SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬. સમ્યક્દર્શનનું નિવાસસ્થાન સમાન ઘટના ક્યારેક વિચારમાં ડુબાડી દે છે. મુનિશ્રી લલ્લુજીએ સાંભળ્યું કે સુરતના ઝવેરી લલ્લુભાઈ દસબાર મહિના બીમાર રહ્યા અને ત્યારબાદ એમનો દેહ છૂટી ગયો. મુનિ શ્રી લલ્લુજી સ્વયં દસ-બાર મહિનાથી બીમાર હતા. સમાન નામ ધરાવતા ઝવેરીની ઘટનાએ મુનિને ચિંતાતુર કરી મૂક્યા. એમને ચિંતા થઈ કે આ દેહ છૂટી જશે તો શું ? સાધકને મૃત્યુનો ભય ન હોય, કિંતુ મૃત્યુ પૂર્વે જીવનમાં ઊર્ધ્વ સ્થિતિ પામવાની ફિકર હોય. આથી મુનિ શ્રી લલ્લુજીએ શ્રીમન્ને પત્ર લખીને સમકિત આપવાની વિનંતી કરી. તેના ઉત્તરરૂપે અનંત કૃપા કરી શ્રીમદે મુનિરાજને છ પદનો પત્ર લખ્યો. વળી એમ પણ જણાવ્યું કે દેહ છૂટવાનો ભય રાખવો યોગ્ય નથી. શ્રીમદ્ સૂરત પધાર્યા ત્યારે આ છ પદના પત્રનું એમણે વિશેષ વિવેચન કરીને મુનિરાજને એનો આધ્યાત્મિક અર્થ સમજાવ્યો. આ પત્રનો મર્મ એવો હતો કે જીવનની યોગ્યતા હોય તો તેને સમ્યકૃત્વ પ્રાપ્ત થાય. શ્રીમદ્ મુનિરાજને આ છ પદનો પત્ર મુખપાઠ કરીને એનું ચિંતન-મનન કરવાની ભલામણ કરે છે. શ્રીમદ્દના અધ્યાત્મજીવનના હૃદય સમી તત્ત્વની ગંભીર વિચારણા આ છ પદનાં પત્રમાં મળે છે. આત્મા છે, તે નિત્ય છે, તે કર્મનો કર્તા છે, તે કર્મનો ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ છ પદોને મહાપ્રવચન ગણાવી તેના ઉપર નિરંતર ચિંતન, મનન અને પર્યેષણા કરવાની તેઓ ભલામણ કરતા હતા. સમ્યક્દર્શનને રહેવાનું સર્વોત્કૃષ્ટ નિવાસસ્થાન એટલે આ છ પદનો પત્ર. એના પ્રારંભે “અનન્ય શરણ આપનાર એવા શ્રી સદ્ગુરુ દેવને અત્યંત ભક્તિથી નમસ્કાર” એવું માર્મિક, હૃદયસ્પર્શી વચન મૂક્યું છે. આમ આ છ પદની પ્રાપ્તિ સદ્ગુરુ દેવને આધીન છે. એ સદ્ગુરુ ભક્તિનો અનન્ય મહિમા વર્ણવતાં શ્રીમદે ચાર નમસ્કાર દર્શાવેલ છે. આ પત્રમાં સૂત્રાત્મક શૈલીમાં આત્મા-તત્ત્વની યથાર્થ ઓળખ આપવામાં આવી છે. છ પદને વિચારવાથી જીવ કઈ રીતે સમ્યક્દર્શન પામી શકે તેની સ્પષ્ટ અને ક્રમિક સમજ આમાંથી સાંપડે છે. સદ્ગુરુ, સદ્ગુરુની ભક્તિનું માહાત્મ્ય અને તેના દ્વારા થતી પ્રાપ્તિ દર્શાવીને આ પત્ર તેમણે પૂર્ણ કર્યો છે, આથી આ પત્ર અંગેનો પ્રતિભાવ આપતાં મુનિશ્રી લલ્લુજી કહે છે કે, “જીવને યોગ્યતા હોય તો સમ્યક્ત્વ પ્રાપ્ત થાય તેવી વિચારણા ઉત્પન્ન કરાવે તેવો એ અદ્ભુત પત્ર છે.” વિ. સં. ૧૯૫૦માં મુનિશ્રી લલ્લુજી, મુનિશ્રી દેવકરણજી આદિ પરિવારનો સૂરતમાં ચાતુર્માસ હતો. આ સમયે શ્રીમદ્ પણ સૂરત પધાર્યા હતા. મુનિ દેવકરણજીએ શ્રીમદ્જીને પ્રશ્ન પૂછ્યો, “મુનિશ્રી લલ્લુજી મને વ્યાખ્યાન આપીને આવું ત્યારે અભિમાન કર્યું કહે છે. ધ્યાન કરું છું તેને તરંગરૂપ કહે છે. તો શું વીતરાગ પ્રભુ મુનિશ્રી લલ્લુજીનું કરેલું સ્વીકારે અને મારું ન સ્વીકારે એવા પક્ષપાતવાળા હશે ?” આવા પ્રશ્નનો શાંતિથી ઉત્તર આપતાં શ્રીમદે કહ્યું, “સ્વચ્છંદથી જે જે કરવામાં આવે છે તે સઘળું અભિમાન જ છે. આસત્સાધન છે અને સદ્ગુરુની આજ્ઞાથી જે કરવામાં આવે છે તે કલ્યાણકારી ધર્મરૂપ સત્સાધન છે.”
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy