SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨. ધર્મોન્નતિની યોજના - વર્તમાન સમયમાં મુળ માર્ગ માટે શું કરવું ? કઈ રીતે ફરી ભગવાન મહાવીર સ્વામીના સમયમાં હતો તેવો યોગપૂર્ણ ધર્મ થાય તેનો શ્રીમદ્દ વિચાર કરે છે. ક્યાંક જડ ક્રિયા એ જ ધર્મ બની ગઈ છે તો ક્યાંક શુષ્ક જ્ઞાનમાં ધર્મ સમાઈ ગયો છે. શ્રીમદ્દનું કરુણાÁ હૃદય આ દુષમ કાળની દુર્ભાગી જીવોની વિષમ પરિસ્થિતિ જોઈને આક્રંદ કરે છે. તેઓ જિનના મૂળ માર્ગને દર્શાવવાનો દઢ સંકલ્પ કરે છે. શ્રીમદ્ આ મહાકાર્ય માટે આત્મશક્તિનો સંચય કરતા હતા. આ કાર્ય માટે તેઓ કેવા સજાગ હતા તે તેમની હાથનોંધ પરથી દેખાય છે. | “જેનાથી માર્ગ પ્રવર્તયો છે એવા મોટા પુરુષના વિચાર, બળ, નિર્ભયતાદિ ગુણ મોટા હતા. એક રાજ્ય પ્રાપ્ત કરવામાં જે પરાક્રમ ઘટે છે તે કરતાં અપૂર્વ અભિપ્રાય સહિત ધર્મસંતતિ પ્રવર્તતાવવામાં વિશેષ પરાક્રમ ઘટે છે.” વર્તમાન અવદશા જોઈ શાસનદાઝની વેદનાથી નીકળેલા તેઓના આ અંતરોદ્ગાર પોકારે છે : હે નાથ ! કાં ધર્મોન્નતિ કરવારૂ ૫ ઇચ્છા સહજપણે સમાવેશ પામે તેમ થાઓ; કાં તો તે ઇચ્છા અવશ્ય કાર્યરૂપ થાઓ, અવશ્ય કાર્યરૂપ થવી બહુ દુષ્કર દેખાય છે કેમકે અલ્પ અલ્પ વાતમાં મતભેદ બહુ છે, અને તેનાં મૂળ ઘણાં ઊંડાં ગયેલાં છે, મૂળમાર્ગની જિજ્ઞાસા તેમને ઉત્પન્ન કરાવવી હોય તોપણ ઘણાં કાળનો પરિચય થયે પણ કઠણ પડે એવી તેમની દુરાગ્રહાદિથી જડપ્રધાન દશા વર્તે છે.” (પત્રાંક ૭૦૯). | ધર્મ ઉન્નતિ કરવા શ્રીમદે ભવ્ય યોજના ઘડી હતી. કયાં સાધનો વડે તે યોજના પાર પડે તેની રૂપરેખા આપતાં તેઓ સ્વયં કહે છે : “બોધબીજનું સ્વરૂપનિરૂપણ મૂળમાર્ગ પ્રમાણે ઠામઠામ થાય. ઠામઠામ મતભેદોથી કંઈ જ કલ્યાણ નથી એ વાત ફેલાય. પ્રત્યક્ષ સગુરુની આજ્ઞાએ ધર્મ છે એમ વાત લક્ષમાં આવે. દ્રવ્યાનુયોગ-આત્મવિદ્યા પ્રકાશ થાય. ત્યાગ વૈરાગ્યના વિશેષપણાથી સાધુઓ વિચરે નવતત્ત્વપ્રકાશ સાધુધર્મ પ્રકાશ શ્રાવકધર્મ પ્રકાશ વિચાર ઘણા જીવોને પ્રાપ્તિ.” આ ભવ્ય યોજનાનો અમલ કરવા માટે દેહ છતાં વિદેહી શ્રીમદ્ પૂર્ણપણે સમર્થ હતા, તે સમયની અંતરંગદશા અનોખી હતી. “જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, જેને માનઅપમાન, લાભ-અલાભ, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ આદિ કંકોનો અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિશે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે.” આવી ભૂમિકાને વરેલા સ્ત્રી તથા લક્ષ્મીના ત્યાગી શ્રીમદ્ સર્વસંગપરિત્યાગ માટે પુન: પોતાની માતા દેવમાની અનુજ્ઞા માગે છે. દેવમાં શ્રીમની નાદુરસ્ત તબિયતને કારણે માતૃસહજ વાત્સલ્યથી હજી થોડો સમય થોભી જવા કહે છે. અધ્યાત્મદશાની પરાકાષ્ઠા પામી, અધ્યાત્મમૂર્તિ બની ગયેલા શ્રીમદ્ સર્વસંગપરિત્યાગ કરીને જગતકલ્યાણાર્થે નીકળી પડવાની તૈયારીમાં હતા ત્યાં જ ૧૯૫૬ના પોષ મહિનામાં તેઓને અસાધ્ય રોગ લાગુ પડ્યો. દેહ વ્યાધિગ્રસ્ત બન્યો અને એ વ્યાધિ ઉત્તરોત્તર વધતો ગયો. Jain Education International Far Personal & Pilvate Use Only
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy