SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨. પરમપુરુષ પ્રભુ સગુરુ કાવિઠામાં ઝવેરચંદ શેઠના મેડા પર વસતા શ્રીમદ્ મધરાતે કોઈને પણ કહ્યા વગર એકલા જંગલમાં ચાલ્યા જતા. શ્રીમદ્દનું ધ્યાન રાખવાની જવાબદારી લલ્લુભાઈ નામના એક બારૈયાને સોંપી હતી. તેને દાદરા આગળ સુવડાવતા. પરંતુ શ્રીમદ્ રાત્રિના એક-બે વાગે જંગલમાં ચાલ્યા જતા. લલ્લુભાઈ રાત્રે તપાસ કરે તો શ્રીમ યારીમાં હોય નહીં. આથી શેઠ ઝવેરચંદ, રતનચંદ, વેણીચંદ વગેરે અંધારી રાત્રે ફાનસ લઈને એમને શોધવા જતા ત્યારે મીઠુજીના કૂવા પર ધ્યાનસ્થ શ્રીમનાં દર્શન થતાં. | સં. ૧૯૫૪માં શ્રીમદ્ ખેડા પધાર્યા. આ સમયે રાવબહાદુર નરસિંહરામના બંગલામાં તેઓનો નિવાસ હતો. એક દિવસ . પૂજાભાઈ સોમેશ્વર ભટ્ટ શ્રીમદ્ પાસે આવ્યા. આ સમયે શ્રીમદ્ એક ગ્રંથ વાંચી રહ્યા હતા. એ ગ્રંથમાંથી એમણે પૂજાભાઈને વારંવાર એક શ્લોક બતાવ્યો. એ શ્લોકનો ભાવાર્થ હતો, “મારું ચિત્ત, મારી ચિત્તવૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ કે કોઈ મગ આ શરીરને જોઈ જ રહે. ભય પામી નાસી ન જાય !'' મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાઓ કે કોઈ વૃદ્ધ મૃગ જેના માથામાં ખૂજલી આવતી હોય તે આ શરીરને જડપદાર્થ જાણી પોતાનું માથું ખુજલી મટાડવા આ શરીરને ઘસે !” (ક્રમાંક ૮૫૦) આ પ્રસંગ શ્રીમદ્ આનંદપૂર્વક સમજાવતા હતા. આમાં સહજ રીતે સ્વરૂપમાં સ્થિર થયેલા શ્રીમનાં દર્શન સાંપડે છે અને આ દર્શનના ગહન મર્મને પ્રગટ કરતાં શ્રીમદ્ કહે છે, “ચિત્તની શાંતિ થવાથી એટલું સ્થિર થઈ જવાય કે બાહ્ય રીતે પશુ-પંખી પણ જડ માની ભયથી દૂર નાસી ન જાય.” ખેડામાં મુનિશ્રી દેવકરણજી આદિ મુનિઓ અને મોતીલાલ ભાવસારને શ્રીમદ્દનો અપૂર્વ લાભ મળ્યો. મુનિ દેવકરણજી પોતાના આત્મભાવનો ઉલ્લાસ પ્રગટ કરતાં કહે છે કે “જાણે સત્પુરુષના ચરણમાં મોક્ષ પ્રત્યક્ષ નજરમાં આવે છે.' એક વખત ગૌતમસ્વામીએ પ્રભુ મહાવીર સ્વામીને પૂછ્યું, “પ્રભુ ! હું જે જે સાધુઓને દીક્ષા આપું છું તેને કેવળજ્ઞાન થઈ જાય છે અને મને કેમ નથી થતું ?” ભગવાન મહાવીર ઉત્તર આપે છે કે, “ગૌતમ ! તને કેવળજ્ઞાન જરૂર થાય પણ મારા પર રહેલો રાગ છોડો તો થાય.” ગૌતમસ્વામી વિનમ્રતાથી કહે છે, “પ્રભુ ! મારે એવું કેવળજ્ઞાન નથી જોઈતું. મારે મન તમે જ મોક્ષ છો કે જેના પ્રભાવે મને ધર્મ સૂઝયો. મેં અશ્વમેધ કરાવ્યા છે, અશ્વમેધ કરાવ્યા છે, આથી મારી ગતિ તો નરકમાં હતી. તેમાંથી આપે મને ઉગાર્યો. એટલું જ નહિ પણ સાચો ધર્મ સુઝાડ્યો. આપનો મોહ છોડવાથી જ જો કેવળજ્ઞાન મળતું હોય તો તે મારે નથી જોઈતું.” આમ સત્પુરુષના ચરણની ઇચ્છા રાખનારને મોક્ષની પણ અભિલાષા રહેતી નથી. આ સમયે શ્રીમદ્ પ્રાત:કાળે પ્રથમ પ્રહરે વનમાં ધ્યાન ધરતા, બીજા પ્રહરે સ્વાધ્યાય, ત્રીજા પ્રહરે આહારાદિ, ચોથા પ્રહરે વનમાં ધ્યાન અને રાત્રિના શેષ પ્રહરમાં સ્વાધ્યાય અને ધૂન – એમ દિવસ-રાત અપ્રમત્તપણે ગાળતા હતા. Jan Education international For Personal & Polyutu Da Only
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy