SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ તેમનાં લખાણોમાં સત્ નીતરી રહ્યું છે એવો મને હંમેશાં ભાસ આવ્યો છે. તેમણે પોતાનું જ્ઞાન બતાવવા સારુ એક પણ અક્ષર નથી લખ્યો. લખનારનો હેતુ વાંચનારને પોતાના આત્માનંદમાં ભાગીદાર બનાવવાનો હતો. જેને આત્મક્લેશ ટાળવો છે, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે તેને શ્રીમદ્દનાં લખાણોમાંથી બહુ મળી રહેશે, એવો મને વિશ્વાસ છે, પછી ભલે તે હિંદુ હો કે અન્યધર્મી. *** - શ્રીમદ્ રાજચંદ્રે મરણકાળે અસહ્ય દુઃખ ભોગવ્યું, પણ તેમને તે દુઃખનો વિચાર નહોતો; તેમને તો તે વેળા ઈશ્વરદર્શનની જ તાલાવેલી લાગેલી હતી. આજે મારી જિંદગીમાં વિનય સાથે કડવી વાતો સંભળાવવાનો મારે પ્રસંગ આવ્યો છે, ત્યારે એવા શ્રીમદ્ રાજચંદ્રનું સ્મરણ કરીને તેમની અહિંસાની સ્તુતિ કરીને હું સદ્ભાગી બનું છું. જે વસ્તુ આત્માને દૂધ જેવી દેખાય છે તેવી જગતમાં કોઈનો પણ ડર રાખ્યા વિના પ્રગટ કરવાની શક્તિ આપણે એ પુરુષના સ્મરણમાંથી આજે મેળવીએ. ડર એકમાત્ર ચૈતન્યનો રાખીએ; ચોવીસે કલાક, રખેને એ હંમેશાં ખબરદારી કરનારો દુભાશે તો નહિ એવી ચિંતા રાખીએ. રાજચંદ્રના જીવનમાં તેમની અનંત તપશ્ચર્યા શીખીએ, અને જે અનંત તપશ્ચર્યાને પરિણામે તેઓ ચૈતન્યની જ આરાધના કરતાં શીખ્યા તે સમજીએ, અને આપણી અલ્પતા વિચારી બકરી જેવા રાંક બની, આપણામાં વિરાજતા ચૈતન્યને વિચારી સિંહ જેવા સમર્થ બનીએ તો જીવનનું સાર્થક છે. ***** એમના જીવનમાંથી શીખવાની બે મોટી વાતો તે સત્ય અને અહિંસા. પોતે જે સાચું માનતા તે કહેતા અને આચરતા. અને અહિંસા તો તે જૈન હતા એટલે અને એમના સ્વભાવથી એમની પાસે હતી. આજ અહિંસાની પ્રાકૃત સમજ જૈનોમાં છે – કે નાનાં જીવજંતુ ન મારવાં વગેરે – એટલેથી જ એમની અહિંસા સમાપ્ત નહોતી થતી. એમને તો મનુષ્યને કાંઈ પણ દુ:ખ થાય, તો તેથી પણ દુઃખ થતું. અને તે એટલે સુધી કે ઘણી વાર એમને સંસારથી વિરક્તિ આવી જતી. = વિરક્તિનો ગુણ એમના જીવનમાં પહેલેથી જ જોવામાં આવે છે. ૩૩ વર્ષની નાની વયે એ ગુજરી ગયા. ૧૭-૧૮ વર્ષની ઉંમરનાં એમનાં પદોમાં આ વૈરાગ્યભાવ દેખાય છે. અને તે ઉંમરે એમણે ત્યાગતિતિક્ષાનું જીવન ગ્રહણ કરવા તાકેલું. ત્યારથી એમનામાં આ વૈરાગ્યવૃત્તિ રહેલી હતી, જોકે ગૃહસ્થાશ્રમ અને વેપાર લગભગ અંત સુધી એમની પાસે રહ્યાં હતાં. પણ વૃત્તિથી તે વૈરાગી હતા. એમના જીવનમાંથી ચાર ચીજો શીખી શકીએ : (૧) શાશ્વત વસ્તુમાં તન્મયતા; (૨) જીવનની સરળતા; આખા સંસાર સાથે એકસરખી વૃત્તિથી વ્યવહા૨; (૩) સત્ય અને (૪) અહિંસામય જીવન. મરણ પૂર્વે થોડાક અગાઉના પત્રો મેં જોયા છે. આ વસ્તુઓ તેમાં પણ મેં ભાળી છે. એ વસ્તુ આપણે સ્મરણમાં રાખીએ અને જીવનમાં પણ અનુકરણ કરીએ. ॥૧૮૨૫
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy