SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ તા. તેથી તો છે ની બધી જ ' ' ૬૩. કર્મોનો ખેલ એક વાર શ્રી સોભાગભાઈના પુત્ર મણિલાલભાઈએ શ્રીમદુને કહ્યું કે આજે નાટક જોવા જેવું છે. આ સમયે શ્રીમદે એમને ઊભા થઈ બારી આગળ આવવાનું કહ્યું. મણિલાલભાઈ આવ્યા એટલે શ્રીમદે બારી બહારની દુનિયા બતાવતાં કહ્યું કે જુઓ, સામે ઘોડાગાડીમાં માણસો જતા દેખાય છે. કોઈ ગરીબ માણસ ભીખ માગી રહ્યો છે. કોઈ લાચાર અને કોઈ બીમાર છે. | મણિલાલે આ જોયું અને શ્રીમદે કહ્યું કે આ બધા એમણે કરેલાં કર્મોનું ફળ ભોગવે છે. આ બધું જ નાટક છે. જેવી વૃત્તિ કરશો તે પ્રમાણે ભોગવશો. કોઈ પણ માણસ કે પ્રાણી દુ:ખી હોય, વ્યાધિ કે પીડા ભોગવતા હોય તો એમને એ અસહ્ય વેદના નરકની વેદના જેવી લાગે છે. બહારથી માનવી સુખી હોય, પરંતુ અંદરથી તો દુ:ખી જ હોય છે. બાહ્ય દૃષ્ટિએ આબરૂ દાર હોય, પણ ભીતરમાં એ દેવાદાર હોય છે. કોઈને સ્ત્રી, કુટુંબ કે પરિવારની ચિતા હોય છે. કોઈને દીકરા-દીકરી પરણાવવાનાં હોય છે. કોઈને હૃદયમાં આજીવિકાનું દુ:ખ હોય છે. આમ બધા જ અંતરમાં પીડા અનુભવતા હોય છે. આ રીતે શ્રીમદે મણિલાલભાઈને સંસારનું અસલી નાટક બતાવ્યું. જ્ઞાની પુરુષ જગતને અને જગતની લીલાને દૂર રહ્યું રહ્યું નીરખતા હોય છે. એક અવિનાશી આત્મા સિવાય બીજું બધું નશ્વર હોય છે. જ્ઞાની પુરુષો તો આત્માનુભવ થવાથી બાહ્ય વસ્તુમાં વળતા નથી. એક વાર શ્રીમદ્ મુંબઈના નિવાસસ્થાન દરમિયાન ફરવા નીકળ્યા હતા. ફરતાં ફરતાં સ્મશાનભૂમિ આવી. શ્રીમદે પોતાની સાથે ફરવા આવેલા સજ્જનને પૂછયું, “ભાઈ ! આ શું છે ?” પેલા સજ્જને સ્વાભાવિક રીતે જ જવાબ આપ્યો, “આ તો સ્મશાનભૂમિ છે.” આ સાંભળી શ્રીમદે માર્મિક વચનો કહ્યાં, અમે તો આખી મુંબઈ નગરી સ્મશાન સમાન જોઈએ છીએ.” આમ વીતરાગી શ્રીમદ્દને જગતનું અણુ માત્ર પણ ગમવાપણું નહોતું. સામાન્ય માનવીને મુંબઈ નગરી મોહમયી લાગતી હતી જ્યારે શ્રીમને એ નગરી અમોહ સ્વરૂપે ભાસતી હતી. શ્રીમદ્રના એક પડોશીએ એમની પ્રભાવક શક્તિઓ વિશે સાંભળ્યું હતું. એમના અસાધારણ શક્તિ-કૌશલની વાતો એને કાને આવી હતી. એ પડોશી જોતાં કે આવા શક્તિમાન વ્યક્તિ ધર્મની ધૂનમાં જ ડૂબેલા રહેતા હતા. સાધના અને સ્વાધ્યાય એ જ એમનો નિત્યક્રમ જણાતો હતો. જીવનમાં સ્થૂળ સપાટીએ જીવનારા અને સ્વાર્થ તથા અર્થનો વિચાર કરનારા માનવીને શ્રીમદ્રની પરમાર્થસાધના ક્યાંથી સમજાય ? આથી એણે એક વાર શ્રીમદ્રને કહ્યું, તમારી પાસે આટલી અદ્ભુત સ્મરણશક્તિ છે. અજોડ બુદ્ધિચાતુર્ય છે. તમને તો બજારની ચીજવસ્તુઓના ભાવ શું હશે તેની તો ખબર હશે જ, ખરું ને ? તો એ કેમ કહી આપતા નથી ?” શ્રીમદે કહ્યું, “અમારો દી' ઊઠ્યો નથી કે સ્વાધ્યાય ભાવ જાણવા માટે કરીએ.” આમ કહીને શ્રીમદે દર્શાવ્યું કે સ્વાધ્યાય ‘સ્વ'નો અધ્યાય કરવા માટે છે. Jain Education international For Personal & Private Us Only
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy