SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧. લૌકિક ઘટના : અલૌકિક બોધ ઉત્તરસંડામાં નિવૃત્તિ અર્થે ગયેલા શ્રીમદ્દને તદ્દન એકાંત જોઈતું હતું. એમણે બધી જ ચીજવસ્તુઓ પાછી મોકલાવી દીધી. રસોઈનો સામાન પણ એમણે પાછો મોકલી દીધો. આ સમયે મોતીલાલભાઈએ શ્રીમદૂને પૂછવું કે રસોઈની સઘળી સાધનસામગ્રી પાછી કેમ મોકલી દીધી છે, હવે ખાઈશું-પીશું શું ? એના માટે કોઈક વ્યવસ્થા કરવી પડશે. શ્રીમનો આહાર અતિ અલ્પ હતો. વળી આચારશુદ્ધિની માફક આહારશુદ્ધિ વિશે તેઓ સદૈવ જાગ્રત રહેતા, આથી શ્રીમદે મોતીલાલભાઈને કહ્યું કે તમે નડિયાદ જાવ. તમારી પત્નીને સ્નાન કરીને રસોઈ બનાવવાનું કહેજો. મારે માટે રોટલી અને શાક બનાવડાવજો. આટલું કહીને વળી તાકીદ કરી કે રસોઈ માટે લોખંડનું વાસણ વાપરે નહિ તેમજ શાકમાં પાણી, તેલ નાખે નહિ | મોતીલાલભાઈ નડિયાદ ગયા. શ્રીમદૂની સૂચના મુજબ ભોજન તૈયાર કરાવ્યું. આ ક્રમ બરાબર ગોઠવાઈ ગયો. એક વાર મોતીલાલભાઈએ પોતાનાં પત્નીને સુચના આપી કે જે સમયે ફાસ્ટ ગાડી પસાર થાય છે તે પછી જમવાનું લઈને તમે બંગલા તરફ આવજો, એ બંગલાથી ત્રણ-ચાર ખેતર દૂર બેસજો. હું આવીને તમારી પાસેથી જમવાનું લઈ જઈશ. ઉત્તરસંડામાં એકાંત સાધના અર્થે શ્રીમદ્ આ બંગલામાં રહેતા હતા. બન્યું એવું કે મોતીલાલભાઈની ગોઠવણમાં ગોટાળો થયો. એમનાં પત્ની તો છેક બંગલા સુધી આવી પહોંચ્યાં. બંગલામાં શ્રીમદ્ બિરાજમાન હતા. મોતીલાલભાઈનાં પત્નીએ શ્રીમન્ને ભોજન અંગે મોતીલાલભાઈએ કરેલી ગોઠવણની વાત કરી. આ વાતની મોતીલાલભાઈને ખબર પડી એટલે એમના ગુસ્સાનો પાર ન રહ્યો. એક તો એમની સઘળી ગોઠવણ ઊંધી વળી ગઈ, એથીય વિશેષે તો શ્રીમને આનો ખ્યાલ આવ્યો. | મોતીલાલભાઈએ એમનાં પત્નીને ખૂબ ઠપકો આપ્યો. શ્રીમદુને આનો ખ્યાલ આવતાં એમણે મોતીલાલભાઈને બોલાવ્યા અને કહ્યું, શા માટે તમે ખિજાયા ? તમે ધણીપણું બજાવો છો. આમ થવું જોઈએ નહિ. તમારે તો ઉપકાર માનવો જોઈએ. આઠમા ભવે તેઓ મોક્ષ પામવાના છે. એમને અહીં આવવા દો.” આમ કહીને શ્રીમદ્ મોતીલાલભાઈનાં પત્નીને મળ્યા. વળી સાથોસાથ એવો બોધ પણ આપ્યો કે, “તમે પ્રમાદ છોડીને જાગ્રત થાવ, મંદ પુરુષાર્થથી કેમ વર્તો છો ? આવો યોગ મહા વિકટ છે. મહા પુણ્ય કરીને આવો યોગ પ્રાપ્ત થયો છે અને વ્યર્થ શા માટે ગુમાવો છો ?” અધ્યાત્મના શિખરે પલાંઠી વાળીને બેઠેલા શ્રીમદ્દનું કરુણાળુ હૃદય માનવીય સંવેદનાઓથી ધબકતું હતું, આથી જ તેઓએ મોતીલાલભાઈને ઠપકો આપ્યો. | વિભૂતિઓના જીવનની આવી નાની ઘટનાઓ પણ એમના હૃદયની વિશાળતાનો અને માનવતાનો સ્પર્શ કરાવે છે. ભૌતિક જગતમાં બનતી સ્થળ ઘટનાઓમાંથી વ્યક્તિને જગાડીને શ્રીમદ્દ એમને આધ્યાત્મિક દશા તરફ દોરી જતા હતા. Jan Education intamational For Personal Private Lise Only
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy