SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦. અાત્માની શંકા કરે, અાત્મા પોતે અપ વિ. સં. ૧૯૫૬માં શ્રીમદ્ વઢવાણમાં હતા, ત્યારે શ્રી જેસંગભાઈ તેમને મળવા માટે વઢવાણ ગયા, ત્યાંથી વળી બે-ત્રણ દિવસ વાંકાનેર જઈને વઢવાણ પાછા આવ્યા. પુનઃ શ્રીમના સત્સમાગમ માટે ગયા. શ્રીમદે એમને કહ્યું, “આજે અહીં જમજો.” જેસંગભાઈએ કહ્યું, “મેં દુકાને જમવાનો બંદોબસ્ત કર્યો છે.” શ્રીમદે એમને કહ્યું, “નહીં, તમે વીશીમાં બંદોબસ્ત કર્યો છે.” શ્રી જેસંગભાઈને આશ્ચર્ય થયું કે શ્રીમદ્દને કઈ રીતે ખબર પડી કે તેઓ વીશી(હોટલ)માં જમવાના છે ! પોતાની વાત શ્રીમદ્ જ્ઞાનબળે જાણી ગયા, તેથી એમની સમક્ષ નિખાલસ કબૂલાત કરતાં જેસંગભાઈએ કહ્યું, “હા, સાહેબ ! આપની વાત સાચી છે. ચોમાસામાં અમે દુકાનનું રસોડું ચાલુ રાખતા નથી.” બીજે દિવસે શ્રીમદે તેમને જમવા આવવાનું નિમંત્રણ આપ્યું. શ્રી જેસંગભાઈ નિમંત્રણનો સ્વીકાર કરીને ભોજન માટે ગયા પણ ખરા. શ્રીમદ્ અંતર્ગાનથી સાચી અને વાસ્તવિક પરિસ્થિતિ જાણી લેતા હતા. | એક વખત ત્રિભોવનભાઈ તથા અન્ય મુમુક્ષુઓ શ્રીમદ્ પાસે બેઠા હતા. જ્ઞાનવાત ચાલતી હતી. એવામાં ત્રિભોવનભાઈએ પૂછયું, “સાહેબજી, આત્મા તો દેખાતો નથી, આ આત્મા છે ક્યાં ?” આના ઉત્તરમાં શ્રીમદે કહ્યું, “તમને ભૂખ લાગે છે તે દેખાય છે ખરી ?” ત્રિભોવનભાઈએ કહ્યું, “સાહેબ, ભૂખ દેખાતી નથી, પણ લાગે છે તો ખરી.” આ સમયે ત્રિભોવનભાઈના પ્રશ્નનો ઉત્તર આપતાં શ્રીમદ્દ બોલ્યા, “આત્મા છે. જેમ નિદ્રા દેખાતી નથી, પણ નિદ્રા આવે છે. એ જે અનુભવ છે તેમ આત્મા અનુભવાય છે, પણ દેખાતો નથી.” ત્રિભોવનભાઈએ વળી સહજ જિજ્ઞાસાથી પૂછ્યું, “આત્મા કેમ પમાય ?" આ સમયે શ્રીમદ્ એકદમ પગ પર પગ ચડાવી પદ્માસન કરીને યોગમુદ્રામાં સ્થિર થઈ ગયા. એ વખતની આત્મલીન શ્રીમદ્દની મુદ્રા અત્યંત પ્રભાવક લાગી. કેવળ આત્મરૂ ૫ સ્થિરતા થઈ ગઈ હતી. તેઓ થોડો સમય આવી યોગમુદ્રામાં સ્થિર રહ્યા પછી પદ્માસનમાં વાળેલા પગ છૂટા કરતાં કહ્યું, “આત્મા આમ પમાય.” માં વેદાંતજ્ઞાની શ્રી પુંજાભાઈ સોમેશ્વર ભટ્ટ સાથે શ્રીમદ્દ જ્ઞાનવાત થઈ. આ જ્ઞાનવાર્તામાં શ્રીમદ્દનું સ્પષ્ટ તત્ત્વદર્શન અને એનું સંક્ષિપ્ત અને માર્મિક આલેખન જોવા મળે છે. શ્રી પુંજાભાઈ ભટ્ટે પ્રશ્ન કર્યો, “આત્મા છે તેવો તમને અનુભવ છે ?” શ્રીમદે કહ્યું, “હા, અનુભવથી કહીએ છીએ કે આત્મા છે. સાકરના સ્વાદનું વર્ણન ન થઈ શકે. તે તો અનુભવગોચર છે. તે જ રીતે આત્માનું વર્ણન ન થઈ શકે તે પણ અનુભવગોચર છે.” પૂંજાભાઈ ભટ્ટે પુનર્જન્મ છે કે નહિ તે વિશે પૂછયું, ત્યારે શ્રીમદે કહ્યું કે પુનર્જન્મ છે. પૂંજાભાઈએ વેદાંતને માન્ય માયિક ઈશ્વરનું અસ્તિત્વ તેઓ સ્વીકારે છે કે નહિ, તેમ પૂછયું, ત્યારે એના પ્રત્યુત્તરમાં શ્રીમદે ના કહી. વકીલાત કરતાં પંજાભાઈએ સવાલ કર્યો કે દર્પણમાં પડતું પ્રતિબિંબ માત્ર દેખાવ છે કે કોઈ તત્ત્વનું બનેલું છે ? | શ્રીમદે કહ્યું, “દર્પણમાં પડતું પ્રતિબિંબ ખાલી દેખાવ નથી. તે અમુક તત્ત્વનું બનેલું છે.” Jan Education International For Personal & Pilvate Use Only
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy