SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯. કષાયનો તાપ ભર ઉનાળે મોરબીની બજારમાં સહુએ કૌતુક જોયું. પચાસ વર્ષના ન્યાયાધીશ ધારશીભાઈએ ખરા બપોરે હાથમાં ઉઘાડી છત્રી લઈને વીસ વર્ષના શ્રીમદ્ પર ધરી રાખી હતી. કૌતુક જોવા માટે કોઈ નિમંત્રણ આપવાનું ન હોય. આપોઆપ ગામલોકો ભેગા થયા. સહુને આશ્ચર્ય થયું આ તે કેવું ! માત્ર વયમર્યાદાનો સ્થળ વિચાર કરનારને ધારશીભાઈનો શિષ્યભાવને કઈ રીતે પારખી શકે ? એમને તો આ મજાક અને હાંસીનું કારણ લાગ્યું. | ગુરુ-શિષ્યના આંતરસંબંધમાં બાહ્યજગતનું ગણિત ખોટું જ પડે. એ રીતે મોરબીની લાંબી અને સીધી બજારમાં ધર્મગોષ્ઠિ કરતાં આ બંને ચાલતા હતા. શ્રીમદૂની ઇચ્છાને માન આપીને ધારશીભાઈ એમની સાથે ફરવા નીકળ્યા. બળબળતો બપોર હોવાથી ધારશીભાઈએ સાથે છત્રી લીધી. શ્રીમદ રાજમાર્ગ પર છત્રી ઉઘાડવાનું કહેતાં એમણે છત્રી ખોલી અને શ્રીમના મસ્તક પર રાખીને ચાલવા લાગ્યા. ગામમાંથી બહાર નીકળતા ધારશીભાઈને શ્રીમદે છત્રી બંધ કરવાનું કહ્યું. ત્યારે ન્યાયાધીશ ધારશીભાઈ બોલ્યા, “સાહેબ ! ગામ બહાર તો વધારે તાપ લાગશે. આપ છત્રી બંધ કરવાનું કેમ કહો છો ? ભલે ઉઘાડી રહી.” આ સમયે શ્રીમદે ધારશીભાઈને બોધ આપ્યો કે કષાયનો તાપ આત્મામાંથી જવો જોઈએ. અપૂર્વ બોધ પામનાર ધારશીભાઈને શ્રીમદ્ દસ વર્ષના હતા ત્યારે એમનો પ્રથમ પરિચય થયો. ચાર-પાંચ વર્ષ બાદ શ્રીમદે લખેલો “ગાંગેય અણગારના ભાંગાનું અપૂર્વ રહસ્ય” એ શીર્ષક હેઠળનો પત્ર મળ્યો, જેનાથી એમને શ્રીમદૂની પ્રજ્ઞાની પહેચાન થઈ. બંને વચ્ચે ગુરુ-શિષ્યનો સંબંધ સર્જાયો. ગુરુએ શિષ્યના સત્ત્વની કેવી કસોટી કરી ! શિષ્ય ધારશીભાઈ એ ગુરુપરીક્ષામાં કેવા ઉત્તીર્ણ થયા ! શ્રીમદે પરિભ્રમણની નિવૃત્તિ શું કરવાથી થાય એ વિષય પર ઘણું મનોમંથન કર્યું. આ સમયે નડિયાદના પ્રખર વેદાંતી પ્રતિષ્ઠિત સાક્ષર શ્રી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી સાથે વિ. સં. ૧૯૪પના ફાગણ મહિનાના અંતમાં ૨૧ વર્ષના શ્રીમદ્ વવાણિયામાં પરિચય થયો. શ્રી મનસુખરામ ત્રિપાઠીના ધર્મસંબંધી સ્પષ્ટ, દંભવિહોણા અને માધ્યસ્થભાવથી કરેલા ઉચ્ચ વિચારો જાણે છે. એમની પાસેથી આધ્યાત્મિક શૈલીની સમજણ પામવાનો વિનય દાખવીને તેઓ લખે છે, | “અર્થ કે વય સંબંધમાં વૃદ્ધ સ્થિતિવાળો નથી તો પણ કંઈ જ્ઞાનવૃદ્ધતા આણવાને આપના જેવા સત્સંગને તેમના વિચારોને અને સત્યરુષની ચરણરજને સેવવાનો અભિલાષી છું.” શ્રીમદ્ પ્રખર વેદાંતી શ્રી મનસુખરામ ત્રિપાઠીને વીતરાગ સિદ્ધાંત સમજાવે છે. તેઓ કહે છે, “ગમે તે વાટે અને ગમે તે દર્શનથી કલ્યાણ થતું હોય તો પછી ત્યાં મતમતાંતર શોધવા. જે જ્ઞાનથી આત્મત્વ પ્રાપ્ત થાય તે સર્વોપરિ છે. મુક્તભાવમાં જ મોક્ષ છે. જ્યાં અંતરંગશ્રેણી નિગ્રંથ હોય ત્યાં સર્વસિદ્ધિ જ છે.” આમ અધ્યાત્મપ્રેમી મનસુખરામ અને આત્મરસિક શ્રીમદ્દનો પરિચય ગાઢ બનતો ગયો. શ્રીમદ્ પણ આવી વ્યક્તિને પોતાનું હૃદય દર્શાવવાનું સતુપાત્ર માનતા હતા. વિ. સં. ૧૯૪૬ની અષાઢ મહિનાની અમાસે શ્રીમદ્ પોતાની જ્ઞાનપિપાસા પ્રગટ કરતાં લખે છે, “ઘણાં વર્ષોથી આપના અંત:કરણમાં વાસ કરી રહેલ બ્રહ્મવિદ્યાનું આપના જ મુખેથી શ્રવણ થાય તો જ શાંતિ છે.”
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy