SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. અસાધારણ તિ-દક્તિ કેટલીક વ્યક્તિ જન્મજાત મહાન હોય છે. કેટલીક પ્રયત્નોથી મહાનતા પ્રાપ્ત કરે છે અને કેટલાક પર મહાનતા લાદવામાં આવે છે. માત્ર સાત વર્ષના શ્રીમદૂના જીવનમાંથી જ એ સત્ય પ્રગટ થયું કે તેમનામાં જન્મજાત મહાનતા હતી. આવી લોકોત્તર વિભૂતિના માનસને પારખવું મુશ્કેલ હોય છે, આમ છતાં સંસારની કે લોકવ્યવહારની ઘટનાઓમાં એમની લોકોત્તરતા પ્રગટ થયા વિના રહેતી નથી. સૂર્યના તેજની આડે કોઈ દીવાલ બાંધી શકતું નથી. બાળ શ્રીમદે નિશાળમાં પ્રવેશ મેળવ્યો અને એમના વર્ગશિક્ષક લવજીભાઈએ માન્યું કે હેડમાસ્તરે આ બાળકની ભલામણ કરી છે તેથી એમની પાટીમાં એકથી પાંચ આંકડા લખી આપ્યા અને કહ્યું કે આ પાંચે આંકડા બરાબર ઘૂંટી લાવ. | બાળ શ્રીમદ્ પાટી લઈને પોતાના વર્ગની જમીન પર બાળ-ગોઠિયાઓ સાથે બેઠા. એમણે પાંચ આંકડા જોયા, પણ એ આંકડા ઘૂંટવાને બદલે એને ધ્યાનથી જોઈ રહ્યા. એ પછી ઊભા થઈને લવજીભાઈ માસ્તર પાસે જઈને કહ્યું, સાહેબ, આ બધું તો મને આવડે છે.” આમ કહીને એમણે જાતે એ આંકડા લખ્યા. લવજીભાઈ માસ્તરે માન્યું કે કદાચ આ બાળક એના ઘરમાંથી શિક્ષણ મેળવીને આવ્યો હશે, એથી આટલા આંકડા જાણતો હશે. આમ ધારીને એમણે એને ઘૂંટવા માટે આગળના આંકડા લખવા શરૂ કર્યા. છથી દસ સુધીના આંકડા લખ્યા, પણ બાળ શ્રીમદે તો એ આંકડા ઘૂંટવાને બદલે તરત જ પાટીમાં લખી નાખ્યા. શિક્ષક જે આંકડો લખે તે લખી-બોલી બતાવવા લાગ્યા. એમ કરતાં છેક એક સો સુધીના આંકડા શિક્ષકે પાટીમાં લખ્યા. એ જ આંકડા બાળ શ્રીમદ્ પાટીમાં લખતા જાય અને બોલતા જાય, કેવી અજબ જેવી વાત ! નિશાળે નવા-સવા બેઠેલા બાળકને આટલું બધું આવડે ! લવજીભાઈ માસ્તર આ જોઈને ઊંડા વિમાસણમાં પડી ગયા. વળી એમણે માન્યું કે કદાચ એ એકથી સો આંકડા શીખ્યા હશે. આથી એમણે ૧ X ૧ = ૧ થી માંડીને ૧૦ x ૧ = ૧0 ના ઘડિયા લખીને આપ્યા. શિક્ષક લખતા ગયા અને ઘડિયા બોલતા ગયા. બાળ શ્રીમદ્ પણ એ જ રીતે એ ઘડિયા લખતા અને બોલતા ગયા. એ પછી તો અગિયારા અને બારાખડી પણ લખી આપી તો તે પણ બાળ શ્રીમદે લખી બતાવ્યા. લવજીભાઈને અપાર આશ્ચર્ય થયું. ' એમણે ગુજરાતી પહેલી ચોપડીના જે પાઠ લખાવ્યા એ જ પ્રમાણે બાળ શ્રીમદ્ એ પાઠ લખી-બોલી ગયા. શિક્ષક તો હેરાન-પરેશાન થઈ ગયા. એ ગયા સીધા હેડમાસ્તર પાસે અને કહ્યું કે, “આને તો ભણાવવું શું ? ગણિત હોય કે કવિતા, આંકડા હોય કે ઘડિયાં - બધું જ જેમ લખીએ તેમ લખી શકે છે અને જેમ બોલીએ તેમ બોલી જાય છે. આને ભણાવવું શું ? આ કંઈ પહેલી ચોપડીનો વિદ્યાર્થી નથી.” હેડમાસ્તરે શ્રીમદ્રના પિતા રવજીભાઈને બોલાવ્યા અને પૂછ્યું, તો રવજીભાઈએ કહ્યું, “અરે સાહેબ ! હજી ગઈ કાલે જ પાટી–પેન ખરીદીને લાવ્યો છું. આજ સુધી ઘરમાં કોઈ કશો અભ્યાસ કરાવ્યો નથી.” આ સાંભળીને શિક્ષક પામી ગયા કે નક્કી આ બાળક એ કોઈ વિરલ પ્રતિભાશાળી મેધાવી બાળક છે. આથી એને વર્ગમાં પોતાની પાસે બેસાડતા. એની પાસે જ્ઞાન, ધ્યાન અને વૈરાગ્યની કવિતાઓ બોલાવતા. - આમ ફક્ત એક વર્ષમાં તો બાળ શ્રીમદે ચાર ધોરણનો અભ્યાસ પૂરો કર્યો. દોઢથી બે વર્ષમાં સાત ધોરણ પૂરાં કર્યા. શિક્ષક પાઠ વંચાવે તે જ વખતે તે વાંચીને કડકડાટ બોલી જાય. પૂર્વના સંસ્કારોને કારણે વિના પરિશ્રમે એમનું જ્ઞાન પ્રગટ થવા લાગ્યું. તેઓ વિદ્યાર્થીઓનું વર્ગકામ લેવા માંડ્યા અને અમુક વખતે વર્ગશિક્ષક તરીકે શિક્ષણ આપવા લાગ્યા. શિષ્ય ગુરુ બની ગયા ! ઓટલા તેજસ્વી હોવા છતાં બાળ શ્રીમદ્ પોતાના સાથીઓમાં એટલા જ પ્રીતિપાત્ર હતા. એક વાર શિક્ષકે કોઈ કારણસર રાયચંદને ઠપકો આપ્યો. વિનયી કિંતુ સ્વમાની રાયચંદ આ ઠપકો કઈ રીતે સહન કરી શકે ? Jan Educatigranational Post Parsonal. P o Use Only
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy