SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ મુશ્કેલી નહોતી આવતી. વેદાંતનો અભ્યાસ તેમણે કરેલો, તેમ જ ભાગવતનો અને ગીતાજીનો. જૈન પુસ્તકો તો જેટલાં તેમને હાથ આવતાં તે વાંચી જતા. તેમની તે ગ્રહણ કરવાની શક્તિ અથાગ હતી એક વખતનું વાચન તે તે પુસ્તકોનું રહસ્ય જાણી લેવાને સારુ તેમને પૂરતું હતું. * * * મારી સાથે ચર્ચા કરતાં મને કોઈ દિવસ તેમણે એવું તો કહ્યું જ નહિ કે મારે મોક્ષ મેળવવા સારુ અમુક ધર્મને અવલંબવો જોઈએ. મારો આચાર વિચારવાનું જ તેમણે મને કહ્યું. * * * રાયચંદભાઈ ઘણી વેળા કહેતા કે જુદા જુદા ધર્મ એ તો વાડાઓ છે. તેમાં મનુષ્ય પુરાઈ જાય છે. જેણે મોક્ષ મેળવવો એ જ પુરુષાર્થ માન્યો છે તેને ધર્મનું તિલક પોતાને કપાળે લગાડવાની આવશ્યકતા નથી. ધર્મના ઝઘડાથી તેમને હંમેશાં કંટાળો આવતો, તેમાં ભાગ્યે જ પડતા. બધા ધર્મોની ખૂબીઓ પૂરી જોઈ જતા ને તે તે ધર્મીની પાસે મૂકતા. દક્ષિણ આફ્રિકાના મારા પત્રવ્યવહારમાં પણ મેં તેમની પાસેથી એ જ વસ્તુ મેળવી હતી. * રાયચંદભાઈની દૃષ્ટિએ તો કોઈને પોતાનો ધર્મ છોડવાની આવશ્યકતા નથી. સહુ પોતાના ધર્મમાં રહી પોતાની સ્વતંત્રતા એટલે મોક્ષ મેળવી શકે છે. કેમ કે મોક્ષ મેળવો એટલે સવશે રાગદ્વેષરહિત થવું. છતાં આટલી સ્મરણશક્તિ, આટલું જ્ઞાન અને આટલું તેમની આસપાસનાઓ તરફથી માન. આથી હું મોહાયો, સ્મરણશક્તિ નિશાળમાં નથી વેચાતી. જ્ઞાન પણ નિશાળની બહાર જો ઇચ્છા થાય - જિજ્ઞાસા હોય – તો મળે અને માન પામવાને સારુ વિલાયત કે ક્યાંયે જવું નથી પડતું, પણ ગુણને માન જોઈએ તો મળી રહે છે, એ પદાર્થપાઠ મને મુંબઈ ઊતરતાં જ મળ્યો. - કવિની સાથેનો આ પરિચય બહુ આગળ ચાલ્યો. સ્મરણશક્તિ ઘણાની તીવ્ર હોય, તેથી અંજાવાની કશી જરૂર નથી. શાસ્ત્રજ્ઞાન પણ ઘણાને જોવામાં આવે છે. પણ જો તે સંસ્કારી ન હોય તો તેમની પાસેથી ફૂટી બદામ પણ નથી મળતી. સંસ્કાર સારા હોય ત્યાં જ સ્મરણશક્તિ અને શાસ્ત્રજ્ઞાનનો મેળાપ શોભે અને જગતને શોભાવે, કવિ સંસ્કારી જ્ઞાની હતા. - જે વૈરાગ્ય ‘અપૂર્વ અવસર'ની કડીઓમાં ઝળહળી રહ્યો છે તે મેં તેમના બે વર્ષના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોયેલો. તેમનાં લખાણોની એક અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું તે જ લખ્યું છે. તેમાં ક્યાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારુ એક લીટી સરખી પણ લખી હોય એમ મેં નથી જોયું. તેમની પાસે હંમેશાં કંઈક ધર્મપુસ્તક અને એક કોરી ચોપડી હેલાં જ હોય. એ ચોપડીમાં પોતાનાં મનમાં જે વિચાર આવે તે લખી નાખે. કોઈ વેળા ગદ્ય ને કોઈ વેળા પદ્ય. એવી રીતે જ ‘અપૂર્વ અવસર’ પણ લખાયેલું હોવું જોઈએ. ખાતાં, બેસતાં, સુતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તો હોય જ . કોઈ વખત આ જગતના કોઈ પણ વૈભવને વિષે તેમને મોહ થયો હોય એમ મેં નથી જોયું. # # # (NCPSP(>(BY SPIC I૧૮૧ પા >$$)ZZZ®L$>$$$'
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy