SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ VINOROKOKOSOVO ૨૬. જ્ઞાનને જોખમ શું ? કુટુંબની આર્થિક પરિસ્થિતિને કારણે શ્રીમદે વ્યવસાયની પ્રવૃત્તિ કરી. વવાણિયા બંદર ઘણું નાનું ગામ હોવાથી વેપારની કોઈ વિશેષ તક નહોતી, આથી તેમણે મુંબઈ જઈને અર્થોપાર્જન કરવાનો નિર્ણય કર્યો. એમના મુંબઈગમન પાછળ અવધાનપ્રયોગો કારણભૂત બન્યા. એમના અવધાનપ્રયોગો જોવા આવેલા વડોદરાના શ્રી માણેકલાલ ઘેલાભાઈ ઝવેરી પાસેથી શ્રીમદે ઝવેરાતની પરીક્ષા કરતાં શીખી લીધું. તેજસ્વી બુદ્ધિ શક્તિને કારણે થોડા જ વખતમાં શ્રીમદ્ નિપુણ થઈ ગયા અને વિ. સં. ૧૯૪૫માં રેવાશંકર જગજીવન સાથે ભાગીદારીમાં એમણે ઝવેરાતનો વ્યવસાય શરૂ કર્યો. | માત્ર બે જ વર્ષમાં શ્રીમદ્રના પુણ્યપ્રભાવથી ઝવેરાતની આ પેઢી દેશ-વિદેશમાં પ્રસિદ્ધ થઈ ગઈ. એક-બે વર્ષમાં તો ઇંગ્લંડ, રંગુન, અરેબિયા જેવા દેશોની ખ્યાતનામ પેઢીઓ સાથે એનો વેપારસંબંધ જોડાયો. શ્રીમદ્ અર્થોપાર્જન કરવા માટે ન્યાયસંપન્ન નીતિનું આચરણ કરતા હતા. આંતરિક રત્નત્રયના આ આરાધકને બાહ્ય ધનના ઉપાર્જનની પ્રવૃત્તિ તો કર્તવ્યબુદ્ધિથી કરવી પડતી. આથી જ જગતમાં ચાલતી આર્થિક પ્રવૃત્તિ અને શ્રીમદ્રની આર્થિક પ્રવૃત્તિ વચ્ચે પ્રયોજનનું આભ-જમીન જેટલું અંતર હતું. તેઓ લખે છે, - “જગત આખું કંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે પરંતુ અમે પૂર્વભવનું દેણું દેવાને માટે આ વ્યવસાય કરતાં હોઈએ એમ લાગે છે.” | વ્યવસાય હોય કે ગૃહસ્થાશ્રમ, પરંતુ સંસારથી સંપૂર્ણ અનાસક્તિ ધરાવતા શ્રીમદ્ સ્પષ્ટ રૂપે કહે છે, “સ્ત્રીના સંબંધમાં જિજ્ઞાસા ઓર છે અને વર્તના ઓર છે. પણ દુઃખ એ છે કે જિજ્ઞાસા નથી છતાં પૂર્વકર્મ કાં દોરે છે ?” શ્રીમદે સંસારની વચ્ચે રહીને પણ જે નિર્લેપતા અને અલિપ્તતા પ્રગટ કરી એ જ એમનો વિશિષ્ટ આધ્યાત્મિક શૌર્યની ઓળખ આપે છે. મોહમયી મુંબઈ નગરીમાં અર્થોપાર્જન માટે આવેલા શ્રીમદ્ અમોહ સ્વરૂપે રહી શક્યા એનું કારણ એમના હૃદયમાં અલિત રીતે વહેતું વૈરાગ્યઝરણું હતું. આવી અત્યંત વિકટ અને વિદારક પરિસ્થિતિ હોવા છતાં શ્રીમદ્ ‘પુદ્ગલજાત તમાસી” અર્થાત્ જડ પુદ્ગલોનો તમાશો જોનાર સાક્ષીરૂપે પોતાને જુએ છે. આવા જ્ઞાની પુરુષની પ્રવૃત્તિ પણ સંવર-નિર્જરારૂપ હોય છે. જીવનની પ્રત્યેક ક્ષણ આત્મજાગૃતિ સાથે વ્યતીત થતી હોય ત્યારે શ્રીમદ્રની જ્ઞાનગર્ભિત વૈરાગ્યભાવના સતત વધુ ને વધુ વિકસતી હતી. મનન, ચિંતન અને અધ્યયન પરિપક્વ થતાં હતાં. જાણે મોહના મહેલમાં રહીને જ મોહને પૂર્ણપણે પરાજય ન આપ્યો હોય ! અદ્દભુત અસંગતા સાથે આવશ્યક પણ ઉકળાટભરી બાહ્ય ઉપાધિના દાવાનળ વચ્ચે પણ એમના જીવનમાં અખંડ આત્મસમાધિની અમૃતવર્ષ દૃષ્ટિગોચર થાય છે. | મુંબઈમાં રેવાશંકર જગજીવનની પેઢીમાં શ્રીમદ્ સાથે રાત્રે ધર્મવાર્તા કરીને સહુ ઊડ્યા ત્યારે પૂનાના નાનચંદ્રભાઈએ કહ્યું કે આ પેટી ઉઘાડી છે અને એમાં જોખમ છે. આ સમયે શ્રીમદે જોખમ શું એમ પૂછતાં નાનચંદ્રભાઈએ કહ્યું કે, “હું કીમતી ચીજોને જોખમની ઉપમા આપું છું. એ ચોરાઈ જાય તેવું જોખમ હોય છે.” સ્ફટિક સમી સ્વચ્છ અને નિર્મળ આત્યંતર દશા અનુભવનાર શ્રીમદ્જીએ કહ્યું, “જોખમને તો જ્ઞાનીઓ જોખમ જ માને છે પણ તે એવી રીતે કે એ જ્યાં સુધી છે ત્યાં સુધી જોખમ છે. માણસોને રોગ થાય ત્યારે પરુ-પસ થાય તેમ આ ચીજો પૃથ્વી પરનો રોગ છે. તેમાં જ્ઞાનીઓ કદી કોઈ મોહ રાખે નહિ.” આવી આગવી સમજ આપીને શ્રીમદ્ પેઢી પરથી નીકળી ગિરગામ ગયા.
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy