SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩. મનનો ખોરાક વિભૂતિઓના જીવનના નાના નાના પ્રસંગોમાં પણ ગહન બોધ સમાયેલો હોય છે. કાવિઠામાં વાગડિયા તળાવની જગ્યાએ શ્રીમદ્ જ્ઞાનવાત કરતા હતા, ત્યારે બાજુના ખેતરના પાટીદાર શામળજીભાઈએ આ અનુપમ દેશ્ય જોયું. સર્વ કોઈ આ મહાત્માની વાતો કેટલી બધી એકાગ્રતાથી સાંભળે છે, આથી શામળજીભાઈના હૃદયમાં એકાએક ભક્તિભાવ જાગ્યો અને ખેતરમાંથી થોડાં મોગરાનાં ફૂલ તોડીને શ્રીમની બેઠક પર ભક્તિભાવે મૂક્યાં અને બે હાથ જોડી અહોભાવથી એમની સામે ઊભા રહ્યા. | કરુણાસિંધુ શ્રીમદ્ બોલ્યા, “નાની અમથી વાતમાં આટલાં બધાં ફૂલ ન તોડીએ.” એ પછી થોડી વાર અટકીને શ્રીમદે કહ્યું, તમારી દીકરી હીરાને કાલે આરામ થઈ જશે.” શામળજીભાઈએ પોતાની પુત્રી હીરાને કાવિઠાથી ત્રણ ગાઉ દૂર આવેલા સિહોલ ગામમાં પરણાવી હતી. એ ત્યાં ઘણા લાંબા સમયથી બીમાર હતી. બીજા દિવસે શામળજીભાઈ પુત્રીની ખબર કાઢવા એના સાસરે ગયા ત્યારે એમની પુત્રી સ્વસ્થ થઈ ગઈ હતી. શ્રીમદ્ શામળજીભાઈ કે એમની પુત્રીને ઓળખતા નહોતા, પરંતુ પારકાની પીડા જાણનાર શ્રીમદે પોતાની આત્મશક્તિનો આવિષ્કાર દર્શાવ્યો. | શ્રીમદ્ કાવિઠાના નિવૃત્તિક્ષેત્રમાં રહ્યા હતા ત્યારે મુનિશ્રી મોહનલાલજીએ શ્રીમને પૂછ્યું, “આ મને સ્થિર રહેતું નથી. તેનો કોઈ ઉપાય બતાવો ને ?” | શ્રીમદે ઉપાય બતાવતાં કહ્યું, “એક પળ પણ નકામી પસાર કરવી નહિ. વૈરાગ્ય આદિમાં વૃદ્ધિ કરે તેવા સારા ગ્રંથનું વાચન-મનન કરવું. એવું કશું ન થાય તો માળા ગણવી. જો મનને નવરું રાખશો તો એ ક્ષણમાં સત્યાનાશ વાળી દેશે. એને સવિચારરૂપ ખોરાક આપતા રહેવો જોઈએ. જેમ પશુને કંઈ ને કંઈ ખાવા જોઈએ, એની આગળ ખાણનો ટોપલો મૂક્યો હોય તો તે ખાધા કરે છે તેવું મનનું છે. બીજા વિકલ્પો બંધ કરવા હોય તો મનને સર્વિચારરૂપ ખોરાક આપવો. મન કહે તેથી ઊલટું વર્તવું. તેને વશ થઈ તણાઈ જવું નહિ.” એક વાર ઝવેરચંદ શેઠના ઘેર મેડા ઉપર શ્રીમનો બોધ સાંભળીને પ્રાગજીભાઈ જેઠાભાઈએ કહ્યું, “સાહેબ ! ભક્તિ તો ઘણી કરવી છે, પણ ભગવાને આપેલું પેટ ખાવાનું માગે છે. તેથી કરીએ શું ?” શ્રીમદે કહ્યું, “તમારા પેટને અમે જવાબ દઈએ તો ?” આમ કહીને શ્રીમદે ઝવેરચંદ શેઠને કહ્યું, “તમે જે ભોજન કરતા હો તે પ્રાગજીભાઈને બે વખત આપજો. તેઓ ઉપાશ્રયના મેડા પર બેસીને નિરાંતે ભક્તિ કરે, પણ શરત એટલી કે નીચે કોઈનો વરઘોડો જતો હોય કે સ્ત્રીઓ ગીત ગાતી જતી હોય તો બહાર જોવા જવું નહિ, સંસારની વાતો કરવી નહિ. કોઈ ભક્તિ કરવા આવે તો ભલે આવે, પણ એ સિવાય બીજી કોઈ વાત કરવી કે સાંભળવી નહિ.” શ્રીમદ્દની આ વાત અને શરત સાંભળીને પ્રાગજીભાઈ બોલ્યા, “ઓહ ! અમારાથી એ પ્રમાણે રહેવાય નહિ.” ત્યારે શ્રીમદે કહ્યું કે, “આ જીવને ભક્તિ કરવી નથી એટલે પેટ આગળ ધરે છે. ભક્તિ કરતાં કોણ ભૂખે મરી ગયું ? જીવ આમ છેતરાય છે.” કમ પ ( વી.
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy