SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮. ભક્તિનું પૂર | શ્રીમદ્ પ્રત્યે પૂર્વભવના પિતા હોય તેવો પૂજ્યભાવ અનુભવતા મુનિશ્રી લલ્લુજીમાં શ્રીમદ્દના સત્સમાગમની ભાવના અત્યંત પ્રબળપણે પ્રવર્તતી હતી. શ્રીમદ્ જે સ્થળે હોય એ જ સ્થળે તેઓ ચાતુર્માસ થાય તેવી ભાવના રાખતા. ૧૯૪૮માં મુંબઈમાં શ્રીમના સત્સંગ કાજે મુનિશ્રી લલ્લુજીએ મુંબઈમાં ચાતુર્માસ કર્યું. વિ. સં. ૧૯૫૦ અને ૧૯૫૧નાં બંને ચાતુર્માસ મુનિશ્રી લલ્લુજીએ સુરતમાં કર્યા. મુનિશ્રી લલ્લુજીના હૃદયમાં શ્રીમદ્ પ્રત્યે ભક્તિનું પૂર ઊમટયું હતું. ‘દાસ લલ્લુ ને નામે તેઓ શ્રીમદ્દને અત્યંત વિનમ્રતાથી ભક્તિપૂર્ણ પત્રો લખતા હતા. શ્રીમદૂમાં પણ ભારોભાર વિનય હતો તેથી તેઓએ અત્યંત વિનમ્રતાથી મુનિશ્રી લલ્લુજીને લખ્યું, “અમારા ઉપર તમારી ગમે તેવી ભક્તિ હો, બાકી સર્વ જીવોના અને વિશેષે કરી ધર્મજીવના તો અમે ત્રણે કાળને માટે દાસ જ છીએ.' દાસ અને દાસાનુદાસ વચ્ચે જાણે વિનય અને વિનમ્રતાની સ્પર્ધા ચાલતી હોય તેવું લાગતું હતું. મુનિશ્રી લલ્લુજીને શ્રીમદ્ પ્રત્યે અગાધ આદર હતો, પણ આચારની બાબતમાં શ્રીમદ્ મુનિધર્મના કડક આચારપાલન અંગેનો આગ્રહ સેવતા. હકીકતમાં શ્રીમદ્રના માર્ગદર્શને જ મુનિશ્રી લલ્લુજીને એમની મુનિમર્યાદામાં દૃઢ રાખ્યા. સંવત ૧૯૫૨ના પર્યુષણમાં શ્રીમદ્ રાળજમાં હતા. તે સમયે મુનિશ્રી લલ્લુજી, મુનિશ્રી દેવકરણજી વગેરે મુનિઓનું ચાતુર્માસ ખંભાતમાં હતું. શ્રીમદ્નો પરમ સત્સંગ થાય તે માટે શ્રી સોભાગભાઈ તથા શ્રી ડુંગરશીભાઈ રાળજમાં આવ્યા હતા. ખંભાતના મુમુક્ષુ ગૃહસ્થો પણ રાળજમાં બિરાજમાન શ્રીમદૂના દર્શન-સત્સંગનો લાભ મેળવતા હતા. મુનિધર્મની મર્યાદાને કારણે મુનિશ્રી લલ્લુજી નજીકમાં બિરાજતા હતા, છતાં પોતાના પરમ પ્રેમસ્વરૂપ શ્રીમનો દર્શન-લાભ પામી શકતા નહોતા. આને પરિણામે તેઓ અકથ્ય વિરહ વેદના અનુભવતા હતા. આ વિરહ અસહ્ય બનતાં તેઓ એક દિવસ ચાલતાં ચાલતાં રાળજના સીમાડે આવ્યા. શ્રીમદ્જીનાં દર્શન પામવા માટે આજ્ઞા મેળવવાને અંબાલાલભાઈને બોલાવ્યા, ત્યારે અંબાલાલભાઈએ કહ્યું : “તમને આજ્ઞા નથી અને કેમ આવ્યા છો ?” મુનિ શ્રી લલ્લુજીએ ઉત્તર આપ્યો : “આજ્ઞા મેળવવા માટે તો હું અહીં ઊભો રહ્યો છું. તમને આજ્ઞા વિરુદ્ધ લાગતું હોય તો પાછો જતો રહું.” શ્રી અંબાલાલભાઈએ કહ્યું : “ના ! એમ તો જવા ન દઉં. મને ઠપકો મળે. માટે કૃપાળુદેવ કહે તેમ કર. હું પૂછી આવું છું.” અંબાલાલભાઈએ આ વિશે પૂછતાં શ્રીમદે કહ્યું : “મુનિશ્રીના ચિત્તમાં અસંતોષ રહેતો હોય તો હું તેમની પાસે જઈને દર્શન કરાવું અને તેમના ચિત્તને વિષે શાંતિ રહે તો ભલે ચાલ્યા જાય.” | મુનિશ્રી લલ્લુજી શ્રીમદ્રના વિરહની અગ્નિજ્વાળામાં સળગી રહ્યા હતા. આ વેદના એમના હૃદયને વારંવાર ૨ડાવતી હતી. આંખમાં વહેતી અશ્રુધારા સાથે મુનિ લલ્લુજી ખંભાત પાછા આવ્યા. સદૂગુરુના વિરહની અપાર પીડા સાથે મુનિશ્રી લલ્લુજીએ ઉપાશ્રયમાં રાત્રિ વ્યતીત કરી. રેકી ક ૫૬ આરો
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy