SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮. રાયચંદ દૂધ પી શકે, લોહી નહિ શ્રીમદે નીતિમત્તા અને પ્રમાણિકતાથી વ્યાપારનો વિસ્તાર કર્યો. જ્ઞાની પુરુષ આવી વ્યવહારુ બાબતોમાં અણસમજુ હોય છે એવી સામાન્ય માન્યતા પ્રવર્તે છે. પારમાર્થિક જગતમાં જેમનું ચિત્ત સદૈવ રમમાણ હોય એવી વ્યક્તિ આર્થિક પ્રવૃત્તિમાં નિષ્ફળ જાય છે એમ કહેવાય છે, પરંતુ શ્રીમદ્જીએ એમની કાર્યકુશળતાથી એ સિદ્ધ કરી આપ્યું કે તેમના જેવા જ્ઞાની પુરુષો પણ આવી વ્યવહારની બાબતમાં લેશમાત્ર ઊણા ઊતરતા નથી. એમણે એક વેપારી સાથે હીરાના સોદા કર્યા. સોદાના ભાગરૂપે એ વેપારીએ અમુક હીરા આપવાનો દસ્તાવેજ લખી આપ્યો. બન્યું એવું કે હીરાની કિંમત ખૂબ વધી ગઈ. હવે જો દસ્તાવેજ પ્રમાણે પેલો વેપારી હીરા આપવા જાય તો ભારે નુકસાનીના ખાડામાં ઊતરી જવું પડે. એની સઘળી માલમિલકત વેચી દે તો પણ આટલી કિંમતના હીરા એ આપી શકે તેમ નહોતું. શ્રીમદુને હીરાની કિંમતના ઊંચકાયેલા બજારભાવની ખબર પડી. તેઓ હીરા આપવાનો દસ્તાવેજ કરી આપનાર વેપારી પાસે ગયા. પેલો વેપારી તો એમને જોતાં જ ગભરાઈ ગયો. આજીજી અને કાકલુદી કરવા લાગ્યો. એણે કહ્યું કે, “આપની સાથે કરેલા હીરાના સોદા અંગે હું ખૂબ મૂંઝવણમાં છું. ચિંતામાં પડી ગયો છું, પણ આપ ખાતરી રાખજો કે આજના બજારભાવે આપને સોદો ચૂકવી દઈશ.” આ સાંભળી શ્રીમદ્ બોલી ઊઠ્યા, “વાહ, ભાઈ વાહ ! જો તમને સોદાની ચિંતા થતી હોય તો મને કેમ ન થાય ? આપણા બંનેની ચિંતાનું કારણ એક જ છે અને તે આ દસ્તાવેજ. ખરું ને ?” આટલું બોલીને શ્રીમદે એ કરારનો દસ્તાવેજ ફાડી નાખ્યો અને બોલ્યા, “આ દસ્તાવેજ જ તમારી ચિંતાનું કારણ હતો. હું તમારી સ્થિતિ સારી રીતે સમજી શકું છું. તમારી સાથે લેણા નીકળતા ૬૦-૭૦ હજાર લઉં તો તમારી કેવી કફોડી હાલત થાય એનો મને ખ્યાલ છે, પણ રાયચંદ દૂધ પી શકે છે, લોહી નહિ.” | એક વાર એક ધનાઢય આરબ વેપારી મોતીની આડતનો વેપાર કરતો હતો. તેના નાના ભાઈને એક દિવસ મોટા ભાઈની જેમ મોતીનો મોટો વેપાર કરવાનો વિચાર આવ્યો એટલે પરદેશથી આવેલો માલ લઈને તે દલાલની મારફત એક પ્રમાણિક વેપારી જાણી શ્રીમદ્ પાસે આવ્યો. શ્રીમદે માલ કસીને લીધો, સહીસિક્કા-દસ્તાવેજ સાથે સોદો થયો, ને નાણાં ગણી આપ્યાં. આરબ ઘેર ગયો, મોટા ભાઈને સોદાની વાત કરી. મોટા ભાઈએ તો આટલી કિંમત વિના માલ વેચવો નહિ એવી શરતવાળો મૂળ માલિકનો કાગળ બતાવી નાના ભાઈને સખત ઠપકો આપ્યો. બંને ભાઈઓ મૂંઝાયા. બીજે દિવસે મોટા ભાઈ અને નાના ભાઈ બંને શ્રીમદ્ પાસે આવ્યા. શ્રીમદે એમના ચહેરા પરના વિષાદને જોયા. એમણે તરત જ આખો સોદો રદ કરી નાખ્યો. એમની સમક્ષ સહીસિક્કાવાળો દસ્તાવેજ ફાડી નાખ્યો. નાના ભાઈએ આપેલો માલ એને પાછો આપ્યો અને નાણાં ગણી લીધાં. ધનાઢ્ય આરબ ભાઈઓ તો શ્રીમદુની પરમ ઉદારતા અને અદ્ભુત મહાનુભાવતા જોઈને સ્તબ્ધ થઈ ગયા. એ બંને પગમાં પડ્યા. એ બંને શ્રીમદ્દને ખુદા જેવા માનવા લાગ્યા.
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy