SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ SિT : ૪૧. જૈનની પ્રમાણિકતા શ્રીમદ્દના સમાગમની તાલાવેલીને કારણે મુનિશ્રી લલ્લુજીએ મુંબઈમાં ચાતુર્માસ કરવાનું નક્કી કર્યું. એ સમયે મુંબઈ અનાર્ય દેશ ગણાતો હતો. શ્રીમદે મુનિશ્રી લલ્લુજીને મુંબઈ જેવા અનાર્ય દેશમાં ચોમાસું કરવાનું કારણ પૂછવું ત્યારે મુનિશ્રીએ કહ્યું, “આપના દર્શન-સમાગમની ભાવનાને કારણે અહીં ચાતુર્માસ કર્યું છે.” એ પછી મુનિશ્રી લલ્લુજી શ્રીમની દુકાને આવતા અને શ્રીમદ્ સઘળાં વ્યવહારકાર્યો છોડી નજીકની ઓરડીમાં બેસીને મુનિશ્રીની સાથે એકાંતમાં સત્સંગ કરતા. તે વખતે શ્રીમદ્ ભિન્ન ભિન્ન શાસ્ત્રોના થોડાક ભાગ વાંચતા અને મુનિરાજને એનો મર્મ દર્શાવતા હતા. આમ રાજના આ સાચા લઘુરાજે પોતાના ધર્મપિતા શ્રીમના સત્સંગ માટે મુંબઈના ચિંચપોકલી ઉપાશ્રયમાં રહીને રોજ ત્રણ-ચાર માઈલનો પાદવિહાર કરીને ભુલેશ્વરમાં આવેલી શ્રીમદૂની પેઢીમાં સત્સંગનો રંગ જમાવ્યો. પોતાના સંસારી પરમાર્થ ગર માટે નિવેશે રહેતા સાધુની કેવી અજોડ ગર્ભક્તિ ! આ સમયે મુનિ લલ્લુજીના ચેલા મુનિ દેવકરણજી કુશળ વ્યાખ્યાનકાર હોવાથી એમના વ્યાખ્યાનમાં જનમેદની ઊભરાતી હતી. મુનિ દેવકરણજીને એક વાર શ્રીમદે પૂછયું, “વ્યાખ્યાન કોણ વાંચે છે ? પર્ષદા કેટલી ભરાય છે ?” મુનિ દેવકરણજીએ કહ્યું, “હું વાંચું છું અને હજારેક માણસની પર્ષદા ભરાય છે.” શ્રીમદે વળતો પ્રશ્ન કર્યો, “સ્ત્રીઓને જોઈને કોઈ વિકાર થાય છે ?” મુનિ દેવકરણજીએ કહ્યું, “કાયાથી થતો નથી, મનથી થાય છે.” શ્રીમદ્ બોલ્યા, “મુનિએ તો મન, વચન અને કાયા એ ત્રણે યોગથી સાચવવું જોઈએ.” ત્યારે મુનિ દેવકરણજીએ કહ્યું, “તમે ગાદી-તકિયે બેસો છો અને હીરા-માણેક તમારી પાસે પડ્યા હોય છે ત્યારે તમારી વૃત્તિ ડહોળાતી નહીં હોય ?” શ્રીમદે કહ્યું, “મુનિ, અમે તો કાળક્ટ વિષ દેખીએ છીએ. તમને એમ થાય છે ?” આ સાંભળી મુનિ દેવકરણજી સ્તબ્ધ બની ગયા. શ્રીમદે પૂછયું, “તમે કોણ છો ?” મુનિએ કહ્યું, “જેટલો વખત વૃત્તિ સ્થિર રહે એટલો વખત સાધુ છીએ.” શ્રીમદે ફરી પૂછયું, “તેવી રીતે સંસારી સ્થિર રહે તેને સાધુ કહીએ ?” મુનિ દેવકરણજી નિરુત્તર રહ્યા, ત્યારે શ્રીમદે કહ્યું, “હે મુનિ, જેમ નાળિયેરનો ગોળો જુદો રહે એમ અમે રહીએ છીએ.” શ્રીમની આ વાત સાંભળીને મુનિ દેવકરણજી વિચારમાં ડૂબી ગયા. શ્રીમદે માર્મિકપણે પોતાની જીવનમુક્ત જ્ઞાનદશાનું સૂચન કર્યું, પરંતુ એનો ગહન મર્મ મુનિ દેવકરણજી પામ્યા નહીં. એક વખત શ્રી ત્રિભોવનદાસભાઈ ભાણજીભાઈએ શ્રીમદ્રને પ્રશ્ન કર્યો, “જૈન તરીકે વ્યક્તિ કેવી પ્રમાણિક હોવી જોઈએ ?” ઉત્તરમાં શ્રીમદે હાઇકોર્ટનો બુરજ દેખાડીને કહ્યું કે દૂર જે પેલી હાઇકૉર્ટ દેખાય છે. તેમાં બેસનાર જજનું પ્રમાણિકપણું જેવું હોય તેના કરતાં એક જૈનનું પ્રમાણિકપણું ઓછું તો ન જ હોવું જોઈએ.” શ્રીમદ્રના કહેવાનો અર્થ એ હતો કે જેનમાં એટલું નખશિખ પ્રમાણિકપણું હોવું જોઈએ કે જેથી એના વિશે કોઈને સહેજે શંકા ન થાય, એટલું જ નહીં પણ જૈન અપ્રમાણિક છે એમ કોઈ કહે તો એ સાંભળનાર એની વાત સ્વીકારે નહીં એવી જૈનની પ્રામાણિકતા સર્વત્ર વ્યાપેલી હોવી જોઈએ. . પ {O G SEB TI
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy