SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫. મારગ સાચા મિલ ગયા વિ. સં. ૧૯૪૭માં શ્રીમદ્રને સમ્યક્દર્શન પ્રાપ્ત થયું. એમની આંતરદશા તો નિર્વિકલ્પ સમાધિમય હતી, પરંતુ એવોમાં નવો ઝંઝાવાત આવ્યો. શ્રીમદ્ કહે છે, ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે, જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક રંચ રે, | ધન્ય રે દિવસ આ અહો.” ૨૪મે વર્ષે વિ. સં. ૧૯૪૮માં એમનાં કર્મોએ નવું સ્વરૂપ ધારણ કર્યું. વ્યવસાયની બાહ્ય ઉપાધિ વધુ ને વધુ વધતી ગઈ. ગૌણ અને અંતે ત્યાજ્ય માની હતી તે બાહ્ય પ્રવૃત્તિ વધુ ને વધુ સમય લેવા લાગી. આમ અંતરંગભાવો અને બાહ્ય જીવનવ્યવહાર વચ્ચે ભીષણ ઘર્ષણ જાગ્યું. કાળ પણ જાણે શ્રીમદ્રની અગ્નિપરીક્ષા કરતો હોય, તેવો બાહ્ય વ્યવહારની પ્રવૃત્તિનો વાવંટોળ એમના આંતરિક ખમીરની વધુ ને વધુ કસોટી કરનારો બન્યો. એક ક્ષણ રહેવું પસંદ નહોતું એવા વ્યવહારના પ્રપંચમાં પ્રારબ્ધના ઉદયને કારણે રહેવું પડ્યું, એ વિધિની કેવી વિચિત્રતા ! આમ છતાં શ્રીમની નિર્વિકલ્પદશા એવી જ દેઢ અને અડગ રહી. બાહ્ય અવરોધ જ આંતરિક આત્મશક્તિની પારાશીશી ગણાય. શ્રીમદ્ આ સમયની પોતાની મનઃસ્થિતિ દર્શાવતાં લખે છે : અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણ વાર પણ મટતું નથી તથાપિ અનેક વર્ષો થયાં વિકલ્પરૂપ ઉપાધિને આરાધ્યા જઈએ છીએ....... ચોતરફ ઉપાધિની જ્વાળા સળગતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે અને એ વાત તો પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. અમને પણ આશ્ચર્ય થઈ આવે છે. તથાપિ એ જ પ્રાય વર્યા જ કરે છે. એવો અનુભવ છે. અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે તે તો આત્માની સ્વરૂપ-પરિણતી વર્તતી હોવાને લીધે છે..... આત્માના સ્વરૂપ સંબંધી તો પ્રાયે નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે, કારણ કે અન્ય ભાવને વિષે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી.” આમ શ્રીમદ્રને ઉપાધિયોગ પણ સમાધિયોગ બની રહ્યો. જ્ઞાની ને અજ્ઞાનીજન, સુખદુઃખ રહિત ન કોય, જ્ઞાન વેદ વૈર્યથી, અજ્ઞાની વેદે રોય, પરમ વિરક્ત શ્રીમદ પરમાર્થ સમ્યકદર્શનને પ્રતાપે જીવન્મુક્ત દશા અનુભવી રહ્યા. અવધુત યોગી આનંદઘને મસ્તીભેર ગાયેલી “મુક્તિ સંસાર બેઉ સમ ગણે ” એ પરમ શાંત દશા શ્રીમદે પ્રાપ્ત કરી હતી. મોક્ષમાર્ગની પ્રાપ્તિનો આત્માનંદ કેવો હોય તેની મસ્તી અને ખુમારી પ્રગટ કરતા શ્રીમદ્ આનંદભેર ગાઈ ઊઠે છે, - “મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ; હોતા સો તો જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ.” આમ સમયે સમયે અનંતગુણ વિશિષ્ટ અપૂર્વ આત્મધ્યાનની શ્રેણીએ આરોહણ કરી રહેલા શ્રીમદ્ સર્વસંગ પરિત્યાગ ન થાય ત્યાં સુધી પ્રગટ માર્ગ પ્રકાશવો નહિ એવો નિશ્ચય કરે છે. સ્વયં જણાવે છે કે : - નિવૃત્તિ હોય તો બીજાના પરમાર્થ માટે શું કરવું તે વિચારી શકાય, ત્યાર પછી ત્યાગ જોઈએ અને ત્યાર પછી ત્યાગ કરાવવો જોઈએ. આવો સર્વ મહાત્માઓનો રિવાજ છે.” અતિ બાહ્ય પ્રવૃત્તિના સમયગાળામાં પણ તેઓએ અંદાજે બાર મહિના જેટલો સમય તો નિવૃત્તિક્ષેત્રમાં ગાળ્યો હતો.
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy