SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. ગામઠી નિદાળમાં પ્રાત:કાળે ઊઠીએ ત્યારે આગલી રાતના બનાવોની સ્મૃતિ પુન: જીવંત બની જાય છે. રાતનો પડદો ખસી જતાં ગઈ કાલના બનાવોનું સાક્ષાત્ સ્મરણ થાય છે. એ જ રીતે જાતિસ્મરણશાન થાય એટલે પૂર્વજન્મોની ઘટના સ્મૃતિપટ પર સજીવન થાય. જાણે ગઈ કાલનો કોઈ બનાવ ન હોય એમ પૂર્વજન્મોની સ્મૃતિઓ સ્વાનુભવગોચર થાય. વિ. સં. ૧૯૩૧માં માત્ર સાત વર્ષની વયે બાળ શ્રીમદ્દને જાતિસ્મૃતિ થઈ અને પૂર્વજન્મોનાં સ્મરણોની સાથોસાથ પૂર્વસંચિત સ્વાનુભવસિદ્ધ જ્ઞાન પણ પ્રગટ થયું. એમણે પોતાનાં એ અસાધારણ જ્ઞાન અને સ્મૃતિશક્તિ કોઈને કળાવાં દીધાં નહીં. સાત વર્ષના બાળ શ્રીમદૂને પિતા રવજીભાઈ નિશાળે બેસાડવા લઈ ગયા. સંસાર તો પોતાના તોલમાપથી જ વિચારતો હોય છે અને પોતાની રૂઢિ પ્રમાણે કાર્ય કરતો હોય છે. વવાણિયા તાલુકાની ગામઠી નિશાળમાં બાળ શ્રીમદ્ દાખલ થયા. | એ ગામઠી શાળાની આજે કલ્પના કરવી પણ મુશ્કેલ બને. એ શાળામાં જમીન લીંપેલી હોય. એ જમાનો એવો કે બાળક બાપથી ન ડરે, માથી ન ડરે, પરંતુ શાળાના મહેતાજીનું નામ પડતાં ધ્રુજી ઊઠે. ગામઠી નિશાળના માસ્તર ‘સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ઘમઘમ’ એ સિદ્ધાંતમાં અટલ શ્રદ્ધા ધરાવનારા હોય. વવાણિયાની નિશાળમાં બાળ શ્રીમદને લઈને પિતા રવજીભાઈ આવ્યા. એમણે ગામઠી નિશાળના હેડ માસ્તરને વિનંતી કરી, “માસ્તર સાહેબ ! આ મારો વહાલસોયો દીકરો છે. એને બરાબર ભણાવજો હો.” ગામડાના ભલા-ભોળા માનવી રવજીભાઈ નિશાળમાં માસ્તરો કેવી સજા કરતા હતા, તે સારી પેઠે જાણતા હતા. એમાં બાળકોને જાતજાતની શિક્ષા કરવામાં આવતી. કોઈને હાથ ખુલ્લો રાખીને એના પર માસ્તર સોટી ફટકારે, તો કોઈને અંગુઠા પકડાવી ઉપર આંકણી મુકે, તો કોઈને ઘોડી થઈને બેસાડે. આથી રવજીભાઈથી સ્વાભાવિક રીતે બોલાઈ ગયું, “સાહેબ, એને મારશો કે લડશો નહીં.” હેડમાસ્તરને આવી ભલામણ કરી રવજીભાઈ ઘેર આવ્યા. હીરો તેજસ્વી હોય તો એનું તેજ પ્રગટયા વિના રહે ખરું ? બાળ શ્રીમદ્દને જોતાં જ હેડમાસ્તરે હૃદયમાં જુદો જ ભાવ અનુભવ્યો. આજ સુધી આ ગામઠી નિશાળમાં કેટલાંય બાળકો દાખલ થયાં હતાં. આ બાળકો હેડમાસ્તર પાસે આવે ત્યારે એમના પગ ધ્રુજતા હોય, એમનું શરીર ભયથી કાંપતું હોય, જીભ સિવાઈ ગઈ હોય. જ્યારે બાળ શ્રીમદુનો ચહેરા પર સહેજે ભય કે ચિંતા નહોતા, માત્ર સૌમ્ય શાંતિ જ તરવરતી હતી. કોઈ વ્યક્તિત્વની પ્રભા જ એવી હોય છે કે એને જોતાં જ મનના ભાવો બદલાઈ જાય. એકાએક એના પ્રત્યે આદર કે સ્નેહ જાગે, શ્રીમદને જોતાં જ હેડમાસ્તરને એમના તરફ પ્રેમભાવ જાગ્યો. એમણે વર્ગશિક્ષક લવજીભાઈને બોલાવ્યા. લવજીભાઈને કહ્યું, “જુઓ, આ બાળકને પ્રેમપૂર્વક ભણાવજો. જરા પણ લડશો નહીં કે મારશો નહીં.” હેડમાસ્તરની વાત વર્ગશિક્ષકે સ્વીકારી લીધી. મનમાં એમ પણ માન્યું કે નક્કી, આ હેડમાસ્તર સાહેબના ખાસ સંબંધીનો પુત્ર હશે, નહીં તો તેઓ આવી ખાસ ભલામણ ન કરે. લવજીભાઈ વર્ગમાં ગયા અને બાળ શ્રીમદૂને વર્ગમાં આવવા કહ્યું. Jain Education national For Persortal Priv a te Corte
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy