SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧. અાત્માનું, ઉપનિષદ સંવત ૧૯૫૨ના ભાદરવા-આસો મહિનામાં ગુજરાતનાં જંગલોમાં આત્મધ્યાન કરવા માટે શ્રીમદ્ એકાકી વિચરતા હતા. ત્યાંથી આણંદ થઈ શ્રીમદ્જી નડિયાદ પધાર્યા. મુનિશ્રી લલ્લુજી પર લખેલા છ પદના પત્રની નકલ શ્રીમદે શ્રી સોભાગભાઈને મોકલી. તેનો મુખપાઠ કરી વારંવાર એના વિશે વિચારવા આજ્ઞા કરી હતી. શ્રી સોભાગભાઈને વૃદ્ધાવસ્થાને કારણે ગદ્યમાં લખાયેલો છ પદનો પત્ર કંઠસ્થ કરવામાં મુશ્કેલી પડતી હતી, આથી શ્રીમદ્ને પદ્યરૂપે લખી મોકલવા વિનંતી કરી, જેથી સરળતાથી યાદ રહે અને કંઠમાં રમ્યા કરે તેમજ હૃદયમાં વસી જાય. - શરદપૂર્ણિમાને દિવસે જે મધુબિંદુ છીપમાં પડે તે મોતી બને છે, તેમ આ વિનંતી એવા સમયે અને એવા પુરુષ દ્વારા થઈ કે તે શ્રીમના હૃદયમાં ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર 'રૂ૫ અમુલ્ય મોતી ઉત્પન્ન કરવા સમર્થ બની. નડિયાદમાં આ ઘટના બની, આસો વદ એકમના દિવસે શ્રીમદ્ સંધ્યા સમય પછી બહારથી આવ્યા અને સાથે રહેલા મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઈને કહ્યું : “અંબાલાલ ! ફાનસ લે.” | વિનયમૂર્તિ અંબાલાલભાઈ ભક્તિપૂર્વક હાથમાં ફાનસ ધરીને ઊભા રહ્યા. શ્રીમદે મેજ પર રાખેલા કાગળો પર લખવા માંડ્યું. પ્રેરણાનો અદ્ભુત સ્ત્રોત વહેવા લાગ્યો. ગહન જ્ઞાનનું ઝરણું અસ્મલિતરૂપે વહેવા લાગ્યું. જાણે ઊર્ધ્વ આધ્યાત્મિક ભાવરૂપી કલમથી, ગહન ચિંતનના નવનીતરૂ૫ શાહીથી, આતમને જગાડનારી અને ઓળખાવનારી કાવ્યપંક્તિઓ રચાવા લાગી. માત્ર દોઢ-બે કલાક જેટલા ટૂંકા સમયમાં ષડુદર્શનના સાર સમી આત્મસિદ્ધિનું એક જ બેઠકે સર્જન થયું. ‘આત્મસિદ્ધિ ' પોતે જ સ્વયં એક સ્વતંત્ર શાસ્ત્ર છે. - ૧૪૨ ગાથામાં વિરાટ શ્રુતસાગરને શ્રીમદે આત્મસિદ્ધિરૂપ ગાગરમાં સમાવી દીધો. જૈનદર્શનની એક વિરલ વિશિષ્ટતા એ અનેકાન્તવાદ છે અને ‘આત્મસિદ્ધિશાસ્ત્રમાં સ્યાદવાદ શૈલીના આલેખનને કારણે સર્વદર્શનોનો સાર ગાગરમાં સાગરની માફક સમાઈ જાય છે. એની રચના શિષ્યની જિજ્ઞાસા અને ગુરુના ઉત્તર દ્વારા કરી છે. આ રીતે શંકા અને સમાધાનના આલેખન દ્વારા છ દર્શનોનું નવનીત આપીને જૈનદર્શનની ઉત્તમતા પ્રગટ કરી છે. આમાં કોઈ ધર્મના મતનું ખંડન કરવાને બદલે નામ આપ્યા વિના માત્ર એનો વિચાર દર્શાવ્યો છે અને એ રીતે જુદાં જુદાં દર્શનોના અભિપ્રાય એમણે આલેખ્યા છે. આ નાની કૃતિમાં સર્વ ધર્મના અનુયાયીઓને માટે આત્માનો મહિમા ગાયો છે. આથી જ ‘આત્મસિદ્ધિશાસ્ત્રને આત્મોપનિષદ તરીકે ઓળખાવીને પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી લખે છે, - “આત્મસિદ્ધિ વાંચતાં અને તેનો અર્થ પુનઃ પુનઃ વિચારતાં એમ લાગ્યા વિના નથી રહેતું કે શ્રીમદ્ રાજચંદ્ર આ આ એક નાનકડી કૃતિમાં આત્માને લગતું આવશ્યક પૂર્ણ રહસ્ય દર્શાવી આપ્યું છે.” શ્રીમદ્દની આ સર્વશ્રેષ્ઠ રચનામાં એમની આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટેની સાધનાનું નવનીત સાંપડે છે. આ એક અનુપમ અમર કૃતિથી જ શ્રીમદ્દનું નામ સદાકાળને માટે અમર થવા પર્યાપ્ત છે.
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy