SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭. અવધૂત ચાલ્યો જાય આત્મમસ્ત અવધૂત યોગીન્દ્ર શ્રીમદ્ ઇડરનાં પહાડોમાં અને ગુફાઓમાં નિર્ભય કેસરીસિંહની જેમ એકાકી, નિર્ભયતાથી પોણા બે મહિના સુધી વિચર્યા. આત્મમગ્ન અવધૂત શ્રીમદ્રની ધૂનોનો ગગનભેદી દિવ્યધ્વનિ ઇડરના પહાડોમાં ગુંજવા લાગ્યો. ‘દ્રવ્યાનુયોગ'ની અમર ગાથાઓનો નાદ એનાં શિખરોને વીંટળાઈ વળ્યો. मा मुज्झह मा रज्जह मा दुस्सह इट्ठणि?अत्थेसु ।। थिरमिच्छह जई चितं विचित झाणप्पसिद्धिए ।। ४८ पणतीस सोल छप्पण चदु दुगमेग च जवह झाणह ।। परमेट्ठिवाचचाणं अण्णं च गुरुवएसेण ।। ४९ जं किंचि वि चिंततो गिरीहविती हवे जदा साहू । लब्द्ण य एयतं तदाहु तं तस्स णिच्चयं ज्ञाणं ।। ५० જો તમે ધ્યાનની સિદ્ધિ માટે ચિત્તને સ્થિર કરવા ઇચ્છો છો, તો ઇષ્ટ અને અનિષ્ટ ઇન્દ્રિયોના વિષયોમાં રાગદ્વેષ અને મોહ ન કરો. પંચ પરમેષ્ઠિના વાચક પાંત્રીસ, સોળ, છ, પાંચ, ચાર, બે અને એક અક્ષરરૂપ મંત્રપદ છે, તથા તે સિવાય અન્ય પણ મંત્રપદોનું ગુરુના ઉપદેશાનુસાર જાપ અને ધ્યાન કરો. ધ્યેયમાં એકાગ્રચિત્ત કરીને કોઈ પદાર્થનું ધ્યાન કરતા સાધુ જ્યારે ગિરીહવૃત્તિ થાય છે ત્યારે તેમનું ધ્યાન નિશ્ચય થાય છે. જોગી ચાલ્યો જાય એક જોગી ચાલ્યો જાય, વન, ઉપવન ને ગિરિકંદરા, ખૂંદતો ચાલ્યો જાય; આતમનો અહાલેક જગાવતો, જોગી ચાલ્યો જાય, ઝાડી ઝાંખરા વળી કંટક, અવગણતો ચાલ્યો જાય, ઇડરના પહાડોને ભેદતો, અવધૂત ચાલ્યો જાય. પરમ અહિંસામૂર્તિ યોગી શ્રીમદ્દના સાંનિધ્યમાં હિંસક પશુઓ પણ શાંત થઈ જતાં, હૃદયમાં શુદ્ધ આત્મભાવના ભાવતાં તેઓ અનુભવ કરે છે, “હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. અસંખ્યાત પ્રદેશાત્મક નિજ અવગાહનાપ્રમાણ છે. આજન્મ, અજર, અમર, શાશ્વત છે. સર્વપર્યાયપરિણામી સમયાત્મક છે. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ માત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું.” (હાથનોંધ ૧૧) ઇડરના નિવૃત્તિક્ષેત્રમાં રહ્યા બાદ શ્રીમદ્ વિ. સં. ૧૯૫૫ના મહા વદમાં અમદાવાદમાં પધાર્યા. અમદાવાદની ઘાંચીની પોળ સામે આવેલા ડહેલાની મેડી પર ઊતર્યા. અહીં શેઠ જેસંગભાઈ ઉજમશી આવ્યા. એમણે રાત્રે ઊંઘ આવતાં જવાની આજ્ઞા માગી, પરંતુ એવામાં શ્રીમદ્દની ઉપદેશવાણી શરૂ થઈ. રાતના ત્રણ વાગી ગયા. શ્રી જેસંગભાઈએ પ્રશ્ન કર્યો, “આ કાળે કેવળજ્ઞાન હોય ?” એના ઉત્તરમાં શ્રીમદે કહ્યું, “પરમ શાંતિ અનુભવીએ છીએ.” વહેલી પરોઢે શૌચ માટે આસ્ટોડિયા દરવાજા બહાર જવાનું થયું ત્યારે રસ્તામાં “કર લે ગુરુગમ જ્ઞાન વિચારા, કર લે ગુરુગમ જ્ઞાન વિચારા”ની ધૂન ચાલતી હતી. સાબરમતીના કાંઠે ભીમનાથમાં શ્રીમદે પરમ તત્ત્વદૃષ્ટિનો અપૂર્વ બોધ આપ્યો. એ પછી શ્રીમદ્ વવાણિયા અને મોરબી આવ્યા. અહીં અઢી મહિના જેટલો સમય પસાર કરીને પુનઃ ઇડરમાં પધાર્યા. ઇડરમાં ફરી વાર આ સિદ્ધ યોગીએ એના પહાડો અને ગિરિકંદરાઓને પોતાના દિવ્ય ગાન અને દિવ્ય જ્ઞાનથી જગાવી દીધી. Education International For Personal Private Use Only
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy