SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨. અહિંસા પરમો ધર્મ નાની વયે શાક સમારતાં જેનું કરુણાળુ હૃદય દ્રવી ઊઠયું હતું એવા શ્રીમના ચિત્તમાં અહિંસાનું કેવું વિરાટ આકાશ હશે ! તેઓ મુંબઈમાં હતા ત્યારે સમાચાર મળ્યા કે ધરમપુરમાં વિજયાદશમી(દશેરા)ને દિવસે ૧૦૮ પાડાનો બલિ ચડાવવામાં આવે છે. સુક્ષ્મમાં સુક્ષ્મ જંતુની વેદના અનુભવતા શ્રીમદ્દનું હૃદય આ સમાચારથી વ્યથિત બની ગયું. નિર્દોષ પાડાઓનો વધ ન થાય તેને માટે એમણે આયોજન કર્યું. મહાવીરના માર્ગને અનુસરનાર આવી હિંસા કઈ રીતે સાંખી લે ? ક્રૂર પ્રાણીવધના વિરોધમાં ધરમપુરમાં સભાનું આયોજન કરાવ્યું. આને માટે શ્રી માણેકલાલ ઘેલાભાઈને ધરમપુર મોકલવાની વ્યવસ્થા કરી. મુંબઈના વિદ્વાન શાસ્ત્રીઓ પાસે વેદગ્રંથોમાંથી હિંસાવિરોધી આધારો શોધી આપવાનું કહ્યું. વેદના નામે અર્થનો અનર્થ કરીને પ્રાણીહિંસા કરવામાં આવતી હતી એની સામે અવાજ ઉઠાવ્યો. આને માટે તેઓએ ઉપદેશ આપ્યો. ચોતરફ એવું વાતાવરણ સર્યું કે ધરમપુરમાં થતી ક્રૂરતા સામે વિરોધનું વાતાવરણ સર્યું. - આ સમયે શ્રીમદ્ રાત-દિવસ અથાગ પરિશ્રમ કરતા હતા. એમની એક નિરાળી છબી સહુને જોવા મળી. શ્રીમદે હિંસાનો પ્રબળ વિરોધ કરતાં અંતે પાડા મારવાનું બંધ થયું. સર્વાત્મામાં સમદ્રષ્ટિ ધરાવનાર શ્રીમદ્રના કરુણાસભર તેજસ્વી હૃદયનો સહુને માર્મિક અનુભવ થયો. વિ. સં. ૧૯૫૨માં ખંભાતનિવાસી શ્રી છોટાલાલભાઈ માણેકચંદ અને ત્રિભુવનભાઈ માણેકચંદના મકાનમાં શ્રીમનો ઉતારો હતો. ‘રાજ-છાયા' નામના મકાનના ત્રીજે માળે એક ઓટલા પર બેસીને શ્રીમદ્ ઉપદેશ આપતા હતા. આખું મકાન શ્રોતાજનોથી ઊભરાઈ જતું. શેરીમાં પણ શ્રીમની પાવન વાણી સાંભળવા માટે લોકો ઊભા રીમદ્દની વાણીનો અતિશય એવો અદ્ભુત હતો કે દરેક વ્યક્તિને એમાંથી પોતાના મનની શંકાનું સમાધાન મળી રહેતું. ‘રાજ-છાયા' મકાનની અગાસીમાં એક વાર શ્રીમની એક બાજુએ શ્રી સોભાગભાઈ અને બીજી બાજુએ શ્રી ડુંગરશીભાઈ બેઠા હતા. શ્રીમદ્ એમને બાર વ્રતનું સ્વરૂપ સમજાવતા હતા. આ સમયે શ્રીમદે કહ્યું, આ બંને આર્ય, શ્રી સોભાગ તથા શ્રી ડુંગરશી શ્રી સુધર્માસ્વામી તથા શ્રી ગૌતમસ્વામી જેવા છે.” આવું વચન પ્રભુ મહાવીર જેવી અનુભૂતિ ધરાવનાર જ બોલી શકે. શ્રી સોભાગભાઈ અને શ્રી ડુંગરશી ગોશળિયા બાળપણના મિત્રો હતા. શ્રી સોભાગભાઈનું હૃદય ભક્તિથી છલકાતું હતું, જ્યારે ડુંગરશીભાઈએ યોગસાધના દ્વારા કેટલાક ચમત્કારો સિદ્ધ કર્યા હતા. ડુંગરશીભાઈની યોગ્યતાનો શ્રીમદ્ને પૂરેપૂરો ખ્યાલ હતો અને તેથી જ શ્રી સોભાગભાઈને ‘શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર’ વાંચવા અને વિચારવા મોકલ્યું, ત્યારે શ્રી ડુંગરશીભાઈને તે વાંચવાની અને મુખપાઠ કરવાની શ્રીમદે અનુમતિ આપી. આ રીતે શ્રી સોભાગભાઈ અને શ્રી ડુંગરશીભાઈની મૈત્રી જળવાઈ રહી. બંનેની શ્રીમદ્ પ્રત્યેની શ્રદ્ધા વધી અને બંને અધ્યાત્મમાર્ગમાં આગળ વધ્યા. બને છે , ST , ન ધ ડGણે છે :
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy