SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. અપૂર્વ પ્રતિભા આપની એક વાર શિક્ષકે શ્રીમને ઠપકો આપ્યો. એમનો કશોય વાંક નહોતો છતાં ઠપકો મળ્યો. આથી શ્રીમદે વિના કારણે થયેલા અન્યાયના વિરોધમાં નિશાળે જવાનું માંડી વાળ્યું. બાળ શ્રીમદ્ અભ્યાસમાં જેટલા તેજસ્વી હતા એટલા જ રમતગમતમાં નિપુણ હતા. પોતાના સહાધ્યાયીઓમાં એ ખૂબ માનીતા હતા. નિશાળ શરૂ થઈ. સહાધ્યાયીઓએ જોયું તો શ્રીમદ્ ક્યાંય મળે નહીં. એમણે જાણ્યું કે શ્રીમદ્ આજે નિશાળે નથી આવ્યા. એટલે બધા ભેગા મળીને એમના મળવા ગયા. શ્રીમદ્ બધા જ વિદ્યાર્થીઓને લઈને દૂર આવેલા ખેતરમાં ચાલ્યા ગયા. બીજી બાજુ શિક્ષક વર્ગમાં ભણાવવા આવ્યા, પણ વર્ગમાં એકે વિદ્યાર્થી મળે નહીં. એમને પારાવાર આશ્ચર્ય થયું. એક-બે વિદ્યાર્થી બીમારી કે અન્ય કારણે આવે નહીં તેવું બનતું હતું, પણ એકે વિદ્યાર્થી વર્ગમાં ન હોય એવું તો આજ સુધી ક્યારેય થયું ન હતું. શિક્ષક વિચારમાં પડ્યા. એમને ખ્યાલ આવી ગયો કે ગઈ કાલે બાળ શ્રીમને પોતે વિના કારણે ઠપકો આપવાની ભૂલ કરી બેઠા છે એથી શ્રીમદ્ નિશાળે આવ્યા નહીં અને કદાચ એ કારણે બીજા વિદ્યાર્થીઓ પણ આવ્યા ન હોય ! શિક્ષક શ્રીમદ્ની શોધમાં નીકળ્યા. શોધતા શોધતા ખેતરમાં પહોંચી ગયા. એમણે જોયું તો એક ઝાડ નીચે ઊભા ઊભા બાળ શ્રીમદ્ વિદ્યાર્થીઓને ભણાવતા હતા. વિદ્યાર્થીઓ એક ધ્યાનથી શ્રીમદ્ની વાત સાંભળતા હતા. શિક્ષક તો આ જોઈને થંભી ગયા. નિશાળના ઓરડાની ચાર દીવાલ વચ્ચે વિદ્યાભ્યાસ થાય તેના બદલે ખેતરના ખોળે, હરિયાળીની વચ્ચે શ્રીમદ્ અભ્યાસ કરાવતા હતા. શિક્ષક બાળ શ્રીમની પાસે આવ્યા અને પોતાની ભૂલ બદલ માફી માગી. સહુને મનાવીને નિશાળે લઈ ગયા. આમ બાળ શ્રીમનો સત્ય માટેનો આગ્રહ પ્રગટ થયો. એવો જ એમનો આગ્રહ ભવિષ્યમાં સત્પ્રાપ્તિ માટે જોવા મળ્યો. વવાણિયાની નિશાળમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહુ કોઈ બાળ શ્રીમની પ્રતિભાને આદર આપતા હતા. એમની સ્મૃતિશક્તિના પ્રભાવની વાતો કરતા હતા. શિક્ષક એક પાઠ બોલે તે બરાબર સાંભળીને શ્રીમદ્ ચિત્તમાં યાદ રાખી લે. એ પછી એ આખોય પાઠ કડકડાટ બોલી જતા. શ્રીમદ્ આવું એકપાઠીપણું આશ્ચર્યનો વિષય બની ગયો. આથી જ ચોથા ધોરણની પરીક્ષા લેવા માટે મોરબી રાજ્યના કેળવણી અધિકારી પ્રાણલાલભાઈ વવાણિયા આવ્યા ત્યારે પરીક્ષા લેતાં લેતાં બાળ શ્રીમનું હીર પારખી લીધું. એમણે વર્ગશિક્ષકને આ વિદ્યાર્થી વિશે પૂછ્યું, ત્યારે વર્ગશિક્ષકે કહ્યું, “સાહેબ ! આ બાળક અપૂર્વ સ્મૃતિશક્તિ ધરાવે છે. ત્વરિત અભ્યાસ કરી શકે છે. કોઈ પૂર્વના સંસ્કાર લઈને આવેલા બાળયોગી જ લાગે છે.” શિક્ષણાધિકારી પ્રાણલાલભાઈએ શ્રીમદ્ સાથે વાત કરી અને વાતનો દોર લંબાતાં ધર્મ વિશેની ચર્ચા શરૂ થઈ. શ્રીમના બાળમુખે આવા ગહન વિષય પર વિવેચન સાંભળતાં આ પરીક્ષકને એમની પ્રતિભાનો સ્પર્શ થયો. પ્રાણલાલભાઈના હૃદયમાં હેત ઊભરાયું અને બાળ શ્રીમને પોતાની સાથે ભોજન માટે લઈ ગયા. આમ પરીક્ષા લેવા આવનાર પરીક્ષક ખુદ વિદ્યાર્થી તરફ આદર ધરાવવા લાગ્યા. ચોથા ધોરણમાં ભણતા બાળ શ્રીમદે આટલી લઘુ વયે અખબારમાં પ્રગટ થયેલી પોતાની કાવ્યરચનાઓ બતાવી. શિક્ષણાધિકારી પ્રાણલાલભાઈ તો એક પછી એક આશ્ચર્યનો અનુભવ કરતા હતા. એમણે ગામમાંથી વિદાય લેતી વખતે શ્રીમને કહ્યું કે મોરબી આવવાનું થાય તો જરૂર મળજો. આમ પરીક્ષા લેવા આવેલા પરીક્ષક પણ શ્રીમની અદ્વિતીય શક્તિથી પ્રભાવિત થઈ ગયા. lain Education International For Private Use Only
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy