SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯. કરુણાશદલનો ક્ષમા ખામેમિ સવ્વ જીવા, સર્વે જીવા ખમંતુ મે, મિત્તી એ સવભૂએષ વેરું મગ્ન ન કેણઈ. હું તમામ જીવો પાસે મારા અપરાધોની ક્ષમા માગું છું. એ તમામ જીવો મને તેમના તરફના મારા અપરાધોની ક્ષમા આપો. તમામ જીવો પ્રત્યે મારો મૈત્રીભાવ છે. મારે કોઈ પણ જીવ સાથે વેરભાવ નથી.” ' | ક્ષમાના બોલથી અને પ્રેમના ચક્ષુથી જીવનને જીવવાનો અને આત્માને ઓળખવાનો શ્રીમદે ઉપદેશ આપ્યો ક્ષણભંગુર દેહ અને તેમાં રહેલા મદ-મોહ-માન જેવા કષાયોને દૂર કરીને લાખેણા આત્માને શોધવાનું કહ્યું. આવી આત્મઓળખ અને આત્મશુદ્ધિનો સર્વશ્રેષ્ઠ મૂળ મંત્ર છે ક્ષમાપના. ક્ષમા એ જીવનનો આનંદ અને તપની વસંત છે.. વસંતનું આગમન થતાં કુદરત જેમ સોળે કળાએ ખીલી ઊઠે છે, એ રીતે જે પોતાના જીવનમાં ક્ષમાને સ્થાન આપે છે તેના જીવનમાં આત્માના ગુણોની વસંત ખીલી ઊઠે છે. ક્ષમાનો વિરોધી છે ક્રોધ. ક્રોધ માનવને દાનવ બનાવી દે છે. હકીકતમાં ક્રોધ વિભાવ છે, ક્ષમા સ્વભાવ છે. ક્રોધ દ્વેષ છે, ક્ષમા મૈત્રી છે. ક્રોધ મારક છે અને ક્ષમા તારક છે. | શ્રીમમાં આવો ક્રોધ જગાવવા માટે ભાણજી મકણજી નામની એક વ્યક્તિએ પ્રયાસ કર્યો. એની ઇચ્છા શ્રીમદ્રના સંતસ્વરૂપની અગ્નિપરીક્ષા કરવાની હતી, આથી એણે ગુસ્સે થઈને શ્રીમદ્ વિરુદ્ધ ભાષણ આપવાનું શરૂ ભાણજી મકનજી નું આવું જ થયું. એણે જાણે શ્રીમદ્દ સાથે વેર હોય એ રીતે ઝેર ઓકવા માંડ્યું. એક વાર શ્રીમદ્ મુમુક્ષુજનો સાથે બેઠા હતા, ત્યારે ભાણજીએ આવીને જોરશોરથી કહ્યું કે તમે તો સાવ ઢોંગી છો. લોકોને અવળે માર્ગે ચઢાવો છો. આક્ષેપોને અક્કલ હોતી નથી. એનો કોઈ છેડો હોતો નથી. ભાણજી મકનજી બેફામ કરવા લાગ્યો. ન બોલવાના શબ્દો બોલ્યો. શ્રીમદ્રની આસપાસ બેઠેલા લોકો અકળાઈ ગયા, પરંતુ શ્રીમદે એક અક્ષર પણ વળતો પ્રત્યુત્તર આપ્યો નહિ. ભાણજી મકનજીની ધારણા એવી હતી કે એના આક્ષેપો સાંભળીને શ્રીમદ્ અકળાઈ જશે, ખૂબ ક્રોધે ભરાશે, અને તે રીતે એ સાબિત કરશે કે શ્રીમદ્ સદૂગુરુ કે સંતસ્વરૂ૫ નથી, પરંતુ કોઈ પ્રતિભાવ ન મળતાં ભાણજી મકનજી થાક્યો. ક્રોધને કારણે એણે સાનભાન ગુમાવ્યાં હતાં, તે પાછાં આવ્યાં. એને પોતાની ભૂલ સમજાઈ. પરિણામે પાઘડી ઉતારીને શ્રીમદ્દના પગ પાસે મુકી, વારંવાર નમન ફરવા લાગ્યો. શ્રીમદૃના હૃદયમાં તો એક જ ભાવના ગુંજતી હતી, આવો ક્ષમા, આવો ક્ષમીએ ! દુનિયા દોષની છે - દ્વેષની છે; એમાં મૈત્રીનાં ફૂલછોડ રોપીએ ! | ભાણજી મકનજીએ ક્ષમામૂર્તિ શ્રીમને કહ્યું કે આપની પરીક્ષા કરવા જતાં મારાથી મહાદોષ થઈ ગયો છે, પરંતુ આપની કરૂણાશીલ ક્ષમાને કારણે મને માફી આપો. એ દિવસ પછી ભાણજી મકનજી શ્રીમદ્ પ્રત્યે પરમ વિનય અને અગાધ ભક્તિ દાખવતા રહ્યા. Jain Education international For Personal Private Use Only
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy