SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. અાદિષનો અંતરનાદ દરેક જમાનાને પોતાની વિચારધારા હોય છે. પ્રત્યેક સમયને પોતીકી માન્યતાઓ હોય છે. એ સમય એવો હતો કે જ્યારે માણસ કુળની વેલ પાંગરે એને માટે આતુર રહેતો. નિ:સંતાન વ્યક્તિને જીવનમાં સઘળું મળે, તેમ છતાં ચોપાસ નિરાશા લાગતી હતી. નિઃસંતાનપણાના કારણે એમને મહેણાં-ટોણાં પણ સાંભળવા પડતાં હતાં. | માણેકવાડામાં રહેતા પંચાણભાઈની પરિસ્થિતિ આવી હતી. એમનાં પત્ની શ્રી ભાણબાઈ સુશીલ અને સેવાભાવી હતાં. એમને સંતાન થતાં, પરંતુ બાળમરણને કારણે કોઈ સંતાન જીવિત રહેલું નહીં. એક વાર ભાઈઓ વચ્ચે ભાગની વહેંચણી થઈ ત્યારે નિ:સંતાન પંચાણભાઈને ઓછો ભાગ આપવામાં આવ્યો. સંતાન-વિહોણાંને વળી વધુ સંપત્તિની જરૂર શી હોય ? જેને સંતાન હોય એને વ્યવહારમાં ઘણો ખર્ચ કરવાનો આવે. નિ:સંતાનને ઘેર ક્યાંથી કોઈ લગ્નપ્રસંગ આવવાનો છે ? પોતાના ભાઈઓની આવી વિચારસરણી જોઈને પંચાણભાઈને કારમાં આઘાત લાગ્યો. પરિણામે તેઓ પોતાનું વતન માણેકવાડા છોડીને વવાણિયા આવ્યા. એ સમયે વતન છોડવું એ ઘણી મોટી વાત ગણાતી હતી, પરંતુ હૃદયમાં લાગેલા કારમા આઘાત અને થયેલા અન્યાયને કારણે એમણે વતન છોડવું. એ પછી વવાણિયા આવ્યા બાદ એમની પુત્રપ્રાપ્તિની ઝંખના એટલી જ તીવ્ર રહી. કોઈએ કહ્યું કે, “વવાણિયાથી એક ગાઉ દૂર આવેલી રવિચીમાતાની માનતા રાખો.” બન્યું એવું કે એ પછી અલ્પ સમયમાં જ ઈ. સ. ૧૯૦૨માં પંચાણભાઈને ત્યાં પુત્રજન્મ થયો. એને રવિચીમાતાનો કૃપાપ્રસાદ માનીને એમણે પુત્રનું નામ ‘રવજીભાઈ” પાડવું. આ રવજીભાઈ સૌજન્યશીલ અને માયાળુ હૃદય ધરાવતા હતા. સાધુ-સંતોની સાચા દિલથી સેવા કરતા હતા. રવજીભાઈ અને દેવબાઈ બંને જાણે સાક્ષાત્ સેવાની મૂર્તિ સમાન હતાં. રવજીભાઈને વ્યાજવટાવના વ્યવસાયને કારણે આસપાસનાં ગામડાંઓમાં જવું-આવવું પડતું હતું. રવજીભાઈનાં પત્ની દેવબાઈનું બીજું નામ મોંઘીબાઈ હતું. દેવબાઈ જૈન કુળમાંથી આવ્યા હોવાથી પોતાના સાસરે મહામૂલા જૈન સંસ્કારો લઈને આવ્યાં હતાં. આ રવજીભાઈને ત્યાં એક વયોવૃદ્ધ આડતિયા અવારનવાર વેપાર અર્થે આવતા હતા. એક વાર તેઓ વવાણિયા આવ્યા અને અત્યંત બીમાર પડી ગયા. દેવબાઈએ રાત-દિવસ એક કરીને એમની સેવા કરી. આડતિયા વિચારમાં પડ્યા કે સહેજે લોહીની સગાઈ ન હોવા છતાં કેવી સ્વજનની માફક દેવબાઈએ એમની સેવા-ચાકરી કરી ! આવી માતાતુલ્ય વાત્સલ્યભરી સેવા-સુશ્રુષા જોઈને વૃદ્ધ આડતિયાનું હૃદય ગદ્ગદ બની ગયું. જ્યારે સાજા થઈને એમની વિદાય લેતા હતા ત્યારે એ વૃદ્ધ આડતિયાએ કહ્યું, “દેવબા ! આ ઘરડાના તને લાખ લાખ આશિષ છે. પ્રભુ તમારી કૂખે એકોતેર પેઢી ઉજાળનારો કુળનો દીપક આપે. બસ એ જ અમારા આશિષ.” સેવા માત્ર અન્યને જ હિતકારી બનતી નથી, પણ સેવા કરનારને ય લાભદાયી અને સંતોષદાયી બને છે. બદલાની આશા વિનાની નિઃસ્વાર્થ સેવા જ સાચો બદલો આપનારી બને છે. આડંબર, પ્રદર્શન કે ડોળ વિના કરવામાં આવેલી સેવા માનવીને તત્કાળ ઉચ્ચ ગરિમા અર્પે છે. દેવબાઈના જીવનમાં પણ એવું જ બન્યું. વૃદ્ધ આડતિયાના સરળ હૃદયમાંથી નીકળેલી એ સ્વાભાવિક આગાહી કે એના સાચુ કલા અંતરના આશિષ ઇતિહાસની એક મહાન હકીકત બની ગયાં. nr Education Internatione For Pers o nale Only - library
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy