SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭. મૃત્યુંજય જ્ઞાન વિ. સં. ૧૯૫૭ના ફાગણ સુદ છઠ્ઠના દિવસે શ્રીમદ્દનું રાજ કોટમાં આગમન થયું. સંગ્રહણીની વ્યાધિને કારણે શારીરિક સ્થિતિ ઉત્તરોત્તર ક્ષીણ થતી જતી હતી. અશક્તિ એટલી બધી વધી ગઈ કે જાતે બેસવાની કે પથારીમાંથી ઊઠવાની શક્તિ રહી નહોતી. સ્વજનો અને મુમુક્ષુઓ એમની સેવા-સુશ્રુષાને માટે ખડે પગે હાજર હતા. ફાગણ વદ તેરસના દિવસે શ્રીમદે લખેલા પત્રમાં બગડતી જતી શરીરપ્રકૃતિની વચ્ચે અદ્દભુત આત્મભાવનાની વાત કરે છે. જ્યારે ચૈત્ર સુદ બીજને શુક્રવારે રાજકોટથી લખાયેલા અત્યંત ટૂંકા પત્રમાં તેઓ ભરૂચમાં વસતા સુખલાલ છગનલાલને લખે છે – અનંત શાંતમૂર્તિ એવા ચંદ્રપ્રભસ્વામીને નમો નમઃ | વેદનીય તથારૂપ ઉદયમાનપણે વેદવામાં હર્ષશોક શો ? 3ૐ શાંતિઃ (ક્રમાંક : ૯૫૩) આમ શ્રીમદ્દ અનંત શાંતમૂર્તિ ચંદ્રપ્રભસ્વામીને વારંવાર આત્મભાવપૂર્ણ નમસ્કાર કરે છે અને જે વેદનીય કર્મો - ઉદયમાં આવી રહ્યાં છે તેને ખપાવવામાં હર્ષશોક શો ? આમ ગમે તેવા અશાતાઉદયમાં પણ શ્રીમદૂને નથી શોક કે નથી હર્ષ. તે તો અદ્ભુત, અનુપમ સમતાનો જ અનુભવ કરે છે. મૃત્યુંજયી જ્ઞાનીને મૃત્યુનો ભય લાગતો નથી કારણ કે મૃત્યુ એ દેહનો અંત છે, આત્માનો નહિ. રાજકોટમાં શ્રીમદ્ નાનચંદ અનોપચંદભાઈને ઘેર ઊતર્યા હતા. એ પછી બીજે દિવસે ખુલ્લી હવામાં રહી શકાય તે માટે ગામ બહાર આવેલા ‘નર્મદા મેન્શન 'માં રહેવાનું રાખ્યું. એક દિવસ શ્રીમની તબિયત વિશેષ બગડી. એમની સ્થિતિ જોઈને દેવમાને ખૂબ દુ:ખ થયું. પોતાની માતાને સાંત્વન આપતાં શ્રીમદે કહ્યું, “જે છે તે પરમ દિવસ.” આટલું બોલીને શ્રીમદ્ અટકી ગયા અને દેવબાને માળા ફેરવવા જણાવ્યું. શ્રીમદ્દની શારીરિક શક્તિ ઉત્તરોત્તર ક્ષીણ થતી ગઈ. એટલા અશક્ત બની ગયા કે બેસવા-ઊઠવાની શક્તિ પણ ન રહી. ચૈત્ર વદ ચોથનો દિન આવી પહોંચ્યો. દેહત્યાગના આગલા દિવસે સાયંકાળે શ્રીમના નાનાભાઈ મન:સુખભાઈ, રેવાશંકરભાઈ, નરોત્તમભાઈ વગેરેની હાજરીમાં શ્રીમદ્ ચેતવણીરૂપ બોલ્યા, “તમે નિશ્ચિત રહેજો, આ આત્મા શાશ્વત છે. અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે. તમે શાંતિ અને સમાધિપણે પ્રવર્તશો. જે રત્નમય જ્ઞાનવાણી આ દેહ-દ્વારાયે કહી શકવાની હતી તે કહેવાનો સમય નથી. તમે પુરુષાર્થ કરશો.” રાત્રે અઢી વાગ્યે શ્રીમદ્દને અત્યંત શરદી થઈ. તે સમયે તેઓશ્રીએ જણાવ્યું : નિશ્ચિત રહેજો. ભાઈનું સમાધિ મૃત્યુ છે.” ઉપચાર કરતાં શરદી ઓછી થઈ ગઈ. સવારે સાડા સાત વાગે જે બિછાનામાં શયન કર્યું હતું, તેમાંથી એક કોચ ઉપર ફેરવવા મન:સુખભાઈને કહ્યું. મનસુખભાઈને લાગ્યું કે અતિ અશક્તિ હોવાથી આવો ફેરફાર કરવો નહિ. આ સમયે શ્રીમદે આજ્ઞા કરી કે ત્વરાથી ફેરફાર કર એટલે મન:સુખભાઈએ સમાધિસ્થ ભાવે સુઈ શકાય એવા કોચ ઉપર વ્યવસ્થા કરી. Jain Education international For Personal & Private Use Only
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy