SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ જે વૈરાગ્ય અને સંસારની અસારતા માટે પુનઃ પુનઃ બોધ કરતા તે વૈરાગ્ય કેટલો મહત્ત્વનો છે તે આજે એક અકસ્માત ઉપરથી બહુ સારી રીતે જણાઈ આવે છે. પી. ઓ. કંપનીની મોટી સ્ટીમર ‘અરેબિયા’ સમુદ્રમાં અદૃશ્ય થઈ ગયાના ગમગીની ભરેલા સમાચાર આજે છાપામાં વાંચવામાં આવ્યા છે. એ સ્ટીમરમાં હિંદના એક રત્ન રતન તાતા અને મિ. જીવરાજ મહેતા જેવા સમર્થ પુરુષો હતા. તે પુરુષોનો કોઈ પત્તો હજુ સુધી મળ્યો નથી. આખું ભારતવર્ષ તેમની ચિંતાથી આજે ગમગીન થયું છે. જે પુરુષો ગુમ થયા છે તેમનાં કુટુંબોમાં કેવી દિલગીરી વ્યાપી હશે, તેનો આપણે ખ્યાલ કરી શકતા નથી. શ્રીમદે પોતાનું જીવન પરમ વૈરાગ્યમય ગાળ્યું હતું. અને એ જ જીવન યથાર્થ જીવન હતું એવો આજની આકસ્મિક ઘટના ઉપરથી આપણને નિશ્ચય થાય છે. * * * જેમનું પુણ્યસ્મરણ કરવા આપણે આવ્યા છીએ તે દયાધર્મની મૂર્તિ હતા. તેમણે દયાધર્મને જાયો હતો ને પોતાના જીવનમાં કેળવ્યો હતો. તેઓ ઘણી વાર કહેતા કે, ચોપાસથી કોઈ બરછીઓ ભોંકે તે સહી શકું, પણ જગતમાં જે જૂઠ, પાખંડ, અત્યાચાર ચાલી રહ્યાં છે, ધર્મને નામે જે અધર્મ વર્તી રહ્યો છે, તેની બરછી સહન થઈ શકતી નથી. અત્યાચારોથી ઊકળી રહેલા તેમને ઊકળી જતા મેં ઘણી વાર જોયા છે. બીજું કાંઈ શોધ મા. માત્ર એક સપુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy