SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮. સુખધામ અનંત ચૈત્ર વદ પાંચમનો એ દિવસ. સવારે પોણા આઠ વાગે શ્રીમદ્દને દૂધ આપ્યું, એ તેઓએ લીધું. આ સમયે સંપૂર્ણ શુદ્ધિમાં મન, વચન અને કાયા હતાં. પોણા નવ વાગે શ્રીમદે પોતાના નાના ભાઈ મન:સુખભાઈને કહ્યું, મનસુખ, દુ:ખ ન પામતો, માને ઠીક રાખજે. હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.” વઢવાણ કૅમ્પમાં જે સ્થિતિમાં ઊભા ઊભા ચિત્રપટ પડાવ્યું હતું, બરાબર એ જ સ્થિતિમાં કોચ ઉપર પાંચ કલાક સુધી સમાધિ રહી. પોણા આઠથી બે વાગે પ્રાણ છૂટ્યા ત્યાં સુધી લઘુશંકા, દીર્ઘશંકા, મોઢે પાણી કે આંખે પાણી કે પરસેવો કંઈ પણ જણાતું નહોતું. આવા સમાધિ સ્વભાવે તે પવિત્ર આત્મા અને દેહનો સંબંધ છુટ્યો. આત્મા છૂટો થયાનાં લેશમાત્ર ચિહ્ન જણાતાં નહોતાં. જેમ જેમ પ્રાણ ઓછા થવા લાગ્યા તેમ તેમ એમની મુખમુદ્રાની કાંતિ વિશેષપણે પ્રકાશવા લાગી. એ સમયની એમની દેહત્યાગની દશા અન્ય ઉપસ્થિતોને પણ આશ્ચર્ય પમાડતી અને પૂજ્યભાવ ઉત્પન્ન કરતી હતી. એમની મુખાકૃતિ શાંત, મનહર અને ચૈતન્યવ્યાપી લાંગતી હતી. નહિ તૃષ્ણા જીવ્યા તણી, મરણ યોગ નહિ ક્ષોભ.” પોતાની જ આ અંતિમ સંદેશાની પંક્તિને ચરિતાર્થ કરતા શ્રીમદ્રને મરણનો ભય ક્યાંથી હોય ? અજર, અમર અમૃત, આત્માને પામેલા શ્રીમદ્દ જેવા પરમ જ્ઞાની તો કાળના પણ કાળ છે. કાલાતીત, સમયાતીત અને દેહાતીત છે. સં. ૧૯૫૭ના ચૈત્ર વદી પંચમીના દિને મંગળવારે બપોરના બરાબર બે વાગ્યે રાજકોટમાં આ પરમ મંગલમૂર્તિ, પરમ દિવ્યજ્યોતિ રાજચંદ્રનો આ રાજચંદ્ર નામધારી દેહપર્યાય છૂટી ગયો અને આ પરમ અમૃત રાજચંદ્રની દિવ્ય શાશ્વત આત્મજ્યોતિ ઊર્ધ્વગમન કરી ગઈ. - કેટલાય યુગમાં ન થાય તેટલું કામ તેઓ માત્ર ૩૩ વર્ષમાં કરી ગયા. અનંત ભવનું સાટું એક ભવમાં વાળી ગયા. પરમ આત્મકલ્યાણ સાધી આત્મકલ્યાણનો સાચો રાહ બતાવી જ ગત પર અસીમ ઉપકાર કરી ગયા. સમયની રેત પર અસંખ્ય પગલાં પડ્યાં અને પવનની લહેરથી કે ધૂળની ડમરીથી, સમયના પ્રવાહથી કે કાળની બલિહારીથી એ ભૂંસાઈ ગયા. એ પગલાંઓનું નામોનિશાન મળતું નથી. | માત્ર વિશ્વકલ્યાણકારી વિરલ વિભૂતિઓનાં પચિહ્નો અને પથપ્રદર્શકો માનવજાત પાસે ભવિષ્યની ઊજળી આશારૂપે રહ્યાં છે. એ અજવાળનારો પંથ અનેક મુમુક્ષુને જીવનદૃષ્ટિ આપનારો અને મૂળ માર્ગની ઓળખ આપે છે. - જેમ તીર્થંકરોના નિર્વાણથી સમેતશિખરજી, ગિરનારજી, પાવાપુરીજી પવિત્ર તીર્થધામ બન્યાં છે તેમ આત્માની ઉત્કૃષ્ટ ઐશ્વર્યતાને પામેલા અને પ્રભુ મહાવીરનો મૂળ માર્ગ દર્શાવનારા શ્રીમના દેહવિલયને કારણે રાજકોટની ભૂમિ પવિત્ર તીર્થધામ બની – સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત રહે તદ્ ધ્યાન મહીં, પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વરતે જયતે. for Personal Finasto Use Jain Education international For Personal & Pilvastu Use Only
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy