SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦. ભક્તશિરોમણિની અનન્ય ભક્તિ મુમુક્ષુ અંબાલાલભાઈના જીવનને યોગ્ય માર્ગદર્શન આપીને ઉચ્ચ આત્મદશાએ પહોંચાડનાર સદગુરુ શ્રીમદ્ હતા તો બીજી બાજુ અંબાલાલભાઈ પણ શ્રીમદૂની અધ્યાત્મ-સાધનામાં સદાય સદૈવ સહાયરૂપ બની રહ્યા. શ્રીમદૂની હસ્તપ્રતોની નકલ કરવી કે પછી શ્રીમદ્દના નિવૃત્તિકાળની સઘળી વ્યવસ્થા કરવાનું કામ અંબાલાલભાઈના શિરે હતું. બંને વચ્ચેનો પ્રગાઢ ગુરુ-શિષ્યસંબંધ એમના પત્રોમાં અને પ્રસંગોમાં પ્રગટ થાય છે. | વિ. સં. ૧૯૪૭માં પૂર્વના સંસ્કારી, ઉત્તમોત્તમ ક્ષયોપશમવાળા અને એકનિષ્ઠ ભક્તિભાવ ધરાવતા અંબાલાલભાઈના સમગ્ર જીવનનું કેન્દ્ર શ્રીમદ્ બની ગયા અને અંબાલાલભાઈ પણ અથાગ શ્રદ્ધા અને અનન્ય ભક્તિથી શ્રીમદ્ પ્રત્યે તન્મય બની ગયા. આવી તન્મયતાને કારણે અંબાલાલભાઈની પત્ની કે માતાપિતાની ઉપેક્ષા થઈ હતી. આ વાત શ્રીમદે જાણી ત્યારે અંબાલાલભાઈને એમના જીવનકર્તવ્યનો ખ્યાલ આપતા પોતાની સેવામાંથી જવાની આજ્ઞા કરતાં કહ્યું, “તેમના મનને સંતોષો. ગમે તે રીતે સામાને સમજાવીને, રાજી રાખીને ધર્મ સાધવો; દુભવણી ન કરવી.” | શ્રીમદે કરેલી આજ્ઞાથી અંબાલાલભાઈએ આવી ભૂલ પુનઃ ક્યારેય કરી નહીં. શ્રી અંબાલાલભાઈ શ્રીમદ્રની આજ્ઞા પ્રમાણે જ સર્વ કાર્ય કરતા અને આજ્ઞાંકિતપણામાં જીવનનું પરમ કર્તવ્ય માનતા હતા. તેઓ સદૃગુરુની અખંડ વિનયભક્તિ કરતા હતા. રાત્રે ખાટલાની પાંગતે બેસે, સેવા કરે. નિદ્રા પણ બહુ ઓછી લેતા. તીવ્ર સ્મૃતિને કારણે શ્રીમદ્ સાથે બે-ત્રણ દિવસ પૂર્વે થયેલી વાતચીત અક્ષરશઃ લખી શકતા હતા. મરોડદાર અક્ષરના કારણે શ્રીમદ્રનાં વચનો ઉતારતા, અન્ય મુમુક્ષુઓને શ્રીમદ્નાં એ અમૃત વચનો મોકલતા તેમ જ અન્ય ગ્રંથોની નકલ કરતા. | અલ્પ સમયમાં શ્રીમદ્રના જીવનરહસ્યને પારખનારા અને પામનારા તેઓ શ્રીમદ્ના જમણા હાથ જેવા પરમ વિશ્વાસુ બની ગયા. સર્વ મુમુક્ષુઓમાં અગ્રેસર બની રહ્યા. શ્રીમદ્ અને અંબાલાલભાઈનો ગુરુશિષ્ય પરમાર્થ સંબંધ ઉત્તરોત્તર વધતો ગયો. તે એટલી હદ સુધી કે જ્યાં જ્યાં નિવૃત્તિક્ષેત્રે શ્રીમદ્ બિરાજમાન હોય, ત્યાં ત્યાં અંબાલાલભાઈ હોય જ ! અનન્ય ભક્તિથી શ્રીમદ્ માટે સર્વે અનુકુળતાઓ અને વ્યવસ્થા આ ભક્તશિરોમણિ કરતા હતા. વિ. સં. ૧૯૪૭માં શ્રીમદે મહામુમુક્ષુ અંબાલાલભાઈને ખંભાતની આજુબાજુમાં પોતે અજ્ઞાત રહીને એકાંત અને અસંગતા મેળવી શકે એવું પ્રકૃતિસમૃદ્ધ સ્થળ શોધવાનું કહ્યું. શ્રીમદ્દની આજ્ઞા પ્રમાણે સર્વ રીતે અનુકૂળ એવું, ખંભાતથી ત્રણ-ચાર ગાઉ દૂર નિવૃત્તિક્ષેત્ર એવા રાળજ ગામને પસંદ કર્યું. પુણ્યમૂર્તિ શ્રીમના પાવન પગલાંથી રાળજ પવિત્ર બન્યું, એટલું જ નહીં પણ પર્વાધિરાજ પર્યુષણમાં પણ શ્રીમદ્ અહીં રહ્યા હતા. આ પાવન સાધનાસ્થળે શ્રીમદ્રની અપૂર્વ આત્મસમાધિ-લીનતા દર્શાવતાં ચાર અમર કાવ્યોનું સર્જન થયું. - આ ચાર મહાકૃતિઓમાં સદ્ગુરુભક્તિના રહસ્યને દર્શાવતા વીસ દોહરા, કૈવલ્ય બીજ શું તે દર્શાવતું ‘યમ નિયમ', જડ અને ચૈતન્યની સમજ આપતું ‘જડ ભાવે જડ પરિણમે' અને હરિગીત ‘જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો’ જેવી અમર કૃતિઓની રચના થઈ. આ એકાંત સ્થળના સાધનાકાળમાં સહજપણે કાવ્યઝરણું પ્રગટ થયું. લાંબું કાવ્ય નહીં, પણ થોડી પંક્તિઓ ધરાવતાં આ ગીતોનું કલાસ્વરૂપ ભલે નાનું હોય, પરંતુ ગહન ઊંડાણ અને ભવ્ય દર્શન ધરાવતી આ અમર કૃતિઓ છે. શ્રીમના અંબાલાલભાઈ પર લખાયેલા પત્રોમાં જુદા જુદા વિષયો પર એમણે આપેલા આધ્યાત્મિક માર્ગદર્શનનો આલેખ મળે છે.
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy