ણન ઘણું જ સૂક્ષ્મ રીતે કર્યું છે. જૈનના જેવા દયાસંબંધીના વિચારો કોઈ દર્શન કે સંપ્રદાયવાળાઓ કરી શક્યા નથી; કેમ કે ( &>(>CCC RECRUાર0ર છZZZZZZછે, Page #204 -------------------------------------------------------------------------- ________________ જૈન પંચેન્દ્રિયનો ઘાત તો ન કરે, પણ તેઓએ એકેંદ્રિયાદિમાં જીવ હોવાનું વિશેષ વિશેષ દૃઢ કરી દયાનો માર્ગ વર્ણવ્યો છે. (ઉપદેશ છાયા - ૫) *** જૈન માર્ગ શું ? રાગ, દ્વેષ અને અજ્ઞાનનું જવું તે. અજ્ઞાની સાધુઓએ ભોળા જીવોને સમજાવી તેને મારી નાખ્યાં જેવું કર્યું છે. પોતે જો પ્રથમ વિચાર કરે કે મારા દોષ શું ઘટ્યા છે ? તો તો જણાય કે જૈન ધર્મ મારાથી વેગળો રહ્યો છે. (ઉપદેશ છાયા ૧૩) *** (૩૭) જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણે કાળને વિષે છે. પ્રયોજનભૂત પદાર્થનું જાણપણું તે “જ્ઞાન' તેને લઈને સુપ્રતીતિ તે “દર્શન' અને તેથી થતી ક્રિયા તે ચારિત્ર' છે. આ ચારિત્ર આ કાળને વિષે જૈનમાર્ગમાં સમ્યકત્વ પછી સાતમાં ગુણસ્થાનક સુધી પ્રાપ્ત કરી શકવાનું સ્વીકારવામાં આવ્યું છે. (૮૨) જિન અનેકાંતિક છે, અર્થાત્ તે સ્યાદ્વાદી છે. (૧૨૯) સ્વપરને જુદા પાડનાર જે જ્ઞાન તે જ્ઞાન - આ જ્ઞાનને પ્રયોજનભૂત કહેવામાં આવ્યું છે. આ સિવાયનું જ્ઞાન તે “અજ્ઞાન છે. શુદ્ધ આત્મદશારૂપ શાંત જિન છે. તેની પ્રતીતિ જિનપ્રતિબિંબ સૂચવે છે તે શાંત દશા પામવા સારું જે પરિણતિ અથવા અનુકરણ અથવા માર્ગ તેનું નામ “જૈન' - જે માર્ગે ચાલવાથી જૈનપણું પ્રાપ્ત થાય છે. (વ્યાખ્યાનસાર-૧) *** (૧૮) સનાતન આત્મધર્મ તે શાંત થવું, વિરામ પામવું તે છે; આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે. તે પદર્શનમાં સમાય છે, અને તે પદર્શન જૈનમાં સમાય છે. (૨૦) જૈનધર્મનો આશય, દિગંબર તેમ જ શ્વેતાંબર આચાર્યોનો આશય, ને દ્વાદશાંગીનો આશય માત્ર આત્માનો સનાતન ધર્મ પમાડવાનો છે. અને તે જ સારરૂપ છે. આ વાતમાં કોઈ પ્રકારે જ્ઞાનીઓનો વિકલ્પ નથી. તે જ ત્રણે કાળના જ્ઞાનીઓનું કહેવું છે, હતું અને થશે; પણ તે નથી સમજાતું એ જ મોટી આંટી છે. (વ્યાખ્યાનસાર - ૨/૪) *** (૧) સર્વ ધર્મ કરતાં જૈનધર્મ ઉત્કૃષ્ટ દયાપ્રણીત છે. દયાનું સ્થાપન જેવું તેમાં કરવામાં આવ્યું છે, તેવું બીજા કોઈમાં નથી. “માર' એ શબ્દ જ “મારી’ નાખવાની સજ્જડ છાપ તીર્થકરોએ આત્મામાં મારી છે. એ જગોએ ઉપદેશનાં વચનો પણ આત્મામાં સર્વોત્કૃષ્ટ અસર કરે છે. શ્રી જિનની છાતીમાં જીવહિંસાના પરમાણુ જ ન હોય એવો અહિંસાધર્મ શ્રી જિનનો છે. જેનામાં દયા ન હોય તે જિન ન હોય. જૈનને હાથે ખૂન થવાના બનાવો પ્રમાણમાં અલ્પ હશે. જૈન હોય તે અસત્ય બોલે નહીં. (વ્યાખ્યાનસાર - ૨/૨૧) *** ૩૫ જૈન કહે છે કે આત્મા - નિત્ય, અનિત્ય, પરિમાણી, અપરિણામી, સાક્ષી, સાક્ષી-કર્તા છે. (હાથનોંધ ૧, પૃષ્ઠ ૮૦) * ** ૨૦૩ . 2 / Page #205 -------------------------------------------------------------------------- ________________ ૯૧ સર્વ કરતાં વીતરાગનાં વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે, કેમકે જ્યાં રાગાદિ દોષોનો સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટવાયોગ્ય નિયમ ઘટે છે. - શ્રી જિનને સર્વ કરતાં ઉત્કૃષ્ટ વીતરાગતા સંભવે છે. પ્રત્યક્ષ તેમના વચનનું પ્રમાણ છે માટે જે કોઈ પુરૂષને જેટલે અંશે વીતરાગતા સંભવે છે, તેટલે અંશે તે પુરુષનું વાક્ય માન્યતાયોગ્ય છે. જે જિને દૈતનું નિરૂપણ કર્યું છે, આત્માને ખંડ દ્રવ્યવહુ કહ્યો છે, કર્તા ભોક્તા કહ્યો છે, અને નિર્વિકલ્પ સમાધિને અંતરાયમાં મુખ્ય કારણ થાય એવી પદાર્થવ્યાખ્યા કહી છે, તે જિનની શિક્ષા બળવાન પ્રમાણસિદ્ધ છે. (હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૨૬-૧૨૭) *** ૬૪ સિદ્ધ આત્મા લોકાલોકપ્રકાશક છે, પણ લોકાલોકવ્યાપક નથી. વ્યાપક તો સ્વઅવગાહના પ્રમાણ છે. આત્માનો અગુરુલઘુ ધર્મ છે. તે ધર્મને દેખતાં આત્મા સર્વ પદાર્થને જાણે છે, કેમ કે સર્વ દ્રવ્યમાં અગુરુલઘુગુણ સમાન છે. (હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૩૩) * * * ૬૫. જિનોપદિષ્ટ આત્મધ્યાન જિનોપદિષ્ટ આત્મધ્યાન શી રીતે ? જ્ઞાન પ્રમાણ ધ્યાન થઈ શકે, માટે જ્ઞાનતારતમ્યતા જોઈએ. (હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૩૬) * ૨૧ જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે તેમ જ સર્વ પદાર્થનું સ્વરૂપ છે. ભગવાન જિને ઉપદેશેલો આત્માનો સમાધિમાર્ગ શ્રીગુરુના અનુગ્રહથી જાણી, પરમ પ્રયત્નથી ઉપાસના કરો. (હાથનોંધ ૨, પૃષ્ઠ ૪૭) : આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ ત૫ Page #206 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ સંદેશ સમજીને અલ્પભાષી થનારને પશ્ચાત્તાપ કરવાનો થોડો જ અવસર સંભવે છે. પૂર્વનાં અશુભ કર્મ ઉદય આવ્યે વેદતાં જો શોચ કરો છો તો હવે એ પણ ધ્યાન રાખો કે નવાં બાંધતાં પરિણામે તેવાં તો બંધાતાં નથી ? આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચયી થવું, પ૨વસ્તુના ત્યાગી થવું. જેટલા પોતાની પુલિક મોટાઈ ઇચ્છે છે તેટલા હલકા સંભવે. પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો; ગુણચિંતન કરો. (પત્રાંક : ૮૫) *** જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું; તેથી રૂડું થયું નથી. કેમકે પરિભ્રમણ અને પરિભ્રમના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જો આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તો અનંત ભવનું સાટું વળી જશે. (પત્રાંક : ૩૭) જગતમાં નીરાગીત્વ, વિનયતા અને સત્પુરુષની આજ્ઞા એ નહીં મળવાથી આ આત્મા અનાદિ કાળથી રખડ્યો. (વ. ૫. ૪૨) *** ૧. ૨. ૩. ૪. ૫. કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશો તોપણ એકાંતથી જેટલો સંસારક્ષય થવાનો છે, તેનો સોમો હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનો નથી. કષાયનું તે નિમિત્ત છે; મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે. (પત્રાંક : ૧૦૩) *** *** સત્પુરુષના ચરણનો ઇચ્છક, સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી, મહાવીરના બોધને પાત્ર કોણ ? ૬. ઉપયોગથી એક પળ પણ ભરનાર, એકાંતવાસને વખાણનાર, ૭. ૮. તીર્થાદિ પ્રવાસનો ઉછરંગી, ૯. આહાર, વિહાર, નિહારનો નિયમી, ૧૦. પોતાની ગુરુતા દબાવનાર ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર, બ્રહ્મવ્રતમાં પ્રીતિમાન, જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર, એવો કોઈ પણ પુરુષ તે મહાવીરના બોધને પાત્ર છે, સમ્યક્દશાને પાત્ર છે. પહેલા જેવું એકે નથી. (પત્રાંક : ૧૦૫) *** સમ્યક્દશાનાં પાંચ લક્ષણો છે શમ., સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા. ક્રોધાદિક કષાયોનું શમાઈ જવું, ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી, વળી લેવાય તેવી આત્મદશા થવી અથવા અનાદિકાળની વૃત્તિઓ શમાઈ જવી તે ‘શમ’. મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઇચ્છા નહીં, અભિલાષા નહીં તે ‘સંવેગ’. જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું; ત્યારથી હવે ઘણી થઈ, અરે ॥૨૦૫ ॥ Page #207 -------------------------------------------------------------------------- ________________ જીવ ! હવે થોભ, એ નિર્વેદ'. માહાભ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષોનાં વચનમાં જ તલ્લીનતા તે ‘શ્રદ્ધા“આસ્થા'. એ સઘળાં વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે “અનુકંપા'. (પત્રાંક : ૧૩૫) *** નીચેનો અભ્યાસ તો રાખ્યા જ રહો :૧. ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા અને ઉદય આવવાના કષાયોને શમાવો. ૨. સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહો. ૩. આટલા કાળ સુધી જે કર્યું તે બધાંથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે અટકો. ૪. તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો, અને બાકીના પ્રાણીઓની અનુકંપા કર્યા કરો. ૫. કોઈ એક સપુરુષ શોધો, અને તેનાં ગમે તેવાં વચનમાં પણ શ્રદ્ધા રાખો. એ પાંચે અભ્યાસ અવશ્ય યોગ્યતાને આપે છે; પાંચમામાં વળી ચારે સમાવેશ પામે છે, એમ અવશ્ય માનો. અધિક શું કહે ? ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનનો નિારો આવવાનો નથી. (પત્રાંક : ૧૪૩) ** ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે. સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. (પત્રાંક : ૧૫૩) *** સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યાં છે, એ વાત કેમ હશે ? નીચેનાં વાક્યો પ્રત્યેક મુમુક્ષુઓને મેં અસંખ્ય પુરુષોની સમ્મતિથી મંગળરૂપ માન્યા છે, મોક્ષનાં સર્વોત્તમ કારણરૂપ માન્યાં છે : - ૧. માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી; તો જ્યારથી તે વાક્ય શ્રવણ કર્યું, ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું. ૨. કોઈ પણ પ્રકારે સદ્દગુરુનો શોધ કરવો; શોધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણબુદ્ધિ કરવી; તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાધન કરવું; અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું. ૩. અનાદિકાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર નિ દિક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર, સત્’ મળ્યા નથી, “સતુ' સુપ્યું નથી, અને “સતુ” શ્રધ્યું નથી, અને એ મળે, એ સુર્યો, અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. ૪. મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે. (પત્રાંક : ૧૯૩) | ** નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો; સત્પષની ભક્તિ પ્રત્યે લીન થવું; સત્યરુષોના ચરિત્રોનું સ્મરણ કરવું; સપુરુષોનાં લક્ષણનું ચિંતન કરવું; સત્પરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું; તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં; તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું. Page #208 -------------------------------------------------------------------------- ________________ આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવા યોગ્ય, ક્ષણે ક્ષણે સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય, પરમ રહસ્ય છે. અને એ જ સર્વ શાસ્ત્રનો, સર્વ સંતના હૃદયનો ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહા માર્ગ છે. અને એ સઘળાનું કારણે કોઈ વિદ્યમાન પુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. (પત્રાંક : ૧૭૨) *** ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યકપ્રતીતિ આવ્યા વિના સસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આધ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે, અને સેવશે. જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાનપ્રાપ્તિનો એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ જોવા જતાં એ જ છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઇચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. આ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. (પત્રાંક : ૧૯૪) *** માર્ગની ઇચ્છા જેને ઉત્પન્ન થઈ છે, તેણે બધા વિકલ્પો મૂકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો અવશ્યનો છે : અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી ? અને તે શું કરવાથી થાય ?' (પત્રાંક : ૧૯૫) *** જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જીવ ઉપાધિનો રાખે તો મનુષ્યત્ત્વનું સફળ થવું ક્યારે સંભવે ? મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણકારક છે; એવો નિશ્ચય કરવો જોઈએ. અને સફળપણા માટે જે જે સાધનોની પ્રાપ્તિ કરવી યોગ્ય છે, તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઈએ. (પત્રાંક : ૧૯૯). ** વચનાવલી ૧. જીવ પોતાને ભૂલી ગયો છે, પણ તેથી સસુખનો તેને વિયોગ છે, એમ સર્વ ધર્મ સમ્મત કહ્યું છે. ૨. પોતાને ભૂલી ગયારૂપ અજ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ થાય છે, એમ નિઃશંક માનવું. ૩. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ. એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લોકલજ્જાદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. ૪. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઇચ્છવી, તેણે જ્ઞાનની ઇચ્છાએ વર્તવું એમ જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે. પોતાની ઇચ્છાએ પ્રવર્તતાં અનાદિ કાળથી રખડ્યો. ૫. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી. સંભવતી નથી. ૯. ઋષભદેવજીએ અઠ્ઠાણું પુત્રોને ત્વરાથી મોક્ષ થવાનો એ જ ઉપદેશ કર્યો હતો. =======122 ર૦છા Z9X9Z9X9290292692 Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૦. પરીક્ષિત રાજાને શુકદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે. ૧૧. અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તોપણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે. ૧૨. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે; મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. ૧૩. આ જ્ઞાનમાર્ગની શ્રેણી કહી, એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી. (પત્રાંક : ૨૦૦) *** ઘણા ઘણા પ્રકા૨થી મનન કરતાં અમારો દ્દઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે સત્પુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. (પત્રાંક : ૨૦૧) *** ‘સત્’ એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે, અને એ જ જીવનો મોહ છે. ‘સત્' જે કંઈ છે, તે ‘સત્' જ છે; સરળ છે; સુગમ છે; અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે; માટે જેની પ્રાપ્ત ક૨વાની દૃઢ મતિ થઈ છે, તેણે પોતે કંઈ જ જાણતો નથી એવો દૃઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો, અને પછી ‘સત્'ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. આ જે વચનો લખ્યાં છે, તે સર્વ મુમુક્ષુને ૫૨મ બંધવરૂપ છે, પરમ રક્ષકરૂપ છે; અને એને સમ્યક્ પ્રકારે વિચાર્યેથી પરમપદને આપે એવાં છે; તેમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, ષડ્દર્શનનું સર્વોત્તમ તત્ત્વ અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે. (પત્રાંક : ૨૧૧) *** હુ કર્તા, હું મનુષ્ય, હું સુખી, હું દુઃખી એ વગેરે પ્રકારથી રહેલું દેહાભિમાન, તે જેનું ગળી ગયું છે, અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણ્યો છે, તેનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ જ છે. (પત્રાંક : ૨૨૫) *** સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ ૫૨મધર્મ કહ્યો છે; અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે; જેથી સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે અને પ૨મ જોગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ ‘પરમ દૈન્યત્વ' જ્યાં સુધી આવરિત રહ્યું છે ત્યાં સુધી જીવની જોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે. (પત્રાંક : ૨૫૪) *** સ્વરૂપ સહજમાં છે. જ્ઞાનીનાં ચરણ સેવન વિના અનંત કાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે. (પત્રાંક : ૩૧૫) *** આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે, જેમ જેમ તેને વિષેથી પોતાપણાનું અભિમાન મંદપરિણામને પામે છે; તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે. (પત્રાંક : ૩૩૨) મોક્ષ તો આ કાળને વિષે પણ પ્રાપ્ત હોય, અથવા પ્રાપ્ત થાય છે. પણ મુક્તપણાનું દાન આપનાર એવા ૫૨૦૮ ॥ Page #210 -------------------------------------------------------------------------- ________________ પુરુષની પ્રાપ્તિ પરમ દુર્લભ છે; અર્થાત્ મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. (પત્રાંક : ૩૭૯) ** સૂર્ય ઉદય-અસ્ત રહિત છે, માત્ર લોકોને ચક્ષુમર્યાદાથી બહાર વર્તે ત્યારે અસ્ત અને ચક્ષુમર્યાદાને વિષે વર્તે ત્યારે ઉદય એમ ભાસે છે. પણ સૂર્યને વિષે તો ઉદયઅસ્ત નથી. તેમજ જ્ઞાની છે તે, બધા પ્રસંગને વિષે જેમ છે તેમ છે, માત્ર પ્રસંગની મર્યાદા ઉપરાંત લોકોનું જ્ઞાન નથી, એટલે પોતાની જેવી તે પ્રસંગને વિષે દશા થઈ શકે તેવી દશા, જ્ઞાનીને વિષે કહ્યું છે; અને એ કલ્પના જ્ઞાનીનું પરમ એવું જે આત્મપણું, પરિતોષપણું, મુક્તપણું તે જીવને જણાવા દેતી નથી, એમ જાણવા યોગ્ય છે. (પત્રાંક : ૩૮૫) જગત જ્યાં સૂએ છે ત્યાં જ્ઞાની જાગે છે, જ્ઞાની જાગે છે ત્યાં જગત સૂએ છે. જગત જાગે છે, ત્યાં જ્ઞાની સૂએ છે.” એમ શ્રીકૃષ્ણ કહે છે. (પત્રાંક : ૩૮૮). જેને દર્શનમોહનીય ઉદયપણે, બળવાનપણે વર્તે છે, એવા જીવને માત્ર પુરુષાદિકની અવજ્ઞા બોલવાનો પ્રસંગ આપણાથી પ્રાપ્ત ન થાય એટલો ઉપયોગ રાખી વર્તવું, એ તેનું અને ઉપયોગ રાખનાર એ બન્નેના કલ્યાણનું કારણ છે. (પત્રાંક : ૩૯૭) જ્ઞાની પુરુષને મળીને જે આત્મભાવે, સ્વચ્છંદપણે, કામનાએ કરી, રસ કરી, જ્ઞાનીનાં વચનની ઉપેક્ષા કરી, “અનુપયોગપરિણામી” થઈ સંસારને ભજે છે, તે પુરુષ તીર્થંકરના માર્ગથી બહાર છે, એમ કહેવાનો તીર્થંકરનો આશય છે. (પત્રાંક : ૪૧૪). * * * ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે. એ સર્વમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે, તે ધ્યાન કહેવાય છે; અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ, ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. એવું જે આત્મજ્ઞાન તે યથાર્થ બોધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. એ યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ઘણા જીવોને થાય છે, અને તેનો મુખ્ય માર્ગ તે બોધસ્વરૂપ એવા જ્ઞાનીપુરુષનો આશ્રય કે સંગ અને તેને વિષે બહુમાન, પ્રેમ એ છે. જ્ઞાનીપુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ. એક તો “હું જાણું છું’, ‘સમજુ છું” એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. બીજુ પરિગ્રહાદિકને વિષે જ્ઞાનીપુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ. ત્રીજું લોકભયને લીધે, અપકીર્તિભયને લીધે, અને અપમાનભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું. (પત્રાંક : ૪૧૭) *** સમતા, રમતા, ઊરધતા, જ્ઞાયકતા, સુખભાસ; વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.' પૂર્વે ઘણાં શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારનાં ફળમાં સંપુરુષને વિષે જેનાં વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે, તે તીર્થંકરનાં વચનને નમસ્કાર કરીએ છીએ. (SEP-252=B> >CRACED ૨૦૯I SMS8Z® $Z® L$S>$$>$$Z S ' . Page #211 -------------------------------------------------------------------------- ________________ ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી, તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થંકરના માર્ગબોધને નમસ્કાર કરીએ છીએ. (પત્રાંક : ૪૩૬) ** આત્માને સમાધિ થવા માટે, આત્મસ્વરૂપમાં સ્થિતિ માટે સુધારસ કે જે મુખને વિષે વરસે છે, તે એક અપૂર્વ આધાર છે; માટે કોઈ રીતે તેને બીજજ્ઞાન કહો તો હરકત નથી; માત્ર એટલો ભેદ છે કે તે જ્ઞાન જ્ઞાની પુરુષ, કે જે તેથી આગળ છે, આત્મા છે, એમ જાણનાર હોવા જોઈએ. (પત્રાંક : ૪૭૧). * * “હે જીવો ! તમે બૂઝો, સમ્યક-પ્રકારે બૂઝો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, અને ચારે ગતિને વિષે ભય છે, એમ જાણો. અજ્ઞાનથી સવિવેક પામવો દુર્લભ છે, એમ સમજો. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે, એમ જાણો; અને “સર્વ જીવ' પોતપોતાનાં કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે, તેનો વિચાર કરો. (પત્રાંક : ૪૯૧) *** જે મુમુક્ષુજીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તતા હોય, તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ. નહીં તો ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય છે. (પત્રાંક : ૪૯૬) હે જીવ ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા ! નહીં તો રત્નચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે સત્પરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવાયોગ્ય છે. (પત્રાંક : ૫૦૫) *** જે વર્ધમાનસ્વામી ગૃહવાસમાં છતાં અભોગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા, નિસ્પૃહ હતા, અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા, આત્માકાર પરિણામી હતા, તે વર્ધમાનસ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, નીરસ જાણીને દૂર પ્રવર્યા; તે વ્યવસાય, બીજા જીવે કરી કાયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે, તે વિચારવાયોગ્ય છે. (પત્રાંક : ૫૧૬) ગં ગં ગં જ્ઞાની પુરુષનો સત્સંગ થયે, નિશ્ચય થયે, અને તેના માર્ગને આરાધ્ધ જીવને દર્શનમોહનીય કર્મ ઉપશમે છે કે ક્ષય થાય છે, અને અનુક્રમે સર્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ જીવ કૃતકૃત્ય થાય છે, એ વાત પ્રગટ સત્ય છે; પણ તેથી ઉપાર્જિત પ્રારબ્ધ પણ ભોગવવું પડતું નથી એમ સિદ્ધાંત થઈ શકતો નથી. (પત્રાંક : ૫૪૮) મેં એક ગર કોઈ પણ પરપદાર્થને વિષે ઇચ્છાની પ્રવૃત્તિ છે, અને કોઈ પણ પરપદાર્થના વિયોગની ચિંતા છે, તેને શ્રી જિન આર્તધ્યાન કહે છે, તેમાં અંદેશો ઘટતો નથી. (પત્રાંક : પપ૧). ગ ગ જો જ્ઞાની પુરુષના દઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છે; તો પછી ક્ષણેક્ષણે આત્મોપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ તે જ્ઞાનીપુરુષના દઢ આશ્રયે પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય ? કેમકે તે ઉપયોગના Page #212 -------------------------------------------------------------------------- ________________ છે કે જે એકાગ્રપણા વિના તો મોક્ષપદની ઉત્પત્તિ છે નહીં. (પત્રાંક : ૫૦૦) સર્વ કલેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. સદ્વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ-પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી એમાં કિંચિત્માત્ર સંશય નથી. આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર ‘સમાધિ' કહે છે. આત્મપરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થંકર “અસમાધિ' કહે છે. આત્મપરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થકર “ધર્મ' કહે છે. આત્મપરિણામની કંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ‘કર્મ' કહે છે. (પત્રાંક : ૫૯૮). *** આરંભપરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્યસંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. કોઈપણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદજાગૃતિ થાય તો તેને મેં વિશેષ દૂર નથી. અન્ય પરિણામમાં જેટલી તાદાસ્યવૃત્તિ છે, તેટલો જીવથી મોક્ષ દૂર છે. વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્યપરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે, અસત્સંગપ્રસંગનો ઘેરાવો વિશેષ છે, અને આ જીવ તેથી અનાદિકાળને હીનસત્ત્વ થયો હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે તો કોઈ રીતે પુરુષાર્થયોગ્ય થઈ વિચાર દશાને પામે. (પત્રાંક : પ૬૯) * * * ૧, સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ “મોક્ષ' કહે છે. ૩. સંગના યોગે આ જીવ સહજસ્થિતિને ભૂલ્યો છે; સંગની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે. ૪. એ જ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યાં છે. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી, નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સ્વાર્પણપણે ઉપસવો યોગ્ય છે; કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, એવો અમારો આત્મસાક્ષાત્કાર છે. ૧૧. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કોઈ મહતું પુણ્યયોગે તે ઓળખાણ થયે નિશ્ચય કરી આ જ સત્સંગ, સપુરુષ છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી; પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્યું કાર્યો અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરી જોવા, જોઈને તે પરિક્ષણ કરવા; અને તે સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિસ્નેહ થવા દેવો યોગ્ય નથી. તેમ પ્રમાદે રસગારવાદિ દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મંદ રહે છે, અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવવું ઘટે નહીં. ૧૨. સત્સંગનું એટલે સત્પષનું એળખાણ થયે પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો કે જે આરાધનાથી જીવને અપૂર્વ | STYPE 2) / OF - Page #213 -------------------------------------------------------------------------- ________________ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય છે. સંક્ષેપમાં લખાયેલાં જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારાં આ વાક્યો મુમુક્ષુજીને પોતાના આત્માને વિશે નિરંતર પરિણામી કરવા યોગ્ય છે; જે પોતાના આત્મગુણને વિશેષ વિચારવા શબ્દરૂપે અમે આલેખ્યું છે. (પત્રાંક : ૯૦૯). એક પળનો હીન ઉપયોગ તે એક અમૂલ્ય કૌસ્તુભ ખોવા કરતા પણ વિશેષ હાનિકારક છે, તો .... આખી આયુષ્ય સ્થિતિનો હીન ઉપયોગ એ કેટલી હાનિ અને કેટલાં અશ્રેયનું કારણ થાય એ વિચાર શુક્લ હૃદયથી તરત આવી શકશે. (પત્રાંક : ૯૪૯) *** શરીર કોનું છે ? મોહનું છે. માટે અસંગભાવના રાખવી યોગ્ય છે. (પત્રાંક : ૭00) ** * રાગદ્વેષનાં પ્રત્યક્ષ બળવાન નિમિત્તો પ્રાપ્ત થયે પણ જેનો આત્મભાવ કિંચિત્માત્ર પણ ક્ષોભ પામતો નથી, તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતાં પણ મહા નિર્જરા થાય, એમાં સંશય નથી. (પત્રાંક : ૭૩૬) *** સર્વ દુઃખનો આત્યંતિક અભાવ અને પરમ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ એ જ મોક્ષ છે અને તે જ પરહિત છે. વિતરાગસન્માર્ગ તેનો સદુપાય છે. તે સન્માર્ગનો આ પ્રમાણે સંક્ષેપ છે : સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન, અને સમ્યફચારિત્રની એકત્રતા તે “મોક્ષમાર્ગ છે. (પત્રાંક : ૭૬૨). == = હે જીવ! આટલો બધો પ્રસાદ શો ? શદ્ધ આત્મપદની પ્રાપ્તિને અર્થે વિતરાગ સન્માર્ગની ઉપાસના કર્તવ્ય છે. સર્વજ્ઞદેવ નિગ્રંથગુરુ શુદ્ધ આત્મદષ્ટિ થવાનાં અવલંબન છે. દયા મુખ્ય ધર્મ | સર્વ અનુભવેલો એવો શુદ્ધઆત્મપ્રાપ્તિનો ઉપાય શ્રી ગુરુ વડે જાણીને, તેનું રહસ્ય ધ્યાનમાં લઈને આત્મપ્રાપ્તિ કરો. (પત્રાંક : ૭૬૪), * * * આર્ય સોભાગની અંતરંગદશા અને દેહમુક્ત સમયની દશા, હે મુનિઓ ! તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. (પત્રાંક : ૭૮૦) *** S | T : F / Page #214 -------------------------------------------------------------------------- ________________ ખેદ નહીં કરતાં શુરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે. વિષય કષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પોતાનું નિર્વીર્યપણું જોઈને ઘણો જ ખેદ થાય છે, અને આત્માને વારંવાર નિદે છે, ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહંત પુરુષનાં ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી જીવોએ લીધું છે. અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે. (પત્રાંક : ૮૧૯) દર્શનમોહ ઉપશાંત અથવા ક્ષીણ થયો છે જેનો એવો ધીર પુરુષ વીતરાગોએ દર્શાવેલા માર્ગને અંગીકાર કરીને શુદ્ધચૈતન્યસ્વભાવ પરિણામી થઈ મોક્ષપુર પ્રત્યે જાય છે. (પત્રાંક : ૮૯૫) દ્રવ્યોનુયોગ પર ગંભીર અને સૂક્ષ્મ છે, નિગ્રંથપ્રવચનનું રહસ્ય છે, શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે, શુક્લધ્યાનથી કેવળજ્ઞાન સમુત્પન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે. હે આર્ય ! દ્રવ્યાનુયોગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તે આ પુરુષનાં વચન તારા અંતઃકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. વધારે શું ? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુ:ખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે. (પત્રાંક : ૮૯૯). * * * ઇન્દ્રિયનિગ્રહના અભ્યાસપૂર્વક સત્કૃત અને સત્સમાગમ નિરંતર ઉપાસવાયોગ્ય છે. ક્ષીણમોહ પર્યત જ્ઞાનની આજ્ઞાનું અવલંબન પરમ હિતકારી છે. (પત્રાંક : ૮૮૮) *** જગત વિષયના વિક્ષેપમાં સ્વરૂપવિભ્રાંતિ વડે વિશ્રાંતિ પામતું નથી. અનંત અવ્યાબાધ સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે. એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠો છે. ભગવાન જિને દ્વાદશાંગી એ જ અર્થે નિરૂપણ કરી છે, અને એ જ ઉત્કૃષ્ટતાથી તે શોભે છે, જયવંત છે. જ્ઞાનીનાં વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતો એવો જીવ, ચેતન, જડને ભિન્નસ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે. યથાસ્થિત અનુભવ થવાથી સ્વરૂપસ્થ થવા યોગ્ય છે. દર્શનમોહ વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમભક્તિ સમુત્પન્ન થાય છે, તત્ત્વપ્રતીતિ સમ્યકપણે ઉત્પન્ન થાય છે. તત્ત્વપ્રતીતિ વડે શુદ્ધ ચૈતન્ય પ્રત્યે વૃત્તિનો પ્રવાહ વળે છે. શુદ્ધ ચૈતન્યના અનુભવ અર્થે ચારિત્રમોહ વ્યતીત કરવા યોગ્ય છે. ચારિત્રમોહ, ચૈતન્યના - જ્ઞાની પુરુષના સન્માર્ગના નૈષ્ઠિકપણાથી પ્રલય થાય છે. અસંગતાથી પરમાવગાઢ અનુભવ થવા યોગ્ય છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ હે આર્ય મુનિવરો ! એ જ અસંગ શુદ્ધ ચૈતન્યાર્થે અસંગયોગને અહોનિશ ઇચ્છીએ છીએ. હે મુનિવરો ! અસંગતાનો અભ્યાસ કરો. (પત્રાંક : ૯૦૧). *** સમસ્ત સંસારી જીવો કર્મવશાતુ શાતા-અશાતાનો ઉદય અનુભવ્યા જ કરે છે. જેમાં મુખ્યપણે તો અશાતાનો જ ઉદય અનુભવાય છે. કવચિત્ અથવા કોઈક દેહસંયોગમાં શાતાનો ઉદય અધિક અનુભવાતો જણાય છે, પણ વસ્તુતાએ ત્યાં પણ અંતરદાહ બળ્યા જ કરતો હોય છે. પૂર્ણ જ્ઞાની પણ જે અશાતાનું વર્ણન કરી શકવા યોગ્ય વચનયોગ ધરાવતા નથી, તેવી અનંત અનંત અશાતા આ જીવે ભોગવી છે, અને જો હજુ તેનાં કારણોનો નાશ કરવામાં ન આવે તો ભોગવવી પડે એ સુનિશ્ચિત છે. ... શાતા અશાતાનો ઉદય કે અનુભવ થવાનાં મૂળ કારણોને ગવેષવા એવા તે મહતુ પુરુષોને એવી વિલક્ષણ સાનંદાશ્ચર્યક વૃત્તિ ઉદ્ભવતી કે શાતા કરતાં અશાતાનો ઉદય સંપ્રાપ્ત થયું અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થયે તેમનું વીર્ય વિશેષપણે જાગ્રત થતું, ઉલ્લાસ પામતું અને તે સમય કલ્યાણકારી અધિકપણે સમજાતો. કેટલાક કારણવિશેષને યોગે વ્યવહારદૃષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય ઔષધાદિ આત્મમર્યાદામાં રહી ગ્રહણ કરતા પરંતુ મુખ્યપણે તે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધરૂપે ઉપાસતા. ઉપયોગ લક્ષણે સનાતનમ્ફરિત એવા આત્માને દેહથી, તેજસ અને કાર્મણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરી, તે ચૈતન્યાત્મકસ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી અબંધદશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા અશાતારૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી એમ નિશ્ચય કરી, જે શુભાશુભ પરિણામધારાની પરિણતિ વડે તે શાતા અશાતાનો સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ, દેહાદિથી ભિન્ન અને સ્વરૂપમર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી, પરમ શુદ્ધ ચૈતન્યસ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે તેથી ઉપરામ થઈ, જેમ ઉપશમતિ થવાય, તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે. ભયંકર નરકગતિમાં, તિર્યંચગતિમાં અને માઠી દેવ તથા મનુષ્યગતિમાં હે જીવ ! તું તીવ્ર દુઃખને પામ્યો, માટે હવે તો જિનભાવના (જિન ભગવાન જે પરમશાંત રસે પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમશાંતસ્વરૂપ ચિંતવના) ભાવ-ચિંતવ (કે જેથી તેવાં અનંત દુ:ખોનો આયાંતિક વિયોગ થઈ પરમ અવ્યાબાધ સુખસંપત્તિ સંપ્રાપ્ત થાય.) ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. (પત્રાંક : ૯૧૩) યથાર્થ જોઈએ તો શરીર એજ વેદનાની મૂર્તિ છે. સમયે સમયે જીવ તે દ્વારા વેદના જ વેદે છે. કવચિત્ શાતા અને પ્રાયે અશાતા જ વેદે છે. માનસિક અશાતાનું મુખ્યપણું છતાં તે સુક્ષ્મ સમ્યગુ દષ્ટિવાનને જણાય છે. શારીરિક અશાતાનું મુખ્યપણું ધૂળથી દૃષ્ટિવાનને પણ જણાય છે. .... ‘હું શરીર નથી, પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. આ વેદના માત્ર પૂર્વ કર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી, માટે મારે ખેદ કર્તવ્ય જ નથી એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે.” (પત્રાંક : ૯૨૭) *** ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણિને ચિંતામણિ કહ્યો છે; એ જ આ મનુષ્યદેહ છે કે જે દેહમાં, યોગમાં | | | | Page #216 -------------------------------------------------------------------------- ________________ આત્યંતિક એવા સર્વ દુઃખના ક્ષયની ચિંતિતા ધારી તો પાર પડે છે. અચિંત્ય જેનું માહાત્મ છે એવું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તે આ જગતને વિષે તે અગિયારમું આશ્ચર્ય જ છે. (પત્રાંક : ૯૩૭). *** કોણ છું ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ?” એ પણ જીવ વિચાર કરે તેને નવ તત્ત્વનો, તત્ત્વજ્ઞાનનો સંપૂર્ણ બોધ મળી જાય એમ છે. એમાં તત્ત્વજ્ઞાન સંપૂર્ણ સમાવેશ પામે છે. શાંતિપૂર્વક, વિવેકથી વિચારવું જોઈએ. (પત્રાંક : ૯૫૯) જેમ બને તેમ સદુવૃત્તિ અને સદાચાર સેવવાં, જ્ઞાની પુરુષ કાંઈ વ્રત આપે નહીં અર્થાતુ જ્યારે પ્રગટ માર્ગ કહે અને વ્રત આપવાનું જણાવે ત્યારે વ્રત અંગીકાર કરવાં. પણ ત્યાં સુધી યથાશક્તિ સદ્ગત અને સદાચાર સેવવાં એમાં સદાય જ્ઞાની પુરુષની આજ્ઞા છે. દંભ, અહંકાર, આગ્રહ, કંઈ પણ કામના, ફળની ઇચ્છા અને લોકને દેખાડવાની બુદ્ધિ એ સઘળા દોષો છે તેથી રહિત વ્રતાદિ સેવવાં. વારંવાર બોધ સાંભળવાની ઇચ્છા રાખવા કરતાં પુરુષના ચરણ સમીપમાં રહેવાની ઇચ્છા અને ચિંતન વિશેષ રાખવી. જે બોધ થયો છે તે સ્મરણમાં રાખીને વિચારાય તો અત્યંત કલ્યાણકારક છે. (પત્રાંક : ૯૫૯, ઉપદેશ છાયા - ૩). *** જ્ઞાન તેનું નામ કે જે હર્ષ, શોક વખતે હાજર થાય; અર્થાત્ હર્ષ, શોક થાય નહીં. સદ્દગુરુની આજ્ઞા વિના આત્માર્થી જીવના શ્વાસોચ્છવાસ સિવાય બીજું કાંઈ ન ચાલે એવી જિનની આજ્ઞા છે. (પત્રાંક : ૯૫૬, ઉપદેશ છાયા-૪) *** સર્વ ચરિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે, મોક્ષસંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે “બ્રહ્મચર્ય' અદ્ભુત અનુપમ સહાયકારી છે, અથવા મૂળભૂત છે. (હાથનોંધ ૩, પૃ. ૪૭) કામ, માન અને ઉતાવળ એ ત્રણનો વિશેષ સંયમ કરવો ઘટે છે. (હાથનોંધ ૧, પૃ. ૧૦૧) *** જેમ જેમ રાગદ્વેષ મંદ, તેમ તેમ કર્મબંધ મંદ અને જેમ જેમ રાગદ્વેષ તીવ્ર, તેમ તેમ કર્મબંધ તીવ્ર. રાગદ્વેષનો અભાવ ત્યાં કર્મબંધનો સાંપરાકિય અભાવ (હાથનોંધ ૨, પૃ. ૧૫) *** આમ કાળ વ્યતીત થવા દેવો યોગ્ય નથી. સમયે સમય આત્મઉપયોગે ઉપકારી કરીને નિવૃત્ત થવા દેવા યોગ્ય છે. (હાથનોંધ ૨, પૃ. ૨૯) * * * મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. NSSE: SS SRI 2 Page #217 -------------------------------------------------------------------------- ________________ Jaiti Education Instrational દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત જીવનની સૌથી મોટી યાત્રા એ અંતરયાત્રા છે. પ્રબુદ્ધ માનવી એ અંતરયાત્રાના એક પછી એક સોપાન સર કરતો જાય છે અને કોઈ વિભૂતિ એ અંતરયાત્રાના માર્ગે પ્રવાસ કરીને ચરમ શિખરે પહોંચતી હોય છે, પરંતુ આવી મહાન વિભૂતિઓ કે આત્માઓના ગહન ઊંડાણનું માપ આપણે ક્યાંથી પામી શકીએ ? પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીની અંતરંગ દશાનું સંપૂર્ણ ચિત્ર તો આપણે ક્યાંથી મેળવી શકીએ ? વધુમાં વધુ તો એની થોડી રેખાઓ જોઈ શકવાની આપણી ક્ષમતા છે, પરંતુ પરમ કૃપાળુદેવના વચનામૃતમાં તેઓની અંતરંગ દશાનું આલેખન થયું છે. એ અંતરંગ દશાનું અહીં અમે આલેખન કરીએ છીએ એની પાછળનો મુખ્ય હેતુ એ છે કે મુમુક્ષુ આત્મા આમાંથી યથાશક્તિ સમજ, બોધ, માર્ગદર્શન અને પ્રેરણા પ્રાપ્ત કરે અને એ રીતે એ આધ્યાત્મિક કલ્યાણના માર્ગે પ્રગતિ સાધે. *** Page #218 -------------------------------------------------------------------------- ________________ રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે, આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભોગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું ? હાડ, માંસ અને તેની મજ્જાને એક જ એ જ રંગનું રંગન છે. એક રોમ પણ જાણે એનો જ વિચાર કરે છે, અને તેને લીધે નથી કંઈ જોવું ગમતું, નથી કંઈ સુંઘવું ગમતું, નથી કંઈ સાંભળવું ગમતું નથી કંઈ ચાખવું ગમતું કે નથી કંઈ સ્પર્શવું ગમતું, નથી બોલવું ગમતું કે નથી મૌન રહેવું ગમતું, નથી બેસવું ગમતું કે નથી ઊઠવું ગમતું, નથી સૂવું ગમતું કે નથી જાગવું ગમતું, નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યું રહેવું ગમતું, નથી અસંગ ગમતો કે નથી સંગ ગમતો, નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી એમ છે; તથાપિ તે પ્રત્યે આશાનિરાશા કંઈ જ ઊગતું જણાતું નથી. તે તે હો તો પણ ભલે અને ન હો તો પણ ભલે, એ કંઈ દુઃખનાં કારણ નથી. દુઃખનું કારણ માત્ર વિષમાત્મા છે, અને તે જ સમ છે તો સર્વ સુખ જ છે. એ વૃત્તિને લીધે સમાધિ રહે છે. તથાપિ બહારથી ગૃહસ્થપણાની પ્રવૃત્તિ નથી થઈ શકતી, દેહભાવ દેખાડવો પાલવતો નથી, આત્મભાવથી પ્રવૃત્તિ બાહ્યથી કરવાને કેટલોક અંતરાય છે. ત્યારે હવે કેમ કરવું ? કયા પર્વતની ગુફામાં જવું અને અલોપ થઈ જવું, એ જ રટાય છે. તથાપિ બહારથી અમુક સંસારી પ્રવૃત્તિ કરવી પડે છે. (પત્રાંક : ૧૩૩) 4 * પ્રભાતમાં વહેલો ઊઠ્યો ત્યારથી કોઈ અપૂર્વ આનંદ વર્યા જ કરતો હતો. તેવામાં પદ મળ્યું; અને મૂળપદનું અતિશય સ્મરણ થયું; એકતાન થઈ ગયું. એકાકાર વૃત્તિનું વર્ણન શબ્દ કેમ કરી શકાય ? દિવસના બાર બજ્યા સુધી રહ્યું. અપૂર્વ આનંદ તો તેવો ને તેવો જ છે. પરંતુ બીજી વાર્તા (જ્ઞાનની) કરવામાં ત્યાર પછીનો કાળક્ષેપ કર્યો. કેવળજ્ઞાન હવે પામશું, પામશું, પામશું, પામશું રે... કે ” એવું એક પદ કર્યું. હૃદય બહુ આનંદમાં છે. (પત્રાંક : ૧૫૨) *** પૂર્વ પુણ્યના ઉદયથી, મળ્યો સગુરુ યોગ; વચન સુધા શ્રવણે જતાં, થયું હૃદય ગતશોગ. નિશ્ચય એથી આવિયો, ટળશે અહીં ઉતાય; નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ. (પત્રાંક : ૧૫૪). - * સર્વ સમર્થ પુરુષો આપને પ્રાપ્ત થયેલા જ્ઞાનને જ ગાઈ ગયા છે. એ જ્ઞાનની દિન-પ્રતિદિન આ આત્માને પણ વિશેષતા થતી જાય છે. હું ધારું છું કે કેવળજ્ઞાન સુધીની મહેનત કરી અલેખે તો નહીં જાય. મોક્ષની આપણને કાંઈ જરૂર નથી. નિઃશંકપણાની, નિર્ભયપણાની, નિર્મઝનપણાની અને નિઃસ્પૃહપણાની જરૂર હતી, તે ઘણે અંશે પ્રાપ્ત થઈ જણાય છે; અને પૂર્ણ અંશે પ્રાપ્ત કરાવવાની કરુણાસાગર ગુપ્ત રહેલાની કૃપા થશે એમ આશા રહે છે. છતાં વળી એથીયે અલૌકિક દશાની ઇચ્છા રહે છે, ત્યાં વિશેષ શું કહેવું ? અનહદ ધ્વનિમાં મણા નથી. પણ ગાડી ઘોડાની ઉપાધિ શ્રવણનું સુખ થોડું આપે છે. નિવૃત્તિ વિના અહીં બીજું બધુંય લાગે છે. જગતને, જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. (પત્રાંક : ૧૯૫) * * * SજારાXOXOX9XDMDz9zx | Sી ક Page #219 -------------------------------------------------------------------------- ________________ આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંશય છે; ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે, જે સુલભ છે. અને તે પામવાનો હેતુ પણ એ જ છે કે કોઈ પણ પ્રકારે અમૃતસાગરનું અવલોકન કરતાં અલ્પ પણ માયાનું આવરણ બાધ કરે નહીં; અવલોકનસુખનું અલ્પ પણ વિસ્મરણ થાય નહીં; “તુંહિ તુહિ” વિના બીજી રટણા રહે નહીં; માયિક એક પણ ભયનો, મોહનો સંકલ્પનો કે વિકલ્પનો અંશ રહે નહીં. તન્મય આત્મયોગમાં પ્રવેશ છે. ત્યાં જ ઉલ્લાસ છે, ત્યાં જ યાચના છે, અને યોગ (મન, વચન અને કાયા) બહાર પૂર્વકર્મ ભોગવે છે. વેદોદયનો નાશ થતાં સુધી ગૃહવાસમાં રહેવું યોગ્ય લાગે છે. પરમેશ્વર ચાહીને વેદોદય રાખે છે. (પત્રાંક : ૧૭૦) નિરંતર એક જ શ્રેણી વર્તે છે. હરિકૃપા પૂર્ણ છે. (પત્રાંક : ૧૭૧) એક બાજુથી પરમાર્થમાર્ગ ત્વરાથી પ્રકાશવા ઇચ્છા છે, અને એક બાજુથી અલખ “લે'માં સમાઈ જવું એમ રહે છે. અલખ ‘લે'માં આત્માએ કરી સમાવેશ થયો છે, યોગે કરીને કરવો એ એક રટણ છે. (પત્રાંક : ૧૭૯) *** છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. સર્વ પ્રકારનો એક દેશ બાદ કરતાં બાકી સર્વ અનુભવાયું છે. એક દેશ સમજાયા વિના રહ્યો નથી; પરંતુ યોગ(મન, વચન, કાયા)થી અસંગ થવા વનવાસની આવશ્યકતા છે; અને એમ થયે એ દેશ અનુભવાશે. (પત્રાંક : ૧૮૭) *** જ્ઞાનના ‘પરોક્ષ-અપરોક્ષ' વિષે પત્રથી લખી શકાય તેમ નથી; પણ સુધાની ધારા પછીનાં કેટલાંક દર્શન થયાં છે, અને જો અસંગતાની સાથે આપનો સત્સંગ હોય તો છેવટનું પરિપૂર્ણ પ્રકાશે તેમ છે; કારણ કે એ ઘણું કરીને સર્વ પ્રકારે જાણ્યું છે. અને તે જ વાટ તેનાં દર્શનની છે; (પત્રાંક : ૧૯૭) * : આજના પ્રભાતથી નિરંજનદેવની કોઈ અદ્દભુત અનુગ્રહતા પ્રકાશી છે; આજે ઘણા દિવસ થયાં ઇશ્કેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે. અમૃત પ્રવહે છે ત્યાં સહસદળ કમળ છે, એ મહીની મટુકી છે; અને આદિપુરુષ તેમાં બિરાજમાન છે તે ભગવંત વાસુદેવ છે (પત્રાંક : ૨૦૧) * * * પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી વિકટ વાટેથી થતો હોય તો પણ કરવો યોગ્ય જ છે. સરળ વાટ મળ્યા છતાં ઉપાધિના કારણથી તન્મયભક્તિ રહેતી નથી, અને એકતાર સ્નેહ ઊભરાતો નથી. આથી ખેદ રહ્યા કરે છે અને વારંવાર વનવાસની ઇચ્છા થયા કરે છે. જોકે વૈરાગ્ય તો એવો રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી, પરંતુ ઉપાધિના પ્રસંગને લીધે તેમાં ઉપયોગ રાખવાની વારંવાર જરૂર રહ્યા કરે છે, કે જેથી પરમ સ્નેહ પર તે વેળા આવરણ આણવું પડે; અને એવી પરમ સ્નેહતા અને અનન્ય પ્રેમભક્તિ આવ્યા વિના દેહત્યાગ કરવાની ઇચ્છા થતી નથી. (પત્રાંક : ૨૧૭) in Ediscation letto Personal salvate use only stary dre Page #220 -------------------------------------------------------------------------- ________________ પોતાનું અથવા પા૨કું જેને કંઈ રહ્યું નથી એવી કોઈ દશા તેની પ્રાપ્તિ હવે સમીપ જ છે, (આ દેહે છે); અને તેને લીધે પરેચ્છાથી વર્તીએ છીએ. પૂર્વે જે જે વિદ્યા, બોધ, જ્ઞાન, ક્રિયાની પ્રાપ્તિ થઈ ગઈ છે તે તે સઘળાં આ દેહે જ વિસ્મરણ કરી નિર્વિકલ્પ થયા વિના છૂટકો નથી; અને તેને લીધે જ આમ વર્તીએ છીએ. (પત્રાંક : ૨૩૪) **** ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે; જેથી વ્યવહારનાં બધાં કાર્ય ઘણું કરીને અવ્યવસ્થાથી કરીએ છીએ. હરિઇચ્છા સુખદાયક માનીએ છીએ. એટલે જે ઉપાધિજોગ વર્તે છે, તેને પણ સમાધિજોગ માનીએ છીએ. (પત્રાંક : ૨૪૭) *** એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કોઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે, એની ખબર રખાતી નથી; અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ; અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી; અમે બધાય પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ; વ્રતનિયમનો કંઈ નિયમ રાખ્યો નથી; જાતભાતનો કંઈ પ્રસંગ નથી; અમારાથી વિમુખ જગતમાં કોઈ માન્યું નથી; અમારાથી સન્મુખ એવા સત્સંગી નહીં મળતાં ખેદ રહે છે; સંપત્તિ પૂર્ણ છે એટલે સંપત્તિની ઇચ્છા નથી; શબ્દદિક વિષયો અનુભવ્યા સ્મૃતિમાં આવવાથી, અથવા ઇશ્વરેચ્છાથી તેની ઇચ્છા રહી નથી; પોતાની ઇચ્છાએ થોડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે; જેમ હિરએ ઇચ્છેલો ક્રમ દોરે તેમ દોરાઈએ છીએ; હૃદય પ્રાયે શૂન્ય જેવું થઈ ગયું છે; પાંચે ઇન્દ્રિયો શૂન્યપણે પ્રવર્તવારૂપ જ રહે છે; આદિપુરુષને વિષે અખંડ પ્રેમ સિવાય બીજા મોક્ષાદિક પદાર્થોમાંની આકાંક્ષાનો ભંગ થઈ ગયો છે; આટલું બધું છતાં મનમાનતી ઉદાસીનતા નથી, એમ માનીએ છીએ; અખંડ પ્રેમખુમારી જેવી પ્રવહવી જોઈએ તેવી પ્રવહતી નથી, એમ જાણીએ છીએ; આમ કરવાથી તે અખંડ ખુમારી પ્રવહે એમ નિશ્ચળપણે જાણીએ છીએ; પણ તે કરવામાં કાળ કારણભૂત થઈ પડ્યો છે; અને એ સર્વનો દોષ અમને છે કે હરિને છે, એવો ચોક્કસ નિશ્ચય કરી શકાતો નથી. એટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ; લઈએ છીએ, દઈએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ; જાળવીએ છીએ, અને ખેદ પામીએ છીએ. વળી હસીએ છીએ. - જેનું ઠેકાણું નથી એવી અમારી દશા છે; (પત્રાંક : ૨૫૫) ****** અમારું ચિત્ત તો બહુ હરિમય રહે છે, પણ સંગ બધા કળિયુગના રહ્યા છે. માયાના પ્રસંગમાં રાતદિવસ રહેવું રહે છે; એટલે પૂર્ણ હરિમય ચિત્ત રહી શકવું દુર્લભ હોય છે, અને ત્યાં સુધી અમારા ચિત્તને ઉદ્વેગ મટશે નહીં. (પત્રાંક : ૨૫૯) *** ચિત્ત ઉદાસ રહે છે; કંઈ ગમતું નથી; અને જે કંઈ ગમતું નથી તે જ બધું નજરે પડે છે; તે જ સંભળાય છે. ત્યાં હવે શું કરવું ? મન કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરી શકતું નથી. જેથી પ્રત્યેક કાર્ય મુલતવાં પડે છે; કાંઈ વાંચન, લેખન કે જનપરિચયમાં રુચિ આવતી નથી. ચાલતા મતના પ્રકારની વાત કાને પડે છે કે હૃદયને વિષે મૃત્યુથી અધિક વેદના થાય છે. (પત્રાંક : ૨૭૭) *** સમયે સમયે અનંતગુણવિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે, જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી. અથવા કળી શકે તેવાનો પ્રસંગ નથી. આત્માને વિષે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી વર્ધમાનને વિષે હતું એમ જણાય છે. પૂર્ણ વીતરાગ જેવો બોધ તે અમને સહેજે સાંભરી આવે છે. (પત્રાંક : ૩૧૩) He he pe ॥૨૧૯ ॥ Page #221 -------------------------------------------------------------------------- ________________ છે જ. એ વીર CNN જે અમારું અનુભવજ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને વિતરાગનું કહેલું તે શ્રુતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે; માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ. વન અને ઘર એ બન્ને કોઈ પ્રકારે અમને સમાન છે, તથાપિ વનમાં પૂર્ણ વીતરાગભાવને અર્થે રહેવું વધારે રુચિકર લાગે છે; સુખની ઇચ્છા નથી પણ વીતરાગપણાની ઇચ્છા છે. (પત્રાંક : ૩૨૨) ચોતરફ ઉપાધિની વાલા પ્રજવલતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે, અને તે વાત તો પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. અમને પણ આશ્ચર્ય થઈ આવે છે, તથાપિ એમ પ્રાયે વર્યા જ કરે છે, એવો અનુભવ છે. આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, નિશ્ચલ રહે છે, તેને એ સમાધિ પ્રાપ્ત હોય છે. સમ્યફદર્શનનું મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છીએ; અને તેવો અનુભવ છે. (પત્રાંક : ૩૨૪) મે મૃત. અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી. તથાપિ અનેક વર્ષો થયાં વિકલ્પરૂપ ઉપાધિને આરાધ્યા જઈએ છીએ. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કોઈ જાતની ઉપાધિ હોવી તો સંભવે છે; તથાપિ અવિકલ્પ સમાધિમાં સ્થિત એવા જ્ઞાનીને તો તે ઉપાધિ પણ અબાધ છે, અર્થાત્ સમાધિ જ છે. (પત્રાંક : ૩૨૯) અમને તો ગમે તેમ હો તોપણ સમાધિ જ રાખ્યા કરવાની દૃઢતા રહે છે. પોતાને જે કાંઈ આપત્તિ, વિટંબના, મૂંઝવણ કે એવું કાંઈ આવી પડે તેને માટે કોઈ પ્રત્યે દોષનું આરોપણ કરવાની ઇચ્છા થતી નથી. તેમ પુરુષાર્થદષ્ટિએ જોતાં તે જીવનો દોષ છે. (પત્રાંક : ૩૪૧) *** સમય માત્ર પણ અપ્રમત્તધારાને નહીં વિસ્મરણ કરતું એવું જે આત્માકાર મન તે વર્તમાન સમયે ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે; અને જે કોઈ પણ પ્રકારે વતાય છે, તેનું કારણ પૂવે નિબંધન કરવામાં આવેલો એ ઉદય છે. તે ઉદયને વિષે પ્રીતિ પણ નથી, અને અપ્રીતિ પણ નથી. સમતા છે; કરવા યોગ્ય પણ એમ જ છે. (પત્રાંક : ૩પ૩) મક કે ન જેને બોધબીજની ઉત્પત્તિ હોય છે, તેને સ્વરૂપસુખથી કરીને પરિતૃપ્તપણે વર્તે છે, અને વિષય પ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે. જે જીવિતવ્યમાં ક્ષણિકપણું છે, તે જીવિતવ્યમાં જ્ઞાનીઓએ નિત્યપણું પ્રાપ્ત કર્યું છે, એ અચરજની વાત છે. (પત્રાંક : ૩૬૦) 若若若 વિચારવાન પુરુષને કેવળ ક્લેશરૂપ ભાસે છે, એવો આ સંસાર તેને વિષે હવે ફરી આત્મભાવે કરી જન્મવાની નિચ્ચળ પ્રતિજ્ઞા છે. ત્રણે કાળને વિષે હવે પછી આ સંસારનું સ્વરૂપ અન્યપણે ભાસ્યમાન થવા યોગ્ય મા૨૨૦ DEOXOXOXOXOXOX E'S - ' SS EXERE S S Page #222 -------------------------------------------------------------------------- ________________ 1070TCORORORORONORORONON નથી, અને ભાસે એવું ત્રણે કાળને વિષે સંભવતું નથી. અત્રે આત્મભાવે સમાધિ છે; ઉદયભાવ પ્રત્યે ઉપાધિ વર્તે છે. (પત્રાંક : ૩૮૩) * ગઝલ જોકે અમારું ચિત્ત નેત્ર જેવું છે; નેત્રને વિષે બીજા અવયવની પેઠે એક રજકણ પણ સહન થઈ શકે નહીં. બીજા અવયવોરૂપ અન્ય ચિત્ત છે. અમને વર્તે છે એવું જે ચિત્ત તે નેત્રરૂપ છે, તેને વિષે વાણીનું ઊઠવું, સમજાવવું, આ કરવું અથવા આ ન કરવું, એવી વિચારણા કરવી તે માંડ માંડ બને છે. ઘણી ક્રિયા તો શૂન્યપણાની પેઠે વર્તે છે; આવી સ્થિતિ છતાં ઉપાધિજોગ તો બળવાનપણે આરાધીએ છીએ. એ વેદવું વિકટ ઓછું લાગતું નથી, કારણ કે આંખની પાસે જમીનની રેતી ઉપડાવવાનું કાર્ય થવારૂપ થાય છે. તે જેમ દુ:ખે - અત્યંત દુ:ખે – થવું વિકટ છે, તેમ ચિત્તને ઉપાધિ તે પરિણામરૂપ થવા બરોબર છે. સુગમપણાએ સ્થિત ચિત્ત હોવાથી વેદનાને સમય પ્રકારે વેદે છે, અખંડ સમાધિપણે વેદે છે. (પત્રાંક : ૩૮૫). અન-અવકાશ એવું આત્મસ્વરૂપ વર્તે છે; જેમાં પારબ્ધોદય સિવાય બીજો કોઈ અવકાશજોગ નથી. તે ઉદયમાં ક્વચિત્ પરમાર્થભાષા કહેવારૂપ જોગ ઉદય આવે છે, ક્વચિત્ પરમાર્થભાષા લખવારૂપ જોગ ઉદય આવે છે, ક્વચિત્ પરમાર્થભાષા સમજાવવારૂપ જોગ આવે છે. વિશેષપણે વૈશ્યદારૂપ જોગ હાલ તો ઉદયમાં વર્તે છે; અને જે કંઈ ઉદયમાં નથી આવતું તે કરી શકવાનું હાલ તો અસમર્થપણું છે. (પત્રાંક : ૩૯૬) * * * મુમુક્ષુજન સત્સંગમાં હોય તો નિરંતર ઉલ્લાસિત પરિણામમાં રહી આત્મસાધન અલ્પકાળમાં કરી શકે છે, એ વાર્તા યથાર્થ છે; તેમ જ સત્સંગના અભાવમાં સમપરિણતિ રહેવી એ વિકટ છે; તથપિ એમ કરવામાં જ આત્મસાધન રહ્યું હોવાથી ગમે તેવાં માઠાં નિમિત્તમાં પણ જે પ્રકારે સમપરિણતિ આવે તે પ્રકારે પ્રવર્તવું એ જ યોગ્ય છે. (પત્રાંક : ૩૯૯). મુક : ક તે પુરુષ નમન કરવા યોગ્ય છે, કીર્તન કરવા યોગ્ય છે, પરમપ્રેમે ગુણગ્રામ કરવા યોગ્ય છે, ફરી ફરી વિશિષ્ટ આત્મપરિણામે ધ્યાન કરવા યોગ્ય છે, જે પુરુષને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કોઈ પણ પ્રકારનું પ્રતિબદ્ધપણું વર્તતું નથી. ચિત્તને વિષે જેવું આ ઉપાધિયોગ આરાધીએ છીએ ત્યારથી મુક્તપણે વર્તે છે, તેવું મુક્તપણું અનુપાધિ પ્રસંગમાં પણ વર્તતું નહોતું; એવી નિચળદશા માગશર સુદ ૯થી એકધારાએ વર્તી આવી છે. (પત્રાંક : ૪00) * * * ૨૨૧ | Page #223 -------------------------------------------------------------------------- ________________ જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે, અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે; અર્થાતુ જે સંસારમાં સ્નેહ રહ્યો નથી, તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે, અને ઉદય અનુક્રમે વેદન થયા કરે છે. એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ-વૃદ્ધિ કરવાની ઇચ્છા ઉત્પન્ન થતી નથી; અને એમ જાણીએ છીએ કે જ્ઞાની પુરુષોનું પણ તે સનાતન આચરણ છે; તથાપિ જેમાં સ્નેહ રહ્યો નથી, અથવા સ્નેહ રાખવાની ઇચ્છા નિવૃત્ત થઈ છે, અથવા નિવૃત્ત થવા આવી છે, તેવા આ સંસારમાં કાર્યપણે - કારણપણે પ્રવર્તવાની ઇચ્છા રહી નથી, તેનાથી નિવૃત્તપણું જ આત્માને વિષે વર્તે છે, તેમ છતાં પણ તેના અનેક પ્રકારના સંગ-પ્રસંગમાં પ્રવર્તવું પડે એવું પૂર્વે કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે, જે સમપરિણામે વેદન કરીએ છીએ, તથાપિ હજુ પણ તે કેટલાક વખત સુધી ઉદયજોગ છે, એમ જાણી ક્વચિત્ ખેદ પામીએ છીએ, ક્વચિત્ વિશેષ ખેદ પામીએ છીએ; અને તે ખેદનું કારણ વિચારી જોતાં તો પરાનુકંપારૂપ જણાય છે. (પત્રાંક : ૪૦૮) ભવાંતરનું જો સ્પષ્ટ જ્ઞાન કોઈને થતું ન હોય તો આત્માનું સ્પષ્ટ જ્ઞાન પણ કોઈને થતું નથી, એમ કહેવા તુલ્ય છે; તથાપિ એમ તો નથી. આત્માનું સ્પષ્ટ જ્ઞાન થાય છે, અને ભવાંતર પણ સ્પષ્ટ ભાસે છે. પોતાના તેમજ પરના ભવ જાણવાનું જ્ઞાન કોઈ પ્રકારે વિસંવાદપણાને પામતું નથી. ચરમ શરીરપણું જાણીએ કે આ કાળમાં નથી, તથાપિ અશરીરીભાવપણે આત્મસ્થિતિ છે તો ભાવ નયે ચરમશરીરપણું નહીં, પણ સિદ્ધપણું છે; અને તે અશરીરીભાવ આ કાળને વિષે નથી એમ અત્રે કહીએ. તો આ કાળમાં અમે પોતે નથી, એમ કહેવા તુલ્ય છે. (પત્રાંક : ૪૧૧) * એક ઝેર જે કંઈ ઉપાધિ કરાય છે, તે કંઈ “સ્વપણાને કારણે કરવામાં આવતી નથી; તેમ કરાતી નથી. જે કારણે કરાય છે, તે કારણે અનુક્રમે વેદવાયોગ્ય એવું પ્રારબ્ધ કર્મ છે. જે કંઈ ઉદય આવે તે અવિસંવાદ પરિણામે વેદવું એવું જે જ્ઞાનીનું બોધન છે તે અમારે વિષે નિશ્ચળ છે, એટલે તે પ્રકારે વેદીએ છીએ; તથાપિ ઇચ્છા તો એમ રહે છે કે અલ્પકાળને વિષે, એક સમયને વિષે જો તે ઉદય અસત્તાને પામતો હોય તો અમે આ બધામાંથી ઊઠી ચાલ્યા જઈએ; એટલી આત્માને મોકળાશ વર્તે છે. તથાપિ ‘નિદ્રાકાળ', ભોજનકાળ તથા અમુક છૂટક કાળ સિવાય ઉપાધિનો પ્રસંગ રહ્યા કરે છે, અને કંઈ ભિન્નાંતર થતું નથી, તોપણ આત્મોપયોગ કોઈ પ્રસંગે પણ અપ્રધાનપણું ભજતો જોવામાં આવે છે, અને તે પ્રસંગે મૃત્યુના શોકથી અત્યંત અધિક શોક થાય છે, એમ નિ:સંદેહ છે. એમ હોવાથી અને ગૃહસ્થ પ્રત્યયી જ્યાં સુધી ઉદયમાં વર્તે ત્યાં સુધીમાં “સર્વથા અયાચકપણાને ભજતું ચિત્ત રહેવામાં જ્ઞાની પુરુષોનો માર્ગ રહેતો હોવાથી આ ઉપાધિ ભજીએ છીએ. જો તે માર્ગની ઉપેક્ષા કરીએ તોપણ જ્ઞાનીને વિરાધીએ નહીં એમ છે, છતાં ઉપેક્ષા થઈ શકતી નથી. જો ઉપેક્ષા કરીએ તો ગૃહસ્થપણું પણ વનવાસીપણે ભજાય એવો આકરો વૈરાગ્ય વર્તે છે. સર્વ પ્રકારના કર્તવ્યને વિષે ઉદાસીન એવા અમારાથી કંઈ થઈ શકતું હોય તો તે એક જ થઈ શકે છે કે પૂર્વોપાર્જિતનું સમતાપણે વેદન કરવું; અને જે કંઈ કરાય છે તે તેના આધારે કરાય છે એમ વર્તે છે. (પત્રાંક : ૪૧૪) * * * ( કોઈપણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી. સ્ત્રી જે છે તેનાથી પૂર્વે બંધાયેલું ભોગકર્મ નિવૃત્ત કરવું છે. કુટુંબ છે તેનું પૂર્વેનું કરેલું કરજ આપી નિવૃત્ત થવા અર્થે રહ્યા છીએ. રેવાશંકર છે તેનું અમારા પ્રત્યે જે કંઈ માગણું છે તે આપવાને રહ્યા છીએ. તે સિવાયના જે જે કંઈ પ્રસંગ છે તે તેની અંદર સમાઈ \[(>>>>>>જ પારરર 2007 DOOZછે છે Page #224 -------------------------------------------------------------------------- ________________ જાય છે. તનને અર્થે, ધનને અર્થે, ભોગને અર્થે, સુખને અર્થે, સ્વાર્થને અર્થે કે કોઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. આવો જે અંતરંગનો ભેદ તે જે જીવને નિકટપણે મોક્ષ વર્તતો ન હોય તે જીવ કેમ સમજી શકે ? દુઃખના ભયથી પણ સંસારમાં રહેવું રાખ્યું છે એમ નથી. માન-અપમાનનો તો કંઈ ભેદ છે, તે નિવૃત્ત થઈ ગયો છે. (પત્રાંક : ૪૧૫) *** પૂર્વે ઉપાર્જિત કરેલું એવું જે કંઈ પ્રારબ્ધ છે તે વેદવા સિવાય બીજો પ્રકાર નથી, અને યોગ્ય પણ તે રીતે છે એમ જાણી જે જે પ્રકારે જે કાંઈ પ્રારબ્ધ ઉદય આવે છે તે સમપરિણામથી વેદવાં ઘટે છે, અને તે કારણથી આ વ્યવસાયપ્રસંગ વર્તે છે. ચિત્તમાં કોઈ રીતે તે વ્યવસાયનું કર્તવ્યપણું નહીં જણાતાં છતાં તે વ્યવસાય માત્ર ખેદનો હેતુ છે; એવો પરમાર્થ નિશ્ચય છતાં પણ પ્રારબ્ધરૂપ હોવાથી, સત્સંગાદિ યોગને અપ્રધાનપણે વેદવો પડે છે. તે વેદવા વિષે ઇચ્છા-નિરિચ્છા નથી. (પત્રાંક : ૪૨૧) *** સર્વ પરમાર્થનાં સાધનમાં પરમસાધન તે સત્સંગ છે, સત્પુરુષના ચરણ સમીપનો નિવાસ છે. બધા કાળમાં તેનું દુર્લભપણું છે; અને આવા વિષમ કાળમાં તેનું અત્યંત દુર્લભપણું જ્ઞાની પુરુષોએ જાણ્યું છે. જ્ઞાની પુરુષોની પ્રવૃત્તિ, પ્રવૃત્તિ જેવી હોતી નથી. ઊના પાણીને વિષે જેમ અગ્નિપણાનો મુખ્ય ગુણ કહી શકાતો નથી, તેમ જ્ઞાનીની પ્રવૃત્તિ છે; તથાપિ જ્ઞાની પુરુષ પણ નિવૃત્તિને કોઈ પ્રકારે પણ ઇચ્છે છે. પૂર્વે આરાધન કરેલાં એવાં નિવૃત્તિનાં ક્ષેત્રો, વન, ઉપવન, જોગ, સમાધિ અને સત્સંગાદિ જ્ઞાની પુરુષને પ્રવૃત્તિમાં બેઠાં વારંવાર સાંભરી આવે છે. તથાપિ ઉદયપ્રાપ્ત પ્રારબ્ધને જ્ઞાની અનુસરે છે. સત્સંગની રુચિ રહે છે, તેનો લક્ષ્ય રહે છે, પણ તે વખત અત્ર વખત નિયમિત નથી. (પત્રાંક : ૪૪૯) *** ગઈ સાલના માગશર સુદ છઠે અત્રે આવવાનું થયું હતું ત્યારથી આજ દિવસપર્યંતમાં ઘણા પ્રકારનો ઉપાધિયોગ વેદવાનું બન્યું છે અને જો ભગવત્કૃપા ન હોય તો આ કાળને વિષે તેવા ઉપાધિજોગમાં માથું ધડ ઉપર રહેવું કઠણ થાય, એમ થતાં થતાં ઘણીવાર જોયું છે; અને આત્મસ્વરૂપ જેણે જાણ્યું છે એવા પુરુષને અને આ સંસારને મળતી પાણ આવે નહીં, એવો અધિક નિશ્ચય થયો છે. (પત્રાંક : ૪૬૫) *** હાલ દોઢથી બે માસ થયાં ઉપાધિના પ્રસંગમાં વિશેષ વિશેષ કરી સંસારનું સ્વરૂપ વેદાયું છે. એવા જોકે પૂર્વે ઘણા પ્રસંગ વેદ્યા છે, તથાપિ જ્ઞાને કરી ઘણું કરી વેઘા નથી. આ દેહ અને તે પ્રથમનો બોધબીજહેતુવાળો દેહ તેમાં થયેલું વેદન તે મોક્ષકાર્યે ઉપયોગી છે. (પત્રાંક : ૪૮૫) *** નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. જોકે એમ લાગે છે કે તે વિચાર અને જાપ હજી તથારૂપ નથી, શિથિલ છે; માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાનો અલ્પકાળમાં યોગ કરવો ઘટે છે, એમ વર્ત્યા કરે છે. (પત્રાંક : ૫૬૯) *** જે દેહ પૂર યુવાવસ્થામાં અને સંપૂર્ણ આરોગ્યતામાં દેખાતાં છતાં પણ ક્ષણભંગુર છે, તે દેહમાં પ્રીતિ કરીને શું કરીએ ? ॥૨૨૩॥ Page #225 -------------------------------------------------------------------------- ________________ જગતના સર્વ પદાર્થ કરતાં જે પ્રત્યે સર્વોત્કૃષ્ટ પ્રીતિ છે, એવો આ દેહ તે પણ દુઃખનો હેતુ છે, તો બીજા પદાર્થમાં સુખના હેતુની શું કલ્પના કરવી ? પ્રવૃત્તિ વિરામ પામતી નથી; વિરક્તપણું ઘણું વર્તે છે. વનને વિષે અથવા એકાંતને વિષે સહજસ્વરૂપને અનુભવતો એવો આત્મા નિર્વિષય કેવળ પ્રવર્તે એમ કરવામાં સર્વ ઇચ્છા રોકાણી છે. (પત્રાંક : ૫૯૨) *** આ દેહનું આયુષ્ય પ્રત્યક્ષ ઉપાધિયોગે વ્યતીત થયું જાય છે. એ માટે અત્યંત શોક થાય છે, અને તેનો અલ્પકાળમાં જો ઉપાય ન કર્યો તો અમ જેવા અવિચારી પણ થોડા સમજવા. (પત્રાંક : ૧૯૩) પ્રારબ્ધ છે, એમ માનીને જ્ઞાની ઉપાધિ કરે છે એમ જણાતું નથી, પણ પરિણતિથી છૂટ્યા છતાં ત્યાગવા જતાં બાહ્ય કારણો રોકે છે, માટે જ્ઞાની ઉપાધિસહિત દેખાય છે, તથાપિ તેની નિવૃત્તિના લક્ષને નિત્ય ભજે છે. (પત્રાંક : ૯૬૪) * * જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હે નાથ ! તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનો હતો ? હે કૃપાળુ ! તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમાનંદ છે. સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઇચ્છતા પરમાર્થપ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ. (પત્રાંક : ૯૮૦) - * દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજરામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મજરામરણાદિનો નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. (પત્રાંક : ૯૯૨) સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ શો ? વિકલ્પ શો ? ભય શો ? ખેદ શો ? બીજી અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉં છું. (પત્રાંક : ૮૩૩). * * * મારું ચિત્ત, મારી ચિત્તવૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ કે કોઈ મૃગ પણ આ શરીરને જોઈ જ રહે, ભય પામી નાસી ન જાય ! મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાઓ કે કોઈ વૃદ્ધ મૃગ એના માથામાં ખૂજલી આવતી હોય તે આ શરીરને ( SDSDEN ૨૨૪ો છZ®EDZ9X9XDMDZ9X , કરી ટીકા કરી છે Page #226 -------------------------------------------------------------------------- ________________ જડ પદાર્થ જાણી પોતાનું માથું ખૂજલી મટાડવા આ શરી૨ને ઘસે ! (પત્રાંક : ૮૫૦) *** માનસિક વૃત્તિ કરતાં ઘણા જ પ્રતિકૂળ માર્ગમાં હાલ પ્રવાસ કરવો પડે છે. તપ્ત હૃદયથી અને શાંત આત્માથી સહન કરવામાં જ હર્ષ માનું છું. (પત્રાંક : ૮૫૧) *** અપ્રમત્ત સ્વભાવનું વારંવાર સ્મરણ કરીએ છીએ. (પત્રાંક : ૮૮૦) : *** જે જ્ઞાની પુરુષોને દેહાભિમાન ટળ્યું છે તેને કંઈ કરવું રહ્યું નથી એમ છે, તોપણ તેમને સર્વસંગપરિત્યાગાદિ સત્પુરુષાર્થતા પરમ પુરુષે ઉપકારભૂત કહી છે. (પત્રાંક : ૮૯૫) *** બાહ્ય અને અંતર સમાધિયોગ વર્તે છે. (પત્રાંક : ૯૧૨) *** અપૂર્વ શાંતિ અને સમાધિ અચળપણે વર્તે છે. કુંભક, રેચક પાંચે વાયુ સર્વોત્તમ ગતિને આરોગ્યબળ સહિત આપે છે. (પત્રાંક : ૯૩૩) *** ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો ! (પત્રાંક : ૯૩૫) *** સમ્યક્ પ્રકારે વેદના અહિયાસવારૂપ પરમધર્મ પરમ પુરુષોએ કહ્યો છે. તીક્ષ્ણ વેદના અનુભવતાં સ્વરૂપભ્રંશવૃત્તિ ન થાય એ જ શુદ્ધ ચારિત્રનો માર્ગ છે. ઉપશમ જ જે જ્ઞાનનું મૂળ છે તે જ્ઞાનમાં તીક્ષ્ણ વેદના ૫૨મ નિર્જરા ભાસવા યોગ્ય છે. (પત્રાંક : ૯૩૯) *** લોકસંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવકાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબપરિવારાદિ યોગવાળી હોય તોપણ તે દુઃખનો જ હેતુ છે. આત્મશાંતિ જે જિંદગીનો ધ્રુવકાંટો છે તે જિંદગી ગમે તો એકાકી અને નિર્ધન, નિર્વસ્ત્ર હોય તો પણ પરમ સમાધિનું સ્થાન છે. (પત્રાંક : ૯૪૯) *** ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો. ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. માથે ઘણો બોજો રહ્યો હતો તે આત્મવીર્યે કરી જેમ અલ્પ કાળે વેદી લેવાય તેમ પ્રઘટના કરતાં પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો. જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી એ જ અદ્ભુત આશ્ચર્ય છે. અવ્યાબાધ સ્થિરતા છે. (પત્રાંક : ૯૫૧) *** શુદ્ધ એવા સ્ફટિકને વિષે અન્ય રંગનું પ્રતિભાસવું થવાથી તેનું જેમ મૂળ સ્વરૂપ લક્ષગત થતું નથી, તેમ શુદ્ધ ૫૨૨૫ ॥ Page #227 -------------------------------------------------------------------------- ________________ નિર્મળ એવું આ ચેતન અન્ય સંયોગના તાદાભ્યવત્ અધ્યાસે પોતાના સ્વરૂપનો લક્ષ પામતું નથી. (હાથનોંધ : ૧, પત્રાંક : ૯૯૦) *** જીવના અસ્તિત્વપણાનો તો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવનાં નિત્યપણાનો, ત્રિકાળ હોવાપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવના ચૈતન્યપણાનો, ત્રિકાળ હોવાપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. તેને કોઈ પણ પ્રકારે બંધદશા વર્તે છે એ વાતનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. તે બંધની નિવૃત્તિ કોઈ પણ પ્રકારે નિઃસંશય ઘટે છે, તે વાતનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. મોક્ષપદ છે એ વાતનો કોઈ પણ કાળે સંશય નહીં થાય. (હાથનોંધ : ૨, પત્રાંક : ૯૬૦) *** તેની હમણાં એવી દશા અંતરંગમાં રહી છે કે કંઈક વિના સર્વ સંસારી ઇચ્છાની પણ તેણે વિસ્મૃતિ કરી નાખી છે. તે કંઈક પામ્યો પણ છે, અને પૂર્ણનો પરમ મુમુક્ષુ છે, છેલ્લા માર્ગનો નિઃશંક જિજ્ઞાસુ છે. હમણાં જે આવરણો તેને ઉદય આવ્યાં છે, તે આવરણોથી એને ખેદ નથી; પરંતુ વસ્તુભાવમાં થતી મંદતાનો ખેદ છે. તે ધર્મની વિધિ, અર્થની વિધિ, કામની વિધિ, અને તેને આધારે મોક્ષની વિધિને પ્રકાશી શકે તેવો છે. ઘણા જ થોડા પુરુષોને પ્રાપ્ત થયો હશે એવો એ કાળનો ક્ષયોપશમી પુરુષ છે. (હાથનોંધ : ૪, પત્રાંક : ૯૬૦). ** પુનર્જન્મ છે – જરૂર છે – એ માટે હું અનુભવથી હા કહેવામાં અચળ છું. આ કાળમાં મારું જન્મવું માનું તો દુઃખદાયક છે, અને માનું તો સુખદાયક છે. (હાથનોંધ : ૧૦, પત્રાંક : ૯૯૦) *** તે દશા શાથી અવરાઈ ? અને તે દશા વર્ધમાન કેમ ન થઈ ? લોકના પ્રસંગથી, માનેચ્છાથી, અજાગ્રતપણાથી, સ્ત્રીઆદિ પરિષહનો જય ન કરવાથી. (હાથનોંધ : ૧૯, પત્રાંક : ૯૬૦) * * * જ્ઞાની પુરુષોને સમયે સમયે અનંતા સંયમપરિણામ વર્ધમાન થાય છે, એમ સર્વશે કહ્યું છે તે સત્ય છે. તે સંયમ વિચારની તીક્ષ્ણ પરિણતિથી તથા બ્રહ્મરસ પ્રત્યે સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે. શ્રી તીર્થંકર આત્માને સંકોચવિકાસનું ભાજન યોગદશામાં માને છે, તે સિદ્ધાંત વિશેષ કરી વિચારવા યોગ્ય છે. (હાથનોંધ : ૨૪, પત્રાંક : ૯૬૦). * * * (22-222@(@ ા૨૨૬ો છEZ® Page #228 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગનું રહસ્ય જૈનદર્શનમાં સાધનાની સર્વોચ્ચ ભૂમિકાએ મોક્ષની ભાવના રહેલી છે. ભગવાન મહાવીરે મોક્ષમાર્ગની પ્રરૂપણા કરી છે. આવા મોક્ષમાર્ગનું રહસ્ય અત્યંત ગૂઢ અને ગહન હોય છે. જ્ઞાની મહાત્માઓ એ રહસ્યની ગદ્ય કે પદ્યમાં ગૂંથણી કરતા હોય છે. કોઈ પુણ્યવાન સાધક એ શાસ્ત્રગ્રંથ વાંચે, ત્યારે એના ચિત્તમાં એનો ગહન અર્થ જાણવાની તીવ્ર તાલાવેલી જાગે છે. આવી અંતરની આરત જાગે અને સાચા દિલથી ઝંખના થાય ત્યારે કોઈ મહદ્ પુણ્યના બળે વિરલ સપુરુષનો સત્સમાગમ થાય છે. એ સત્પરુષની કૃપાથી મોક્ષમાર્ગના મર્મને સમજે છે. શ્રીમદ્ રાજચંદ્ર લખે છે કે, “શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી. મર્મ તો સત્પરુષના અંતરાત્મામાં રહ્યો છે.” આમ સપુરુષનો યોગ થાય તો જ સર્વોચ્ચ મોક્ષમાર્ગનું ગહન રહસ્ય પામી શકાય. શ્રીમદ્ રાજચંદ્ર અને અન્ય વિભૂતિઓએ ભિન્ન ભિન્ન રીતે મોક્ષમાર્ગના મર્મને પોતાની પાવન વાણીમાં પ્રગટ કર્યો છે. સાધક એ મર્મને પામે તો એનો મનુષ્યભવ કૃતાર્થ થઈ જાય. કષાયજન્ય પરિણામને કારણે ભવભ્રમણરૂપ રોગથી પીડાતા માનવીને પુરુષરૂપી વૈદ્યની કૃપાથી “શાંત સુધારસ” સમી સાચી ઔષધિ પ્રાપ્ત થાય તો એના સેવનથી એનો અનાદિ કાળનો ભવરોગ ટળી શકે છે. પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના મહામુમુક્ષુ મુનિશ્રી લલ્લુજી મહારાજે જુદાં જુદાં સ્થળ અને સમયે આ ગહન માર્ગનો નિર્દેશ કર્યો છે. આ વિષયમાં તેઓ ઉપદેશામૃત' ગ્રંથમાં લખે છે : “પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત - જે દી તે દી પણ ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ વિના ધ્યાન નહીં. પછી વાર ન લાગે ......................... અંતમુહૂર્તમાં કેવળજ્ઞાન !” (પૃ. ૧૯૯). ગુરુની કૃપાની વિશેષતા દર્શાવ્યા બાદ આ જ ગ્રંથમાં તેઓ લખે છે – “ગુરુગમ શું ? એ સાંભરે છે. એનો અર્થ સમજ્યા વગર શું ખબર પડે ? એ સમજણ સદૂગુરુના બોધને શ્રવણે આવે. બોધ સાંભળે એને થાય. યોગ્યતા પ્રમાણે તે સમજી જાય છે.” (પૃ. ૪૦૨) તેઓ આ ગ્રંથમાં કહે છે, “આત્મભાવ પામવા માટે ગુરુગમ જોઈએ; કારણ જેમ તિજોરી ચાવી વગર ખૂલે નહીં; તેમ આત્મ ઓળખાણ તો સદ્ગુરુ કરાવે ત્યારે થાય.” (પૃ. ૪૨૪) આમ જ્ઞાન અને ધ્યાન માટે સદ્દગુરુ જોઈએ. મોક્ષમાર્ગના રહસ્ય વિશે શ્રીમદ્ રાજચંદ્રજીના “વચનામૃતમાં ઘણું કહેવામાં આવ્યું છે. અહીં વચનામૃતના સાગરમાંથી મોક્ષમાર્ગના રહસ્યની જ્ઞાનપારિ ભરી નાની ગાગર ભરવાનો પ્રયાસ કર્યો છે. શ્રીમદૂના મોક્ષમાર્ગના રહસ્ય વિશેનું વચનામૃતમાંથી સંકલિત કરેલું ચિંતન વાંચીને હૃદયમાં અવધારીએ. Page #229 -------------------------------------------------------------------------- ________________ હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં છદ્મસ્થ અવસ્થાએ, હું એકાદશ વર્ષની પર્યાયે, છઠ્ઠ છઠ્ઠું સાવધાનપણે, નિરંતર તપશ્ચર્યા અને સંયમથી આત્મતા ભાવતા, પૂર્વાનુપૂર્વીએ ચાલતાં, એક ગામથી બીજે ગામ જતાં, જ્યાં સુષુમા૨પુર નગ૨, જ્યાં અશોક વનખંડ બાગ, જ્યાં અશોકવર પાદપ, જ્યાં પૃથ્વીશિલાપટ્ટ, ત્યાં આવ્યો; આવીને અશોકવર પાદપની નીચે, પૃથ્વીશિલાપટ્ટ પર અષ્ટમભક્ત ગ્રહણ કરીને, બન્ને પગ સંકોચીને, લાંબા કર કરીને, એક પુદ્ગલમાં દૃષ્ટિ અડગ સ્થાપીને, અનિમેષ નયનથી, જરા શરીર નીચું આગળ ઝૂકી રાખીને, યોગની સમાધિથી, સર્વ ઇન્દ્રિયો ગુપ્ત કરીને, એક રાત્રિની મહા પ્રતિમા ધારણ કરીને, વિચરતો હતો. (ચમર) (શ્રી ભગવતીસૂત્ર શતક ૩, ઉદ્દેશક-૨ - વ. ૫. ૧૫૭/૩) *** સર્વ સમર્થ પુરુષો આપને પ્રાપ્ત થયેલાં જ્ઞાનને (કેવળબીજ) જ ગાઈ ગયા છે. એ જ્ઞાનની દિન-પ્રતિદિન આ આત્માને પણ વિશેષતા થતી જાય છે. હું ધારું છું કે કેવળજ્ઞાન સુધીની મહેનત કરી અલેખે તો નહીં જાય. મોક્ષની આપણને કાંઈ જરૂ૨ નથી. નિઃશંકપણાની, નિર્ભયપણાની નિર્મુઝનપણાની અને નિઃસ્પૃહપણાની જરૂર હતી, તે ઘણે અંશે પ્રાપ્ત થઈ જણાય છે. (વ. ૫. ૧૬૫) *** મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે. (વ. ૫. ૧૬૬) *** આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંશય છે; ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે, જે સુલભ છે. અને તે પામવાનો હેતુ પણ એ છે કે કોઈ પણ પ્રકારે અમૃતસાગરનું અવલોકન કરતાં અલ્પ પણ માયાનું આવરણ બાધ કરે નહીં; અવલોકનસુખનું અલ્પ પણ વિસ્મરણ થાય નહીં; ‘તુંહિ હિ’ વિના બીજી રટણા રહે નહીં; માયિક એક પણ ભયનો, મોહનો, સંકલ્પનો કે વિકલ્પનો અંશ રહે નહીં. (વ. ૫. ૧૭૦) *** અલખનામ ધુનિ લગી ગગનમેં, મગન ભયા મન મેરા જી, આસન મારી સુરત દૃઢ ધારી, દિયા અગમ ડેરા જી. દરશ્યા અલખ દેદારા જી. (વ. ૫. ૧૮૯) *** ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક્ પ્રતીતિ આવ્યા વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે, અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાનપ્રાપ્તિનો એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ જોવા જતાં એ જ છે. અને જે કોઈ પ્રાણી છૂટવા ઇચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. ॥૨૨૮॥ COLOLOLOLOLOLOY Page #230 -------------------------------------------------------------------------- ________________ आणाए धम्मो आणाए तवो । આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. (આચારાંગ સૂત્ર) સર્વ સ્થળે એ જ મોટા પુરુષોનો કહેવાનો લક્ષ છે, એ લક્ષ જીવને સમજાયો નથી. તેના કારણમાં સર્વથી પ્રધાન એવું કારણ સ્વચ્છંદ છે અને જેણે સ્વચ્છંદને મંદ કર્યો છે, એવા પુરુષને પ્રતિબદ્ધતા (લોકસંબંધી બંધન, સ્વજનકુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન, સંકલ્પવિકલ્પરૂપ બંધન) એ બંધન ટળવાનો સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી તમે વિચારો. અને એ વિચારતાં અમને જે કંઈ યોગ્ય લાગે તે પૂછજો. અને એ માર્ગે જો કંઈ યોગ્યતા લાવશો તો ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાધન કરીએ એવા પુરુષનો ખોજ રાખજો. બાકી બીજાં બધાં સાધન પછી કરવા યોગ્ય છે. આ સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ વિચારતાં લાગશે નહીં. (વ. ૫. ૧૯૪) બાક *** જ્ઞાનના ‘પરોક્ષ-અપરોક્ષ' વિષે પત્રથી લખી શકાય તેમ નથી; પણ સુધાની ધારા પછીનાં કેટલાંક દર્શન થયાં છે, અને જો અસંગતાની સાથે આપનો સત્સંગ હોય તો છેવટનું પરિપૂર્ણ પ્રકાશે તેમ છે; કારણ કે તે ઘણું કરીને સર્વ પ્રકારે જાણ્યું છે. અને તે જ વાટ તેનાં દર્શનની છે. (વ. ૫. ૧૯૭) *** કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પનાએ કરી સતુને પ્રાપ્ત કરી શકતો નથી. સજીવન મૂર્તિ પ્રાપ્ત થયે જ સતું પ્રાપ્ત થાય છે, સતું સમજાય છે, સત્નો માર્ગ મળે છે. સતુ પર લક્ષ આવે છે. સજીવન મૂર્તિના લક્ષ વગર જે કંઈ પણ કરવામાં આવે છે, તે જીવને બંધન છે; આ અમારું હૃદય છે. (વ. ૫. ૧૯૮) *** જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઇચ્છવી, તેણે જ્ઞાનીની ઇચ્છાએ વર્તવું એમ જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે. તે જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. ઋષભદેવજીએ અઠ્ઠાણું પુત્રોને ત્વરાથી મોક્ષ થવાનો એ જ ઉપદેશ કર્યો હતો. પરીક્ષિત રાજાને શુકદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે. શાસ્ત્રમાં કહેલી આશાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે: મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. (વ. ૫. ૨00) * * * અમૃત પ્રવહે છે ત્યાં સહસદળ કમળ છે, એ મહીની મટુકી છે; અને આદિપુરુષ તેમાં બિરાજમાન છે તે ભગવંત વાસુદેવ છે. એ એક જ પ્રાપ્ત કરવા યોગ્ય છે; બીજું કશુંય પ્રાપ્ત કરવા યોગ્ય નથી; માટે તમે પ્રાપ્ત કરો. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાનો અર્થ સહસદળ કમળમાં અમને વાસુદેવ ભગવાન મળ્યા છે; મહીનું નામમાત્ર છે; આખી સૃષ્ટિને મથીને જો મહી કાઢીએ તો માત્ર એક અમૃતરૂ૫ વાસુદેવ ભગવાન જ મહી નીકળે છે. (વ. ૫. ૨૦૧). * (25 (2258225EC25E25 પા૨૨૯ો છ%9E%E0% B 8 %955 , લાય છે Page #231 -------------------------------------------------------------------------- ________________ ‘સ’ એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે, અને એ જ જીવનો મોહ છે. ‘સતુ’ જે કંઈ છે, તે “સતું' જ છે, સરળ છે; સુગમ છે; અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે; પણ જેને ભ્રાંતિરૂપ આવરણતમ વર્તે છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય ? અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ, પણ તેમાં કોઈ એવો પ્રકાર નહીં આવે કે જે અજવાળારૂપ હોય; તેમ જ આવરણ તિમિર જેને છે એવાં પ્રાણીની કલ્પનામાંની કોઈ પણ કલ્પના “સતુ’ જણાતી નથી, અને “સતુ'ની નજીક સંભવતી નથી. ‘સતુ” છે, તે ભ્રાંતિ નથી ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત (જુ) છે; કલ્પનાથી “પર” (આઘે) છે; માટે જેની પ્રાપ્ત કરવાની દઢ મતિ થઈ છે, તેણે પોતે કંઈ જ જાણતો નથી એવો દઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો, અને પછી “સતુની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. આ જે વચનો લખ્યાં છે, તે સર્વ મુમુક્ષુને પરમ બંધવરૂપ છે, પરમ રક્ષકરૂપ છે; અને એને સભ્યપ્રકારે વિચાર્યથી પરમપદને આપે એવાં છે; એમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, પર્દર્શનનું સર્વોત્તમ તત્ત્વ અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે; માટે ફરી ફરીને તેને સંભારજો; વિચારજો; સમજવા પ્રયત્ન કરજો; એને બાધ કરે એવા બીજા પ્રકારોમાં ઉદાસીન રહેજો. (વ. ૫. ૨૧૧) * * * સતુને વિશે પ્રીતિ, “સતુરૂપ સંતને વિષે પરમ ભક્તિ, તેના માર્ગની જિજ્ઞાસા, એ જ નિરંતર સંભારવાયોગ્ય છે. (વ. ૫. ૨૩૮). *** જે રસ જગતનું જીવન છે, તે રસનો અનુભવ થવા પછી હરિ પ્રત્યે અતિશય લય થઈ છે. અને તેનું પરિણામ એમ આવશે કે જ્યાં જેવે રૂપે ઇચ્છીએ તેવે રૂપે હરિ (ભગવાન આત્મા) આવશે. (વ. ૫. ૨૪૭). *** ગુરુગમે કરીને જ્યાં સુધી ભક્તિનું પરમ સ્વરૂપે સમજાયું નથી, તેમ તેની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી ભક્તિમાં પ્રવર્તતાં અકાળ અને અશુચિ દોષ હોય(વ. ૫. ૨પ૩). બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સદ્ગુરુ કે ચરન, સો પાવે સાક્ષાત્ બૂઝી ચહત જો પ્યાસકો, હે બૂઝનકી રીત; પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત. તૃષાતુરને પાયાની મહેનત કરજો. અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. જેને તે પેદા ન થાય તેવું હોય, તેને માટે ઉદાસીન રહેજો. (વ. ૫. ૨૫૮). *** ‘જ્ઞાનધારા સંબંધી મૂળમાર્ગ અમે તમને આ વખતના સમાગમમાં થોડો પણ કહીશું; અને તે માર્ગ પૂરી રીતે આ જ જન્મમાં તમને કહીશું એમ અમને હરિની પ્રેરણા હોય તેવું લાગે છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ તમે અમારે માટે જન્મ ધર્યો હશે એમ લાગે છે. તમે અમારા અથાગ ઉપકારી છો. તમે અમને અમારી ઇચ્છાનું સુખ આપ્યું છે, તે માટે નમસ્કાર સિવાય બીજો શું બદલો વાળીએ ? પણ અમને લાગે છે કે અમારે હાથે હરિ તમને પરાભક્તિ અપાવશે; હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવશે; અને એ જ અમે મોટો ભાગ્યોદય માનીશું. (વ. ૫. ૨૫૯) *** Relf FIR ની જો તે કરુના હમ પાવત હૈ તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી; પલમેં પ્રગટે મુખ આગલસે, જબ સદ્ગુરુ ચર્ન સુપ્રેમ બસેં. તનસે, મનસે, ઘનમેં સબસે ગુરુદેવકી આન -આત્મા બસેં; તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાહિ પ્રેમ ઘનો. વહ સત્ય સુધા દરશાવહિંગે, ચતુરાંગલ હે દમસે મિલહે, રસ દેવ નિરંજન કો પિવહી, ગહિ જોગ જુગાજુગ સો જીવહી. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસે; વહ કેવલ કો, બીજ ગ્લાનિ કહે, નિજકો અનુભી બતલાઈ દિયે. (વ. ૫. ૨૬૫) *** જ રીતે જ નહિ ગ્રંથમાંથી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિ કવિચાતુરી, નહિ મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિ ભાષા ઠરી; નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. (વ. ૫. ૨૬૭) * * મહાત્મા વ્યાસજીને જેમ થયું હતું તેમ અમને હમણાં વર્તે છે. આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદસંપન્ન થયા નહોતા; કારણ કે હરિરસ અખંડપણે ગાયો નહોતો. અમને પણ એમ જ છે. અખંડ એવો હરિરસ પરમ પ્રેમે અખંડપણે અનુભવતાં હજુ ક્યાંથી આવડે ? અને જ્યાં સુધી તેમ નહીં થાય ત્યાં સુધી અમને જગતમાંની વસ્તુનું એક અણુ પણ ગમવું નથી. (વ. ૫. ૨૮૨) સુધાને વિષે અમને સંદેહ નથી, તમે તેનું સ્વરૂપ સમજો, અને ત્યારે જ ફળ છે. (વ. ૫. ૩૦૮) ** જિનાગમ છે તે ઉપશમસ્વરૂપ છે. ઉપશમસ્વરૂપ એવા પુરુષોએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યાં છે, ઉપદેશ્યાં છે. તે ઉપશમ આત્માર્થે છે, અન્ય કોઈ પ્રયોજન અર્થે નથી. આત્માર્થમાં જો તેનું આરાધન કરવામાં ન આવ્યું, તો તે જિનાગમનું શ્રવણ, વાંચન નિષ્ફળરૂપ છે. (વ. ૫. ૩૭૫) આપ્તપુરુષે દુઃખ મટવાનો માર્ગ જામ્યો છે. તે માર્ગ એ કે જીવનું સ્વાભાવિકપણું પ્રગટ્યું છે જેને વિષે, K@>(D (K@> ૨૩૧ | Z®EDVDZ[,9029 ( Page #233 -------------------------------------------------------------------------- ________________ જીવનું સ્વાભાવિક સુખ પ્રગટ્યું છે જેને વિષે, એવો જ્ઞાની પુરુષ તે જ તે અજ્ઞાનપરિણતિ અને તેથી પ્રાપ્ત થયું જે દુઃખપરિણામ તેથી નિવારી આત્માને સ્વાભાવિકપણે સમજાવી શકવા યોગ્ય છે, કહી શકવાને યોગ્ય છે; અને તે વચન સ્વાભાવિક આત્મા જાણ્યાપૂર્વક હોવાથી તે દુઃખ મટાડી શકવાને બળવાન છે. માટે તે વચન જો કોઈ પણ પ્રકારે જીવને શ્રવણ થાય, તે અપૂર્વભાવરૂપ જાણી તેમાં ૫૨મ પ્રેમ વર્તે, તો તત્કાળ અથવા અમુક અનુક્રમે આત્માનું સ્વાભાવિકપણું પ્રગટ થાય. (વ. ૫. ૩૯૫) *** આત્માને સમાધિ થવા માટે, આત્મસ્વરૂપમાં સ્થિતિ માટે સુધારસ કે જે મુખને વિષે વરસે છે, તે એક અપૂર્વ આધાર છે; માટે કોઈ રીતે તેને બીજજ્ઞાન કહો તો હ૨કત નથી; માત્ર એટલો ભેદ છે કે તે જ્ઞાન જ્ઞાની પુરુષ, કે જે તેથી આગળ છે, આત્મા છે, એમ જાણનાર હોવા જોઈએ. (વ. ૫. ૪૭૧) *** ખુલ્લા કાગળમાં સુધારસ પરત્વે પ્રાયે સ્પષ્ટ લખ્યું હતું, તે ચાહીને લખ્યું હતું. કંઈ કંઈ તે વાતના ચર્ચક જીવને જો તે વાત વાંચવામાં આવે તો કેવળ તેથી નિર્ધાર થઈ જાય એમ બને નહીં, પણ જે પુરુષે આ વાક્યો લખ્યાં છે તે પુરુષ કોઈ અપૂર્વ માર્ગના જ્ઞાતા છે, અને આ વાતનું નિરાકરણ તે પ્રત્યેથી થવાનો મુખ્ય સંભવ છે, એમ જાણી તેની તે પ્રત્યે કંઈ પણ ભાવના થાય. આ સ્પષ્ટ લખાણ વાંચવાથી તેને વિશેષ સંજ્ઞા થઈ પોતાની મેળે તે નિર્ધારમાં આવી જાય, પણ તે નિર્ધાર એમ થતો નથી. યથાર્થ તેના સ્થળનું જાણવું તેનાથી થઈ શકે નહીં, અને તે કારણથી જીવને વિક્ષેપની ઉત્પત્તિ થાય કે આ વાત કોઈ પ્રકારે જાણવામાં આવે તો સારું. સત્પુરુષની વાણી સ્પષ્ટપણે લખાઈ હોય તોપણ તેનો ૫૨માર્થ સત્પુરુષનો સત્સંગ જેને આજ્ઞાંકિતપણે થયો નથી, તેને સમજાવો દુર્લભ થાય છે, એમ તે વાંચનારને સ્પષ્ટ જાણવાનું ક્યારેય પણ કારણ થાય. બીજો અમારો આશય તે જ્ઞાન વિષે લખવાનો વિશેષપણે અત્ર લખ્યો છે (૧) જે જ્ઞાની પુરુષે સ્પષ્ટ એવો આત્મા કોઈ અપૂર્વ લક્ષણે, ગુણે અને વેદનપણે અનુભવ્યો છે, અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે, તે જ્ઞાની પુરુષે જો તે સુધારસ સંબંધી જ્ઞાન આપ્યું હોય તો તેનું પરિણામ ૫૨માર્થ-૫૨માર્થસ્વરૂપ છે. (૨) અને જે પુરુષ તે સુધારસને જ આત્મા જાણે છે, તેનાથી તે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય તો તે વ્યવહા૨-પરમાર્થસ્વરૂપ છે. (૩) તે જ્ઞાન કદાપિ પરમાર્થ-૫૨માર્થસ્વરૂપ એવા જ્ઞાનીએ ન આપ્યું હોય, પણ તે જ્ઞાની પુરુષે સન્માર્ગ સન્મુખ આકર્ષે એવો જે જીવને ઉપદેશ કર્યો હોય તે જીવને રુચ્યો હોય તેનું જ્ઞાન તે ૫રમાર્થ-વ્યવહારસ્વરૂપ છે. (૪) અને તે સિવાય શાસ્ત્રાદિ જાણનાર સામાન્ય પ્રકારે માર્ગાનુસા૨ી જેવી ઉપદેશવાત કરે, તે શ્રદ્ધાય, તે વ્યવહારવ્યવહારસ્વરૂપ છે. સુગમપણે સમજવા એમ ચાર પ્રકા૨ થાય છે. ૫૨માર્થ-પરમાર્થસ્વરૂપ એ નિકટ મોક્ષનો ઉપાય છે. ૫૨માર્થ-વ્યવહારસ્વરૂપ એ અનંતર પરંપરસંબંધે મોક્ષનો ઉપાય છે. વ્યવહા૨-૫રમાર્થસ્વરૂપ તે ઘણા કાળે કોઈ પ્રકારે પણ મોક્ષનાં સાધનના કારણભૂત થવાનો ઉપાય છે. વ્યવહાર-વ્યવહારસ્વરૂપનું ફળ આત્મપ્રત્યયી નથી સંભવતું. લક્ષણથી, ગુણથી અને વેદનથી જેને આત્મસ્વરૂપ જણાયું છે, તેને ધ્યાનનો એ એક ઉપાય છે, કે જેથી આત્મપ્રદેશની સ્થિરતા થાય છે, અને પરિણામ પણ સ્થિર થાય છે. લક્ષણથી, ગુણથી અને વેદનથી જેણે આત્મસ્વરૂપ જાણ્યું નથી, એવા મુમુક્ષુને જ્ઞાની પુરુષે બતાવેલું જો આ જ્ઞાન હોય તો તેને અનુક્રમે લક્ષણાદિનો બોધ સુગમપણે થાય છે. મુખરસ અને તેનું ઉત્પત્તિક્ષેત્ર એ કોઈ અપૂર્વ કારણરૂપ છે એમ તમે નિશ્ચયપણે નિર્ધારજો. ॥૨૩૨॥ Page #234 -------------------------------------------------------------------------- ________________ એક અજ્ઞાનપણે પવનની સ્થિરતા કરે છે, પણ શ્વાસોચ્છવાસ-રોધનથી તેને કલ્યાણનો હેતુ થતો નથી, અને એક જ્ઞાનીની આજ્ઞાપૂર્વક શ્વાસોચ્છવાસનો રોધ કરે છે, તો તેને તે કારણથી જે સ્થિરતા આવે છે, તે આત્માને પ્રગટવાનો હેતુ થાય છે. શ્વાસોચ્છવાસની સ્થિરતા થવી એ એક પ્રકારે ઘણી કઠણ વાત છે. તેનો સુગમ ઉપાય મુખરસ એકતાર કરવાથી થાય છે. માટે તે વિશેષ સ્થિરતાનું સાધન છે; પણ તે સુધારસ-સ્થિરતા અજ્ઞાનપણે ફળીભૂત થતી નથી, એટલે કલ્યાણરૂપ થતી નથી, તેમ તે બીજજ્ઞાનનું ધ્યાન પણ અજ્ઞાનપણે કલ્યાણરૂપ થતું નથી, એટલો વિશેષ નિશ્ચય અમને ભાસ્યા કરે છે. જેણે વેદનપણે આત્મા જાણ્યો છે તે જ્ઞાની પુરુષની આજ્ઞાએ તે કલ્યાણરૂપ થાય છે, અને આત્મા પ્રગટવાનો અત્યંત સુગમ ઉપાય થાય છે. સૌથી તેને અમુક અમુક સૂક્ષ્મ વસ્તુનો સંબંધ છે, તેમાં તેની છાયા (!) રૂપ સુગંધ વિશેષ પડે છે, જેનું ધ્યાન જ્ઞાનીની આજ્ઞાએ થવાથી આત્મા પ્રગટે છે. પવન કરતાં પણ સુધારસ છે તેમાં, આત્મા વિશેષ સમીપપણે વર્તે છે, માટે તે આત્માની વિશેષ છાયા-સુગંધ (!)નો ધ્યાન કરવા યોગ્ય ઉપાય છે. આ પણ વિશેષપણે સમજવાયોગ્ય છે. (વ. ૫. ૪૭૨) *** “શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામેં કેલિ કરે; શુદ્ધતામેં સ્થિર છે, અમૃતધારા બરસે.” એ કવિતામાં “સુધારસ'નું જે માહાસ્ય કહ્યું છે, તે કેવળ એક વિસ્તૃસા (સર્વ પ્રકારના અન્ય પરિણામથી રહિત અસંખ્યાતપ્રદેશી આત્મદ્રવ્ય) પરિણામ સ્વરૂપસ્થ એવા અમૃતરૂપ આત્માનું વર્ણન છે. તેનો પરમાર્થ યથાર્થ હૃદયગત રાખ્યો છે, જે અનુક્રમે સમજાશે. (વ. ૫. ૪૭૫) *** જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવાં પરમ પુરુષનાં વચને આત્માનો નિશ્ચય થયો છે, તે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે; આધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વ સંગથી રહિત થયા છે, થાય છે; અને ભાવિકાળમાં પણ તેમ જ થશે. જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ, નિર્ભય થાય છે. (વ. ૫. ૪૯૩). *** જે મુખરસ સંબંધી જ્ઞાન વિષે ‘સમયસાર' ગ્રંથના કવિતાદિમાં તમે અર્થ ધારો છો તે તેમ જ છે, એમ સર્વત્ર છે, એમ કહેવા યોગ્ય નથી. બનારસીદાસે ‘સમયસાર' ગ્રંથ હિન્દી ભાષામાં કરતાં કેટલાંક કવિતુ સવૈયા વગેરેમાં તેના જેવી જ વાત કહી છે; અને તે કોઈ રીતે “બીજજ્ઞાનને લગતી જણાય છે. તથાપિ ક્યાંક ક્યાંક તેવા શબ્દો ઉપમાપણે પણ આવે છે. “સમયસાર' બનારસીદાસે કર્યો છે, તેમાં તે શબ્દો જ્યાં જ્યાં આવ્યા છે, ત્યાં ત્યાં સર્વ સ્થળે ઉપમાપણે છે એમ જણાતું નથી, પણ કેટલાક સ્થળે વસ્તપણે કહ્યું છે, એમ લાગે છે; જો કે એ વાત કંઈક આગળ ગયે મળતી આવી શકે એમ છે. એટલે તમે જે “બીજજ્ઞાન'માં કારણ ગણો છો તેથી કંઈક આગળ વધતી વાત અથવા તે વાત વિશેષ જ્ઞાને તેમાં અંગીકાર કરી જણાય છે. (વ. ૫. પ૨૦) *** Educa Page #235 -------------------------------------------------------------------------- ________________ નિર્વિકલ્પ ઉપયોગનો લક્ષ સ્થિરતાનો પરિચય કર્યાથી થાય છે. સુધારસ, સત્સમાગમ, સાસ્ત્ર, સવિચાર અને વૈરાગ્ય-ઉપશમ એ સૌ તે સ્થિરતાના હેતુ છે. (વ. ૫. ૫૮૫) અગમ અગોચર નિર્વાણમાર્ગ છે, એમાં સંશય નથી. પોતાની શક્તિએ, સદ્ગુરુના આશ્રય વિના, તે માર્ગ શોધવો અશક્ય છે; એમ વારંવાર દેખાય છે, એટલું જ નહીં, પણ શ્રી સદ્ગુરુચરણના આશ્રયે કરી બોલબીજની પ્રાપ્તિ થઈ હોય એવા પુરુષને પણ સદ્ગુરુના સમાગમનું આરાધન નિત્ય કર્તવ્ય છે. જગતના પ્રસંગ જોતાં એમ જણાય છે કે, તેવા સમાગમ અને આશ્રય વિના નિરાલંબ બોધ સ્થિર રહેવો વિકટ છે. (વ. ૫. ૬૪૭). * * * ઘણું કરીને સત્પુરુષને વચને આધ્યાત્મિકશાસ્ત્ર પણ આત્મજ્ઞાનનો હેતુ થાય છે, કેમકે પરમાર્થઆત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, સત્પરુષમાં વર્તે છે. (વ. ૫. ૭૦૬) * * * ઉન્નતિનાં સાધનોની સ્મૃતિ કરું છું - બોધબીજનું સ્વરૂપનિરૂપણ મૂળમાર્ગ પ્રમાણે ઠામ ઠામ થાય. પ્રત્યક્ષ સદ્દગુરુની આજ્ઞાએ ધર્મ છે એમ વાત લક્ષમાં આવે. ઘણા જીવોને પ્રાપ્તિ. (વ. ૫. ૭૦૯). * * * મહતું પુરુષોને એવી વિલક્ષણ સાનંદાશ્ચર્યક વૃત્તિ ઉદ્ભવતી કે શાતા કરતાં અશાતાનો ઉદય સંપ્રાપ્ત થયે અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થયે તેમનું વીર્ય વિશેષપણે જાગ્રત થતું, ઉલ્લાસ પામતું, અને તે સમય કલ્યાણકારી અધિકપણે સમજાતો (કારણ કે) તે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધરૂપે ઉપાસતા. (વ. ૫. ૯૧૩) *** આજે દશાઆદિ સંબંધી જે જણાવ્યું છે અને બીજ વાવ્યું છે તેને ખોતરશો નહીં. તે સફળ થશે. ચતુરંગુલ હૈ દગસેં મિલ હૈ – એ આગળ પર સમજાશે.' એક શ્લોક વાંચતાં અમને હજારો શાસ્ત્રનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે. (વ. ૫. ૯૧૭) *** સમ્યફ પ્રકારે વેદના અહિયાસવારૂપ પરમધર્મ પરમ પુરુષોએ કહ્યો છે. તીક્ષ્ણ વેદના અનુભવતાં સ્વરૂપભ્રંશવૃત્તિ ન થાય એ જ શુદ્ધ ચારિત્રનો માર્ગ છે. ઉપશમ જ જે જ્ઞાનમાં મૂળ છે તે જ્ઞાનમાં તીણ વેદના પરમ નિર્જરા ભાસવા યોગ્ય છે. (વ. ૫. ૯૩૯) *** | (ECOOPERFOR TRાર૩૪ 959Z9X95959Z9Z કરી છે Page #236 -------------------------------------------------------------------------- ________________ સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તધ્યાનમહીં; પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે. * (વ. ૫. ૯૫૪) મe k * જ્ઞાની કહે છે તે કૂંચીરૂપી જ્ઞાન વિચારે, તો અજ્ઞાનરૂપી તાળું ઊઘડી જાય. (ઉછા.૧૪-પા. ૭૩૩) કોઈ બ્રહ્મરસના ભોગી, કોઈ બ્રહ્મરસના ભોગી; જાણે કોઈ વિરલા યોગી. કોઈ બ્રહ્મરસના ભોગી. (હાથનોંધ ૧, પૃષ્ઠ ૪૯) જ્ઞાની પુરુષોને સમયે સમયે અનંતા સંયમપરિણામ વર્ધમાન થાય છે. એમ સર્વશે કહ્યું છે તે સત્ય છે. તે સંયમ, વિચારની તીક્ષ્ણ પરિણતિથી તથા બ્રહ્મરસપ્રત્યે સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે. (હાથનોંધ ૧, પૃષ્ઠ-૫૫) આરંભ - પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પોતાનાં થતાં અટકાવવાં. અન્ય પરિણામમાં જેટલી તાદલ્યવૃત્તિ છે, તેટલો જીવથી મોક્ષ દૂર છે. ઉદયને અબંધ પરિણામે ભોગવાય તો જ ઉત્તમ છે. (૨૩૫T O E Page #237 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ વચનામૃતથી પદ-સરિતા ?LIછે. - For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ | સર્વમાન્ય ધર્મ ] (ચોપાઈ) ધર્મતત્ત્વ જો પૂછવું મને, તો સંભળાવું સ્નેહ તને; જે સિદ્ધાંત સકળનો સાર, સર્વમાન્ય સહુને હિતકાર. ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન; અભયદાન સાથે સંતોષ, ઘો પ્રાણીને, દળવા દોષ. સત્ય શીળ ને સઘળાં દાન, દયા હોઈને રહ્યાં પ્રમાણ; દયા નહીં તો એ નહિ એક, વિના સુર્ય કિરણ નહિ દેખ. પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહિ આશાય; | સર્વ જીવનું ઇચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. સર્વ દર્શને એ ઉપદેશ, એ એકાંતે નહીં વિશેષ; સર્વ પ્રકારે જિનનો બોધ, દયા દયા નિર્મળ અવિરોધ ! એ ભવતારક સુંદર રાહ, ધરિયે તરિયે કરી ઉત્સાહ; ધર્મ સકળનું એ શુભ મૂળ, એ વણ ધર્મ સદા પ્રતિકૂળ. તત્ત્વરૂપથી એ ઓળખે, તે જન પહોંચે શાશ્વત સુખે; શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ . ભક્તિનો ઉપદેશ (તોટક છંદ). શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી; જિનભક્તિ ગ્રહો તરુ કલ્પ અહો, ભજીને ભગવંત ભવંત લહો. ૧ નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મનતાપ ઉતાપ તમામ મટે; અતિ નિર્ભરતા વણદામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લો. ૨ સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે; શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લો. ૩ શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો; નહિ એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લો. ૪ કરશો ક્ષય કેવળ રાગ કથા, ધરશો શુભ તત્ત્વસ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો, ભજીને ભગવંત ભવંત લો. ૫ NONOSONQONO NON 123111 LOLOLOLOLOLOKO Page #240 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્ય વિષે સુભાષિત (દોહરા) નીરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. ૧ આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી, ત્યાગ્યું બધું, કેવળ શોકસ્વરૂપ. ૨ એક વિષયને જીતતાં, જીત્યો સૌ સંસાર; નૃપતિ જીતતાં જીતિયે, દળ, પુર ને અધિકાર. ૩ વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન; લેશ મદિરાપાનથી, છાકે જ્યમ અજ્ઞાન. ૪ જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાઈ; ભવ તેનો લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ. ૫ સુંદર શિયળ સુરતરુ, મન વાણી ને દેહ; જે નરનારી સેવશે, અનુપમ ફળ લે તેહ. ૬ પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન. ૭ અમૂલ્ય તત્ત્વવિચાર (હરિગીત છંદ) બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ! ભવચક્રનો આંટો નહિ એક્કે ટળ્યો; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લો લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો ? ૧ લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો ? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગ્રહો; વધવાપણું સંસારનું નર દેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો ! એક પળ તમને હવો !!! ૨ નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે; પર વસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્દુઃખ તે સુખ નહીં. ૩ હું કોણ છું ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરતું ? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં ૪ તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માનો ‘તેહ' જેણે અનુભવ્યું; રે ! આત્મ તારો ! આત્મ તારો ! શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમૃદ્રષ્ટિ ઘો આ વચનને હૃદયે લખો. ૫ ૫૨૩૯ ॥ Page #241 -------------------------------------------------------------------------- ________________ . પાર ન ર ) જિનેશ્વરની વાણી (મનહર છંદ). અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારિણી હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમાં રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહો ! રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. ૧ ( ભિન્ન ભિન્ન મત દેખીએ જગતમાં ભિન્ન ભિન્ન મત અને દર્શન જોવામાં આવે છે તે દૃષ્ટિભેદ છે. ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દષ્ટિનો એહ; એક તત્ત્વના મૂળમાં, વ્યાપ્યા માનો તેહ. ૧ તેહ તત્ત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તેજ અનુકૂળ. ૨ પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરીએ જ્ઞાન વિચાર; અનુભવી ગુરુને સેવીએ, બુધજનનો નિર્ધાર. ૩ ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મોહ; તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરુ જોય. ૪ બાહ્ય તેમ અત્યંતરે, ગ્રંથ ગ્રંથિ નહિ હોય; પરમ પુરુષ તેને કહો, સરળ દૃષ્ટિથી જોય. ૫ બાહ્ય પરિગ્રહ ગ્રંથિ છે, અત્યંતર મિથ્યાત્વ; સ્વભાવથી પ્રતિકૂળતા, (વિ. સં. ૧૯૪૫) થા . www.a library.org Page #242 -------------------------------------------------------------------------- ________________ ( બિના નયન પાવે નહીં ) બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સદ્ગુરુકે ચરન, સો પાવે સાક્ષાતું. ૧ બૂઝી ચહત જો પ્યાસકો, હૈ બૂઝની રીત; પાવે નહિ ગુરુગમ બિના, એહિ અનાદિ સ્થિત. ૨ એહી નહિ હૈ કલ્પના, એહી નહીં વિભંગ; કઈ નર પંચમકાળમેં, દેખી વસ્તુ અભંગ. ૩ નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબસેં ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ ૪ જપ, તપ ઔર ત્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ ૫ પાયાકી એ બાત હૈ, નિજ છંદનો છોડ; પિછે લાગ સત્પષકે, તો સબ બંધન તોડ. ૬ | (મુંબઈ, અષાડ, ૧૯૪૭) વીસ દોહરા (દોહરા) હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહું, દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. ૧ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ ? ૨ નથી આજ્ઞા ગુરુદેવની, અચળ ફરી ઉરમાંહી; આપ તણો વિશ્વાસ દઢ, ને પરમાદર નાહીં. ૩ જોગ નથી સત્સંગનો, નથી સસેવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. ૪ ‘હું પામર શું કરી શકું ?” એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. ૫ અચિંત્ય તુજ માહાત્મનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ ૬ અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. ૭ |૨૪૧ A KZZES 8 Page #243 -------------------------------------------------------------------------- ________________ 70707070707070707COROKOROROROKOKORON 1 ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દૃઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. ૮ કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદાધર્મ; તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯ સેવાને પ્રતિકૂળ જે, તે બંધન નથી ત્યાગ; દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ૧૦ તુજ વિયોગ સ્કુરતો નથી, વચન નયન યમ નાહીં; નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહીં. ૧૧ અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ ૧૨ એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નહીં એક સદ્ગણ પણ, મુખ બતાવું શુંય ? ૧૩ કેવળ કરૂણા-મૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. ૧૪ અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન. ૧૫ સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યાં અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. ૧૯ સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સતુ સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ? ૧૭ પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય ? ૧૮ અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ? ૧૯ પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દે છે. ૨૦ (રાળજ, ભાદરવા સુદ ૮, ૧૯૪૭) એનું સ્વપ્ન જો દર્શન પામે છે, તેનું મન ન ચઢે બીજે ભામે રે, થાય સદ્ગનો લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારીનો સંગ રે. દિ (ગમમરમરમરમીમી ૨૪૨ | Z9XD_9_959Z995 " | નામ | 3. Page #244 -------------------------------------------------------------------------- ________________ યમ નિયમ સંજમ આપ કિયો ' (તોટક છંદ) યમનિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો; વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દેઢ આસન પધ લગાય દિયો. ૧ મનું પૌન નિરોધ સ્વબોધ કિયો, હઠજોગ પ્રયોગ સુ તાર ભયો; જપ ભેદ જપે તપ ત્યોંહિ તપે, ઉરસેહિ ઉદાસી લહી સબવેં. ૨ સબ શાસનકે નય ધારિ હિયે, મત મંડન ખંડન ભેદ લિયે; વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો. ૩ અબ ક્યોં ન બિચારત હૈ મનમેં, કછુ ઔર રહા ઉન સાધનસું ? બિન સદ્ગુરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈ કહ બાત કહે ? ૪ કરુના હમ. પાવત હૈ તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી; પલમેં પ્રગટે મુખ આગલસેં, જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસેં. ૫ તનસેં, મનસે, ધનમેં, સબસે, ગુરુદેવની આન સ્વ-આત્મ બસેં; તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહિ પ્રેમ ઘનો. ૬ વહ સત્ય સુધા દરશાવહિંગે, ચતુરાંગલ હે દમસે મિલહે; રસ દેવ નિરંજન કો પિવહી, ગહિ જોગ જુગાજુગ સો જીવહી. ૭ પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસેં; વહ કેવલકો બીજ ગ્લાનિ કહે, નિજ કો અનુભી બતલાઈ દિયે. ૮ રાળજ, ભાદરવા સુદ ૮, ૧૯૪૭ . S' જડ ભાવે જડ પરિણમે (૧) (દોહરા) જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ. કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. ૧ જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ; પ્રગટ અનુભવરૂપ છે, સંશય તેમાં કેમ ? ૨. જો જડ છે ત્રણ કાળમાં, ચેતન ચેતન હોય; બંધ મોક્ષ તો નહિ ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિ હોય. ૩ બંધ મોક્ષ સંયોગથી, જ્યાં લગ આત્મ અભાન; પણ નહિ ત્યાગ સ્વભાવનો, ભાખે જિન ભગવાન. ૪ = ( N R TREET ૨૪૩ XDX®$$$$$$495 - Page #245 -------------------------------------------------------------------------- ________________ 670767670ORORORORORORORORON. વર્તે બંધ પ્રસંગમાં, તે નિજ પદ અજ્ઞાન; પણ જડતા નહિ આત્મને, એ સિદ્ધાંત પ્રમાણ. ૫ રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત; જીવ બંધન જાણે નહીં, કેવો જિન સિદ્ધાંત. ૬ પ્રથમ દેહ દૃષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ, હવે દૃષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી નેહ. ૭ જડ ચેતન સંયોગ આ, ખાણ અનાદિ અનંત; કોઈ ન કર્તા તેહનો, ભાખે જિન ભગવંત, ૮ મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહિ, નહીં નાશ પણ તેમ; અનુભવથી તે સિદ્ધ છે, ભાખે જિનવર એમ. ૯ હોય તેહનો નાશ નહિ, નહીં તેહ નહિ હોય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય. ૧૦ (૨). પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૧ (રાળજ, ભાદ્ર પદ સુદ ૮, ૧૯૪૭) ( જિનવર કહે છે જ્ઞાન તેને ] (હરિગીત) જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષ, જીવ કરવા નિર્મળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૧ નહિ ગ્રંથમાંથી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિ કવિચાતુરી, નહિ મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિ ભાષા ઠરી; નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૨ NO (25(2):22NO COારજા છZSES દશમ Page #246 -------------------------------------------------------------------------- ________________ આ જીવ ને આ દેહ એવો, ભેદ જો ભાસ્યો નહીં, પચખાણ કીધાં ત્યાં સુધી, મોક્ષાર્થ તે ભાખ્યાં નહીં; એ પાંચમે અંગે કહ્યો, ઉપદેશ કેવળ નિર્મળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૩ કેવળ નહીં બ્રહ્મચર્યથી, ...... ... ... ... .. કેવળ નહીં સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કળો. જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૪ શાસ્ત્રો વિશેષ સહિત પણ જો, જાણિયું નિજરૂપને, કાં તેહવો આશ્રય કરજો, ભાવથી સાચા મને; તો જ્ઞાન તેને ભાખિયું, જો સમ્મતિ આદિ સ્થળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવો સાંભળો. ૫ આઠ સમિતિ જાણીએ જો, જ્ઞાનીના પરમાર્થથી, તો જ્ઞાન ભાખ્યું તેહને, અનુસાર તે મોક્ષાર્થથી; નિજ કલ્પનાથી કોટિ શાસ્ત્રો, માત્ર મનનો આમળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૬ ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વનાં, શ્રીનંદીસૂત્રે ભાખિયા છે, ભેદ જ્યાં સિદ્ધાંતના; પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં, એ જ ઠેકાણે ઠરો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૭ વ્રત નહીં પચખાણ નહિ, નહિ ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ તીર્થંકર થશે, શ્રેણિક ઠાણંગ જોઈ લો; છેદ્યો અનંતા (રાળજ, ભાદ્રપદ, ૧૯૪૭) અલખનામ ધુનિ લગી ગગનમેં, મગન ભયા મન મેરા છે, આસન મારી સુરત દેઢ ધારી, દિયા અગમ ઘર ડેરા જી. દરશ્યા અલખ દેદારા જી. તે તો => SRP પાર૪પા. T Page #247 -------------------------------------------------------------------------- ________________ Surat 1 | મૂળ મારગ સાંભળો જિનનો રે મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ, નોય પૂજાદિની જો કામના રે, નોય વ્હાલું અંતર ભવદુઃખ. મૂળ૦ ૧ કરી જોજો વચનની તુલના રે, જો જો શોધીને જિનસિદ્ધાંત, મૂળ, માત્ર કહેવું પરમારથહેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત. મૂળ૦ ૨ જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ, મૂળ જિન મારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિધ્ધાંતે બુધ. મૂળ૦ ૩ લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, મૂળ, પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ. મૂળ ૪ હવે જ્ઞાન દર્શનાદિ શબ્દનો રે, સંક્ષેપે સુણો પરમાર્થ, મૂળ, તેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ. મૂળ ૫ છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ, એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મુળ૯ જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, મૂળ, કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજાં નામ સમક્તિ. મૂળ. ૭ જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, મૂળ, તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. મૂળ, ૮ તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ, મૂળ, તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજસ્વરૂપ. મૂળ, ૯ એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ, મૂળ, ઉપદેશ સદ્ગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. મૂળ ૧૦ : એમ દેવ જિનંદે ભાખિયું રે, મોક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ, મૂળ, ભવ્ય જનોના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂપ. મૂળ, ૧૧ (આણંદ, આસો સુદ ૨, ૧૯૫૨) આજ મને ઉછરંગ અનુપમ, જન્મતાર્થ જોગ જણાય; વાસ્તવ વસ્તુ, વિવેક વિવેચક તે ક્રમ સ્પષ્ટ સુમાર્ગ ગણાયો. ૨૪૬૭૭૮૮ I' Page #248 -------------------------------------------------------------------------- ________________ If ' T - Yઝ 7 PPT RAIી જ! - જારી કરી રેકોર અપૂર્વ અવસર ] અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો ? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું કવ મહપુરુષને પંથ જો ? અપૂર્વ ૧ સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કહ્યું નહીં, દેહે પણ કિંચિત્ મૂછ નવ જોય જો. અપૂર્વ ૨ દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વ૩ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહપર્યત જો; ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. અપૂર્વ ૪ સંયમના હેતુથી યોગપ્રવર્તના, સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો. અપૂર્વ, ૫ પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો; દ્રવ્ય, ક્ષેત્ર ને કાળ, ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જો. અપૂર્વ ૬ ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધસ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. અપૂર્વક ૭ બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપિ ન મળે માન જો; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. અપૂર્વ ૮ QXQXQXQXQQNQN 1280 | VOLOLOLOKOOK લિ. નેહટ કરવી (4 / - Page #249 -------------------------------------------------------------------------- ________________ નગ્નભાવ, મુંડભાવ સહ અજ્ઞાનતા, અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ " જો; કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો. અપૂર્વ, ૯ શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો; જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. અપૂર્વ ૧૦ એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો; અડોલ આસન, ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. અપૂર્વ૧૧ ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અને નહીં મનને પ્રસન્નભાવ જો; ૨જકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યાં પુલ એક સ્વભાવ જો. અપૂર્વક ૧૨ એમ પરાજય કરીને ચારિત્રમોહનો, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો; શ્રેણી ક્ષેપકતણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો. અપૂર્વ ૧૩ મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમોહ ગુણસ્થાન જો; અંત સમય ત્યાં પૂર્ણસ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જો. અપૂર્વ ૧૪ ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ભવનાં બીજતણો આત્યંતિક નાશ જો; સર્વ ભાવ જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા. કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો. અપૂર્વ ૧૫ વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જો. તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂર્ણ, મટિયે દૈહિક પાત્ર જો. અપૂર્વ૧૬ NQNQNQNOONQNOVO 112860 LOLOLOLOLOLOLON Page #250 -------------------------------------------------------------------------- ________________ મન, વચન, કાયા ને કર્મની વર્ગણા, છૂટે જહાં સકળ પુદ્ગલ સંબંધ જો; એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો. અપૂર્વ ૧૭ એક પરમાણુમાત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ, અમૂર્ત સહજપદરૂપ જો. અપૂર્વ ૧૮ પૂર્વપ્રયોગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો; સાદિ અનંત અનંત સમાધિસુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો. અપૂર્વ ૧૯ જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અપૂર્વ ૨૦ એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથરૂપ જો; તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુઆજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. અપૂર્વ ૨૧ વવાણિયા, સં. ૧૯૫૩૧ ૧. આ કાવ્યનો નિર્ણીત સમય મળતો નથી. ૫૨૪૯ ॥ Page #251 -------------------------------------------------------------------------- ________________ જડને ચૈતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ જડ ને ચૈતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે; સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે શેય પણ પરદ્રવ્યમાંય છે; એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા; નિગ્રંથનો પંથ ભવઅંતનો ઉપાય છે. ૧ દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે; જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ, મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે; એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બન્ને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. ૨ | (મુંબઈ કાર્તિક વદ ૧૧, મંગળ, ૧૯૫૬) ઇચ્છે છે જે જોગી જન ) (૧) ઇચ્છે છે જે જોગી જન, અનંત સુખસ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિનસ્વરૂપ ૧ આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયો, તેહ સ્વરૂપ પ્રકાર. ૨ જિનપદ નિજ પદ એકતા, ભેદભાવ નહિ કાંઈ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. ૩ જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદગુરૂ, સુગમ અને સુખખાણ. ૪ ઉપાસના જિનચરણની, અતિશય ભક્તિસહિત; મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ યોગ ઘટિત. ૫ ગુણપ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ; પ્રાપ્તિ શ્રી સદ્દગુરૂ વડે, જિન દર્શન અનુયોગ. ૭ પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઊલટી' આવે એમ; પૂર્વ ચૌદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. ૭ ૧. પાઠાન્તર - ઉલ્લાસી V NANONONONGNHVKN 1124011 K OKOOKOOKONA 7 - - Page #252 -------------------------------------------------------------------------- ________________ વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અયોગ. ૮ મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરૂણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. ૯ રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઇષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય ૧૦ નહિ તૃષ્ણા જીવ્યાતણી, મરણ યોગ નહિ ક્ષોભ; મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતલોભ. ૧૧ આવ્યું બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ; આવ્યું તેમ સ્વભાવમાં, મનસ્વરૂપ પણ જાઈ. ૧ ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર. ૨ સુખ ધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તધ્યાનમહીં; પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે૧ (રાજ કોટ, ચૈત્ર સુદ ૯, ૧૯૫૭) (૨) (૩) | મારગ સાચા મિલ ગયા ] મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ; હોતા સો તો જલ ગયા, ‘ભિન્ન કિયા નિજ દેહ, સમજ પિછે પિછં સબ સરલ હૈ, બિનૂ સમજ મુશકીલ; યે મુશકીલી ક્યા કહું ? ........ ખોજ પિંડ બ્રહ્માંડકા, પત્તા તો લગ જાય; વેહિ બ્રહ્માંડ વાસના, જબ જાવે તબ...... આપ આપકું ભૂલ ગયા, ઇનમેં ક્યા અંધેર ? સમર સમર અબ હસત હૈ, નહિ ભૂલેંગે ફેર. જહાં કલપના - જલપના, તહાં માનું દુઃખ છાંઈ; મિટે કલપના - જલપના, તબ વસ્તુ તિન પાઈ. 'હે જીવ ! ક્યા ઇચ્છત હવે ? હૈ ઇચ્છા દુઃખ મૂલ; જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ. ઐસી કહાઁસે મતિ ભઈ, આપ આપ હૈ નાહિં; આપનકું જબ ભૂલ ગયે, અવર કહૉસે લાઈ. આપ આપ એ શોધમૈં, આપ આપ મિલ જાય; (હાથનોંધ-૧, પૃષ્ઠ ૨૯) આપ મિલન નય બાપકો, ....................... (હાથનોંધ-૧, પૃષ્ઠ ૩૦) ૧. મૂળ હાથનોંધમાં આ ચરણો નથી પણ શ્રીમદે પોતે જ પછી પૂર્તિ કરેલ છે. ૨. પાઠાન્તર - ક્યા ઇચ્છત ? ખોવત સખે ! Page #253 -------------------------------------------------------------------------- ________________ COROROKOROROROKORON [ હોત આસવા પરિસવા ] હોત આવા પરિવા, નહિ ઇનમેં સંદેહ; માત્ર દૃષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહિ. રચના જિન ઉપદેશકી, પરમોત્તમ તિનું કાલ; ઇનમેં સબ મત રહત હૈ, કરતે નિજ સંભાલ. જિન સો હી હૈ આતમાં, અન્ય હોઈ સો કર્મ; કર્મ કરે સો જિન વચન, તત્ત્વજ્ઞાનીકો મર્મ. જબ જાન્યો નિજરૂપકો, તબ જાન્યો સબ લોક; નહિ જાન્યો નિજરૂપકો, સબ જાન્યો સો ફોક. એહિ દિશાકી મૂઢતા, હૈ નહિ જિનાઁ ભાવ; જિનમેં ભાવ બિનુ કબૂ, નહિ છૂટત દુઃખદાવ. વ્યવહારસેં દેવ જિન, નિહચેલેં હૈ આપ; એહિ બચનમેં સમજ લે, જિનપ્રવચનકી છાપ. એહિ નહીં હૈ કલ્પના, એહી નહીં વિભંગ; જબ જાગેંગે આતમાં, તબ લાગેંગે રંગ (હાથનોંધ-૧, પૃષ્ઠ-૩૫) કોઈ બ્રહ્મરસના ભોગી ] કોઈ બ્રહ્મરસના ભોગી, કોઈ બ્રહ્મરસના ભોગી. જાણે કોઈ વિરલા યોગી, કોઈ બ્રહ્મરસના ભોગી. (હાથનોંધ-૧, પૃ. ૪૯) ૧. પાઠાન્તર - હોત ન્યૂન સે ન્યૂનતા. = 22222222 પારપરા 98903939585994 1 Page #254 -------------------------------------------------------------------------- ________________ [ ધન્ય રે દિવસ આ અહો ! ] ધન્ય રે દિવસ આ અહો, જાગી રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષે રે ધારા ઊલસી, મટ્યો ઉદયકર્મનો ગર્વ રે ધન્ય ઓગણીસમેં ને એકત્રીસે, આવ્યો અપૂર્વ અનુસાર રે; ઓગણીસમેં ને બેતાળીસે, અદૂભુત વૈરાગ્ય ધાર રે, ધન્ય ઓગણીસસેં ને સુડતાળીસે, સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાચું રે. ધન્ય ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક રંચ રે. ધન્ય (હાથનોંધ-૧, પૃષ્ઠ-૬૩) વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઈ રે; ક્રમે કરીને જે તે જશે, એમ ભાસે મનમાંહી રે. ધન્ય યથા હેતુ જે ચિત્તનો, સત્ય ધર્મનો ઉદ્ધાર રે; થશે અવશ્ય આ દેહથી એમ થયો નિરધાર રે, ધન્ય આવી અપૂર્વ વૃત્તિ અહો, થશે અપ્રમત્ત યોગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિયોગ રે. ધન્ય અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે; તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે, ધન્ય (હાથનોંધ-૧, પૃષ્ઠ-૬૪) t======eગટ ા૨૫૩૫ (BMDEMBEDDEDED Page #255 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના For Fascin ato Use Oruy Page #256 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના હે ભગવાન ! હું બહુ ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનોને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વોનો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતાને ઓળખ્યા નહીં. હે ભગવાન ! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટમ્બનામાં પડ્યો છું. હું પાપી છું, હું બહુ મદોન્મત્ત અને કર્મરજની કરીને મલિન છું. હે પરમાત્મા ! તમારા કહેલા તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા ! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થાઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંત દર્શી અને ત્રૈલોક્યપ્રકાશક છો. હું મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમા૨ા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું કહું ? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ॥૨૫૫ ॥ Page #257 -------------------------------------------------------------------------- ________________ અહો સપુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ ! સુપુત્વ ચેતનને જાગૃત કરનાર, [ પડતી વૃત્તિને સ્થિર રાખનાર, 'દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત: છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી, અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વર્તા! સહજાત્મ સ્વરૂપ પરમગુરુ આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે પરમ ગુરુ નિર્ગથ સર્વજ્ઞદેવ ૩ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Jan Education intamational For Farurial & Private Use Only www.ja in library.org જે જ 2 / Page #258 -------------------------------------------------------------------------- ________________ સપુરુષોનું યોગબળ ગતનું કલ્યાણ કરો. . Aud હષ તર ગીય મેજર (સંવત 25-2017 Jain Education Internation For Personal Private Use Only www.jalinelibrary.org