SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭. સેવે સગુરુ કે ચરણા અહિંસાની મહાશક્તિ સામે હિંસાનો અંતે પરાજય થતો હોય છે. ગમે તેવો ક્રુર અને નિર્દય માનવી પણ કરુણાર્ક હૃદય આગળ ઝૂકી જાય છે. વિના કારણે ડંખ દેતો દૃષ્ટિવિષ સર્પ ચંડકૌશિક કે તોફાને ચડેલા મદમસ્ત સાંઢ અહિંસાની પ્રબળ શક્તિ સામે સૌમ્ય બની જાય છે. એક વખત શ્રીમદ્દ પોતાના મુમુક્ષુઓ સાથે ધર્મજથી વીરસદ જતા હતા. રસ્તે ચાલતાં સાવ સાંકડી કેડી આવી. આખી મંડળી એ કેડીમાંથી પસાર થઈ રહી હતી, ત્યાં સામેથી બે ખુંખાર માતેલા સાંઢ તોફાન કરતા ધસમસતા આવતા હતા. સાંઢને આવતા જોઈને અન્ય લોકો તો આસપાસનાં ખેતરોમાં દોડી ગયા અને સલામત જગા શોધીને લપાઈ ગયા. શ્રીમદ્ સાથે ચાલતા સાથીઓ પણ ગભરાઈ ગયા. માતેલા બે સાંઢ સાક્ષાત્ યમરાજ જેવા લાગ્યા, આથી જીવ મૂઠીમાં વાળીને નાસવા લાગ્યા. કિંતુ શ્રીમદ્રના ચહેરા પર એ જ શાંતિ અને સૌમ્યતા હતી. એમણે કહ્યું, “સાંઢ નજીક આવશે, ત્યારે શાંત થઈ જશે.” શ્રીમદના વચનમાં સહુને શ્રદ્ધા હતી, પણ સાથે આવું જાનનું જોખમ ખેડવા કોઈ તૈયાર નહોતા. શ્રી છોટાલાલભાઈ અને તેના સાથીઓ નજીકના ખેતરમાં છુપાઈ ગયા. નિર્ભય શ્રીમદ્ શાંતિથી પોતાના માર્ગ પર આગળ વધ્યા. એમની પાછળ સાયલાના શ્રી સોભાગભાઈ અને શ્રી ડુંગરશીભાઈ ચાલતા હતા. ખેતરમાં છુપાઈને બેઠેલા શ્રી છોટાલાલભાઈનો જીવ તો તાળવે ચોંટી ગયો હતો. એમને હતું કે હમણાં આ સાંઢ શ્રીમદ્, શ્રી સોભાગભાઈ અને શ્રી ડુંગરશીભાઈને હડફેટમાં લેશે અને એમના રામ રમી જશે. બંને ધસમસતા સાંઢ શ્રીમદ્દની સમીપ આવ્યા અને એકાએક શાંત બની ગયા, જાણે કોઈ તોફાન કરતો વિદ્યાર્થી શિક્ષકને જોઈને ડાહ્યો-ડમરો બની જાય તેવા. એ પછી સહુએ શાંતિથી અને નિર્ભયતાથી આ સાંકડી કેડી પસાર કરી. શ્રીમદ્દની આત્મશક્તિનો પ્રભાવ સહુને અનુભવવા મળ્યો. એક વખત શ્રીમદ્ ડુંગરશીભાઈ અને બીજા કેટલાક ભાઈઓ સાથે ફરવા નીકળ્યા હતા. પાછા ફરતી વખતે શ્રીમદે ડુંગરશીભાઈને પૂછ્યું કે ગામમાં પ્રવેશવાનો રસ્તો ક્યાં છે ? શ્રી ડુંગરશીભાઈને રસ્તાનો ખ્યાલ નહોતો તેમ છતાં તેમણે શ્રીમદ્રને કહ્યું, “તમે મારી સાથે ચાલો. હું રસ્તો બતાવીશ.” શ્રીમદુને ખબર હતી કે ગામમાં પ્રવેશવાનો આ માર્ગ નથી, તેમ છતાં તેઓ ડુંગરશીભાઈ સાથે ચાલ્યા. બધા ખોટે રસ્તે ચડી ગયા. ત્યારે શ્રીમદે કહ્યું કે જે વ્યક્તિ રસ્તા નથી જાણતી તે વ્યક્તિ મોક્ષમાર્ગ બતાવી શકે નહિ. આમ કહીને તેઓએ પોતાના આ કથન પર વિવેચન કર્યું. નિર્વાણમાર્ગ એ અગમ-અગોચર છે અને સગરના આશ્રયે શોધી શકાય એમ કહીને શ્રીમદે સદુગરનો મહિમા દર્શાવ્યો, જેણે મોક્ષમાર્ગનો રસ્તો જામ્યો છે તેવા પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ જ જીવને મોક્ષના ધ્યેય સુધી પહોંચાડી શકે. મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. રીત " " સ કિ. ર OS et de
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy