SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧. બીજદાન શોધે તો વિ સં. ૧૯૪૬ના પ્રથમ ભારદવા મહિનાની વદ બીજનો આ દિવસ હતો. ૬૭ વર્ષના શ્રી સોભાગભાઈ ૨૩ વર્ષના યુવાન શતાવધાની શ્રીમને મળવા ચાલ્યા. આ દિવસે એક એવું અપૂર્વ મિલન સર્જાયું કે જેણે શ્રીમદ્ અને સોભાગભાઈના આત્મિક ઉત્કર્ષમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. શ્રી સોભાગભાઈ બીજજ્ઞાનની રહસ્યભૂત વસ્તુ દર્શાવવાના પ્રયોજનથી પોતાને મળવા આવી રહ્યા છે એવું શ્રીમદ્નના નિર્મળ જ્ઞાનમાં સ્પષ્ટપણે જણાયું. શ્રીમદે કાગળની એક નાનકડી કાપલી લઈ એના પર શ્રી સોભાગભાઈએ આપવા ધારેલા બીજજ્ઞાનના મંત્રની નોંધ લખી. એ નોંધ દુકાનની ગાદી પાસેના ગલ્લામાં મૂકી રાખી. રહસ્યભૂત બીજજ્ઞાન આપવા સાયલાથી જેતપર આવેલા શ્રી સોભાગભાઈ ચત્રભુજ બેચરની દુકાનમાં પ્રવેશ્યા. દેશ-વિદેશમાં વિખ્યાત શતાવધાની કવિ રાયચંદભાઈને અનુપમ યોગવિદ્યા આપવાની શ્રી સોભાગભાઈની તાલાવેલી હતી. સોભાગભાઈ દુકાનમાં પ્રવેશ્યા કે શ્રીમદે એમનું નામ લઈને આવકાર આપતાં કહ્યું, “આવો, સોભાગભાઈ ! આવો.” કેવું મોટું આશ્ચર્ય ! દુકાનમાં પ્રવેશતાં શ્રી સોભાગભાઈને નામ સહિત આવકાર મળ્યો. સોભાગભાઈને નવાઈ લાગી કે મને એમણે જોયો નથી. પૂર્વે કશોય પરિચય નથી. મારા આગમનનો કોઈ અણસાર નથી અને નામ દઈને બોલાવ્યો કઈ રીતે ? હજી આ પારાવાર આશ્ચર્યમાંથી બહાર આવે એ પહેલાં શ્રીમદે કહ્યું, “આ ગલ્લામાં એક કાપલી છે તે કાઢીને વાંચો.” શ્રી સોભાગભાઈ ગલ્લામાંથી કાપલી કાઢે છે. ખોલીને વાંચે છે. એક મહત્ આશ્ચર્યનો અનુભવ કરે છે. તેઓ જે અલૌકિક જ્ઞાન આપવા સાયલાથી અહીં આવ્યા હતા તે જ્ઞાનની સઘળી વાત આ કાપલીમાં લખી છે. જે ખુદ આવા અગાધ અને પારગામી જ્ઞાની હોય તેમને શું જ્ઞાન આપવાનું હોય ? શ્રીમના જ્ઞાનની વિશેષ કસોટી કરવા માટે શ્રી સોભાગભાઈએ પૂછ્યું, “સાયલામાં અમારા ઘરનું બારણું કઈ દિશામાં છે ?” શ્રીમદે અંતર્નાનથી જાણીને યથાર્થ ઉત્તર આપ્યો. અધ્યાત્મયોગી શ્રી સોભાગભાઈનું હૈયું પુલકિત થયું. અહો, કેવો મહાન યોગ ! કેવી વિરલ વિભૂતિ ! આવા અલૌકિક અતીન્દ્રિય જ્ઞાનીને મારે શું બતાવવાનું હોય ? તેઓ ખુદ બીજજ્ઞાનની વાત જાણે છે. આ બીજજ્ઞાન અંગે વિ. સં. ૧૯૪૬ના આસો સુદ દસમે શ્રીમદે લખેલા પત્રમાં લખ્યું છે, “બીજજ્ઞાન શોધે તો કેવળજ્ઞાન.” આનો અર્થ એ કે કેવળ શુદ્ધ આત્માનો જ્યાં અનુભવ થાય છે એવું શુદ્ધ આત્માની અનુભૂતિરૂપ જે પરમાર્થ સમ્યક્ત્વ તે જ કેવળજ્ઞાનના બીજરૂપ થઈ જાય છે. આથી આને બીજજ્ઞાન કહેવામાં આવે છે. આવી શુદ્ધ આત્માનુભૂતિના અનુભવ થતાં અમૃતરૂપ શુદ્ધ ચેતનરસ અનુભવાય. ધર્મગ્રંથોમાં અનેક સ્થળે આ અમૃતાનુભવનું વર્ણન મળે છે.
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy