SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮. નિજ સ્વરૂપ અદભાસ્યું રે વિ. સં. ૧૯૪૬ના પ્રથમ ભાદરવા માસમાં શ્રી સોભાગભાઈ અને શ્રીમદ્ના જેતપુરમાં પહેલો થયેલો મેળાપ નવીન અધ્યાત્મદર્શન જગાડી ગયો. એ પછી શ્રીમદ્જી આંતરિક દશા ઉત્તરોત્તર વધતી ગઈ. આ બંને વચ્ચે એવો આત્મિક સંબંધ બંધાયો કે ભલે એમનો પ્રત્યક્ષ સમાગમ ક્યારેય પંદર દિવસથી સળંગ વધુ થયો નહીં, કિંતુ એમની વચ્ચે પત્રો દ્વારા પરસ્પરની આંતરિક અનુભૂતિનું આદાન-પ્રદાન થતું રહ્યું. આ પત્રોમાં શ્રીમદે પોતાના હૃદયની ઘણી વાતો હૃદયરૂ૫ ‘આત્મવિવેકસંપન્ન : ભાઈશ્રી સોભાગભાઈ” એવા સંબોધન સાથે લાંબા પત્રથી પ્રગટ કરી. બંનેના મેળાપના બીજા જ મહિને વવાણિયાથી શ્રીમદે શ્રી સોભાગભાઈને એક પત્ર લખી જણાવ્યું કે એક અદ્વિતીય પરમાર્થ વિશેનું મનન અહર્નિશ ચાલ્યા કરે છે. “આવું ‘દિનરાત રહે ત૬ ધ્યાન મહીં' કોને થાય ?’ જેને આ પરમાર્થ વિશે જીવનમાં પરમ રસનો અનુભવ થયો હોય તેને ?” આવી આત્મખુમારી અનુભવતા બ્રહ્મરસના ભોગી શ્રીમદ્ રાજચંદ્રજીએ ૧૯૪૭ની કારતક સુદ પાંચમને જ્ઞાનપંચમીના મંગળ દિવસે લખેલા પત્રમાં ‘પરમ પૂજ્ય, કેવલબીજ સંપન્ન, સર્વોત્તમ ઉપકારી શ્રી સોભાગભાઈ” એવું સંબોધન કર્યું. આમાં ‘કેવલબીજ સંપન્નઅને ‘સર્વોત્તમ ઉપકારી’ એવાં બે સૂચક વિશેષણોથી શ્રીમદે સૂચવ્યું. છે કે શ્રી સોભાગભાઈ કેવળજ્ઞાનના બીજને પામ્યા છે. વળી શ્રી સોભાગભાઈના નિમિત્તે પોતાને પૂર્વાનુભૂત આત્મદશાનું સ્મરણ થવાથી તેમને પોતાના સર્વોત્તમ ઉપકારી કહે છે. શ્રીમદ્ માર્મિક રીતે એક સ્થળે લખે છે : ‘આપના પ્રતાપે આનંદવૃત્તિ છે, પ્રભુ પ્રતાપે ઉપાધિજન્યવૃત્તિ છે.” અન્યત્ર લખે છે, ‘સર્વ સમર્થ પુરુષો આપને પ્રાપ્ત થયેલા જ્ઞાનને જ ગાઈ રહ્યા છે.' - આમ શ્રીમદ્રની અધ્યાત્મદશા અને પરમસખા સાથેની અધ્યાત્મમંત્રી શ્રી સોભાગભાઈ પર લખાયેલા ૨૬૦ જેટલા લાંબા પત્રોથી પામી શકાય છે. શ્રીમદૂનો દર્શનમોહ સર્વથા વિલય થાય છે અને દર્શનમોહના આત્યંતિક અભાવથી આત્માને પ્રત્યક્ષ, સાક્ષાત્, પ્રગટ અનુભવ્યો છે. વિ. સં. ૧૯૪૭માં શુદ્ધ, સમ્યક્દર્શનનો શ્રીમદ્દના જીવનમાં મહાન પ્રસંગ સર્જાયો. ‘ઓગણીસસેને સુડતાલીસ, સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે, શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે, | ધન્ય રે દિવસ આ અહો !' પોતાના હૃદયરૂપ શ્રી સોભાગભાઈને શ્રીમદ્ સમક્ષ સૌપ્રથમ પોતાને લાધેલા આત્મજ્ઞાનની વાત જણાવતાં શ્રીમદે વિ. સં. ૧૯૪૭ના કારતક સુદ ૧૪ના રોજ લખ્યું : “આત્મજ્ઞાન પામ્યો એ તો નિઃશંસય છે; ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે.' એ પછી શ્રીમદ્ સોભાગભાઈ પરના એમના પત્રો દ્વારા તન્મય આત્મયોગની અધ્યાત્મ-સ્થિતિની ગહન અનુભૂતિ આલેખે છે. વિ. સં. ૧૯૪૭ના મહા વદ ૩ના રોજ પરમસખા શ્રી સોભાગભાઈને લખે છે, ‘આજના પ્રભાતથી નિરંજનદેવની કોઈ અદ્દભુત અનુગ્રહતા પ્રકાશી છે અને ઘણા દિવસ થયા ઇરશ્કેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે.’ આમ શ્રીમદે શ્રી સોભાગભાઈ પાસે પોતાની આંતરિક મન:સ્થિતિ જેટલી પ્રગટ કરી હતી અને જેટલો પોતાનો અધ્યાત્મ-આલેખ પત્રોરૂપે લખ્યો હતો, તેટલો અન્ય કોઈ પાસે મળતો નથી.'
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy