SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧ સર્વ કરતાં વીતરાગનાં વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે, કેમકે જ્યાં રાગાદિ દોષોનો સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટવાયોગ્ય નિયમ ઘટે છે. - શ્રી જિનને સર્વ કરતાં ઉત્કૃષ્ટ વીતરાગતા સંભવે છે. પ્રત્યક્ષ તેમના વચનનું પ્રમાણ છે માટે જે કોઈ પુરૂષને જેટલે અંશે વીતરાગતા સંભવે છે, તેટલે અંશે તે પુરુષનું વાક્ય માન્યતાયોગ્ય છે. જે જિને દૈતનું નિરૂપણ કર્યું છે, આત્માને ખંડ દ્રવ્યવહુ કહ્યો છે, કર્તા ભોક્તા કહ્યો છે, અને નિર્વિકલ્પ સમાધિને અંતરાયમાં મુખ્ય કારણ થાય એવી પદાર્થવ્યાખ્યા કહી છે, તે જિનની શિક્ષા બળવાન પ્રમાણસિદ્ધ છે. (હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૨૬-૧૨૭) *** ૬૪ સિદ્ધ આત્મા લોકાલોકપ્રકાશક છે, પણ લોકાલોકવ્યાપક નથી. વ્યાપક તો સ્વઅવગાહના પ્રમાણ છે. આત્માનો અગુરુલઘુ ધર્મ છે. તે ધર્મને દેખતાં આત્મા સર્વ પદાર્થને જાણે છે, કેમ કે સર્વ દ્રવ્યમાં અગુરુલઘુગુણ સમાન છે. (હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૩૩) * * * ૬૫. જિનોપદિષ્ટ આત્મધ્યાન જિનોપદિષ્ટ આત્મધ્યાન શી રીતે ? જ્ઞાન પ્રમાણ ધ્યાન થઈ શકે, માટે જ્ઞાનતારતમ્યતા જોઈએ. (હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૩૬) * ૨૧ જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે તેમ જ સર્વ પદાર્થનું સ્વરૂપ છે. ભગવાન જિને ઉપદેશેલો આત્માનો સમાધિમાર્ગ શ્રીગુરુના અનુગ્રહથી જાણી, પરમ પ્રયત્નથી ઉપાસના કરો. (હાથનોંધ ૨, પૃષ્ઠ ૪૭) : આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ ત૫
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy