SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫. વિવેક અનું નામ બાળ શ્રીમદ્ ભોજન લઈને રાજકોટમાં ધારશીભાઈના ઉતારે ગયા. જેની પ્રજ્ઞા અને તેજસ્વિતાથી અભિભૂત થયેલા એવા બાળ શ્રીમને જોઈને ધારશીભાઈ અપાર આદરથી એમને આવકારવા લાગ્યા. શ્રીમદે પૂછયું, “ધારશીભાઈ, તમારે મારા મામાઓ સાથે કોઈ સંબંધ-સંપર્ક છે ખરો ?” ન્યાયાધીશ ધારશીભાઈ આ પ્રશ્ન સાંભળીને ચમક્યા અને બોલ્યા, “આપને કેમ આ વિશે પૂછવું પડ્યું ?” બાળ શ્રીમદે કહ્યું, “પ્રયોજનવશાત્ આપને પૂછું છું.” | ધારશીભાઈએ કહ્યું, “હા, મારે એમની સાથે કોઈ સીધો સંબંધ નથી, પણ કંઈક રાજ ખટપટ ચાલે છે તે અંગેનો કંઈક સંબંધ છે ખરો.” બાળ શ્રીમદે વડીલ ન્યાયાધીશ ધારશીભાઈને ચેતવતા કહ્યું, “જો એમ હોય તો તમારે સાવધાન રહેવું જોઈએ, કારણ કે તેઓ લાગ મળે તો તમને ‘ઠેકાણે કરી દેવા માગે છે.” ઊંડા આશ્ચર્યમાં ડૂબેલા ધારશીભાઈએ પૂછ્યું, આપને કઈ રીતે ખબર પડી કે તેઓ માટે વિશે જ વિચાર કરે છે.” બાળ શ્રીમદ્ બોલ્યા, “જુઓ, હું મોસાળ પહોંચ્યો. મામાઓએ મને પૂછયું કે તું કોની સંગાથે અહીં આવ્યો. ત્યારે મેં તમારું નામ આપ્યું. તમારું નામ સાંભળતાં જ બંને મામાઓ સંતલસ કરવા લાગ્યા. હું ભોજન કરતો હતો તે ખંડની બહાર ઊભા ઊભા તેઓ ઊંચા અવાજે આ પ્રકારની વાતો કરતા હતા. એના પરથી મને લાગ્યું કે તેઓ તમારો ઘાટ ઘડવાનો વિચાર કરે છે.” ન્યાયાધીશ ધારશીભાઈએ વધુ એક તર્ક લડાવતાં પૂછયું, “તમારી હાજરીમાં આવી વાત કરે ખરા ?” બાળ શ્રીમદે કહ્યું, “તેઓ એમ માનતા હશે કે આ બાળકને શી ખબર પડે ? પણ એમની વાતોના પૂર્વાપર સંદર્ભથી હું બધું સમજી ગયો. તેઓ લાગ જોઈને તમને ઠેકાણે કરી દેવા કશું કરે તે પૂર્વે હું તમને સાવધ કરવા આવ્યો છું. વળી મામાઓને દુષ્કૃત્યથી બચાવવા પણ આવ્યો છું.” | બાળ શ્રીમદુની આવી નિખાલસ વાત સાંભળીને ધારશીભાઈ એમનો અગાધ ઉપકાર માનવા લાગ્યા. ખરેખર આવા મહાત્માને મારી સંગાથે લાવ્યો તેનો કેવો અપૂર્વ લાભ મળ્યો ! ધારશીભાઈ હૃદયથી આ બાળકની મહત્તાને વંદન કરી રહ્યા. કચ્છથી નીકળેલા હેમરાજભાઈ અને માલશીભાઈ વવાણિયા અને મોરબી થઈને રાજકોટ આવતા હતા. બાળ શ્રીમદે એમની અતીન્દ્રિય જ્ઞાનશક્તિથી જાણ્યું કે પોતાના પ્રત્યેની ભાવનાને કારણે બે કચ્છી ભાઈઓ સાંઢણી પર સવાર થઈને લાંબો પંથ ખેડીને એમને શોધતા આવી રહ્યા છે. બાળ શ્રીમદે ધારશીભાઈને કહ્યું, કચ્છથી બે ભાઈઓ આવવાના છે તેમના ઉતારાની સગવડ તમારે ત્યાં બની શકશે ?” ધારશીભાઈએ કહ્યું કે, “એમની બધી જ સગવડ થઈ શકશે.” આની પાછળ શ્રીમદ્રની સૂક્ષ્મ વિવેકદૃષ્ટિ હતી. પોતાને કાજે આટલો બધો પરિશ્રમ ઉઠાવનાર પોતાના મહેમાન ગણાય અને એમની બધી સગવડ કરવી જોઈએ. એથીયે વિશેષ આવા અતિથિઓનું સ્વાગત કરવા માટે તેઓ જે રસ્તેથી આવવાના હતા તે રસ્તા તરફ શ્રીમદ્ ગયા. સાંઢણી-સવાર હેમરાજભાઈએ દૂરથી જોયા અને અનુમાન કર્યું કે નક્કી આ જ મહા પ્રતિભાવાન બાળક છે. સાંઢણી પરથી તેઓ નીચે ઊતર્યા કે શ્રીમદે કહ્યું. “કેમ છો હેમરાજભાઈ ! કેમ માલશીભાઈ !” આ બે કચ્છી ભાઈઓ તો સ્તબ્ધ થઈ ગયા. For Pengal Private Use Only
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy