SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ' ' , ' ' S( S SC SCOTSTSS S TO ૨૪. દિવ્ય અાત્માની ઓળખ શ્રીમના સૌપ્રથમ પરમાર્થ સખા સત્યપરાયણ જૂઠાભાઈ હતા. શ્રીમથી વયમાં એક વર્ષ મોટા જૂઠાભાઈ સાથે શ્રીમદ્દને અમદાવાદમાં પરિચય થયો. વિ. સં. ૧૯૪૪માં “મોક્ષમાળા' છપાવવા માટે શ્રીમદ્દને અમદાવાદ આવવાનું બન્યું. મોરબીના રહીશ શ્રી વિનયચંદ દફતરીએ અમદાવાદના શેઠ જેશંગભાઈ ઉપર “મોક્ષમાળા'ના છાપકામ વિશે ભલામણપત્ર આપ્યો હતો. શ્રી જેસંગભાઈએ તેમને મદદ કરી, પરંતુ આડતના કામને કારણે તેઓને વારંવાર બહારગામ જવાનું થતું હોવાથી એમણે એમના નાનાભાઈ જૂઠાભાઈને શ્રીમદ્રના કામમાં સહાયરૂપ થવાનું ગોઠવ્યું. એ સમયે અમદાવાદમાં ભગુભાઈના વંડામાં શ્રીમદે અવધાન-પ્રયોગો કરી બતાવ્યા. આ જોઈને જૂઠાભાઈ એમને ચમત્કારિક પુરુષ માનીને શ્રીમદ્ તરફ આકર્ષાયા. શ્રીમદ્દ દલપતભાઈના પુસ્તકભંડારમાં ગયા, ત્યારે જૂઠાભાઈ એમને એક પછી એક પુસ્તક આપતા ગયા. શ્રીમદ્ માત્ર પુસ્તકનાં પાનાં ફેરવીને એનું હાર્દ કહી આપતા. કેવી પ્રજ્ઞા અને કેવી શક્તિ ! આવી પરમ આત્મશક્તિના દર્શનથી જૂઠાભાઈની શ્રદ્ધા વધી ગઈ. મુમુક્ષુનાં નેત્રો મહાત્માને ઓળખી લે છે તે કથન પ્રમાણે મહામુમુક્ષુ જુઠાભાઈનાં નેત્રોએ શ્રીમદના દિવ્ય આત્માને ઓળખી લીધો. આ જૂઠાભાઈનો જન્મ વિ. સં. ૧૯૨૩ના કારતક સુદ બીજને દિવસે થયો હતો. જૂઠાભાઈના પિતાનું નામ ઉજમશીભાઈ અને માતાનું નામ જમનાબાઈ હતું. તેઓ બુદ્ધિશાળી અને ભક્તિભાવવાળા હતા. તેઓએ અંગ્રેજી ચોથા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. શ્રીમદૂનો મેળાપ થતાં એમની ભક્તિમાં ઘણો વેગ આવ્યો. જૂઠાભાઈ સાથે ગાઢ સંબંધ થયા બાદ શ્રીમદ્દ અમદાવાદમાં આવતા ત્યારે એમને ત્યાં જ ઊતરતા હતા. વળી શ્રીમદ્દ સાથે જૂઠાભાઈ દોઢથી બે મહિના મોરબીમાં અને એ પછી ભરૂચ પણ ગયા હતા. જ્યારે આ બંને પ્રત્યક્ષ એકબીજાને મળી શકે તેમ ન હોય ત્યારે બંને વચ્ચે ધર્મની જિજ્ઞાસા દર્શાવતો પત્રવ્યવહાર નિયમિતપણે ચાલતો હતો. જૂઠાભાઈને ઉચ્ચ દશા પ્રતિ વાળવાનું કામ શ્રીમદે કર્યું, આથી તેઓ શ્રીમદ્દ ‘ધર્મપિતા' કહેતા હતા અને શ્રીમદ્દ એમને ‘ધર્મપુત્ર' ગણીને સંબોધતા હતા. એક વાર શ્રીમના પિતાશ્રી રવજીભાઈ નજીક આવેલા ચમનપર નામના ગામમાં જતા હતા, ત્યારે શ્રીમદે કહ્યું, ‘બાપુજી, આજે તમે ચમનપર ન જાવ તો ?” શ્રીમદુની શક્તિને જાણતા હોવા છતાં રવજીભાઈએ શ્રીમની વાત કાને ધરી નહીં. એમણે તો પોતાનું ધાર્યું જ કર્યું. તેઓ ચમનપર જવા નીકળ્યા. બીજી બાજુ સંધ્યા સમયે શ્રીમદ્જીના ઘરમાં અકસ્માત થયો. શ્રીમદૃના નાના ભાઈ મનસુખભાઈ રસોડા તરફ જતા હતા, એવામાં એમના પહેરણ પર દીવાની ઝાળ લાગી. મનસુખભાઈનું પહેરણ સળગવા માંડ્યું. આ સમયે ઝબકબહેન ઘરમાં હતાં. એમણે જોયું તો મનસુખભાઈના પહેરણને આગ લાગી હતી. ઝબકબહેન દોડ્યાં અને દોણી ભરેલી છાશ મનસુખભાઈના શરીર પર રેડી દીધી. આગ તો ઓલવાઈ ગઈ. મનસુખભાઈ છાતીએ દાઝી ગયા. ઘરમાં ચારે કોર દોડધામ મચી ગઈ. આવી ઘટના બનતાં તરત જ રવજીભાઈને પાછા બોલાવવા માટે ચમનપર માણસ મોકલવામાં આવ્યો. ચમનપર જતી વખતે શ્રીમદે પિતાને અટકાવવા કોશિશ કરી હતી, પણ પિતાએ એમની વાત કાને ધરી નહીં. એમાં શું ? આમ કોઈના કહેવાથી જ ઈએ નહીં તે કેમ ચાલે ? પરંતુ શ્રીમદ્રને તો થનારી ઘટનાની કે ભવિષ્યની એંધાણી મળતી હતી. રવજીભાઈ વિચારમાં પડ્યા. કેવો ચમત્કારિક છે આ પુત્ર ! TUONOTOTYWYOYOTVCEVAPOYOY પર છઠ | I
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy