SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ Sિ A SAS S D ૫૫. અમર પન્નત્રયી અનંતકાળે જે અપુર્વ યોગ મળ્યો છે તે સફળ થાય તે માટે શ્રી સોભાગભાઈએ શ્રીમદ્દને સાયલા આવવાની કરેલી વિનંતીનો સ્વીકાર કરીને પ્રેમમૂર્તિ શ્રીમદે સાયલામાં દસ દિવસની સ્થિરતા કરી. એ પછી વિશેષ સત્સંગ કરાવવાના હેતુથી શ્રીમદ્ સોભાગભાઈને ઇડર લઈ જવા ઇચ્છતા હતા. આ વાત જાણીને શ્રી સોભાગભાઈના પુત્ર ચુંબકભાઈએ કહ્યું, સોભાગભાઈને આવા ક્ષીણ શરીરે ઘરની બહાર લઈ જવા દેવાનું એમના હૈયે બેસતું નથી. આવા વ્યાધિગ્રસ્ત શરીરનો ભરોસો કેમ રાખી શકાય ? વળી ઇડરમાં તેમને કંઈ થાય તો દુનિયા અમને ગાંડા ગણે.” શ્રીમદ્ વ્યંબકભાઈનો મનોભાવ પારખી ગયા. એમણે ચુંબકભાઈને કહ્યું, “યંબક, તમે સહુ ફિકર કરો મા, કારણ કે શ્રી સોભાગભાઈની સેવા તથા ઉત્તરક્રિયા તારા હાથથી જ થશે.” શ્રીમદ્દનાં આ વચનો સાંભળીને ચૂંબકભાઈને શાંતિ થઈ. શ્રી સોભાગભાઈ દસ દિવસ ઇડર રોકાયા. ઇડરના નિવૃત્તિક્ષેત્રમાં શ્રીમદે પોતાના પરમાર્થ સુહૃદ શ્રી સોભાગભાઈ માટે પરમાર્થ બોધની અમૃતવર્ષા વર્ષાવી. એ પછી સોભાગભાઈ સાયલા પાછા આવ્યા અને શ્રીમદ્ મુંબઈ ગયા. - શ્રી સોભાગભાઈની શારીરિક સ્થિતિ ક્ષીણ થતી જતી હતી. શ્રીમદે એમની અંતિમ અવસ્થા જાણી લીધી, આથી મુંબઈથી અપુર્વ આત્મજાગૃતિ અર્થે અંતિમ આરાધનામાં પરમ ઉપકારી થઈ પડે એવા ત્રણ અમર પત્રો (પત્રાંક : ૭૭૯, ૭૮૦, ૭૮૧) લખીને મોકલ્યા. શ્રીમદ્રના સમગ્ર મુમુક્ષુમંડળમાં શ્રી સોભાગભાઈ મૂર્ધન્ય સ્થાને હતા અને શ્રીમના પત્રસાહિત્યમાં સૌથી વધુ પત્રો શ્રી સોભાગભાઈને ઉદ્દેશીને લખાયા છે, એ પત્રોમાં આ ત્રણ અમરપત્રો કળશરૂ ૫ છે. એની એવી ચમત્કારિક અસર શ્રી સોભાગભાઈ પર થાય છે કે આ પત્રો એ એમના આત્મસાક્ષાત્કારનું કારણ બને છે. મોક્ષમાર્ગ દર્શાવતી આ પત્રોની રત્નત્રયી માનવીને અંત સમયની આરાધના માટે અપૂર્વ માર્ગદર્શક બને તેવી છે. સર્વ શાસ્ત્રોના નિચોડરૂપ આ ત્રણ પત્રોની પોતાના આત્મા પર થયેલી પ્રભાવક અસર પ્રગટ કરતાં વિ. સં. ૧૯૫૩ના જેઠ વદ છઠ્ઠના દિવસે શ્રી સોભાગભાઈ શ્રીમદ્દ અંતિમ પત્ર લખતાં જણાવે છે, | “આ કાગળ છેલ્લો લખી જણાવું છું. જેઠ સુદ ૯ બુધવારે મર્તક છે, એવો આગળ ભાસ થયેલ. તે સુદ ૯નું બન્યું નહિ. છતાં તે તારીખ ગઈ. તો જેઠ વદ ૯ને બુધવારે છે. ઘણું કરી તે તારીખે મર્તક થાશે. એમ ખાત્રી છે. હવે આ પામર સેવક ઉપર બધી રીતે આપ કૃપાદૃષ્ટિ રાખશો.... અને દેહ ને આત્મા જુદો છે. દેહ જડ છે, આત્મા ચૈતન્ય છે. તે ચેતનનો ભાગ પ્રત્યક્ષ જુદો સમજવામાં આવતો નહોતો. પણ દિન ૮ થયાં આપની કૃપાથી અનુભવગોચરથી બેફાટ પ્રગટ જુદો દેખાય છે અને રાતદિવસ આ ચેતન અને આ દેહ જુદા, એમ આપની કૃપાદૃષ્ટિથી સહજ થઈ ગયું છે. એ આપને સહેજ જણાવા લખ્યું છે. ” - એ પછી શ્રી સોભાગભાઈના ધાર્યા કરતાં એક દિવસ મોડો એટલે કે વિ. સં. ૧૯૫૩ના જેઠ વદ દસમને દિવસે એમણે સમાધિસ્થ ભાવે દેહત્યાગ કર્યો. ક મ રે ,
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy