SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ THO ૩૯. ગાંધીજીના પથદર્શક વિશ્વના ઇતિહાસમાં એક વિરલ ઘટનાનું સર્જન થાય છે. આ સર્જન એટલે શ્રીમદ્ રાજચંદ્રજી અને મહાત્મા ગાંધીજીનો મેળાપ. વિ. સં. ૧૯૪૭ના જેઠ માસમાં મહાત્મા ગાંધીજી બ્રિટનમાં બૅરિસ્ટર થઈને હિંદુસ્તાન આવ્યા. તે દિવસે મુંબઈમાં શ્રીમના કાકાજી સસરા અને ભાગીદાર શ્રી રેવાશંકર જગજીવનના ભાઈ ડૉ. પ્રાણજીવનભાઈ મહેતાના નિવાસસ્થાને બૅરિસ્ટર મોહનદાસ ગાંધી ઊતર્યા હતા. શ્રીમદ્ પણ એ જ દિવસે ત્યાં આવ્યા. અહીં ગાંધીજી અને શ્રીમદ્દજીનો પ્રથમ પરિચય થયો. હિંદુસ્તાનમાં આવ્યા બાદ ગાંધીજી વકીલાત કરવા માટે મુંબઈ રોકાયા, ત્યારે ગાંધીજી પાસે સમયનો ઘણો અવકાશ હતો. આથી તેઓ શ્રીમદૂને એમની પેઢી પર વારંવાર મળવા જતા. આ સમયે ગાંધીજી શ્રીમના આચાર, વિચાર અને વ્યવહારનું સૂક્ષ્મ નિરીક્ષણ કરતાં કહે છે: “શ્રીમદ્ ભોજનમાં જે મળે તેથી સંતુષ્ટ રહેતા. પહેરવેશ સાદો પહેરતા. આખું અંગરખું, ખેશ, ગરભસૂતરો, ફેંટો અને ધોતી. તેમની ચાલ ધીમી હતી. અને જોનાર પણ સમજી શકે કે ચાલતાં પણ આત્મવિચારમાં મગ્ન છે. આંખમાં ચમત્કાર હતો. અત્યંત તેજસ્વિતા - વિવળતા જરાયે ન હતી.” પુષ્પના સૌરભથી જેમ મધુકર આકર્ષાય, તેમ પ્રથમ પરિચયે જ મહાત્મા ગાંધીજીને શ્રીમદ્જીના આંતર-બાહ્ય વ્યક્તિત્વનું આકર્ષણ થયું હતું. ગાંધીજીએ સૂક્ષ્મ, ગુણગ્રાહ્ય દૃષ્ટિથી શ્રીમદ્જીના જીવનવ્યવહારમાંથી ઘણી ગુણસમૃદ્ધિ આત્મસાત્ કરી લીધી. મહાત્મા ગાંધીજીના ચારિત્ર્યના નિર્માણના પાયામાં છે શ્રીમની પ્રતિભાનો પાવન સ્પર્શ અને એમના આંતરિક આનંદમય વ્યક્તિત્વનો સાક્ષાત્ અનુભવ. શ્રીમની આંખની જ્યોતિર્મયતા, વ્યવહારની સ્વસ્થતા અને આત્મવિચારની નિમગ્નતા – આ બધી બાબતોએ મહાત્મા ગાંધીજીના વ્યક્તિત્વઘડતરમાં પ્રચ્છન્નપણે ફાળો આપ્યો. મહાત્મા ગાંધી સ્વયં કહે છે, “મારા જીવન પર શ્રી રાજચંદ્રભાઈનો એવો સ્થાયી પ્રભાવ પડ્યો કે, હું એનું વર્ણન કરી શકતો નથી. હું કેટલાંય વર્ષોથી ભારતમાં ધાર્મિક પુરુષની શોધમાં છું, પરંતુ એમના જેવા ધાર્મિક પુરુષ હિંદમાં હજુ સુધી મેં જોયા નથી. યુરોપના તત્ત્વજ્ઞાનીઓમાં હું ટૉલ્સ્ટૉયને પ્રથમ શ્રેણીના અને રસ્કિનને બીજી શ્રેણીના વિદ્વાન સમજું છું, પરંતુ રાજચંદ્રભાઈનો અનુભવ એ બંનેથી ચઢેલો હતો.” શ્રીમદ્ સાથે ગાંધીજીનો પત્રવ્યવહાર બહોળો હતો પરંતુ ક્મભાગ્યે આપણને માત્ર ત્રણ જ પત્રો ઉપલબ્ધ છે, છતાં ગાંધીજીની વિવિધ ધર્મો વિશેની અને ધર્મના મર્મ અંગેની તીવ્ર મથામણમાં શ્રીમના આ પત્રોએ એમને ધર્મપરિવર્તન કરતા અટકાવ્યા હતા. ગાંધીજીએ બૅરિસ્ટરની બુદ્ધિને છાજે એવા વ્યાવહારિક-પારમાર્થિક એવા આત્મા, ઈશ્વર, મોક્ષ, ધર્મ, પુનર્જન્મ, પશુઓ અને ઈસુ ખ્રિસ્ત વિશે અનેક પ્રશ્નો શ્રીમને પૂછ્યા હતા. એના ઉત્તરો શ્રીમદે પ્રજ્ઞા અને અનુભવજ્ઞાનથી આપ્યા હતા. 1 શ્રીમદ્ અને ગાંધીજી વચ્ચેનો આ અભૂતપૂર્વ યોગ ભારત માટે, ભારતીય સંસ્કૃતિ માટે અને માનવજાત માટે અતિ મહત્ત્વપૂર્ણ અને ફળદાયી નીવડ્યો. એક જ સદીમાં બે મહાન વિભૂતિઓએ ભારતમાં – ગુજરાતની ધરતી પર અને સૌરાષ્ટ્રની ભૂમિમાં જન્મ ધારણ કર્યો તે કેવી ભવ્ય ઐતિહાસિક ઘટના કહેવાય. બંને સત્યપુરુષોએ માનવીય ગૌરવ પ્રસ્થાપિત કર્યું હતું.
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy