SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩. માતૃભક્તિનો મહિમા થોડા સમય બાદ વીરજી દેસાઈ પુનર્લગ્ન કરવાની તૈયારી કરવા લાગ્યા. શ્રીમદ્ આની જાણ થઈ ત્યારે એમણે વીરજી દેસાઈને કહ્યું, “તમે ફરી લગ્ન કરવાનું વિચારો છો તે જાણ્યું, પણ છ મહિના સુધી તમે લગ્ન કરતા નહીં.” શ્રીમદુના સુચનને કારણે વીરજી દેસાઈએ બીજા લગ્ન કરવાની તૈયારીઓ થોભાવી દીધી. એમના વચન પર વિશ્વાસ રાખીને વીરજીભાઈએ સગપણ પણ મોકૂફ રાખ્યું. આ પ્રસંગને બરાબર છ મહિના પૂરા થયા હતા. વીરજીભાઈ ઉપાશ્રયથી ઘર તરફ આવતા હતા. આ સમયે રસ્તામાં એમને સર્પ કરડ્યો. એમને ઉપચાર કરાવવા બીજા ગામ લઈ જવાની તજવીજ ચાલતી હતી, ત્યારે વીરજીભાઈએ જણાવ્યું, “મને કહેનારાએ કહી દીધું છે. મારો ચોવિહાર ભંગાવશો નહીં.” વીરજી દેસાઈના બનાવમાં શ્રીમદ્રની અતીન્દ્રિય જ્ઞાનની શક્તિ જોવા મળે છે. કોઈ પણ વ્યક્તિના અનિષ્ટને જોઈને શ્રીમદની હમદર્દી જાગી ઊઠતી અને એ વ્યક્તિને અનિષ્ટ સામે સમયસર ચેતવણી આપવાની કૃપા કરતા હતા. | શ્રીમદને સર્વસંગપરિત્યાગ કરવાનો મહાન મનોરથ હતો. “મોક્ષમાળા’ અને ‘ભાવનાબોધ ના રચના કાળે તે વૈરાગ્યભાવ વિશેષ પલ્લવિત બન્યો, આથી જ વિ. સં. ૧૯૪૨માં તેઓ હૃદયમાં ભક્તિ, જ્ઞાન, ધ્યાન અને વૈરાગ્યના ભાવો કેવા પ્રબળ બન્યા છે એ દર્શાવતાં લખે છે – “ઓગણીસસેં ને બેતાલીસ, અદ્ભુત વૈરાગ્ય ધાર રે | ધન્ય રે દિવસ આ અહો.” આવો ત્યાગ અનેક જીવોના કલ્યાણના નિમિત્તરૂપ બનશે તેમ માનીને શ્રીમદે માતાની આજ્ઞા મેળવવાનો વિચાર કર્યો. એક વાર શ્રીમદ્ અને તેમનાં માતા દેવમાં ઘરના ફળિયામાં ખાટલા પર બેઠાં હતાં. આ સમયે શ્રીમદે માતાને કહ્યું, “મા, મારે તારી રજા જોઈએ છે. તમે રજા આપો તો મારે જંગલમાં જઈને સાધુ થવું છે. ” માતાએ કહ્યું, “ના, દીકરા, ના. તું તો છે મારી આંખનું રતન અને મારા કુળનો દીવો. સાધુ થવાની તમને રજા કેમ આપીએ ? મારો જીવ નહીં ચાલે.” આટલું બોલતાં ભોળા અને ભલા દેવમાની આંખમાંથી અશ્રુબિંદુ ટપક્યાં. શ્રીમદે કહ્યું, “મા, જીવતો જોગી હશે, તો કોઈ દિવસ એનું મોં જોવા મળશે. તારે બારણે આવશે. તારા ખબર-અંતર પૂછશે.” શ્રીમદ્ ઓ કહેતા હતા, ત્યારે એમની માતાની આંખમાંથી વણથંભી આંસુની ધારા વહેવા લાગી. આ જોઈને માતૃભક્ત શ્રીમદે કહ્યું, “મા, તમને જેમ ઠીક લાગે તેમ કરીશ. હવે આવું દુ:ખ ન લગાડતી.” આમ, માતાની ભાવનાએ અંતે વિજય મેળવ્યો. ભગવાન મહાવીરે પણ ત્રિશલા માતાના ગર્ભમાં હતા ત્યારે પુત્રના વિયોગથી માતા શોકગ્રસ્ત ન થાય તે માટે અભિગ્રહ કર્યો હતો કે માતાપિતાની જીવિત અવસ્થામાં હું સંસારનો ત્યાગ કરીને દીક્ષા નહીં લઉં. ભગવાન મહાવીરના વીતરાગમાર્ગના આરાધક અને પ્રકાશક શ્રીમદ્ રાજચંદ્ર જાણે એ જ સંકલ્પનું પુનરાવર્તન કર્યું. | ‘મોક્ષમાળા'ના પ્રકાશનમાં વિલંબ થતાં એના આગોતરા ગ્રાહકોનો કચવાટ દૂર કરવા માટે સં. ૧૯૪૨ માં શ્રીમદે બાર ભાવનાઓ દર્શાવતા ‘ભાવનાબોધ ની રચના કરી. એમાં ગ્રંથોનાં અવતરણો, સચોટ ધર્મકથાઓ અને દૃષ્ટાંતો દ્વારા થયેલા આલેખનને કારણે ‘ભાવનાબોધ ' ધર્મજિજ્ઞાસુઓ માટે ઉપયોગી પુસ્તક રચનામાં તત્ત્વજ્ઞાનની સાથે કાવ્યરસ અને કથારસનો અનુપમ ત્રિવેણી સંગમ રચાયો છે.
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy